Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
મિથ્યાત્વશલ્ય નામના અઢારમા પાપસ્થાનકની સઝાય
૨૨૧
ભેદ છે
નરભેદમાં
જદમાં
શંકા કરવી. સાંશયિક મિથ્યાત્વ, તેના બે ભેદ છે. દેશમાંશયિકસર્વસાશયિક, કોઈ એક ઉત્તરભેદમાં શંકા તે દેશ સાંશયિક અને કોઈ એક મૂલભેદમાં શંકા તે સર્વસાશયિક.
(૫) અનાભોગ મિથ્યાત્વ - અજ્ઞાનદશા, વસ્તુતત્ત્વની અસમજ, તત્ત્વાતત્ત્વનું અજાણપણું તે અનાભોગ મિથ્યાત્વ કહેવાય છે. મિથ્યાત્વના આ પાંચ ભેદ જૈનદર્શનમાં પ્રસિદ્ધ છે પરંતુ જે સમજી લોકો છે. શાસ્ત્રને જાણનારા લોકો છે તે જ જાણે છે. આ પાંચ ભેદને બરાબર જાણીને તેનાથી અલગ થવા પ્રયત્ન કરવો જોઈએ. જે ૭-૮ લોક-લોકોત્તર ભેદ એ પવિધ, દેવ-ગુરુ વળી પર્વજી, સંગતિ તિહાં લૌકિક ત્રિણ આદર, કરતાં પ્રથમ તે ગર્વજી હા લોકોત્તર દેવ માને નિયાણે, ગુરુ જે લક્ષણ હીણાજી, પર્વ નિષ્ટ ઈહલોકને કાજે, માને ગુરુપદ લીનાજી / ૧૦ ||
| શબ્દાર્થ - પવિઘ - છ પ્રકારના ભેદ, તિહાં - ત્યાં, લૌકિક ત્રિણ આદર કરતાં - લૌકિક એવા ત્રણને (દેવ-ગુરુ અને પર્વને) આદરતાં, ગર્વજી - તથા તે ત્રણનો ગર્વ કરતાં, પ્રથમ સંગતિ - પ્રથમનાં ત્રણ મિથ્યાત્વ લાગે છે, લોકોત્તર દેવ માને નિયાણે - લોકોત્તર એવા વીતરાગ દેવને નિયાણા રૂપે જે માને છે, ગુરુ જે લક્ષણ હીનાજી - જે ગુરુજી લક્ષણથી હીન હોય તેને, તથા પર્વનિષ્ટ ઈહલોકને કાજે - પર્વને પર્વરૂપે ન ઈચ્છે પરંતુ આ લોકના સુખરૂપે જે ઈચ્છે, માને ગુરુપદલીનાજી - આવા (લક્ષણહીન) ગુરુને ગુરુ માનીને તેની જ આજ્ઞામાં લયલીન રહે તે II ૯-૧૦ ||
ગાથાર્થ - તથા વળી ૧ દેવ, ૨ ગુરુ અને ૩ પર્વ સંબંધી લૌકિક અને લોકોત્તર ભેદ વડે આ મિથ્યાત્વક પ્રકારનું પણ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org