Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
લોભ નામના નવમા પાપસ્થાનકની સજ્ઝાય
મળે છતે, લખલોભ - લાખનો લોભ થાય છે વખલાભે - લાખનો લાભ થયે છતે, મન કોડીએ કરોડ રૂપીયાનું મન થાય છે, કોટીશ્વર - જ્યારે કરોડપતિ થાય છે ત્યારે, નૃપૠદ્ધિ - રાજાપણાની ઋદ્ધિની ઈચ્છા થાય છે, નૃપ ચાહે રાજા થાય ત્યારે ચાહે છે ચક્રીપણું - ચક્રવર્તીપણું, ચાહે ચક્રી - ચક્રવર્તી થાય ત્યારે ઈચ્છે છે, સુરભોગ - દેવોનાં સુખો, સુર ચાહે - દેવ થાય ત્યારે ચાહે છે સુરપતિપણું - ઇન્દ્રપણાની ઋદ્ધિ ॥ ૩-૪ ||
-
a
ગાથાર્થ - નિર્ધન માણસ સો રૂપિયાને ઇચ્છે છે. સો મળે ત્યારે તે હજાર રૂપિયાનો લોભી બને છે. હજાર મળે ત્યારે લાખનો લોભ લાગે છે. લાખ મળે ત્યારે કરોડ રૂપિયાનું મન થાય છે ॥૩॥
૧૦૫
કરોડપતિ થાય ત્યારે રાજૠદ્ધિ ઇચ્છે છે. રાજાપણું આવે ત્યારે ચક્રવર્તીપણું ચાહે છે. જ્યારે ચક્રવર્તી બને ત્યારે દેવલોકનાં સુખો ઇચ્છે છે અને દેવલોક પામે ત્યારે આ જીવ ઇન્દ્રપણું ચાહે છે. II ૩-૪ ||
વિવેચન - લોભનો થોભ હોતો નથી તથા જેમ જેમ લાભ થાય છે તેમ તેમ લોભ વધતો જ જાય છે. આ વાત વધારે સ્પષ્ટ કરવા જગતના જીવોમાં ચાલતું ચિત્ર ગ્રંથકારશ્રી રા કરે છે કે
Jain Education International
જે માણસ બીલકુલ ધન વિનાનો હોય અર્થાત્ ભીખારી અથવા મજુર જેવી કક્ષાનો હોય છે ત્યારે તેનું મન ૧૦૦ રૂપિયા મળે તો બહુ જ સારૂં તેવું હોય છે. કદાચ કોઈ દાતા તેના ઉપર પ્રસન્ન થઈ જાય અને કહે કે બોલ, તારે શું જોઈએ છે ? તો તે માણસ પણ ૧૦૦ રૂપિયા જ માગે છે અર્થાત્ તેનું માગવાનું માપ આટલું જ હોય છે પણ જ્યારે તે માણસ પ્રતિદિન ૧૦૦ કમાતો થાય છે ત્યારે તેનું મન હવે ૧૦૦૦ મળે તો સારૂં તેવું થાય છે. તેવી જ રીતે જ્યારે ૧૦૦૦ મળતા થાય છે ત્યારે લાખની
For Private & Personal Use Only
www.jainelibrary.org