Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૦૮
જે મહાત્મા પુરુષો અલ્પ માત્રાએ પણ માયા કરતા નથી. થોડું પણ જૂઠું બોલતા નથી. પોતાના જીવનને શક્ય બને તેટલું નિર્દોષ બનાવે છે. હૃદય પણ સરળ, સજ્જન અને પાપભીરૂ રાખે છે. તેઓની તોલે આ સંસારમાં કોઈ જ આવતું નથી. સાચા હીરાની જેમ તે મહાત્માઓ આ શાસનમાં દીપે છે. પોતાનું પણ કલ્યાણ કરે છે અને તેઓના પરિચયમાં આવનારાનું પણ કલ્યાણ કરે છે આવા ધન્ય પુરુષોનું જીવન અમૂલ્ય છે. જેની કંઈ પણ કિંમત ન આંકી શકાય તેવી અમૂલ્ય અને સારા યશવાળી જીંદગી તેઓ જીવે છે અને જૈનશાસનમાં શોભા પામે છે. આવા મહાત્મા પુરુષો જય-વિજય પામે છે.
અઢાર પાપસ્થાનક
આ ગાથાના “તે રાજે સુજસ અમોલે” પદમાં વાપરેલ સુયશ શબ્દથી ગ્રંથકારશ્રીએ પોતાનું નામ ગર્ભિત રીતિએ સૂચવ્યું છે. આ પ્રમાણે “માયામૃષાવાદ” નામના સત્તરમા પાપસ્થાનકની સજ્ઝાય અહીં સમાપ્ત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org