Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 218
________________ મિથ્યાત્વશલ્ય નામના અઢારમા પાપસ્થાનકની સઝાય ૨૦૯ હવે “મિથ્યાત્વશલ્ય” એ નામના અઢારમા પાપસ્થાનકની સજ્જાય અઢારમું જે પાપનું થાનક, તે મિથ્યાત્વ પરિહરિયેજી, સત્તરથી પણ તે એક ભારી, હોય તુલાયે જો પરીયેજી ૧/ કષ્ટ કરો પરિ પરિ દમો અપ્પા, ધર્મ અર્થે ધન ખરચોજી, પણ મિથ્યાત્વ છતે તે જૂઠું, તિણે તેહથી તુમે વિરોજી રો શબ્દાર્થ - પરિહરિયેજી - તજીએ, ભારી - ભારે છે. મોટું છે તુલા - ત્રાજવા દ્વારા-કાંટા દ્વારા, કષ્ટ કરો - દુઃખ સહન કરો, પરિ પરિ - વારંવાર, દમો અપ્પા - આત્માનું દમન કરો, તિણે - તે કારણે, તેહથી - તે પાપસ્થાનાકથી, વિરમો - અટકો II ૧-૨ || ગાથાર્થ - અઢારમું “મિથ્યાત્વ” નામનું જે પાપસ્થાનક છે તે ત્યજે. કારણ કે જે એક ત્રાજવા દ્વારા તોલવામાં આવે તો સત્તરે પાપસ્થાનકથી તે ઘણું ભારે છે. ગમે તેટલાં કષ્ટ સહન કરો, વારંવાર આત્માનું દમન કરો, ધર્મ માટે ગમે તેટલું ધન ખર્ચો, પણ જે મિથ્યાત્વ છે. તો તે સઘળું જૂઠું છે તે કારણે તમે તે મિથ્યાત્વ પાપાનકથી અટકો / ૧-૨ / | વિવેચન - હવે “મિથ્યાત્વ” નામના અઢારમા પાપસ્થાનકની સઝાયના અર્થ સમજાવે છે. જિનેશ્વર પરમાત્માના શાસનમાં જગતના ભાવોનું જે વર્ણન કર્યું છે. નિત્યાનિત્ય ભિન્નભિન્ન, અસ્તિનાસ્તિ, સામાન્યવિશેષ, દ્રવ્યગુણપર્યાય, દ્રવ્યપાર્થિક-પર્યાપાર્થિક નય ઈત્યાદિ વાતો ન માનતાં તેનાથી વિપરીત એકાન્તમાર્ગ સ્વીકારવામાં “મિથ્યાત્વ” કહેવાય છે. આ સક્ઝાયમાં તે પાપસ્થાનક વિસ્તારથી સમજાવે છે. પ્રાણાતિપાતાદિ ૧ થી ૧૭ પાપસ્થાનકોને ત્રાજવાના એકબાજુના ત્રાસકમાં મુકીએ અને બીજી બાજુના ત્રાસકમાં મિથ્યાત્વ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242