SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ પર-પરિવાદ નામના સોળમા પાપસ્થાનકની સજઝાય ૧૯૫ શો અર્થ છે ? ઈત્યાદિ. પરંતુ રાજા જ્યારે ઘણા જ આગ્રહથી પુછે છે ત્યારે કહે છે કે આ ધવલશેઠના વહાણો જે આવ્યાં છે. તેમાં મારી બે પત્નીઓ છે. તેઓને બોલાવીને તેઓ પાસેથી મારાં ગોત્રાદિ જાણી લો. કેટલી ગંભીરતા ? કેટલી સજ્જનતા ! જ્યાં પોતાના મુખે પોતાની ઓળખ આપવાની સજ્જન પુરુષોની ઈચ્છા હોતી નથી. તો પછી આત્મપ્રશંસા તો કરવાની રહેતી જ નથી. પ્રશંસાનાં ટાઈટલો બોલવાનાં કે લખવાનાં હોતાં જ નથી. જો આ આત્મામાં આવા આવા ઉત્તમ ગુણો આવી જાય તો સર્વે પણ પાપકર્મો ટળી જાય છે. અર્થાત્ નાશ પામી જાય છે અને પોતાનું જીવન ઉત્તમ અને ધન્ય ધન્ય બનતાં વગર પ્રયત્ન જ સારો યશ મળે છે. નિર્દોષ અને ગુણીયલ માણસોનો યશ સ્વતઃ જ પ્રસરે છે. અને પોતાનામાં પ્રગટેલી નિર્દોષતા અને ગુણિયલતાનો અતિશય હર્ષ આ જીવ અનુભવે છે. તેથી હે જીવ ! આ પરંપરિવાદનું પાપસ્થાનક તું ત્યજી દે. “પામે સુજસ તે હર્ષ” આ વાક્યમાં સુજસ શબ્દ વાપરીને ગ્રંથકર્તાએ કર્તા તરીકે પોતાનું શ્રીયશોવિજયજી આવું નામ ગર્ભિતપણે સૂચવ્યું છે. મેં ૯ / આ પ્રમાણે “પરપરિવાદ” નામનું જે સોળમું પાપસ્થાનક છે. તે અહીં સમાપ્ત થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005112
Book TitleAdhar Pap Sthanakni Sazzaya
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy