Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text ________________
૧૯૬
હવે “માયામૃષાવાદ” નામના સત્તરમા પાપસ્થાનકની સજ્ઝાય
સત્તરમું પાપનું ઠામ, પરિહરજો સદ્ગુણ ધામ, જિમ વાધે જગમાં મામ હો લાલ, માયા-મોસ નવી કીજિયે. ॥ ૧ ॥
-
મામ
શબ્દાર્થ - ઠામ સ્થાન, પરિહરજો - ત્યજજો, સદ્ગુણધામ
-
સદ્ગુણોના ભંડાર અર્થાત્ હે ઉત્તમ પુરુષ, વાઘે • વૃદ્ધિ પામે, તેજ-પ્રભાવ, માયામોસ માયામૃષાવાદ. || ૧ ||
-
અઢાર પાપસ્થાનક
-
-
Jain Education International
ગાથાર્થ - સદ્ગુણોના ભંડાર એવા હે ઉત્તમ જીવ ! સત્તરમું માયા મૃષાવાદ નામનું પાપસ્થાનક જીવનમાંથી એવી રીતે ત્યજો, કે જેથી જગતમાં તમારું (મામ) તેજ (પ્રભાવ) વધે. હવેથી માયામૃષાવાદ ક્યારેય પણ હે જીવ તું સેવષે નહીં. || ૧ ||
વિવેચન હવે સારમા “માયામૃષાવાદ' નામના પાપસ્થાનકની વાત સમજાવે છે, માયા એટલે કપટ, જુઠ-બનાવટ, તે પૂર્વક મૃષાવાદ એટલે જુઠું બોલવું, કપટપૂર્વક જુઠું બોલવું. તે આ
પાપસ્થાનક છે.
-
હે ઉત્તમ પુરુષ ! તું સદ્ગુણોનું ધામ (ભંડાર) છો. સદ્ગુણોનો ભંડાર છો. તેથી માયાપૂર્વક જુઠું બોલવાવાળું અર્થાત્ બમણા (દ્વિગુણ) પાપવાળું આ પાપસ્થાનક ત્યજી દે, આચરવા જેવું નથી. જો તું આ પાપસ્થાનક ત્યજીને ઉત્તમ અને સાચું જીવન જીવીશ તો આ જગતમાં તારો પ્રભાવ, તારું તેજ વધશે. લોકો પણ તને ઘણું માન આપશે. તારા તરફ લોકો માનની વૃત્તિથી જોશે. સર્વે માણસો પોતાના સચ્ચારિત્રના પ્રભાવથી જ તેજસ્વી અને યશસ્વી બને છે. તેથી હે જીવ ! આ માયામૃષાવાદ નામનું પાપસ્થાનક સેવવા જેવું નથી. ત્યજવા જેવું છે. તેને ત્યજીને તું યશસ્વી બન. ॥ ૧ ॥
For Private & Personal Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242