Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૦૪
અઢાર પાપસ્થાનક
ભરતક્ષેત્રના અનુક્રમે છએ ખંડ જીત્યા. છ ખંડ જીતીજી કાંડિલ્યપુરમાં પાછા આવ્યા, ત્યારે દેવોએ અને માનવોએ તેમનો ચક્રવર્તીપણાનો અભિષેક કર્યો. નગરમાં બાર વર્ષ સુધી મહોત્સવ પ્રવર્તાવ્યો. ઘણા વર્ષો સુધી ચક્રવર્તીપણાનું રાજ્યસુખ ભોગવ્યું.
લોભની આ સજઝાયમાં ચક્રવર્તી હરિષેણ ઘણો લોભ કરવાથી કડવાં ફળ પામ્યા એમ કહ્યું છે. પરંતુ ત્રિષષ્ઠી શલાકા પુરુષ ચરિત્રમાં સાતમા પર્વના બારમા સર્ગમાં આ હરિષેણ ચક્રવર્તીની કથા છે. ત્યાં ચક્રવર્તીપણું પાળી દીક્ષા લઈ મોક્ષે ગયાનું કથન છે. અહીં સક્ઝાયમાં કડવાં ફળ પામ્યાનો ઉલ્લેખ છે. એટલે કદાચ બીજા કોઈ હરિ (હરિષણ) ચક્રવર્તી હોય તો તે જાણવા મળ્યું નથી. આ દેશમાં ચક્રવર્તી હતા. સામાન્યથી લોભી જીવો લોભને પરવશ થયા છતા ઘણાં સાહસ કરે છે અને ઘણાં કડવાં ફળ પામે છે. આ વાત સાક્ષાત અનુભવ સિદ્ધ છે. તે ૨ // જીરે મારે, નિર્ધનને શત શાહ, શત લહે સહસ લોભિએ
જીરે જી. જીરે મારે, સહસ લહે લખ લોભ, લખ લાભે મન કોડીએ
જીરે જી ! ૩ || જીરે મારે, કોટીશ્વર નૃપ ઋદ્ધિ, નૃપ ચાહે ચક્રીપણું,
જીરે જી. જીરે મારે, ચાહે ચક્રી સુરભોગ, સુર ચાહે સુરપતિપણું
જીરે જી. | ૪ . શબ્દાર્થ - નિર્ધન - ધન વિનાનો પુરુષ, શત શાહ - સો રૂપીયાના ધનને ઇચ્છે છે, ચાહે છે, શત લહે - પણ સો મળે છd, સહસ - હજારનો, લોભીએ - લોભ લાગે છે. સહસ કહે - હજાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org