Book Title: Mulshuddhi Prakaranam Part 01
Author(s): Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
Catalog link: https://jainqq.org/explore/022102/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ FLORIKE USZLET ભાગ-૧ (ગુર્જરભાષાનુવાદ) 'અનુવાદ કર્તા: પ.પૂ. આચાર્યશ્રી રત્નાકર સૂરીશ્વરજી મ. સા.ના શિષ્ય | મુનિ રત્નજ્યોત વિજયજી Page #2 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રીમદ્ વિજય પ્રદ્યુમ્નસૂરિ વિરચિત મૂળશુદ્ધિ પ્રકરણમ ભાગ-૧ ગુર્જરભાષાનુવાદ ટીકાકાર આચાર્ય શ્રીમદ્ દેવચંદ્રસૂરીશ્વરજી મ.સા. દિવ્યાશિદાતા પઠન-પાઠન કાંક્ષી પ.પૂ. આચાર્ય વિજય શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મ.સા. અનુવાદ કર્તા પ.પૂ. આચાર્ય રત્નાકરસૂરીશ્વરજી મ.સા.નાં શિષ્ય મુનિશ્રી રત્નજ્યોત વિજયજી મ.સા. ય નેમિસૂરિ-શાન છે કિ શ્રી વિજય છાસન સમ્રાટે ભવના ક્રમાંક: 50200 3. સ્થાનઃ OF ST. શેઠ 66 “ઠીસિંહની વાડી, અમે કે, અમદાવાદ પ્રકાશક શ્રી રંજનવિજયજી જૈન પુસ્તકાલય માલવાડા | વિજયશીલચંદ્રસૂરિ ગ્રંથ સંગ્રહ Page #3 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથનું નામ મૂળકર્તા પ્રકાશક ટીકાકાર અનુવાદ કર્તા આવૃત્તિ મૂલ્ય 10 פיאט K : - મૂળશુદ્ધિ પ્રકરણમ્ (ગુર્જરભાષાનુવાદ) ભાગ-૧ : આચાર્ય વિજય શ્રી પ્રદ્યુમ્ન સૂરીશ્વરજી મ.સા. : રંજન વિજયજી જૈન પુસ્તકાલય- માલવાડા : આ.વિ. શ્રી દેવચંદ્ર સૂરીશ્વરજી મ.સા. : મુનિશ્રી રત્નજ્યોત વિજયજી મ.સા. : દ્વિતીય - નકલ ૫૦૦ વિ. સંવત ૨૦૬૧ . ૧૦૦ રૂપિયા પ્રાપ્તિ સ્થાન શ્રી પારસ ગંગા જ્ઞાન મંદિર C/o રાજેન્દ્રભાઈ બી-૧૦૪, કેદાર ટાવર, રાજસ્થાન હોસ્પીટલ સામે, શાહીબાગ, અમદાવાદ-૩૮૦૦૦૪ ફોન (ઘર) ૨૨૮૬૦૨૪૭ શ્રી મણીલાલ યુ. શાહ ડી.૧-૨૦૩, સ્ટાર ગેલેક્સી, લોકમાન્ય તિલક રોડ, બોરીવલી (વે.) મુંબઇ-૪૦૦ ૦૯૨ ફોન (ઘ) ૨૮૦૧૧૪૬૯, (ઓ) ૨૮૯૩૧૦૧૧ શારદાબેન ચીમનભાઇ એજ્યુકેશનલ રીસર્ચ સેંટર "દર્શન", શાહીબાગ, અમદાવાદ-૩૮૦૦૦૪ ફોન ૨૨૮૬૮૭૩૯ સરસ્વતી પુસ્તક ભંડાર હાથીખાના, રતનપોળ, અમદાવાદ-૧ ફોનઃ ૨૫૩૫૬૬૯૨ મુદ્રકઃ નવનીત પ્રિન્ટર્સ (નિકુંજ શાહ) ૨૭૩૩, કુવાવાળીપોળ, શાહપુર, અમદાવાદ-૧ મોબાઈલ : ૯૮૨૫૨ ૬૧૧૭૭, ૯૪૨૭૩ ૨૬૦૪૧ Page #4 -------------------------------------------------------------------------- ________________ " સમાપણ.... . છે બલ્યવયમારતોરણીગિરધરબાનીભીરીબીરીશભુશુણાનાણી ઉતારીપણ છે જીતાની કાચી ઉંમરમાં પણ ગામડાંની અજાણપ્રજનીભાવના (સૂરા) પીયૂષપાન કરાવનારા... છે શહારાષ્ટ્રને કર્મભૂમિ બનાવી અનેક આત્માઓનધર્મભૂમિદાન, આ કરનારાજ છે આ ફધાગ્નિથી સંતપ્તને વાત્સલ્યની સ્વર્ગગગામીણાબાવીશીતલતી આપનારા... પઠન-પાઠન-પાઠનાં ત્રિવેણી સંગમમાં સદા મહાલતા.... છે ગળથૂથીમાં સુસંસ્કાર આપી મારા જીવનને સુસંસ્કૃતળાવનારા... પરમ પૂજ્ય વાત્સલ્યનિધિ આચાર્યદેવશ્રી રત્નશેખર સૂરીશ્વરજીનાં દિવ્ય કરકમળોમાં સાહિત્યબાગનું પ્રથમ પુષ્પ સમર્પણ કરતાં હૈયું હર્ષથી ઉભરાઇ રહ્યું છે. ની રહતા જો તનિ. . . Page #5 --------------------------------------------------------------------------  Page #6 -------------------------------------------------------------------------- ________________ આ પ્રસ્તાવના ) વીતરાગનો ધર્મ તે આત્મામાં મૂળની શુદ્ધિ કરવાથી ટકી શકે છે. આત્મામાં ધર્મની પ્રાપ્તિ શ્રદ્ધાથી થાય છે, અને પાલન બુદ્ધિથી થાય છે. “શું આ વીતરાગનો જ ધર્મ સાચો છે? બીજો નહીં? આ ધર્મ જ કેમ કરવો ? ઇત્યાદિ અશુદ્ધિ દૂર ન કરે ત્યાં સુધી ધર્મમાં શ્રદ્ધા જાગે નહીં. બસ આ શંકા-કુશંકા વિના ધર્મનો સ્વીકાર એનું નામ દર્શન મૂળશુદ્ધિ – સમકિત પણ સમતિ મેળવવાની ઇચ્છા તેના મહત્ત્વ કે તેની આવશ્યકતાને સમજયા વિના ન સંભવે. માટે સર્વપ્રથમ દર્શનપ્રતિમાનું સ્વરૂપ બતાવવા સમકિતના ૬૭ બોલનું વર્ણન આ ગ્રંથમાં યથાસંભવ દ્રષ્ટાંત-કથાનક સાથે કર્યું છે. અભયકુમારની કુશળતા બતાવી હકીકતમાં એવું જણાવી આપ્યું છે કે કુશળતા કેટલી લાભપ્રદ છે. આઠજાતના પ્રભાવક આ શાસનની ઉન્નતિ કરાવે છે, દ્રવ્ય અને ભાવ તીર્થની સેવા જો એકવાર મનમાં વસી જાય તો તેની કેવી કલ્યાણ પરંપરા શરૂ થાય છે, તે આ ગ્રંથમાં નિહાળી શકાય છે. જયારે છ સ્થાન મગજમાં ઠસી જાય પછી કોઈની તાકાત નથી કે તમારામાંથી ધર્મને ખસેડી શકે, અને સમકિતબાગ સદાબહાર મહેકતો રહે, એના માટે સાત ક્ષેત્રની સેવાનું સિંચન અતિ આવશ્યક છે. પ્રભુની પ્રતિમાનું મહત્ત્વ અને તેની પૂજાથી પ્રાપ્ત થતી સદ્ગતિ, તેમજ દેવદ્રવ્યનું રક્ષણ છેક આત્માને પરમાત્મા બનાવી દે, પણ તેનું ભક્ષણ અનંતકાળ સુધી ભવાટવીમાં ભટકાવી દે, એવું સચોટ વર્ણન દ્રષ્ટાંત સાથે આ ગ્રંથમાં સાક્ષાત્ કરવા મળે એમ છે. આગમને સમજવા અને તેની સેવા આત્માને ત્રણ ભુવનનું આધિપત્ય આપી દે. સાધુની તન તોડી મન જોડી સેવા કરવી, એમના દરેક કાર્યમાં ચાતક બની તત્પર રહેવું. એમને આપેલું ભક્તિ પૂર્વકનું દાન માનવને કેટલો ઊંચો લઈ જાય છે, રંકમાંથી રાજા બનાવવાની તાકાત સાધુ દાનમાં રહેલી છે. એના વિશે મૂળદેવ વગેરે અનેક દાખલા આ ગ્રંથમાં ટાંકવામાં આવ્યા છે. છેલ્લે શવ્યાદાનનો મહિમા વર્ણવ્યો છે. બાકીના ત્રણ કૃત્યનું વર્ણન બીજા ભાગમાં દર્શાવ્યું છે. તેમાં સાધ્વી કેવા ગુણશીલ હોય છે અને નારીમાં કુરતાનું ભૂત સવાર થાય ત્યારે તે કેવી ચરમ સીમાએ પહોંચે છે. તેનો અહેવાલ અનેક દાખલા લઈને બતાવ્યો છે. મારા સાહિત્યબાગનું આ પ્રથમ પુષ્પ છે, દરેક ભંડારોમાં વિતરણ થઈ જવાથી અન્ય ક્ષેત્રો આ પ્રકરણથી વંચિત રહેતા પુનઃ પ્રકાશનનું કામ હાથમાં લીધું. આ ગ્રંથનું મૂળ અને ટીકા સાથેનું પ્રકાશન “રંજનવિજ્યજૈન પુસ્તકાલય”ની સહાયથી શારદા બહેન ચીમનભાઈ એજ્યુકેશનલ રિસર્ચ સેન્ટર (અમદાવાદ) દ્વારા કરવામાં આવેલ છે. આ આખો ગ્રંથ લગભગ પ્રાકૃતમાં છે, અને અનેક અર્થથી ગર્ભિત સમાસ સાથેનું વર્ણન આ ગ્રંથમાં કરવામાં આવ્યું છે. અનુવાદની અંદર તે અભિપ્રાયનું ધ્યાન રાખવામાં આવેલ છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ મારું માનવું છે કે “પ્રાકૃત વિજ્ઞાન પાઠમાલા” નો અભ્યાસ કર્યા પછી પ્રાકૃત વાચક વર્ગને પ્રાકૃતમાં ગતિ કરવા માટે આ ગ્રંથ અતિ ઉપયોગી નીવડે એમ છે. બસ આ જ ઉદ્દેશથી મેં અનુવાદનું કામ હાથમાં લીધેલ છે. વાચક વર્ગ ગ્રંથનો તલસ્પર્શી અભ્યાસ કરી પ્રાકૃતમાં સફળતા મેળવી આગમમાં ઉડાણ ખેડી આત્મલીન બને એ જ શુભેચ્છા. ...... મને રત્નજયોત નિ. માલવાડા (રાજ.) ૧૪ જૂન, ૨૦૦૫ ટાઈટલની સમજ”) આત્માની જ્ઞાન દર્શન (સમકિત)ની જયોત સદા ઝગમગતી હોય છે. પણ એના ઉપર કર્મનું આવરણ આવવાથી સંપૂર્ણ જ્ઞાન-દર્શન પ્રગટ થતું નથી. તેમાં વળી મિથ્યાત્વનું પડલ તો વિચિત્ર કામ કરે છે, જેથી ઉંધુ દેખાવા લાગે છે. મૂળમાં-સમ્યગ્દર્શન ઉપર મિથ્યાત્વની કાલિમાના કારણે સમ્યગુ જ્ઞાન-જયોત અવરાઈ જવાથી તે જીવને સંસારની સામગ્રીમાં જ સુખ દેખાય છે. એની નજરમાં ટી.વી., ફ્રીજ,હિલસ્ટેશન, ગાડી, મોટર, સ્વીમીંગ પુલ ઇત્યાદિ ભૌતિક સાધનો આવે અને જયારે મૂળમાંથી મિથ્યાત્વની કાલિમા હટી જતાં જે સમક્તિ પ્રગટે તેથી સત્ જ્ઞાન પ્રકાશ ઝળહળતાં-ઝગારા મારે છે, તેજ મૂળશુદ્ધિ. એ જીવને હવે ગામડામાં સંતોષ થાય એટલે મોટા આરંભ-સમારંભ આને ના ગમે. અને ધર્મસ્થાનો તરફ તેની નજર મંડરાય છે. એટલે મિથ્યાત્વની કાલિમા તે મૂળ-અશુદ્ધિ, સમકિત તે મૂળશુદ્ધિ. વળી આ ગ્રંથમાં સાત ક્ષેત્રનું કર્તવ્ય દર્શાવ્યું છે. અને તે જિનબિંબ-ચૈત્યવિ. સાત સ્થાનો છે. કારણ કે આ સાતક્ષેત્રની યથાયોગ્ય સેવા ભક્તિ કરવાથી મૂળશુદ્ધિ થાય છે. તેનાં ઉપરથી આ ગ્રંથનું સ્થાનક એવું બીજું નામ છે. તેની ઝાંખી બતાવવા પાછળ સાત ક્ષેત્ર દર્શાવ્યા છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ • પૃષ્ટ ન - , , , , , , - - • • • ••••••••••............ • • ર ણ ..............•••• ર ર મૂળશુદ્ધિ ભાગ-૧ ભાવાનુવાદ ક્રમશઃ વિષયની ચાવી વિષય . ટીકાકૃત મંગલ ............ વર્ધમાન સ્તુતિ. ...... ૩ પ્રથમ ગાથાની અવતરણિકા................... ચાર અનુબંધવાળી પ્રથમ ગાથા ..... સંહિતાદિક્રમથી ગાથાનું વર્ણન .... ત્રણ કરણની શુદ્ધિવાળી ગાથા ...... ૭ ધર્મની વ્યાખ્યા ..................... ૮ આગમની મહત્તાવાળી ત્રીજી ગાથા .......... ૯ શ્રાવકના કર્તવ્યવાળી ચોથી ગાથા.......................... .............................. ૧૦ શ્રાવકનું લક્ષણ . ........... ૫ ૧૧ મિથ્યાત્વનું લક્ષણ...... ........૫ ૧૨ વ્રત સ્વીકારવાનો ક્રમ ................. ......... ૫ ૧૩ ગાથા પાંચ ને છ .... ........ ૫ ૧૪ સમકિતીને અકથ્ય .. ....... ૧૫ લોક પ્રવાહથી દુઃખી થયેલ બ્રાહ્મણની કથા............... ૧૬ સમકિતના સડસઠ બોલની ગાથા................ ૧૭ પાંચ ભૂષણની ગાથા ........................................ ............. ૧૮ કુશલતા ઉપર આર્દ્રકુમારની કથા................ ................ ૧૯ ગોશાળા સાથે વાદ......... ૨૦ આઠ પ્રભાવક - બીજું ભૂષણ.............. ...... ૧૫ ૨૧ આર્ય ખપૂટાચાર્યની કથા .............................................. ૨૨ ભૂષણ ત્રીજું. ૨૩ દ્રવ્યતીર્થસેવામાં આર્ય મહાગિરીની કથા ................ ............ ૨૪ એલકાક્ષ કથા ...... ૨૫ ગજાગ્રપદની પ્રસિદ્ધિ...................... ૨૬ ભાવતીર્થ સેવામાં ભીમ-મહાભીમની કથા ........... ....................... ૨૭ તીર્થંકર ભક્તિ વિષે આરામશોભાની કથા.. ૨૮ સાધુ ભક્તિ વિશે શિખરસેનની કથા ................. ••••••••••••••• ૨૯ સ્થિરતા વિષે સુલસાની કથા............... ..................... ર » » ? ? ? 9 S S 0 0 7 @ 9 Page #9 -------------------------------------------------------------------------- ________________ ............ ૫૯ ૩૦ પાંચ દૂષણની ગાથા ............ ૩૧ ઈહલોક વિષે શ્રીધરની કથા .............. ૩૨ સર્વકાંક્ષા વિષે ઈંદ્રદત્ત કથા ............... ૩૩ વિચિકિત્સા વિષે પૃથ્વીસાર ને કીર્તિદેવની કથા પા૨૧ વિરી નિકાસ કથા •••••••••••••••••••• .................... ૩૫ લિંગદ્વારની ગાથા..... ૩૬ સર્વગુણોની આધાર ક્ષમા ......... ૩૭ સમકિતના પાંચ લિંગ . ૩૮ શ્રદ્ધા દ્વારની ગાથા .................... ૩૯ ચાર પ્રકારની શ્રદ્ધા........................... ૪૦ છ આગારની ગાથા ......................................... ............. ૪૧ રાજાભિયોગ વિષે કાર્તિક શેઠની કથા .............. ૪૨ ગણાભિયોગ વિષે રંગાયણમલ્લની કથા .............. ૪૩ બલાભિયોગ વિષે જિનદેવની કથા ............... ૪૪ દેવાભિયોગ વિષે કુલપુત્રની કથા ................. ૪૫ ગુરુ નિગ્રહ વિષે દેવાનંદની કથા ............... ૪૬ સ્થાનક દ્વારની ગાથા ......... ૪૭ છ સ્થાનક ........ ૪૮ સમકિતના મહિમાની બે ગાથા............... ...... ૪૯ સમકિતીને કરવા યોગ્ય કૃત્યને દર્શાવનારી ગાથા ....................... ૫૦ સાત ક્ષેત્રની ગાથા ૫૧ જિનબિંબ નામનું પ્રથમ સ્થાન ................ પર પ્રતિમા પૂજાનું પ્રતિપાદન કરનારી ગાથા.......... પ૩ અષ્ટપ્રકારી પૂજાની ગાથા ........ ૫૪ પુષ્પપૂજા વિષે ધન્યાની કથા ૫૫ અષ્ટપ્રકારી પૂજાનું વર્ણન............................ પ૬ પૂજાનો પ્રભાવ દર્શાવનારી બે ગાથા ......... પ૭ શોકનું વિરોધાભાસ વર્ણન .............................. ૫૮ પૂજા કરનારને પ્રાપ્ત થતું ફળ .......... પ૯ નવી પ્રતિમા ભરાવવી અને પ્રાચીન પ્રતિમાની - રક્ષા કરવી તેનું પ્રતિપાદન કરનારી ગાથા ..... Page #10 -------------------------------------------------------------------------- ________________ .... .......... ૬૦ જિનયાત્રાનો મહિમા....... ૬૧ દેવદ્રવ્ય ભક્ષણ ને રક્ષણનું ફળ ................. ........ ૯૦ દર જિનભવન નામે બીજું સ્થાન........ ......... ૬૩ જિનાલયનું વર્ણન કરનારી દસ ગાથા ............. ૬૪ લક્ષ્મીના સવ્યય વિષે સંકાશની કથા....... ૬૫ સંપ્રતિ રાજાની કથા ................... ........................... ૬૬ જિનાલયનો નિર્વાહ કેવી રીતે કરવો તેના વિષે ગાથા........................૧૧૪ ૬૭ જિનાગમ નામે ત્રીજું દ્વાર દ્વાર .................••••••••••••• .....૧૧૫ ૬૮ આગમ તારનાર છે તે વિષે સાડાત્રણ ગાથા ................ .....૧૧૬ ૬૯ લૌકિક ધર્મ વિષે નાગદત્તની કથા............................................. ૧૧૬ ૭૦ લૌકિક અને લોકોત્તર ધર્મ ............ ........૧૧૮ ૭૧ દીપક. વિ. ની ઉપમા આપી આગમનો મહિમાયુક્ત ગાથા ૪૩-૫૩ ......... ૧૧૯ ૭૨ આગમ પ્રમાણ રૂપે છે તેના વિષે બે ગાથા.. .................૧૨૧ ૭૩ કર્મના આધારે આગમની અસર થાય છે તેને દર્શાવનારી ગાથા...............૧૨૨ ૭૪ માઠી અસર વિષે અભવ્ય વસુદત્તની કથા. ..૧૨૨ ૭૫ આગમની અવજ્ઞા કરનારા રખડપટ્ટી કરે તે વિષેની ગાથા.................... ૧૨૪ ૭૬ આગમની મહિમા ગાતી ગાથા........ ................. ૧૨૪ ૭૭ કાલદોષે અતિશાયગ્રંથની હાનિ અને તે વિષે કાલકાચાર્યની કથા.............૧૨૫ ૭૮ આગમના એક પદનો મહિમા ..............................૧૩૮ ૭૯ રોહિૌય ચોરની કથા ............... ••••••••••••••••••••............૧૩૮ ૮૦ વિધિનું મહત્વ............... ................................ ................૧૪૩ ૮૧ આગમના સાધન ............. ........ ૧૪૪ ૮૨ આગમ લખાવીને વાંચવા તેના સંબંધી ઉપદેશ. ........... .....૧૪૫ ૮૩ સાધુકૃત્ય નામે ચોથું સ્થાન......... •••••••••••••••.૧૪૭ ૮૪ વિનયનું વિવેચન ...... ...............૧૪૮ ૮૫ શુભચિત્તનો પ્રભાવ . ૧૪૯ ૮૬ સાધુ ભક્તિનું વર્ણન. ............... ......૧૫૦ ૮૭ દાનનો મહિમા ............. ૧૫૧ ૮૮ ચાર આહારની માહિતી ........... ...............૧૫૧ ૮૯ મૂળદેવની કથા ........ ૧૫ર ૯૦ દેવધર કથા . ..... ૧૬૫ Page #11 -------------------------------------------------------------------------- ________________ ૯૧ 'દેવદિને કથા ...... ૯૨ અભિનવશ્રેષ્ઠી કથા .......................... ૯૨ ધનસાર્થવાહ કથા............ ૯૩ ગ્રામચિંતક (નયસાર)ની કથા ૯૪ શ્રેયાંસ કથા. ૯૫ ચંદના કથા ................. ૯૬ દ્રોણક કથા...................... -૭ સંગમ કથા, ૯૮ કૃતપુણ્ય કથા.. ............. ૯૯ શય્યાદાનનો મહિમા ................. ૧૦૦ ચોવીશ પ્રકારના ધાન્ય... ૧૦૧ સાધુ ગુણોનું વર્ણન. ૧૦૨ યથોચિતકૃત્યનું વર્ણન. ૧૭૬ ........ ૧૮૭ ૧૮૮ ૧૯૦ ................................. ૧૯૨ .........૨૦૪ .......૨૧૧ .................૨૧૮ .....૨૨૩ ................ ૨૨૯ .............. ૨૨૯ ............... ૨૩૦ ................૨૩૨ શુતભક્તિ શ્રી પુરણ જૈન સંઘ (જ્ઞાનનિધિ)ના સૌજન્યથી આ ગ્રંથ પ્રગટ કરવામાં આવે છે. LT “શ્રુતભક્તિ” nos son શ્રી પુરણજૈન સંઘ જ્ઞાનનિધિ Page #12 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ | ગઈ નઈ નમઃ | શ્રી બુદ્ધિતિલકશાતિરનેશેખરગુરુભ્યો નમઃ શ્રી પ્રદ્યુમ્નસૂરિવિરચિત મૂલશુદ્ધિ પ્રકરણ” : વસ્તિત્વે ચૈતરી. ......... સન્ પ યોr I” આખું પૃથ્વી મંડલ ચલાયમાન થાય તે રીતે જે પ્રભુએ બાળપણમાં મેરુપર્વતને કંપાવીને ઇન્દ્રના મનમાં સમ્યકત્વ શુદ્ધ કર્યું, તે ચરમ જિનપતિ વર્ધમાન સ્વામીને નમીને સ્વગુરુ ચરણયુગલની સદ્ભક્તિના યોગથી સ્વશક્તિ પ્રમાણે મૂળશુદ્ધિની સ્પષ્ટ વ્યાખ્યા હું કરીશ... સુગૃહીત નામધેય ભગવાન શ્રીમદ્ પ્રદ્યુમ્નસૂરિએ શ્રાવક પ્રતિમાના સંક્ષિપ્ત - ટૂંક સ્વરૂપને જાણવાની બુદ્ધિવાળા શ્રાવકની વિનંતીથી ટૂંકાણમાં જ તેના સ્વરૂપને કહેવાની ઇચ્છાવાળા સર્વજ્ઞ પ્રભુએ ભાખેલ પ્રવચનમાં પ્રતિપાદન કરાયેલ વિવિધ ગોષ્ઠી વડે “મિથ્યાત્વ અંધકારના ઘાટા પડથી જેમનું આંતર (સમક્તિ) દર્શન ઢંકાઈ ગયું છે” એવા અનેક ભવ્ય જીવોને જાણીને (પ્રજ્ઞાપના વગેરે) શાસ્ત્રમાં એવા અનેક કથાનક-ઘટનાઓ-પદાર્થો બતાવ્યા છે કે જેના આધારે ખબર પડે છે કે અનેક ભવ્ય જીવો પણ મોહ અને અજ્ઞાનતાના કારણે મિથ્યાત્વના અંધારામાં અટવાઈ રહેલા છે. તેઓ માટે દર્શનપ્રતિમાનું સ્વરૂપ કિરણ સમાન છે, કારણ કે તેનાથી મિથ્યાત્વ અંધકાર ભાગી જાય છે. તેમને પ્રતિબોધ કરવા માટે સૂર્ય જેમ દેદીપ્યમાન કિરણ સમૂહને પ્રગટ કરે તેમ શરૂઆતમાં જ ટૂંકમાં દર્શનપ્રતિમાના સ્વરૂપને બતાવનાર મૂલશદ્ધિ નામનો ગ્રંથ રચવાનો આરંભ કર્યો છે. ઘણાં ભવ્ય જીવોને મિથ્યાત્વના અંધકારથી ઘેરાયેલા જોઈને તેમને બોધ પમાડવા સર્વજ્ઞ ભગવાને પ્રરૂપેલા શાસ્ત્રનાં પ્રતિપાદનના આધારે દર્શનની પ્રતિમાઓનું વિશેષ સ્વરૂપે પ્રગટ કરતું “મૂળશુદ્ધિ નામનું પ્રકરણ લખ્યું છે. આ પ્રકરણનું સ્થાનક એવું બીજું નામ છે અને સૂર્ય જેમ પ્રકાશ દ્વારા અંધકાર દૂર કરે, તેમ આ ગ્રંથ ભવ્યજીવોનો અજ્ઞાનનો અંધકાર નાશ કરે છે. આ ગ્રંથ સમ્યકત્વની શુદ્ધિ વગેરેનું પ્રતિપાદન કરતો હોવાથી સ્વર્ગ અપવર્ગ સાથે જોડાવામાં હેતુભૂત બને છે, તેથી કલ્યાણરૂપ છે. માટે તેમાં વિદ્ગો સંભવે છે કારણ કે કહ્યું છે કે મહાપુરૂષોના પણ શુભ કાર્યો ઘણાં વિપ્નવાળા હોય છે અને અકાર્ય પ્રસંગે [વિનનો નાશ કરનારા ગણેશો- વિનાયકો આવી જાય છે] વિનાયકો - વિજ્ઞકરનારા ક્યાય જતા રહે છે- નડતા નથી. તેથી વિનરૂપી વિરુદ્ધદેવની ઉપશાંતિ માટે મંગલ કરવું જરૂરી છે. પ્રયોજન વગેરેથી રહિત શાસ્ત્રમાં બુદ્ધિશાળી માણસો પ્રવૃત્તિ કરતાં નથી. કહ્યું છે કે... દરેક શાસ્ત્ર તેમજ કોઈપણ કાર્યનું જયાં સુધી પ્રયોજન દર્શાવીએ નહિ ત્યાં સુધી તેને કોણ ગ્રહણ કરે? જે શાસ્ત્રમાં રચવાનું પ્રયોજન અને શાસ્ત્રોનો સંબંધ પ્રારંભમાં બતાવ્યો હોય તેવાં શાસ્ત્રને સાંભળવા શ્રોતાઓ ઉત્સુક બને છે, તેથી શાસ્ત્રની શરૂઆતમાં પ્રયોજન સહિત સંબંધ કહેવો જોઈએ. પ્રયોજનના પ્રતિપાદન માટે અને વળી “શિષ્ટ પુરૂષો કોઈક ઈષ્ટ વસ્તુમાં પ્રવૃત્ત થતા ઈષ્ટ Page #13 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ દેવતાને નમસ્કાર કરે છે.” આવી શિષ્ય પરંપરાનું પાલન કરવું તે પણ ન્યાય યુક્ત છે. કારણ કહેવાય છે કે “શિષ્ટ પરંપરાના પાલન વિના કરાતી સુંદર શામ રચનાની પણ વિદ્વાનો પ્રશંસા કરતાં નથી. માટે તે પરંપરાનું સારી રીતે પાલન કરવું જોઈએ.” અને તેનાં પ્રતિપાલન માટે પહેલાં જ નમસ્કાર કહે છે वंदामि सव्वन्नुजिणिदवाणी पसनगंभीरपसत्थसत्था । जुत्तीजुया जे अभिनंदयंता नंदति सत्ता तह तं कुणता ॥१॥ ગાથાર્થ ને પ્રસન્ન ગંભીર અને પ્રશસ્ત શાસ્ત્રમય સર્વજ્ઞ-જિનેન્દ્રની વાણીને હું વંદન કરું છું. આ યુક્તિયુક્ત જિનવાણીનું અભિનંદન કરનાર અને પાલન કરનાર આત્માઓ આનંદ પામે છે. તે વ્યાખ્યા સંહિતા વિગેરેના ક્રમથી થાય છે. જે કારણે કીધું છે... શરૂઆતમાં વિદ્વાન પુરુષો અહીં પદોમાં સમુદિત પદવાળી સંહિતા કહે છે. ત્યાર પછી તે પદ અને પછી પદોનો અર્થ અને પછી પદોનો વિગ્રહ કહે છે, પછી નિપુણ તાર્કિકો વડે કહેવાયેલ શંકાઓ અને સમાધાન બતાવે છે. એ પ્રમાણે પંડિત પુરષોને માન્ય સુત્ર વ્યાખ્યા છ પ્રકારે થાય છે, પણ - ત્યાં સ્કૂલના વિના (એક સાથે) પદોનું ઉચ્ચારણ કરવું તે સંહિતા કહેવાય છે. “સર્વજ્ઞ, જિનેન્દ્રની, વાણીને, વાંદુ છું.” આમ છુટા છુટા પદોનું કહેવું છે તે પદ. પદાર્થ એટલે વન્દ = સ્તુતિ કરું છું; કોને - સર્વજ્ઞ જિનેન્દ્રની વાણીને સર્વજ્ઞ = સર્વ સમસ્ત સ્વપર પર્યાયના ભેદથી ઘણા પ્રકારના પદાર્થ સમૂહને જાણે છે તે, એટલે કે સર્વ જાણનાર, જિન = રાગાદિ શત્રુને જીતનાર એટલે સામાન્ય કેવળીઓ તેઓના ઇ-નાયક તે જિનેન્દ્ર, ઇન્દનાતુ = આઠ મહાપ્રાતિહાર્ય વિગેરે ઐશ્વર્યથી યુક્ત હોવાથી ઈન્દ્ર એટલે તીર્થકર સર્વજ્ઞ એવાં જિનેશ્વર તેઓની વાણી અંગ, અંગબાહ્ય વિગેરે અનેક પ્રકારની છે. વળી તે કેવી છે ? પ્રસન્ન-સુખપૂર્વક સમજી શકાય તેવી, ગંભીર = દણ જીવાદિ ગંભીર પદાર્થના કારણે બીજાઓવડે પાર ન પામી શકાય તેવી ગંભીર જીવ-અજીવધર્માસ્તિકાય વગેરેનું ઉંડાણ ભરેલુ જ્ઞાન એમાં કહેલું છે. હિંસાદિનું નિવારણ કરનાર હોવાથી પ્રશસ્ત શાસવાળી અથવા પ્રસન્ન એટલે ક્રોધાદિના જયથી ઉત્તમ ઉપશમરસવાળા ગંભીર = શ્રુતકેવલી હોવાથી અન્ય વડે જેનાં મધ્ય ઊંડાણની પ્રાપ્તિ ના થઈ શકે તેવા અને સમસ્ત મંગલના આવાસભૂત એવા ગણધર ભગવતોએ જે વાણીને ગૂંથી છે; એવી યુક્તિયુક્ત જિનવાણીને હું વાંદુ છું. નહિ કે પુરાણાદિની જેમ માત્ર આજ્ઞાસિદ્ધા; એટલે કે “આ તો સર્વ ઇશ્વરની લીલા છે.” એમાં આપણે કોઈ યુક્તિ લગાડવાની નથી. પુરાણ શાસ્ત્રીઓ વડે કહેવાયું છે કે.. “પુરાણ, મનુએ બનાવેલી સ્મૃતિઓ; અંગ સહિત વેદ અને આયુર્વેદ - ચિકિત્સા આ ચારે આજ્ઞાસિદ્ધ છે. તેઓને યુક્તિઓ વડે હણવા ન જોઈએ. દા. આ કહેવા દ્વારા “તેઆ= પુરાણ વિ. યુક્તિ પરીક્ષામાં સમર્થ નથી” એવું જાહેર થાય છે, કહ્યું છે જો કાંઈક કહેવાની ઇચ્છાશક્તિ હોય તો તેણે આ વિચારવું ન જોઈએ, એટલે પોતાની વાત સાચી હોય તો “આના વિશે મને કોઈક પૂછશે તો હું શું જવાબ આપીશ” એવો ડર ન બતાવે. જો સોનું શુદ્ધ હોય તો પરીક્ષાથી શા માટે ડરે ? Iણા Page #14 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ પ્રશ્ન – “વ્યનુનિ - વાઘ” વગેરે કર્મ હોવાથી દ્વિતીયા વિભક્તિ થાય, તેથી અનુસ્વાર આવવો જોઈએ ને ? જવાબનીયા લોવમ ભૂયા ય આણિય” ઈત્યાદિ પ્રાકૃતના સૂત્ર-લક્ષણથી અહીં અને આગળ પણ = અનુસ્વારનો લોપ થયેલો જાણવો, મૂળગાથા - તથા તેની સ્તુતિ કરતાં તથા તેમાં કહેલ અનુષ્ઠાન કરવાથી પ્રાણીઓ આનંદ પામે છે. એટલે કે તેઓ મનુષ્ય દેવ અને અપવર્ગનાં સુખસમૃદ્ધિની પ્રાપ્તિથી સમૃદ્ધ બને છે. આ પદાર્થ કહ્યો. પદવિગ્રહ પણ પદાર્થની સાથે કહી દીધો હોવાથી જુદો કહેતાં નથી. અત્યારે “ચાલના = શંકા, પ્રત્યવસ્થાન = સમાધાન” સાથે જ કહેવાય છે. સર્વજ્ઞ જિનેન્દ્ર જિનચંદ્ર એમ ત્રણ પદો શા માટે ગ્રહણ કર્યા? સર્વજ્ઞ કહેવાથી જિનની પ્રાપ્તિ થઈ જાય છે, કારણ કે સર્વ અત્યંતર શત્રુના વિજય વડે જ સર્વજ્ઞનું સર્વજ્ઞપણું ઉપપન્ન થઈ ઘટી શકે. આવી શંકા ન કરવી, કારણ કે વિષ્ણુ, શંકર, બ્રહ્મા, વિગેરેને પણ બીજાઓ સર્વજ્ઞ તરીકે સ્વીકારે છે. તો પણ તેઓની વાણીમાં શ્રદ્ધા ના થાઓ ! એથી તેનાં નિષેધ માટે જિનપદ ગ્રહણ કર્યું છે. તેઓના આંતરશત્રુ નાશ નથી પામ્યા, તો પછી સર્વજ્ઞ જિન આટલું રાખોને ઇન્દ્ર પદ વધારાનું લાગે છે કારણ કે સર્વજ્ઞ જિનો શેષ દેવોની અપેક્ષાએ ઇન્દ્ર છે જ, વાત સાચી છે, પરંતુ સામાન્ય કેવલીઓ પણ સર્વજ્ઞ જિન સાથે આવ્યભિચારી છે, તેથી તીર્થંકરની પ્રતીતિ માટે ઇન્દ્ર પદનું ઉપાદાન કરેલ જો એમ હોય તો સર્વશે આટલું જ રાખો જિન એ નકામું છે, સર્વન્દ્ર અન્તરશત્રનાં વિજયથી જિન તો હોય જ છે. આ બરાબર છે. પરંતુ શિવ વિષ્ણુ બ્રહ્માને પણ તે પક્ષવાળાઓએ સર્વન્દ્ર તરીકે સ્વીકારેલાં છે. તેનાં નિષેધ માટે જિનપદ મૂક્યું છે. એ પ્રમાણે તો “સર્વશ એ પદ ફોગટ થશે. કારણ કે જિનેન્દ્ર સર્વજ્ઞથી ભિન્ન નથી. સાચી વાત છે, પરંતુ શ્રુત-સામાન્ય અવધિજ્ઞાની અને ઋજુમતિમન:પર્યવજ્ઞાની રૂપ જિનની અપેક્ષાએ પરમાવધિ, વિપુલમતિ મન:પર્યવજ્ઞાની રૂપ જિનેન્દ્ર હોવાથી તેઓમાં સંપ્રત્યય ન થાય એટલે કે “તેઓ જિનેન્દ્ર છે” એવો દૃઢ વિશ્વાસ ન થાય માટે સર્વપદ મૂક્યું છે. એમ અન્ય ઠેકાણે પણ ચાલના અને પ્રત્યવસ્થાના વિચારી લેવાં. અહીં “વન્દામિ' ઇત્યાદિ નમસ્કાર પાપપંક ધોનાર હોવાથી મંગલરૂપે છે અને મંગલ વિજ્ઞનાશક હોવાથી “વિઘ્ન દૂર થાય છે” એમ કીધું. ઐહિક પ્રયોજન શ્રોતાને શાસ્ત્ર બોધ છે અને કર્તાનું ઐહિક પ્રયોજન સત્ત્વનો ઉપકાર, પરલોક સંબંધી પ્રયોજન ઉભયની સ્વર્ગ-અપવર્ગની પ્રાપ્તિ છે, તે અહીં “નન્દન્તિ' આ પદ વડે પ્રતિપાદન કરેલું જાણવું, (આનંદ પામે છે, એ ક્યારે બને - જો તેને સારી ગતિ મળે તો જ શક્ય છે.) વળી આ પ્રકરણનું અભિધેય સમ્યકત્વની શુદ્ધિ વિગેરે છે, તે “અભિનન્દન્ત” પદથી જણાવી છે. (પ્રભુબિમ્બ જોઈ હરખાવું એનાથી સમક્તિની નિર્મળતા જણાઈ આવે છે.) આ કથનથી આગમ વિજ્ઞ નાશ કરનાર છે તેથી વિપ્નની શંકા દૂર થાય છે. કુર્વન્તપદથી તદુક્ત અનુષ્ઠાન કરવાનું દર્શાવવા દ્વારા અભિધેય કહેવાયું છે. એમ બને પદો દ્વારા અભિધેય કહ્યું. વચનરૂપને પામેલ આ શાસ્ત્ર તે ઉપાય છે અને દર્શન શુદ્ધિ વિગેરે ઉપેય હોવાથી ઉપાયોપેય સ્વરૂપ સંબંધ સામર્થ્યથી કહેલો જાણવો. આ પ્રમાણે પ્રથમ ગાથાનો અર્થ થયો. ૧ાા. Page #15 -------------------------------------------------------------------------- ________________ ‘યામ્ અભિનન્તયન્ત' == મૂળશુદ્ધિ ભાગ-૧ આનાથી “સમ્યક્ત્વની શુદ્ધિ વિગેરે કહીશ” એમ સૂચવ્યું છે. તે સમ્યક્ત્વ નિસર્ગ અને અધિગમથી થાય છે. તેમાં દુષમકાળના લોકો ગાઢ મિથ્યાત્વમળના પડલથી અવરાયેલા હોવાથી તેઓને નિસર્ગ-સહજતાથી સમક્તિ પ્રાપ્ત થવું મુશ્કેલ છે. ગુરુ ઉપદેશથી અત્યારે પ્રાયઃ કરીને સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે માટે ગુરુ ઉપદેશ જ શરૂઆતમાં કહે છે. जिणाण धम्मं मणसा मुणेत्ता, सो चेव वायाऍ पभासियव्वो । काएण सो चेव य फासियव्वो, एसोवएसो पयडो गुरूणं ॥२॥ ગાથાર્થ → જિનનો ધર્મ મનથી જાણી તે જ વાણીથી કહેવાનો છે અને કાયાથી તે જ સ્પર્શવો જોઈએ. આ ગુરુનો પ્રગટ ઉપદેશ છે. જિના : રાગાદિ શત્રુનો જય પામેલા – તેઓનો ધર્મ-શ્રુત અને ચારિત્રરૂપે છે. ત્યાં દુર્ગતિમાં પડતા પ્રાણીસમૂહને રોકી રાખવાથી અને સુગતિમાં ધારવાથી ધર્મ કહેવાય છે. કીધું છે કે... દુર્ગતિ ભણી આગળ વધેલાં (ધસી રહેલાં) પ્રાણીઓને જેનાથી ધારણ કરાય છે. ત્યારપછી તેઓને શુભસ્થાનમાં ધારે તે કારણથી તે ધર્મ કહેવાય છે. ૪ એથી તેને (ધર્મને) મનથી માની-જાણી એટલે માત્ર કાનથી સાંભળી લેવાથી કશું ન વળે, તેમજ વચનથી બીજાની આગળ કહેવો. તત્ શબ્દ પૂર્વે કહેલ ધર્મનો વાચક છે. એવ શબ્દ અવધારણજકારમાં છે. તે અવધારણ આ પ્રમાણે કરાય છે. જિનધર્મ જ કહેવો જોઈએ,” પણ બૌદ્ધ, સાંખ્ય વિગેરેના ધર્મને ન કહેવો. જેથી પરમગુરુ વડે શ્રાવકવર્ણકમાં કહેવાયું છે કે... હે દેવાનુપ્રિય ! નિગ્રંથ પ્રવચન આ અર્થ છે, પરમાર્થ છે, શેષ અનર્થક છે. “મનથી શ્રદ્ધા કરી વચનથી કહેવો” આના વડે શ્રુતધર્મ કહ્યો, કારણ કે તે વાણીનો વિષય છે. સર્વજ્ઞ ભાષિત જે પ્રવચન છે તે જ્યારે વચન-મનનો વિષય બને ત્યારે શ્વેત ધર્મ, મનથી પણ તે જ શબ્દોની વિચારણા કરવી પડે છે, શરીરથી તે જ ધર્મ આચરવો જોઈએ. અહીં પણ તત્ શબ્દ પૂર્વની જેમ ધર્મ વાચક છે. ‘ચ' તે સમુચ્ચયમાં જાણવો. ‘એવ' તે અવધારણ ‘જકાર’માં છે અને કાયામાં આવે ત્યારે ચારિત્ર ધર્મ બને છે. આના વડે ચારિત્રધર્મ કીધો. કારણ તે ક્રિયારૂપ છે. બીજો ‘ચકાર' નહિ કહેલાના સંગ્રહ માટે છે. તે શરૂઆતમાં આગમ સાંભળવું, પછી મનન કરવું પછી શેષ આચરણ વિગેરે કરવું.” આનો સમુચ્ચય કરે છે. આ તરત કહેલો ઉપદેશ યથાવસ્થિત શાસ્ત્રના અર્થની પ્રરૂપણા કરનારાં ગુરુઓનો પ્રસિદ્ધ છે. આદિમાં આગમ શ્રવણ કરવું. તેનું કથન કર્યું; હવે તે મહાકલ્યાણકારી છે. તે કહે છે... सिद्धंतसाराइँ निसामयंता, सम्मं सगासे मुणिपुंगवाणं । पावेंति कल्लाणपरंपराओ, गुणंधरा हुंति वयंति सिद्धिं ॥ ३ ॥ ગાથાર્થ → સર્વશ પ્રભુએ ભાખેલા સૂક્ષ્મપદાર્થોને વિનયાદિ ક્રમથી પ્રવચન ધુરંધર પાસે સાંભળતા (જીવાત્મા) કલ્યાણપરંપરા પામે છે, અને ગુણધારી બની સિદ્ધિ પામે છે. વિનયવાળા મુનિને સૂરિઓ શ્રુત આપે તેમાં શું આશ્ચર્ય ? સુવર્ણના થાળમાં કોણ ભિક્ષા ન આપે ? દુર્વિનીત શિષ્યને વિનય કરવાનો કશો પણ ઉપદેશ કોઈ આપતું નથી. કપાયેલા કાન Page #16 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ અને હાથવાળાને આભરણો પણ નથી અપાતા. (૯/૧૦) પ્રવચન - શાસનની ધુરા ધારનારા સૂરિઓ પાસે શ્રુત સાંભળનારને ઉત્તરોત્તર શુભ પરંપરા પ્રાપ્ત થાય છે. ...જિનવાણી બુદ્ધિની મૂઢતા હરે છે. કુમાર્ગનો છેદ કરે છે. સંવેગને પ્રાપ્ત કરાવે છે. અનુરાગ ઉત્પન્ન કરે છે. ઘણો હર્ષ આપે છે. જિનવચન સાંભળવાથી એવું શું છે કે જે ન આપે ?. (૧૧) કલ્યાણ પરંપરાને પ્રાપ્ત કરનારા પ્રાણીઓ જ્ઞાનાદિક અને સાત્તિ વગેરે ગુણોને ધારણ કરનારા થાય છે. ગુણંધરા અહીં પૂર્વ પેઠે અનુસ્વાર પ્રાકૃત હોવાથી થયો છે અને ગુણધરા-ગુણધારી થઈ મોક્ષમાં જાય છે. ૩ | સમ્યગ્દર્શનની પ્રાપ્તિનો ઉપાય કહીને તેનો સ્વીકારવાનો કમ ગાથા વડે કહે છે. समणोवासगो तत्थ, मिच्छत्ताओ पडिक्कमे । दव्वओ भावओ पुट्वि, सम्मत्तं पडिवज्जइ ॥ ४ ॥ ગાથાર્થ ને ત્યાં શ્રાવક મિથ્યાત્વથી પાછો હઠી પ્રથમ દ્રવ્ય અને ભાવથી સમક્તિને સ્વીકારે છે, શ્રમ કરે તે શ્રમણ. તેઓનો ઉપાસક-સેવક-તે શ્રમણોપાસક, તથા “ભક્તિભાવથી ભરેલાં અંગવાળો શ્રતધર્મનો અર્થી ત્રણે કાલ દરરોજ જે યતિને સેવે છે. તેને શ્રમણોપાસક” = શ્રાવક કહેવાય છે. (૧૨) તત્ય - તત્ર શબ્દ ઉલ્લેપ = ઉમેરાના અર્થમાં છે. મિથ્યાત્વ : અદેવાદિમાં દેવત્વાદિની શ્રદ્ધા કરવી તે. એટલે અદેવને દેવ, અસાધુને સાધુ, અતત્ત્વને તત્ત્વ એમ વિપરીત બુદ્ધિના કારણે તે મિથ્યાત્વ કહેવાય. (૧૨) | મિથ્યાત્વથી પાછું જવું. એટલે દ્રવ્યથી બાહ્યવૃત્તિથી મિથ્યાત્વના કાર્યનો ત્યાગ કરવો એટલે તત્સંબંધી આચરણ છોડી દેવા અને ભાવથી એટલે તેનો ચિત્તમાં સ્વીકાર ન કરવાથી મિથ્યાત્વ વિપરીત સમક્તિનો અણુવ્રતની પૂર્વે સ્વીકાર થાય | કરાય છે. “કાકાલિગોલક” ન્યાયથી પૂર્વ શબ્દનો દ્રવ્યતઃ ભાવતઃ ઉભયમાં સંબંધ જોડાય છે; તેથી દ્રવ્યથી ચૈત્યવંદનાદિ ક્રિયા કરવાથી અને ભાવથી એકાગ્ર ચિત્તથી અણુવ્રતની પૂર્વે સમ્યકત્વને (શ્રાવક) સ્વીકારે છે. એ પ્રમાણે શ્લોકનો અર્થ થયો. | ૪ || સમક્તિ સ્વીકારનારને જે જે ન કહ્યું તેને બે ગાથા વડે કહે છે. न कप्पए से परतित्थियाणं, तहेव तेसिं चिय देवयाणं । परिग्गहे ताण य चेइयाणं, परभावणा-वंदण-पूयणाइं ॥ ५ ॥ लोगाण तित्थेसु सिणाण दाणं, पिंडप्पयाणं हुणणं तवं च । संकंति-सोमग्गहणाइएसुं, पभूयलोगाण पवाहकिच्चं ॥६॥ ગાથાર્થ – પરતીર્થિકોને વંદનાદિ કરવા ન કલ્પે એ પ્રમાણે સંબંધ છે. સમદ્રષ્ટિએ અન્યદર્શનીઓને વંદન કરવા નહિ. અન્યદર્શની-મિથ્યાદષ્ટિઓ અને એમનાં દેવોને કે એમનાં દ્વારા કલ્પે કરાયેલાં જિનચૈત્યોની પ્રશંસા-પ્રણામ-પૂજા-સ્નાત્ર-યાત્રા વિગેરે ન કરવું ૫ લૌકિક તીર્થોમાં અને સંક્રાન્તિ-ચન્દ્રગ્રહણ વિગેરેના અવસરે સ્નાન, દાન, પિડપ્રદાન, હવન Page #17 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ તપ વિગેરે કરવું ન કલ્પે, કારણ કે ઘણાં લોકોનું કાર્ય અજ્ઞાનથી ઊભું થયેલું હોય છે. ॥ ૬ ॥ સમ્યક્ત્વનાં આલાવામાં કહ્યું છે.. આજથી માંડી અન્યદર્શનીઓને કે અન્યતીર્થિકનાં દેવતાને અથવા અન્યતીર્થીકોવડે ગૃહીત જિનચૈત્યને વંદન કરવું, નમસ્કાર કરવો, બોલાવ્યા વિના પહેલાં બોલવું, તેઓને અશન પાન ખાદિમ સ્વાદિમ દેવું, અનુપ્રદાન કરવું, તેઓને સુગંધિમાલા વિગેરે આપવું ન કલ્પે. આ પ્રમાણે આવશ્યક સૂત્રમાં રહેલાં પ્રત્યાખ્યાન અધ્યયનમાં કીધું છે. તથા આ પણ ન કલ્પે-મિથ્યાદ્રષ્ટિઓનાં લૌકિક તીર્થોમાં - વારાણસી, ગયા વિગેરે લૌકિક તીર્થોમાં જઈને સ્નાન, દાન, પિતાનિમિત્ત કલ્પેલ ભાતરૂપ પિંડમાં પાણી વિગેરે નાંખવું તે રૂપ પિંડપ્રદાન; અગ્નિમાં આહુતિ નાંખવારૂપ હવન; તપ = તીર્થોપવાસ વિગેરેનું કરવું. (ચ સમુચ્ચયમાં છે.) (સ્નાનાદીનિ ‘ડમરૂકમધ્ય ગ્રન્થિ’ ન્યાયથી ઉભયમાં જોડાય છે. એથી લૌકિક તીર્થોમાં તેમ જ સંક્રાન્તિમાં અને ચંદ્રગ્રહણ વગેરેમાં સ્નાનાદિ ન કલ્પે. સંક્રાંતિ=સૂર્યનું અન્ય રાશિમાં સંક્રમણ; ચન્દ્રગ્રહણ-ચંદ્રવિમાનને જ્યારે રાહુ વિમાન આવરે અહીં ‘ચ' શબ્દથી સૂર્યગ્રહણ, અમાવસ્યા, ભયંકર ઉત્પાત વિગેરે જાણવા. શંકા - આ કેમ ના કલ્પે ? સમાધાન - ઘણાં લોકોના પ્રવાહથી થતું કાર્ય ગાડરિયા પ્રવાહની જેમ અજ્ઞાન સ્વરૂપ છે માટે. તામ્રભાજન હારેલ બ્રાહ્મણ જેમ કોઈ બ્રાહ્મણ તળાવમાં ગયો અને તે ન્હાવા માટે ઉતરવાની ઇચ્છાવાળો હાથમાં રહેલાં તાંબાના વાસણને એક ઠેકાણે મૂકી ઓળખાણ માટે ઉપર રેતીનો ઢગલો કરીને તળાવમાં પ્રવેશ્યો. આ બાજુ જાત્રા માટે આવેલા લોકો વિચારવા લાગ્યા “જેમ આ લાંબી ચોટીવાળો બ્રાહ્મણ વિદ્વાન વેદ જાણનાર-ઘણું જાણનાર એ પ્રમાણે કરે છે.” તેથી લાગે છે કે એમ કરવામાં મોટું ફળ પ્રાપ્ત થતું હશે.” તેથી સર્વ લોકો રેતીનો ઢગલો કરીને સ્નાન માટે ઉતર્યા અને તે બ્રાહ્મણ સ્નાન કરી નીકળેલો જ્યારે તાંબાના વાસણવાળા ઢગલાને દેખવા જાય છે. ત્યારે કરેલા અને કરાતા ઘણા ઢગલાઓ દેખે છે. તેથી પોતાનાં ઢગલાને નહિં જાણતો એટલે કે નહિં ઓળખવાથી દુ:ખી થયો. ત્યારે મિત્રે કીધું કે હે મિત્ર ! ધર્મનો અર્થી તું ઘરેથી આવેલો અને અહીં તીર્થમાં ન્હાઈને આવ્યો તો હમણાં અચાનક ખેદ કેમ પામ્યો ? ત્યારે તેણે કહ્યું લોક ગતાનુગતિક છે, પણ લોકો વાસ્તવિકતા જાણતા નથી. તું લોકની મૂર્ખતા. દેખ. જેથી મેં તામ્રભાજન ખોયું. (૧૪) આવો લોકનો પ્રવાહ છે. એ પ્રમાણે બે ગાથાનો અર્થ થયો. || ૫ || || ૬ ॥ હવે સમક્તિનાં જ ભૂષણ વિગેરે કહેવાની ઇચ્છાવાળા પદ્ય દ્વારા ઉત્કેપને = મુખ્ય પદાર્થને કહે છે... पंचेव सम्मत्तविभूसणाइं, हवंति पंचेव य दूसणाई । નિરૂં પંચ = (q) ૩ સદ્દદ્દાળ, છ વિડિયા છે— વંતિ વાળા ગા ગાથાર્થ → સમક્તિનાં આભરણ સરખા પાંચ ભૂષણ છે. વિકૃતિ ઉત્પન્ન કરનારાં પાંચ દૂષણ છે. પાંચ લિંગ છે. ચાર શ્રદ્ધા સ્થાન છે. એટલે જેઓ વડે વિદ્યમાન સમક્તિની શ્રદ્ધા કરાય છે. પ્રાકૃત હોવાથી એક વચન નિર્દેશ કર્યો છે. છ અપવાદો-છૂટ છે. છ સમક્તિના સ્થાન છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ આદ્રકુમારકથા પ્રાકૃત હોવાથી પુલ્લિગ નિર્દેશ; “હવત્તિ' એ ક્રિયાનું બીજીવાર પ્રહણ તો “આદિ અન્તનું ગ્રહણ કરતાં મધ્યમનું ગ્રહણ થાય છે.” એ ન્યાય દર્શાવવા માટે છે. અત્યારે “જેવો ઉદ્દેશ તેવો નિર્દેશ” આ ન્યાયને આશ્રયી પ્રથમ સમક્તિના ભૂષણોને ગાથા વડે કહે છે. कोसल्लया मो जिणसासणम्मि, पभावणा तित्थनिसेवणा य । । भत्ती थिरत्तं च गुणा पसत्था, सम्मत्तमेए हु विभूसयंति ॥८॥ ગાથાર્થ – જિનશાસનમાં કુશલતા, પ્રભાવના, તીર્થસેવા, ભક્તિ અને સ્થિરતા આ પ્રશસ્ત ગુણો સમક્તિને વિભૂષિત કરે છે. આ કુશળતા જેમ અભયકુમાર વડે આકુમારના પ્રતિબોધ માટે કરાઈ, તે પ્રમાણે કરવી જોઈએ. તે સમક્તિની શોભા માટે થાય છે. જો કે સૂત્રમાં કથા ન કહી છતાં મુગ્ધજનના બાળજીવોના ઉપકાર માટે કહેવાય છે. (“આદ્રકુમારની કથા . આ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રના મધ્યખંડમાં મગધ નામનો દેશ છે, તે દેશ સેંકડો આશ્ચર્યોથી યુક્ત, આનંદમાં રહેનારા લોકોથી ભરપુર, દુઃખે ધારણ કરી શકાય તેવા ધર્મના અગ્રેસર જિનેશ્વર અને ગણધરના ચરણસ્પર્શથી પવિત્ર, ધન-ધાન્ય, સમૃદ્ધિથી ઘણો જ મનોહર છે. ત્યાં રાજગૃહ નામનું નગર છે. તે નગર નગરયોગ્ય ગુણોનો રાજા = ગુણોનું સ્થાન, પૃથ્વીરૂપી સ્ત્રીનું તિલકસમાન, દશેદિશામાં પ્રકાશ કરનારું-પ્રસિદ્ધિ પામેલું છે. જે નંદનવન જેમ મોટા વૃક્ષોથી અલંકૃત હોય, તેમ મોટા ઘરોથી કે મોટા કિલ્લાથી અલંકૃત; વિજયદ્વારને જેમ પાછળ અર્ગલાઆગળો હોય તેમ ખાઈથી પરિવરેલ; મેરુની જેમ કલ્યાણનું સ્થાન; કૈલાસનું શિખર જેમ શિવશંકરનું સ્થાન છે, તેમ આ દેવમંદિરોનું સ્થાન છે. દેવલોકની ભૂમિ દેવ સમૂહથી સુશોભિત હોય છે, તેમ અનેક દેવ દેવીના સમૂહથી શોભિત (પ્રભુ, તપસ્વીઓના પ્રભાવથી ત્યાં દેવો આવતા જ હોય છે.) ગગન જેમ ચિત્રા નક્ષત્રથી શોભિત હો તેમ આશ્ચર્યથી શોભિત; મહાકુલ જેમ ઘણાં સ્વજનોથી યુક્ત હોય તેમ ઘણાં સજ્જનોથી વ્યાપ્ત, ઘણું કહેવા વડે શું... ? શ્રેષ્ઠ રાજમાર્ગ, ચૌટા, સંઘાટક, ત્રણ-ચાર રસ્તાથી સુંદર રીતે વિભક્ત થયેલું, હાટ, પરબ, સભા, ઉપવન, સરોવર, વાવડી, કૂવાથી રમ્ય એવા દેવનગરી સરખા તે શ્રેષ્ઠ નગરને ગર્વિષ્ઠ રાજારૂપી હસ્તિનો નાશ કરવામાં સિંહસમાન બાહ્ય ઉપદ્રવ અને આંતરિક ઉપદ્રવને શાંત કરવા પૂર્વક શ્રેણિકરાજા પરિપાલન કરે છે. આ શ્રેણિક મહારાજા મહાવિદેહની જેમ શ્રેષ્ઠ વિજયથી યુક્ત, માનસરોવરની જેમ સદા રાજારૂપી રાજહંસોથી સેવાયેલો. વિષ્ણુની જેમ સુદર્શન ચક્ર (સમક્તિ દર્શન) ધારણ કરનારો, અરુણોદય વખતે લાલ ઘેરાવો થાય છે તેમ રક્ત-અનુરાગી મંત્રી પુરોહિત ઇત્યાદિના મંડલવાળો, બ્રહ્માની ઉત્પત્તિ કમલમાંથી થઈ હોવાથી કમલના સ્થાનવાળા છે તેમ (કમલા-લક્ષ્મી)નું સ્થાન, ચંદ્રની જેમ સર્વ લોકોના નેત્રોને આનંદ આપનાર છે. આ શ્રેણિકને સુનંદા અને ચલ્લણા નામની બે રાણીઓ છે. આ રાણીઓ પ્રિય બોલનારી, Page #19 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ સુરૂપવાળી, વિજ્ઞાન, વિનય, સમ્યક્ત્વ, સત્ત્વ અને ચારિત્રયુક્ત, સૌભાગ્યથી ગર્વિષ્ઠ, પાંચ અણુવ્રત અને ગુણવ્રત ધારણ કરનારી તેમજ રાજાને ઘણી જ પ્રિય છે ! તેમાં સુનંદાને અભયકુમાર નામે પુત્ર છે. જે પોતાની બુદ્ધિનાં માહાત્મ્યથી બૃહસ્પતિનો તોલ કરનાર પાંચસો મંત્રીનો પ્રધાન, સંપૂર્ણ મહારાજ્યનો ભારવહન કરવામાં અતિ ઉત્તમ બળદ સમાન છે. પાંચ પ્રકારનાં મન અને ઇન્દ્રિય સંબંધી વિષયસુખ અનુભવતા, ધર્મ અને અર્થને ઉપાર્જન કરતા, શ્રી શ્રમણસંઘનીં પૂજામાં તત્પર રહેતાં, વીર પ્રભુની આરાધના કરતાં તેઓનો કાળ પસાર થઈ રહ્યો છે.” ८ આ બાજુ સમુદ્ર મધ્યે રહેલો આર્વક નામનો દેશ છે. તેમાં આર્દ્રકપુર નામનું નગર છે. ત્યાં પ્રણામ કરતાં અનેક મોટા સામંત-ખંડિયા રાજાના મસ્તકના મુકુટ મણિયોથી સાફ કરાયેલ પાદ પીઠવાળો આર્દક નામે રાજા છે. તેને રૂપાદિ ગુણગણથી દેવસુંદરીનો તિરસ્કાર કરનારી આર્દ્રકા નામની રાણી છે. તેઓનો પ્રધાન હારની જેમ હારમાં ગુણ-દોરો હોય છે, ઝેર વગેરેની પીડાતાપનો નાશ કરે છે, સત્ સુંદરકાંતિનું સ્થાન, સુંદર એકદમ ગોળાકાર પ્રધાન એક જ હાર હાથમાં આવતા અનેક નરનારીને આશ્વાસન મળે છે, ભેળસેળ ન હોવાથી તેમા કશી ખોટ હોતી નથી. તેઓ ગુણસમૂહનો આવાસ, પ્રાણીઓના સંતાપનો નાશ કરનાર, સુંદર કાંતિનો નિવાસ, સદાચારનો આશ્રય, ઘણાં નરનારીઓનાં હૃદયને આશ્વાસન આપનાર, અતિશુદ્ધપણાથી દોષરહિત આર્દ્રકકુમાર નામે પુત્ર છે અને તે જન્માંતરમાં ઉપાર્જિત વિશિષ્ટ સુખને અનુભવતો રહેલો છે. આ બાજુ શ્રેણિક રાજા અને આર્દ્રક રાજાની પૂર્વપુરુષની પરંપરાથી આવેલી પ્રીતિનાં પાલન માટે દ૨૨ોજ પરસ્પર પ્રધાન ભેટ-સોગાત મોકલવા વડે કાળ પસાર થાય છે. એક વખત શ્રેણીક રાજાએ મોકલેલો મોટો દરબારી (મંત્રી) આવ્યો અને તેણે પ્રતિહારને મોકલી નિવેદન કરાવ્યું કે હે દેવ ! શ્રેણિક રાજાનો પ્રતિનિધિ દ્વાર ઉપર ઊભો છે. તે સાંભળી સ્નેહરસને ધારણ કરતાં પ્રગટ ભેદાતાં રોમાંચ કચ્ચુકવાળા રાજા વડે કહેવાયું કે “જલ્દી પ્રવેશ કરાવ” એ પ્રમાણેના વચન પછી મંત્રીએ તરતજ પ્રવેશ કર્યો. પ્રણામ કરી, આપેલાં આસન ઉપર બેઠો. રાજાએ યથોચિત તાંબૂલ વિગેરે આપવા વડે તેને સન્માનિત કરી અને કીધું કે ઓ ! પ્રતિનિધિ ! સપરિવાર મહારાજા શ્રેણિક કુશલ છે ? તેણે કીધું કે દેવ ! કુશલ છે. ત્યાર પછી પ્રતિનિધિએ શ્રેષ્ઠ વસ્ત્ર, કાંબલ, નિંબપત્ર, ચંદરવો વિગેરે ઉપહાર રાજાને સમર્પિત કર્યા. અને તે દેખી રાજાએ કહ્યું કે શ્રેણીક રાજાને મૂકી અમારે અન્ય કોણ પરમ બાંધવ છે ? ત્યારે પોતાના પિતાના અત્યંત સ્નેહ સંભ્રમ સારવાળા વચનો સાંભળીને આર્દ્રકુમારે કીધું કે તાત ! આ શ્રેણીક મહારાજ કોણ છે ? તેથી રાજાએ કીધું કે હે પુત્ર ! મગદેશનો અધિપતિ પોતે મહાશાસનવાળો રાજા છે અને તેની સાથે આપણી કુલક્રમથી આવેલી ગાઢ પ્રીતિ છે. અને તેનો આ પ્રતિનિધિ ભેટણાઓ લઈ આવેલો છે. ત્યારપછી પ્રતિનિધિને ઉદ્દેશી આર્દકકુમારે પૂછ્યું ભો ! તમારા સ્વામીને કોઈ યોગ્ય પુત્ર છે ? તે સાંભળીને હર્ષપૂર્વક મહંતે કીધું. તે શ્રેણીક રાજાને અભયકુમાર નામે રાજપુત્ર છે. આ અભયકુમાર ઔત્પાતિક વિગેરે ચાર પ્રકારની બુદ્ધિથી યુક્ત, પાંચસો મંત્રીઓનો સ્વામી, શૂર, સરળ, સુભગ પ્રિય બોલનાર, પહેલાથી બોલાવનાર એટલે નમ્ર હોવાથી સામેથી બોલાવનાર ॥ ૮ II દક્ષ, કૃતજ્ઞ, જ્ઞેય શાસ્રમાં પારંગત, કલાકુશલ, વિજ્ઞાન, વિનય, લજ્જા, દાન, દયા, શીલથી યુક્ત | ૯ | અંત્યંત શોભાયુક્ત, સુરૂપ, પદાનુસારીલબ્ધિવાળો, ઉત્તમ લક્ષણવાળો, ધીર, નિશ્ચલ Page #20 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ આર્દ્રકુમારકથા ૯ સમક્તિધારી શ્રાવક ધર્મમાં ઉઘુક્ત-ઉદ્યમશીલ ।। ૧૦ । શ્રીવીરજિનેશ્વરના ચરણ-કમલનો ભ્રમર, સુસાધુજનનો ભક્ત, ઉચિત કરણમાં ઉદ્યતમતિવાળો, સાધર્મિક અને પ્રજાનો સ્નેહી ||.૧૧ ॥ ઘણું કહેવા વડે શું ? તે ગુણી છે એમ જાણી દેવોવડે પણ તેને માન અપાય છે. તે શ્રેણીક રાજાનો પુત્ર અભય નામનો રાજકુમાર છે ।। ૧૨ । જેનાં પ્રભાવથી શ્રેણીક૨ાજા નિશ્ચિંત બની સતત ભોગોને ભોગવે છે. ત્રણ લોકમાં પ્રકટ યશવાળો છે. હે કુમાર ! શું તારા વડે તે નથી જણાયો ? તને તેની ખબર કેમ ન પડી ? || ૧૩ || આ સાંભળી હર્ષના ભારથી ભરેલાં અંગવાળા આર્દ્રકુમાર વડે કહેવાયું → હે તાત ! જેમ તમારી પ્રીતિ છે. તેમ અમે પણ પ્રીતિ કરવા ઇચ્છીએ છીએ. રાજાએ કહ્યું કે હે પુત્ર ! કુલક્રમથી ચાલી આવતી પ્રીતિ પળાય તે યોગ્ય જ છે. અને કહ્યું છે }... ગાઢ સજ્જનનો રાગ ધીરે ધીરે વધે છે અને વંશમાં પ્રસરે છે, તે સ્થવિરની જેમ થાકતો નથી પણ બમણો થાય છે.।।૧૫। તે પુરુષો ધન્ય છે. જેઓનો અભિમુખ રાગવાળો સ્નેહ દ૨૨ોજ વૃદ્ધિ પામતો ઋણની જેમ પુત્રોને વારસામાં પ્રાપ્ત થાય છે. ત્યાર પછી કુમારે મહંત-મોટા હોદ્દાવાળા દરબારીને કહ્યું કે પિતાશ્રી જ્યારે તમને વિદાય આપે ત્યારે તમે મને મળજો. તેણે કહ્યું એ પ્રમાણે કરીશ. ત્યાર પછી તે મહંત / મંત્રી રાજપુરુષે દેખાડેલા મહેલમાં રહ્યો, રાજાએ પણ રત્ન-મુક્તાફળ-વિદ્રુમ વિગેરે પ્રધાન ભેટણાઓ તૈયાર કરાવ્યા. ત્યાર પછી અન્ય દિવસે વસ્ત્ર આભરણ વગેરેથી સન્માન કરી ભેટ યુક્ત નિજપ્રધાન પુરુષો સાથે વિસર્જન કરાયેલો મહંત આર્દ્રકુમાર પાસે ગયો ને વિદાય વૃત્તાંત કહ્યો. આર્દ્રકુમારે પણ મોટા મોટા મુક્તાફળ, તેજસ્વી મહારત્ન વગેરે ભેટણાઓ આપીને સંદેશો આપ્યો કે મારા તરફથી (વચનથી) અભયકુમારને કહેજો કે તારી સાથે આર્દ્રકુમાર પ્રીતિ કરવા ઇચ્છે છે. એમ કહી વિદાય કરાયેલા મહંતે સતત શુભ પ્રયાણો વડે રાજગૃહી નગરી પ્રાપ્ત કરી... પ્રતિહાર વડે નિવેદન કરાયેલો અંદર પ્રવેશ્યો અને પ્રણામ પૂર્વક બેઠો. આર્દ્રક રાજાના પ્રધાન પુરુષોએ ભેટો સમર્પણ કરી, અભયને પણ આર્દ્રકુમારે મોકલેલા ઘરેણાં/ભેટણાઓ આપ્યા. તે દેખીને “વાહ ! સુંદર છે.” એમ કહેતા શ્રેણીક વિગેરે વિસ્મય પામ્યા ! આર્દ્રકુમારનો સંદેશો કહ્યો. જિનવચનના કૌશલ્યથી સ્વચ્છ બુદ્ધિવાળા અભયે વિચાર્યું કે ખરેખર આ ભવાંતરમાં જરાક વિરાધેલ સંયમવાળો અનાર્ય દેશમાં ઉત્પન્ન થયો છે. પરન્તુ નજીકમાં મોક્ષે જવાવાળો છે. તેથી મારી સાથે પ્રીતિ કરવાની ઇચ્છા કરે છે. અભવ્ય-દુર્ભવ્ય અને ગુરુ-ભારેકર્મવાળાને મારી સાથે મૈત્રી કરવાનો મનોરથ પણ ન સંભવે. જેથી કહ્યું છે.... “સરખા સ્વભાવના લીધે અને ફળ હેતુથી પ્રાયઃ કરીને સમાન પુણ્ય પાપવાળા જીવોની મૈત્રી (પ્રીતિ) થાય છે.” તેથી કોઈ પણ ઉપાયથી જિનધર્મમાં પ્રતિબોધ કરીને શ્રેષ્ઠ મૈત્રીભાવ પ્રગટ કરું! કેમકે “પ્રમાદરૂપ અગ્નિથી બળતાં એવાં ભવગૃહમાં મોહ નિદ્રાથી સુઈ રહેલાં આત્માને જગાડે તે તેનો પરમબંધુ છે.” “કદાચ જિનપ્રતિમાના દર્શનથી જાતિસ્મરણ થશે; તેથી ભેટના બ્હાને ભગવાનની પ્રતિમા Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૦. મૂળશુદ્ધિ ભાગ-૧ મોકલું.” એમ વિચારી પ્રશાંત અને મનોહર રૂપવાળી સર્વ રત્નમય યુગાદિદેવની પ્રતિમા તૈયાર કરી અને પેટી મધ્યે-ડાબડામાં સુરક્ષિત રીતે મૂકી; તેની આગળ ધૂપધાણીયું, ઘંટાદિ પૂજાના ઉપકરણો મૂક્યા અને તાળું મારી પોતાની મુદ્રાથી મુદ્રિત કરી. અને જયારે શ્રેણીક રાજાએ આભરણ વિગેરે ઘણું દ્રવ્ય આપીને આર્દક રાજાના પુરુષોને વિદાય કર્યા, ત્યારે તેઓને પેટી આપી. અને તેને કહ્યું કે, મારી તરફથી આદ્રકુમારને કહેજો કે “અમારી ભેટ એકાંતમાં એકલાયે સીલ તોડીને પેટી ખોલીને દેખે. પણ અન્ય કોઈને ન દેખાડે” “એમ થાઓ એમ કહી પુરુષો નીકળ્યા. સતત પ્રયાણો વડે આદ્રપુર પહોંચ્યા. પૂર્વક્રમથી સર્વ યથોચિત કરી કુમારના ભવનમાં ગયા. અભયકુમારે જેમ કહ્યું હતું તે પ્રમાણે કહ્યું. ત્યારે આદ્રકુમાર ઓરડામાં ગયો. પેટી ખોલી તેટલામાં સ્વપ્રભાના સમૂહથી દશ દિશાઓને ઉદ્યોદિત કરતી પ્રતિમા દેખીને “અહો ! આશ્ચર્ય છે કે પૂર્વે નહિ જોયેલું આ કાંઈક છે.” તેથી શું આને મસ્તકમાં પહેરું કે કાનમાં કે કંઠમાં અથવા બાહુયુગલમાં કે હાથમાં પહેરું? આનું કાંઈ સ્વરૂપ જાણતો નથી. વળી આ કાંઈક ક્યાંય પૂર્વે જોયેલું લાગે છે, તો આ પૂર્વે ક્યાં જોયું હશે ? એમ વિચારતા ઈહા-અપોહની વિચારણા કરતા મૂચ્છથી પૃથ્વીપીઠ ઉપર પડ્યો. જાતે જ આશ્વાસન પામી કુમાર બેઠો થયો. ક્ષણ પછી જાતિ-સ્મરણ થયું અને વિચારવાનો આરંભ કર્યો. તે આ પ્રમાણે... હું અહીંથી ત્રીજા ભવે મગધ દેશમાં વસંતપુર ગામમાં સામાયિક નામે (ગૃહસ્થ) ખેડૂત હતો. બંધુમતી મારી ભાર્યા હતી. એક વખત સુસ્થિત આચાર્ય પાસે ધર્મ સાંભળી સંસારથી વિરક્ત થયેલાએ પત્ની સાથે દીક્ષા લીધી. બન્ને પ્રકારની ગ્રહણ કરેલી શિક્ષાવાળો સંવિગ્ન સાધુઓ સાથે વિચરતો એક નગરમાં આવ્યો. તે બંધુમતી સાધ્વી પણ સાધ્વીઓ સાથે વિચરતી તે જ નગરમાં આવી. દેખીને પૂર્વ રતિ યાદ આવવાથી તેની પ્રતિ મારો રાગ થયો. અને બીજા સાધુને કીધું. તેણે પ્રવર્તીનીને કહ્યું. તેણીએ પણ બંધુમતિને કહ્યું, ત્યારે બંધુમતિએ પણ કહ્યું. અહો ! કર્મ પરિણતિ વિચિત્ર છે. જેથી આ ગીતાર્થ પણ આવું વિચારે છે. તેથી હે ભગવતી ! હું અન્ય ઠેકાણે જઈશ તો પણ આ સામાયિક મુનિ અનુરાગને મૂકશે નહિ. તેથી અત્યારે મારે અનશન જ યુક્ત છે. જેથી કહ્યું છે... પ્રજ્વલિત અગ્નિમાં હોમાઈ જવું સારું પણ લાંબા સમયથી પાળેલું વ્રત ભાંગવું સારું નહિ. સુવિશુદ્ધ કર્મ કરતાં મરવું સારું, પણ શીલથી ભ્રષ્ટ થયેલાનું જીવિત સારું નહિ. ૧૯ એમ સમર્થન કરી, ભક્ત પ્રત્યાખ્યાન કરી, ગળે ફાંસો બાંધી મરી. તે સર્વ સાંભળીને પરમ સંવેગ પામેલા મારા વડે – (આર્દ્રકુમારનાં જીવ સામાયિક મુનિ વડે) વિચારાયું કે જેમ મહાભાગ્યશાળી તેણીએ વ્રત ભંગના ભયથી એ પ્રમાણે આચર્યું. વળી મારો તો વ્રત ભંગ થયેલો જ છે. તેથી હું પણ ભક્તપ્રત્યાખ્યાન કરું. એમ વિચારી ગુરુને કહ્યા વિના ભક્તપ્રત્યાખ્યાન કર્યું. મરીને દેવલોકમાં ગયો. ત્યાંથી અહીં ઉત્પન્ન થયો છું. અહા ! અરે ! સુગુરુ સામગ્રી અને સર્વવિરતિ મેળવવા છતાં કાંઈક માનસિક રાગનો અનુબંધ કરવાથી અનાર્ય થયો છું. હું અનાર્ય હોવા છતાં જેણે પ્રતિબોધ પમાડ્યો તે જ મારા ગૌરવ (ગુરુ) સ્થાને વર્તે છે. તથા “તે જ અભયકુમાર મારા Page #22 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ આર્દ્રકુમારકથા ૧૧ ગુરુ', બાંધવ, પંડિત અને પિતા છે. જેણે પોતાની બુદ્ધિથી નરકે પડતા એવા મારો ઉદ્ધાર કર્યો છે. (૧૫) જો તે મહાનુભાવ સાથે મારે મૈત્રી ન થઈ હોત તો ધર્મકલાથી વિકલ એવો હું સાચે જ સંસારમાં ભમત. “તો પછી અત્યારે ઘણો સંતાપ કરવાનો શો મતલબ ? તે જ આર્યદેશમાં જઈ સર્વ દુઃખથી મુકાવામાં સમર્થ પ્રવ્રજ્યાને સ્વીકારું” એમ વિચારી ઊભો થયો. ફૂલ વિગેરે પૂજાના ઉપકરણો પુરુષો પાસે મંગાવ્યા. અને પ્રતિમાને પૂજી રાજા પાસે ગયો. અને રાજાને કહ્યું કે તાત ! “મારે અભયકુમાર સાથે પ્રીતિ થઈ છે તેથી જો પિતાજી આપને સારું લાગતું હોય તો ત્યાં જઈ પરસ્પર દર્શનથી પ્રીતિ કરીને આવું.” રાજાએ કહ્યું આપણે એવી જ પ્રીતિ છે તેથી સર્વથા તારે જવાની જરૂર નથી. જવાની છૂટ ના ‘મળવાનાં કારણે આર્દ્રકુમારને યથોચિત ઉપભોગાદિ ન કરતો જોઈ રાજાને લાગ્યું કે નક્કી આ કહ્યાં વિના જતો રહેશે; એટલે પાંચસો સામંત અંગરક્ષકરૂપે રાજાએ આપ્યા, એકાંતમાં તેઓને કહ્યું કે જો કુમાર જતો રહેશે તો એની જવાબદારી તમારાં ઉપર આવશે.” “જેવો આદેશ” એમ કહી કુમારની પાછળ લાગ્યા. “તેઓને ઠગીને હું જઈશ.” એમ કુમારે વિચારી એક દિવસ તેઓને કહ્યું. ભો ! આપણે ઘોડા દોડાવા જઈએ. “જેમ કુમાર આદેશ કરે તેમ” એમ કહેતા તેઓએ પણ ઘડશાળામાંથી જાતિમાન ઘોડાઓ કઢાવ્યા ને મેદાનમાં ગયા. અને ઘોડા દોડાવ્યા; તે દિવસે કુમાર થોડા ભૂમિ ભાગસુધી જ ગયો. પછી દિવસે દિવસે અધિક અધિક જતાં દર્શન ન થાય ત્યાં સુધી જવા લાગ્યો. ત્યાર પછી થોડી વા૨માં પાછો ફરતો. એ પ્રમાણે ક્યારેક છેક મધ્યાહ્ને આવવા લાગ્યો. તેઓ પણ છાયામાં રહેલા પ્રતીક્ષા કરે. એમ વિશ્વાસ પમાડીને એક વખત સમુદ્ર કાંઠે વિશ્વાસુ માણસો પાસે શ્રેષ્ઠ યાનપાત્રને રત્નોથી ભરાવી અને પ્રતિમાને પધરાવી તેમાં ચઢી આર્યદેશમાં આવ્યો. અભયને પ્રતિમા મોકલી જિનમંદિરમાં મહિમા કરાવ્યો. સાથે આવેલાં વિશ્વાસુ માણસોને અને દીન અનાથોને રત્નો આપી, પાત્ર વિગેરે ગ્રહણ કરી લોચ કરી જ્યાં સર્વવિરતિ સામાયિક ઉચ્ચરે છે. ત્યાં તો આકાશસ્થિત દેવતાઓએ કહ્યું કે ‘મહાસત્ત્વશાલી તું સર્વવિરતિને ન સ્વીકાર; હજી તારે ભોગાવલી કર્મ બાકી છે. તે ભોગવ્યા પછી દીક્ષા લેજે. ત્યાર પછી વીરરસની પ્રધાનતાથી “કર્મ મને શું કરશે ?” એમ વિચારી સર્વવિરતિ ગ્રહણ કરી વિચરવા લાગ્યો. અનુક્રમે વસંતપુર નગરમાં આવ્યો, ત્યાં બહાર દેવકુળમાં કાઉસગ્ગધ્યાનમાં રહ્યો. આ બાજુ તેની પૂર્વભવની સ્ત્રી બંધુમતિ દેવલોકથી ચ્યવી તેજ નગરમાં ઇકુલમાં પ્રધાન શ્રેષ્ઠી દેવદત્તની ધનવતી ભાર્યાના વિષે શ્રીમતી નામે પુત્રી થઈ. અને નગરની છોકરીઓ સાથે તેજ દેવકુલમાં તે ‘પતિવરવા'ની રમત રમતી હતી. તેઓએ કહ્યું કે હે ! સખીઓ ! ‘વરને વરી' તેથી અન્ય છોકરીઓએ અન્ય કુમારોને વર્યા. શ્રીમતીએ કહ્યું “મારા વડે આ ભટ્ટા૨ક વરાયો.” તેનાં વચન પછી તરત જ “આ બાલિકા વડે સારો વર પસંદ કરાયો છે.” એમ બે વાર આકાશવાણી કરતાં દેવતાએ રત્નવૃષ્ટિ કરી. ત્યાર પછી આકાશવાણી સાંભળીને ઉઠેલી તેણી - શ્રીમતી તેનાંમુનિના પગમાં પડી. આ અનુકૂલ ઉપસર્ગ છે. એમ જાણી જલ્દી જલ્દી સાધુ અન્ય ઠેકાણે ગયા. રત્નવૃષ્ટિ થયેલી સાંભળી નગરજનો સાથે રાજા ત્યાં આવ્યો; પછી રાજાએ તે રત્નવૃષ્ટિ લેવાનો આરંભ કર્યો. દેવતાએ લબકારા મારતી ફેણના આટોપ (આડંબર)થી ભયંકર સર્પ વિગેરે ઊભા કરીને વાર્યો અને કહ્યું મારા વડે આ બાલિકાના વર માટે આ અપાયું છે. તેથી શ્રીમતીના પિતાએ - Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૨ . મૂળશુદ્ધિ ભાગ-૧ ધનનું રક્ષણ કર્યું. અને નગરમાં પ્રવેશ્યા. “શ્રીમતીને પરણશે તેને રત્નો મળશે.” તેવું સાંભળી તેણીને વરનારાઓ-માળાઓ આવવા લાગ્યા. શ્રીમતીએ પિતાને પૂછ્યું આ બધા શા માટે આવે છે? શેઠે કહ્યું કે પુત્રી ! તારું માગું કરનારાં આવે છે. તે બોલી હે તાત ! નીતિશાસ્ત્રમાં પણ કન્યાને બીજી વાર આપવાનો નિષેધ છે. કહ્યું છે કે... “રાજાઓ એક વખત બોલે છે, સાધુ એક વખત બોલે છે, કન્યા એકવાર અપાય છે. આ ત્રણે એક એક વાર જ થાય છે.” ! તમારા વડે પણ હું અપાઈ ગઈ છું. જેનું ધન તમે ગ્રહણ કરી રહેલા છો; વળી દેવતાએ પણ અનુમોડ્યું છે. તેથી હું અન્યને કેવી રીતે વરું? તે જ મારો પતિ છે. શેઠે કહ્યું તે કેવી રીતે ઓળખાય ? તે બોલી આકાશવાણી પછી ઊભી થયેલી હું તેમના પગમાં પડી ત્યારે તેમનાં જમણાં પગમાં આવું લાંછન મેં જોયું હતું. તેનાથી તે ઓળખાઈ જશે. ત્યારે શેઠે આજ્ઞા આપી કે જો એમ હોય તો હે પુત્રી ! તું સર્વ ભિક્ષાચરોને ભિક્ષા આપ. કદાચિત તે આવશે. આ બાજુ ભવિતવ્યતાના યોગે દિશાથી મુગ્ધ થયેલાં તે આર્તકમુનિ બારમે વર્ષે ત્યાં આવ્યા. શ્રીમતીએ ઓળખી લીધા. અને કહેવાનું શરૂ કર્યું. “હા નાથ ! હા ગુણના ભંડાર ! મારા હૃદયનો આનંદ; આટલો કાળ દીનદુ:ખી અનાથ એવી મને મૂકી ક્યાં રહ્યા હતા ? | ૧૭ | જ્યારથી માંડી મેં સ્વેચ્છાથી તમને વર્યા, ત્યારથી માંડી મારા હૃદયમાં અન્યને અવકાશ નથી. અત્યારે મારા પુણ્ય બલવાન લાગે છે. જેથી તમે આવ્યા છો. તેથી અત્યારે મારી સાથે વિવાહ કરીને મારો હાથ ઝીલીને હે પ્રિયતમ ! દયા કરો.” આ સમાચાર સાંભળી શેઠ આવ્યા. અને રાજાને બોલાવ્યો, તેઓએ કહ્યું, હે મહાભાગ ! ઘણીવાર કહ્યું છતાં પણ આ તમને મૂકી અન્યને મનથી પણ ઇચ્છતી નથી. અને કહે છે કે “તે મહાનુભાવ મારા દેહને કોમલ હાથથી સ્પર્શ કરે અથવા જાજવલ્યમાન અગ્નિ મને સ્પર્શે, આ મારું વ્રત છે.” ૨ના તેથી પાણિગ્રહણ-લગ્ન કરી આનો સ્વીકાર કરો. તે મુનિ ત્યારે અવશ્ય વેદવા યોગ્ય કર્મના ઉદયથી દેવવચનનાં સ્મરણથી અને તેઓનાં આગ્રહથી શ્રીમતીને પરણ્યો. અને ભોગ ભોગવતાં તેઓને પુત્ર થયો. તે પુત્ર જયારે કાંઈક હરતો ફરતો થયો ત્યારે આદ્રકુમારે રજા માંગી કે, “હું દીક્ષા લઉ” હવે તું એકલી નથી તારે આ પુત્ર છે. તેથી તેણીએ પુત્રને ખબર પડે તે માટે પૂણી અને તકલી-ત્રાક લઈ કાંતવાનો પ્રારંભ કર્યો. ત્યારે પુત્રે કહ્યું હે માતા ! અન્ય સાધારણ માણસને પ્રાયોગ્ય કાર્ય કરવાનો કેમ પ્રારંભ કર્યો ? તેણીએ કહ્યું, “પતિરહિત નારીને આજ વિભૂષણ છે.” તેણે કહ્યું કે “પિતા વિદ્યમાન હોવા છતાં એમ કેમ બોલે છે ?” તેણીએ કહ્યું કે “તારા પિતા જવાની ઇચ્છાવાળા દેખાય છે.” તેણે કહ્યું કે “કેવી રીતે જાય? હું બાંધીને રાખીશ.” એમ કાલુકાલુ બોલતાં માતાના હાથમાંથી તકલી (સૂતરની આંટી) લઈ સૂતરના તાંતણા વડે પગને વિટાળીને બોલ્યો કે માતા ! “તું સ્વસ્થ થઈને રહેતું ચિંતા ન કર. આ પિતાને મેં બાંધી લીધાં છે. હવે કોઈ પણ રીતે જઈ શકશે નહિ. ત્યારે આદ્રકુમારે વિચાર્યું કે Page #24 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ આર્દ્રકુમારકથા ૧ ૩ અહો ! બાલકને મારા ઉપર કેટલો મજબૂત સ્નેહ છે. તેથી જેટલા આણે આંટા આપ્યા તેટલા વર્ષ રહીશ. જેથી ગણ્યા તો બાર થયા. તેથી બાર વર્ષ રહ્યા. ત્યારપછી બાર વરસના અંતે રાત્રિનાં ચરમ પહોરમાં જાગી પૂર્વ વૃત્તાંત યાદ કરી વિલાપ કરવાનો પ્રારંભ કર્યો. તે આ પ્રમાણે... અનાર્ય એવાં મને ધિક્કાર હો કે હું સર્વવિરતિ ગ્રહણ કરી પ્રમાદને વશ થઈ આ પ્રમાણે વિષયમાં ખૂંચ્યો. દેવતાએ વારણ કરવા છતાં પણ પ્રતિજ્ઞારૂપી પર્વતના શિખરે ચઢી હા હા ! કેવો લપસીને સંસારરૂપી કુવામાં પડ્યો ! પૂર્વભવમાં મનથી પણ વ્રત ભંગ કરતાં અનાર્ય થયો. અરેરે ! હું જાણતો નથી કે અત્યારે હું કંઈ ગતિમાં જઈશ ! ધિક્કાર હો ! લજ્જા વિનાનાં જાણતાં એવા પણ મેં આવું જ કર્યું. તેથી હું માનું છું કે અવશ્ય મારે સંસારમાં ભમવાનું છે. ધર્મદાસ ગણિએ ઉપદેશમાળામાં કહ્યું છે કે - જેઓ જિનવચનને જાણતા નથી. તે જીવલોકમાં ચિંતા કરવા યોગ્ય છે. અને જેઓ જાણીને કરતાં નથી. તે અતિ ચિંતા કરવા લાયક છે. અથવા ભૂતકાળનાં વિષયમાં ઘણો સંતાપ કરવા વડે શું ? અત્યારે પણ સુંદર ભાવપૂર્વક તપસંયમથી આત્માને ઉદ્યોતિત કરું. દશવૈકાલિકસૂત્રમાં કહ્યું છે કે.. જેઓને તપસંયમ ક્ષાન્તિ અને બ્રહ્મચર્ય પ્રિય હોય; તેઓએ પાછળથી પણ દીક્ષા લીધી હોય તો પણ શીધ્ર દેવ વિમાનમાં જાય છે. રેરા ત્યારપછી સવારે પ્રિયતમાને કહીને શ્રમણ લિંગ સ્વીકારી ગિરિગુહામાંથી જેમ સિંહ નીકળે તેમ ઘરમાંથી નીકળી ગયો. રાજગૃહી તરફ ચાલ્યો. રસ્તામાં જે તેના રક્ષણ માટે પાંચસો સામંત પિતાએ રાખ્યા હતા; તેઓને વચ્ચે જંગલમાં ચોરી વડે વૃત્તિ ચલાવતાં દેખ્યા; અને ઓળખ્યા. તેઓએ પણ તેને ઓળખ્યો. અને તેનાં ચરણોમાં પડ્યા. સાધુએ પૂછ્યું ભો ! આ નિંદનીય જીવિકા તમે કેમ શરૂ કરી ? તેઓએ કહ્યું કે હે સ્વામી ! જ્યારે તમો ઠગીને ભાગી ગયા; ત્યારે અમો તમારી તપાસ કરતાં કરતાં અહીં સુધી આવ્યા, પણ તમારી જાણ પડી નહિં. ત્યારે “નહિં કરેલા પૂર્ણ-અધૂરા કાર્યવાળા અમે રાજાને મોટું કેવી રીતે દેખાડીયે” એમ લજ્જા અને ભયથી રાજા પાસે ન ગયા. નિર્વાહ ન થતાં આવી આજીવિકાથી જીવીએ છીએ. ત્યારે સાધુ ભગવાને કહ્યું.... ભો મહાનુભાવો ! ધર્મમાં જ યત્ન કરવો જોઈએ. કેમકે સંસાર સાગરમાં ડુબેલાએ મનુષ્યભવા પ્રાપ્ત કરી સકલ ઈચ્છાને પૂર્ણ કરનાર એવી ધર્મવિધિમાં યત્ન કરવો, પણ પ્રમાદ ન કરવો. કહ્યું છે કે... જગતમાં પ્રાણિઓને સંપત્તિ પ્રાપ્ત ન થઈ. વિપત્તિ દૂર ન થઈ. આધિ વ્યાધિનો વિરહ ન થયો. સર્વગુણથી શોભિત શરીર ન મળ્યું. સ્વર્ગની પ્રાપ્તિ ન થઈ. અને સર્વભય વગરનું એવું મોક્ષસુખ ન મેળવ્યું. તે સર્વમાં કલ્યાણ પરંપરાનો નાશ કરનાર દુષ્ટ પ્રમાદ જ હેતુરૂપ છે. ર૪ll માટે આ પ્રમાદને છોડી ધર્મમાં ઉદ્યમ કરો. ત્યારે તેઓએ હાથ જોડી વિનંતિ કરી કે હે ભગવાન ! જો અમો યોગ્ય હોઈએ તો અમને પણ દીક્ષા આપી દો. - સાધુ ભગવંત બોલ્યા - લો, દીક્ષા ગ્રહણ કરો. તેઓ પણ “તહત્તિ” કહી સાથે ચાલ્યા. ભગવાન આÁકષિ પણ રાજગૃહી પાસે આવ્યા. ત્યારે ગોશાળો “પ્રત્યેકબુદ્ધ આદ્રકઋષિ ભગવાને વંદન કરવા આવી રહ્યા છે.” એવું સાંભળી તેમની સાથે વાદ કરવા તૈયાર થયો. તે ગોશાળાને ઉત્તર Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૪ મૂળશુદ્ધિ ભાગ-૧ પ્રત્યુત્તર વડે આદ્રકઋષિએ હરાવ્યો. તે વાદનો વૃત્તાંત “સૂયગડાંગ” સૂત્રથી જાણવો.' ગ્રંથ વિસ્તારના ભયથી અહીં લખ્યો નથી. ત્યાંથી આગળ જાય છે. ત્યાં રાજગૃહીની પાસે હસ્તિ તાપસીનો આશ્રમ આવ્યો. તેઓ મોટા હાથીને મારી તેનાં આહાર વડે ઘણાં દિવસો પસાર કરે છે. “ઘણાં બીજ વિગેરે જીવો મારવાથી શું ? તેનાં કરતા એક હાથી મારવો સારો.” એમ તેઓ કહે છે. પોતાનાં તે આશ્રમમાં તેઓ વનમાંથી એક મોટો હાથી બાંધીને લાવ્યા. અને તે ઘણાં ભારવાળી સાંકળથી બંધાયેલ અને મોટી લોઢાની અર્ગલાઓ વડે પકડાયેલો ત્યાં રહેલો હતો. પણ જયારે તે સ્થાને મહર્ષિ આવ્યા ત્યારે તે હાથી ઉત્પન્ન થયેલાં વિશિષ્ટ વિવેકનાં કારણે પાંચસો રાજપુત્રથી પરિવરેલા ઘણાં માણસોથી વંદન કરાતા એવા મહર્ષિ ભગવાનને દેખી “હું પણ વંદન કરું” એમ જ્યારે મનમાં સંકલ્પ કરે છે; ત્યારે ત્યાં તો ભગવાનના પ્રભાવથી તેની સાંકળ અને અર્ગલા (આગળો) તૂટી ગઈ. અને મુક્ત થયેલો એ હાથી “વંદન કરવા માટે પ્રવૃત્ત થયો આ હાથીએ મહર્ષિ માર્યા સમજો” એમ બોલતા લોકો નાઠા.” તે હાથી પણ કુંભસ્થલ નમાવી સાધુ ભગવંતના ચરણે પડ્યો. અને સાધુને અનિમેષ નયને નીરખતો વનમાં ગયો. સાધુના અતિશયને સહન નહિ કરનારાં તે તાપસી આકર્ષથી (ઈર્ષાથી) તેની સાથે વિવાદ કરવા તૈયાર થયા. તેઓને પણ સ્યાદ્વાદથી સ્વચ્છ થયેલી બુદ્ધિવાળા આÁકઋષિએ નિરુત્તર કર્યા અને ધર્મદેશનાથી પ્રતિબોધ પમાડ્યા. પછી ભગવાન તીર્થકરના સમવસરણમાં મોકલ્યા. તેઓએ પણ ત્યાં જઈ દીક્ષા લીધી. આ બાજુ શ્રેણીક રાજા લોક પરંપરાથી હાથીનું મુક્ત થવુ વિગેરે આશ્ચર્યભૂત સાધુનો પ્રભાવ સાંભળી વિસ્મયથી વિકસિત લોચનવાળો અભયકુમાર વિગેરે પરિજન સાથે જલ્દી ત્યાં આવ્યો. સાધુને જોયા અને ભક્તિભાવથી ભરેલાં શરીરથી ત્રણ પ્રદક્ષિણા પૂર્વક વંદન કર્યું. તે આ પ્રમાણે... | હે ! તજેલાં ગૃહવાસવાળા; સકલ સંયમ ગુણોના ભંડાર; ગુણથી ગર્વિત પરતીર્થકોરૂપી ગજેન્દ્રનો નાશ કરવામાં સિંહ સમાન તમોને નમસ્કાર હો ! સાધુએ ધર્મલાભ આપ્યો તે આ પ્રમાણે... કલ્યાણ પદ્ધતિને કરનાર, દુઃખને હરનાર, શિવસુખ સાથે સંયોગ કરાવનાર એવો ધર્મલાભ હે નરેન્દ્ર તમને હો ! ર૭ા સુખશાતા પૂછી શુદ્ધભૂમિ ઉપર બેઠો. અને રાજાએ પૂછયું હે ભગવાન ! આ તો મહાઆશ્ચર્ય ૧ ગોશાળા-તારા ધર્માચાર્ય પહેલાં મારી જોડે હતા ત્યારે એકાકી મૌની હતા. અત્યારે દેશનાથી લોકોને ઠગીને સાધુ દેવ વિગેરેથી પરિવરેલા કેમ રહે છે ? આÁકમુનિ : પૂર્વે છદ્મસ્થ હતા અત્યારે સર્વજ્ઞ છે માટે | હસ્તિ તાપસો : કલુષિત ભાવ ન હોય તો માણસનું માંસ ખાવામાં પણ વાંધો નથી. આÁકમુનિ : સંયમીને સમ્યજ્ઞાન પૂર્વક ક્રિયા કરવી જોઈએ. બ્રાહ્મણ : સ્નાતક બ્રાહ્મણોને દરરોજ જમાડવા જોઈએ. આદ્રકમુનિ : તેઓ ગૃદ્ધિથી અને દુષ્ટભોજન કરતા હોવાથી તેમને આપવામાં ધર્મ નથી. એકદષ્ઠિ : પ્રકૃતિથી બધું થાય છે, આત્મા સદા નિર્વિકારી રહે છે ? આર્ક્ટિકમુનિ : એકાન્ત નિર્વિકારી રહેતાં ચાર ગતિમાં ભ્રમણ સંભવી ન શકે. એમ આત્મા સિવાય બીજું કશું જ નથી. એવું માનવામાં સંસાર સંભવી શકતો નથી. (૩૮૯ થી ૪૦૩-સૂયગડાંગ સૂત્ર) (દ્વિતીય સ્કંધ) Page #26 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ આર્ય ખપૂટાચાર્યની કથા ૧૫ કહેવાય કે દ્રઢબંધનમાંથી હાથીને પોતાના પ્રભાવથી મુક્ત કરાવ્યો. ત્યારે ભગવાને કીધું વનમાં મત્ત હાથીનું બંધનપાશથી મુકાવું દુષ્કર નથી. જેટલું સૂતરના તંતુઓ વડે થયેલ બંધનથી મુકાવું મને દુષ્કર લાગે છે. ' હે ભગવાન્ ! આ કેવી રીતે ? - ત્યારે પોતાના ચરિત્રરૂપ પૂર્વ વૃત્તાંત કીધો. તેથી તે મહારાજા! જે મારા પુત્રે ચરખાના તંતુઓના બંધન આપ્યા તે સ્નેહ તંતુઓ મારા વડે પણ મુશ્કેલીથી તોડાયા, માટે ગજબંધનના મોચનથી પણ દુર્મોચન રૂપે લાગ્યા. એથી મેં તમને એમ કહ્યું. આ સાંભળી ઘણાં પ્રાણીઓ પ્રતિબોધ પામ્યા. શ્રેણીક અને અભયકુમાર પણ પરિતોષ પામ્યા. અને વિંદન કરી સ્વસ્થાને ગયા. મહર્ષિ પણ ભગવાન મહાવીરને વંદન કરી ઉગ્ર વિહાર વડે વિચરી - ઉત્સર્ગ = ઉત્કૃષ્ટ રીતે સંયમનું પાલન કરી કેવલજ્ઞાન ઉપાર્જન કરી પરમસુખવાળા મોક્ષને પામ્યા. આદ્રકકુમારનું કથાનક પુર અહીં અભયકુમારે આર્તકકુમારને પ્રતિબોધ કરવા માટે જે કુશળતા વાપરી તેવી કુશળતા અહીં જરૂરી છે. કોસલ્લયા મો જિણ સાસણગ્નિ' આ પદથી સમક્તિનું પહેલું ભૂષણ કહ્યું. હવે બીજું ભૂષણ કહે છે. પ્રભાવના - એટલે તીર્થની ઉન્નતિ કરવી. તે પ્રભાવના આઠ પ્રકારે થાય છે. જેમકે (૧) પ્રવચનકાર, (૨) ધર્મકથા કરનાર, (૩) વાદિ, (૪) નૈમિત્તિક, (૫) તપસ્વી, (૬) વિદ્યાવાન, (૭) અણિમાદિ સિદ્ધિવાળો, () કવિ આ આઠ પ્રભાવકો કહ્યાં. આર્ય ખપૂટાચાર્યની કથા) આ જ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં નર્મદા મહાનદીનાં કિનારે ભૃગુકચ્છ (ભરુચ) નામે મહાનગર છે. એકવાર ત્યાં વિચરતાં આર્યખપૂટ નામના આચાર્ય પધાર્યા. તે ઘણાં શિષ્યના પરિવારવાળા હતા. અનેક પ્રકારની સિદ્ધિવિદ્યાવાળા વિદ્યાચક્રવર્તી હતા. તેઓમાં એક નાનો સાધુ જે આચાર્યનો ભાણેજ હતો. તે આચાર્યશ્રીને વંદન નમસ્કાર વગેરે સેવા કરવામાં તત્પર રહેતો. આચાર્ય વડે ગણાતી વિદ્યાઓ તેનાં કાનમાં પડી અને વિદ્યાસિદ્ધ પુરુષને નમસ્કાર કરવાથી પણ વિદ્યાઓ સિદ્ધ થઈ જાય છે. એથી તેણે વિદ્યાઓ સિદ્ધ થઈ ગઈ. આ બાજુ ગુડશસ્ત્ર નગરથી એક સાધુ સંઘાટક આવ્યું. આચાર્યશ્રીને વાંદીને જણાવ્યું કે તે નગરમાં એક અક્રિયાવાદી પરિવ્રાજક આવેલો હતો. અને તે પરિવ્રાજક... “કોઈ દેવ નથી. ધર્મ નથી. પુણ્ય પાપ નથી, તેમજ પંચભૂતથી ભિન્ન અન્ય કોઈ આત્મા નથી.” એ પ્રમાણે પ્રલાપ કરતો હતો. તેને આગમજ્ઞાતા એવાં સાધુઓએ હરાવ્યો. અને અપમાનથી મરી ગયો. મરીને તે જ નગરમાં વડુકર નામનો વ્યંતર થયો. અને પૂર્વ વૃત્તાંત જાણી અતિપ્રચંડ ક્રૂર વિકરાલ રૂપધારી વ્યંતર આકાશમાં રહેલો એમ કહે છે. રે રે પાપીઓ ! અધમપાખંડીઓ ! શરમ વગરના ! ત્યારે વાદમાં મને જીતનારા હવે તમે મને ઓળખો. અત્યારે વિવિધ પીડાથી હેરાન થાઓ, તે રીતે મારીશ ! કદાચ તમે પાતાળમાં પ્રવેશો, આકાશમાં જતાં રહો કે અન્ય કોઈ જગ્યાએ જાઓ, તો પણ તમે તમારાં દુષ્કર્મથી છુટવાનાં નથી. એમ બોલતો તે વિવિધ ઉપસર્ગો વડે શ્રમણ સંઘ ઉપર ઉપસર્ગ કરવા પ્રવૃત્ત થયો છે.//શા હવે આ બાબતમાં શું કરવું તે આપના ઉપર છે. 7 Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૬ મૂળશુદ્ધિ ભાગ-૧ તેની વાત સાંભળ્યા પછી તરત જ ખપુટાચાર્ય બાલવૃદ્ધવાળા ગચ્છ અને તે ભાણેજને ત્યાં જ મૂકી વિદ્યાબલથી જલ્દી “ગુડશસ્ત્ર' નગરમાં ગયા. તે વ્યંતર પ્રતિમાના કર્ણમાં જોડાઓ લગાડી અને વસ્ત્ર ઓઢી સૂઈ ગયા. થોડીવારમાં ત્યાં પૂજારી આવ્યો અને પ્રતિમાના કાનમાં જોડાઓ લાગેલા અને આચાર્ય ભગવાનને સુખેથી સુતેલાં દેખી જલ્દી બોલ્યો, અહીં આ અનાર્ય કોણ છે? જે દેવની આશાતના કરે છે. તેથી નગરજનો અને રાજાને નિવેદન કરું, તે જ દંડ કરશે. એમ વિચારી લોકોને અને રાજાને નિવેદન કર્યું. જલ્દી જલ્દી નગરજનો સાથે રાજા આવ્યો. “આને ઉઠાડો,”એમ મોટેથી બૂમ પાડવા છતાં ઉઠતો નથી. જ્યારે એક બાજુથી વસ્ત્ર ઊંચું કર્યું તો અધોભાગ દેખાવા લાગ્યો. જે જે બાજુ વસ્ત્ર ખુલ્લું કર્યું ત્યાં અધોભાગ જ દેખાવા લાગ્યો; તેથી રાજા બોલ્યો આ કોઈ ભયનું કારણ લાગે છે. તેથી લાકડી અથવા પત્થરના પ્રહાર વડે હણો ! જયારે હણવા લાગ્યા, તો તે પ્રહારો રાણીઓને લાગવા લાગ્યા. તેથી તેઓ પીડાવા લાગી. અને આક્રંદન કરવા લાગી. તેથી કચુકીએ આવી રાજાને જણાવ્યું કે... સર્વે રાણીઓને નજરે નહી દેખાતો એમ કોઈકને કશાચાબૂક પ્રહાર, કોઈને પત્થરનો પ્રહાર અને કોઈને વળી લાકડીનો પ્રહાર લાગી રહ્યો છે. જેથી રાણીઓ રૂદન કરી રહી છે. એવી કોઈ રાણી નથી જેને ઈજા ન થઈ હોય. હવે શું કરવું તે આપ જાણો. રાજાને લાગ્યું કે આ કોઈ વિદ્યાસિદ્ધ મહાત્મા છે. જેથી પ્રચુર પ્રહારોને રાણીઓને વિશે સંક્રમિત કરે છે. “તેથી સર્વનો નાશ ન કરે તે પહેલાં આને પ્રસન્ન કરીએ.” એમ વિચારી તેને પ્રસન્ન કરવા બધાને કહ્યું. અને ખુદ પણ તૈયાર થયો અને આ પ્રમાણે ખમાવવા લાગ્યો. હે મહાયશવાળા ! અત્યારે અજાણમાં જે અપરાધ અમે કર્યો તેને ક્ષમા કરો. કારણ કે તમારાં જેવા મહાત્મા નમનાર ઉપર વાત્સલ્ય કરવાવાળા જ હોય છે. આમ સાંભળી આચાર્ય ભગવાન ઊભા થયા. વડુકર વ્યંતરની પ્રતિમા પણ તેમની પાછળ ચાલી. અને બીજી દેવ પ્રતિમાઓ પણ દેડકાની જેમ કૂદતી બહાર નીકળતી તેમની પાછળ ચાલી. તે દેવકુલના દરવાજે હજારો માણસો ભેગાં થઈને ચલાવી શકે એવી મોટીસ બે દ્રોણીઓ (અપ્પાકારે પાણીનાં મોટા પાત્રો) રહેલી છે. તેઓને બોલાવી તો તે પણ તેમની પાછળ ચાલવા લાગી. તે દેવરૂપો ખડખડ અવાજ કરતાં નગર મળે આવ્યા. ત્યારે લોકોએ પગમાં પડી વિનંતી કરી હે દેવ ! દેવપ્રતિમાઓને મૂકી દો ત્યારે દેવપ્રતિમાઓને મૂકી છતાં બે દ્રોણી તો ત્યાં જ રાખી. જે હારી તુલ્ય હોય તે સ્થાને લાવે. એથી આજે પણ ત્યાં જ રહેલી છે. વડુકર વ્યંતર પણ ઉપશાંત થયો. અને જિનશાસનનો મહામહિમા કરવા લાગ્યો. ઘણાં લોકો પ્રતિબોધ પામ્યા અને પ્રશંસા કરવા લાગ્યા. અહો ! જિનશાસનનો કેવો પ્રભાવ છે ! એમાં આવા પ્રકારના અતિશયો દેખાય છે. સદાકાળ સર્વત્ર જિનશાસન જય પામો. ....આ બાજુ ભૃગુકચ્છમાં ક્ષુલ્લક ભાણેજ આહારગૃદ્ધિથી ભૌતિક (બૌદ્ધ) ભિક્ષુક થયો. વિદ્યાના પ્રભાવે તેનાં પાત્રો ઉપાસકોને ઘેર આકાશમાર્ગે જાય છે. અને ભરાઈને પાછા આવે છે. તે અતિશયને દેખી ઘણાં લોકો તેની તરફ વળ્યા. “બુદ્ધ શાસનને મૂકી અન્ય ક્યાં આવો અતિશય છે.” એમ કહેવા લાગ્યા અને સંઘ તિરસ્કાર પામવા લાગ્યો. તેથી સંઘે સૂરિને જણાવ્યું કે અહીં એવા પ્રકારની પ્રવચન લધુતા થઈ રહી છે, તેથી સૂરિ આવ્યા. સર્વ વૃત્તાંત કહ્યો. બૌદ્ધ ભિક્ષુકોના Page #28 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ પાત્રોની આગળ ધોળા વસ્ત્રથી ઢંકાયેલ પાત્ર આવે છે, અને જાય છે. બૌદ્ધ ઉપાસકોએ ભરેલા પાત્રો જેટલામાં આકાશમાં ઊડે છે તેટલામાં સૂરિએ વચ્ચે શિલા વિકર્વી તેની સાથે અથડાતા સર્વ પાત્રો ભંગાઈ ગયા. ક્ષુલ્લક પણ આ સાંભળી જરૂર મારા ગુરુ આવ્યા લાગે છે. માટે ભયથી ભાગ્યો. શ્રી આર્યખપૂટસૂરિ પણ બુદ્ધ વિહારમાં ગયા. ત્યારે ભિક્ષુઓ બોલ્યા. આવો વંદન કરો. ત્યારે આચાર્યું કહ્યું હે પુત્ર ! આવ હે શુદ્ધોદની પુત્રો ! હે બુદ્ધો ! મને વંદન કરો ત્યારે બુદ્ધ પ્રતિમા ઊડીને સૂરિનાં પગમાં પડી. તે બૌદ્ધ વિહારના દ્વાર ઉપર સૂપ હતો. તેને પણ કહ્યું કે મને વંદન કરો, ત્યારે તે પણ પગમાં પડ્યો. નીચે નમીને ઊભો રહે ત્યારે તે પ્રમાણે સ્થિર થયો. તેથી નિયંઠોણામિત એવું નામ પ્રસિદ્ધ થયું. આશ્ચર્યથી ખીલેલાં નયનવાળા લોકો પણ જિનશાસનનાં રાગી બની બોલવા લાગ્યા કે – ભો ! જિનધર્મનું અતિશય સ્વરૂપવાળું આશ્ચર્ય તો દેખો કે જેથી અજંગમ દેવો પણ (પ્રતિષ્ઠિત મૂર્તિરૂપ દેવો) અહા ! સૂરિના પગે પડે છે. જેમનાં શાસનને ભક્તિસમૂહથી નમેલાં મસ્તકવાળા દેવો પણ વાંદે છે. તે શ્રી વિરપ્રભુ જય પામો ! ઘણું કહેવાથી શું? જો સઘળી-તમામ જાતની સંપત્તિની ઈચ્છા હોય તો જિનેશ્વરે કહેલાં ધર્મ પર હંમેશને માટે આદર કરો || | “આર્ય ખપૂટાચાર્યની કથા પૂરી” - તેથી આ પ્રમાણે જે શાસનની પ્રભાવના કરે છે. તેનું સમક્તિ શોભાયમાન બને છે. એમ અન્ય દષ્ટાંતો પણ સમજી લેવાં. બીજું ભૂષણ કહ્યું હવે ત્રીજું ભૂષણ કહે છે. “તિર્થી નિસેવણા'.... જેનાં વડે પ્રાણીઓ સંસાર સાગર તરે તે તીર્થ કહેવાય. તે દ્રવ્ય અને ભાવ ભેદથી બે પ્રકારે છે. તેમાં દ્રવ્યથી સંસારસમુદ્ર તરાતો હોવાથી જિનેશ્વરની જન્મભૂમિ વિગેરે દ્રવ્યતીર્થ કહેવાય છે. કારણ કે ત્યાંના પરમાણુસ્વરૂપ દ્રવ્યો ભવથી ઉગારવા માટે પ્રેરણાદાયક બને છે. તેની સેવા એટલે તીર્થની યાત્રા કરવી, ત્યાંની સારસંભાળ રાખવી. તેનાંથી સમક્તિ નિર્મળ બને છે. કહ્યું છે કે... મહાનુભાવ એવા તીર્થકરના જન્મ, જ્ઞાન, દીક્ષા અને નિર્વાણ જ્યાં થયાં હોય ત્યાં જનારનું સમક્તિદર્શન શુદ્ધ બને છે. (૨૬) તથા ભાવનાને આશ્રયી આચારંગ નિર્યુક્તિમાં (૩૩૧, ૩૩૨ ગાથામાં) પણ કહ્યું છે કે... આ બે ગાથાની વ્યાખ્યા ત્યાં જ કહેલી છે તે જ અહીં લખે છે... તીર્થકરની જન્મભૂમિઓમાં તથા દીક્ષા, ચ્યવન, જ્ઞાનોત્પત્તિની ભૂમિઓમાં તથા નિર્વાણ ભૂમિઓમાં તથા દેવલોકનાં ભવનોમાં, મેરુપર્વતોમાં, નંદીશ્વર વિગેરે દ્વીપોમાં, પાતાળભવનોમાં જે શાશ્વતા ચૈત્યો છે, તેઓને હું વંદન કરું છું. મેં ૩૩૧ || એ પ્રમાણે અષ્ટાપદમાં તથા ગિરનાર તીર્થ ઉપર ગજાગ્રપદ - દશાર્ણકૂટ ઉપર રહેલ તેમજ તક્ષશિલામાં રહેલ ધર્મચક્ર તથા અહિચ્છત્રામાં પાર્શ્વનાથ પ્રભુની ધરણેન્દ્ર મહિમા કરેલ તે સ્થાને અને વજસ્વામીએ જ્યાં પાદપોપગમન અનશન કર્યું તે રથાવર્ત પર્વત અને જયાં શ્રી વર્ધમાન સ્વામીનું શરણ લઈ ચમરેન્દ્ર ઉર્ધ્વ દેવલોકે ગયો તે; આ સર્વ સ્થાનોમાં યથાસંભવ યાત્રા વંદન પૂજન ઉત્કીર્તન સેવા-ભક્તિ આરાધના આદર વિગેરે ક્રિયા કરતાં દર્શનશુદ્ધિ થાય છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ ભાવતીર્થ તો જ્ઞાનાદિગુણ યુક્ત સાધુઓ છે, તેઓની સેવા-વૈયાવચ્ચ પણ સમક્તિને ઉજ્જવલ કરે છે. કારણ તેમની પાસે રહેતાં ધર્મોપદેશનું શ્રવણ વિગેરે પ્રાપ્ત થાય, જેથી શંકા, કુશંકા નિવારણ થતાં સમક્તિ દ્રઢ બને છે. ૧૮ કહ્યું છે કે... જ્ઞાનાદિ ગુણસંપન્ન સાધુઓને જે નિત્ય સેવે છે, તેને સમ્યક્ત્વભૂષણ વિગેરે ગુણો પ્રાપ્ત થાય છે. તથા ‘આચારાંગ નિર્યુક્તિ' ૩૩૩ માથામાં પણ કહ્યું છે કે... આ ગાથાની પણ વ્યાખ્યા ટીકાકારના અક્ષર વડે કરું છું... તીર્થંકર પ્રવચન = દ્વાદશોગીગણિપિટક માવચનિક યુગપ્રધાન આચાર્ય વિગેરે તથા કેવલી, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, ૧૪ પૂર્વધર તથા આમÑષધિ આદિ લબ્ધિવાળા વગેરેની સામે જવું. તેઓને નમન કરવું અને તેઓનું દર્શન, ઉત્કીર્તન (ગુણો ગાવવા) કરવું અને બરાસ, કેશર ઇત્યાદિરૂપ સુગંધી દ્રવ્યોવડે પૂજવું. સ્તોત્રોવડે સ્તુતિ કરવી, તે પણ સભ્યભાવનાના હેતુઓ છે. દ્રવ્યતીર્થ નિષેવામાં (મૂલભાવ-આદરભાવ વિશે) આચાર્યમહાગિરીજી'નું ઉદાહરણ કહે છે. આર્ય મહાગિરિની કથા શ્રી સ્થૂલભદ્ર સ્વામીને મહાયશવાળા ૬શપૂર્વધર ગુણસમૂહવાળા યુગપ્રધાન બે શિષ્ય થયાં, તેમાં પહેલાં સમ્યક્ત્વજ્ઞાન અને ચારિત્રની શુદ્ધિવાળા આર્યમહાગિરિ સૂરિ અને બીજા તેને તુલ્યગુણવાળા તેમની સેવા કરનાર (તેમને અનુસરનાર) આર્યસુહસ્તિસૂરિ છે. આર્યમહાગિરિએ એકવાર જિનકલ્પ વિચ્છેદ થયા છતાં ગચ્છ પ્રતિબદ્ધ આર્યસુષુપ્તિસૂરિને ગચ્છ સોંપીને જિનકલ્પની તુલના કરવાનો પ્રારંભ કર્યો. એક વખત વિચરતા આર્યસુહસ્તીસૂરિ પાટલીપુત્રમાં ગયા અને શ્રેષ્ઠ ઉદ્યાનમાં રહ્યાં. વસુભૂતિ વિગેરે શેઠિયાઓ વંદન કરવા આવ્યા, નગરજનો વંદન કરી શુદ્ધભૂમિ ઉપર બેઠા. તે પર્ષદામાં સકલ દુઃખ હરનારી સંવેગરંગના સંસર્ગને ઉત્પન્ન કરનારી સદ્ધર્મ દેશના સૂરિએ પ્રારંભ કરી. ઓ ભવ્યજીવો ! અતિ દુર્લભ મનુષ્ય જન્મ પ્રાપ્ત કરી શ્રીસર્વજ્ઞ પ્રણીત ધર્મમાં સદા આદર કરવો. ૧૮ દોષોથી રહિત એવાં જિનને દેવ તરીકે સ્વીકારો અને શ્રેષ્ઠ સાધુઓને ગુરુ તરીકે સ્વીકારો, તેમજ જીવાદિ પદાર્થની શ્રદ્ધા કરો, મોહજાલ તોડી નાંખો, રાગદ્વેષરૂપી શત્રુઓનો નાશ કરો, કષાયો છોડી દો, દુર્રાન્ત ઇન્દ્રિય ઘોડાઓનું દમન કરો. સર્વ મોટા દુઃખની પરંપરાનું સ્થાન એવો ઘરવાસ છોડી રાત્રિભોજનથી રહિત, પાંચ મહાવ્રતથી યુક્ત ત્રણ ગુપ્તિથી સુગુપ્ત, પાંચ સમિતિથી સંવૃત, ક્ષાન્તિ વિ. દશ પ્રકારના ઉદાર સંયમધર્મને સ્વીકારો. જો આ સંયમધર્મ આદરવા શક્તિમાન ન હો તો ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રતથી યુક્ત પાંચ અણુવ્રતવાળા ગુહસ્ત્રધર્મનું પાલન કરો. ઋદ્ધિઓ, યૌવન અને જીવનને ક્ષણભંગુર જાણી સંસારને છોડી શોભનસારવાળા સિદ્ધનગરમાં જાઓ. આ સાંભળી આખી સભા ઘણી જ સંવેગ પામી. ત્યારપછી આચાર્ય ભગવંત આર્યસુહસ્તિસૂરિના ચરણ કમળમાં પ્રણામ કરી વસુભૂતિ બોલ્યો. હે ભગવન્ ! જે આપે કહ્યું તેમાં કોઈ સંદેહ નથી, પણ યતિધર્મને પાલન કરવા હું સમર્થ નથી. Page #30 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ આર્ય મહાગિરી કથા ૧૯ તેથી મહેરબાની કરી મને ગૃહસ્થ ધર્મ આપો. ભલે, “તો એ પ્રમાણે કરો', એમ ગુરુએ કહ્યું. ત્યારે વસુભૂતિ ગૃહસ્થ ધર્મ ગ્રહણ કરી ઘેર ગયો અને તે ધર્મ સ્વજનો આગળ કહ્યો, પણ કોઈએ ન સ્વીકાર્યો. ત્યારે પાછો ગુરુ પાસે જઈ હાથ જોડી કહ્યું કે “મેં સ્વજનોને આ જિનધર્મ કહ્યો પણ મારા વચનથી તેમને પરિણમ્યો નહિ.” તેથી આપ ત્યાં પધારીને સ્વદેશનારૂપ યાનપાત્રવડે સમુદ્રમાં ડુબતા તેઓનો ઉદ્ધાર કરો. ત્યારે સુહસ્તસૂરિ તેનાં ઘેર આવી દેશના આપી અાવ્રત આપે છે. તેટલામાં જિનકલ્પના વિધાનથી વિચરતા આર્યમહાગિરિ ત્યાં આવ્યા. અને તેઓને દેખી સહસા આચાર્ય સુહસ્તિસૂરિ ઉભા થયા. તે દેખી શેઠે પૂછ્યું શું તમારે પણ અન્ય ગુરુ છે ? સૂરિ બોલ્યા, હા, અમારા ગુરુ છે. જે દુષ્કર ક્રિયામાં રક્ત બની અતિ દુષ્કર તપનું આચરણ કરે છે. શરીર ઉપર ઉપેક્ષાવાળા મશાન વિગેરેમાં પ્રતિમા ધ્યાને ઉભા રહે છે. ઘણાં પ્રકારના ઉપસર્ગો સહન કરે છે. બાવીસ પરિષહોને જિતે છે. દશપૂર્વમહાશ્રુતરૂપ સમુદ્રને પાર પામેલાં છે. દૂર રહેલા કાગડા વિગેરે પણ જે ભક્તપાનને લેવા ન ઈચ્છે એવા ઉજિઝત ધર્મવાળા ભક્તપાનને બુદ્ધિમાન ને ધીર આ મહાત્મા ગ્રહણ કરે છે. એ પ્રમાણે તેમનાં ગુણ સમૂહનું વર્ણન કરી અણુવ્રતો આપી સુરિ ગયા. અને શેઠ પોતાના કુટુંબીજનોને કહેવા લાગ્યા કે જયારે આ ભગવાન ભિક્ષા માટે પધારે ત્યારે ભક્તાદિ છોડી દેવા (એટલે કે તમે એકબીજાને એવી રીતે ભોજન આપો કે તમને ગમતું જ ન હોય એટલે તમે ના ના કરો છતાં કોઈક તમારાં પાત્રમાં ભક્તાદિ નાંખી દે તો તમે બીજાની થાળીમાં નાંખી દેજો આવી રીતે છોડાતી ભિક્ષાને) જો કદાચિત્ તે મહાત્મા વહોરશે તો મહાપુણ્ય થશે. તેથી બીજા દિવસે તે અપૂર્વ ભોજન દેખી ભગવાન્ આર્યમહાગિરિ પણ ઉપયોગથી અશુદ્ધ જાણી પાછા ફર્યા. આવશ્યક ક્રિયાના અંતે જ્યારે આર્યસૂતિસૂરિ ગુરુને વાંદે છે, ત્યારે આર્યમહાગિરિ ગુરુએ કહ્યું કે આર્ય ! આજે તે મારા આહાર પાણીમાં અનેષણ કરી, કેવી રીતે? ગુરુએ કહ્યું! કાલે અભુત્થાન કર્યું જેથી; આ જાણીને પરમ વિનયથી ખમાવે છે. પછી ત્યાંથી નીકળી આર્યમહાગિરિ ઉજજૈની નગરીમાં ગયા. ત્યાં જીવંતસ્વામીની પ્રતિમાને ભક્તિથી નમીને ગજાગ્રપદના નમન માટે એલકા નગરમાં ગયા. તે એકાક્ષ નગરની ઉત્પત્તિ કેવી રીતે થઈ તે જણાવે છે... (તદન્તર્ગત એલકાણ કથા) દશાર્ણપુર નગર છે. તેમાં ગુણસમૃદ્ધિવાળી રૂપાળી ધનસાર્થવાહની પુત્રી ધનશ્રી નામે શ્રાવિકા છે. જે ઉત્તમ સમક્તિ અને અણુવ્રત તેમજ શિક્ષાવ્રતને ધારણ કરનારી હતી. પણ દૈવયોગે મિથ્યાદ્રષ્ટિનાં ઘેર પરણાવી. તે હંમેશા સંધ્યાકાળે ચૈત્યવંદન કરી દરરોજ પચ્ચકખાણ ગ્રહણ કરે છે. તે દેખી તેનો પતિ હસે છે. હું પણ પચ્ચકખાણ કરીશ એમ એકવાર તેના પતિએ કહ્યું. ત્યારે ધનશ્રી બોલી તમે ભાંગી નાંખશો, ત્યારે પતિએ જવાબ આપ્યો કે રાત્રે ઉઠીને કોઈ ખાતું નથી એટલે મને પણ પચ્ચખાણ આપ. તેણીએ આપ્યું. ત્યારપછી શ્રાવિકાના ગુણથી રંજિત-દેવતા વિચારે છે કે આ મૂઢ શ્રાવિકાની મશ્કરી કરે છે. તેથી આજે એને શિક્ષા કરું. શ્રેષ્ઠ જમણવારના Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૦ મૂળશુદ્ધિ ભાગ-૧ બહાને ભોજન ગ્રહણ કરી તે જ નગરમાં વસનારી તેની બહેનનું રૂપ લઈ આવી. અને કહેવા લાગી હે ભાઈ ! ઊભો થા. તારા માટે સરસ ભોજન લાવી છું. તું ખા ! અને તે પણ ખાવા લાગ્યો. શ્રાવિકાએ કહ્યું અરે ! પચ્ચખાણ લઈને આ શું? તમે તો ખાવા લાગ્યા. “તારા પચ્ચકખાણ રૂપ પ્રલાપ સાથે અમારે શું લેવા દેવા !” એમ તે બોલ્યો. દેવીએ પણ ક્રોધિત થઈ તમાચો લગાવી બન્ને આંખ ભૂમિ ઉપર પાડી દીધી. અને તેને નિંદીને પોતાના સ્થાને ગઈ. શ્રાવિકાએ પણ આમાં તો મારો અપયશ થયો. એમ વિચારી દેવતાને મનમાં ધારી કાઉસગ્નમાં રહી તેથી દેવી ફરી આવીને કહેવા લાગી. જે કામ હોય તે કહો, શ્રાવિકાં બોલી તમે જાતે કરેલાં મારા અપયશને દૂર કરો. તત્ક્ષણ મરેલાં ઘેટાની આંખ લાવી દેવીએ જોડી અને સ્વસ્થાને ગઈ. સવારે નગરજનોએ પૂછ્યું “તારી આંખ ઘેટા જેવી કેમ લાગે છે.” તેણે રાત્રિનો સર્વ વૃત્તાંત કહ્યો. ત્યારથી માંડી તે પણ ગુણ સમૃદ્ધિવાળો સુશ્રાવક થયો. આ વૃત્તાંત પણ સર્વ ઠેકાણે પ્રસિદ્ધ થયો. કુતૂહલથી માણસો બીજેથી ત્યાં આવે છે. તેઓને કોઈ પૂછે કે ક્યાં જાઓ છો. ત્યારે તેઓ કહેવા લાગ્યા કે “એલકાક્ષ નગરમાં જઈએ છીએ” એમ એલકાક્ષ નગરની ઉત્પત્તિ થઈ. ત્યાં ગજાગ્રપદ પર્વત છે. જે જિનભવનોથી વ્યાપ્ત છે. તે પછી ગજાગ્રપદ તેનાં નામની ઉત્પત્તિ જણાવે છે. - પૂર્વે તેનું નામ દશાર્ણકૂટ હતું. અત્યારે ગજાગ્રપદ નામ જે રીતે પ્રસિદ્ધ થયું તે કહે છે તે સાંભળો. તે નગરમાં શૂર, વીર, પ્રિયવાદી, સરલ, સર્વકલાકુશળ, શ્રાવક ધર્મમાં ઉઘુક્ત, પ્રણામ કરતાં અનેક સામંત રાજાઓનાં મસ્તક મુકુટના મણિથી ઉજ્જવલ કરાયેલ = ચમકેલી અને વિશાળ પાદપીઠવાળો, સર્વ શત્રુઓનું દલન કર્યું છે જેણે એવો દશાર્ણભદ્રા નામનો રાજા હતો. તે રાજા જેમાં યુદ્ધ, ઉપદ્રવ શાંત થયેલા છે એવાં નિરુપદ્રવ તેમજ કુલક્રમથી આવેલ રાજ્યને પાળે છે. અને તેણે પોતાની લાંબી પહોળી વિશાળ સત્તાસંપત્તિનો ઘણો ગર્વ હતો. આ બાજુ ભરતક્ષેત્રમાં વિરાટ દેશમાં ધન અને જનથી સમૃદ્ધ ગુણથી સંયુક્ત ધનપૂરક નામે ગામ છે. ત્યાં એક ગામમુખીનો પુત્ર છે. જે પ્રયત્નશીલ હતો. - જ્યારે તેની પત્ની કુલટા હતી. જે કોટવાલ સાથે વસે છે. એક વખત ત્યાં રમ્ય નાટક થતું હતું. તેમાં કંકણને ધારણ કરેલ સ્ત્રીવેશધારી નટને કુલટાએ જોયો. તેને પુરુષ જાણી તેનાં ઉપર તેણીને અનુરાગ થયો. અને સૂત્રધારને કહ્યું જો આ મારી સાથે આ જ વેષે રમે તો ૧૦૮ દ્રમ્મ (રૂપીયા) આપું. તેણે સ્વીકારીને કહ્યું આ તારી પાછળ જ આવે છે. તેથી તેણીએ ઘરની નિશાની જણાવીને ખીર રાંધવા લાગી. અને નટ આવ્યો, તેના પગ ધોયા અને ખીર પીરસી, ઘી, ગોળ ભરેલો થાળ મૂક્યો. તેટલામાં કોટવાલ આવ્યો તેણીએ નટને કહ્યું તું તલના કોઠામાં ઘુસી જા. એટલામાં હું આને પટાવીને પાછો વાળું. કોટવાલે કહ્યું “શું કરે છે?” તેણીએ કહ્યું જમુ છું. ઉભી રહે ! મારે ખાવું છે. તે પણ બળજબરીએ જમવા બેઠો. ત્યાં તો પતિ આવ્યો તેણીએ કોટવાલને ઈશારાથી કહ્યું તું આમાં પેસી જા, પણ આગળ કાળો નાગ છે, માટે દૂર ના જતો. પતિએ પૂછ્યું શું કરે છે ? ત્યારે કહ્યું હે નાથ ! ભુખ લાગી છે, માટે જમું છું. પતિ કહે તું ઉભી રહે મને જમવા દે. તેણીએ કહ્યું પણ તમે હાયા વિના ક્યાં જમો છો. આજે આઠમ છે, માટે જાઈને જમો. તે બોલ્યો હું જમું ત્યાં સુધી તું ન્હાઈ લે. એમ કહી જમવા લાગ્યો. //૬ Page #32 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ આર્ય મહાગિરી કથા ૨ ૧ આ બાજુ ભુખ્યો થયેલો નટ તલ ફાંકવા લાગ્યો. તેનો અવાજ સાંભળી કોટવાલ સર્પ માનીને ભાગ્યો. તેથી બીજો-સ્ત્રી વેશધારી નટ પણ ભાગ્યો. પતિએ પત્નીને પૂછ્યું આ શું ? હે પ્રિયે ! તું કહે, તે ખેદ સાથે બોલી - હા અનાર્ય ! મેં તમને પહેલાએ વાર્યા, પણ મારી વાત તમે ન માની. અરે આ તો શંકર અને પાર્વતી આપણાં ઘેર રહેલા હતાં, પણ આજે આઠમના દિવસે ધર્મનું ખંડન કર્યું, તેથી નીકળી ગયા. પતિ દુઃખી થઈને પૂછે છે હવે કાંઈ ઉપાય છે ? કે જેથી કરીને આ મારા ઘેર પાછા આવે. તે બોલી તમે ઘણું દ્રવ્ય કમાઈને તેમની મહાપૂજા કરો, તો તમારા ઉપર તુષ્ટ થઈને ફરી આવશે. એમ સાંભળી ખરેખર હું એમની પૂજા કરીશ એમ મનમાં વિચારતો ઘરથી નીકળી દ્રવ્ય કમાવા દૂર દેશમાં ગયો. કામ ધંધો કરી દશ ગદિયાણાં – અર્ધાતોલાનું વજન = પાંચ તોલા સોનું મેળવ્યું. આ થોડું છે એમ માની સંતોષ - ખુશ તો ન થયો, છતાં પણ ઘર ભણી પ્રયાણ કર્યું. રસ્તામાં એક ઝાડ નીચે બેઠો. તેટલામાં ઘોડાથી અપહરણ કરાયેલો રાજા દશાર્ણભદ્ર ત્યાં આવ્યો. થાકેલો રાજા ઘોડા ઉપરથી ઉતર્યો. તેણે રાજાને પાણી આપ્યું અને પલાણ ઉતાર્યું અને રાજાની સેવા કરવા લાગ્યો. રાજાએ આરામ કરતાં તેને પૂછ્યું ત્યારે પૂર્વ વૃત્તાંત કહ્યો. રાજા વિચારવા લાગ્યો. તેની પત્નીવડે બિચારો ઠગાયો. પણ એનો ઉત્સાહ ઘણો છે. ધન પાસે ન હોવા છતાં “કમાઈને હું પૂજા કરીશ.” આવો આનો ઉત્સાહ છે, તેથી આ કર્મઠ પુરૂષનું અધિક હિત શું કરું? અથવા મારા નગરમાં લઈ જાઉં, કારણકે આ મારો ઉપકારી છે. એમ રાજા વિચારતો હતો તેટલામાં સૈન્ય આવ્યું. તેને લઈ નગરમાં ગયો. અને સભામાં બેઠેલા રાજાએ તેને કહ્યું, “હે ભદ્ર ! તને શું આપું? તે કહે હે દેવ ! પૂજાની સામગ્રી આપો. પછી કુતૂહલથી વિવિધ ગોઠી-વાતચીતો કરતો રાજા પાસે રહેવા લાગ્યો. આ બાજુ દેવપૂજિત રૈલોક્યના સૂર્ય વીર જિનેશ્વર સંધ્યાકાળે તે નગરમાં પધાર્યા. અને દેવોએ સમવસરણ રચ્યું. ll૮૮. ત્યારે નિયુક્ત પુરુષોએ દશાર્ણભદ્ર રાજાને વધામણી આપી કે હે રાજન્ ! નરેન્દ્ર દેવેન્દ્રના વૃન્દથી પરિવરેલાં, શ્રમણ સમૂહથી સંવૃત્ત, ૩૪ અતિશયથી સંયુક્ત, દિવ્યજ્ઞાનવાળા, આઠ પ્રાતિહાર્યથી શોભિત અહીં દશાર્ણકુટમાં વીરસ્વામી સમોસર્યા છે. તે સાંભળી સહસા રોમાંચિત શરીરવાળા રાજાએ ત્યાં રહ્યા જ ઉભા થઈ વંદના કરી, વધામણી આપનાર પુરુષોને સાડાબાર લાખ ચાંદીના દ્રમ્મો (દ્રમ્ય = નિષ્કનો સોળમો ભાગ; નિષ્ક – પ્રાચીન સિક્કો છે ૧૨૮૦ કોડી = ૧ દ્રમ્મ) અને અંગે લાગેલા આભરણો આપ્યા. પહેલાં કોઈએ જે રીતે ભગવાન વાંધા ન હોય તે રીતે સર્વ નિજઋદ્ધિથી આવતી કાળે ભગવાનને હું વાંદીશ.” એમ વિચારી તીર્થકર, ચક્ર, બળદેવ, વાસુદેવ વિગેરેના ચરિત્રો સાંભળવા અને ચિંતવવા વડે હર્ષથી રાત્રિપૂર્ણ કરી. સવારે મંત્રીવર્ગને આદેશ કર્યો. “સર્વ સામગ્રી તૈયાર કરાવો !” અને “હું તે સામગ્રી સાથે જિનવંદન કરવા જાઉં છું. તેથી નગરજનો પોતાની સર્વસામગ્રી લઈ જિન વંદના કરવા આવે” એમ ઘોષણા કરાવો. - કાળની હાનિ-ટાઈમ બગાડ્યા વિના રાજાના તે વચનને મંત્રીઓએ આજ્ઞા દ્વારા સર્વ રીતે સંપાદિત (પૂર્ણ) કર્યું. રાજાએ ઋદ્ધિ સહિત લોકોને આવતા દેખી.સ્નાન કરી, બલિ કર્મ કરી, અલંકારથી અલકૃત બની, શ્વેત વસ્ત્ર અને શ્વેત છત્ર ધારણ કરતો, શ્વેત ચામરથી વીંઝાતો, સર્વ અંતઃપુરથી યુક્ત લીલાથી-વટથી સમવસરણમાં ગયો. ગજરાજથી ઉતરી ત્રણ પ્રદક્ષિણા આપી જિનેશ્વરને અભિવંદન કરી સ્વસ્થાને બેઠો. (૧૦૨) Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૨ મૂળશુદ્ધિ ભાગ-૧ ત્યારે જનગામિની સ્વસ્વભાષામાં પરિણામ પામનારી વાણીવડે ભગવાને ધર્મ કહેવાનો પ્રારંભ કર્યો. આ અરસામાં ઈજે વિચાર્યું “ધિક્કાર હો ! આ રાજા જે ખોટો ગર્વ કરે છે. તેથી બોધ પમાડ” એમ વિચારી ઈન્દ્ર ઉત્તુંગ અને શ્વેત કાન્તિવાળો, મણિકંચન અને રત્નથી શોભિત શરીરવાળો ઐરાવણ હાથી રચ્યો. જેને આઠ મુખ બનાવ્યા. એક એક મુખમાં આઠ આઠ દંતશૂળ અને દરેક દાંત ઉપર આઠ-આઠ વાવડીઓ, દરેક વાવડીઓમાં આઠ-આઠ કમળ, દરેક કમળના આઠ-આઠ દળ-પાંદડા દરેક દળે આઠ-આઠ સુરમ્ય નાટકો વિદુર્વા, સામાનિક, દોગંદક, ત્રણપર્ષદા, સુસજજ અંગરક્ષકો, લોકપાળો, સેનાપતિ અને સાત પ્રકારનાં સૈન્ય, સર્વે પ્રકીર્ણક દેવો, આભિયોગિક, કિલ્બિષિકો અને અપ્સરાના સમૂહથી પરિવરેલો ચારે તરફથી દેવેન્દ્રની ઋદ્ધિથી દીપતો-શોભતો ત્યાં આવીને પ્રદક્ષિણા કરી તે હાથીના અગ્રપદ નમાવે છે. તે બે પગ શક્ર પ્રભાવથી ત્યાંજ ખેંચી-ખૂંપી ગયા. જે આજે પણ દેખાય છે. એથી ગજાગ્રપદ' એવું પર્વતનું નામ થયું અને ભક્તિભરિત અંગવાળા ઈન્દ્ર પ્રભુ પદકમળને નમીને અભૂતગુણની આ પ્રમાણે સ્તુતિ કરી. 1. ભવસમુદ્રમાં ડુબતાં પ્રાણીઓને તારવામાં જહાજ સમા, સુરેન્દ્ર અસુરેન્દ્ર વૃન્દથી વંદિત ! મુનીન્દ્ર ! (૧૧૪) દુર્જય કામદેવને જિતનારા ! મોહમલ્લનું બળ હરનારા, હાથમાં રહેલ મુક્તાફળની જેમ ત્રણ લોકને જોનારા, દુષ્ટ અષ્ટકર્મરૂપી વૃક્ષની કઠિન ગાંઠને છેદવામાં તીક્ષ્ણ કુઠારસમા, ત્રણ લોકના તિલક ડે જિનેન્દ્ર ! તમારાં પાદકમળને હું નમસ્કાર કરું છું. માનસિક અને શારીરિક અનેક દુઃખથી પીડાતા એવા અમોને શિવસુખ આપવા દ્વારા પ્રસાદ-મહેર કરો ! (૧૧૭). એમ સ્તુતિ કરી ભક્તિ પૂર્ણ હૃદયવાળો ઇન્દ્ર નિજસ્થાને બેઠો અને ધર્મ સાંભળવા લાગ્યો. તે દેખી દશાર્ણભદ્ર રાજા સંવેગ પામ્યો અને એમ વિચારવા લાગ્યો “આને સુંદર ધર્મ કર્યો છે જેથી આવી ઋદ્ધિ મળી છે.” મને ધિક્કાર હો. ખોટો ગર્વ કરવાથી- ઘમંડ રાખી તૃણ અને થી પણ આત્માને હલકો કર્યો.” આની અને મારી ઋદ્ધિમાં ઘણું અંતર છે. તેથી શા માટે અજ્ઞાની એવા મેં આત્માને ખેદ પમાડ્યો ? જે સંસારમાં આવા અપમાન દેખવા પડતા હોય તે સંસારથી શું પ્રયોજન ? એથી તપસંયમમાં ઉદ્યમ કરું. એમ વિચારી જિનેશ્વરને નમી કહેવા લાગ્યો. તે પ્રભુ ! જો હું યોગ્ય હોઉં તો મને દીક્ષા આપો. અતુલ સંવેગ રસવાળો જાણીને ભગવાને તરત મુનીઓ દ્વારા ઉપાસિત મહાન દીક્ષા આપી. તે દેખી ઇન્દ્ર તે રાજાને પગે પડ્યો અને કહ્યું આ તો મારી શક્તિ નથી. આપ જીત્યા. પચાસ હજાર રથ, સાતસો રાણીઓ છોડી ઘોર તપ કરી દશાર્ણભદ્ર રાજા મોક્ષે સીધાવ્યા. તે ગામમુખી પુત્રે પણ રાજાની દીક્ષા દેખીને સંવેગ પામી જિનેશ્વર પાસે પ્રવ્રજયા સ્વીકારી. - પરમ પવિત્ર અને કુદરતી રીતે પ્રકૃતિથી શુભભાવ પેદા કરનાર તીર્થ સ્વરૂપ એવા ગજાગ્રપદ પર્વત ઉપર આર્યમહાગિરિએ ચૈત્યોને વાંદી વિસ્તૃત શિલાતલ ઉપર ઉત્તમ સત્ત્વશાલી આત્માઓજ આચરી શકે તેવું પાદપોપગમન અનશન કર્યું, અને સ્વર્ગે સીધાવ્યા. એમ દર્શનશુદ્ધિના નિમિત્તે આર્યમહાગિરિએ દ્રવ્યતીર્થની સેવા ભક્તિ કરી. (ઇતિ આર્યમહાગિરિ કથા સમાપ્તમ્) Page #34 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ ભીમ અને મહાભીમની કથા . ૨ ૩ ભાવતીર્થની સેવામાં “ભીમ અને મહાભીમ'નું ઉદાહરણ... ભીમ અને મહાભીમની કથા આકાશતલને ચુંબન કરતા જ્યાં ચઢવું મુશ્કેલ છે એવા સેંકડો શિખરોવાળો, વિવિધવૃક્ષના વનખંડથી મંડિત-સુશોભિત મેખલાવાળો, ભમતા ભીષણ જંગલી જાનવરોવાળો અનેક ગુફામાં વસતા ભિલ્લ સમૂહવાળો, સંચરણ કરતા હાથીના જૂથવાળો, નર્મદા નદીના પ્રવાહનું ઉત્પત્તિસ્થાન, ઝરણાના ઝંકારથી દિશાને બહેરી કરનાર, વાંદરાના હુપાહુપથી પ્રચુર અવાજવાળો, મોર અને કોયલના અવાજથી વ્યાપ્ત-વાચાલ-મુખરિત એવો વિંધ્યાચલ પર્વત છે. તેનાં વિષમ અધોભાગમાં તળેટીમાં વસકલંકી નામે ચોરપલ્લી છે. તેમાં ચોરોના અધિપતિ ભીમ અને મહાભીમ બે ભાઈ વસે છે. તેઓ સમ્યગ્દષ્ટિવાળા હોવા છતાં અવિરતિવાળા પ્રાણીવધ વિગેરેમાં આસક્ત પ્રાયઃ ચોરીથી વૃત્તિ ચલાવે છે. એક વખત સાર્થની સાથે અનિયત રીતે વિહાર કરતાં સૌમ્યતાથી ચંદ્ર સરખા, તપતેજની દીપ્તિથી સૂર્યસમાન, ક્ષમા ધારવામાં પૃથ્વી જેવાં, ગંભીરતામાં સમુદ્ર જેવાં, સ્થિરતામાં મેરુપર્વત સમાન, નિરાલંબપણામાં ગગનતળ જેવા, દુઃખસંતાપથી તપ્ત ભવ્યપ્રાણીઓનાં સંતાપ હરવામાં મેઘ સમાન, બુદ્ધિમાં બૃહસ્પતિ સમાન, તે કાલમાં વર્તનાર શ્રુતના પારગામી, પરોપકારમાં દત્તચિત્તવાળા, જાણે મૂર્તિમાન જિનધર્મ હોય એવા સાધુઓથી પરિવરેલા ધર્મઘોષસૂરિ' પલ્લીમાં પધાર્યા. આ અવસરે આકાશ તમાલપત્ર સરખા કાળા વાદળાઓથી વ્યાપ્ત થઈ ગયું. ભારેગર્જનાથી જાણે આભ ફૂટવા લાગ્યું. વિજળી ચમકારા મારવા લાગી. મુશળધારે પાણી પડવા લાગ્યું. નદીઓ ઘોડાપુરથી ગાંડીતુર બની ગઈ. માર્ગો કાદવથી ભીનાં થઈ ગયા, નદી-નાળા મોટા માર્ગો પણ પાણીથી ભરાઈ ગયા, ઇન્દ્રગોપ = ગોકળગાય, વિગેરે સુંવાળા જીવ જંતુઓ ભમવા લાગ્યા, અને પૃથ્વી નવાંકુરોથી વ્યાપ્ત થઈ ગઈ છે તેવા પ્રકારની વરસાદની શોભા જોઈ વિરાધના ટાળવા ગુરુએ સાધુને તેજ પલ્લીમાં વર્ષાકાળ નિમિત્તે વસતિની ગવેષણા કરવા કહ્યું ! સાધુઓ પલ્લીમાં આવ્યા. મધ્યમ વયના માણસને પૂછયું, અહીં અમને કોઈ વસતિ આપનાર છે? વસતિ માટે પલ્લિપતિનું ઘર બતાવ્યું. તેઓ તમારા ભક્ત છે. પલ્લીપતિને ઘેર ગયા. બે ભાઈઓએ દેખ્યા, “અહો ! અસંકલ્પિત ઘર આંગણે કલ્પવૃક્ષ ઉગ્યો ! અચિંતિત ચિંતામણીનો સંયોગ થયો ! અકામિત કામધેનુનો સમાગમ થયો ! અપ્રાર્થિત કામઘટ મળ્યો ! એમ વિચારતા હર્ષથી વિકસિત નેત્રવાળા પગમાં પડ્યા. અને કહ્યું અમારે યોગ્ય કામકાજ જણાવો. ત્યારે સાધુઓએ કહ્યું કે “અમને ગુરુમહારાજે ચોમાસું રહેવા યોગ્ય વસતિ નિમિત્તે મોકલ્યા છે !” શું અહીં કોઈ ઉપાશ્રય બીજો છે ? “અહો ! આપે મારા ઉપર ઘણો ઉપકાર કર્યો” એમ કહેતાસાધુને ઉપાશ્રય દેખાડ્યો. ત્યાં આવી સૂરિ અને સાધુ ભગવંતો સ્વધર્મ-યોગમાં મસ્ત-પરાયણ બન્યા. અને પલિપતિઓ તેમની ભક્તિમાં રત થઈ કાળ પસાર કરવા લાગ્યા. ક્યારેક મુનિવરના વદનથી નીકળતા મધુર સ્વાધ્યાયને સંવેગથી ભાવિત મનવાળા અમૃતના ઘૂંટડાની જેમ પીએ છે. Page #35 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ ક્યારેક ધ્યાન ધરતા મુનિને ઉપર નેત્રો લગાડી બેસતા. પડિલેહણ વિગેરેમાં ઉદ્યમશીલ સાધુને જોઈ ગુણાનુરાગથી હર્ષને વહતા, ભવસમુદ્ર તરવામાં યાનપાત્ર સમાન ગુરુમુખથી વ્યાખ્યાન સાંભળતા એ પ્રમાણે ભક્તિ નિર્ભર યતિસેવામાં તત્પર, સંવેગભાવિત તેઓનો વર્ષાકાળ પસાર થયો. હવે એક વખત ગુરુએ સાધુઓને ઉદ્દેશીને તે બે પલ્લીપતિઓને સાંભળતા બે ગાથા કહી. શેલડીઓ વાડ ઓiધી રહી છે. પાત્ર બની શકે તેટલી મોટી તુંબડીઓ થઈ ગઈ છે. બળદો બળવાળા બની ગયા છે, ગામોમાં કાદવ સુકાઈ ગયો છે. માર્ગમાં પાણી ઓછું થઈ ગયું છે. ભૂમિ પણ કઠણ (મજબૂત) બની ગઈ છે. રસ્તાઓ પણ મુસાફરોથી વ્યાપ્ત થવા લાગ્યા છે. એટલે સાધુઓને વિહાર કરવાનો સમય થઈ ગયો છે. (ઓ.નિ. ૧૦૦-૧૭૧) વિહારની વાત સાંભળી લાગણી સભર હૃદયે હાથ જોડી વિનંતિ કરવા લાગ્યા... હે ભગવન્! શું મહાઆરંભમાં મગ્ન અમને તમારી સેવાથી પાપપક ધોવાની તક માટે અથવા અમારા અનુગ્રહ માટે આપ અહીં જ ના રોકાઓ ? ત્યારે ગુરુએ કીધુ કે હે શ્રાવકો ! એક ઠેકાણે રહેવું તે સાધુનો કલ્પ નથી. આગમમાં પણ કહ્યું છે કે..... શ્રમણો, પંખીઓ, ભમરાઓ, ગાયો અને શરદ ઋતુનાં વાદળાઓ અનિયત વસતિવાળા હોય છે. (ઓ.નિ. ૧૭૨) માટે મહાનુભાવ ! અહિં રોકાવાનો આગ્રહ ના કરો. આવતીકાલે અમો વિહાર કરશું. બીજા દિવસે સાધુઓ વિહાર કરવાની તૈયારી કરવા લાગ્યા. ત્યારે ભીમ મહાભીમને બોલાવી આચાર્ય મહારાજ કહે છે, કે કાલે વિહાર માટે સારો દિવસ છે, તેથી તે ભદ્ર ! સંસારનું અસારપણું, ઇન્દ્રિયોનું ચંચલપણું, વિષયોનું ક્ષણમાત્રરમ્યપણું, આયુ:પ્રદેશોનું સતત ભંગુરપણું, પાપાચરણને દુર્ગતિ ગમનનું કારણ વિચારી, કાંઈક સર્વવિરતિ (પ્રમુખ) ઈત્યાદિ વિરતિને ગ્રહણ કરો, ત્યારે ભીમ અને મહાભીમ કહેવા લાગ્યા. મરુસ્થલમાં કલ્પવૃક્ષ, ચપ્પાલના ઘેર ઐરાવણ હાથી, દારિદ્રવાળાને ઘેર રત્નવૃષ્ટિ ક્યાંથી હોય? તેમ અમારા જેવા પ્રાણીઓને આવી સામગ્રી હે ગુરુદેવ ! ક્યાંથી હોય ? એમ બોલીને કહ્યું કે જે અમારે ઉચિત હોય તે આપ જ કહો. ત્યારે ગુરુએ રાત્રિભોજન વિરમણવ્રત આપ્યું અને તેનાં દોષો બતાવ્યા. રાત્રિમાં રાક્ષસ વિગેરે પૃથ્વી ઉપર ચારે બાજુ ફરે છે. અને રાત્રે જમનાર તેઓ સ્પષ્ટ આપણું ભોજન એઠું કરે છે. અને આહારમાં કીડી આવે તો બુદ્ધિનો નાશ કરે, માખીથી ઉલ્ટી થાય, જૂ થી જલોદર રોગ થાય, કરોળિયો કોઢ રોગ કરે, વાળથી સ્વરભંગ થાય, કાંટો અને લાકડુ ગળામાં ફસાય છે. ભોજન કરતાં શાકમળે વીંછીં આવી જાય તો તાળવું વીંધાઈ જાય, ભાજન ધોવામાં કુંથુઆ વિગેરે જીવો હણાય. ઘણું શું કહ્યું - આ રાત્રિભોજનનાં દોષોને વર્ણવા કોઈ સમર્થ નથી. નિશીથભાષ્યમાં પણ કહ્યું છે કે ...... પ્રાસુક દ્રવ્ય હોવા છતાં કુંથુઆ, નિલફૂલ વિ. રાત્રે દેખાવા મુશ્કેલ છે, માટે પ્રત્યક્ષજ્ઞાની પણ રાત્રિભોજન પરિહરે છે. જો કે દીવા વિગેરે ના અજવાળામાં કીડી વિગેરે દેખાય, પણ રાત્રિભોજનથી મૂળવ્રતની વિરાધના થતી હોવાથી અનાચીણે કહ્યું છે. એ પ્રમાણે અનુશાસન (હિતશિક્ષા) અને રાત્રિભોજન વિરમણવ્રત આપી સૂરિએ સવારે વિહાર કર્યો. ત્યારે તલવાર લઈ બન્ને ભાઈ સીમાડા સુધી ગયા. ત્યારે પાછા ફરતાં તેઓને ગુરુએ Page #36 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ આરામશોભા કથા ૨૫ કહ્યું કે વ્રતભંગમાં મોટો દોષ છે. અને થોડું પણ વ્રતનું પાલન ગુણકારી થાય છે. ગુરુ મહારાજે અન્યદેશ ભણી વિહાર કર્યો. “ઇચ્છે” (અમારી પણ ઇચ્છા છે.) એમ કહી ભીમ, મહાભીમ પોતાને ઘેર ગયા. - હવે એક વખત અન્ય પ્રદેશમાં ગયા અને ઘણું ગોધન લુંટી લાવ્યા. અને પલ્લીની નજીકમાં ગામની બહાર ચોરો પાડાને મારે છે. અને અડધા તેને રાંધવા લાગ્યા અને અડધા મદિરા લેવા ગામમાં ગયા. પણ ગોધનના લોભથી બન્ને પક્ષોએ મારવા માટે માંસ અને મદિરામાં ઝેર ભેળવ્યું. તેટલામાં સૂર્યાસ્ત થતાં દ્રઢવ્રતવાળા ભીમ અને મહાભીમે તો ન ખાધું. અને શેષ ચોરો ઝેરથી મરણ પામ્યા. તે દેખી બન્ને ભાઈ પરસ્પર કહેવા લાગ્યા. “અરે ! અવિરતિના કારણે બધા મરી ગયા. જ્યારે આપણે એક રાત્રિભોજન વ્રતથી બચી ગયા. અને આ ઋદ્ધિ પ્રાપ્ત થઈ અને પરલોકમાં મોક્ષ થશે એમાં કોઈ સંદેહ નથી.” એમ કહી સર્વ ગોધન ગ્રહણ કરી ઘેર આવ્યા. મૃત ચોર પરિવારનું યથોચિત કરી, “વ્રત લેવાથી લાભ થાય છે. એવી ખાત્રી થવાથી શક્તિ પ્રમાણે બીજા પણ નિયમો સ્વીકાર્યા. એમ વિશુદ્ધ સમક્તિવાળા ગ્રહણ કરેલ વ્રતને પાળવામાં તત્પર, સાધુની સેવા અને ગુણથી રંગાયેલા મનવાળા, દીન, અનાથ વિગેરેને દાન આપવામાં મસ્ત-પરાયણ બનેલા, પ્રશસ્ત ભાવનાથી ભાવિત જિનેશ્વરની-વંદન પૂજામાં તત્પર, સ્વદુષ્કૃત્યોને નિંદનારા, એવા તે બન્નેનો ચરમસમય આવી ગયો. તેથી પંચ પરમેષ્ઠીના નમસ્કારમાં પરાયણ બનેલા મરી દેવલોકમાં ગયા. ત્યાંથી આવી બન્ને ભાઈ મનમોહક માનવભવ અને દિવ્ય દેવભવો પ્રાપ્ત કરી અનુક્રમે મોક્ષે જશે. એ પ્રમાણે ભાવતીર્થની સેવા સમકિતને શણગારે છે. ' “ઇતિ ભીમ-માભીમ કથા સમાપ્તમુ” હવે ચોથું “ભક્તિભૂષણ” કહે છે.... તે વિનય વૈયાવચ્ચરૂપે છે, જે સમક્તિને શોભાવે છે. કહ્યું છે કે.... તીર્થકર, શ્રેષ્ઠમુનિગણ અને સંઘની ઉત્તમ રીતે અનવરત કરવામાં આવતી પરમભક્તિ સમકિતને વિભૂષિત કરે છે. માટે ભવથી ભયભીત થયેલા ભવ્યોએ સમકિતને શોભાવા સારુ સતત એની ભક્તિમાં રત રહેવું જોઈએ. તીર્થકરની ભક્તિ વિષે “આરામશોભા'ની કથા કહે છે. ( આરામશોભા કથા ) સર્વ દીપ સમુદ્રની મધ્યે રહેલાં આજ જંબુદ્વીપમાં છ ખંડવાળું ભરતક્ષેત્ર છે. તેનાં મધ્યખંડમાં ગાય ભેંસરૂપ પશુધનથી વ્યાપ ઘણો જ રમણીય ગુણનો ભંડાર કુશર્ત નામે શ્રેષ્ઠ દેશ છે. પરિશ્રમથી કલાન્ત-થાકેલા એવાં નરનારીનાં હૃદય જેમ ઘણાં શ્વાસવાળા હોય તેમ ઘણાં ધાન્ય (શસ્ય) વાળું, મહામુનિ જેમ સંવરવાળા હોય તેમ સારા પશુઓવાળું, કામીનીજનનું શીર્ષ જેમ સેંથાવાળું હોય તેમ સીમાડાવાળું સ્થાલશક નામે મોટું ગામ છે. હર્ષઘેલા સેંકડો લોકોથી રમ્ય, દુષ્ટ રાજા અને ચોરોથી અગમ્ય (ત્યાં નજર પણ નાંખી ન Page #37 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ શકે) દાન, દયા અને ઇન્દ્રિય દમનનું ઘર, એવાં સકલગુણથી યુક્ત તે ગામ છે. સ્વરૂપથી તે ગામ ઝાડ વિનાનું છે. અને તે ગામની ચારે દિશામાં એક યોજન ભૂમિ સુધી ઘાસ સિવાય બીજું એક પણ ઝાડ ઉગતું નથી. ત્યાં જુવેદ વિગેરેનો પાઠક અગ્નિશર્મા નામે બ્રાહ્મણ છે. તેની જ્વલનશિખા નામે બ્રાહ્મણી છે. વિષયસુખ ભોગવતા તેમને એક પુત્રી થઈ. તેનું વિધુત્મભા નામ પાડ્યું. તે રૂપાદિ ગુણથી મંડિત હતી. એટલે કે રૂપથી સુરાંગનાનો તિરસ્કાર કરનારી, ગતિ અને વચનથી શ્રેષ્ઠ હંસ જેવી, સૌમ્યપણાથી જાણે ચન્દ્રલેખા, ગૌરી નારીમાં સૌભાગ્યને શોભાવનારી, દક્ષચતુર, વિનંતી, ગુરજન વિષે ભક્તિવાળી, સ્ત્રીયોગ્ય પ્રશસ્ત કલાગમથી યુક્ત, સત્ય-શૌચ અને શીલથી ભૂષિત સરલ સ્વભાવવાળી હતી, એટલે તે ક્યારે પણ વાંકી-કુટિલ બનતી ન હતી. તે આઠ વર્ષની થઈ એટલે તેની માતાએ રોગ જરા અને કલેશરૂપી દાઢાથી ભયાવહ એવા મૃત્યુ મુખમાં પ્રવેશ કર્યો. તેથી તેણે જાતે જ બધુ ઘરનું કામકાજ કરવાનું ચાલુ કર્યું. તે સવારે ઉઠી ગાય દોહે, પછી છાણનું લીપણું વિ. કરી કચરો કાઢે, ગાય ચરાવા જાય, વળી મધ્યાહ્ન કાળે આવીને ગાય દોહે અને બાપુજીને જમાડી જાતે જમે, પછી ગાય ચરાવા જાય, સાંજે પાછી ઘેર આવે, અને સંધ્યાકાળે સર્વે કાર્યો કરીને સુઈ જાય. એ પ્રમાણે દરરોજ ઘર કામ-કાજથી તે બાળા થાકી જતી. એક વખત ઘણી થાકી જવાથી લાજ મૂકીને બાપુજીને પુનઃલગ્ન માટે કહ્યું, કારણ કે ઘરનું કામ કરતા મારું શરીર તૂટી જાય છે. ત્યારે પિતાએ “આ દીકરી ઠીક કહે છે” એમ વિચારી કોઈ સ્ત્રી સાથે લગ્ન કર્યા. પણ અપર માતા તો ઘરનો બધો ભાર વિધુત્વભા ઉપર મૂકી સ્નાન વિલેપન મેકઅપ કરવા અને ટાપટીપમાં મસ્ત રહેવા લાગી. ત્યારે વિદ્યુતૂભાએ વિચાર્યું સારું કરવા જતાં વધારે ખરાબ થયું. ત્યારે તે તો સવારે ઘરમાંથી નીકળે અને ભોજનવેળા વીત્યા પછી ઘેર આવે અને ઘેર જે કાંઈ વધેલું પડ્યું હોય તે જમી પાછી જંગલમાં જતી રહે છે અને છેક રાત્રે પાછી આવે. એમ પહેલાની જેમ કલેશમાં દિવસો વીતાવતાં બાર વર્ષ થઈ ગયા. એક દિવસ ગાયોને ચરાવતા છાયાનો અભાવ હોવાથી ઘાસ મળે સુઈ ગઈ. એટલામાં ત્યાં કાળો ભમ્મર, મહાકાયાવાળો, રાતી આંખોવાળો, ચપલ બે જીભવાળો, ફણાટોપવાળો, ઉતાવળી ગતિવાળો, ભયથી ડરેલો એક ઝેરી સાપ તેની પાસે આવ્યો. તે સાપ નાગકુમારેન્દ્રથી અધિષ્ઠિત દેહવાળો હોવાથી મનુષ્યની ભાષામાં કોમલ વચનોથી તેને ઉઠાડવા લાગ્યો. તે ઉઠી ત્યારે સાપે કહ્યું કે વત્સ ! ભયભીત થયેલો હું તારી પાસે આવ્યો છું. કારણ કે દુષ્ટ ગારુડકો મારી પાછળ દોડી રહ્યા છે. તેઓના કરંડિયામાં પૂરાઈ કોકડું (ગુંચડો) વાળીને દુઃખી ન થાઉ તે માટે હે બાલા ! તારા ખોળામાં રાખી ઉપર વસ્ત્ર ઢાંકી ઘબરાયેલા એવા મારું રક્ષણ કર. હે પુત્રી ! તું ચિંતા કરીશ નહિ. હું નાગકુમારથી અધિષ્ઠિત દેહવાળો છું. તેથી ગાડિકોના મંત્ર દેવતાની આજ્ઞાઓ લંઘવા સમર્થ નથી. તેથી તું ડર નહિ, મારા વચનને વિકલ્પ વિના કર. ત્યારે તેણીએ પોતાનાં ખોળામાં નાગને છુપાવ્યો. એટલામાં ઔષધિકંકણ હથેલીમાં ધારણ કરેલ ગારુડિકો આવ્યા. અને તે કુમારીને પૂછ્યું અહીંથી સાપ જતો જોયો ? હું તો મોઢા ઉપર વસ્ત્ર Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૭ પૂછશુદ્ધિ ભાગ-૧ આરામશોભા કથા ઢાંકીને સુઈ ગયેલી તેથી મને શા માટે પૂછો છો ? તેઓ બોલ્યા અરે ! આ બાલાએ જો નાગ દેખ્યો હોત તો કૂકતી કૂકતી ભાગી જાત ! તેથી ચાલો આપણે આગળ જઈએ. તેઓ આગળ પાછળ જોઈને ક્યાંય પણ તે સાપને ન દેખવાથી “અરે ! આપણા દેખતા જ તે કેવી રીતે ભાગી ગયો ?” એમ આશ્ચર્યથી ખીલેલી આંખવાળા ગાડિકો પાછા ફર્યા. અને બાલાએ સર્પને કહ્યું “તારા રાજાઓ ગયા તેથી બહાર નીકળ.” ત્યારે સાપનો અધિષ્ઠાયક નાગકુમાર દેવ પ્રત્યક્ષ થઈ સાપનું રૂપ આવરી દેવ રૂપે પ્રગટ થઈ બાલાને કહ્યું કે પુત્રી ! તારા આ અસાધારણ ઉપકારથી હૈ તુષ્ટ થયો છું. તેથી વર માંગ કે જેથી વરદાનને હું આવું. ત્યારે ચંચલ કુંડલ વિગેરે આભરણોથી શોભતા દેવને દેખી તે બોલી હે તાત એ પ્રમાણે હોય તો મોટી છાયા કર. જેથી સુખેથી ગાયો ચરાવું. ગર્મીથી હું ઘણી પીડાઉ છું. દેવે વિચાર્યું બિચારી ભોળી લાગે છે. તેથી હું તુષ્ટ થવા છતાં આવું માંગે છે. પણ આનો ઉપકાર કરું એમ વિચારી તેની ઉપર મોટો બાગ બનાવ્યો. જે વિવિધ જાતનાં વૃક્ષ સમૂહવાળો, સર્વ ઋતુના ફળ આપનારો, સદા ફૂલના પરાગથી દિશાને સુગંધિત કરવાવાળો, મત્ત ભમરાઓના ગુંજનથી વ્યાપ્ત, ચારે બાજુથી સૂર્યતાપને રોકનારો, એવો મનમોહક બગીચો દેવે રચ્યો. દેવે કહ્યું હે પુત્રી ! મહાપ્રભાવથી તું જયાં જઈશ ત્યાં ત્યાં તારી ઉપર આ બગીચો સમાઈને રહેશે. આપત્તિ સમયે મને યાદ કરજે. એમ કહી દેવ ગયો. તે પણ અમૃતફળના સ્વાદથી ભૂખ તરસ વિનાની ત્યાં જ રહી. એટલામાં રાત્રિ થઈ તેથી ગાયો લઈ ઘેર ગઈ. અને બગીચો પણ ઘર ઉપર રહ્યો. માતાએ ખાવાનું કહ્યું ત્યારે તે બોલી ભૂખ નથી. એમ જવાબ આપી સુઈ ગઈ. સવારે ગાયો લઈ વનમાં ગઈ એ પ્રમાણે કેટલાય વર્ષો વીત્યા. એક વખત વિદ્યુમ્રભા જંગલમાં બગીચાની મળે સૂતી હતી. ત્યારે વિજય મેળવી પાછા ફરેલા પાટલીપુત્રના રાજા જિતશત્રુએ તે બગીચો દેખ્યો. અને મંત્રીને કહ્યું કે અહીં બગીચામાં પડાવ નાંખો. મંત્રિએ “તહત્તિ” કરી આંબાના ઝાડ નીચે રાજાનું સિંહાસન ગોઠવ્યું. તેમાં રાજા બેઠો - ત્યાર પછી ઉત્તમશોભાવાળા ચંચલ ઘોડોઓને શ્રેષ્ઠ વૃક્ષો જોડે બાંધ્યા. પલાણ વિગેરે શાખા ઉપર ટીંગાવ્યા. મદોન્મત્ત હાથીઓ મોટા થડવાળા વૃક્ષો જોડે મજબુતરીતે બાંધ્યા. ઉંટ વિગેરે કે વાહનોને યથાયોગ્ય વૃક્ષ પાસે રાખ્યા. જ્યારે વિદ્યુત્મભા સૈન્યની છાવણીના અવાજ સાંભળી ઉંઘમાંથી ઉઠી આંખ ચોળી હાથી વિગેરે ને જોઈ ભયભીત થઈ દૂર ગયેલી ગાયોને દેખી ત્યારે મંત્રીના દેખતા જ તેઓને વાળવા ભાગી. તો તે બગીચો ઘોડા વિગેરેની સાથે તેની જોડે ગયો. અરે આ શું? તેથી રાજા વિગેરે લોકોમાં ખળભળાટ મચી ગયો. અને ઉભા થયાં શું આ ઈન્દ્રજાલ છે? એમ રાજાએ મંત્રીને પૂછ્યું, ત્યારે મંત્રીએ જણાવ્યું હું માનું છું કે ઉંઘમાંથી ઉઠી ચમઢતીબે આંખો ચોળતી ભયભ્રાંત નયનોવાળી આ બાલિકા ભાગી તેની સાથે આ બગીચો પણ ચાલ્યો. માટે આ બધો તે બાળાનો પ્રભાવ છે. આ બાલિકા દેવી નથી કારણ કે આંખો ચોળતી હતી. તેથી આ સાચે કોણ છે? “તે તપાસ કરું” એમ કહી દોડીને પેલી છોકરીને બુમ પાડી, શું કહો છો ?” એમ બોલતી ઉભી રહી, તેની સાથે બગીચો પણ ઉભો રહ્યો. “અહીં આવ !” એમ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૮ મૂળશુદ્ધિ ભાગ-૧ મંત્રીએ બોલાવી (બાલિકા)-મારી ગાય નાસી જાય છે. હું મંગાવી દઉં છું. અશ્વસવારો દ્વારા ગાયો મંગાવી, કન્યા પણ રાજા પાસે આવી ઉભી રહી. એની સાથે બગીચો પણ સ્થિર થયો. ત્યારે રાજાએ તેનો તે અતિશય દેખી સર્વાંગ જોયા, કુંવારી જાણી, રાજાને અનુરાગ થયો અને મંત્રીનું મુખ જોયું મંત્રી પણ રાજાનો ભાવ સમજી ગયો. તેણે વિદ્યુત્પ્રભાને કહ્યું કે હે ભદ્ર ! આખી ધરતીનો નાયક, અનેક સામંતો જેનાં ચરણ ચૂમી રહ્યા છે, એવા આ નરેન્દ્રને ભર્તાર તરીકે સ્વીકાર. કન્યા બોલી - હૈં સ્વતંત્ર નથી. “મંત્રીએ પૂછ્યું તું કોને આધીન છે ? હું મારા મા બાપને આધીન છું. એમ વિદ્યુત્પ્રભા બોલી, મંત્રી - તારો બાપ કોણ છે ? ક્યાં વસે છે. તેનું શું નામ છે ?” તે વિદ્યુત્પ્રભા બોલી આજ ગામમાં અગ્નિશર્મા નામે બ્રાહ્મણ વસે છે. ત્યારે રાજાએ માહંતોને કહ્યું કે “તમે ત્યાં જાઓ અને આ બાળાને વરીને આવો.” ત્યારે મંત્રી ગામમાં ગયો, અને અગ્નિશર્માના ઘરમાં પ્રવેશ કર્યો. તે બ્રાહ્મણે મંત્રીને આવતા દેખી ઉભા થઈને આસન આપ્યું, અને કહ્યું કે મારા લાયક કામ હોય તો ફરમાવો. મંત્રી - “શું તારે કોઈ દીકરી છે ?” અગ્નિશર્માએ હા પાડી, મંત્રી “જો એમ હોય તો તારી દીકરી રાજાને આપ. અગ્નિશર્મા - “રાજાને આપી જ દીધેલી છે. કારણ કે અમારા પ્રાણ પણ રાજાને જ આધીન છે. તો પછી કન્યાનું શું પૂછવું ?” - મંત્રી - તો પછી રાજા પાસે ચાલો, ત્યારે અગ્નિશમાં રાજા પાસે ગયો, આશીર્વાદ આપીને રાજાની નજીકમાં બેઠો, મંત્રીએ બધી વાત કરી, ત્યારે રાજાએ વિચાર્યું, જો મહોત્સવ પૂર્વક લગ્ન કરવા જઈશ તો ઘણો કાળ નીકળી જશે.” આવા ભયથી રાજાએ ગાંધર્વ લગ્ન કર્યા. અને બાલાનું પૂર્વનામ પરાવર્તન કરી ‘આરામશોભા’ એવું સાર્થક નામ પાડ્યું. કારણ કે ઘણા ઉત્તમ ઝાડોથી રમ્ય બગીચો આની ઉપર શોભે છે. તેથી આ નામથી આરામશોભા હો ।।૨૨।। અત્યારે આ મારા સસરા છે, એમ કહીને લોકો જાણશે, તેથી શરમાતા રાજાએ અગ્નિશર્માને શ્રેષ્ઠ બાર ગામ ભેટ આપ્યા. આગળ જવા લાગ્યો. અને આરામશોભાને હાથી ઉપર બેસાડી, બગીચો પણ તેનાં ઉપર સમાઈને સ્થિર રહ્યો. એ પ્રમાણે પોતાનાં મનોરથ પૂરા થતા રાજા હર્ષઘેલો બની જવા લાગ્યો. વળી આરામશોભાને મેળવી પોતાની જિંદગીને સફળ માનવા લાગ્યો. અથવા તો શ્રેષ્ઠ રત્ન પ્રાપ્ત કરી કોણ તુષ્ટ ન થાય ? રસ્તામાં તેનું મુખકમલ જોવામાં મસ્ત બનેલો રાજા ચાલ્યો. અથવા તો મનોહર વસ્તુમાં નજ૨ નિમગ્ન બને એમાં આશ્ચર્ય જેવું કાંઈ નથી, એક તો સુંદર રૂપલાવણ્યવાળી છે, અને વધારામાં દેવ તેની સહાયમાં છે. આવી કન્યા રાજાને મોહ પમાડે, બોલો ! તમે જ કહો એમાં આશ્ચર્ય જેવું છે જ શું ? અનુક્રમે પાટલીપુત્ર પહોંચતા રાજાએ આદેશ કર્યો કે.... હાટ હવેલીને શણગારો, સર્વ ઠેકાણે ધ્વજપતાકા ફરકાવો, મંડપ માંચડા વગેરેથી આખાય નગરને શોભતું કરો. ઘણું શું કર્યું ? આજે વિશેષ પ્રકારે બધી સામગ્રીને તૈયાર કરો, કે જેથી ઠાઠમાઠથી દેવી સાથે નગરમાં પ્રવેશ કરું ।।૨૭। નગરજનોએ રાજાની સર્વ આજ્ઞાનું પાલન કર્યે છતે સ્થાને સ્થાને કૌતુક અને મંગલને પ્રાપ્ત કરી રાજાએ નગરમાં પ્રવેશ શરૂ કર્યો. (કૌતુક = નજર ન લાગે તે માટે કાળુ ધબ્બુ, રક્ષાબંધન કરવું, કે સૌભાગ્ય માટે ધૂપ હોમ વિ. કરવા) ત્યારે કુતૂહલ પૂર્ણ સર્વ નગરજનો રાજા રાણીને Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨૯ મૂળશુદ્ધિ ભાગ-૧ આરામશોભા કથા જોવાની ઉત્કંઠાથી પોત પોતાનાં ઘેરથી આવવા માંડ્યા, પુરુષો રાજાને વખાણે છે, નારીઓ રાણીને. ત્યાં વળી કેટલાક યુવાનો કહેવા લાગ્યા કે આ રાજા પુણ્યશાળી છે, કે જેથી આ રાજાને ત્રણે લોકની સુંદરીઓના લાવણ્યને ઝાંખુ પાડનાર, સંસાર સુખની ખાણ, મહાપ્રભાવશાળી આ સ્ત્રીરત્ન પ્રાપ્ત થયું છે. ૩૧ વૃદ્ધો કહેવા લાગ્યા આ બધી પ્રાપ્તિ પૂર્વે કરેલ કર્મનું ફળ છે. માટે ધર્મ કરવો જોઈએ જેથી આ પ્રાપ્તિ થાય. “બાળકો પણ હાથી ઉપર ફળો દેખી બોલવા લાગ્યા અરર અહો! આ અનેક જાતનાં ફળો અમને કેવી રીતે મળશે ? કોઈક સ્ત્રી કહેવા લાગી અરે સખી! આણીનો અતિશય તો જો, બીજી બોલી જો આ બધો દેવનો પ્રભાવ છે. વળી બીજી બોલી.