________________
માયામૃષાવાદ નામના સત્તરમા પાપસ્થાનકની સજ્ઝાય
એ તો વિષને વલીય વઘાર્યું, એ તો શસ્ત્રને અવળું ધાર્યું, એ તો વાઘનું બાલ વકાર્યું, હો લાલ,
માયા-મોસ નવિ કીજિયે. ॥ ૨ ॥
શબ્દાર્થ . વિષને - ઝેરને, વધાર્યું - વઘાર રૂપે કર્યું, અવળું - ઉંધુ, વાઘનું બાલ - વાઘનું બચ્ચું, વકાર્યું - વીફરાવ્યું.
|| 2 ||
૧૯૭
ગાથાર્થ - “માયામૃષાવાદ નામના દોષનું સેવન કરવું' એ તો ઝેરને વધારવા તુલ્ય છે. શસ્ત્રને ઉલટું ધારણ કરવા જેવું છે. તથા વાઘના બચ્ચાને વિકરાવવા તુલ્ય છે. | ૨ ||
વિવેચન - માયામૃષાવાદ નામના સત્તરમા પાપસ્થાનકનું સેવન કેટલું ભયંકર છે ? તે વાત ત્રણ ઉપમાઓથી સમજાવે છે.
જેમ જે વિષ (ઝેર) હોય છે તે મારક-ઘાતક તો હોય જ છે. ઝેર પીતાંની સાથે જ તે ઝેર પીનારને મારી નાખે છે. અને જો તે ઝેરને શાખ-દાળની જેમ વઘારવામાં આવે, અગ્નિ આદિના શેકથી પરિપક્વ કરવામાં આવે તો તો તે ઝેર કાલકુલ અથવા હલાહલ ઝેર બની જાય છે. તેવી જ રીતે માયા એ જ પાપ હતું અને તેમાં મૃષાવાદ ભળ્યું, એટલે બન્ને પાપસ્થાનક સાથે થતાં તે કાલકુટહલાહલ વિષતુલ્ય બની જાય છે.
તથા શસ્ત્ર પોતાની રક્ષા માટે અને પર (શત્રુ) ના પરાભવ માટે રખાય છે. પરંતુ જો તે શસ્ત્ર અવળું - ઉંધા મુખે ધારણ કરવામાં આવે તો પોતાની જ હત્યા માટે થાય છે. તેમ આ માયામૃષાવાદ નામનું પાપસ્થાનક પોતાના આત્માના જ પતન માટે થાય છે.
તથા વળી વાઘનું બચ્ચું જન્મથી જ ઘાતકી-ક્રુર અને હિંસક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org