Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
મૈથુન નામના ચોથા પાપસ્થાનકની સજ્ઝાય
કર્યો, મારા ઉપર બળાત્કાર કરવા કોશિશ કરી. મેં તેનો પ્રતિકાર કર્યો. તેણે મારા સાથે કામચેષ્ટા કરવા મોટા મોટા નહોર માર્યા. મેં તેને ધક્કો મારી દૂર ધકેલ્યો. આમ કહીને સ્ત્રીચરિત્ર દાખવતી જોરદાર રડવા લાગી.
રાજાએ મનમાં વિચાર્યું કે સુદર્શન શેઠ માટે આ સંભવિત નથી, આમાં કંઈક તથ્ય બીજું જ હોવું જોઈએ. રાજાએ સુદર્શન શેઠને પૂછ્યું કે શેઠ ! સત્ય શું છે ? શેઠ કાયોત્સર્ગમાં હતા એટલે મૌન જ રહ્યા. રાજાએ વારંવાર પૂછયું પણ શેઠ મૌન રહ્યા. શેઠે મનમાં વિચાર કર્યો કે રાજા અને રાજસેવકો આવ્યા છે, પ્રભાત થયું છે એટલે શીયળની તો રક્ષા થઈ જ ગઈ. પરંતુ હવે જો હું સાચું બોલી જાઉં તો આ જ રાજા રાણીને સજા કરે, મૌન રહું તો મને સજા કરે એટલે પોતાના ભોગે પણ બીજાની રક્ષા કરવાનો સુંદર પ્રસંગ આવ્યો છે પરના પ્રાણની રક્ષા ખાતર પણ મારે અહિંસામય સદાચાર પાળવો જોઈએ. એમ વિચારી રાણીના પ્રાણોની રક્ષા માટે શેઠ મૌન જ રહ્યા. કંઈ પણ બોલ્યા નહીં.
૪૯
રાજા ક્રોધાયમાન થયો. શૂલીની સજા ફરમાવી. નગરજનોને દુ:ખ ન થાય તે માટે શહેરમાં સર્વે રસ્તાઓ ઉપર ફેરવી, રાણી ઉપર કરેલી બળાત્કારની કોશિશ બદલ શૈલીની સજા કરાય છે આવો ઢંઢેરો પીટાવીને શૂલી પાસે લવાયા. શેઠ પોતાનો અશુભ કર્મોનો ઉદય વિચારી, સમભાવ રાખી, રાણી ઉપર પણ ભાવકરૂણા કરી કાયોત્સર્ગમાં મૌન જ રહ્યા. શેઠનાં પત્ની મનોરમાએ પણ આ વાત સાંભળી મનમાં વિચાર્યું કે આમ કદાપિ બને જ નહીં. મારા પતિ કદાપિ આવું અકાર્ય ન કરે. આ કંઈક કાવતરૂ જ હશે. તેણીએ પણ પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી મારા પતિ ઉપરનો આ ઉપસર્ગ ટળે નહીં ત્યાં સુધી મારે પણ કાયોત્સર્ગમાં જ રહેવું અને મૌન રહેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org