Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૫૬
અઢાર પાપસ્થાનક
કલહ અને અભ્યાખ્યાન આદિ દોષો ઘણા પ્યારા છે. આ જીવ તેમાં જ રાચ્યો માચ્યો રહે છે. ભવોભવથી દોષોની આ વાસના ઘણી દઢ થયેલી છે. તેથી અનાદિની આ ચાલ ત્યજવી ઘણી દુષ્કર છે.
કોઈના પણ ઉપર અછતાં આળ (ખોટા કલંકો) જે પ્રકાશે છે તે ઘડીભર આનંદ માણી લે છે. પરંતુ તેનાથી એવાં ચિકણાં કર્મો બંધાય છે કે જે રડવા છતાં પણ છુટતાં નથી અને નરક-નિગોદના ભવોમાં આ જીવ ઘણા અસહ્ય દુઃખો પામે છે. તેથી હે જીવ! તું આવા પાપથી વિરામ પામ. / ૧ / અછતે દોષે રે અભ્યાખ્યાન જે, કરે ન પુરે ઠાણોજી | તે તે દોષે રે તેહને દુઃખ હોવે, ઈમ ભાખે જિન ભાણોજી.
ધન ધન તે નર, જે જિનમત ધરે. ને ૨ |
શબ્દાર્થ - અછતે દોષે છે. જે વ્યક્તિમાં જે દોષ ન હોય તો પણ, જે અભ્યાખ્યાન કરે - ખોટું આળ બોલે, ન પૂરે ઠાણો - તે તે દોષનું સ્થાન (સાચું કારણ, સાચી જગ્યા, સાચો પુરાવો) ન બતાવે. જિનાભાણ - જિનેશ્વર પ્રભુરૂપી સૂર્ય. || ૨ ||
ગાથાર્થ - જે વ્યક્તિમાં જે દોષ ન હોય, છતાં તે વ્યક્તિ ઉપર જે અભ્યાખ્યાન (ખોટાં આળ) કહે, અને તેનાં કારણો કે દોષનાં રથાનો દોષના સાચા પુરાવા ન જણાવે તો તેવા ખોટા આક્ષેપાક દોષથી તે તે જીવોને ઘણું દુઃખ થાય, એમ સૂર્ય સમાન જિનેશ્વર ભગવંતો કહે છે. II ૨ |
વિવેચન - કોઈપણ વ્યક્તિમાં જે જે દોષો ન હોય અને આપણે આપણી બુદ્ધિમાત્રથી કલ્પીને તે તે વ્યક્તિમાં તે તે દોષો જો કહીએ તથા તેના પ્રત્યેની અંદરની દ્રષબુદ્ધિથી મન માત્રથી કલ્પીને જ જે જે દોષો કહીએ, તેથી તેનાં સાચાં કારણો અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org