Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
ક્રોધ નામના છઠ્ઠા પાપસ્થાનકની સજ્ઝાય
ક્રોધ' નામના છઠ્ઠા પાપસ્થાનકની સજ્ઝાય
ક્રોધ તે બોનિરોધ છે, ક્રોધ તે સંયમઘાતી રે । ક્રોધ તે નરકનું બારણું, ક્રોધ દુરિત પક્ષપાતી રે ॥ ૧ ॥
૭૧
0
-
શબ્દાર્થ - બોધનિરોધ - જ્ઞાનને રોકનાર છે, સંયમઘાતી ચારિત્રનો નાશ કરનાર છે, નરકનું બારણું - નરકનું દ્વાર, દુરિત પક્ષપાતી પાપોનો જ પક્ષ ખેંચનાર છે. || ૧ ||
ગાથાર્થ - ક્રોધ એ જ્ઞાનને રોકનાર છે. ક્રોધ એ સંયમનો નાશ કરનાર છે, ક્રોધ એ નરકનો દરવાજો છે અને ક્રોધ એ પાપોનો પક્ષપાતી છે. ॥ ૧ ॥
વિવેચન - જ્યારે જ્યારે જીવ ક્રોધના આવેશમાં આવે છે, ત્યારે ત્યારે જેના પર ક્રોધ થયો હોય તેને મારવાના, કટુ વચન બોલવાના, બદલો લેવાના, પોતાના થયેલા અપમાનનો બદલો વાળવાના વિચારોમાં અને ચિંતામાં આ જીવ અટવાયેલો હોય છે તેથી તાવ ચડી જાય, ઊંઘ ઉડી જાય, મન ચકડોળે ચડી જાય, આમ અસ્થિરતા વધતાં આ આત્માને સાચી જ્ઞાનદશા મેળવવાના કે જ્ઞાન પ્રાપ્ત કરવાના વિચારો આવતા જ નથી, જ્ઞાનપ્રાપ્તિમાં જોડાય તો પણ ચિત્ત તેમાં જામતું નથી. આવા પ્રકારના આવેશવાળા વિચારોથી પ્રાપ્ત જ્ઞાન પણ નાશ પામે છે. આ રીતે ક્રોધ તે જ્ઞાનનો નિરોધ કરનાર છે.
Jain Education International
તથા ક્રોધના આવેશમાં આવેલો જીવ જેમ તેમ બોલવામાં, મારામારી કરવામાં મશગુલ હોવાથી લક્ષ્મણરેખાને ઓળંગનાર બને છે તેથી ક્રોધ સંયમનો ઘાત કરનાર પણ છે. આવાં પાપો કરીને અતિશય આવેશોને વશ થયેલા જીવો ચીકણાં કર્મો બાંધીને નરકમાં જ જનારા બને છે. એટલું જ નહીં, પણ આ ક્રોધનો આવેશ જીઠું
For Private & Personal Use Only
www.jainelibrary.org