________________
૧૯૬
હવે “માયામૃષાવાદ” નામના સત્તરમા પાપસ્થાનકની સજ્ઝાય
સત્તરમું પાપનું ઠામ, પરિહરજો સદ્ગુણ ધામ, જિમ વાધે જગમાં મામ હો લાલ, માયા-મોસ નવી કીજિયે. ॥ ૧ ॥
-
મામ
શબ્દાર્થ - ઠામ સ્થાન, પરિહરજો - ત્યજજો, સદ્ગુણધામ
-
સદ્ગુણોના ભંડાર અર્થાત્ હે ઉત્તમ પુરુષ, વાઘે • વૃદ્ધિ પામે, તેજ-પ્રભાવ, માયામોસ માયામૃષાવાદ. || ૧ ||
-
અઢાર પાપસ્થાનક
-
-
Jain Education International
ગાથાર્થ - સદ્ગુણોના ભંડાર એવા હે ઉત્તમ જીવ ! સત્તરમું માયા મૃષાવાદ નામનું પાપસ્થાનક જીવનમાંથી એવી રીતે ત્યજો, કે જેથી જગતમાં તમારું (મામ) તેજ (પ્રભાવ) વધે. હવેથી માયામૃષાવાદ ક્યારેય પણ હે જીવ તું સેવષે નહીં. || ૧ ||
વિવેચન હવે સારમા “માયામૃષાવાદ' નામના પાપસ્થાનકની વાત સમજાવે છે, માયા એટલે કપટ, જુઠ-બનાવટ, તે પૂર્વક મૃષાવાદ એટલે જુઠું બોલવું, કપટપૂર્વક જુઠું બોલવું. તે આ
પાપસ્થાનક છે.
-
હે ઉત્તમ પુરુષ ! તું સદ્ગુણોનું ધામ (ભંડાર) છો. સદ્ગુણોનો ભંડાર છો. તેથી માયાપૂર્વક જુઠું બોલવાવાળું અર્થાત્ બમણા (દ્વિગુણ) પાપવાળું આ પાપસ્થાનક ત્યજી દે, આચરવા જેવું નથી. જો તું આ પાપસ્થાનક ત્યજીને ઉત્તમ અને સાચું જીવન જીવીશ તો આ જગતમાં તારો પ્રભાવ, તારું તેજ વધશે. લોકો પણ તને ઘણું માન આપશે. તારા તરફ લોકો માનની વૃત્તિથી જોશે. સર્વે માણસો પોતાના સચ્ચારિત્રના પ્રભાવથી જ તેજસ્વી અને યશસ્વી બને છે. તેથી હે જીવ ! આ માયામૃષાવાદ નામનું પાપસ્થાનક સેવવા જેવું નથી. ત્યજવા જેવું છે. તેને ત્યજીને તું યશસ્વી બન. ॥ ૧ ॥
For Private & Personal Use Only
www.jainelibrary.org