SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ અઢાર પાપસ્થાનક ચાલે, કુતરાની પુછડી વાંકી જ રહે, તેમ જે નિંદકનો નિંદા કરવાનો સ્વભાવ (ઢાળ) પડ્યો છે તે હમેશાં નિંદા કરવાનો જ છે. તેથી સજ્જન પુરુષોએ તેનાં વચનો તરફ ધ્યાન આપવું જોઈએ નહીં. તેનાં જેમ જેમ બોલાતાં વચનો (કથનો) ની સજ્જન પુરુષે ઉપેક્ષા કરીને તે જીવનો તેવા પ્રકારનો કર્યોદય છે. એમ સમજીને તેના વડે બોલાયેલાં તેવા પ્રકારનાં નિંદામય વાક્યોની પણ નિંદા ન કરવી. કારણ કે તે જીવનો આવો સહજ સ્વભાવ બની ગયો છે. તે સદા નિંદા જ કરવાનો છે. તેની વાતને વધારે મહત્ત્વ આપીએ અને તેના દ્વારા કરાયેલી નિંદાને સાંભળીને સજ્જન પણ જો પચાવી ન શકે અને નિંદક બને તો સજ્જનની સજ્જનતા કેમ ટકે ? માટે “તાસ કથન નવિ નિંદ” તેના કહેલાં વચનોની નિંદા હે જીવ! ન કર. તે નિંદકનાં વચનો કાં તો બહુ સાંભળવાં નહીં. અથવા સંભળાઈ જાય તો ઉપેક્ષા કરવી પણ તેનાં બોલાયેલા વચનોને બહુ મહત્ત્વ આપીને તેના વચનોની નિંદા ઉત્તમ પુરુષે ન કરવી. તેમાં પણ જે જે જીવો સામેના માણસનું નામ આપીને ચોરે ચૌટે તેની નિંદા કરે છે તે તો અતિશય મતિમંદ (મુર્ખ) છે એમ જાણવું. કારણ કે એકબીજાનાં નામ આપીને દોષો ગાવાથી પરસ્પર લઢાઈ વધે છે. વૈરવૃત્તિ વધે છે. ભવોભવનાં વૈર બંધાય છે. તેથી ઉત્તમ પુરુષે નિંદક બનવું નહીં, નિંદકનાં વચનો સાંભળવાં નહીં, સંભળાઈ જાય તો ઉપેક્ષા કરવી પણ તેનાં વચનોનું મહત્ત્વ આપી નિંદા ન કરવી. અને જેનું તેનું નામ આપીને તો આવી નિંદા કદાપિ ન કરવી. ભારે કલેશકંકાસ અને કડવાશનું જ કારણ બને છે. મેં ૩-૪ | સુંદર, રૂપ ન કોઈનું ધારીયે, દાખીયે નિજ નિજ રંગ હો. સુંદર, તેહમાંહિ કોઈ નિંદા નહી, બોલે બીજુ અંગ. હો. સુંદર. / ૫ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005112
Book TitleAdhar Pap Sthanakni Sazzaya
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy