Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 237
________________ ૨૨૮ વસ્તુઓ દેખાતી નથી તેથી હેય-ઉપાદેયનો વિવેક થતો નથી તેવી જ રીતે મિથ્યાત્વ એ ગાઢ અંધકાર છે તેનાથી સારાસારનો આત્મકલ્યાણના બાધક-સાધકનો, હેય-ઉપાદયનો, સત્યાસત્યનો આ જીવને વિવેક રહેતો નથી તે માટે ગાઢ અંધકારતુલ્ય છે. છે (૩) પરમ શત્રુ છે - શત્રુ દ્રવ્યપ્રાણોનો જ નાશ કરે છે અને તે પણ એક જ વાર નાશ કરે છે જ્યારે મિથ્યાત્વ એ ભાવપ્રાણોનો નાશ કરે છે અને ભવોભવમાં નાશ કરે છે. જીવનો અનંત સંસાર (ભવભ્રમણ વધારે છે તે માટે પરમ શત્રુ છે. અઢાર પાપસ્થાનક (૪) પરમ શસ્ત્ર છે - શસ્ત્રથી જેમ દેહના પ્રાણોનો નાશ થાય છે તેમ આત્માના ભાવપ્રાણોનો નાશ આ મિથ્યાત્વથી થાય છે તેથી તે મહાશસ્ત્ર છે. વિપરીત બોધથી પ્રેરાયેલો જીવ દુર્ગતિમાં ધકેલાઈ જાય છે. ઘણા ભવ સુધી સત્બુદ્ધિ અને સદ્ગુરુનો યોગ ન થાય તેવું આત્મકલ્યાણને કાપવાનું કામ આ કરે છે તેથી મહાશસ્ત્ર છે. (૫) પરમ નરકાર નરકમાં જવા માટેનો હાઈવે રસ્તો છે. સિમેન્ટની બાંધેલી પાકી સડક જેવો ધોરી રસ્તો છે. આ મિથ્યાત્વ જીવને અવશ્ય નરકમાં લઈ જાય છે જ. - (૬) પરમ દૌર્ભાગ્ય છે - જેમ કોઈ માણસ ઘણું કામકાજ કરે પરંતુ તે કોઈને પણ વહાલો ન લાગે. અળખામણો જ લાગે. દરેક લોકો તેના ઉપર અપ્રીતિ-તિરસ્કાર જ વર્તાવે. તે રીતે મિથ્યાત્વના ઉદયથી જીવ આત્માર્થી જીવોને અપ્રિય લાગે છે. ક્યાંય માન પાન પ્રતિષ્ઠા વધતી નથી. આત્મકલ્યાણ કરવા તરફ આદરભાવ પામતો નથી. Jain Education International (૭) પરમદરિદ્ર છે - સંસારમાં જેમ ધન વિનાનો માણસ દરિદ્ર કહેવાય છે. તેમ આવા પ્રકારના મિથ્યાત્વના ઉદયવાળો જીવ આત્માના એક પણ સાચા ગુણને પામતો નથી તેથી જ ગુણસ્થાનકમાં For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 235 236 237 238 239 240 241 242