Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૯૪
અઢાર પાપસ્થાનક
શકતો નથી. બહારનું ત્યાગમય જીવન પ્રાપ્ત કરવું હજું સહેલું છે પરંતુ અંદર રહેલા મનને કપટ વિનાનું અને સરળ બનાવવું ઘણું જ દુષ્કર છે તે વાત સ્પષ્ટ કરતાં કહે છે કે - મસ્તકના, દાઢીના અને મૂછના કેશનો લોચ કરવો તે કાર્ય કઠીન હોવા છતાં પણ હજુ સહેલું છે. મેલાં વસ્ત્રો રાખવાં અને શારીરિક મેલ ધારણ કરવો. તે પણ સહેલો છે અર્થાત્ સ્નાન. ઉજ્વલવસ્ત્ર, અંગવિભૂષા આદિનો ત્યાગ સુકર છે ભૂમિ ઉપર શય્યા કરવી, દ્રવ્યથી પાંચ મહાવ્રતોનું પાલન કરવું-પરમાત્માનાં સ્તવનો આદિ ગાવા દ્વારા ભક્તિ કરવા
સ્વરૂપ ભાવપૂજા કરવી અથવા વ્રતપાલન કરવા સ્વરૂપ ભાવપૂજા કરવી. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું પાલન કરવું. ઉગ્ર વિહારાદિ કરવા. આ સર્વ ધર્મસંબંધી અનુષ્ઠાનો કાયા દ્વારા અને વચન દ્વારા કરવાનાં હોવાથી સહેલાં છે. જો કે આ સર્વ ધર્મ અનુષ્ઠાનો આચરવાં પણ ઘણાં જ દુષ્કર છે કારણ કે સાંસારિક સુખનો અને પૌદુગાલિક ભાવોનો મોહ અનાદિ કાળના સંબંધવાળો હોવાથી ત્યજવો ઘણો જ દુષ્કર છે તો પણ માયાના ત્યાગની અપેક્ષાએ આ ત્યાગ કંઈક સુકર છે કારણ કે અનાદિ કાળની મોહની વાસનાનું જોર ઘણું હોવાના કારણે તથા અર્થ અને કામ જ વધારે પ્રિય હોવાના કારણે તેના માટે કરાતી જે આ માયા છે તેનો ત્યાગ કરવો ઘણો જ દુષ્કર છે. આ જીવનું મન ધર્મ અનુષ્ઠાન આચરતી વખતે પણ માયામાં જ બહુધા રમતું હોય છે. બાહ્યધર્મ અનુષ્ઠાન આચરવું સહેલું છે પણ મનમાં રહેલી માયાનો ત્યાગ કરવો ઘણો જ દુષ્કર છે. આ વિષયમાં અધ્યાત્મસાર ગ્રંથમાં કહ્યું છે કે -
केशलोचधराशय्याभिक्षा ब्रह्मव्रतादिकम् । दम्भेन दूष्यते सर्वं, त्रासेनेव महामणिः ।
દંભત્યાગાધિકાર શ્લોક ૫૮ ઉપર કહેલા અર્થને અનુસરનારો જ અર્થ છે. | ૩ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org