Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
મિથ્યાત્વશલ્ય નામના અઢારમા પાપસ્થાનકની સજ્ઝાય
આવા અંતર્મુખ વૃત્તિવાળા, આત્મદશામાં જ લયલીન, સત્તાવીસ ગુણે કરીને સંયુક્ત, નાવની જેમ તરણ-તારણ, શુદ્ધ ધર્મના પ્રરૂપક ઉત્તમ સાધુને તેઓના ગુણોને નહી સમજીને અસાધુ કહેવા તે આ મિથ્યાત્વ છે.
(૬) અસાધુમાં સાધુની બુદ્ધિ
આરંભ-પરિગ્રહમાં આસક્ત, વિષયકષાયથી ભરેલા, લોભમાં આસક્ત, મંત્ર-તંત્ર-જડીબુદ્ધિ આદિ કરનારા, ચમત્કારાદિની વાતો કરીને ખોટી શ્રદ્ધા કરાવનારા જે હોય તે અસાધુ છે પરંતુ તેમના દ્વારા સાંસારિક સ્વાર્થો સિદ્ધ થતા હોવાથી, માન-સન્માનાદિ પોષાતા હોવાથી તેવા અસાધુને સાધુ માનવા. તેમના ભક્ત થયું. તેમની આજ્ઞા પ્રમાણે ચાલવું વિગેરે. આ મિથ્યાત્વ કહેવાય છે. યોગશાસ્ત્રમાં બીજા પ્રકાશમાં કહ્યું છે કે
-
-
सर्वाभिलाषिणः, सर्वभोजिनः सपरिग्रहाः । अब्रह्मचारिणो मिथ्योपदेशा गुरुवो न तु ॥९॥ परिग्रहारम्भभग्नास्तारयेयुः कथं परान् । स्वयं दरिद्रो न परमीश्वरीकर्तुमीश्वरः ।। १० ।
(૭) જીવમાં અજીવબુદ્ધિ -
એકેન્દ્રિયાદિ જીવોમાં સ્પષ્ટ ચેતના ન હોવાથી અજીવ માનવા. પૃથ્વીકાય આદિને અજીવ માનીને તેનો બેફામ ઉપયોગ કરવો, તેમાં રહેલા જીવોની હિંસાને હિંસા ન માનવી. બેફામ પાણીના ઉપયોગમાં, ફટ-ફટ લાઈટ પંખા કરવામાં જીવોની વિરાધનાને ન ગણકારવી. લાગણીહીન બનવું. પાંચ ભૂતો એ જ ચેતના છે. સ્વતંત્ર જીવદ્રવ્ય છે જ નહીં આવું માનવું. તે આ મિથ્યાત્વ છે. સંબોધિસત્તરીમાં કહ્યું છે કે
Jain Education International
૨૧૭
For Private & Personal Use Only
www.jainelibrary.org