Book Title: Mulshuddhi Prakaranam Part 01
Author(s): Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay

View full book text
Previous | Next

Page 164
________________ મૂળશુદ્ધિ ભાગ-૧ મૂળદેવ કથા ૧૫૩ જિતશત્રુ નામે રાજા છે. નગરીમાં રાજકુમાર મૂળદેવ ગુટિકા પ્રયોગથી વામન રૂપ કરી વિચિત્ર કથાથી, ગાંધર્વકલાથી અને વિવિધ પ્રયોગથી નગરજનોને વિસ્મય પમાડે છે. અને તેથી તે ચારે બાજુ પ્રખ્યાત થઈ ગયો છે. આ બાજુ તે નગરમાં રૂપ લાવણ્ય અને વિજ્ઞાનના ગર્વવાળી દેવદત્તા નામે પ્રધાન વેશ્યા છે. ચોસઠ કલામાં કુશલ, ચોસઠ વિલાસીના ગુણવાળી, બત્રીસ પ્રકારના પુરુષના ઉપચારમાં અત્યંત કુશલ, ઓગણત્રીસ અતિશયમાં રમનારી, શ્રેષ્ઠ ચતુરાઇથી યુક્ત, એકવીસ રતિ ગુણધારી, અઢાર દેશની ભાષા જાણનારી, એ પ્રમાણે સર્વશાસ્ત્રમાં સારી રીતે બરાબર તૈયાર થયેલી વેશ્યા એવી હોંશીયાર છે કે તેણીને સામાન્ય પુરુષતો ખુશ ન કરી શકે. તેથી કૌતુકથી મૂળદેવે દેવદત્તાને ક્ષોભ પમાડવા સારુ પરોઢીએ નજીકમાં રહેલાએ મધુર ઘણાં ભંગવાળું ફરતા ફરતા કંઠે (ક્યારેક સ્ત્રીના અવાજે, ક્યારેક પુરુષના અવાજે, શ્રેષ્ઠ ગાયકના કંઠની તુલના કરતો) અસમાન વર્ણના સંવેધથી મનોહર ગાંધર્વ ગીત વારંવાર ગાવાનું શરૂ કર્યું. તે સાંભળી દેવદત્તાએ વિચાર્યું અહો! આ તો કેવો અપૂર્વ અવાજ છે, તેથી આ કોઈ દેવ હોવો જોઇએ. આ મનુષ્ય ન હોઈ શકે. દાસીઓ પાસે તપાસ કરાવી, તપાસ કરી દાસીએ કહ્યું કે સ્વામિની ! આ તો વસંતઋતુના ઉત્સવનું અનુસરણ કરનાર, સર્વ વિજ્ઞાનનો ભંડાર નગરજનોના મનને હરનાર, કોઈ બહારથી આવેલો ગાવાના બહાને માણસોને વશ કરે છે. ત્યારે દેવદત્તાએ માધવી નામની કુબડીદાસીને મોકલી અને તેણીએ જઈને વિનય પૂર્વક કહ્યું કે હે મહાસત્ત્વશાળી ! અમારી શેઠાણી દેવદત્તા વિનવે છે કે આપ મહેરબાની કરી અમારા ઘરે પધારો. તેણે પણ (વિદગ્ધતાથી) હોંશીયારીથી કહ્યું કે મારે વેશ્યાસંગની જરૂર નથી, તેમજ વિશિષ્ટ પુરુષો માટે વેશ્યાસંગનો નિષેધ કરાયેલો છે. કહ્યું છે કે, વિચિત્ર જાર પુરુષોના ઓષ્ઠના અગ્રભાગથી ખરડાયેલી, માંસ મદિરામાં રત, સાવ હલકી, વચનમાં કોમલ અને મનમાં દુષ્ટ ભાવવાળી એવી વેશ્યાને વિશિષ્ટ પુરુષો સેવતા નથી.(૨૭૯) - અગ્નિશિખાની જેમ તાપ ઉપજાવનારી, મદિરાની જેમ ચિત્તને મોહ પમાડનારી, છુરીની જેમ દેહને કાપનારી અસલિકા-લોઢાની જેમ વેશ્યા ગઈ લાયક છે અહો ! ગણિકા અન્યને સંકેત આપે છે, બીજાને જુએ છે, તેના ઘરમાં બીજો કોઈ, ચિત્તમાં બીજો અને પાસે બીજો કોઈ માણસ બેઠો હોય છે. સ્વાર્થ પૂરો થાય ત્યાં સુધી મીઠા કર્મો કરે છે. સાર નીકળી ગયા પછી નિર્લક્ષ (દુષ્ટ માણસ) અળતાને છોડી દે છે, તેમ તગેડી મૂકે છે. (૨૮૨) એથી મને ત્યાં જવાની ઈચ્છા નથી. તે (દાસી) પણ અનેક પ્રકારનાં વચનની ચતુરાઈથી ચિત્તને આકર્ષી આગ્રહથી હાથ ઝાળીને ઘેર લઈ ગઈ. રસ્તામાં જતા કલા કૌશલ્ય અને ક્રિયા) વિદ્યા પ્રયોગથી ઝાટકો મારીને કુબડી દાસીને સીધી કરી દીધી. તેથી તે વિસ્મયમાં પડી, તેની જોડે તે મૂળદેવ વેશ્યા ભુવનમાં પ્રવેશ્યો. વામન

Loading...

Page Navigation
1 ... 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244