રાણીની રૂપ સંપદા જો, બીજી બોલી વસ્ત્ર અને ઘરેણાંથી આવું રૂપ શોભી રહ્યું છે. બીજી નારી - આ નારીજ જીવલોકમાં જય પામો કે જે રાજા સાથે એક જ આસને બેઠી છે. ત્રીજી નારી - “હે સુંદર શરીરવાળી! તું આને કેવી રીતે વખાણે છે ?” કે જે લોકોની સામે રાજાની સાથે બેસતા શરમાતી નથી” કેટલીક નારીઓ કહેવા લાગી કે “હાથી ઉપર બગીચો બહુ સુંદર લાગે છે” આ તો બહુ મોટું આશ્ચર્ય છે. બીજી બોલી - આમાં કોઈ આશ્ચર્ય કરવા જેવું નથી, કારણ કે દેવના પ્રભાવથી બધુ સંભવી શકે છે. એમ અનેક રીતે બોલતા નગરજનો ની વચ્ચેથી રાજા પોતાના વિશાળ રાજમંદિરે પહોંચ્યો. રાજમહેલની અંદર પેસતા તે બગીચો પણ તરત જ મહેલ ઉપર દેવપ્રભાવથી સ્થિત થયો. રાજા પણ તેની સાથે દોગંદુક (વિલાસી ઋદ્ધિશાલી) દેવની જેમ વિષયસુખ અનુભવતાં કેટલો કાળ ગયો તે પણ જાણતો નથી. ૪રા આ બાજુ તેની સાવકી માતાને પુત્રી થઈ. યૌવન પામી તેણીએ વિચાર્યું જો આરામશોભા ન રહે તો તેના ગુણનો અનુરાગી રાજા મારી પુત્રીને પણ પરણશે. માટે આરામશોભા ન રહે તેવો ઉપાય કરું. ત્યારે બ્રાહ્મણને કહ્યું તમે યોગ્ય ભાથું લઈ આરામશોભાને આપો. અગ્નિશર્માએ કહ્યું. “આપણાં ભાથાથી તેણીને શું થવાનું હતું ? તેણીને શી ખોટ છે?” સાવકી મા - તમારી વાત સાચી તેણીને કોઈ ઉણપ નથી, પણ મારું મન શાંત થતુ નથી, ત્યારે બીજી પત્નીનો આગ્રહ જાણી કહ્યું “જો એમ હોય તો કાંઈક બનાવ.” ત્યારે હર્ષથી વિકસિત આંખવાળી તે સાવકીમાએ પણ સિંહકેસરીયા લાડુ બનાવ્યા, તેમાં ઘણા મસાલા નાંખ્યા અને ઝેરથી મિશ્રિત કર્યા અને પછી નિચ્છિદ્ર ઘડામાં મૂકી બ્રાહ્મણને ભલામણ કરી કે “આ લાડુ તમે જાતે લઈ જાઓ, કે જેથી રસ્તામાં બીજી કોઈ આપત્તિ આવે નહિ” ત્યારે તે બ્રાહ્મણ સરળ સ્વભાવવાળો હોવાથી બ્રાહ્મણીનાં દુષ્ટભાવને સમજી ના શક્યો. અને એકલીએજ સીલ કરીને ઘડાને બ્રાહ્મણના માથા ઉપર ઉપડાવ્યો. અને જતાં જતાં કહ્યું કે “આ મારું ભાથું આરામશોભાને જ આપજો અને કહેજો કે હે બેટી ! આ તારે જાતે જ ખાવાનું છે, બીજા કોઈને આપતી નહીં, કે જેથી લાડુનું વિરૂપ દેખીને રાજકુલમાં કોઈ મશ્કરી કરે નહિ. “તું કહે છે તેમ કહીશ” એમ કહી અગ્નિશમાં ચાલ્યો. “ત્રણે સંધ્યાએ સાવધાન રહેતો, સીલને બરાબર સંભાળતો, રાત્રે સુતી વખતે ઓશીકા નીચે મૂકી દેતો.” એમ કરતાં અનુક્રમે પાટલીપુત્ર નગરની બહાર આવી પહોંચ્યો. ત્યાં થાકી ગયો હોવાથી એક વટવૃક્ષ નીચે સુતો. કર્મ-ધર્મ સંયોગે તેજ વૃક્ષમાં ક્રીડા માટે પેલો નાગદેવ રહેલો હતો. ત્યારે લાંબી મુસાફરી અને લાંઘણના શ્રમથી અશક્ત શરીરવાળો આ મુસાફર કોણ છે? ત્યારે તેણે અવધિજ્ઞાનનો ઉપયોગ Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૦ મૂળશુદ્ધિ ભાગ-૧"} મૂકી જાયું આ તો આરામશોભાનો બાપ છે. અને આના ભાથામાં દુષ્ટ બ્રાહ્મણીએ ઝેરી લાડું મૂક્યાં છે. દેખીને વિચાર્યું તેની માતાની દુષ્ટતા તો જુઓ ! ત્યારે હું વિદ્યમાન છતાં એવું કેવી રીતે બની શકે. તેથી ઝેરી લાડુઓ લઈ અમૃત લાડુઓ મૂકી દીધા. થોડીવારમાં બ્રાહ્મણ પણ ઉઠી નગરમાં ગયો અને રાજમંદિરે પહોંચ્યો. ત્યારે દ્વારપાલને કહ્યું કે “રાજાને નિવેદન કરો કે દ્વારે ઉભા રહેલાં આરામશોભાના પિતા રાજાના દર્શનની ઝંખના કરે છે. દ્વારપાલે રાજાને નિવેદન કરતાં રાજાએ કહ્યું જલ્દી અંદર બોલાવો. રાજઆદેશ પછી તરત દ્વારપાલે બ્રાહ્મણને અંદર મોકલ્યો. અગ્નિશર્મા પણ રાજા પાસે આવીને.... ૐ ભૂર્ભુવઃ સ્વસ્તિ સ્વાહા વષડૂ ઈન્દ્રાય” ઈત્યાદિ મંત્રપાઠ પૂર્વક રાજાની પાસે બેઠેલી આરામશોભાને ભેટશું આપ્યું, અને કહ્યું કે પુત્રીની માતાએ જણાવ્ય-વિનવ્યું છે કે આરામશોભા માટે જવું કે તેવું આ ભાથું માતાના સ્નેહથી મેં મોકલ્યું છે. એથી જ મેં પુત્રીને સોંપ્યું છે. ઘણું શું કહું “રાજ દરબારમાં હું ઉપહાસ પાત્ર ન બને તેમ કરો !” રાજાએ રાણી તરફ જોયું, રાણીએ પોતાની દાસીના હાથમાં ઘડો આપી પોતાના મહેલમાં મોકલાવ્યો. ઘરેણાં વસ્ત્ર વિગેરે આપી બ્રાહ્મણનો આદર સત્કાર કર્યો. રાણી પોતાના મહેલમાં ગઈ, દરબાર ઉઠતા રાજા પણ રાણીના મહેલમાં ગયો. રાણીએ વિનંતિ કરી સુખદાયક આસન ઉપર બેસાડ્યા, વળી વિનંતિ કરી કે હે દેવ ! મારા ઉપર મહેરબાની કરો, આ ઘડા ઉપર નજર નાખો, (આપ સંમતિ આપો) કે જેથી અત્યારે આ ઘડો ઉઘાડું ! ત્યારે રાજાએ કહ્યું વિકલ્પ કરવાની જરૂર નથી. જે કાંઈ હોય તે આપણા માટે પ્રમાણ (બરાબર) છે. તેથી તે ઘડાને જલ્દી ઉઘાડ જેટલામાં રાણીએ ઘડો ખોલ્યો. તેટલામાં એકાએક તેમાંથી મર્યલોકમાં દુર્લભ ઉત્તમગંધ નીકળવા લાગી. તે ગંધથી રાજા આકર્ષિત થઈ ગયો, જ્યારે ઘડાની અંદર અમૃત ફળ સમાન યોગ્ય પ્રમાણવાળા દિવ્ય લાડુઓને દેખે છે. ત્યારે ઘણાં કુતૂહલથી ચકોર (ચાલાક) પ્રાણીઓને દેખાડી તે લાડુને ખાતા રાજા ઘણો જ વિસ્મય પામ્યો, ત્યારે રાજાએ કહ્યું આનો અપૂર્વ રસ છે. તેથી તારી બેન (શોક્યો) ને એક એક લાડુ આપ. તેણીએ તેમજ કર્યું. ત્યારે તેની માતાનાં ઘણાં વખાણ થયા, બીજાની પાસે આવી કલા નથી અને ત્યારે વિદાય પામેલ અગ્નિશર્માએ કહ્યું પુત્રીને થોડા દિવસ મોકલો. રાજાએ કહ્યું રાણીઓ બહાર ન જાય. કારણ કે રાણીઓ તો સૂર્યને પણ ન દેખે, તેથી નિશ્ચય જાણી બ્રાહ્મણ ઘેર ગયો. અને પોતાની પત્નીને સર્વ વૃત્તાંત કહ્યો. તેથી સાવકી માએ વિચાર્યું. આ બધુ તો ફોગટ થયું. ખરેખર સુંદર ઝેર હશે, એટલે તે ઝેરની તીવ્રતા જોઈએ એટલી નહી હોય, જેથી બચી ગઈ. તેથી બીજી વેળાએ વધારે સુંદર = બરાબર ચકાસણી પૂર્વક કરીશ. થોડા દિવસ પછી બીજીવાર ફેણીનો ડબ્બો આપીને અગ્નિશર્માને મોકલ્યો. ફરીથી તેમજ થયું. ત્રીજીવાર આરામશોભાને ગર્ભવતી જાણી. બરાબર પારખું કરેલાં તાલપુટ ઝેરથી મિશ્રિત માલપુઆનો ડબ્બો આપીને અગ્નિશર્માને કહ્યું કે એ પ્રમાણે કરજો કે દીકરી અહીં આવી પુત્રને જન્મ આપે, જો રાજા ન માને તો બ્રાહ્મણસ્વરૂપ દેખાડજો, વડના ઝાડપાસે જતા દેવે ઝેર હરણ કરી લીધું, તેજ ક્રમથી રાજાને વિનંતિ કરી કે - હે રાજનું ! અત્યારે મારી પુત્રીને વિદાય આપો કે મારે ઘેર પ્રસરે, રાજાએ ના પાડી, ત્યારે બ્રાહ્મણે પેટે છરી મુકી કહ્યું હું બ્રાહ્મણ હત્યા તમારા ઉપર મૂકીશ. તેથી મંત્રી અને ઘણી સામગ્રી સાથે મોકલી. Page #42 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ આરામશોભા કથા ૩૧ આરામશોભાને આવતી જાણી સાવકીમાએ પોતાના ઘરની પાછળ મોટો કુવો ખોદાવ્યો. ગુuઘરમાં પોતાની દીકરીને રાખી. મોટા સિપાઈના સમૂહ સાથે આરામશોભા ત્યાં આવી. ત્યાં જઈ દેવકુમાર સરખા પુત્રને જન્મ આપ્યો. એક વખત અંગરક્ષકો દૂર હતા અને સાવકીમા પાસે હતી ત્યારે દેહચિંતા માટે ઉઠેલી આરામશોભાને કુવા પાસે લઈ ગઈ. આ કુવો ક્યારે થયો ? સાવકીમા બોલી એ બેટી ! તું આવવાની છે એવું જાણી “ઉંદર વિગેરે ભમતા હોય તો નુકશાન કરશે તેવા ભયથી કૂવો ખોદાવ્યો છે. (એટલે કૂવામાં જ રહી જતાં તેમનો ભય મટી જશે.) જેટલામાં આરામશોભા કુતૂહલથી કુવાના તળીયાને જુએ છે. તેટલામાં તે નિર્દય સાવકી માતા તેને ધક્કો મારે છે, આરામશોભા નીચા મુખે કૂવામાં પડે છે. પણ તેણીએ પડતા પડતા દેવસંકેતને યાદ કરી બોલી હે તાત ! અત્યારે તમારા ચરણ મારે શરણ છે. ત્યારે તરત જ તે નાગકુમારદેવે હથેળીમાં તે આરામશોભાને ધારણ કરી. અને કૂવા મળે પાતાળભુવન બનાવી રાખી. ત્યાં સુખે રહેવા લાગી. બગીચો પણ કૂવામાં પેઠો, દેવ તેની સાવકીમા ઉપર ઘણો રોષે ભરાયો. “પણ આ તો મારી મા છે” એમ કહીને આરામશોભાએ શાંત પાડ્યો. અપરમાતાએ સુવાવડીનો વેશ પહેરાવીને પોતાની પુત્રીને ત્યાં સુવડાવી દીધી. થોડીકવારમાં (ઘડીક રહીને) દાસીઓ આવી, તેઓએ જોયું કે કાંઈક કાંપતી નયનોવાળી, ઝાંખારૂપ લાવણ્ય અને દેહકાંતિવાળી, કંઈક સરખા અંગોવાળી તેણીને પથારી ઉપર સુતેલી જોઈ. || ૪૮ મે. તે દાસીએ પૂછ્યું કે સ્વામીની ! આપનું શરીર ફેરફારવાળું કેમ દેખાય છે ? તે બોલી મને કશી ખબર પડતી નથી; પણ મારું શરીર સ્વસ્થ નથી. ત્યારે ઘબરાયેલી પરિચારિકાઓએ તેની માતાને પૂછ્યું. “આ શું થયું છે?” ત્યારે તે માયાવી છાતી કુટતી બોલવા લાગી, હા હા! હું હણાઈ ગઈ, મારી આશાઓ ધૂળધાણી થઈ ગઈ, હે બેટી ! હું ખરેખર ભાગ્ય વિહણી , કે જેથી તારા શરીર ઉપરનું રૂપ લાવણ્ય અન્ય જાતનું દેખાય છે. શું કોઈની નજર લાગી કે શું આ વાયુનો વિકાર છે? કે આ પ્રસૂતિરોગ તારા શરીરમાં ઉભો થયો છે ? એ પ્રમાણે વિલાપ કરતી બ્રાહ્મણીને દાસીઓએ કહ્યું કે તમે રડો નહિ. પણ અહીં જે કરવા યોગ્ય કૃત્ય હોય તે જલ્દી કરો, ત્યારે માતાએ રક્ષાબંધન ધૂપ હોમ વિગેરે અનેક પ્રયોગ કર્યા છતાં કશો ફેર ન પડ્યો. ત્યારે રાજભયથી નોકરાણીઓ દિલગીરી થઈ ગઈ. રાજાએ મોટા દરબારીને મોકલ્યો અને આજ્ઞા કરી કે કુમાર અને દેવીને લાવો. સર્વ સામગ્રી તૈયાર કરી પ્રયાણ કર્યું. પણ બગીચો તો નહિ આવ્યો. પાટલિપુત્ર આવતાં રાજાને વધામણી આપી.... ત્યારે હર્ષઘેલા રાજાએ હાટ-હવેલી સજાવ્યા. અને વધામણી આપવાનો આદેશ કર્યો ત્યારે નગરજનો પુત્રજન્મની વધામણી આપવા રાજદરબારમાં આવે.) જેટલામાં રાજા જાતે હર્ષપૂર્વકનીઆશ્ચર્યપૂર્વકની ચાલથી સામે ચાલ્યો તેટલામાં કુમાર અને રાણીને દેખી, ત્યારે રાણીનું રૂપ દેખી રાજાએ પૂછ્યું હે દેવી ! તારા શરીરમાં ફેર કેમ લાગે છે? ત્યારે દાસીઓએ કહ્યું કે હે રાજનું! બાળકને જન્મ આપ્યા પછી નજરદોષથી કે વાયુ વિકારથી, કે પ્રસૂતિના રોગથી દેવીનું આવું શરીર થયું લાગે છે. પણ પાકો ખ્યાલ આવતો નથી. ત્યારે રાણીની વાત (હકીકત) સાંભળી પુત્રજન્મના અભ્યદયથી હર્ષ પામેલ રાજાનું મોટું પડી ગયું, છતાં ધીરજ રાખી નગરમાં આવ્યો. Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩ ૨. મૂળશુદ્ધિ ભાગ-૧ બગીચા વિષે પૂછ્યું તો કહ્યું કે એ તો પાણી પીવા પાછળ રહ્યો છે, પણ રાજાને તેનું શરીર બરાબર દેખી શંકા થઈ આ દેવી તે જ છે કે અન્ય ? એક વખત રાજાએ બગીચો લાવવાનું કહ્યું, ત્યારે બોલી કે અવસરે લાવીશ, એ પ્રમાણે બોલતી તે રાણીના હોઠપડલને શૂન્ય દેખી - લાલિમા વિનાના અધર બિમ્બને જોઈ રાજાને વધારે શંકા થઈ, હું માનું છું કે “આ તે જ આરામશોભા નથી પણ બીજી કોઈક છે” આવા વિકલ્પ કરતો તે રહેવા લાગ્યો. આ બાજુ આરામશોભાએ દેવને કહ્યું કે મને કુમારનો વિરહ બહુ સતાવે છે. તેથી મને કુમારના દર્શન કરાવો. તું મારી શક્તિથી ત્યાં જા પણ કુમારના દર્શન કરી જલ્દી પાછું આવવું પડશે. સૂર્યોદય ન થાય ત્યાં સુધી રહી શકીશ. ત્યારપછી રહીશ તો મારું દર્શન નહિ થાય. હું પાછો નહિ આવું તેની પ્રતીતિ કરવા હું તારા કેશપાશમાંથી પડતુ મૃતક નાગનુંરૂપ દેખાડીશ. દેવ પ્રભાવથી ક્ષણ માત્રમાં પાટલીપુત્રમાં પહોંચી ગઈ. વાસભવનમાં પ્રવેશ કર્યો. તે પ્રજવલિત રત્નદીવડાવાળું, મણિ મૌકિક રત્નોથી મણ્ડિત, પુષ્પોથી શણગારેલું, મઘમઘતા ધૂપથી વાસિત, કંકોલ-એક જાતનું સુગંધી ફળ, એલચી, લવિંગ કપૂર યુક્ત પડલમાં મુકેલાં નાગવલ્લીના બીડા અને સોપારીના સંઘાતવાળું, ઘણાં પ્રકારનાં ખાદ્ય અને પેય યુક્ત; સંયોજિત યંત્ર શકુનથી વ્યાપ્ત, સુતેલા રાજા અને પોતાની બહેનયુક્ત પલંગવાળું વાસભવન છે. તે ભવન દેખી, પૂર્વની રતિ યાદ આવવાથી ઉત્પન્ન થયેલ કામના વશથી શૃંગાર રસથી ભરાઈ ગઈ, પોતાના પતિને આલિંગન આપીને સૂતેલી બેનને દેખી ઈર્ષ્યા જાગી. માતાએ મને ફૂઆમાં નાખી તે યાદ આવવાથી ક્રોધ ઉત્પન્ન થયો. પુત્રની યાદથી સ્નેહ પેદા થયો. સમસ્ત નિજ પરિવાર જોવાથી પેદા થયેલ અતિ હર્ષના કારણે આનંદના આંસુની ધારા પડવા લાગી. એક ક્ષણ રહી.” જેની આજુબાજુ ધાવમાતાઓ સુતી છે તેમજ જે રત્નજડિત સોનાના પારણામાં રહેલો છે, એવા કુમાર પાસે ગઈ. કોમલકરથી પુત્રને રમાડી પોતાના બાગના ફળફૂલને ત્યાં નાંખી સ્વસ્થાને ગઈ. તેથી સવારે કુમારની ધાવમાએ રાજાને જણાવ્યું કે હે દેવ ! આજે વિશેષ પ્રકારે કુમારની કોઈએ ફળ ફૂળથી પૂજા કરી લાગે છે, તે સાંભળી રાજા તે જગ્યાએ ગયો, અને ફળફૂળનો ઢગલો જોયો. તે દેખી રાજાએ તેની બેનને પૂછ્યું. આ “ફળદુલથી કુમારની પૂજા કોણે કરી ?” તેણીએ કહ્યું યાદ કરીને મેં બગીચામાંથી લાવ્યા છે. રાજાએ કહ્યું અત્યારે લાવને, દિવસે લાવવા શક્ય નથી. તેણીનું શુષ્ક-લાલિમા વગરનું ઓષ્ઠપડલ અને પ્લાન મુખ દેખી રાજાએ વિચાર્યું કે નિશ્ચય કાંઈક ગોટાળો લાગે છે. (બીજા દિવસે પણ તેવું દેખ્યું. ત્રીજા દિવસે હાથમાં તલવાર લઈ અંગ સંકોચી દીવાની છાયા પાછળ ઉભો રહ્યો. થોડીવારમાં આરામશોભા આવી. તેણે જોઈ રાજાએ વિચાર્યું કે આ મારી પ્રિયપત્ની છે.અને આ તો કોઈ અન્ય છે. એમાં શું પરમાર્થ છે, તે હું જાણતો નથી. એમ વિચારતા તે આરામશોભા તો પૂર્વ રીતે કરીને ગઈ. રાજા પણ અનેક વિકલ્પથી આકુળ મનવાળો સુઈ ગયો. સવારે રાજાએ તેણીને કહ્યું કે આજ તારે બાગ લાવવો જ પડશે. તે સાંભળી તેણીનું મુખ એકદમ પડી ગયું. ચોથી રાત્રીએ આરામશોભા આવી બધુ કરીને પાછી ફરે છે તેટલામાં હાથથી રાજાએ પકડી અને કહ્યું “શા માટે હે પ્રિયે ! સ્વભાવથી સ્નેહવાળા એવા મને ઠગે છે.” આરામશોભા - નાથ ! હું ઠગતી નથી પણ એમાં કારણ છે. રાજા શું કારણ છે? રાણી કાલે કહીશ, પણ અત્યારે મને મૂકી દો. રાજા- શું હાથમાં આવેલા અમૃતને બાળક પણ મૂકે ખરો ? રાણી - હે નાથ ! આમ Page #44 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ આરામશોભા કથા ૩૭ કરવામાં તમને પણ ભારે પશ્ચાતાપ થશે. રાજા- પણ કારણ કહે તે પણ મૂળથી માંડી માતાના કકૃત્યને કહે છે, તેટલામાં અરૂણોદય થઈ એ વખતે ખસી ગયેલા અંબોડાને બાંધવા વાળ સવારે છે, ત્યારે તડ દઈને તેના કેશમાંથી મૃત સાપ પડ્યો. તે દેખી હા તાત ! એમ એક સાથે બોલતી ચક્કર ખાઈને નીચે પડી, રાજાએ પવન નાંખીને આશ્વાસન આપી ખેદનું કારણ પૂછ્યું, તેણીએ કહ્યું કે “હે નાથ ! જે નાગકુમાર દેવ મારું સાંનિધ્ય કરતો હતો. તે તમે સૂર્યોદય સુધી પકડી રાખતા જતો રહ્યો. હવે આરામશોભા ત્યાંજ રહી, સવારે બીજીને રાજાએ બંધાવી, અને હાથમાં ચાબુક લઈ મારવા જાય છે, તેટલામાં આરામશોભા રાજાને પગે પડી વિનંતિ કરવા લાગી...... હે રાજન્ ! જો મારા ઉપર પ્રસન્ન હો તો મારી બેનને છોડી મૂકો, મારા ઉપર કરુણા લાવી પૂર્વની જેમ તેને જુઓ, રાજા-આવી જાતનાં દુષ્કૃત્ય કરનારી આ પારિણીને આમ છોડી દેવી યુક્ત નથી, છતાં તારા વચન ઓલંઘતો નથી, છોડાવીને બેનની બુદ્ધિએ આરામશોભાએ પોતાની પાસે રાખી. આ જ સર્જન અને દુર્જનમાં ભેદ છે. રાજપુરુષોને બોલાવી રાજાએ આદેશ કર્યો કે બ્રાહ્મણના બાર ગામ લઈ લો અને તેની પત્નીના નાક, કાન કાપી દેશવટો આપો. આ સાંભળ્યું ત્યારે ફરી પગમાં પડી આરામશોભાએ વિનંતિ કરી કુતરો જો આપણને ખાય તો શું તેને જ વળી આપણે ખવાય ? એટલે આપણને કરડે તો સામે કરડવાનું ન હોય. એમ જાણી હે દેવ ! મારા પિતાને વિસર્જન કરો છોડી મૂકો, જે કરવાથી મારા મનમાં ઘણી પીડા થશે. તેથી મારા માબાપને દંડ કરવાનું મુલતવી રાખો. તારા મનને પીડા થાય તે મોટું કાર્ય છોડી દીધું, બસ હવે તને સંતોષ! - હવે તે બેઓનો વિષયસુખ અનુભવતા કાળ વીતે છે. એક વખત રાજા રાણીને ધર્મ વિચાર કરતા સંલાપ થયો, દેવી બોલી - હે નાથ ! હું પહેલા દુ:ખી હતી અને પાછળ સર્વ સુખને ભોગવનારી થઈ, તે કયાં કર્મને કારણે થયું ? તે કોઈ દિવ્યજ્ઞાની આવે તો પૂછીએ, જો એમ હોય? તો હું બધા ઉદ્યાનપાલકોને કહી દઉં છું કે “જો કોઈ જ્ઞાની મહાત્મા પધારે તો મને જાણ કરે.” ક્ષણમાત્ર આવી રીતે વાતો કરતા હતા ત્યારે વિકસિત મુખવાળા ઉદ્યાનપાલકે ધરતીએ મસ્તક લગાડી નિવેદન કર્યું કે ચંદનવન ઉદ્યાનમાં દિવ્યજ્ઞાનધારી, દેવ-મનુષ્ય અને વિદ્યાધરોથી વંદાયેલા, પાંચસો સાધુઓ સાથે વીરચંદ્રસૂરિવર્ય પધાર્યા છે. તે સાંભળી રાજાના રોમ રોમ ખડા થઈ ગયા અને રાણીને કહેવા લાગ્યો હે પ્રિયે ! આજે જ તારા મનોરથ પૂરા થઈ ગયા. તેથી તે પ્રિયે ઊભી થા અને જલ્દી તૈયાર થા, કે જેથી આપણે વાંદવા જઈએ. અને સંશય પૂછીએ. ||રા પ્રમાણે કહેતા રાણી તરત જ તૈયાર થઈ ગઈ. ત્યારે રાજા તેની સાથે તે જ ક્ષણે ઉદ્યાનમાં પહોંચ્યો. ત્યાં.... સઘળાય જીવજંતુઓને સુખકારી એવા જિનધર્મનો ઉપદેશ આપતા, અનેક પ્રકારની પર્ષદાસભા મધ્યે બિરાજમાન સૂરીશ્વરને જોયા. આચાર્યશ્રીના ચરણ કમળમાં નમસ્કાર કરી યોગ્ય સ્થાને બેઠા. સરિએ સવિશેષ ધર્મદશના આપી. અપરંપાર આ સંસારમાં રખડતા જીવોને કર્મવિવ મનુષ્યપણું પ્રાપ્ત થાય છે, તેમાં વળી સારી રીતે કરેલા ધર્મથી વિવિધ સુખો મળે છે. જાતિ, કુલ, આરોગ્ય, ઋદ્ધિ, સૌભાગ્ય, ઉત્તમભોગો, રૂપ, બળ, યશ પણ સુંદર રીતે આચરેલ ધર્મની દેન છે. ઇષ્ટજનનો યોગ, સર્વ પરિવાર અને નોકર ચાકર આજ્ઞામાં રહેનાર હોય, બીજુ પણ સુખ ઉત્તમયોગથી આરાધેલ ધર્મનું ઇનામ છે. બધા કલેશ કંકાશ વગરનો સ્વર્ગની અપ્સરાઓથી યુક્ત પ્રધાન ભોગ સામગ્રીના સાધનથી Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૪ મૂળશુદ્ધિ ભાગ-૧ ભરપૂર એવું સ્વર્ગ તેમજ મોક્ષ પણ આ ધર્મથી પ્રાપ્ત થાય છે. '૮૦ના. ત્યારપછી આરામશોભાએ લલાટે અન્જલિ કરીને પોતાના વિપાકનું કારણ પૂછ્યું. ત્યારે આચાર્ય ભગવંતે પાણીવાળા નવા વાદળાની ગર્જના જેવા ગંભીર, ધીર અને સારવાળી ધ્વનિથી તેને પૂર્વભવ કહેવાનો પ્રારંભ કર્યો. “આરામશોભાનો પૂર્વભવ' આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં ચંપાનગરી છે, તેમાં કુલંધર શેઠ વસે છે. તેને કુલાનંદા નામે ભાર્યા છે. તેઓને રૂપ-ગુણવાળી સાત પુત્રીઓ છે. તેઓના નામ - કમલશ્રી, કમલવતી, કમલા, લક્ષ્મીશ્રી, યશોવતી, પ્રિયકારિણી છે. તેઓને ઉત્તમકુળમાં પરણાવી, હવે આઠમી પણ પુત્રી થઈ, તેનો જન્મ થતા મા-બાપ દુઃખી થયા, ઉદ્વિગ્ન બનેલા-ઉબકી ગયેલા મા-બાપ તેનું નામ પણ પાડતા નથી. મા-બાપને તેનાં પાલનની બેદરકારી હોવા છતાં તે પુત્રી મોટી થઈ યૌવન પામી; ત્યારે લોકો તેને વિશિષ્ટ રૂપાદિવાળી હોવા છતાં નિર્ભાગ્ય કહેવા લાગ્યા. તે મા-બાપને સતત દુઃખ દેનારી લાગે છે. II૮૮. એકવાર લોકોએ શેઠને કહ્યું કે “તમારી છોકરીને પરણાવતા કેમ નથી ? : . કારણ કે એમ તો (નહિં પરણાવવાથી) તમારો ભારે અપયશ થશે. માણસોના એવા વેણથી શેઠ ઘણાં જ મનમાં ખેદ પામ્યા. આ કામ મનગમતું ન હોવાથી ઘણાં જ ચિંતાતુર બન્યા, ચિંતાતુર શેઠના ભાગ્યયોગે એક વટેમાર્ગુ તેમની પાસે આવ્યો, મેલથી મેલા વસ્ત્ર અને શરીરવાળો, લાંબો માર્ગ કાપ્યો હોવાથી થાકી ગયેલો તે વટેમાર્ગ આરામ કરવા શેઠની દુકાને બેઠો. તેને પૂછ્યું : “હે ભદ્ર ! તું ક્યાંથી આવે છે ?” તેણે જવાબ આપ્યો કે સમુદ્રની પેલે પાર રહેલાં ચોડ દેશથી આવ્યો છું. શેઠ - તું કોણ છે? કઈ જાતિનો છે ? નામ શું છે? અહિં શા માટે આવ્યો છે? તે બોલ્યો કૌશલ્યાવાસી નંદશેઠની સોમા નામની પત્નીનો હું નંદન નામે પુત્ર છું. ધન ખલાસ થતાં ધન માટે ચોડ દેશમાં ગયો. ત્યાં પણ દારિદ્રથી હણાયેલો સ્વાભિમાનના લીધે પોતાના નગરે પાછો ન ગયો. બીજાનું કામ કરી ગુજરાન ચલાવતો હું ત્યાંજ રહું છું. અહિંથી ગયેલા વસંતદેવ વાણિયાએ પોતાના કાંઈક કામથી ટપાલ આપી મને અહિં શ્રીદત્ત શેઠ પાસે મોકલ્યો છે. તેથી શ્રીદત્ત શેઠનું ઘર બતાવો, કે જેથી તેના ઘેર તેની પાસે જઈ આ ટપાલ આપું. ત્યારે કુલંદર શેઠ વિચારવા લાગ્યો આ મારી પુત્રી માટે વર તરીકે યોગ્ય છે. કારણ કે આ સાધર્મિક પુત્ર છે, તેમજ નિધન અને પરદેશી છે. આ નિર્નામિકાને લઈને જશે તો પાછો નહિ આવે, કારણ કે ઘરમાં ધન નહિ હોવાથી (હોવા છતાં) સ્વાભિમાની દેખાય છે. એમ વિચારી શેઠ બોલ્યા હે પુત્ર ! તું મારા ઘેર આવ કારણ કે તારા પિતા મારા અસાધારણ મિત્ર હતા. તે બોલ્યો તે તાત! જે કામ માટે હું આવ્યો છું તે નિવેદન કરી તમારી પાસે ચોક્કસ આવીશ. ત્યારે શેઠે પોતાના પુરુષને ટપાલ અપાવી એને લઈને આવજે એમ શિખવાડી તેની સાથે મોકલે છે. નંદનને તે શ્રેષ્ઠિપુરુષ શ્રીદતના ઘરે લઈ જાય છે. ટપાલ આપીને બધી વાત કરી. ફરીથી પણ નંદને શ્રીદત્તને કહ્યું કે અહિં મારા પિતાના મિત્ર કુલંધર શેઠ વસે છે, મને દેખીને બોલાવા માટે આ પોતાના પુરુષને મોકલ્યો છે, તેથી હું ત્યાં જાઉં છું, ફરીથી આવીશ, તે પુરુષ સાથે નંદન કુલંધર શેઠના ઘેર ગયો. શેઠે પણ સ્નાન કરાવી વસ્ત્ર યુગલ તેને પહેરાવ્યા. જમાડીને કહ્યું કે “હે વત્સ ! મારી બેટીને પરણ.” વંદન Page #46 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ આરામશોભા કથા ૩૫ હજી મારે ચોડ દેશમાં જવાનું છે. કુલંધર - આને પણ ત્યાં લઈ જા, ત્યાં જ તારે યોગ્ય પૈસા વિગેરે મોકલીશ. નંદને હા કહી, ત્યારે શેઠે પરણાવી. વિવાહ દિવસ વીત્યે છતે શ્રીદત્તે નંદનને કહ્યું “જો તું અહીં જ સ્થિર રહેવાનો હોય તો ત્યાં બીજાને મોક્લુ', કારણ કે મારે ત્યાં મોટું કામ છે. નંદન - મારે સાચે જ જવાનું છે. શેઠ પાસે રજા લઈ તમને હું વાત કરીશ. બીજા દિવસે નંદને કુલંધરને વિનંતિ કરી કે. હે તાત ! હવે હું જાઉં છું, કારણ ચોડ દેશમાં મારે મોટું કામ છે. શેઠ પણ પોતે ધારેલું કામ સિદ્ધ કરી આપનાર વચન સાંભળીને કહ્યું કે જો તારો આવો જ નિશ્ચય હોય તો તેમ કર. પરંતુ તારી આ પત્નીને લઈને ચોડ દેશમાં જા. તારા ભાડ વાસણ હૈં મોકલી આપીશ. નંદને શ્રીદત્તને વાત કરી કે હુઁ જવા માટે તૈયાર છું, તમારે જે કહેવાનું હોય તો તે કહી દો. શ્રીદત્તે પણ નંદનને પોતાનો પત્ર આપ્યો અને સંદેશો કહ્યો. એ પ્રમાણે તૈયાર થયે છતે પત્નીને લઈને ચાલ્યો. માત્ર થોડું ભાથું લઈ તે એકલોજ સતત પ્રયાણ કરતો ઉજ્જૈની નગરીએ પહોંચ્યો. થોડા જ પ્રયાણોથી હું આ દેશમાં આવતા મારું ઘણું ખરું ભાથું ખલાસ થઈ ગયું છે અને માર્ગથી ૐ વિખુટો પડ્યો છું. તેથી આને (નિર્નામિકા)ને સુતેલી જ છોડીને ઇચ્છિત દેશે જતો રહ્યું. એમ વિચારી નંદને નિર્નામિકાને કહ્યું “હે પ્રિયે ! ભાથું લગભગ ખલાસ થઈ ગયું છે.” તો હવે શું કરીએ ?” ભિક્ષાથી જમવાનું થશે (ભીખ માંગવાના દહાડા આવશે) તો શું ભિક્ષા માટે ભમીશ ?' નિર્નામિકા બોલી હે નાથ ! સાંભળો તમારી (સાથે પછવાડે રહીને ભિક્ષા માંગવી મને ગમશે. એમ બોલી બન્ને નગર બહાર એક મુસાફર ખાનામાં સુઈ ગયા. ભીખથી શરમાતો તે ધીરેથી સરકી ભાથું લઈ રાત્રે જતો રહ્યો. સૂર્યોદય થતા તે નિર્ભાગ્યા ઉઠી પતિને ન જોઇને અને ભાથું ન દેખતી તેણીને ખબર પડી કે મને છોડી મૂકી છે. (૧૨૫) તે વિલાપ કરવા લાગી, સ્વામીએ સારું ન કર્યું કે ઘ૨થી લઈને અહિં મૂકીને જતા રહ્યાં. “હા ! હા ! નિર્લજ્જ ! કૃપા વગરના ! નવજુવાન દેખીને મને કોઈ પકડી લેશે (ઉપાડી જશે) તો હે નિર્દય ! તારા કુલને કલંક લાગશે. અથવા પરિતાપ કરવાથી શું વળવાનું ? પિતાનાં સાધર્મિક કોઈક વણિજ-વ્યાપારીનો આશ્રય લઈને પોતાનાં શીલનું રક્ષણ કરું. પિયરે જવામાં પુણ્યવગરની મને આદર મળશે નહિં. તેથી અહીં જ રહીને કામકાજ કરીશ ! એમ વિચારી હૃદયમાં ધીરજ રાખી દશે દિશાઓને જોતી નગરમાં પેઠી. ત્યારે એક ઘરમાં ભદ્ર આકૃતિવાળા પુરુષને જુએ છે. અને પગે પડી મનોહર સ્વરવડે વિનંતિ કરવા લાગી કે તાત ! અનાથ દીનદુઃખી એવા મારા શરણ બનો. કારણ કે અનાથ નારી નિયમા નિદા પામે છે. હું ચંપાપુરીના કુલંધર શેઠની પુત્રી છું. મારા પતિ સાથે ચોડદેશમાં જતી હતી પણ સાર્થથી વિખૂટી પડી ગયેલી અનુક્રમે અહીં સુધી આવી. હવે આપ દુઃખથી તપેલી એવી મારા પિતા બનો. ત્યારે તેનાં વચન વિનયાદિથી રંજિત થયેલા માણિભદ્ર શેઠે કહ્યું હે વત્સે ! તું મારી દીકરી છે, પોતાના પિતાને ત્યાં જેમ રહેલી હતી તેમ અહિં રહે, સાર્થની શોધ વિગેરે હૈં બધુ કરીશ, એમ કહીને માણિભદ્રે પોતાના પુરુષો શોધ કરવા મોકલ્યા. પણ સાર્થનો કોઈ પત્તો ન લાગ્યો. તેઓએ આવીને કહ્યું ત્યારે શેઠને શંકા થઈ. “આ સાચું બોલે છે કે ખોટું ?” માટે પરીક્ષા કરું. એમ વિચારીને માણીભદ્ર શેઠે કુલંધર પાસે માણસ મોકલી ખાત્રી કરીને પુત્રીની જેમ રાખી, તેણીએ Page #47 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ વિનયાદિથી આખા ઘરને રજિત કરી દીધું. માણિભદ્ર જિનધર્મ પાળે છે, તેણે જિનમંદિર બંધાવેલ તેમાં તે ભક્તિથી વિલેપન મંડનાદિ કરતી એટલે આંગી વગેરે બનાવતી, સાધુ-સાધ્વીના સંસર્ગથી શ્રેષ્ઠ શ્રાવિકા થઈ, શ્રેષ્ઠિ જેજે ભોજન માટે અને લાગુ-હકનું લવાજમ તેનાં નિમિત્તે દ્રવ્ય આપે તેને રાખી મૂકતી અને તેમાંથી જિનાલયનું રક્ષણ કરતી, શેઠ પણ ખુશ થઈ બેત્રણ ગણું દ્રવ્ય આપવા લાગ્યા. તે દ્રવ્યના ત્રણ છત્ર બનાવ્યા જે સોનાથી બનાવેલી નાની મોટી માળાવાળા રત્નથી મંડિત ઝુલતા મુક્તાફળવાળા, વિવિધ સોનાના હારોથી શોભતા, સાપની કાંચળી સરખા રેશમીવસ્ત્રથી આચ્છાદિત અને મણિરત્નોથી ચિતરેલાં અને સોનાથી ઘડેલા દંડવાળા હતા, આવા છત્ર બનાવી વિવિધ વિભૂતિથી જિનમંદિરમાં અર્પણ કરે છે, અને બીજું યથાયોગ્ય તપદાનાદિ પણ કરે છે. એ પ્રમાણે ચતુર્વિધ સંઘની પૂજા કરે છે, અને સ્વાધ્યાયમાં ઉદ્યમ કરે છે. એક વખત શેઠને ચિંતાસાગરમાં ડૂબેલા જોઈ પરમવિનયથી કારણ પૂછ્યું કે તાત ! આજે ચિંતા પિશાચથી વધારે પરવશ થયેલા કેમ દેખાઓ છો ? “તેમને કીધુ કે હે પુત્રિ ! મારી ચિંતાનું કારણ સાંભળ, જિન ભવનનો ફળ-ફૂલથી લીલોછમ બગીચો વિનાનિમિતે સુકાઈ ગયો છે અને કોઈ પણ હિસાબે વિકસતો નથી. માટે હું વધારે ચિંતાતુર બન્યો છું. ત્યારે બાલાએ કિધુ હે તાત ! આના માટે તમે ખેદ કરશોમા ૧૫લા ત્યારે શેઠે વારવા છતાં તેણીએ નિશ્ચય કર્યો કે “મારા શીલ પ્રભાવથી બાગ નવપલ્લવિત ન થાય ત્યાં સુધી અન્નજલ ત્યાગ.” અને શાસનદેવીને મનમાં ધારી જિન ભવનમાં બેઠી, ત્રીજા દિવસે રાત્રિમાં શાસનદેવીએ આવીને કહ્યું કે તું ખેદ ના કર, બગીચો સવારે નવપલ્લવિત થઈ જશે. - તારી શક્તિ દ્વારા શત્રુ વ્યંતરના ઉપદ્રવથી આ બગીચો મુક્ત થયો છે૧૬૩ એમ કહીને જેટલામાં દેવી પોતાનાં સ્થાને જાય તેટલામાં રાત પુરી થઈ ગઈ. અંધકારનો શત્રુ સૂર્ય એકાએક ઉદય પામ્યો. તેણીએ સવારે શેઠને રાત્રિનો વૃત્તાંત કહ્યો. વિકસિત નેત્રવાળા શેઠે જોયું તો જિનાલયનો બાગ અપૂર્વ પત્ર, ફળ ફૂલથી શોભતો, પાણીવાળા વાદળા સરખા વર્ણવાળો બની ગયો હતો. તે દેખી શેઠ જલ્દી નિર્નામિકાની પાસે આવ્યા અને કહેવા લાગ્યા છે બેટી ! તારા પ્રભાવથી મારા મનોરથો પૂરા થયા. તેથી હે ગુણથી વિશાળ ! ઉઠ, ઘેર આવ અને પારણું કર, એમ કહી શેઠ સમસ્ત શ્રીસંઘ સાથે વાજતે ગાજતે લોકોની સમક્ષ ઘેર લઈ જાય છે૧૬૮ લોકો કહે છે.... આના શીલનો મહિમા તો જુઓ, કે જેથી શુષ્ક બગીચો પણ ક્ષણવારમાં નવપલ્લવિત થઈ ગયો. તેથી આ પુણ્યશાળી છે, ધન્યા છે, આનું જીવન સફળ છે. જેણીને દેવતાઓ પણ આવું સાંનિધ્ય કરે છે.અથવા આ શેઠ પણ ધન્ય છે કે જેના ઘેર ચિંતામણિ જેવી આ વસે છે. એમ બધા વડે વખાણ કરાતી ઘેર પહોંચી. અને ચતુર્વિધ સંઘને પ્રતિભાભીને (ભક્તિ કરીને) પારણું કર્યું. ૧૭રી. 