________________
મૂળશુદ્ધિ ભાગ-૧
આરામશોભા કથા
૩૫
હજી મારે ચોડ દેશમાં જવાનું છે. કુલંધર - આને પણ ત્યાં લઈ જા, ત્યાં જ તારે યોગ્ય પૈસા વિગેરે મોકલીશ.
નંદને હા કહી, ત્યારે શેઠે પરણાવી. વિવાહ દિવસ વીત્યે છતે શ્રીદત્તે નંદનને કહ્યું “જો તું અહીં જ સ્થિર રહેવાનો હોય તો ત્યાં બીજાને મોક્લુ', કારણ કે મારે ત્યાં મોટું કામ છે. નંદન - મારે સાચે જ જવાનું છે. શેઠ પાસે રજા લઈ તમને હું વાત કરીશ. બીજા દિવસે નંદને કુલંધરને વિનંતિ કરી કે. હે તાત ! હવે હું જાઉં છું, કારણ ચોડ દેશમાં મારે મોટું કામ છે. શેઠ પણ પોતે ધારેલું કામ સિદ્ધ કરી આપનાર વચન સાંભળીને કહ્યું કે જો તારો આવો જ નિશ્ચય હોય તો તેમ કર. પરંતુ તારી આ પત્નીને લઈને ચોડ દેશમાં જા. તારા ભાડ વાસણ હૈં મોકલી આપીશ. નંદને શ્રીદત્તને વાત કરી કે હુઁ જવા માટે તૈયાર છું, તમારે જે કહેવાનું હોય તો તે કહી દો.
શ્રીદત્તે પણ નંદનને પોતાનો પત્ર આપ્યો અને સંદેશો કહ્યો. એ પ્રમાણે તૈયાર થયે છતે પત્નીને લઈને ચાલ્યો. માત્ર થોડું ભાથું લઈ તે એકલોજ સતત પ્રયાણ કરતો ઉજ્જૈની નગરીએ પહોંચ્યો. થોડા જ પ્રયાણોથી હું આ દેશમાં આવતા મારું ઘણું ખરું ભાથું ખલાસ થઈ ગયું છે અને માર્ગથી ૐ વિખુટો પડ્યો છું. તેથી આને (નિર્નામિકા)ને સુતેલી જ છોડીને ઇચ્છિત દેશે જતો રહ્યું. એમ વિચારી નંદને નિર્નામિકાને કહ્યું “હે પ્રિયે ! ભાથું લગભગ ખલાસ થઈ ગયું છે.” તો હવે શું કરીએ ?” ભિક્ષાથી જમવાનું થશે (ભીખ માંગવાના દહાડા આવશે) તો શું ભિક્ષા માટે ભમીશ ?' નિર્નામિકા બોલી હે નાથ ! સાંભળો તમારી (સાથે પછવાડે રહીને ભિક્ષા માંગવી મને ગમશે. એમ બોલી બન્ને નગર બહાર એક મુસાફર ખાનામાં સુઈ ગયા. ભીખથી શરમાતો તે ધીરેથી સરકી ભાથું લઈ રાત્રે જતો રહ્યો. સૂર્યોદય થતા તે નિર્ભાગ્યા ઉઠી પતિને ન જોઇને અને ભાથું ન દેખતી તેણીને ખબર પડી કે મને છોડી મૂકી છે. (૧૨૫) તે વિલાપ કરવા લાગી, સ્વામીએ સારું ન કર્યું કે ઘ૨થી લઈને અહિં મૂકીને જતા રહ્યાં. “હા ! હા ! નિર્લજ્જ ! કૃપા વગરના ! નવજુવાન દેખીને મને કોઈ પકડી લેશે (ઉપાડી જશે) તો હે નિર્દય ! તારા કુલને કલંક લાગશે. અથવા પરિતાપ કરવાથી શું વળવાનું ?
પિતાનાં સાધર્મિક કોઈક વણિજ-વ્યાપારીનો આશ્રય લઈને પોતાનાં શીલનું રક્ષણ કરું. પિયરે જવામાં પુણ્યવગરની મને આદર મળશે નહિં. તેથી અહીં જ રહીને કામકાજ કરીશ !
એમ વિચારી હૃદયમાં ધીરજ રાખી દશે દિશાઓને જોતી નગરમાં પેઠી. ત્યારે એક ઘરમાં ભદ્ર આકૃતિવાળા પુરુષને જુએ છે. અને પગે પડી મનોહર સ્વરવડે વિનંતિ કરવા લાગી કે તાત ! અનાથ દીનદુઃખી એવા મારા શરણ બનો. કારણ કે અનાથ નારી નિયમા નિદા પામે છે.
હું ચંપાપુરીના કુલંધર શેઠની પુત્રી છું. મારા પતિ સાથે ચોડદેશમાં જતી હતી પણ સાર્થથી વિખૂટી પડી ગયેલી અનુક્રમે અહીં સુધી આવી. હવે આપ દુઃખથી તપેલી એવી મારા પિતા બનો. ત્યારે તેનાં વચન વિનયાદિથી રંજિત થયેલા માણિભદ્ર શેઠે કહ્યું હે વત્સે ! તું મારી દીકરી છે, પોતાના પિતાને ત્યાં જેમ રહેલી હતી તેમ અહિં રહે, સાર્થની શોધ વિગેરે હૈં બધુ કરીશ, એમ કહીને માણિભદ્રે પોતાના પુરુષો શોધ કરવા મોકલ્યા. પણ સાર્થનો કોઈ પત્તો ન લાગ્યો. તેઓએ આવીને કહ્યું ત્યારે શેઠને શંકા થઈ. “આ સાચું બોલે છે કે ખોટું ?” માટે પરીક્ષા કરું. એમ વિચારીને માણીભદ્ર શેઠે કુલંધર પાસે માણસ મોકલી ખાત્રી કરીને પુત્રીની જેમ રાખી, તેણીએ