Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 197
________________ ૧૮૮ અઢાર પાપસ્થાનક ચાલે, કુતરાની પુછડી વાંકી જ રહે, તેમ જે નિંદકનો નિંદા કરવાનો સ્વભાવ (ઢાળ) પડ્યો છે તે હમેશાં નિંદા કરવાનો જ છે. તેથી સજ્જન પુરુષોએ તેનાં વચનો તરફ ધ્યાન આપવું જોઈએ નહીં. તેનાં જેમ જેમ બોલાતાં વચનો (કથનો) ની સજ્જન પુરુષે ઉપેક્ષા કરીને તે જીવનો તેવા પ્રકારનો કર્યોદય છે. એમ સમજીને તેના વડે બોલાયેલાં તેવા પ્રકારનાં નિંદામય વાક્યોની પણ નિંદા ન કરવી. કારણ કે તે જીવનો આવો સહજ સ્વભાવ બની ગયો છે. તે સદા નિંદા જ કરવાનો છે. તેની વાતને વધારે મહત્ત્વ આપીએ અને તેના દ્વારા કરાયેલી નિંદાને સાંભળીને સજ્જન પણ જો પચાવી ન શકે અને નિંદક બને તો સજ્જનની સજ્જનતા કેમ ટકે ? માટે “તાસ કથન નવિ નિંદ” તેના કહેલાં વચનોની નિંદા હે જીવ! ન કર. તે નિંદકનાં વચનો કાં તો બહુ સાંભળવાં નહીં. અથવા સંભળાઈ જાય તો ઉપેક્ષા કરવી પણ તેનાં બોલાયેલા વચનોને બહુ મહત્ત્વ આપીને તેના વચનોની નિંદા ઉત્તમ પુરુષે ન કરવી. તેમાં પણ જે જે જીવો સામેના માણસનું નામ આપીને ચોરે ચૌટે તેની નિંદા કરે છે તે તો અતિશય મતિમંદ (મુર્ખ) છે એમ જાણવું. કારણ કે એકબીજાનાં નામ આપીને દોષો ગાવાથી પરસ્પર લઢાઈ વધે છે. વૈરવૃત્તિ વધે છે. ભવોભવનાં વૈર બંધાય છે. તેથી ઉત્તમ પુરુષે નિંદક બનવું નહીં, નિંદકનાં વચનો સાંભળવાં નહીં, સંભળાઈ જાય તો ઉપેક્ષા કરવી પણ તેનાં વચનોનું મહત્ત્વ આપી નિંદા ન કરવી. અને જેનું તેનું નામ આપીને તો આવી નિંદા કદાપિ ન કરવી. ભારે કલેશકંકાસ અને કડવાશનું જ કારણ બને છે. મેં ૩-૪ | સુંદર, રૂપ ન કોઈનું ધારીયે, દાખીયે નિજ નિજ રંગ હો. સુંદર, તેહમાંહિ કોઈ નિંદા નહી, બોલે બીજુ અંગ. હો. સુંદર. / ૫ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242