1. એક વખત રાત્રે છેલ્લા પહોરમાં જાગીને પૂર્વહકીકત યાદ કરીને વિચારવા લાગી. તેઓ ધન્ય છે જેઓ વિષયસુખને છોડીને દીક્ષા લઈ નિસંગ બની તપ સંયમમાં ઉદ્યમ કરે છે. ત્યારે વિષયસુખલુબ્ધ એવી હું તો અધન્ય છું, તે વિષયોની પ્રાર્થના કરતી પાપિણી એવી મને તે પણ પ્રાપ્ત થતા નથી. એટલું તો મારું ભાગ્ય છે કે મને જિનધર્મ મળ્યો છે. તે ધર્મની તોલે બીજો કોઈ ધર્મ ન આવી શકે, તેમજ આ ધર્મ ભવસમુદ્રથી પાર ઉતારવા માટે નાવ સમાન છે. આવો ધર્મ પ્રાપ્ત કરી સર્વવિરતિ લેવી ઉચિત છે, પણ હું તેમ કરવા સમર્થ નથી૧૭૭ી. Page #48 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ શિખરસેન કથા ૩૭ તેથી ઘેર બેઠી જ ઉગ્ર તપ-ચરણ કરુ, એવો વિચાર કરી. સવારે તેજ કરવાનો આરંભ કર્યો. એટલામાં શરીર તપથી સુકાઈ ગયું ત્યાં સુધી વિશેષ પ્રકારે તપાદિ અનુષ્ઠાન કરવાનો આરંભ કર્યો. છેલ્લે અનશન કરી સૌધર્મ દેવલોકે દેવ બની, ત્યાંથી વિધુત્રભા થઈ. માણીભદ્ર શેઠ પણ દેવ થઈ અવીને મનુષ્ય થઈ પુનઃ નાગકુમાર દેવ થયો. પિતાના ઘેર મિથ્યાત્વના મોહથી જે આચરણ કર્યું તેનાં કારણે પહેલાં દુઃખ પછી સુખ મળ્યું. અને જિનભવનનો બાગ પલ્લવિત કરવાથી તારી સાથે આ ઉદ્યાન ફરે છે. જિનભક્તિનાં કારણે રાજ્ય પ્રાપ્ત થયું. ત્રણ છત્ર આપવાથી સદા તું છત્ર છાયામાં હરે ફરે છે. જેતે ઘણા પ્રકારના સુંદર પૂજાના ઉપકરણો આવ્યા, તેથી તારે ભોગ સામગ્રી થઈ. એ પ્રમાણે જિનભક્તિથી દેવલોકમાં શ્રેષ્ઠસુખરૂપે ફળની પ્રાપ્તિ અને આ મૃત્યુલોકમાં રાજયસુખ પ્રાપ્ત થયા કરશે અને અનુક્રમે સિદ્ધિ પ્રાપ્ત થશે.૧૮૮માં તે સાંભળી મૂછ વશથી વિશેષ ચેતના નાશ પામી અને બધાની સામે જ ઘસ દઈને ભૂમિ ઉપર પડી ગઈ. અને પરિવારે ક્ષણવારમાં પવન નાખી સ્વસ્થ કરી. ત્યારે સૂરિવર્યના ચરણે પડી પરમ વિનયથી વિનવવા લાગી કે જે આપે દિવ્યજ્ઞાનથી જાણીને કહ્યું તે અત્યારે જાતિસ્મરણ થી સાક્ષાત થયું. તમારા વચન સાંભળવાથી અને સ્વચરિત્રને જાતે જોતાં મારું મન સંસારવાસથીભવથી વિરક્ત થયું છે. તે સ્વામી ! જેટલામાં રાજા પાસે રજા લઉં તેટલામાં તમારા ચરણકમળમાં સેંકડો ભવોનાં દુઃખને દળી નાંખનાર પ્રવજયાને હું ગ્રહણ કરીશ. આ રાણીના વચન સાંભળી રાજા પણ કહેવા લાગ્યો. “હે ભગવંત ! આવું જાણીને સંસારમાં કોણ રમે ?” બસ આરામશોભાના પુત્ર મલયસુંદરનો રાજયાભિષેક કરી હું પણ તમારી પાસે દીક્ષા લઈશ. ગુરુએ કહ્યું ભો ! ભો ! ઘાસના અગ્રભાગે રહેલ જલબિંદુ સરખા ચંચલ જીવલોકમાં પળમાત્રનો પણ વિલંબ ન કરવો. ત્યારે મલયસુંદર રાજકુમારને રાજયે સ્થાપી મોટા પરિવાર સાથે બંને જણે દીક્ષા લીધી, ગુરુચરણમાં બંને પ્રકારની શિક્ષા મેળવી અનુક્રમે ગીતાર્થ બન્યા. ગુરુએ બન્નેને પોતાના પદે અને પ્રવર્તિની ના પદે સ્થાપ્યા ભવ્યજીવોને બોધ પમાડીને છેલ્લે અનશન કરી સ્વર્ગમાં ગયા. ત્યાંથી ચ્યવી મનુષ્ય અને સુર સંબંધી સુખ અનુભવી અનુક્રમે શિવસંપત્તિને વરશે.... આ પ્રમાણે જિનભક્તિથી અસામાન્ય ફળ પ્રાપ્ત થાય છે. (આરામશોભા કથા પુરી) - સાધુની ભક્તિથી કલ્યાણ પરંપરાને જીવ મેળવે છે, અને સમક્તિ શુદ્ધ થાય છે. એમાં કોઈ સંદેહ નથી. તેના વિષે શિખરસેન'નું ઉદાહરણ કહેવાય છે. ( શિખરસેન કથા) આ ભરતક્ષેત્રમાં શિખર સમૂહ ઉપર દેદીપ્યમાન ઔષધિ સમૂહથી યુક્ત, અભિમાનીહાથીઓથી નાશ કરાયેલ પરિણતહરિચંદન-પરિપક્વ પીળાચંદનની ગંધથી સુગંધી, ફળફૂલવાળા ઝાડે બેઠેલા પંખીઓનાં અવાજથી શબ્દમય બનેલ, ઝરતાં ઝરણાંના ઝંકારથી જેની દશે દિશાઓ પુરાઈ ગઈ છે, જેની મેખલા ઉપર સેંકડો જંગલી જાનવરો ભમી રહ્યા છે, એવા વિંધ્યાચલ પર્વત ઉપર “શિખરસેન' નામે ભિલપતિ રહે છે. જે પ્રાણીઓને હણવામાં નિરત અને વિષયમાં ઘણો જ આસક્ત હતો. તેની નવયૌવનથી ભરપૂર, વલ્કલ વસ્ત્રને પહેરનારી, ચણોઠી - - Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૮ મૂળશુદ્ધિ ભાગ-૧ વિગેરેના ઘરેણાંવાળી, શ્રીમતી નામે ભાર્યા છે. તેની સાથે ગિરિનિકુંજ - લતાગૃહમાં વિષયસુખ ભોગવે છે, હરણ વગેરેના યુગલોને વિખુટા પાડે છે. અને તે શ્રીમતી પણ વિખુટા કરાયેલા હરણ યુગલોને દેખી તે હર્ષથી ભરેલા અંગવાળી, ઉછલતા સ્તનવાળી હસે છે. એક વખત કુરાજાની જેમ સર્વજનને દાહ કરનારી ગ્રીષ્મઋતુ આવી, જગતરૂપી કોઠા મળે રહેલ લોઢાના તત ગોળા સમાન સર્વજનોને દાહ કરનાર સૂર્યને જાણે પ્રચંડ પવન ધમી (ટૂંકી) રહ્યો છે. (તેનાં તાપને વધારી રહ્યો છે.) કલિકાલ જેવા જગતમાં ઝાડોના પાંદડા પડવા લાગ્યા. અભિમાની નારીની જેમ હલકી જઈ વિકસી રહી છે. જરાક રાતા પુષ્પથી ભવાં ચડાવેલી નયણોવાળા પાટવૃક્ષો જાણે જગતને તપાવનારાં ઉનાળાને રોષથી દેખી રહ્યા છે. આ બધા ઝાડોને પુષ્પસમૃદ્ધિ વગરના દેખી કાળા પડેલા શિરીષના ઝાડો પોતાના નીલાપુષ્પની લક્ષ્મીથી જાણે સજ્જન માણસની જેમ શરમાઈ રહ્યા છે. જગતને સંતાપ કરનારી લૂ વાયી રહી છે. અગ્નિજવાલાની જેમ પ્રચંડ સૂર્યકિરણો બધાને દઝાડી રહ્યા છે. લોકનો સંતાપ દેખી ખુશ થવાથી દિવસો મોટા થઇ રહ્યા છે. સજ્જનની જેમ બીજાની પીડા જોઈ રાત્રીઓ નાની નાની થઈ રહી છે. કંઠ અને હોઠ સુકાઈ જવાથી લોકો વારંવાર પાણી પીએ છે. પરસેવાથી ભીના-મેલા શરીરવાળા લોકો સતત ખેદ પામે છે. ગરમીથી પીડાયેલા વટેમાર્ગ પરબમાં પાણી પીને છાયામાં આરામ કરતાં હા હા હાશ! એમ બોલે છે. ચંદ્ર-પુષ્પમાળા ક્રીડાગૃહ, પંખો, કિસલય, પાણીથી ભીના જલાશયો, ચંદનનો વિલેપન વિગેરે અમૃતજેવા લાગે છે. આવા ઉનાળામાં શ્રીમતી સાથે શિખરસેન સ્વચ્છેદ લીલાથી ભમતો હતો. તેટલામાં પથથી પરિભ્રષ્ટ સાધુ સમુદાય ભમતો દેખાયો. ત્યારે અનુકંપાથી મનમાં શિખરસેન વિચારવા લાગ્યો. “આ વિષમ પ્રદેશમાં એઓ કેમ ભમે છે?” સાધુઓએ કહ્યું કે શ્રાવક ! અમો માર્ગ ભૂલી ગયા છીએ. ત્યારે શિખરસેન શ્રીમતીને ઉદેશીને કહેવા લાગ્યો ! હે દેવી ! જો તો ખરી આ ગુણના ભંડાર ભાગ્ય વશથી આજે કેવી અતિવિષમ દશાને પામ્યા છે. ત્યારે શ્રીમતિએ શિખરસેનને કહ્યું કે સ્વામીનાથ! એઓ મહાતપસ્વી છે. ભયાનક વિંધ્ય વનથી આ પુણ્યશાળીઓને પાર ઉતારો. અતિવિષમતપથી પરિક્ષીણ શરીરવાળા આવાં સાધુઓને ફળમૂળાદિથી તૃપ્ત કરો. એમને પ્રણામ કરવો તે ખરેખર નિધાન મેળવવા સમાન છે. એમ કહીને સંભ્રમ અને હર્ષના વશથી રોમાંચિત દેહવાળા શિખરસેન ભિલપતિએ સુંદર ફળમૂળ લઈને સવિનય લાભ દેવા કહ્યું. સાધુઓએ કહ્યું અમારે વર્ણગંધથી રહિત થયેલા ખપે તો પણ અમારા ઉપર ઉપકાર કરો, નહિ તો અમને ઘણું જ દુઃખથશે. ઘણાં ગુણોને પેદા કરનારી શ્રેષ્ઠ શ્રદ્ધાને જાણી તેઓના હૃદયમાં અન્યગુણોની વાવણી કરવા સારુ સાધુઓએ કહ્યું જો તમારો આટલો બધો આગ્રહ હોયતો લાંબા કાળથી ગ્રહણ કરેલાં વર્ણ ગંધાદિ જેનાં બદલાઈ ગયા છે એવા ફળો વહોરાવો. તેવાં પ્રાસુક ફળથી પડિલાભી ભાર્યા સાથે પોતાને કૃતાર્થ માનતો રસ્તે ચડાવા ગયો. સાધુઓએ જિનધર્મ ઓળખાવ્યો. કર્મનો ઉપશમ થવાથી સહર્ષ તેઓએ સારી રીતે તે ધર્મને સ્વીકાર્યો અને શાશ્વત શિવસુખના કારણભૂત નવકાર આપ્યો. બહુમાન ભક્તિસમૂહથી પૂર્ણ અંગવાળા તેઓએ ગ્રહણ કર્યો. તથા તેઓનો જન્મ કર્માનુભાવને ચરિત (યોગ્ય)-અનુસરનારો જાણી પખવાડીયામાં એક દિવસ સર્વસાવદ્ય આરંભ છોડી એક સ્થાને બેસી નવકારનું સ્મરણ કરવાનું કહ્યું. અને શરીરનો ઘાત Page #50 -------------------------------------------------------------------------- ________________ ૩૯ મૂળશુદ્ધિ ભાગ-૧ શિખરસેન કથા કરનાર ઉપર પણ ક્ષમા રાખવી. આવી રીતે જિનધર્મને સેવતા તમોને ટુંક સમયમાં ચોક્કસ મનોહર દેવની સુખસામગ્રી પ્રાપ્ત થશે. હર્ષઘેલાં બનેલાં તેઓએ મુનિવચન સાંભળી “અમો એ પ્રમાણે કરીશું.” એમ સ્વીકાર કર્યો. સાધુઓ તો ગયા અને તેઓ વધતાં જતાં શુદ્ધ ભાવથી તે પ્રમાણે કરવા લાગ્યા. પણ એક દિવસ પૌષધ પ્રતિમાને સ્વીકારી અનુસ્મરણ કરતા હતા, ત્યાં તો એક વિકરાળ વિધ્યશિખર ઉપર હાથીઓના ગંડસ્થલ ભેદવામાં તત્પર રહેનાર, હાલતાં ડોલતાં પીળાવર્ણની કેશરસટાવાળો ગર્વિષ્ઠ સિંહ આવ્યો ત્યારે શિખરસેને ભયભીત શ્રીમતીને દેખી ડાબા હાથ બાજુ રહેલા ઉદ્દામ ધનુષ્યને ગ્રહણ કર્યું અને કહ્યું કે આ મારા એક બાણથી સાધ્ય છે. (૪૨) ત્યારે શ્રીમતીએ ક્ષમા રાખવાનું કહ્યું અને ગુરુવચન યાદ કરાવ્યું. તે સ્વામીનાથ ! એમાં કોઈ સંદેહ નથી. પણ એમ કરતાં મુનિવચન છૂટી જશે, “કારણ મુનિ મહાત્માઓનો આદેશ છે કે તે દિવસે જો કોઈ શરીરનો નાશ કરે તો પણ તેની ઉપર ક્ષમા કરવી. (તેની ઉપર ક્ષમા. રાખવી) “તો પરલોકમાં બંધુસમાન, ગુણોથી શોભાયમાન, એવાં ગુરુવચનને યાદ કરતાં આપણે તે વચનથી વિપરીત આચરણ કેમ કરીને કરીએ ?” હવે ધનુષને એકબાજુ મૂકી શિખરસેને શ્રીમતીને કહ્યું કે સુતનુ ! તારી વાત સાચી છે, ગુરુ આદેશ અન્યથા કેમ કરાય, પરંતુ તારા મોહથી મુગ્ધ બનેલ હૃદયવાળા મેં આમ કર્યું, હવે આવા અકાર્યથી સર્યું, ગુરુવચનમાં આદર કરીએ, તેથી આદર કરી બેસી ગયા. I૪૭ ' એ અરસામાં સિંહનાદથી નભાંગણને ભરતો ભૂમિ ઉપર પંજો થપડાવી તે સિંહ તેમની પાસે આવ્યો. ત્યારે તે બંને ચિંતવવા લાગ્યા કે “આ પશુરાજા ગુરુ ઉપદેશનું બરાબર પાલન કરો છો કે નહિ?” તેની પરીક્ષા કરવા માટે કસોટી ના પત્થર સમાન હોવાથી અમારો ઉપકારી છે. એવી શુભ વિચારધારામાં મગ્ન બનેલ ક્રોધ વગરનાં તે બંનેને તીક્ષણ નખોથી સિંહે વિદારી નાંખ્યા. બન્ને જણાએ કાયર માણસોને કંપારી છુટાડે એવા અતિભયંકર ઉપસર્ગને સહન કર્યો. અને શુભભાવનાથી કાળ કરી સૌધર્મ દેવલોકમાં ઋદ્ધિમંત પલ્યોપમ આયુવાળા દેવ થયા. તે બન્ને ઇચ્છા મુજબ ભોગોને ભોગવી આયુ ક્ષીણ થતા ત્યાંથી ચ્યવી જંબુદ્વીપના પશ્ચિમ મહાવિદેહમાં ચક્રપુર નામે નગર છે. જે ઉંચાગઢ અને ધોળા ઘરોથી દેવનગર જેવું લાગે છે. તેનું સૂર્યની જેમ શ્રેષ્ઠ ૫૦૦ પુરુષના હજાર નેત્રોરૂપી કિરણવાળો, સદા વૃદ્ધિ પામતા વિષયસુખવાળો, ઈદ્ર સમાન કુરુમૃગાંક નામે રાજા પાલન કરે છે. તેને બાલચન્દ્રા નામે પટરાણી છે. તેની કુક્ષિમાં શિખરસેન ઉપન્યો. શ્રીમતી પણ સુભુષણ રાજાની રાણી કુરુપતિની કુક્ષિમાં ઉપજી. તે બન્ને રાજા રાણીના સેંકડો મનોરથો સાથે સુપ્રશસ્ત દિવસે રૂપાદિગુણોથી યુક્ત તેઓનો જન્મ થયો. કુમારનું સમરમૃગાંક અને કુંવરીનું અશોકદેવી નામ પાડ્યું. અનુક્રમે સર્વકલા ગ્રહણ કરીને હોંશિયાર થયેલા તે બન્ને કામદેવના ભવન સમાન યૌવનને પ્રાપ્ત થતાં સુભૂષણ રાજાએ સમરમૃગાંકને પોતાની દીકરી આપી અને શુભ મુહુર્ત બન્નેનાં લગ્ન થયા. ઇચ્છામુજબ વિષયસુખ ભોગવતાં, હર્ષપૂર્ણ અંગવાળા અરસપરસ વધતા અનુરાગવાળા તે બેઓનો કાળ વીતે છે. એક દિવસ રાણી સાથે વિલાસ કરતા કર્મૃગાંક રાજા ઝરોખામાં બેઠા હતા. ત્યારે રાજાના વાળ સંવારી રાણીએ માથામાં ચંદ્રસરખી કાંતિવાળા વાળને દેખી બોલી હે દેવ ! મારી વિનંતિ સાંભળો, Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૦ મૂળશુદ્ધિ ભાગ-૧ પલિતનાં (ધોળાવાળ)નાં બહાને કાનની નજીક રહેલો દૂત કહી રહ્યો છે કે હે રાજન ઘડપણ આવી રહ્યું છે. તેથી જે કરવાનું હોય તે જલ્દી કરી લો. તે સાંભળી પુત્ર સમરમૃગાંકને રાજયે સ્થાપી રાણી સાથે દીક્ષા લીધી ૬૬ સમરમૃગાંક પણ ચોતરફ પ્રસરેલા પ્રતાપવાળો અશોકદેવી સાથે ભોગ ભોગવતો રહે છે. એ અરસામાં સમરમૃગાંકને પૂર્વે નિર્દોષ જીવોઘાતથી બાંધેલું ઘણાં જ માઠા પરિણામવાળું કર્મ ઉદયમાં આવ્યું. જેથી બંભાનગરના રાજા શ્રીબલે નિર્નિમિત્તે યુદ્ધ છેડ્યું અને સમરમૃગાંકના પ્રધાન યોદ્ધાઓ તેમાં ભળી ગયા છતાં યુદ્ધ કરવા તૈયાર થયો, ઘમસાણ યુદ્ધથી પોતાનું શેષ સૈન્ય નાશ પામતા શ્રી બળે સમરમૃગાંકને હણ્યો, તેથી પોતે યુદ્ધમાં જ મર્યો. અને રૌદ્રધ્યાનથી રૌદ્ર નરકમાં સત્તર સાગરોપમના આયુષ્યવાળો નારકપણે ઉપન્યો. તે સાંભળી અશોકદેવી પણ વિરહશોકથી પીડાયેલી ચક્કર આવવાથી ધબ દઈને નીચે પટકાણી, આશ્વાસન આપતા રૌદ્રધ્યાનથી અત્યંત મોહથી મુગ્ધ બનેલી રાણીએ એવા પ્રકારનું ઘોર પાપકારી નિયાણું કર્યું કે અભાગિણી હું પણ જ્યાં રાજા ઉપન્યો છે ત્યાંજ જાઉ. ૭૫ . ત્યારે સંક્લિષ્ટ ચિત્તવાળી પોતાના શરીરને અગ્નિમાં બાળે છે. અને જ્યાં રાજા હતો ત્યાં જ ઉપજી. સદા ઉદ્વિગ્ન, ભારે દુઃખી, કરુણા ઉપજાવે તેવાં શબ્દો બોલનારા, હંમેશને માટે ભયભીત એવા તેઓએ જેમ તેમ કરી (કમ પણ કરીને) સત્તર સાગરોપમ ગાળ્યા. ત્યાંથી નીકળી રાજા પુષ્કરાઈભરતનાં બેનાપ્રદેશમાં દારિદ્ર કુલમાં ગાથાપતિ પુત્ર થયો. દેવી પણ ત્યાં જ સમાનજાતિમાં દરિદ્રપુત્રી થઈ. અનુક્રમે તે બન્ને ઉદામ-જોરદાર યૌવનને પામ્યા, ભાગ્યયોગે તે બન્નેના લગ્ન થયા. પૂર્વભવનાં અભ્યાસના કારણે પરસ્પર અનુરાગવાળા બને દારિદ્રને ભૂલી સુખેથી રહે છે. (૮૧) એક વખત ગુણના ભંડાર ગોચરી જતાં સાધ્વીગણને ઘરઆંગણે દેખી પ્રાસુક અન્નપાણી હર્ષથી વિકસિત રોમરાજીવાળા બન્ને જણાએ વહોરાવ્યા, “તમે ક્યાં રોકાયેલા છો ?” એ પ્રમાણે પૂછતા સાધ્વીજીએ કહ્યું અમે વસુશેઠના ઘરની પાસે તેનાં જ બનાવેલા ઉપાશ્રયમાં રોકાયેલા છીએ. અને મધ્યાન્હે વધતી જતી શ્રદ્ધાવાળા બન્ને તેમના ઉપાશ્રયમાં ગયા. (૮૫) બંને જણાએ ત્યાં સામે રહેલી પુસ્તકમાં નજરવાળી જાણે કમળની વેલ ન હોય તેની જેમ જેની તનુનાલ નમી પડેલી છે, નયનરૂપી ભ્રમરને ધારણ કરનારી તેમજ નીચે નમેલા મુખકમલવાળી, વિસ્તૃત મહાઅર્થવાળા અગ્યારે અંગ જેની કમળના પાંદડા સરખી કોમળ જીભની ટોચે રહેલા છે, એવી સુવ્રતા નામની મહત્તરાને દેખી. વિસ્મયથી વિકસિત નયણવાળા, ભક્તિસમૂહથી પૂર્ણ અંગવાળા, રોમાંચિત ગાત્રવાળા, તે બન્ને જણા તેમને વાંદીને બેઠા, મહત્તરાએ પણ શ્વેત વસ્ત્રની અંદર રહેલા એક હાથને નીકાળી અર્ધ નમેલાં મુખથી ધર્મલાભ આપ્યા. બાકીની સાધ્વીજીઓને વાંદી, ફરી ગણિની પાસે બેઠા ૯૦ જેના દાંતમાંથી નિર્મલકિરણો નીકળી રહ્યા છે એવી ગણિનીએ પૂછયું, ક્યાં રહો છો, તેઓએ કહ્યું અહીં જ રહીએ છીએ. ત્યારે ગોચરી ગયેલી જે સાધ્વીજીએ એમને જોયા હતા તેમણે કહ્યું આજે જ અમને વહોરવા ગયા ત્યારે એઓએ વસતિનું પૂછેલું, આ ઘણા જ શ્રદ્ધાળું છે. તમને વાંદવા આવ્યા છે. ગણીનીએ કહ્યું તમે સારું કર્યું, કે ધર્મમાં મનપરોવી અહિ આવ્યા, ભવ્ય પ્રાણીઓનું આ જ કર્તવ્ય છે. કારણ કે શારીરિક અને માનસિક દુ:ખથી પીડિત પ્રાણીઓને આ સંસારમાં ધર્મને મૂકી બીજું કોઈ શરણ નથી. સ્વપ્ન-માયા અને ઇન્દ્રજાલ સમાન ચલ અને અસાર સંસારમાં મનુષ્યપણું મૂકી અન્યત્ર રહેલો જીવ બરાબર ધર્મ કરી ન શકે, તેવો Page #52 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ શિખરસેન કથા મનુષ્ય જન્મ મેળવીને જેઓ વિષયલુબ્ધ બની ધર્મ કરતા નથી તેઓ ચંદનને બાળી અંગારા વેચવાનું કામ કરે છે, તેમ જાણવું. ધર્મથી સર્વભાવો સુખ આપનારા બને છે. ધર્મથી ટૂંક સમયમાં શાશ્વત સુખવાળું સિદ્ધિપદ પ્રાપ્ત થાય છે. ત્યાં ધર્મનું મહત્વ સાંભળી, શુદ્ધભાવે જિનેશ્વરે ભાખેલ ધર્મનો સ્વીકાર કર્યો અને યથાશક્તિ વિરતિ સ્વીકારી થોડીક વેળા ત્યાં રહી તેજ પ્રમાણે સાધ્વીઓને નમન કરી ઘરભણી જવા લાગ્યા, ત્યારે ગણિનીએ કહ્યું- દુઃખને દૂર કરવા માટે વિરેચન સમાન એવા વીતરાગ પરમાત્માએ ફરમાવેલ ધર્મને સાંભળવા દરરોજ આવજો. ગણિણીના વચન સ્વીકારી ઘેર ગયા, હર્ષિત હૃદયવાળા ધર્મમાં અનુરાગવાળા તેઓ કેટલાક દિવસમાં ઉચ્ચ ભક્તિવાળા બની વિષયસુખથી મનને વાળી ઉત્તમ શ્રાવક થયા. (૧૦૩). દરરોજ ત્યાં આવવા લાગ્યા અને ઉત્તમ શ્રાવક ધર્મ પાળી મરીને બ્રહ્મદેવલોકે ગયા. કાંઈક અધિક સાત સાગરોપમ સુધી શ્રેષ્ઠ સુખ અનુભવી ત્યાંથી ચ્યવી આજ જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં મિથિલાનગરીમાં કિર્તિધર્મ રાજાની શ્રીકાંતા રાણીની કુક્ષિમાં ભિલજીવ ઉપન્યો. ત્યારે રાણીએ મુખથી ઉદરમાં લીલાથી પ્રવેશતો સિંહ કિશોર દેખ્યો. તેથી રાણી ઘબરાટ સાથે જાગી ઉઠી ૧૦૭ રાજા પાસે જઈ અંજલિ જોડી સ્વપ્ન કહેવા લાગી. તે સાંભળી રાજા કદંબ પુષ્પની જેમ રોમાશ્ચિત થયો. સ્વપ્નઅર્થ વિચારી રાજા હર્ષવશે અટકતો કોયલ જેવી કોમલ વાણીથી રાણીને કહેવા લાગ્યો, હે દેવી ! અભિમાની શ્રેષ્ઠ માણસરૂપી હાથીને ફાડી નાંખવા માટે સિંહ સમાન “અસામાન્ય તીક્ષ્ણ નખવાળો પૃથ્વીમાં અજબ કોટીનો વિર” પુરુષજાતિમાં સિંહ સમાન પરાક્રમી એવો તારે પુત્ર થશે. રાજાના તે વચનને બહુમાનથી સ્વીકારી સુપ્રશસ્ત દોહલાને પૂર્ણ કરી ગર્ભધારણ કરે છે. અનુક્રમે પ્રસૂતિ સમયે આવતા શુભદિવસે દેવકુમાર સરખો પુત્ર જન્મ્યો. (૧૧૨) પ્રિયંગુલતા દાસીએ રાજાને વધામણી આપી. દાસીને પ્રીતિદાન આપી મસ્તક ધૂએ છે, એટલે તેનું દાસત્વ ધોઈ નાખે છે. ત્યારપછી બધુંસરી, મુશલ, ધ્વજા, ઘાણીના ચક્રને ઉંચા મૂકાવી દીધા છે, એટલે આવા કષ્ટદાયક વ્યાપાર બંધ કરાવ્યા, અથવા ધ્વજ પતાકા વગેરેથી રાજય સજાવ્યું,” એવો વધામણી મહોત્સવ રાજાના આદેશથી સમસ્ત રાજ્યમાં શરૂ થયો. (૧૧૪) વળી સર્વ બંદીજનો છૂટા કરાઈ રહ્યા છે, વાજીંત્ર વાગી રહ્યા છે, નારી સમૂહ નાચી રહ્યો છે. માથાના વસ્ત્ર હરાઈ (ઉડી) રહ્યા છે, મંગલ ગીતો ગવાઈ રહ્યા છે. બજારો શણગારાઈ રહી છે, કંચુકીઓ ગોળ ભમી રહ્યા છે, કુબડા અને લંગડા આળોટી રહ્યા છે, ભાટચારણો રાજાને વખાણી રહ્યા છે. હાથી રથ અપાઈ રહ્યા છે. ઝળહળતા હારો તુટી રહ્યા છે, (ખંડીયારાજાને). સામંતોને ખુશ કરાય છે, બહુ દાન અપાઈ રહ્યું છે, મીઠા જળ પીવાઈ રહ્યા છે. વિવિધ ભોજન જમાઈ રહ્યા છે, અનેક આશ્ચર્યો દેખાઈ રહ્યા છે, પૂજાપાત્રો-ચોખાના ભરેલા થાળ વધામણી નિમિત્તે આવી રહ્યા છે, પાત્રદાન દેવા યોગ્ય ગુણી લોકો પૂજાઈ રહ્યા છે, છત્રો ઉંચા અને ખુલ્લા કરાઈ રહ્યા છે, ક્ષત્રિયોને માન- પાન અપાઈ રહ્યા છે, “અક્ષતથી વધાવી રહ્યા છે” બાલકોનું રક્ષણ કરાઈ રહ્યું છે, દુશ્મનોને દુઃખ ઉપજી રહ્યું છે. મિત્રો મજા માણી રહ્યા છે, આ વધામણીના મહોત્સવમાં મહાલી રહેલા રાજાનો સેંકડો મનોરથ સાથે અનુક્રમે મહીનો પૂરો થઈ ગયો, (૧૨૧) શુભદિવસે રાજાએ મિત્ર સ્વજન અને બન્ધવર્ગ (સગાસંબંધી)નો આદર સત્કાર કરી પુત્રનું વિજયવર્મ નામ પાડ્યું. પાંચ ધાવમાતાથી લાલન પાલન કરાતો અનુક્રમે આઠ વર્ષનો થતા Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૨ મૂળશુદ્ધિ ભાગ-૧ કલાગ્રહણ કરી, સર્વકલામાં સંપન્ન અને કામદેવના રાજભવન સમાન નવીન વયમાં આવેલો જાણી રાજાએ કુલીન, ઉત્કૃષ્ટ લાવણ્યકાંતિવાળી, ફાટફાટ થતા યૌવનવાળી નવયૌવનથી ફાટુ ફાટુ થતી સ્વચ્છંદ રતિરસથી ભરેલી તલાવડી સમાન, સર્વકલામાં કુશલ,અતિશય શોભાયમાન આકૃતિવાળી અને શરીર પર વસ્ત્રાદિની સજાવટવાળી બત્રીશ શ્રેષ્ઠ કન્યાઓ પરણાવી. (૧૨૬) આ બાજુ ભિલ્લરાણી આ જ ભરતમાં પૃથ્વીનારીના તિલકસમાન, સારા પ્રકાશવાળા અને જે ધનધાન્યથી સંપન્ન છે, એવા શુભવાસ નામના નગરમાં વિમલાક્ષ નામે રાજા છે. જેણે શત્રુપક્ષનો નાશ કરી દીધો છે. જે અક્ષત/સુંદર ઇંદ્રિયોવાળો છે, જે ઘણાં લોકોનો રક્ષણ કરનારો અને સર્વકલાઆગમશાસ્ત્રમાં દક્ષ છે, તેને ગુણનો ભંડાર, નારીની લીલાથી ત્રણે લોકને તોલનારી (ત્રણે લોકમાં શ્રેષ્ઠ) કમળના પાંદડા સરખા દીર્ઘ નયણોવાળી કમલાવતી નામે રાણી છે. તેની કુક્ષિમાં બ્રહ્મદેવલોકથી ચ્યવી તે શ્રીમતીનો જીવ (ભિલ્લરાણી) પુત્રીરૂપે ઉપજી, પોતાના ખોળામાં ચંદ્રકલાને સ્વપ્નમાં જોઈ પતિને વાત કરી પતિએ કહ્યું તારે પુત્રી જન્મશે, જેનાં દોહલાં પૂર્ણ થઈ ગયા છે એવી રાણીએ શુભદિવસે સુખપૂર્વક શ્રેષ્ઠ બાલિકાને જન્મ આપ્યો. (૧૩૨) બાર દિવસ થતાં ગ્રહાધિષ્ઠાયક દેવનું, સ્વજનોનું સન્માન કરી સ્વપ્ન અનુસારે રાજાએ તેનું ચન્દ્રવર્મા નામ પાડ્યું, પાંચ ધાવમાતાઓથી લાલન કરાતી અનુક્રમે કાંઈક ઉણા આઠ વર્ષની થઈ ત્યારે કલા શિખવાડી. એક દિવસ સર્વશણગાર સજી વિવિધ વિનોદ કરતી રાજાના ખોળામાં બેઠી છે, ત્યારે તેનું રૂપ જોઈ રાજાએ કન્યાને વિદાય કરી, અને ચિંતાતુર બનેલો રાજા મતિસાગર મંત્રીને ઉદ્દેશીને કહેવા લાગ્યો, “હે મંત્રીશ્વર ! આ કન્યાનું વર્ણન કરવા કોણ સમર્થ થઈ શકે ?” કારણ કે આ વિંધ્યાચલનું જંગલ જેમ સુંદર હાથીવાળું હોય તેમ આ સુંદર વાણીવાળી છે, બ્રાહ્મણની જીભ આશીર્વાદમાં રત હોય, (કન્યાપક્ષે) મંગલકારી દાંતવાળી, વેદવચન સુંદર પાદવાળા હોય, (કન્યાપક્ષે) સુંદર પગવાળી, (વિળયમુનાયા ય ગરુઙમુત્તિવ્ઝ) ગરુડમૂર્તિ જેમ વિનતા માતાથી જન્મેલ છે (કન્યાપક્ષે) વિનયથી સુંદર વિષ્ણુની દેહ જેમ સત્યભામાયુક્ત હોય છે તેમ સત્યવચનવાળી, ટંકશાળ જેમ ચલણી સિક્કાવાળી હોય તેમ (કન્યાપક્ષે) જ્ઞાનવાળી, મેરુપર્વત (પર્વતની વનરાજી) સુંદર સરલ ઝાડવાળો (કન્યાપક્ષે) તેમ સીધીસાદી, જિનેશ્વરની વાણી નિર્મલ, નિર્દોષ આલાવાવાળી હોય તેમ (કન્યાપક્ષે) મીઠું બોલનારી, વરસાદની મોસમ વાદળાવાળી હોય (કન્યાપક્ષે) સુંદર બુદ્ધિશાળી, ચંદ્રકલા કલંક વગરની હોય (કન્યાપક્ષે) કલંક વગરની, હૂઁ માનું છું કે સૌભાગ્ય, રૂપ, લાવણ્ય, કાંતિ અને દીપ્તિથી આ કન્યા મહાદેવ, કામદેવ, વિષ્ણુ, ચંદ્ર અને ઇન્દ્રની પટરાણીને જિતનારી છે. જેણીનાં ઉંચા અને પીન સ્તન ગોલ અને સુંદર છે, જેણીનું નિતંબતટ (પૂંઠનો ભાગ-થાપો) વિસ્તૃત છે. અને જે સઘળાય વિલાસનો ખજાનો છે આવી કન્યા યૌવનવયમાં વર્તી રહી છે. તેથી “આને અનુરૂપ વર આ જગતમાં કોણ થશે /હશે ?” આ કારણથી હું ઘણો જ ચિંતાતુર થયો છું. (૧૪૨) આ વચન સાંભળી મતિસાગર મંત્રીએ કહ્યું કે રાજન્ ! ચિંતા કરશો મા, આ બાબતે વિધિ (વિધાતા) સાવધાન જ હોય છે, તેટલામાં નગરની એક દિશામાં હણો હણો એવા શબ્દવાળો મોટો કલકલ અવાજ (ઘોંઘાટ) થયો, અને પુષ્કલ ઘોડાની ખુરથી ઉખડેલી ધૂળ સમૂહથી દિશાઓ તમાલપત્ર સરખી કાલીભટ્ટ થઈ ગઈ. આ શું છે ?” અવાવિતર્કવાળા રાજાએ પ્રતિહારને જેટલામાં Page #54 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ શિખરસેન કથા ૪૩ તપાસ કરવા કહ્યું. તેટલામાં કવચને ધારણ કરનાર ડમરીથી રંગાયેલા શરીરવાળો ઉતાવળા પગે દ્રઢવીર્ય ત્યાં આવ્યો, હે રાજન ! જયપામો એ પ્રમાણે બોલતો વિનંતિ કરવા લાગ્યો કે આજે મન અને પવન સરખા વેગવાળા ઘોડા ઉપર સવાર થઈ સપરિવાર નગરની દક્ષિણ દિશામાં દુષ્ટપુરુષોની તપાસ માટે ગયો, તેટલામાં મોટો યુદ્ધનો અવાજ સંભળાયો, મેં ત્યાં જઈને જોયું તો એક રાજકુમાર શ્રેષ્ઠ ઐરાવણ હાથી ઉપર ચઢેલો હતો, અને ચારે બાજુ ઘેરીને સુભટો તેનાં ઉપર પ્રહાર કરી રહ્યા છે, જાણે ઈન્દ્રને ઘેરી અસુરો પ્રહાર કરતા ન હોય, તેટલામાં બહુ પ્રહારથી પ્રહત બનેલ (ઇજા પામેલ) હાથી ઘણો ગુસ્સે થયો, તેમજ ચિંઘાડ કરવા લાગ્યો તેવા હાથીને કુમાર ધીરે ધીરે હંકારવા લાગ્યો, કુમારે હાથીને થપથપાવ્યો ત્યારે તે હાથી સુભટસમૂહને ચૂરવા લાગ્યો, એટલામાં હાથીના ભયથી બધા દૂર દૂર સરકી ગયા, ત્યારે તે હાથી સુભટોને હણી અહીં આવ્યો, અને તે દેવ ! પ્રહારથી-ઘાવથી જખમી થયેલો તે હાથી સાગરઆવર્ત નામના સરોવરમાં જલ પીવા માટે પેઠો અને કુમાર પણ જલક્રીડા કરવા લાગ્યો. અમે પણ તેની પાછળ પાછળ આવ્યા અને તેને જોવા લાગ્યા, તેટલામાં હાથીથી ઉતરીને રાજકુમારને એક ઝાડ નીચે આરામ કરતો દેખ્યો. (૧૫) એ અરસામાં અનેક વાજિત્રોના નાદથી અંબરકુક્ષિને ભરતો ચતુરંગ સૈન્ય સાથે શૂરરથ રાજા ત્યાં આવ્યો અને કહેવા લાગ્યો કે “હે પાપિષ્ઠ ! દુષ્ટ ! નિર્લજ્જ ! મારા સુભટોને મારી અહીં નિરાંતે સૂતો છે. હજી તો પહેલાનું તારા પિતાનું વેર મને ભુલાતું નથી અને તે પાપી! આ તે ફરી નવું વેર ઉભુ કર્યું, તેથી તું સામે આવ ! અથવા તે દુષ્ટ તું કોઈનું પણ શરણ લે કે પાતાલમાં પેસ, આજે તું છુટી શકે એમ નથી, તે સાંભળી વીરરસથી રુવેરુવ જેનાં ખડા થઈ ગયા છે એવો કુમાર કહેવા લાગ્યો હે રાજન ! શું ઉત્તમ પુરુષો પોતાની પ્રશંસા જાતે કરે ખરા?” છે નરેન્દ્ર ! પૂર્વપુરુષોએ મેળવેલા યશનો આજે તે નાશ કર્યો છે, કે જેથી પુરુષકાર પુરુષાર્થવિનાનું નકામું આ પ્રમાણે બોલે છે. (૧૯૧). ત્યારે રોષે ભરાયેલા શૂરથે ધનુષ્યનો ટંકાર કર્યો, તેટલામાં કુમાર પણ તેજ હાથી ઉપર ચડ્યો. પણ તે હાથી કોઈપણ હિસાબે જલમાંથી બહાર ન નીકળતાં માછલાંની જેમ પડખુ ફેરવી અન્ય હાથી ઉપર બેસી તેનાં સવારને હણી શ્રેષ્ઠ ધનુષ્યને દોરી બાંધી તૈયાર કરે છે. ત્યારે અમે પણ તેનાં પક્ષમાં (આધાર વર્ગમાં) મળ્યા. ત્યારે શૂરરથ રાજા મને કહેવા લાગ્યો આ તારે શરણે આવેલ નથી, મારા શત્રુ ખાતર તું યમ ઘેર જા નહિ, માટે તું તારા સ્વામીની પ્રીતિને ન તોડ. તે સાંભળી સૈનિકો ગોઠવી હું એકલો જ તમારી પાસે નિવેદન કરવા આવ્યો છું. હવે આપ કહો તેમ કરીએ. (૧૬૭) " ત્યારે રાજાએ હોઠ કરડી ભવાં ચડાવી યુદ્ધ ભેરી વગાડવાની આજ્ઞા કરી, જલ્દીથી જલ્દી તૈયાર થાઓ, મારી સામે આવેલા પરોણા) અતિ અદ્દભૂત વીર્યવાળા તે મહાનુભાવનું ઘણું અહિત ન થાય તે માટે જલ્દી કરો, એમ કહી વિમલાક્ષ રાજા વેગવાન શ્રેષ્ઠ રથમાં બેસી ચતુરંગ સેના સાથે ક્ષણવારમાં યુદ્ધ મેદાનમાં આવી ગયો. એટલામાં દ્રઢવીર્ય જે સિપાઈઓને કુમાર પાસે મૂકી ગયો હતો તે શત્રના પ્રહારથી નાશી ગયા. આહ્વાન કરતા, કુદતાં અને સામે ચડીને ભીંડાયેલા વિમલાક્ષ રાજાના સૈન્યને દેખી શત્રુસેના ભાગ્યે છતે અભિમાનથી ઉશૃંખલા બનેલી, સ્વામીનું કાર્ય કરવા ઉદ્યમવાળી, વિજય મેળવવાની લાલચી એવી બન્ને સેનાઓ વચ્ચે ભયંકર ઘમસાણ Page #55 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ યુદ્ધ થયું. (૧૭૩) યુદ્ધવર્ણન.... બાણથી વીંધાયેલા ધ્વજાના ચિહ્નો પડી રહ્યા છે. ખુંખાર અવાજ કરનારા (કૂદતા) વિવિધ ધડો નાચી રહ્યા છે, ગંડસ્થલ ભેદાવાથી હાથીઓ ચીસ-ચિંઘાડ પાડી રહ્યા છે. કરાગ્ર-આંગળીઓ છેદાવાથી હાથમાં લીધેલી વસ્તુ પડી રહી છે. મસ્તકરૂપી કમળની વેલવડે ધરણીતલ પૂજાઈ રહ્યાં છે. લોહીના પ્રવાહથી મડદાઓ કાળા થઈ રહ્યા છે. ઘોડેસવાર મરી જવાથી ઘોડાઓ હષારવ કરી રહ્યા છે, ભયથી ધ્રુજતા કાયરો ભાગી રહ્યા છે. કાગડા અને ગીધડાઓ વડે આભ ઢંકાઈ રહ્યું છે. ચમત્કૃત થઈ દેવસમૂહ જોઈ રહ્યો છે. માંસ લુ શીયાળીયાઓ ચિચિયારી પાડી રહ્યા છે. ઘણના ઘાથી રથો ચૂરાઈ રહ્યા છે, શસ્ત્રના ખણ ખણ અવાજથી ગભરાયેલી દેવાંગનાઓ પોતાના પતિને ભેટી રહી છે. ત્યારે વિમલાક્ષના સૈન્યથી ભંગાયેલું શૂરરથનું સૈન્ય નાશવા લાગ્યું. (૧૭૭) તે દેખી શૂરરથે બાણોની વર્ષા કરી તેટલામાં કુમાર તેની સામે આવી ચડ્યો. બન્ને વચ્ચે ભારે યુદ્ધ થયું અને વિવિધ (કરણોથી) પોતાની કલા દેખાડીને કુમારે હસ્ત ચાલાકીથી શૂરરથને બાંધી લીધો, ત્યારે યુદ્ધને જોનારાં દેવોએ કુમાર ઉપર પુષ્પવૃષ્ટિ કરી અને જય જય શબ્દ બોલી, આશ્ચર્ય ચકિત થયેલા દેવો પોતાના સ્થાને ગયા. (૧૮૧) ત્યારે કુમારને ઓળખી ચારણજનો તેના વખાણ કરતા કહેવા લાગ્યા કે.... શત્રુ ઉપર જેણે જય મેળવ્યો છે, અને જે રૂપમાં કામદેવની તુલનાએ આવે છે એવો કુમાર જયપામો શ્રી કીર્તિવર્મરાજાનો પુત્ર જેનું નામ વિજયવર્મ છે તે જય પામો. હે કુમાર ! હે ગુણના ભંડાર ! હજાર જીભવાળો અસંખ્યવર્ષની ઉંમરવાળો પણ તારા ગુણ તો ગાવવા સમર્થ નથી; તો બીજો કયો તારા ગુણોનું વર્ણન કરી શકે ?” તે સાંભળી “અહો ! આ તો મારા મિત્રનો પુત્ર છે.” એમ કહી જેનાં દેહમાં હરખ સમાતો નથી એવો વિમલા તેને ભેટી પડ્યો. અને ઘાયલ થયેલા આશ્રિત પુરુષોની પાટા પીંડી કરવાનો આદેશ કરી, જેણે શૂરરથને છોડી દીધો છે એવા કુમારની સાથે નગરમાં પ્રવેશ કર્યો. કુમારના સમાગમથી ખુશખુશાલ, આનંદના આંસુથી ભીના નયણવાળા રાજાએ સમસ્ત નગરમાં વધામણી મહોત્સવનો આદેશ કર્યો. અવસર દેખી શૂરરથને વૈરનું કારણ પૂછ્યું. શૂરરથે કહ્યું કે રાજન્ ! તમે સાંભળો રે (આ) ચાર દાંતવાળો ચંદ્રશેખર નામે શ્રેષ્ઠ હાથી હતો તેને યુદ્ધ કરીને કીર્તિવમેં હરણ કર્યો હતો, તે