Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
મિથ્યાત્વશલ્ય નામના અઢારમા પાપસ્થાનકની સજઝાય
૨૧૧
આનંદ પામે, પણ જેમ આંધળો માણસ શત્રુની સેનાને ન જીતી શકે તેમ મિથ્યાદ્રષ્ટિ જીવ સિદ્ધિપદ પામી શકતો નથી આ બાબત ઉપર વીરસેન અને શુરસેનનાં ચરિત્ર જોઈ લેજો, તે જોઈને મનમાં વિચારો કે આ સમ્યક્ત્વ એ જ એક પદાર્થ (ગુણ) શ્રેષ્ઠ છે અને આત્મકલ્યાણ માટે યોગ્ય છે. ૩-૪ ll
- વિવેચન - મિથ્યાત્વ એટલે સાચું તત્ત્વ ન સમજવું ન સ્વીકારવું અને ન માનવું, અવળી બુદ્ધિ-અવળી દૃષ્ટિ તે સઘળું ય મિથ્યાત્વ કહેવાય છે.
આ જીવ જુદી જુદી અનેક જાતની ધર્મક્રિયા કરે જેમ કે કુટુંબ પરિપારાદિ પરિજનનો ત્યાગ કરીને દીક્ષા પણ લે, દીક્ષિત જીવનમાં ઉપસર્ગ-પરિષહ આવે તો ઘણાં ઘણાં કષ્ટો (દુઃખો) પણ સહન કરે તો પણ જો મિથ્યાદૃષ્ટિ હોય તો સિદ્ધિપદ પામી શકતો નથી. જેમ આંખે અંધ પુરુષ શત્રુની સેનાને જીતી શકતો નથી. તેમ આ પુરુષ આત્મસાધના પામી શકતો નથી.
બાણાદિ શસ્ત્રો મારવાની ક્રિયા સારી રીતે જે જીવ શીખ્યો હોય, શબ્દ સાંભળવા દ્વારા માણસની કલ્પના કરીને શસ્ત્રો મારી શક્તો હોય, પણ જે આંખે અંધ છે. તે શત્રુના વ્યુહને આંખે જોઈ ન શકે એટલે આડા અવળા પડખેથી આવીને શત્રુ તે અંધને મારી જાય, પણ અંધ પુરુષ શત્રુને સાક્ષાત્ દેખ્યા વિના ઘા કરી ન શકે અને કરે તો સફળતા પામે નહીં તેમ મિથ્યાષ્ટિ પુરુષની દૃષ્ટિ અવળી હોવાથી ધર્મક્રિયા આદિ કરે પણ મનમાં સંસારમાં આવેલી આપત્તિઓ જ માત્ર દૂર કરવાની અને ભૌતિક સંપત્તિઓ જ માત્ર લેવાની ભાવના હોય છે. દુનિયામાં સારા દેખાવાની જ ભાવના વધારે હોય છે. આત્મતત્ત્વનું લક્ષ્ય હોતું નથી. નિર્વિકલ્પદશાના, નિઃસ્પૃહદશાના અને બહિરાત્મ ભાવના ત્યાગના સુખને આ જીવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org