Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૦૬
અઢાર પાપસ્થાનક
ઈચ્છા થાય છે અને પુણ્યોદય થવાથી લાખ મળતા થાય છે ત્યારે કરોડની ઇચ્છા થાય છે. આમ આ લોભ વણથંભ્યો વધે જ છે. જ્યારે કરોડ મળતા થાય છે. ત્યારે રાજઋદ્ધિ મળે તો સારું, અને જ્યારે રાજઋદ્ધિ મળે ત્યારે ચક્રવર્તીપણું મળે તો સારું, ચક્રવર્તીપણું મળે ત્યારે દેવભવ મળે તો સારું, અને દેવભવ મળે ત્યારે ઈન્દ્રપણું મળે તો સારું, એમ આ જીવ જેમ જેમ લાભ થાય છે તેમ તેમ વધારે ને વધારે લોભવાળો જ બને છે. તેનો કદાપિ અંત આવતો નથી. ક્યારેય છેડો આવતો જ નથી. માટે હે આત્મન્ ! તું આવા સમુદ્ર સમાન તથા આકાશ સમાન અનંતા એવા લોભથી વિરામ પામ છે ૩-૪ / જીરે મારે, મૂલે લઘુપણે લોભ, વાર્ધ સરાવ પરિ સહી,
જી રે જી, જીરે મારે ઉત્તરાધ્યયને અનંત, ઇચ્છા આકાશ સમી કહી.
જીરે જી ! ૫ || શબ્દાર્થ - મૂલે - પ્રારંભમાં, લઘુપણે - જે થોડો હોય છે, વાધે - વધતો જ જાય છે, સરાવ પરિ - કુંડાની જેમ, કોડીયાની જેમ. II ૫ II
ગાથાર્થ - આ લોભ પ્રારંભમાં થોડો હોય છે પણ દિનપ્રતિદિન કુંડાની જેમ અથવા કોડીયાની જેમ વધતો જ જાય છે તેથી જ ઉત્તરાધ્યયન સૂત્રમાં ઈચ્છાને આકાશની જેમ અનંતી છે આમ કહ્યું છે. [ પ /
વિવેચન - લોભ પ્રારંભમાં થોડો હોય છે જેમ નિધન માણસને માત્ર ૧૦૦ની જ ઈચ્છા થાય છે તેમ શરૂઆતમાં તેની માત્રા અલ્પ હોય છે. છોડ ઉગાડવા માટેનું કુંડું, અથવા દીપક કરવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org