Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
મૈથુન નામના ચોથા પાપસ્થાનકની સઝાય
૫૧
સર્વશ્રેષ્ઠ મૂલ છે. સર્વશ્રેષ્ઠ વ્રત છે. પૂજ્ય વીરવિજયજી મહારાજશ્રી બારવ્રતની પૂજામાં કહે છે કે -
એ વ્રત જગતમાં દીધો મેરે પ્યારે, એ વ્રત જગમાં દીવો, પરમાતમ પૂજીને વિધિશું, ગુરુ આગળ વ્રત લીજે અતિચાર પણ દૂર કરીને, પરદાર દૂર કીજે-મેરે પ્યારે.
આ વ્રતપાલનમાં જીવ જેમ જેમ વિકાસ પામે છે તેમ તેમ તેના આત્માની નિર્મળતા ઘણી વધે છે. મોહનો નાશ થાય છે. રાગલેષ આદિ કલેશોનો હ્રાસ થાય છે. ચિત્ત શાંત અને પ્રસન્ન રહે છે. શુદ્ધ આત્મદશાનું લક્ષ્ય આવે છે. અને પરમાત્માનાં વચનો પ્રત્યે પરમશ્રદ્ધા સ્વરૂપ સમ્યકત્વ ગુણની વૃદ્ધિ થાય છે.
જે જે આત્માઓ આ બ્રહ્મચર્ય પાલન સ્વરૂપ શીયળ ગુણરૂપી પાણી પોતાના શરીર ઉપર ધારણ કરે છે તે તે આત્માઓનો સારામાં સારો યશ અને ચારે દિશામાં સારી એવી પ્રશંસાઓ ફેલાય છે. વિના કહ્યું ગુણાનુરાગી જીવો આવા આત્માઓના ગુણો ગાય છે.
તથા “સુજસ વખાણ” શબ્દ લખીને આ પદમાં વાપરેલાં “જસ” શબ્દથી ગ્રંથકર્તા પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજશ્રીએ પોતાનું “યશોવિજયજી” આવું નામ પણ ગર્ભિતપણે સૂચવ્યું છે || ૧૧ આ પ્રમાણે “મૈથુન” આવા નામનું જે ચોથું પાપસ્થાનક છે
તેની સઝાય સમાપ્ત થઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org