Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૭૮
મિત્રના કે પાડોશીના મકાનને જોઈને થતી નથી. સામે વસ્તુ તો બન્ને સરખી જ છે. જો વસ્તુમાત્રથી રતિ-અતિ થતી હોય તો બન્ને મકાનો તરફથી સરખી પ્રીતિ થવી જોઈએ. પણ મનથી એકને પોતાનું માન્યું છે. તેથી એક મકાનથી જેવી રતિ (પ્રીતિ-પ્રસન્નતા) થાય છે તેવી રતિ સરખી ડીઝાઈનવાળા પણ મિત્રના કે પાડોશીના મકાનથી આ જીવને થતી નથી.
(૩) પોતાનો છોકરો અને પાડોશીનો છોકરો સરખા કદનો હોય, સરખા રૂપવાળો હોય તો પણ પોતાના છોકરાને જોઈને જેવી પ્રીતિ થાય છે તેવી પાડોશીના છોકરાને જોઈને પોતાને પ્રીતિ થતી નથી. હવે જો છોકરાના શરીરનો જ ધર્મ પ્રીતિ-અપ્રીતિ કરવાનો હોત તો બન્નેના છોકરાને જોવાથી સરખી પ્રીતિ કે અપ્રીતિ થવી જોઈએ. પણ તેમ થતું નથી. જ્યાં મનથી પોતાપણું માન્યું છે ત્યાં જ પ્રીતિ થાય છે. તેવી પ્રીતિ અન્યમાં થતી નથી. આવાં અનેક ઉદાહરણોથી સમજાય છે કે પ્રીતિ-અપ્રીતિ એ વસ્તુના ધર્મો નથી, સામેની વસ્તુથી નિપજતા ધર્મો નથી. પણ પોતાના મનની કલ્પનાથી જ પ્રીતિ-અપ્રીતિ થાય છે.
અઢાર પાપસ્થાનક
પોતાની પત્નીને જોઈને (એવી જ રીતે પત્નીને પોતાના પતિને જોઈને) જેવો રાગ, વિકાર અને વાસના પતિને (પત્નીને) જન્મે છે તેવો રાગ-વિકાર અને વાસના તે જ સ્ત્રીને જોઈને તેના પિતાને કે તેના ભાઈને કે અન્ય વ્યક્તિને થતા નથી. જો સ્ત્રીથી જ રાગ-વિકાર-વાસના જન્મતી હોય તો તે સ્ત્રીને જોવાથી જેવો રાગવિકાર અને વાસના તેના પતિને થાય છે તેવો તેના પિતાને-ભાઈને અને અન્ય વ્યક્તિને પણ થવો જોઈએ. પણ આમ થતું નથી. કારણ કે પતિએ મનથી તેને મારું (મારું ભોગનું) પાત્ર છે. એમ મનથી માન્યું છે. તેવું પિતા-ભાઈ અને અન્ય વ્યક્તિએ મનથી તેને ભોગપાત્ર માન્યું નથી. માટે રતિ-અરતિ વસ્તુથી થતાં નથી. મનની મારાપણાની મોહાન્ય કલ્પનાથી જ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org