Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૨૮
અઢાર પાપસ્થાનક
હોય છે. એટલે જ હાથીદાંતની ચુડી ઉપર આ મહિનો જ રંગ લગાવવામાં આવે છે. જે કેમે કરી જતો નથી કે ઉતરતો નથી કે ઓછો થતો નથી. તેથી જ એક સ્તવનમાં ખાસ કહેવામાં આવ્યું છે કે “જેમ ચોળ મજિઠનો રંગ” આ રંગ પાકો છે એટલે જ તેને કેટલાં કેટલાં દુઃખો સહન કરવો પડે છે ? (જો કે તે નિર્જીવ છે. તેથી તેને દુઃખનું સંવેદન થતું નથી. પરંતુ તેની જગ્યાએ જીવ હોય તો આવાં દુઃખોનો અનુભવ કરવો પડે એમ સમજાવવા ઉપચારથી આ ઉદાહરણ આપેલ છે.)
(૧) મજીઠનો રંગ લાલ અને ઘણો પાકો છે એટલે જ તેની છાલ લોકો ઉતારે છે. તેની ચામડીને (છાલને) ઉખેડે છે. છાલ-છાલ ભેગી કરીને અગ્નિમાં તપાવે છે. ચામડીના છેદનનું દુઃખ તે મજિઠ અનુભવે છે.
(૨) અગ્નિમાં બાળવું, ઉકાળવું, શેકવું, આવું દુઃખ પણ તે મજીઠ અનુભવે છે.
(૩) ઘણીવાર લોકો મજીઠને ઘણથી કુટે છે. ઘણ મારી મારીને છેદે છે, ભેદે છે.
આવાં આવાં સઘળાં દુઃખો સહેવાનું મજીઠમાં જો કોઈ કારણ હોય તો તેમાં રહેલો “પાકો રંગ” એજ મજબૂત કારણ છે. કારણ કે તે રંગ પાકો મજબૂત છે. તેથી તેનો વધારે ઉપયોગ કરવા મજીઠ ઉપર આટલા પ્રહારો થાય છે. તેવી જ રીતે જે જીવો બીજા જીવો ઉપર અથવા પૌદ્ગલિક પદાર્થો ઉપર “રંગ-રાગ” કરે છે, ગાઢ પ્રીતિ કરે છે. મજબૂત રાગના બંધનથી બંધાય છે તે જીવો પણ ભવાન્તરમાં (નરકાદિના ભવમાં) પરમાધામી દેવો દ્વારા દેહનું ઉચ્ચાટન થવું, અગ્નિમાં શેકાવું અને ઘણ આદિ શસ્ત્રો વડે કુટ્ટાવું ઈત્યાદિ દુઃખોને પામે છે. માટે હે જીવ! આ રાગદશા મજિઠના રંગની જેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org