વેરને યાદ કરી સૈન્યને નીરખવા નીકળેલા મેં કુમારને એકલો દેખી આ આચર્યું. (૧૯૦) ત્યારે રાજાએ કુમારને એકલવાયાનું કારણ પૂછ્યું તે બોલ્યો કે તાત ! ધ્યાનથી સાંભળો હું હાથી, ઘોડા ઉપર રોજ ફરતો હતો. તેમાં એક દિવસ આ હાથી ઉપર ચઢેલો પણ તે વરસેલા પાણીની ગંધથી બેકાબુ બની ગયો. હસ્તિરત્ન જાણી કરુણાથી તેનો ઘાત ન કર્યો, આના લોભથી કરણ = એક જાતનો કીમીયો આપીને (દાવ પેચ કરી) ઉતર્યો, મન-વચન અને ઘોડા જેવા વેગવાળો, અનુક્રમથી આવતો આ હાથી તે નગર બહાર રહેલ સૂરરથની નજરમાં આવ્યો. તેની આગળનો વૃત્તાંત તમને ખબર જ છે, એટલામાં કુમારની શોધ કરતો કીર્તિવર્મ રાજા ત્યાં આવ્યો, તે જાણી બધા સ્વાગત કરવા સામે ગયા અને વિમલાક્ષ રાજાએ ભવ્ય નગર પ્રવેશ કરાવ્યો. થોડા દિવસ આનંદથી રહ્યા. અવસરે વિમલાક્ષ રાજાએ પરોણારૂપે આવેલ કુમારને ગુણથી સંપન્ન એવી ચન્દ્રવર્મા રાજકુમારી આપી. કિર્તિવર્ષે પણ કુમાર માટે તે ચંદ્રવર્માનો સ્વીકાર કર્યો અને શુભદિવસે Page #56 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ શિખરસેન કથા ૪૫ લગ્ન કરાવી યોગ્ય વ્યવહાર કરીને વિદાય આપી. પોતાના નગરે જઈ ઇચ્છામુજબ ભોગભોગવવા લાગ્યા. અન્યદા કીર્તિવર્ષ રાજાએ કુમારને રાજ્ય સોંપી દેવેન્દ્રમુનિપતિ પાસે દીક્ષા ગ્રહણ કરી, ઉદાર તપ આદર્યો, નિર્મલ કેવલજ્ઞાન મેળવી આઠ કર્મ ખપાવી મોક્ષે સીધાવ્યા. (૨૦૩) બીજો રાજા વિજયવર્ગ પણ ઘણાં માંડલિક રાજાઓને સાધી (જીતી)ને ચન્દ્રવર્મા સાથે ભોગ સંપત્તિને ભોગવે છે, જન્માંતરના સ્નેહતંતુથી બંધાયેલી ચન્દ્રવર્મા સાથે વસતા કુમારને કેટલો સમય વઈ (વીતી) ગયો તેની પણ જાણ ન થઈ. (૨૦૫) એક દિવસ રાજા રાજસભામાં બેઠો હતો ત્યારે આ ચંદ્રવર્મા સ્ત્રીરત્ન છે” એમ જાણી મંત્ર વિધાનનિમિત્તે રાજાના મનને નહિં જાણનાર કોઈક મંત્રસિદ્ધે રાણીવાસમાં રહેલી ચંદ્રવર્માનું અપહરણ કર્યું. માતાએ તે વાત કુમારને કરતાં તે મૂર્છાખાઈ નીચે પડ્યો. વારાંગનાઓએ ચંદનરસથી સીંચી તાલવૃંત પંખાથી વીંઝતા મહામુશ્કેલે પ્રતિબોધ પામ્યો- ભાનમાં આવ્યો. કહી ન શકાય એટલે ભારે દુઃખી થયો મહાદુ:ખથી ત્રણ દિવસ પૂરા કર્યા. ત્યારે ચોથા દિવસે તીવ્રતપથી ક્ષીણ શ૨ી૨વાળો, જેણે શરીરે ભભૂતિ લગાડી છે, જટાધારી, પેલો મંત્રસિદ્ધ આવીને કહેવા લાગ્યો કે હે રાજા ! તું વિના કારણે “આટલો બધો આકુલ વ્યાકુલ કેમ થઈ ગયો છે ?” તારી પત્નીને મંત્ર વિધાનના નિમિત્તે હું લઈ ગયો છું. તેનાં શીલનો ભંગ કે શરીરપીડા કાંઈ થવાની નથી. પણ આવો કલ્પ (આચાર) હોવાથી મેં પહેલા તને જણાવ્યું નહિં, છ મહિને તેનો ચોક્કસ સંયોગ થશે, માટે તું સંતાપ ન પામ” એમ કહી તે અદૃશ્ય થઈ ગયો. રાજા પણ પાછો મૂર્છા પામ્યો, પરિવારે માંડ માંડ ભાનમાં લાવ્યો. તે રાજા હા દૈવિ ! દીર્ઘ વિરહવાળી ! તું ક્યાં છે ? મને જવાબ તો આપ ! મોહવશ થયેલા જે જે આલાપો કરતા હોય તે બધા આલાપોથી તે સમયે રાજા બધુ રાજકાજ છોડી વિલાપ કરવા લાગ્યો, રાજભવનની વાવડીમાં રત હંસયુગલોને વિલાસ કરતા દેખી ઘણીવાર પરિવારને પણ પીડા ઉપજાવે એવાં મોહને પામે છે. ઘણું શું કહિએ ? નરક સમાન દુઃખ અનુભવતા મોહથી વલવલતા તેણે પલ્યોપમ સમાન પાંચ મહીના કેમે કરીને વીતાવ્યા. કેટલાક દિવસે નિમિત્ત વિના દુઃખથી મુક્ત થઈ ગયો. પરિવારને આનંદ આપનારો એવો મહાહર્ષ તેણે થયો. તેને ચિંતા જાગી (વિચાર જાગ્યો) કે ખરેખર મારો અંતરાત્મા બીજો છે, તેથી તે પ્રસન્ન મનવાળો બન્યો, “અહીં દુ:ખી થવાનું કારણ જ શું છે ?” (૨૨૦) એ અરસામાં એકાએક વિકસિત નયનવાળા વધામણી આપનારે રાજાને કહ્યું કે તીર્થંકર સમવસર્યા છે- તે સાંભળી બડબડાટ કરતા રૂંવાટા બેઠા થયા એવા રાજાએ તરત જ વર્ષાપકને ઉચિતદાન આપી, જિનેશ્વર તરફ થોડા ડગલા જઈ ત્યાંજ રહેલા રાજાઓથી પરિવરેલા વિજયવર્ષે નમસ્કાર કર્યા. અને આદેશ કર્યો કે જલ્દી હાથી, ઘોડા તૈયાર કરો, આપણે પરમાત્માને વાંદવા જઈએ, વસ્ત્રાભરણોથી પોતાને શણગારી, પોતે પણ જિનેશ્વર પાસે જવા માટે તૈયાર થયો. તેટલામાં ઇન્દ્રના આદેશથી દેવોએ જગદ્ગુરુનું સમવસરણ રચ્યું. જે ત્રિભુવન લક્ષ્મીનું ઘર લાગે છે. અતિશય આશ્ચર્યભૂત, પ્રભુ ત્રણે લોકના સ્વામી છે, એવું સૂચન કરનાર (ઘણું જ) અજબ કોટિનું ઉંચુ જાણે જિનેશ્વરનાં પુણ્યનો ઢગ ન હોય એવું સમવસરણ નગરની પૂર્વોત્તરદિશા (ઇશાનખૂણા)માં બનાવામાં આવ્યુ. તે શ્રેષ્ઠ સમવસરણમાં આવેલા બીજા કલ્યાણ સમાન તેની રાણી ત્યાં જ દેખાશે / દેખાઈ એથી કરીને ત્યાર પછી જિનેશ્વરને વાંદવા જલ્દી તૈયાર થયો, સજાવેલાં ઉંચા ધોળા હાથી ઉપર આરુઢ થઈ રવાના થયો. વાજિંત્રના નાદ છેક દિશોદિશ પહોંચવા લાગ્યા. પાલખી, યાન (= બળદથી Page #57 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ ખેંચાતો એક વિશેષ રથ જે ધાર્મિક કાર્યમાં જવા માટે વપરાય છે.) વાહન, શ્રેષ્ઠ રથ, હાથી, ઘોડાઓથી પરિવરેલો રાજા નગરથી નીકળ્યો. શીધ્ર થોડો ભાગ આગળ જઈ દવે રચેલ સમવસરણને દેખી હાથી ઉપરથી ઉતરી ગયો. (૨૩૧) હરખથી પુલકિત રાજા પરિવાર સાથે ઉત્તર દ્વારથી સમવસરણમાં પ્રવેશ્યો, અને જગતમાં વિખ્યાત જિનેશ્વરને નજરે નિહાળ્યાં. જગમાં દીપક સમાન જિનવરને જોઈ હર્ષથી રોમાશ્ચિત અંગવાળો ભૂમિએ ભાલસ્તલ અને કરયુગલસંપુટ = અંજલિ લગાડીને = પંચાંગ પ્રણામ કરી સ્તુતિ કરવા લાગ્યો...... (૨૩૩) હે કામદેવના બાણના પ્રસારને વારનારા ! હાથી જેવી સુંદર ગતિવાળા ! ત્રણ લોકને જાણનારા ! મોક્ષપદના પ્રકૃષ્ટ સાધક ! મદને હણનારા ! મૃગલાઓને-મરનારને શરણભૂત ! યુદ્ધ વગરના ! સમસ્ત ઉપદ્રવને હણનાર ! ગર્વ વગરના ! કષાયને જીતનારા ! શ્રેષ્ઠ બ્રહ્મા ! સુંદર હાથવાળા ! ઇન્દ્રિયોને વિષયોથી નિવારનારા ! કર્મજ રૂપ મળને સાફ કરવામાં પાણી સમાન! દુઃખ રૂપી વૃક્ષને બાળવામાં આગ સમાન ! મધ્યાહ્ન સૂર્ય જેવી પ્રભાવાળા ! અંતર શત્રુઓના સુભટ સમૂહને હતપ્રભ કરનારા ! નમસ્કાર કરનારના શરણભૂત ! પ્રકૃષ્ટ નયોની દેશના આપનાર હે જિનેશ્વર ! એવા આપને સદા ખૂબ ખુબ=ઘણાં ઘણાં નમન ! ઇંદ્રને પણ નમન યોગ્ય (નમસ્કરણીય) પ્રસિદ્ધ સ્યાદ્વાદથી પદાર્થ સ્વરૂપને પ્રગટ કરનારા ! ભાવનયના મોટા મહોત્સવ સમાન ! મને શાશ્વત સુખ આપો. (૨૩૭) એ પ્રમાણે સ્તુતિ કરીને ગણધરાદિ સાધુઓને પણ વાંદી ઇંદ્રાદિના ક્રમથી પોતાનાં સ્થાને રાજા બેઠો. ત્યારે પ્રભુએ યોજનગામી મધુર ધ્વનિએ સંસાર સમુદ્રને તરવા સારુ જહાજ સમાન ધર્મને કહેવાનો પ્રારંભ કર્યો. પ્રાણીઓને દુર્દીત પાંચ ઇન્દ્રિયો સંસારનું કારણ બને છે, અને દમન કરેલી તે ઇન્દ્રિયો મોક્ષ માટે થાય છે. બેકાબુ ઇન્દ્રિયોથી આત્મા બલાત્કારે ઉન્માર્ગમાં પછડાય છે, જેમ યુદ્ધમાં બેકાબુ બનેલ ઘોડાઓથી સારથીઓ ઉન્માર્ગે જાય છે, પ્રથમ વિષય સંબદ્ધ મનને જીતીને વિવેકરૂપી હાથી ઉપર આરુઢ થયેલ શૂરવીર હાથમાં હથિયાર ધરી મન અને કષાયને જીતીને જે સારી રીતે તપ કરે છે તે શુદ્ધ આત્મા દેદીપ્યમાન બને છે, જેમ ઘી નાંખવાથી અગ્નિ. જે સમક્તિમાં ગાઢરત હોય, વીર, ક્રોધનું દમન કરનાર, ઇંદ્રિયને જીતનાર અને મોક્ષમાં જ લયલીન હોય તેને દેવો પણ નમે છે. (૨૪૫). | સર્વજ્ઞને અનુસરનારી જિનેશ્વરે ભાખેલી સર્વ આજ્ઞાને સારી રીતે અભિનંદન કરતા-હર્ષભરે આચરતા જીવાત્માઓ સર્વ બંધનોથી મુક્ત બને છે. નિર્મોહી, દાંત, બુદ્ધિશાળીઓએ કહેલાનું જેઓ અભિનંદન કરતા નથી તેઓ દુઃખભાગી બને છે. શુભભાવથી જેઓ જિનાજ્ઞાને વખાણે છે. તેઓને કલ્યાણાદિ સુખાદિ ઋદ્ધિ, સિદ્ધિ કશું પણ દુર્લભ નથી. એમ દેશના આપી પરમાત્મા મૌન થયે છતે હાથ જોડીને બેસેલી પર્ષદા-સભા ઘણો જ સંવેગ પામી, ભૂમિએ મસ્તક નમાવી “અમો આપણું અનુશાસન ઇચ્છીએ છીએ.” એમ બોલી કંઈક નમેલા મુખવાળી સભા પોતાના સ્થાને ગઈ, તેમાં કેટલાક સમકિત, બીજા દેશવિરતિવ્રત પામ્યા, અને બીજા કેટલાક શાંતભાવવાળા Page #58 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ સંગ છોડી સાધુ બન્યા. (૨૫૦) એ અરસામાં સમવસરણમાં રાણીને દેખી, અને તેને ચિંતા થઈ અરે ! અહીં દેવી ક્યાંથી ? પૂર્વમંત્રસિદ્ધે કહેલા વચન યાદ આવ્યા, અને વિચાર કર્યો કે જિનેશ્વરને પૂછી લઉં, ઘણા વિચારચિંતાથી શું મતલબ હે ભગવન્ ! મેં પૂર્વભવમાં શું કર્યું કે જેના લીધે આવો વિપાક થયો કે પહેલાં મેં રાણીના સંગમથી અતુલસુખ ચાખ્યું, અને પાછળથી તેનાં વિરહમાં કોઈની સાથે તુલના ન કરી શકાય એવું નારક દુઃખ સરીખું દુઃખ અનુભવ્યું. પ્રભુએ કહ્યું કે તેં પૂર્વભિલ્લના ભવમાં ઘણાં મૃગયુગલોને વિખૂટા પાડ્યા અને રાણીએ તેની અનુમોદના કરી તે કર્મનું આ ફળ છે. જેના કારણે તે નરકમાં ઘણાં દુઃખ અનુભવ્યા અને ક્ષુદ્રજાતિઓમાં ઉપન્યો હતો. અત્યારે તારું કર્મ ક્ષય પામ્યું છે. જે સુખ મળ્યુ તેનું કારણ એ છે કે તેં સુસાધુની ભક્તિ કરેલી, સ્વર્ગઅપવર્ગને આપનાર આ જ ભક્તિ છે. જગતમાં આના જેટલું બીજું કશું શ્રેષ્ઠ નથી. માટે નિપુણ માણસોએ આ સાધુની ભક્તિ વિષે ઉદ્યમ કરવો યોગ્ય છે. માટે હે નરનાથ ! સાધુ ભક્તિમાં અતુલ પ્રયત્ન કર ! (૨૬૧) સુલસાકથા ૪૭ તે વચન સાંભળી કામભોગથી વિરક્ત બનેલ હૈં રાજ્યને વ્યવસ્થિત કરી તમારી પાસે દીક્ષા લઈશ. રાણી વિગેરેએ પણ એમ કહ્યું. ત્યારે ભગવાને કહ્યું આ અનિત્ય-સંસારમાં વિલંબ - રાગ ના કરો.... જાતિસ્મરણથી પૂર્વભવ જાણી વિરક્ત થયેલો યશોવર્મનો રાજ્યાભિષેક કરી દેવી પ્રમુખની સાથે પાલખીમાં બેસી પ્રભુ પાસે જઈ મુનિજને સેવેલી દીક્ષા લીધી, બાર અંગનો અભ્યાસ કર્યો. ગુરુએ સૂરિપદ આપ્યું. ચંદ્રવર્મા સાધ્વી પણ અગ્યાર અંગ ભણી અને પ્રવર્તિની થઈ, શુભભાવથી તપ આચરે છે. બન્નેએ ગામાર્દિમાં ભવ્યજીવોને પ્રતિબોધ કરી કેવલજ્ઞાન ઉત્પન્ન કરી આત્માને મોક્ષ સુખમાં સ્થાપ્યો. હવે પાંચમું ભૂષણ સ્થિરતા-પરતીર્થિકોની ઋદ્ધિ દેખી ક્ષોભિત ન થવું. તેમાં ‘સુલસા'નું દૃષ્ટાંત કહે છે. સુલસા કથાનક (૧) સમસ્ત દ્વીપની મધ્યે રહેલ અનાદિકાલનાં આ જંબુદ્વીપના દક્ષિણ ભરતમાં જિનેશ્વરે દર્શાવેલ મધ્યખંડમાં મગધ દેશ છે. જે સુપ્રસિદ્ધ છે, અનેક જાતનાં લોક અને ધનધાન્યથી ભરપૂર, ગ્રામ, આકર, ગોકુલોથી રમ્ય વિવિધ જાતનાં ઝાડોથી છવાયેલ, મઠ-વિહાર, (જિનાલયો વિ.) ઉદ્યાનોથી શોભિત, પરચક્ર-શત્રુસૈન્ય પોતાની ઉપર આવી પડે તેવાં ભયથી બિલ્કુલ મુક્ત, હર્ષિત માણસો માટેના સેંકડો ક્રીડાસ્થાનોથી યુક્ત, જિન અને ગણધરોના ચરણોના સ્પર્શથી પવિત્ર છે. ઘણુ શું કહીએ ? તે મગધદેશમાં અતિ અદ્ભુત સારવાળી રાજગૃહી નામે નગરી છે. રાજાના ગુણસમૂહને વિસ્તારનારી, ચોતરફ પ્રકાશ ફેલાવનારી, રમણીયતાનો વિચાર કરીએ તો દેવનગરીની સમકક્ષમાં આવે, કૂવા, સરોવર, વાવડી, વનખંડથી શોભનારી, સોનાનાં બનાવેલ ગઢથી ઝગમગતી, દુકાન, પરબ, સભાગૃહથી શોભાયમાન, હાથીની સૂંઢરૂપ ધનુષ્યથી તોરણવાળી છે. તેનું શ્રેણિક મહારાજા પરિપાલન કરે છે. ઘરમાં અને યુદ્ધમાં પણ ત્યાગ જેનાં હાથમાં જ છે. કામિનીના કઠોર કટાક્ષ જેની કાયા ઉપર પડે છે, પણ જેની કાયા શ્રેષ્ઠ સિપાઈનાં સમૂહથી પરાસ્ત થાય એમ નથી. શત્રુરૂપી હાથીના ગણ્ડસ્થલને વિદા૨વામાં સિંહ સમાન, શત્રુનાં પુરુષાર્થનાં Page #59 -------------------------------------------------------------------------- ________________ ४८ મૂળશુદ્ધિ ભાગ-૧ ગર્વના લેશ (બિન્દુ)ને પણ સાફ કરવામાં અગ્રેસર, ક્ષાયિક સમકિતી, જેને દેવેન્દ્રો પણ ભક્તિથી વખાણે છે. તેની પત્ની સુનંદા છે, જે ગુણવાળી, અભયકુમારની માતા = જન્મ આપનારી, ઘણી જ પ્રસન્નમનવાળી, શીલરૂપી આભરણથી અલંકૃત શ્રેણિકરાજાની અતિ વહાલી, જિનેશ્વરની ભક્તાણી છે. અપુણ્યશાળીને દુર્લભ છે, તે (શ્રેણિકરાજા) સુનંદાથી યુક્ત, વિદ્વાનો તેનાં વખાણ કરે છે, એવાં શ્રેણિકરાજા રાજલક્ષ્મીનું પરિપાલન કરે છે, અને તે દેવેન્દ્રો પણ જેને નમે એવાં શ્રી વીર જિનેશ્વરની ભક્તિથી પોતાની કર્મરજને પખાળી રહ્યો છે. (૨) તેજ નગરીમાં “નાગરથી” રહે છે જે અર્થિકોને = યાચકવર્ગને દાન આપતો પ્રફુલ્લ બને છે. વળી તે જ્ઞાનદર્શન ચારિત્રથી યુક્ત, જિનેશ્વર અને મુનિમહાત્માનાં ચરણકમળનો ભક્ત, બાંધવરૂપી કુમુદોને આનંદ આપવામાં ચંદ્ર સમાન, લોભ-માન વગરનો, સરલ, પરસ્ત્રીથી મનને દૂર રાખનાર, કલિકાલ જેણે કોઈપણ હિસાબે સ્પર્શી શક્યો નથી, યૌવન રૂપ લવણિમાથી મનોહર, અત્યંતર રત્નરાશિનો રત્નાકર છે. તેને તમામ નારીઓમાં ગુણવાળી, સુકુલીન, પ્રશાંત તુલસા નામની પત્ની છે. અને વળી જે પવિત્ર શીલથી સજાયેલી, સમક્તિરત્નમાં શંકા વિનાની, જેની ગુણરૂપી ઉત્તમકંઠી શોભી રહી છે. જે મોક્ષસુખમાં હમેશા ઉત્કંઠાવાળી છે, તેને ધર્મથી કોઈ ચલાવી ન શકે, કલાગુણોથી જે સદા મહાલી રહી છે, જે વીરપ્રભુના ચરમકમળમાં આસક્ત છે. સાધુ સાધ્વીની નિયમા ભક્તિ કરે છે, જે સાધર્મિકની ભક્તિ કરવામાં નિપુણ છે. જે પોતાનાં પરિજન વિષે સદા આશીર્વાદ રૂપ છે. જે જીવાદિ પદાર્થને જાણનારી છે, જે રૂપલાવણ્યથી પ્રશંસા પાત્ર છે. વળી જેનાં કાચબાની જેમ ઉન્નત ચરણો એવી રીતે શોભી રહ્યા છે કે જાણે પૃથ્વી તલ ઉપર કમલો ચાલતા ન હોય, જેનાં જંઘાયુગલ એવાં શોભી રહ્યા છે કે જાણે કામદેવના ભવનનાં શ્રેષ્ઠ તોરણ ન હોય, જેની કેડ ગંગાનદીના પુલિન સરખી ઘણી જ સારી અને બહુ જ સારી રીતે વિસ્તાર પામેલી છે, સમુદ્રના આવર્ત સરખું તેનું નાભિમંડલ મદનના મહેલરૂપે માહિત પડે છે. વજની જેમ ઘણો જ પતળો જેનો મધ્યભાગ રતિસુખનાં બાગની જેમ શોભે છે. જેના પુષ્ટ અને ઉન્નત તેમજ ગોળ સુંદર સ્તનો કામદેવના હાથીના કુંભ સરખા ઘણાં જ મનોહર છે. જેની સરળભુજાઓ અતિસુકોમલતાને લીધે કામના તાપને દૂર કરવામાં જાણે ભીંત વિનાનું ખુલ્લું ઘર ના હોય, જેનાં સુપ્રશસ્ત લાલ હાથ જાણે લાલ અશોકવૃક્ષનાં પલ્લવો ના હોય, જેની સુશોભિત બનાવેલી ગળાની રેખાઓ માણસને મોહ પમાડે છે, તે શંખ સરખી દેખાય છે, જેનું વિકસિત કમળની શોભાના વિલાસવાળું મુખ બધા લોકોને આશ્ચર્ય પમાડે છે, જેનાં ગુંથાયેલા અંબોડાના સૂક્ષ્મ-ઝીણા કોમલ વાળ જંગલી ભેંસ = રોઝ, ભમરાના સમૂહ અને મોરના ગળા સરખા (કાલાં ભમ્મર) છે. | (સુલસાના) ઘણાં વખાણ શું કરીએ ? જેને જિનેશ્વરે પણ સમ્યકત્વમાં શ્રેષ્ઠ માની છે. “સમકિતી કેવો હોય તે સમજાવવા તેની ઉપમા આપે છે. જિનમુનિની ભક્તિ કરતી પોતાના પતિ સાથે વિષયસુખ માણતી, સંતાન વિનાની, દૌર્ગત્ય વિનાની, નિશ્ચયથી સૌભાગ્યશાળી કાલ પસાર કરી રહી છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ સુલ સાકથા ૪૯ સાંભળેલું કરનારી, ચિંતામાં પણ સહચારિણી (ગુણવાનું, રૂપવાન, કુલીન, પ્રશાંત તેમજ સમક્તિધારી) સુલસા નામે નાગરથીની ભાર્યા છે. એક વખત પતિને ચિંતાતુર જાણી તેનું કારણ પૂછ્યું હે નાથ ! જાણે કે (વારિ - હાથી બાંધવાનો રસ્સો) હાથીને પકડવાનો ખાડો) વારિબંધથી બંધાયેલા હાથીની જેમ, જાણે કે રાજપુત્રને રાજયથી વારવામાં આવ્યો હોય તેનાં જેવાં, નીચા નમેલા પુષ્પવાળી જુઈની જેમ, જુગારિયાની ટોળકીથી ફેંકાયેલા જુગારીની જેમ, શત્રુઓથી ઘેરાયેલા કાયર પુરુષની જેમ, રણાંગણમાં ખૂટી ગયેલા હથિયારવાળા સુભટની જેમ, નભાંગણમાં નાશ પામેલી વિદ્યાવાળા વિદ્યાધરની જેમ, દિશા ભૂલી ગયેલા નિર્યામકની જેમ, જેનું વાહણ ભંગાઈ રહ્યું છે એવા માલ વેચવા લઈ જનાર વ્યાપારીની જેમ, મહાભંયકર વનમાં સ્વામી નાશ પામી ગયા છે એવા વટેમાર્ગુની જેમ, જેનાથી વેશ્યાઓ પરાડમુખ છે એવા કામાતુરની જેમ, ભ્રષ્ટવ્રતવાળા ભાવિત ઉત્તમમુનિની જેમ, (ભાવુક મુનિ ભૂલમાં પણ વ્રત ભંગ થતાં ઘણાં જ ચિંતાતુર બની જાય છે.) તમે ચિંતાતુર કેમ દેખાઓ છો ? શું રાજાએ કાંઈ તમારું અપમાન કર્યું ? અથવા કોઈ કપટીએ તમને છેતરી લીધા છે ? શું મહાજન તમારે વિરોધી થયું છે ? શું નિધાનમાંથી અંગારા નીકળ્યા ? શું બાલકો હૃદયમાં ખટકે છે ? શું મરણ નજીક આવી ગયું છે ? હે નાથ ! જો અતિગુપ્ત વાત ન હોય તો મને કહો, તે સાંભળી, જરાક હસી નાગરથીએ તેને જવાબ આપ્યો. (૩). હે કાંતા ! મારે એવું કોઈ અતિગુપ્ત કામ નથી કે જે તને ના કહેવાય, . પરંતુ તમારે પુત્ર નથી આ મારા હૃદયમાં ખટકે છે. ત્યારે સુલસા કહેવા લાગી જિનવચનમાં વિદગ્ધ-સૂક્ષ્મદર્શીને ખેદ ક્યાંથી હોય? હે નાથ ! શા માટે ખેદ કરો છો, જે કોઈ નરકમાં પડિ રહ્યો હોય તેનું રક્ષણ પુત્ર કરી શકતો નથી, ગુણવાન અને રૂપાળો પુત્ર પણ છે સ્વામી! આવતા રોગવિકારને દૂર કરી શકતો નથી, “શું પુત્ર સ્વર્ગ, મોક્ષ આપે છે ખરો ?” પરંતુ તે નાથ ! પુત્ર તો સંસારનું કારણ બને છે. નાગરથી, હે પ્રિયે ! હું બધું જાણું છું, પણ અપુત્રિયાનું ધન રાજા લઈ લે છે. સકલ પરિવાર (લક્ષ્મી જોઈને) ભેગો થાય છે. અન્યથા સગો ભાઈ પણ સંઘર્ષ કરશે. તો હે નાથ ! આપ અન્યકુમારીને પરણી લો, પતિએ કહ્યું કે મને કોઈ રાજ્ય આપે તો પણ તારા સિવાય બીજી પત્નીથી મારે કામ નથી, જો કેમે કરીને તારે પુત્ર થાય તો ઠીક છે, તેનાથી મારા મનને શાંતિ થશે, સકર્ણક = સમાધિવાળું થશે. (વિદ્વતાનું ફળ સમાધિ છે માટે). પતિનો આવો નિશ્ચય જાણી તે દેવને આરાધવા બેઠી, સુવિશુદ્ધ બ્રહ્મચર્યને પાળે છે, ભૂમિ સંથારો કરે છે. જિનપ્રતિમાની પૂજા કરે અને કરાવે છે, ભક્તિથી શ્રમણ સંઘને વહોરાવે છે, અને આયંબિલનો તપ આદરે છે. અને મનમાં હરિબૈગમેષીદેવને ધારણ કર્યો. વ્રતનિયમમાં રહેલી બીજું પણ ઘણું કરવા લાગી, સ્થિરપણે અનુષ્ઠાનને વિષે રહી તેટલામાં, હરિબૈગમેષીદેવનું આસન ચલાયમાન થયું. તે જોઈ મનમાં ચમકી “શું મારું ચ્યવન થવાનું છે ?” આવી શંકાથી અવધિજ્ઞાનનો ઉપયોગ મૂક્યો. ત્યારે સુલસાનો વૃત્તાંત જાણી સુરસેનાપતિ તરત જ ઉત્તરવૈક્રિય શરીર કરી ચાલ્યો, સ્કુરાયમાન મુગટવાળો, રણરણ કરતી ઘુઘરીવાળો, (સણોસ્વનઃ - અવાજ) ચલાયમાન સુંદર કુંડલવાળો, જેની ચોતરફ તેજસ્વી મંડલ રહેલું છે, ઝૂલતા Page #61 -------------------------------------------------------------------------- ________________ ૫૦ મૂળશુદ્ધિ ભાગ-૧ અને ચમકતા હારવાળો, લટકતા વસ્ત્રોને ધારણ કરનારો, સુરમ્ય તાળવૃક્ષના ફળની માળાવાળોખંડિત મસ્તકની માળાવાળો, (ઘૂઘરીના) અવાજથી યુક્ત સુંદર દોરા (કંઠી)ને ધારણ કરનાર, પ્રકૃષ્ટ ઋદ્ધિના સમૂહને ધારનાર, વારનાર = ઝાંખી પાડનાર, સુગંધી પુષ્પની માથે રહેલી કલગીવાળો, ઈન્દ્રની સેનાનો નાયક, હરણસરખી આંખવાળો, સંપૂર્ણરૂપ યૌવનવાળો, સમુદ્રના ઘોષ-શબ્દ સરખા અવાજવાળો, શત્રુ પક્ષ માટે ભયંકર, સુવેગા નામની ગતિવાળો, નમતાં જીવોનું કાર્ય કરનાર, મહાન ભક્તિથી પ્રેરાયેલો હરિબૈગમેષી દેવ આવ્યો. હવે તે પવિત્રદેવ (પોતાના તેજ થી) આંગણાને પ્રકાશિત કરનાર શીધ્ર સુલતાની સામે ઉભો રહ્યો. ત્યારે સુલતાએ સંભ્રમથી તેને દેખી વિભ્રમવગરની બની = ક્ષોભ દૂર કરી રજવગરનું = સ્વચ્છ અને શ્રેષ્ઠ આસન આપ્યું. ત્યારે દેવે કહ્યું કે શ્રાવિકા ! શું મને યાદ કર્યો ? ત્રણે લોકમાં જે કામ મારાથી સાધી શકાય તેવું તમારે જે કાંઈ કામ હોય તે મને કહો. સુલતાએ કહ્યું હે ગુરુશક્તિયુક્ત ! સુરસેનાપતિ ! તમે તો દિવ્યજ્ઞાની છો ! સમસ્ત પદાર્થ શાસ્ત્રને જાણો છો. શું મારી મનરુચિ નથી જાણતા ? તે સાંભળી ત્યારે હસમુખવદને દેવે તેને બત્રીસ ગુટિકા આપી, અને “અનુક્રમે એક એક ખાવાનું કહ્યું. તેથી તારે જલ્દી ગુણવાન કુંદના પુષ્પ સરખા બત્રીસ પુત્રો થશે. તારે કાંઈ કામ પડે તો હે કુંદસરખા દાંતવાળી ! મને યાદ કરજે, એમ કહી દેવ અદશ્ય થઈ ગયો. ફરીથી તેની પૂજા કરી સુલસા શ્રેષ્ઠ ભોગ ભોગવતી થઈ, ઋતુ સમય આવતા તેને મોટી ચિંતા થઈ, કે “ઈષ્ટ છતાં બત્રીસ છોકરાઓના મળ-મૂત્ર ધોવાની પળોજણ કોણ કરે ? આના કરતા બત્રીસ ગુટિકા એક સાથે ખાઈ લઉં જેથી એક ઉત્તમશક્તિ યુક્ત બત્રીસ લક્ષણવાળો પુત્ર થાય.” એમ વિચારી એક સાથે બત્રીસ ગુટિકા ખાઈ ગઈ. તેનાં પ્રભાવથી બત્રીશે બત્રીશ વિભક્ત-જુદા શરીરવાળા ગર્ભ થયા. તેની વૃદ્ધિથી ઉદરમાં ભારે વેદના થવા લાગી. તેથી તે વેદના સહન કરવા સમર્થ ન થઈ. ત્યારે પુનઃ દેવને મનમાં ધારી કાઉસગ્નમાં રહી. ત્યારે દેવે આવી કહ્યું કે હે શ્રાવિકા ! જે કાંઈ કામ હોય તે કહે, સુલસાએ પોતાની બુદ્ધિથી જે પોતે કર્યું તે બધી વાત કરી, ત્યારે દેવે કહ્યું કે હે મુગ્ધા ! નિર્મલકુલથી વિશુદ્ધ તેં આ અકાર્ય કેમ કર્યું? આનાથી તો તારે સરખા આયુષ્યવાળા બત્રીસ પુત્રો થશે. નહિ તો ભિન્ન ભિન્ન આયુવાળા થાત. હે દેવ ! જેણે જેવું કર્મ બાંધ્યું હોય તેને તે રૂપેજ પરિણમે છે. “કર્મમાં લખેલા લેખને કોઈ અન્યથા કરી શકતું નથી.” ધર્મવાન ! તમારે તો આ બધુ સાધ્ય છે, માટે, તમે મારી આ પીડા દૂર કરો, ત્યારે હરણવદનવાળા તેણે તુલસાના શરીરની પીડા દૂર કરી દેવ સ્વર્ગે ગયો. પીડાવગરની સુલસા ધર્મ પરાયણ થઈ, સુખપૂર્વક સ્થિરતાથી ગર્ભને વહન કરે છે. દેવથી પૂજાયેલ પરિવારવાળાને ઉણપ ક્યાંથી હોય ? નવમાસ અને સાડાસાત દિવસ પરિપૂર્ણ થતા સુલસાએ બત્રીસ પુત્રોને જન્મ આપ્યો. તે વખતે નક્ષત્ર શુભ હતું, અને પરિવારવર્ગ નજીકમાં રહેલો હતો. તે બત્રીશ પુત્રો સર્વ લક્ષણોથી યુક્ત છે. જાણે કોઈક પ્રયોજનથી બત્રીસ ઇન્દ્રો ભેગાં થયાં ન હોય તેમ તેઓએ પોતાની કાંતિથી ગર્ભગૃહને પ્રકાશિત કરી દીધું. પ્રિયંકરા દાસીએ તરત જ સંભ્રમથી નાગરથીને વધામણી આપી. ખુશ થયેલા નાગરથીએ તેને દાન આપ્યું. અને અમાપ-મોટો મહોત્સવ કર્યો. Page #62 -------------------------------------------------------------------------- ________________ ૫ ૧ મૂળશુદ્ધિ ભાગ-૧ સુલસાકથા મોટા વાચાલ વાજાઓ ઘમઘુમ અવાજ કરી રહ્યા છે, વાંકી વળીને જયાં વારાંગનાઓ ઉભી છે એવો નારી સમૂહ નાચી રહ્યો છે, કેસર, કસ્તુરી, અમર, ચંદન, કપૂરનું સરખા ભાગે મિશ્રણ કરાઈ રહ્યું છે, વેશ વિલાસ દેખાઈ રહ્યો છે, માણસો સુંદર વસ્ત્રો ધારણ કરી તેમનાં ઘેર આવી રહ્યા છે. વાજિંત્રો વાગી રહ્યા છે, સર્વ પ્રકારનાં ગીતની ધૂન ચાલી રહી છે, દાસ દાસીઓ દોડી રહ્યા છે. મસ્તક ઉપર સંસ્કાર ગ્રહણ કરાઈ રહ્યા છે, અનેક જાતનાં દાન અપાઈ રહ્યા છે, જ્ઞાનીઓ પૂજઈ રહ્યા છે. ઘોંસરી ઉંચી સુકાઈ રહી છે, ભટ્ટ સૂચકો (ભાટચારણો) બિરૂદાવળિ બોલાવી રહ્યા છે, મંગલ ગીતો ગવાઈ રહ્યા છે, બંધુ સમુદાય આવી રહ્યો છે. પોપટ વગેરે કલકલ અવાજ કરી રહ્યા છે. માનનીય વ્યક્તિઓને માન-પાન અપાઈ રહ્યા છે. દેવપૂજા કરાઈ રહી છે, ગુક્તિબંધન(કેદીયોની બેડીઓ) છોડાઈ રહ્યા છે, સંઘની પૂજા થઈ રહી છે, ખાંડ સાથે ઘી અપાઈ રહ્યું છે, સાધુ પાત્રો ઘીથી ભરાઈ) લેપાઈ રહ્યા છે. સુંદર ભોજન જમાઈ રહ્યા છે, અક્ષતપાત્રો આવી રહ્યા છે, પૂજા-પાત્રો અપાઈ રહ્યા છે, એ પ્રમાણે વૈભવથી ચકાચક, માણસોથી ભરપૂર, વધામણા મહોત્સવ કર્યો. દેવતાની પૂજા કરાવી, ગુરુને પગે પડાવી જલ્દી નામોચ્ચાર કરે છે, અને જિનભદ્ર વીરભદ્ર ઇત્યાદિ નામો પાડ્યા. (૭) પાંચ ધાવમાતાઓથી લાલન પાલન કરાતાં આઠ વર્ષનાં થયા, અનુક્રમે વૃદ્ધિ પામતાં બધા કુમારો કલા અને શાસ્ત્રનો પાર પામ્યા, બત્રીસે કુમારે ધર્મકલામાં વિદગ્ધ (હોંશીયાર) અને સંપૂર્ણ યૌવન અને ગુણ સમૂહવાળા છે. બત્રીસે પણ શત્રુસમૂહનો નાશ કરનાર તેમજ સૌભાગ્યથી દેવકુમારને પણ ઝાંખા પાડનાર છે. બત્રીસે જિનવર અને મુનિવરની ભક્તિમાં પરાયણ રહે છે. જેઓએ પોતાનાં રૂપથી કામદેવનું રૂપ જીતી લીધું છે. તેઓ શ્રેણીક રાજાને અતિ પ્રિય છે. કે જે રાજા ઉત્સર્પિણીમાં પ્રથમ તીર્થકર થનાર છે અને ગર્વિષ્ઠ શત્રુરૂપી હાથીઓનો નાશ કરવામાં સિંહ સમાન છે. બત્રીસે માન ઉન્માનથી યુક્ત અને ઉત્તમ લક્ષણ વ્યંજન સહિત છે. બત્રીસે બાંધવરૂપી કુમુદને વિકસિત = હર્ષિત કરવા માટે ચંદ્ર સમાન છે અને કામિનીજનને આનંદ આપનારા છે, બત્રીસે સરલ સ્વભાવવાળા અને જીવાદિ નવ પદાર્થને જાણનારા છે, તે સર્વે ગુણ સમૂહની માલિકા એવી કુલબાલિકાઓને પરણ્યા. હવે તે કન્યાઓની સાથે લીલા કરતાં, સુખ માણતા, પોતાનાં ઘેર વસતાં હંમેશને માટે ચિંતા વિનાના, સ્વર્ગમાં રહેલ દોગંદક દેવ જેવા તે કુમારોનો ઉપદ્રવ વગર કાળ વીતી રહ્યો છે કારણ (૮). આ બાજુ વિશાળ અને સુંદર ગઢવાળી વૈશાલી નગરી છે. તેનું ઉપદ્રવી શત્રુ સમૂહને હંકારી કાઢનાર ચેડારાજા પાલન કરે છે. તેને જ્યેષ્ઠા અને ચેલ્લણા નામે બે કન્યાઓ છે. તે બન્ને ઉંચા પીન સ્તનવાળી, નિજરૂપથી દેવાંગનાનો તિરસ્કાર કરનારી, જીવાદિ પદાર્થને જાણવામાં વિચક્ષણ, જિનશાસનમાં રક્ત અને શુદ્ધ સમકિત ધરનારી, પાંડિત્યના ગર્વથી સ્વચ્છંદ, પુષ્કળ શણગારથી મનોહર શરીરવાળી છે, હવે એક દિવસ પ્રશાન્ત એવી તે બન્ને અંતઃપુરમાં રમી રહી હતી, ત્યારે ત્યાં એક પરિવ્રાજિકા આવી. જેનાં હાથમાં કંડિકા, ત્રિદંડ, અને ઋષિ આસન છે, પોતાના શાસન/મતના સમસ્ત શાસ્ત્રને જાણનારી ઘણાજર્જર / જુના શરીરવાળી તે કન્યાના અંતઃપુરમાં આવી ચડી, એવા Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫ ૨ મૂળશુદ્ધિ ભાગ-૧ પ્રકારના પોતાનાં શૌચધર્મની વાત કરવા લાગી કે જે બાળકોને સારી લાગે. તે સાંભળી જિનાગમથી ભાવિત જયેષ્ઠાએ કહ્યું છે હલાલોહિથી ખરડાયેલું વસ લોહિથી સ્વચ્છ ન થાય. તેમ પાપથી નિર્મિત અશુદ્ધિ શૌચધર્મવડે ન જાય. ઇત્યાદિ વચનથી તેને નિરૂત્તર કરી મુખથી ઘણાં પ્રકારની મશ્કરી કરતી-ચાળાપાડતી હસતી જયેષ્ઠાની દાસીઓએ તેને ગળાથી પકડી રાજમહેલથી બહાર કાઢી. ત્યારે અનેક પ્રકારના કૂડ કપટવાળી ક્રોધથી ધગધગતી પરિવ્રાજિકા વિચારવા લાગી કે પાંડિત્યથી ગર્વિષ્ઠ આ પાપિણીને દુઃખમાં પાડુ, એમ વિચારી જયેષ્ઠાનું ચિત્ર બનાવી શ્રેણીક રાજા પાસે ગઈ. વિનય બહુમાનથી ઉપચાર કરતી પોતાના કાર્યમાં સારભૂત -હોંશીયાર પરિવ્રાજિકાએ રાજાને તે ચિત્ર દેખાડ્યું. ત્યારે નિર્વિણ છતાં અનુરાગથી યોગ્ય વિકાર પામેલ શ્રેણીક રાજાએ, પૂછ્યું, શું અનેક સાગરમય રસાતલમાં આવું રૂપ છે કે ચિતર્યું છે? ત્યારે પરિવારિકા કહેવા લાગી કે આવું રૂપ કોણ આલેખી શકે? હે પ્રભુ ! તો (માત્ર) આરિસામાં કોઈ જોઈ શકે. આ તો ચેડા રાજાની પુત્રી છે. તારે અનુરૂપ મેં કહ્યું છે” એમ બોલી હરખાયેલી પરિવ્રાજિકા પોતાનાં સ્થાને ગઈ. ત્યારે શલ્યસ્વરૂપ તેનાં રૂપને દેખી મૂછ પામી પરમધ્યાની યોગીની જેમ શ્રેણીક નિશ્ચલ ચેતનાવાળો થઈ ગયો. (૯). તે દેખી એ અરસામાં અભયકુમાર આવ્યો. જે પોતાનાં પિતાશ્રીનો હંમેશ માટે ભક્ત છે, તે બનાવને નહિ જાણી પ્રણામ કરીને બેઠો. ત્યારે પિતાશ્રીનું ચિત્ત નાશ પામેલું જાણી, મતિવિશાળ દેશકાલને જાણનારો અભયકુમાર પગે મસ્તક લગાડી પૂછવા લાગ્યો. આપ આજે ચિંતાતુર કેમ લાગો છો ? મને કહો તો તેનો ઉકેલ લાવું, ત્યારે રાજામાં ફરી ચેતનાનો સંચાર થતાં તે રાજાએ અભયને સર્વ વાત કરી, ચિંતા ના કરો, તે કન્યાને વરવા માટે ચેડા રાજા પાસે મોડું નહિ કરનારો દૂત મોકલો ત્યારે શ્રેણીક રાજાએ દૂત મોકલ્યો, તીવ્ર ઝડપે ત્યાં પહોંચ્યો, દ્વારપાલવડે નિવેદન કરાયેલ દૂત સભામાં પ્રવેશ્યો, નમસ્કાર કરીને બેઠો. ચેટક રાજાએ યોગ્ય ઉપચાર કર્યા. (ક્રમપાટીથી) પગે પડી દૂત વિનંતિ કરવા