Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
માયામૃષાવાદ નામના સત્તરમા પાપસ્થાનકની સજ્ઝાય
છે. અને માયાથી કરેલું તે તે પાપ જ્યારે જ્યારે ઉઘાડું થાય છે. ત્યારે તો અત્યન્ત લજ્જાસ્પદ બની જાય છે. ધરતીમાં છુપાવા પ્રયત્ન કરે છે. ભૂગર્ભમાં જ ચાલ્યો જાય છે. આવું આ પાપસ્થાનક છે. ॥ ૫ ॥
-
દંભીનું જૂઠું મીઠું, તે નારી-ચરિત્રે દીઠું, પણ તે છે દુર્ગતિનું ચીઠું - હો લાલ, માયા-મોસ નવી કીજિયે. ॥ ૬ ॥
મિથ્યા
W
શબ્દાર્થ - દંભીનું - માયાવી માણસનું, જૂઠું અસત્ય, મીઠું - પ્રિય હોય છે, નારીચરિત્રે - સ્ત્રીચરિત્રમાં, દીઠુ
જોયું છે, ચીઠું - ચીઠ્ઠી, કાગળ, નોટીસ. | ૬ ||
૧૪
ગાથાર્થ - દંભીનું જૂઠું બોલવાપણું, તે ઉપરથી મીઠું હોય છે. આ બાબત સ્ત્રીચરિત્રમાં જોવાયેલી છે. પરંતુ તે નરકાદિ દુર્ગતિઓની ચીઠ્ઠી (નોટીસ) છે એમ જાણવું. || ૬ ||
·
વિવેચન - માયાવી માણસોના હૈયામાં જુદું હોય છે અને હોઠે જુદુ હોય છે. બોલે છે બહુ જ મીઠું પરંતુ કરે છે બહુ જ જૂઠું, અર્થાત્ છેતરવાનું કામ, તેથી આવું માયામય કામ કરવા માટે અને બીજાને ફસાવવા માટે અમૃત જેવું મીઠું બોલે છે તેની આવી અમૃતમય વાણીથી સજ્જન માણસો ફસાય છે અને તેનાથી તે પોતાનું ધાર્યું કામ કરે છે. નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે
मधु तिष्ठति जिह्वाग्रे, हृदये तु हलाहलम्
સ્ત્રીચરિત્રમાં આવું માયાવીપણું દેખાય જ છે. શાસ્ત્રોની અંદર “શ્રી એ માયાનું ઘર” છે એવાં ભૂતકાલમાં બનેલાં અનેક ઉદાહરણો છે. આ કથન જાતિવિષયક સમજવું. વ્યક્તિવિષયક નહીં, વ્યક્તિ તો તેમાં મરૂદેવા માતા, ચંદનબાલા અને મૃગાવતી જેવાં ઉત્તમ જીવો
Jain Education International
૨૦૧
For Private & Personal Use Only
-
www.jainelibrary.org