Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 208
________________ માયામૃષાવાદ નામના સત્તરમા પાપસ્થાનકની સજ્ઝાય ચાલી (ચાલ્યું) જ ગઈ (ગયું) હોય તેમ તેઓની ચતુરાઈ નીચે (પાતાલમાં) ચાલી જાય છે. ચતુરાઈ વિનાના આ પુરુષો કહેવાય છે. જ્ઞાનીની દૃષ્ટિએ આવા જીવો મૂર્ખ કહેવાય છે. ॥ ૩ ॥ બગલાં પરે પગલાં ભરતાં, થોડું બોલે જાણે મરતાં, જગ ધંધે ઘાલે ફિરતાં, હો લાલ, માયા-મોસ-નવિ કીજિયે. ॥ ૪ ॥ શબ્દાર્થ પગલાં ભરતાં એક પગ પછી બીજો પગ મુકતો જીવ, ડગલાં માંડતો જીવ, થોડું બોલે - બોલે ઘણું જ ઓછું, જગ - જગતને, ધંધે ઘાલે - પોતાની માયાજાળના ધંધામાં ફસાવે. ॥ ૪ ॥ - ગાથાર્થ આ માયામૃષાવાદી જીવ બગલાની પેઠે ધીમે ધીમે પગલાં ભરે છે તથા મરણપથારીવાળાની જેમ થોડુંક જ બોલે છે. પણ આમ ફરતાં ફરતાં જગતના જીવોને પોતાની માયાજાળના ધંધામાં ઘાલે છે. એટલે કે ફસાવે છે. ॥ ૪ ॥ - Jain Education International ૧૯૯ - - વિવેચન આ માયામૃષાવાદ પાપસ્થાનક સેવનારા જીવો કેવા કેવા પાપી હોય છે ? તે ઉપર સમજાવતાં કહે છે કે આવા પ્રકારનાં પાપકર્મ કરનારા જીવો બગલાની પેઠે પૃથ્વી ઉપર ધીમે ધીમે પગ માંડે છે. જાણે કે નાના જીવોની રક્ષા માટે કેવી જયણા પાળે છે ? કેવો દયાળુ પુરુષ આ છે. એવી છાપ જગતમાં ઉભી કરવા આવી માયા સેવે છે. તથા એટલું બધું ઓછું બોલે છે કે જાણે મૃત્યુની આસન્ન બનેલો પુરુષ જેવું બોલે છે તેવું આ બોલે છે. અતિશય ઓછું બોલે છે અને ધીમું બોલે છે. આમ બહારથી ધર્મી દેખાતો એવો પણ આ જીવ ફરતાં ફરતાં સંસારના જીવોને પોતાની માયાજાળના ધંધામાં ફસાવે છે એવી For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242