Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
રાગ નામના દસમા પાપસ્થાનકની સજઝાય
૧૧૫
મોહરાજાનો તાજો (જાગૃત-સાવધાન) મંત્રી છે. રખે આ જીવ મોહરાજાના પંજામાંથી છટકી ન જાય તે માટે વિષયાભિલાષ નામનો આ મંત્રી સંસારી જીવ છટકી ન જાય તેનું નિરંતર પુરેપુરૂ ધ્યાન રાખે છે. મુલાયમ સ્પર્શની, મનગમતા સ્વાદની, ગુલાબ અત્તર આદિ સુગંધી પદાર્થોના ગંધની, મોહક અને અર્ધનગ્ન દશ્યો જોવાની, તથા યશ, પ્રશંસા, મધુર સંગીત સાંભળવાની આ સંસારી જીવની જે સતત ઉત્કંઠા વર્તતી જ હોય છે. તે જ આ વિષયાભિલાષ કહેવાય છે.
શરીરમાં રહેલી પાંચ ઈન્દ્રિયો એ મોહરાજાનાં પાંચ છોકરાં છે. છોકરાંઓ હંમેશાં બાપની આજ્ઞા પ્રમાણે કામકાજ કરનારાં હોય છે. તેમ અહીં આ પાંચ ઈન્દ્રિયો મોહરાજાની આજ્ઞા પ્રમાણે સંસારી જીવને મોહમાં ફસાવવાનું કામકાજ કરવામાં ચતુર છે. આ રીતે રાગદશારૂપી મોહરાજા, વિષયાભિલાષારૂપી મંત્રી, અને પાંચ ઈન્દ્રિયોરૂપી છોકરાં, આ ત્રણેએ સાથે મળીને આ સંસારી જીવને એવો ફસાવ્યો છે કે તેની માયાજાળમાંથી આ જીવ જરા પણ છટકી ન શકે. ખાવા-પીવા-પહેરવા અને રહેવા આદિની જે જે સામગ્રી છે તેના રૂપરંગમાં જે પ્રીતિ થાય છે. ઈષ્ટ વિષયો મળે ત્યારે જે રાજીપો થાય છે તે અચેતન ઉપરનો રાગ છે. તથા મિત્રો ઉપર, પરિવાર ઉપર, સ્નેહીઓ ઉપર, ભક્તો ઉપર જે સ્નેહ છે તે સચેતન ઉપરનો રાગ છે. આ રાગ પક્ષપાત કરાવનાર છે, મોહબ્ધ કરનાર છે. || ૨ |
જેહ સદાગમ વશ હુઈ જાયે રે,
તે અપ્રમત્તતા શિખરે વાયે રે, ચરણધરમનૃપ શૈલવિવેકે રે,
તેહપું ન ચલે રાગી ટેકે રે. . ૩ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org