Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
પૈશુન્ય નામના ચૌદમા પાપસ્થાનકની સઝાય
૧૬૩
ચાડીયાપણાની આ ટેવ સારી નથી. ઘણી ખરાબ છે. ચાડીયો માણસ કુતરાથી પણ અતિશય ભંડો છે. તે યુક્તિપૂર્વક સમજાવે છે કે માલિક કુતરાને રોટલો જ માત્ર આપે છે. (અશન જ) ભોજન જ માત્ર આપે છે. છતાં તેના માલિકને ક્યાંય નુકશાન થવા દેતો નથી. કોઈ અજાણ્યો માણસ પોતાના માલિકના ઘરમાં કે પોળમાં (ગલીમાંશેરીમાં) આવે છે. તો ભસીને તેને વળગીને કરડીને પણ બહાર કાઢે છે. અને માલિકનું પૂરેપૂરું રક્ષણ કરે છે. કુતરો આટલો કૃતજ્ઞ (વફાદાર) છે. જ્યારે ચાડીયો માણસ જેનું ખાય છે તેનું જ તેની ગેરહાજરીમાં ખોદે છે. નિંદા સિવાઈ બીજું કંઈ તેને સુઝતું જ નથી. માટે ચાડીયો માણસ કુતરાથી પણ ઘણો ભુંડો છે. તેથી હે આત્મા ! આવું પશુન્યપણું ત્યજવા જેવું છે. / ૧ / બહુ ઉપકરીએ હો કે પિશુનને પરિ પરિ,
કલહનો દાતા હો કે હોય તે ઉપરિ, દુધે ધોયો હો કે વાયસ ઉજલો, 1 કિમ હોય પ્રકૃતં હો કે જે છે સામેલો. | ૨
શબ્દાર્થ - બહુ ઉપકરીએ - ઘણો ઘણો ઉપકાર કરીએ. પિશુનને - ચાડીયાને, પરિ પરિ - વારંવાર, ઉપરાઉપર, તે ઉપરિ - ઉપકારી ઉપર, વાયસ • કાગડો, ઉલો - સફેદ, પ્રકતે - સ્વભાવે, સામલો - કાળો. || ૨ |
ગાથાર્થ - ચાડીયા પુરુષનો વારંવાર ઘણો ઘણો ઉપકાર કરો તો પણ તે ચાડીયો માણસ ઉપકાર કરનારા ઉપર (કોઈપણ નાના-મોટા નિમિતને આગળ કરીને) કજીયો જ કરનાર બને છે. જેમકે “કાગડો પોતાના મૂલ સ્વભાવે જે કાળો છે. તે વારંવાર દુધ વડે ધોઈએ તો પણ શું ઉજળો થાય ? અર્થાત્ ઉજળો ન થાય તેમ ચાડીયો માણસ ઉપકાર કરવા છતાં સુધરતો નથી. / ૨ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org