Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૧૦
અઢાર પાપસ્થાનક
જોઈએ. તેને બદલે ઘરની કોઈ દિવાલ ઉપર બેઠેલા કાગડાને ઉડાડવામાં નાના પત્થરના ટુકડાની જ્યાં જરૂર છે ત્યાં આવા રત્નમણિનો ઉપયોગ કરે છે. અને તે રત્નમણિને નાખીને કાગડાને ઉડાડે છે. તે જેમ મૂર્ખ છે. તેમ આ જીવ પણ મૂર્ખ જાણવો | ૭ || જીરે મારે, લોભ ત્યજે જે ધીર, તસ સવિ સંપત્તિ કિંકરી,
જીરે જી, જીરે મારે, સુજસ સુપુણ્ય વિલાસ, ગાવે તસ સુરસુંદરી,
જીરે જી | ૮ | શબ્દાર્થ - જે ધીર - ધીરજ ગુણવાળો જે મનુષ્ય, સંપત્તિ - લક્ષ્મી, કિંકરી - દાસી, નોકરાણી, સુરસુંદરી - દેવીઓ, દેવાંગનાઓ | ૮ ||
ગાથાર્થ - વૈર્ય ગુણવાળો જે મનુષ્ય લોભને ત્યજે છે તેની પાસે સઘળી સંપત્તિ દાસીની જેમ રહે છે તે જીવને સારો યશ અને સારા પુણ્યના ઉદયનો આનંદ પ્રાપ્ત થાય છે. તથા દેવીઓ પણ તેના ગુણો ગાય છે I & I
વિવેચન - લોભ વણથંભ્યો છે. તેને કોઈ રોકી શકતું નથી. લાભ લોભ વધે છે. તે સ્વયંભૂરમણ સમુદ્ર જેવો અપાર છે તેમાં ફસાયેલા જીવો અનંત દુઃખ પામે છે. આવું સમજીને જે મનુષ્યો આ લોભનો ત્યાગ કરે છે. આવા પ્રકારના દુઃખદાયી લોભથી વિરામ પામે છે. તે મનુષ્યની આગળ-પાછળ સઘળી સંપત્તિઓ દાસીની જેમ આંટાફેરા મારે છે. જાણે તે લોભના ત્યાગીની નોકર જ હોય શું તેમ લક્ષ્મીદેવી તેની પાછળ પાછળ જ ફરે છે. લક્ષ્મી ક્યારે ય તેનું ઘર છોડતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org