Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 169
________________ ૧૬૦ અઢાર પાપસ્થાનક જુએ છે. ગુણોને દોષોથી ખોટી રીતે કલંકિત કરે છે અને તેથી જ અંતર્હષના કારણે અછતાં આળ આપે છે. તે માણસો ગુણ-અવગુણોનો બદલો કરવાના કારણે મહાદુઃખ પામે છે. ધવલશેઠે શ્રીપાળ મહારાજા ઉપર ડુંબનું ખોટું કલંક ચડાવ્યું તો શ્રીપાલ મહારાજાની બે પતીઓ દ્વારા સાચુ કુલ પ્રગટ થતાં ધવલ શેઠ અપયશ અને નિંદા પામ્યા તથા મરીને નરકે ગયા. આવાં અનેક ઉદાહરણો શાસ્ત્રોમાં છે. ૪ || પરને અછતા દોષ ન દીજીએ, પીજીએ જે જિનવાણી ઉપશમ રસસ્પેરે ચિત્તમાં ભીંજીયે, કીજીયે સુજસ કમાણી જી. ધન ધન તે નર, જે જિનમત ધરે ૫ / શબ્દાર્થ - ચિત્તમાં ભીંજીયે - મનને ભીનું ભીનું કરીએ. સુજસ કમાણી - સારા યશસ્વીપણાની કમાઈ. || ૫ || ગાથાર્થ - તેથી જિનેશ્વર પ્રભુની વાણી સાંભળવા સ્વરૂપ અમૃતનું પાન સદા કરીએ. બીજા જીવને અછતા દોષો ન આપીએ, અને પોતાના ચિત્તને ઉપશમ રસથી ભીનું ભીનું રાખીએ કે જેથી “સાર યશસ્વીપણાની” ઘણી કમાઈ કરી શકાય. I પI વિવેચન - આખી ઢાળનો સાર આ ગાથામાં કહે છે કે - અઢારે દૂષણો ત્યજવા જેવાં છે. આમાંનું એક પણ દૂષણ આચરવા જેવું નથી. ખરેખર તો વિભાવદશા જ આત્માને ઘણી નુકશાન કરનારી છે. મોહને વશ આત્મામાં પ્રવેશેલી વિભાવ દશાની પ્રીતિ જ મહાદુઃખદાયી છે. આવી જિનેશ્વર પરમાત્માની વાણી નિરંતર પીવા જેવી છે. તેનું પાન કરીને પરને અછતાં આળ આપવાનું આ પાપ કદાપિ ન કરવું જોઈએ. કોઈના પણ જીવને જરા પણ દુઃખ થાય એવાં વચનોચ્ચાર કે આચરણ આચરવા જેવું નથી. આમ સમજીને પોતાના ચિત્તને વિતરાગ પ્રભુની વાણીથી સિંચી સિંચીને ઉપશમરસથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242