Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
પર-પરિવાદ નામના સોળમા પાપસ્થાનકની સઝાય
૧૮૫
અનાવડતના કારણે માત્ર 100 રૂપિયા જ લઈને આવીએ તે નિષ્ફળ ગયું. ધક્કો જ પડ્યો કહેવાય. તેમ અહીં જાણવું.
તથા વળી આ તપશ્ચર્યા અને ધર્માનુષ્ઠાનોનું સેવન પુણ્યબંધ કરાવનારું છે તો પણ પરિણામ (વિચારધારા) સારી ન હોવાથી દેવનો ભવ તો અપાવે પણ કિલ્બિષિકપણાનો ભવ અપાવે. દેવોમાં પણ નોકર-શેઠ વગેરેની સામાજિક વ્યવસ્થા હોય છે. તેથી ત્યાં પણ ઈન્દ્ર સામાનિક વગેરે ૧૦ પ્રકારના દેવો હોય છે. તત્ત્વાર્થસૂત્ર અધ્યાય ૪-૪ માં ઈન્દ્ર, સામાનિક, ત્રાયશ્ચિંશત્ પર્ષદા, આત્મરક્ષક, લોકપાલ, અનીક, પ્રકીર્ણક અભિયોગ્ય કિલ્બિષિક આમ ૧૦ પ્રકારના દેવો કહેલા છે. ત્યાં કચરો વાળવાનું અને ઢોલ વગાડવાનું તથા આવું તુચ્છ કામકાજ કરનારા જે દેવો છે, તેને કિલ્બિષિક દેવ કહેવાય છે. દેવનો ભવ પામીને પણ કચરો કાઢવા જેવું જ બને અને ઢોલ વગાડવા જેવું હલકું જ કામ કરવું પડે તેથી મનમાં ઘણું દુઃખ થાય, વિર્ભાગજ્ઞાનથી પાછલો ભવ પણ જણાય. પાછલા ભવોમાં કરેલી નિંદા આદિ ખોટી ખોટી પ્રવૃત્તિઓ અને વર્તમાન ભવમાં હલકાં કામ કરવાની માથે પડતી ફરજ, અને ઈન્દ્રાદિની આજ્ઞાની પરવશતા વગેરે જોઈને આ જીવ ભાગાભાગ કરે, રડારડ કરે, રડી પડે, લાચારી બતાવે, દીનતા વ્યક્ત કરે. આવાં આવાં દુઃખો તે જીવ પામે. દેવભવ પણ સારો ન મળે. માટે નિંદાનો પરિણામ સારો નથી. હે જીવ ! તું આવી નિંદા કરવાની વિચારધારા ત્યજી દે. તારા માટે આ કલ્યાણકારી નથી. પણ અતિશય દુ:ખદાયી છે. તે ૧-૨ ||
સુંદર, ક્રોધ અજીરણ તપતણું, જ્ઞાન તણું અહંકાર હો. સુંદર, પરનિંદા કિરિયાતણું, વમન અજિરણ આહાર હો.
સુંદર. || ૩ |
૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org