Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧ ૧ ૨.
અઢાર પાપસ્થાનક
રાગ” નામના દસમા પાપસ્થાનકની સઝાય - પાપસ્થાનક દશમું કહ્યું રાગ રે,
કુણહી ન પામ્યો તેહનો તાગ રે. રાગે વાહ્યા હરિ હર બંભા રે,
રાગે નાચે કરે અચંભા રે. . ૧ || શબ્દાર્થ - કુણહી - કોઈ પણ માણસ, તેહનો તાગ - તે રાગનો અંત, રાગે વાલા - રાગને વશ થયા છે. હરિ - વિષ્ણુ, હર - મહાદેવ, બભા - બ્રહ્મા, કરે અચંભા - આશ્ચર્ય ઉપજે તેવાં કામો કરનાર. II 1 II
ગાથાર્થ - “સગા” એ દશમું પાપસ્થાનક કહ્યું છે. આ રાગનો તાગ (ડો-અંત) કોઈ પામી શક્યું નથી. વિષ્ણુ, મહાદેવ અને બ્રહ્મા જેવા આત્માઓ પણ રાગને વશ થયા છતા આશ્ચર્ય ઉપજે તેવાં કામ કરનારા બન્યા છે. રાગને વશ નાચ નાચ્યા છે. [ ૧ M.
વિવેચન - હવે રાગ નામના દશમા પાપસ્થાનકની વાત કરે છે. “રાગ” એટલે પ્રેમ, પરસ્પર સ્નેહ, આસક્તિભાવ, મોહનું એક પ્રકારનું બંધન. “આ રાગ” એવો ભયંકર છે કે કોઈ મહાત્મા પુરુષ પણ જલ્દી જલ્દી તેનો તાગ (તેનો અંત) કરી શકતું નથી. અંત કરવા જાય છે અને પોતે જ તેમાં ફસાય છે.
જુઓ વિષ્ણુ, મહાદેવ અને બ્રહ્મા આ ત્રણે લૌકિક રીતિએ મહાન આત્મા કહેવાય છે. લોકભાષામાં ભગવાન કહેવાય છે. તેઓ પણ અનુક્રમે લક્ષ્મીદેવીમાં, પાર્વતીજીમાં અને સરસ્વતીમાં રાગને વશ થયા છતા અંજાયેલા છે. એટલું જ નહીં, પરંતુ રાગની પરાધીનતાના કારણે પોતપોતાની સ્ત્રીને ખુશ રાખવા અનેક પ્રકારના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org