Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
મૈથુન નામના ચોથા પાપસ્થાનકની સજ્ઝાય
શબ્દાર્થ ટલી
૪૫
દૂર થઈ, શૈલિ - ફાંસી, ગગને
આકાશમાં || ૧૦ ||
ગાથાર્થ . બ્રહ્મચર્યગુણના પ્રતાપે સુદર્શનશેઠને શૂલી દૂર થઈ ગઈ અને સુંદર સિંહાસન થયું. આકાશમાં દેવો જેમના ગુણ ગાય છે. શીયળનો મહિમા તો તમે જુઓ || ૧૦ ||
વિવેચન - સુદર્શન શેઠ પોતાના બ્રહ્મચર્યવ્રતમાં સ્થિર રહ્યા, તો રાણી દ્વારા કરાયેલા ખોટા આક્ષેપોના તોફાનથી પ્રેરાયેલા રાજાએ શૂલીની સજા કરી, પણ વ્રતના પ્રભાવથી શૈલિનું સિંહાસન થઈ ગયું. તેની સંક્ષેપમાં વાર્તા આ પ્રમાણે છે .
અંગદેશમાં ચંપાપુરીનગરીમાં દધિવાહન નામે રાજા, અને તેમનાં અભયા નામે રાણી હતાં, તે જ ગામમાં અત્યંત શીલવાન અને રૂપવાન સુદર્શન શેઠ અને તેનાં મનોરમા નામે પત્ની પણ રહેતાં હતાં, શેઠને રાજાના પુરોહિત સાથે ગાઢ મૈત્રી હતી. એક વખત પુરોહિતનાં પત્ની કપિલાએ પુરોહિતને પૂછ્યું કે ઘણો ખરો સમય તમે બહાર ક્યાં વીતાવો છો ? તેના ઉત્તરમાં પુરોહિતે સુદર્શન શેઠની સાથે મૈત્રીની વાત કરી અને શેઠના શીલગુણની અને રૂપગુણની પ્રશંસા કરી. આ સાંભળીને મંત્રીની પત્ની કપિલા, સુદર્શન શેઠ ઉપર કામવિહ્નલ બની. ઉપાય શોધવા લાગી.
Jain Education International
એક દિવસ રાજાનો હુકમ થવાથી, પુરોહિતને બહારગામ જવાનું થયું. અવસર પ્રાપ્ત થયો છે એમ સમજીને કપિલા શેઠને ઘરે ગઈ અને કહ્યું કે તમારા મિત્ર અતિશય બિમાર થયા છે અને તમને તુરત બોલાવે છે. ભદ્રિક સ્વભાવવાળા શેઠ તુરત જ મિત્ર સ્નેહના કારણે કપિલાની સાથે તેના ઘરે ગયા. ધીરે ધીરે કપિલા તે શેઠને ઉંડા પોતાના શયનખંડમાં લઈ ગઈ અને શેઠ જેવા અંદર આવ્યા એટલે અંદરથી ઓરડો બંધ કરી દીધો. સહશયનની અને ભોગની
For Private & Personal Use Only
www.jainelibrary.org