Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
દ્વેષ નામના અગીયારમા પાપસ્થાનકની સઝાય
૧૩૯
રાગ ધરીજે જિહાં ગુણ લહીયે, નિરગુણ ઉપરે, સમચિત્ત રહીએ, લલના, સમચિત્ત રહીએ, ટી. ભવથિતિ ચિંતન સુજસ વિલાસે, ઉત્તમના ગુણ એમ પ્રકાશ, લલના, એમ પ્રકાશે, II & II
શબ્દાર્થ - સમચિત્ત - સમતા ભાવવાળું ચિત્ત, રહીએ - રાખીએ, ભવયિતિ - ભવની (સંસારની) આવી સ્થિતિ જ છે. આમ, ચિંતન - આવા પ્રકારનું ચિંતન કરવું, વિચારવું, સુસ વિલાસે - જેનાથી સારો એવો યશ વિસ્તાર પામે. . ૮-૯ II
ગાથાર્થ - જે જે અન્ય પુરુષોમાં ગુણો જોઈએ, તે તે અન્ય પુરુષો ઉપર બહુમાનભાવપૂર્વક ગુણાનુરાગ કરીએ. અને જે જે પુરુષો નિર્ગુણ હોય, ત્યાં પણ (દ્વેષ ન કરતાં) સમતાયુક્ત ચિત્તવાળા રહીએ. એટલે કે દ્વેષ ન કરીએ. નિર્ગુણીઓના જીવન વિષે ભવની પરિસ્થિતિ જ આવી છે. એમ ચિંતવીને દ્વેષી બન્યા વિના મધ્યસ્થ રહીને સારા યશસ્વી બનતું. આમ ઉત્તમ પુરુષના ગુણોને પ્રકાશિત કરવાનું જ કામ કરવું. (પણ નિર્ગુણીની કોઈ જાતની ટીકા-નિંદા ન કરવી.) I ૮-૯ I
વિવેચન - આ સંસારમાં સામાન્યથી જીવો બે પ્રકારના હોય છે. ગુણોવાળા અને ગુણો વિનાના, જે જે આત્મામાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, વિનય, વિવેક, શાન્તતા, જિતેન્દ્રિયતા, ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ, તપસ્વિતા અને ત્યાગાદિ આવા પ્રકારના ઉત્તમ ઉત્તમ ગુણો પ્રગટ્યા હોય અને તેના કારણે જે જે આત્માનું જીવન ગુણીયલ અને ધન્ય બન્યું હોય તેવા જીવોના તેવા તેવા ગુણો જોઈને રાજી થવું, પ્રસન્ન થવું. તેઓના ગુણો ઉપર ગુણાનુરાગ કરવો. તેઓમાં કર્મવશથી કદાચ કોઈ નાનાં દૂષણો હોય તો તે જોવાં નહીં. કદાચ કોઈ દૂષણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org