લાગ્યો કે હે રાજન ! તમારે સર્વકલાઆગમ ગુણમાં વિશાળ એવી કોઈ દીકરી છે, તેને વરવા સારુ શ્રેષ્ઠ સુભટના સૈન્યવાળા શ્રેણીક રાજાએ મને અહીં મોકલ્યો છે. ત્યારે ચેડા રાજા ક્રોધથી ધમધમી ઉઠ્યો, હે દૂત ! હયકુલમાં ઉપજેલી પુત્રીને વાહિક કુલમાં હું ન આપું. દુતે તે વાત આવીને જેની નજીકમાં અભય છે એવા શ્રેણીકને કહી. ત્યાં તો શ્રેણીક જાણે ચંદ્ર રાહુથી ગ્રસિત થઈ ગયો હોય તેવા કાળા મુખવાળો થઈ ગયો. ત્યારે અભયએ કહ્યું કે ચિત્તને શાંત કરો, કાર્ય સાધી આપીશ. તે સાંભળી રાજા ફરી હરખાયો અને રોમાગ્નિત શરીરવાળો થઈ ગયો. ત્યારે અભયે પણ વાહિક કુલ વંશમાં ઉત્પન્ન થયેલ શ્રેણીકનું સુવિભક્ત અતિશયવાળું રૂપ ચિતર્યું. (૧૦) | ગુટિકાથી સ્વર બદલાવી, સ્વાભાવિક રૂપ તેજવાળો ચિત્ર સાથે વણિકવેશ કરી વૈશાલીમાં પ્રવેશ કર્યો. રાજભવનનાં દ્વારની પાસે સુગંધી દ્રવ્યોની મોટી દુકાન ખોલીને રહ્યો,. ત્યાં જયેષ્ઠાની દાસી સુગંધી દ્રવ્ય લેવા આવે ત્યારે અભય વિશેષથી આપે અને શ્રેણીની પૂજા કરે છે. દાસીએ પૂછયું. “આવું રૂપ કોનું છે?” હે મૃગાક્ષી ! આ શ્રેણીક રાજાનું ચિત્ર છે. અને મારા સ્વામી છે. તેથી ભક્તિથી ત્રણેકાળ આરાખું છું. ત્યારે તે દાસી કન્યાઓની આગળ કહે છે કે અમે આજે Page #64 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ સુલસા કથા ૫૩ વેપારી પાસે જે આશ્ચર્ય દેખું, ખરેખર એમાં કોઈ ભ્રાંતિ-શંકા નથી. (ત્યારે દાસીએ જ્યેષ્ઠા પાસે જઈને કહ્યું કે આજે મેં આશ્ચર્ય દેવું.) જ્યેષ્ઠાએ કહ્યું શું દેવું? ત્યારે દાસીએ સર્વ વૃતાંત કહ્યો. મને ભારે કૌતુક ઉપન્યું છે માટે તું જલ્દી તે ચિત્ર લાવ, ત્યારે દાસીએ તે ચિત્ર માંગ્યું. અભય પણ દાસીને તે ચિત્ર આપતો નથી. મને ખાત્રી છે કે તમે ત્યાં લઈ જઈ મારા સ્વામીની અવજ્ઞા કરશો. ત્યારે ઘણી જાતનાં સોગંધ ખાઈ વિશ્વાસ બેસાડી ઢાંકીને ચિત્ર લઈ જાય છે. રાજહંસ અને - હાથી સમાન ગતિવાળી પોતાની સ્વામિનીને દેખાડે છે. સોગંદ આપી લઈ ગઈ. તે દેખતા જ જયેષ્ઠા કામને વશ થઈ ગઈ. તું શેઠને જઈને કહે કે આ તમારો દેવ મારો પ્રિયતમ બને, તો મારું જીવન છે, એમાં કોઈ ભ્રાંતિ-શંકા નથી, નહિં તો મારું હૃદય ફાટી જશે. દાસીઓએ અભયને સર્વ વાત કરી, ત્યારે અભયએ ગર્વ કરી કહ્યું જો કુમારીનો આવો નિશ્ચય હોય તો લાંબો વિચાર નહિ કરનારીનું હું કાર્ય કરી આપું. અમુક ઠેકાણે રહેલ સુરંગ મુખ પાસે અમુક પૂર્ણિમાએ આવીને ઉભું રહેવું. હું સર્વ શાસ્ત્ર ભણાવી- બધી સમજ પાડી ત્યાં રાજાને લાવીશ. ત્યાં શ્રેણીક રાજા આવશે અને સંકેત કરશે એમ સંકેત કરીને મનમાં હસી અભયે તે વાત શ્રેણીક રાજાને જણાવી. અભયકુમારે જણાવ્યું કે મંત્રીઓ સાથે સુરંગ દ્વારા શીઘ આવે. ત્યારે શ્રેણીક રાજાએ વિશેષ પ્રકારે શરીરને શણગાર્યું / શણગારીને (રથની પાસે) આવ્યો. અનેક જાતનાં હથિયાર જેમાં તૈયાર પડેલા છે, એવાં ઉત્તમ રથમાં બેસી બત્રીસ સુંદર રથવાળા, નિયમિત કાર્યવાળા, સદા વાત્સલ્યવાળા, અપરાધ અને છલની અવજ્ઞા કરનાર, બત્રીસ સુલતા પુગ્રો સાથે તેત્રીસ રથો વડે સુરંગ દ્વારથી પ્રવેશ કરી જયાં કુમારી ઉભી છે ત્યાં પહોંચ્યા. સંકેત સ્થાનને કહી અને હંસના અવાજે કહ્યું કે હે મૃગાક્ષી ! તારા કાજે આવી ગયો છું. ઈચ્છા હોય તો હે તેજસ્વી ! રથમાં ચડી જા, તે જવા લાગી જેણે જવાનું મન છે એવી તે રાજકુમારી ચેલણાને પૂછે છે, ત્યારે ચેલ્લણા કહેવા લાગી છે હંસગતિવાળી બહેન ! હું પણ તારી સાથે આવું. ત્યારે ચેલ્લણા સાથે રોમાશ્ચિત અંગવાળી અને રૂપથી સુંદર જયેષ્ઠા જેટલામાં રથમાં ચઢે છે. તેટલામાં યેષ્ઠા કહેવા લાગી, હું રત્નપૂર્ણ ઘણાં સોનાવાળો કરંડિયો ભૂલી ગઈ, પ્રભુ હું લઈ આવું ત્યાં સુધી રાહ જુઓ, જ્યેષ્ઠા કરંડિયો લેવા ગઈ. ત્યારે પગે નમી તુલસાપુત્રોએ કહ્યું આ શત્રુઘર છે. અહિં વધારે રોકાવું સારું નહિ. તેથી રૂપવતી ચેલ્લણાને લઈ જલ્દી નીકળી ગયો. એટલામાં ઉતાવળના કારણે વિકૃત બનેલી (કે મનોહર) જયેષ્ઠા સુરંગ દ્વારે આવી અને શુન્ય દેખી વગર વિનાશે-વિના સંઘર્ષે દોડીને મોટો અવાજ કરવા લાગી હાં ! ચોર ચોર ! દોડો દોડો ! બિચારી મારી બેન હરાઈ રહી છે. જલ્દી આવો તે સાંભળી ક્રોધથી થરથરતાં હોઠવાળા હાથનાં ઘાતથી હાથ પટકી જમીનમાં તિરાડ પાડી દીધી છે એવાં ચેડા રાજા તૈયાર થયા છે. ત્યારે વીરાંગે કહ્યું કે મને આદેશ આપો કે હું જાઉં. ત્યારે ચેડા રાજાએ જાતે પાન બીડું આપી તેને રવાના કર્યો અને જલ્દી સુરંગ પાસે આવ્યો ત્યારે સૂર્યના રથ સમાન તેઓના રથ દેખ્યાં. અને દેવોમાં અસુરોની જેમ ક્રમશઃ તે રથોમાં રહેલા નાગરથીના પુત્રોને જોયા. અને એક જ બાણે વીંધી નાંખ્યા. સુરંગનું Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૪ મૂળશુદ્ધિ ભાગ-૧ મુખ સાંકડુ હોવાથી તેમનાં રથોને દુર કરે છે, તેટલામાં શ્રેણીક રાજા ઘણી ભૂમિ ઓલંગી ગયો. ત્યારે પાછા વળી વીરાંગે શીશ નમાવી જે બન્યું તે સર્વ હકીકત જણાવી. ત્યારે ચેડા રાજા દીકરીનું અપહરણ કરનાર રાજા ઉપર રોષે ભરાણો અને શ્રેણિકના સુભટો માર્યા ગયા તેથી સંતોષ થયો. તે સાંભળી સંસાર સ્વરૂપ જાણી જ્યેષ્ઠા વિરક્ત થઈ ગઈ. ભોગોને ધિક્કાર હો, જેના માટે પોતાની સગી બહેન પણ નિરર્થક ઠગે છે. મળમૂત્રમાં ઉદ્ભવેલ, અનેક જાતનાં પરિભવ કરનારાં કામોને ધિક્કાર હો. ક્ષણ માત્ર સુખ આપનારા, નરકના માર્ગસમા કામોને ધિક્કાર હો, અંતે દુઃખના દરિયામાં ડુબાડનારા, અકસ્માત નાશ પામનારા કામોને ધિક્કાર હો. ગુણરૂપ ઝાડોની શાખાઓને બાળવામાં દાવાનલ સમાન, શરીરના બળનો નાશ કરનારા કામોને ધિક્કાર હો, આ વિષયોમાં જેરિત (રાગ) કરે છે તે આત્માને દુઃખમાં મોખરે કરે છે. તેથી, એઓને છોડી દઉં, એમ વિચારી તાત પાસે જઈ સર્વ વાત કરી. ત્યારે પિતા પાસે રજા માંગી. પિતાશ્રીએ રજા આપી. ત્યારે જ્યેષ્ઠા ચંદનબાળા સાધ્વીજી પાસે જઈ, બ્રહ્મચર્ય તપ નિયમ ધરનારી ગુણરૂપી રત્નોથી ભૂષિત રથમાં ચડી આવી પાપનું મર્દન કરનારી ચંદના આર્યા પાસે સાધ્વીજી બની. (૧૨) આ બાજુ માર્ગમાં ઝડપી જતા શ્રેણીકે ‘હે જ્યેષ્ઠા' ! એ પ્રમાણે બોલાવી, ત્યારે તે બોલી હે સ્વામી ! હું જ્યેષ્ઠા નથી, પણ તેની નાની બહેન ચેલ્લણા છું. હે પ્રિયતમા ! ગુણ સમૂહથી શ્રેષ્ઠ તું તો સર્વ જ્યેષ્ઠા છે, શ્રેણીક રાજા પણ ચેલ્લણાના લાભથી હરખ પામ્યો અને મિત્રોના મરણથી શોક પામ્યો. ચેલ્લણા પણ બહેન પંચનથી-ઠગાઈ જવાથી વિષાદવાળી થઈ અને શ્રેણીકને વરવાથી અતિપ્રસન્ન થઈ, અનુક્રમે રાજગૃહી પહોંચ્યા. ચેલ્લણાને રાજભવનમાં મૂકી સુભટો સાથે આંસુ સભર આંખોવાળો નાગરથીને ઘેર ગયો અને પુત્ર મરણની વાત કરી, તે સાંભળી પરિવાર સહિત નાગરથી દુ:ખીમને આક્રંદન કરવા લાગ્યો. હા પુત્ર ! હા પુત્ર ! તમે ક્યાં ગયા, અરે અકાળે પ્રાણ છોડી યમઘરે જતા રહ્યા. હે વિધાતા ! જેનો પાર પામવો મુશ્કેલ છે એવા ભયંકર દુઃખ દરિયામાં મને કેમ નાંખ્યો, હાહા નિરુ-અત્યંત દયા વગરના ! અતિ અનાર્ય ! શરમ વગરનાં હે વિધાતા ! આ શું કર્યું ? જે કારણથી શત્રુ સૈન્યનું મર્દન કરવામાં સમર્થ એવાં મારા પુત્રોનું જીવન તે એક જ સમયે હરી લીધું. “ઘડપણમાં પુત્રો મને પાળશે એ જાણી હું મનમાં હરખાયો, પણ તે બધું નકામું નીવડ્યું. એ પ્રમાણે ધરતીએ આળોટતો વિલાપ કરવા લાગ્યો. અને દોરી વિગેરેના બંધન વગરનો થયેલ ઈન્દ્રધ્વજની જેમ ધબ્ દઈ, સુલસા પણ પૃથ્વી પીઠ ઉપર પડી ગઈ. પરિજને સ્વસ્થ કરી ત્યારે દીન બનેલી વિલાપ કરવા લાગી. બુદ્ધિ વગરની મેં (સદ્-સ્વયં) જાતે આવી મતિ કરી. હે વિધાતા ! લક્ષણ અને પુણ્ય વગરની મેં જો ઉદ્વેગ પામી એક સાથે ગુટિકા ખાધી ન હોત તો એક સાથે બધા પુત્રમરણનું દુ:ખ મારા માથે આવી ન પડત. હા પુત્ર ! હા પુત્ર ! તમારું મરણ થતા દીન એવી હું મારું મોઢું કોને દેખાડીશ. અરે પુત્રો ! તમે એક જ સમયે અનાથ એવી મને કોની આગળ મૂકીને દોડી ગયા. (દોડી જાઓ છો) દુઃખથી સંતપ્ત અને રડતા એવા તેઓને અભયે કહ્યું તમે અતિશય વિકાર પામનાર સંસાર સ્વરૂપને જાણો છો. તેથી શોક કરવો યોગ્ય નથી. Page #66 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ સુલાકથા ૫૫ (૧૩) કારણ કે આ સંસારનો ફેલાવો ઈન્દ્રધનુષ્ય અને વિજળીની છટા જેવો અસાર છે. (ક્ષણભંગુર છે.) સંધ્યાટાણેના વાદળ સમૂહથી શોભતી રેખા - શ્રેણી સમાન, મદોન્મત્ત હાથીનાં કાનની લીલા જેવો, ઉનાળામાં દેખાતા ઝાંઝવાના જળ જેવો, પવનથી ઉડાડેલ ગોળ ભમરી ખાતાં રૂ સમાન, સાગરમાં ઉઠતા તરંગ જેવો. કામિની કટાક્ષ સમાન (સંસાર) ચંચલ છે. આવા અત્યંત નિસ્સાર સંસારમાં “તમારા મનને શોક કેવી રીતે વિહુવલ બનાવે છે ?” કારણ કે તમે તો સર્વજ્ઞ ભાખેલું જાણી તે રીતે કાયાથી આચરનારા છો. વળી દેવો વડે કે પૌરુષથી કે મંત્ર તંત્રથી કોઈનું મરણ વારી શકાતું નથી. માટે આવું સંસાર સ્વરૂપ જાણી શોક છોડી ધર્મમાં ઉદ્યમ કરો. જેથી અન્ય જન્મમાં આવા દુઃખનો અવસર ના આવે. બુધજન-પંડિત પુરુષને પ્રિય અભયના વચન સાંભળી કાંઈક શોક ઓછો થયો. લૌકિક કૃત્ય કરી જિનેશ્વરની પૂજા કરી ધર્મમાં ઉદ્યમ કરવા લાગ્યો. (૧૪) માણસો સાથે શ્રેણીક અભય ઉઠી પોતપોતાના ઘેર ગયા. પોતાનાં ધર્મકર્મમાં મગ્ન બનેલા સુલસા વિગેરે કાળ જતાં શોક વગરનાં થયા. આ બાજુ ગ્રામ આકર નગરમાં વિચરતાં અસુરેન્દ્ર અને સુરેન્દ્ર જેમને માન આપી રહ્યા છે, કામદેવરૂપી ભડવીર શત્રુના માનનું નિર્દેશન કરતાં, કેવલજ્ઞાની, મિથ્યાત્વરૂપી અંધારાને ઉલેચવા માટે સૂર્ય સમાન, દેવોથી પરિવરેલા વર્ધમાનસ્વામી ઈન્દ્રની નગરીના ગુણસમૂહને ધારણ કરનારી ચંપાપુરીમાં પધાર્યા. દેવોએ રચેલા સમવસરણમાં બિરાજમાન થઈ બાર પર્ષદા મધ્યે પ્રભુએ સુંદર ધર્મ દેશના આપી. યથા.... આ ભવ સમુદ્રમાં જીવ કોઈક સુકૃત વિગેરે થી કર્મો ખપાવે છે, તેને મનુષ્ય જન્મ મળે છે. તેમાં વળી પરમ રમણીય જિનેશ્વરનાં ધર્મને કોઈક પુણ્યશાળી મેળવે છે. તેથી ધર્મકાર્યમાં ઉદ્યમ કરો અને અતિગર્વિષ્ઠ પ્રમાદ શત્રુનું દલન કરો, પાંચ પ્રકારનાં મહાવ્રતના ભારને ધારણ કરો, અતિદુષ્કર અનેક જાતનાં તપને આદરો. જેથી દુઃખવગરના મોક્ષમાર્ગને પામશો અથવા દેવાંગનાથી રમ્ય સ્વર્ગને જીવ મેળવે છે. આ આંતરામાં હાથમાં આસન ત્રિદંડવાળો, છત્રછાદિત મસ્તકવાળો ગુણવાન શ્રાવક ધર્મવાળો અબડ પરિવ્રાજક પ્રભુને વાંદવા આવ્યો. પ્રદક્ષિણા આપી અને પ્રણામ કરવામાં પ્રવીણ, ગુણથી મહાઅર્થવાળા શકસ્તવ ભણી રોમાશ્ચિત અંગવાળો એ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યો. દેવોથી વંદાયેલા ચરણવાળા, ચંદ્રના કિરણ જેવાં ચરણવાળા, મરણ વગરનાં, ફલેશ કંકાસ વગરના, કામદેવરૂપી હાથીને હણનારા, વીરપ્રભુ જય પામો. જેમનો કર્મમળ શાંત થઈ ગયો છે. ગચ્છના સાધુઓને નિર્દોષ (શુદ્ધ) કરનારા ! ભવ્યલોકોનોનાં શરણભૂત ! તપસ્વી અને ચારિત્રધારીને શરણભૂત એવા આપનો જય હો ! સંસારથી તપેલાં પ્રાણીઓને ઠંડક આપવામાં ચંદન સમાન ! પ્રભુવિજય પામો ! સંસારના Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૬ મૂળશુદ્ધિ ભાગ-૧ બળને હરનારા ! અન્ય દર્શનનાં બળને હરનારા જય પામો ! આપત્તિની ધૂળને શમાવવામાં વાદળ સમાન ! મનુષ્યરૂપી ભ્રમર માટે શ્રેષ્ઠ કમળ સમાન, અતિશય વિકસિત કમળ સરખા નયણોવાળા ! મોક્ષમાં ગમન કરાવા સારુ નયન (નેતા) સમાન જય પામો ! આખુંય જગત જેમને પ્રણામ કરે છે ! કાષ્ઠ, ધન અને રત્ન ઉપર સમદ્રષ્ટિ રાખનાર ! શ્રેષ્ઠ, કાન, હાથ અને દાંતવાળા જય પામો ! પાણીવાળા વાદળાની જેમ વિસ્તાર પામેલ ! કપટરૂપી ભટના ફેલાવનો ક્ષય કરનાર, યશ પ્રસારથી શ્વેત ઉજળા, ઈન્દ્રિયરૂપી ઘોડાને દમનારા ! મદોન્મત્ત હાથી જેવી ચાલવાળા,.છલરૂપી સાપનો છેદ કરવામાં કર્પર (હથિયાર વિશેષ) સમાન, ભવરૂપી રત્નાકરથી તરનારા પ્રભુ જય પામો ! અસ્ખલિત શાસનવાળા (જેમનાં શાસનને કોઈ પરાસ્ત ન કરી શકે) ભવભયનો નાશ કરનારા, મળ વગરના દેવેન્દ્રથી વંદિત ચરણકમળવાળા હે વીરનાથ ! દીન એવા અમારા ઉપર દયા કરો, મને શિવસુખ આપો. ૧૫ એ પ્રમાણે સ્તુતિ કરી. ગુણરાશિવાળી ધર્મદેશના સાંભળી પ્રભુને નમી ક્યું કે હું રાજગૃહી નગરી જાઉં છું. ત્યારે જગદીશ્વરે ચૈત્ર મહિનામાં મત્ત બનેલી કોયલ જેવા મધુર સ્વરે કહ્યું કે સુલસા શ્રાવિકાને મારા તરફથી પ્રવૃત્તિ પૂછજે.“ઈચ્છું” કહી ક્ષણવારમાં ગગનમાર્ગે રાજગૃહી આવ્યો. સુલસામાં કોઈક ગુણના કારણે વીતરાગનો પણ સુલસા પ્રત્યે સુરનર સભા વચ્ચે પણ આવો પક્ષપાત છે. “તે સર્વ પરીક્ષા કરું” એમ મનથી વિચારી અન્યરૂપે તેનાં ઘરે જઈ આદરથી ભોજન માંગ્યું. ધર્માર્થી તે સુલસા કોઈ પણ રીતે કશું આપતી નથી. તેથી નગરની બહાર નીકળી જાય છે. હવે પૂર્વ દ્વારે ચારમુખવાળા, પદ્માસને બેસેલ, હંસવાહનવાળા, સુંદર ચારભુજાવાળા, બ્રહ્માની જપમાળા, બ્રહ્માક્ષસૂત્ર, જટામુગુટથી યુક્ત, સાવિત્રી (બ્રહ્માની પત્ની) થી સંબદ્ધ, નગરજનો સમક્ષ ધર્મ કહેવા લાગ્યાં. જ્યારે એવું બ્રહ્માનું રૂપ કરીને રહ્યો. ત્યારે નગરજનો તેને દેખી “અહો ! આ તો બ્રહ્મા પધાર્યા” એમ માની ઘણાં જ આકર્ષિત-પ્રસન્ન થયા. સખીઓએ સુલસાને પણ આવવાનું કહ્યું. “આ તો દાંભિક છે.” એમ સમજી નિશ્ચલ મનથી ઘેર જ રહી. ત્યારે બીજા દિવસે દક્ષિણ દિશામાં ગરુડ ઉપર બેસેલ, લક્ષ્મીયુક્ત, જેનાં હાથમાં ગદા, શંખ, ચક્ર, સારંગ નામનું ધનુષ, (ગંધર્વ જાતિની દેવીઓની) વહુની કાંતિને હરનાર, કપટની ખાણ એવા વિષ્ણુનું રૂપ કર્યું. તેનાથી પણ સુલસા રંજિત ન થઈ, ત્યારે ત્રીજા દિવસે પશ્ચિમદ્વારે ચંદ્રના તિલકવાળા, રાખ ચોપડેલા શરીરવાળા, બળદ ઉપર સવાર થયેલ, જેનો અર્ધો ભાગ પાર્વતીથી યુક્ત છે, જેનાં હાથમાં ડમરુક, ખટવાંગ (શિવનું શસ્ર) ત્રિશુલ છે શિવના સેવક ગણ વિશેષથી પરિવરેલ શંકરનું રૂપ લીધું. એ ધર્મ શાસ્ત્ર કહેવા લાગ્યો. તો પણ ગુણથી વિશાલ સુલસા ન આવી, ત્યારે ચોથા દિવસે ઉત્તર દિશામાં રત્ન, સોના, ચાંદીના ત્રણ ગઢ બનાવ્યાં જે કાંગરા (કોટના તોરણ ઉપરનું નકશીવાળુ ચણતર) તોરણ, દ્વારથી વિસ્તૃત છે, તે સમવસરણની મધ્યે આસોપાલવની નીચે સમુજ્જવલ સિંહાસન ઉપર ચાર રૂપધારી, કર્મ શત્રુને ભગાડી કાઢવામાં વીર એવાં જિનેશ્વર બેસેલ છે અને અષ્ટ પ્રાતિહાર્ય બનાવ્યા, વૈર શાંત થઈ ગયુ છે એવા પશુઓ દેખાડ્યા, આવું તીર્થંકરનું રૂપ ધારણ – Page #68 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ સુલાકથા કરી ધર્મ દેશના દેવા લાગ્યો. તેમાં ચાર પ્રકારનો ધર્મ અને મુનિ, શ્રાવકના ભેદવાળા અતિશય સુંદર ધર્મનું વ્યાખ્યાન કરે છે. તે સાંભળી રોમાશ્ચિત બનેલા લોકો હાઈ ધોઈ ભક્તિથી તેમની પાસે જવા લાગ્યા. સુલસાને અંબડે કહેવડાવ્યું કે જિનવંદન કરી તારા પાપ ધો ! સુલતાએ કહ્યું કે ઈન્દ્રવૃંદ જેમને નમન કરે છે એવાં વીર પ્રભુ અહીં પધાર્યા નથી. (જો પ્રભુ પધારે તો મારો દેહ રોમાંચિત થયા વિના રહે નહિ.) આઠ કર્મરૂપી શત્રુનો નાશ કરનારા તીર્થકરો ચોવીશ જ હોય છે. તેણે કહેવરાવ્યું અરે ! તું તો સાવ ભોળી છે, આ તો પચીસમા તીર્થંકર છે. આવ, તારી શુદ્ધિ થશે. પચીસમા તીર્થંકર ક્યારે ન હોય આ તો કોઈ કપટી માણસોને ઠગવા માટે જિનવરનાં ધર્મ શાસ્ત્રને કહી રહ્યો છે. (કોઈકે અંબડે) કહ્યું તું ઘબરા નહિ, આનાથી (તારા આવવાથી) તો શાસન પ્રભાવના થશે, તુલસા બોલી ખોટા ઢોંગથી પ્રભાવના ન થાય. આવી પરિસ્થિતિમાં પણ સુલસા પ્રેરાઈ નહિ. એમ સુલતાને ચલાયમાન ન કરી શક્યો ત્યારે અંબડ વિચારવા લાગ્યો. દઢસમકિતના કારણે પ્રભુએ પ્રશંસા કરી તે યોગ્ય જ છે. (૧૬) ત્યારે સર્વમાયાજાળ સમેટીને મૂળરૂપમાં સુલતાને ઘેર આવ્યો. એટલામાં નીસિહી કરે છે, તેટલામાં તુલસા સામે ગઈ અને કહેવા લાગી. . પધારો ! શ્રાવક પધારો ! અહો ગુણાઢ્ય, મહાધર્મબંધુ (સાધર્મિક) જિન ધર્મ ઉપર શ્રદ્ધાવાળા તમારું સ્વાગત હો ! સ્વાગત હો ! અતિવાત્સલ્કવાળી પોતાની માતાની પેઠે તેનાં પગ ધોયા ગૃહચૈત્યો દેખાડ્યા. અંબડે પણ વિધિ પૂર્વ વંદન કર્યું. અને અંબડ ઉત્તમ આસને બેસે છે અને મનમાં અતિશય હરખને ધારણ કરીને તે કહે છે કે હે શ્રાવિકા ! તે મને શાશ્વતાં અશાશ્વતાં ચૈત્યોને વંદાવ્યા. ત્યારે મનમાં ઘણી સંતોષ પામી મસ્તક-હાથ ધરણિતલે લગાડી તે સુલસા વાંદે છે. અંબડ કહેવા લાગ્યો તું સર્વથી ધન્ય છે. પુણ્યવાનું છે, કૃતાર્થ છે, તારો જન્મ સફળ છે, તને ઈંદ્ર પણ નમે છે. જેથી કારણ કે તેજથી ભાસુર એવાં મનુષ્યતિર્યંચ સુરાસુરોની મધ્યે રહેલાં કામદેવરૂપી શત્રુનો નાશ કરવામાં અસમાન શૂરવીર એવાં વીર જીનેશ્વર તારા સમાચાર પૂછે છે. તે સાંભળી હર્ષથી પુલકિત શરીરવાળી સુલસા સ્તુતિ કરવા લાગી. વીર જિનેશ્વર જય પામો ! મિથ્યાત્વરૂપી વાદળાનો નાશ કરવા માટે પવન સમાન, મોહમલ્લના બલનો નાશ કરવામાં ધીર ! જય પામો, સુરાસુરના ઈંદ્ર અને ચંદ્ર પણ જેમને નમન કરે છે. પગની આંગળીથી જેમને મેરુપર્વત ડોળાવી દીધો એવા વીર પ્રભુ જય પામો ! કેવલજ્ઞાનથી સંસાર સ્વરૂપને જાણનારા, ત્રણ લોકમાં સહુથી અતિશયવાળા, જયપામો ! એ પ્રમાણે સ્તુતિ કરી સુલસા ધરણીતળે શીશ લગાડી કલેશ-કષાય વિનાના જિનેશ્વરને વારંવાર વાંદવા લાગી, ત્યારે ફરીથી પણ વિશેષ પરીક્ષા કરવામાં વિચક્ષણ એવા અંબડે પૂછ્યું, કુતૂહલથી પણ તું પૂર્વાદિ દ્વારે બ્રહ્માદિ પાસે કેમ ના આવી? તે કહેવા લાગી છે સુભગ ! અતિ અજ્ઞાનીની જેમ તું એમ કેમ બોલે છે? કે જે વીર પ્રભુને નમી, મારું મન જેનો વૃતાંત બંધ બેસતો નથીઃ જેમની વાતોનો કે ચરિત્રના કોઈ ઢંગધડા નથી એવા અન્યદેવમાં કેવી રીતે જાય કારણ કે, કહ્યું છે કે – જે ભમરાએ ઐરાવણ હાથીના ગંડસ્થલથી ઝરતાં મકરંદની સુગંધ સુંઘી હોય, Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫૮ મૂળશુદ્ધિ ભાગ-૧ તે વિકસેલા લીંબડાને પણ ના ચાહે, તાડના અને બેહડાના (ભરૂચ અને કચ્છ દેશના) વૃક્ષના ફેલાયેલા = ઉંચા જતા ફૂલોના કેસરામાં લીંપાયેલા શરીરવાળા ભમરાનું બોરડીના વનમાં મન બિસ્કુલ વિશ્રાંત થતું નથી, ખીલેલા કમલની પુષ્ટ ગંધમાં જેનું મન જામી ગયું હોય, શું તે ભમરો ખીલેલા પલાશમાં વિલાસપૂર્વક સ્પર્શે ખરો ? જેણે કાંઠાને પણ શીતલ કરી દીધો છે, એવા રેવા નદીના જલમાં જે હાથી મસ્તીથી મજ્જન (સ્નાન) કરે છે તે (નદી સુકાઈ જતા પાણી માટે કરાયેલો ખાડો તે વિયડો) વિયડામાં નજર પણ નાંખે ખરો ? ગંગાના ઉજ્જવલ જલને જે પીએ છે, તે હંસ શોભા વગરનું અન્ય નદીનું પાણી પીએ ખરો ? પ્રકામ કામવાળી પ્રૌઢ પરણેલી સ્ત્રીમાં જે ઘણો રત હોય તે કામદેવથી મોહિત થયેલો વેશ્યામાં મન કરે ખરો? લીલાછમ વૃક્ષવાળા (ગિરનાર) કૈલાસ પર્વત ઉપર રહેનારો નીલા અને વિશાળ કંઠવાળો શંકર ઝાડ વગરના મરુસ્થલને યાદ કરે ખરો ? વાદળાના સમૂહ જેવા કાળા ફળના રસથી | પરાગથી સુવાસિત બનેલ મલય પર્વત ઉપર જે હરણ વસ્યું છે, તેને બીજા પર્વત ઉપર ગમે ખરું ? એ પ્રમાણે છે વીર ! હે ધીર ! હે માનને હરનારા ! જેને તારાં ચરણારવિંદમાં નમસ્કાર કર્યો હોય તે સુખસમૂહનો નાશ કરનારા વિષ્ણુ અને શંકરના પગમાં પડે ખરો ? જિનેશ્વરના નિરુપમ વચનામૃત પીવામાં-પાન કરવાથી પાલન પોષણ પામેલ હોય તેને બાકીના કુનયમય કાંજીમાં શાંતિ મળે ખરી. એવી જ રીતે હે વીર જિનેશ્વર ! દુઃખ રૂપી અંધકારને દૂર કરવામાં સૂર્યસમાન ! જેમને આપના (વીરનાં) ચરણકમણ ચંખ્યા-ચૂમ્યાં હોય, તે સુવિચક્ષણ ! (અંબડ પ્રત્યે) તે કામની કોટડીની કાળી મેશથી કાલાભમ્મર વિષ્ણુ શંકર વિગેરેને કેવી રીતે પ્રણામ કરે ? હવે અંબડ (લસાની મધુરવાણીથી પ્રશંસા કરી પૂછીને સ્વસ્થાને ગયો. - આ બાજુ સમક્તિમાં દ્રઢ સુલસી ક્રમશઃઅંતિમ વય જાણી અમોધશક્તિશાળી સંલેખના કરે છે, ઈદ્રો પણ જેને માન આપે છે એવાં વીરનું ચિત્તમાં ધ્યાન ધરતી, પંચપરમેષ્ઠીની સ્તુતિ અને સ્મરણ કરતી, સર્વજીવોને ખમાવતી, અનશન કરી દુર્ગધ દેહને છોડી મોહ વગરની સુલસા સ્વર્ગે સીધાવી. ત્યાંથી ચ્યવીભાવી ઉત્સર્પિણીમાં અપરિમિત જ્ઞાન - ચારિત્ર અને સત્ત્વવાળા પંદરમાં "નિર્મમનામે તીર્થકર થશે. ભવ્યજીવોને પ્રતિબોધ પમાડી જગતનાં મોખરે રહેલી સિદ્ધિગતિને પામશે. આ પુરુષાર્થમાં પ્રશંસા પાત્ર અધ્યાય દેવચંદ્રસૂરીએ પૂરો કર્યો. એ પ્રમાણે ઘણાં ગુણથી ભૂષિત, જિનેશ્વરોએ જેની પ્રશંસા કરી છે એવું સુલસાનું ચરિત્ર સાંભળતા ધર્માર્થીઓને અને ભણનારા, તેમજ ભક્તિમાં પ્રસક્ત મોક્ષાર્થિઓને મોક્ષ આપો. ઈતિ સુલસા કથાનક સમાપ્તમ્ ગુણો પ્રશસ્ત = મંગલનું ઘર છે, કુશળતા વગેરે સમકિતના ભૂષણ છે, “હ” એવકાર અર્થમાં છે, આજ ભૂષણ, અન્યનહીં, કારણ કે એઓને જ સમકિતના ભૂષણ તરીકે શાસ્ત્રમાં બતાવ્યા છે વિશેષથી શોભાવે તે વિભૂષણ કહ્યું છે કે – રૂપવાન, સુર નર જાનવરો પણ આભૂષણો વડે, વિશેષ શોભિત બને છે. તેમ સુંદર દર્શન ૧. સમવાયાંગ સૂત્રમાં સોળમાં ચિત્રગુપ્ત નામે તીર્થંકર થવાના છે એમ જણાવેલ છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ દાત છે. મૂળશુદ્ધિ ભાગ-૧ પાંચ દૂષણ-શ્રીધરકથા ૫૯ પણ આ ગુણો વડે શોભે છે. જેમ અલંકારવાળું કાવ્ય વિદ્વાનની સભામાં શોભે છે, તેમ આ અલંકારો વડે જ સમકિત શોભે છે. આ પ્રમાણે સમકિતનાં ભૂષણો કહ્યાં. & હવે બીજું દુષણ દ્વાર કહે છે તેનું સ્વરૂપ કહેવા સારુ ગાથા પર संका य करवा य तहा विगंछा कुतित्थियाणं पयडा पसमा ५ ગમવ@vi સંથવા વ તેલ, ટૂતિ સત્તાને તો પાભિનીતી. અમદાવાદ શંકા, કાંક્ષા, વિચિકિત્સા, અન્યદર્શનીઓની પ્રગટ પ્રશંસા, વારેવારે તેમનો પરિચય આ દોષો સમકિતરત્નને અશુદ્ધ બનાવે છે. ચકાર દેશ - સર્વ શંકાનો સૂચક છે, ત્યાં દેશ શંકા “શું સાધુઓને ઋદ્ધિ હોય કે નહિ? ” ઈત્યાદિ સ્વરૂપવાળી શંકા છે. વળી સર્વશંકા તો “આ બધુ જિનદર્શન સાચું છે કે ધુતારાએ કલ્પેલું છે.” આ સ્વરૂપવાળી છે. બંને પ્રકારની શંકા સમકિતને દૂષિત કરે છે. ઈહલોક વિષયવાળી શંકા પણ મોટા અનર્થ માટે થાય છે. તેમાં શ્રીધરનું દ્રષ્ટાંત છે. (શ્રીધરની વાર્તા) આ જંબુદ્વીપના ભરતક્ષેત્રની અંદર ઉત્તરપથમાં = ઉત્તરીયદેશમાં ગિરિપુર નામે નગર છે. ત્યાં મહાન સામંતોનો સ્વામી અજિતસેન રાજા છે. તેને રૂપિણીનામે રાણી છે. ત્યાં શ્રીધર નામે બન્યવાદી છે. તે લોક પ્રવાહોથી નિધાનો ખોદે છે. પણ સામગ્રીની ખોટ ના લીધે એક પણ નિધાન હાથમાં આવતું નથી. એમ કેટલોય કાળ ગયો. એક વખત ભમતા શ્રીપુર તીર્થમાં ગયો. ત્યાં એક પ્રદેશમાં “પ્રતિપટ્ટ- દરેક પત્ર પઢાંકુશથી વિટલાયેલું છે” રેશમી વસ્ત્રના ઉપર સ્થાપન કરાયેલ છે. પાંચ વર્ણના ફુલડાથી પૂજાયેલ, કપૂર અગર મદન વિના ધૂપની અતિપ્રબલ ગંધથી મનોહર, ગોરોચન રક્તચંદન કુંકુમ અને ચંદનથી જેના ઉપર તિલક કરાયેલ છે, સુગંધિ બારમતિ ડાંગર અને ચોખાથી જેના ઉપર બલિકર્મ કરાયેલ છે, સુગંધિ વાસક્ષેપથી વાસિત એવું રમ્ય ઉત્તમ પુસ્તકરત્ન જોયું. હાથમાં લઈ હર્ષથી રોમાંચિત દેહડીવાળો પુસ્તકને બહાર કાઢે છે. ત્યારે હીરામણિ-માણેકથી જડિત રેશમીવસ્ત્રથી યુક્ત, રત્નમય પુષ્પવાળું સોનાની દોરીથી બંધાયેલું જોયું. તે જોઈ ચોક્કસ આમાં કાંક અદૂભૂત હશે “એમ વિચારી, છોડીને વાંચવા લાગ્યો, ત્યારે અને પ્રભાવશાળી મંત્ર, તંત્ર, વક્રોક્તિ, કૌતુકોની વચ્ચે રહેલું મંડલવિધાન મંત્રરણાથી યુક્ત ખન્યવાદી કલ્પ જુએ છે. . અને જોઈ ઉલ્લાસ પામ્યો વાહ ! જે મેળવવાનું હતું તે મળી ગયું. એમ વિચારી તેમાં કહેલ ઉપાય પ્રમાણે નિધાન જોવા લાગ્યો. જોતાં જોતાં એક સ્થાને મહાનિધાન જણાયું, ત્યારે એક દિવસે તે પ્રદેશમાં મહાબલિ વિધાન કરી માંડલું દોર્યું. ચારે બાજુ તાડના પાંદડા સરખી કાળી અને ભયંકર એવી ખુલ્લી તલવાર હાથમાં લઈ ને ઉભેલા દિશાપાળ પુરુષો સ્થાપ્યા. કેટલાક લોકોએ ખણવાનો આરંભ કર્યો. સ્વયં મંત્ર જપવા બેઠો, બલિવિધાનમાં ઘણો ખર્ચ કર્યો, અરે ! હજી નિધાન દેખાતું નથી, અહિ કાંઈ હશે કે નહિ ? ત્યારે શંકાથી ચલચિત્ત જાણી નિધાન દેવતા ભયંકર વેતાલ રૂપો કરી અટ્ટહાસ કરવા લાગ્યા. અને ડાકિણી પુત્કાર કરવા લાગી. શિયાળીયા રડવા લાગ્યા, રાક્ષસો નાચવા લાગ્યા, Page #71 -------------------------------------------------------------------------- ________________ ૬૦ મૂળશુદ્ધિ ભાગ-૧ અને આકાશમાંથી શિલાઓ પડવા લાગી, તે દેખી દિશાપાળકો નાઠા, તેની પાછળ ખણનારા પુરુષો પણ દોડ્યા, સાધક પણ ચલચિત્તવાળો મંત્ર જપતો બેઠો છે. તેને જોરથી હુંકારો કરીને ધરણીતલે પાડી, ખાડાને પુરી દેવતા સ્વસ્થાને ગયો. એટલામાં રાત પુરી થઈ ગઈ અને અનેક સિદ્ધવિદ્યાવાળો શિવભૂતિ સિદ્ધ પુરુષ ત્યાં આવ્યો. તેને મંડલ સામગ્રી અને ઘણાં માણસોના પગ દેખ્યા. ત્યારે નજીકમાં જઈને જોયું તો પાસે રહેલ પોથીવાળો જેના હાથમાં રુદ્રાક્ષની માળા રહેલી છે, જેનું શરીર થર-થર ધ્રુજી રહ્યું છે, જેના મોઢામાંથી ફીણ નીકળી રહ્યા છે, તેમજ ભૂમિ ઉપર આળોટતાં શ્રીધરને જોયો, શિવભૂતિએ જોયું આ વિદ્યાસાધક અસિદ્ધવિદ્યાવાળો વિદ્યાદેવીવડે ફેંકાયો લાગે છે. બિચારો મરે નહિં એવી અનુકંપાથી શિખાબાંધી માંડલું દોર્યું અને દિશાઓ બાંધી સાતવાર પાણીના છાંટણા તેના ઉપર કર્યા. અને તરત જ તે ઉભો થયો, ત્યારે શિવભૂતિએ આશ્વાસન આપ્યું, અને તેની શિખા ફરીથી બાંધી અને વૃત્તાંત પૂછ્યો તેને સર્વ હકીકત કહી. સારા સ્થાને પુસ્તક પોથી મેળવી છે જેથી ત્યાં જ શિવભૂતિએ જીવવાનું શરું કર્યું. અને તે કોઈક અનેક વિજ્ઞાન કલાના અતિશયથી યુક્ત હતો, (પૂર્વમાં હશે) તેનાં સંબંધીનું આ પુસ્તક હોવું જોઈએ, એમાં લખેલું બધું સાચું જ હશે તેથી આની માંગણી કરું. એમ વિચારી શિવભૂતિએ તેને કહ્યું અરે ! ભો ! અનેક ઉપદ્રવ આપનારી આ પોથીનું તારે શું કામ છે ! આના પરિપાલનનો ઉપાય તું જાણતો નથી. એમ હોય તો તમેજ ગ્રહણ કરો. કારણ તમે પ્રાણ આપનારા હોવાથી મારા ગુરુ છો. અને અત્યારે તમે કહેશો એમ કરીશ. હાં કહી પોથી લીધી. ખન્યવાદ મંત્ર અને સાધનનો ઉપાય જોયો, અને સર્વવિધિ કરી આ આ પ્રમાણે જ છે. એમ નિશ્ચય કરી નિધાન ગ્રહણ કરવાનો ઉપાય આરંભ્યો, દ્રઢ હોવાથી નિધાન દેવતા તેમને ક્ષોભ પમાડવા સમર્થ ન થયો, પ્રગટ થઈ નિધાન પ્રગટ કર્યું તે નિધાનને ગ્રહણ કર્યું. અતિથિ દેવતાની પૂજા કરી. મોજમજા માણી અને પ્રસિદ્ધિને પામ્યો “ઈતિ શ્રીધર કથા સ્માપ્તમ્” એ પ્રમાણે શંકા આ લોકમાં અનર્થ કરનારી છે અને સમકિતના દૂષણભૂત શંકા તો ઉભયલોકમાં આપત્તિના પહાડ ઉભા કરનારી છે. માટે અપ્રમત્ત બની તે શંકાને દૂરથી સલામ કરવા. એ પ્રમાણે શંકા દ્વાર પુરું થયું. કાંક્ષા દ્વાર કહે છે.. બીજા બીજા દર્શનને ગ્રહણ કરવા તે આકાંક્ષા જ્ઞાનાવરણીય કર્મનાં ઉદયથી અનિશ્ચિત ચિત્તવાળા જે અપરાપર દર્શનમાં કહેલાં અનુષ્ઠાનને કરે તે. ચકાર દેશ અને સર્વ કાંક્ષાનું સૂચક છે. ત્યાં દેશ કાંક્ષા શાક્યાદિ એક દર્શનની કાંક્ષા, સર્વ દર્શનોની કાંક્ષા તે સર્વ કાંક્ષા, તેનાં વિષે ઐહિક દ્રષ્ટાંત કહે છે. ઈન્દ્રદત્ત કથા આ ભરતક્ષેત્રમાં ધન અને જનથી સમૃદ્ધ માલવ નામે નગર છે. ત્યાં સર્વ પ્રજાનું પરિપાલન કરવામાં તત્પર પ્રતાપી, શત્રુપક્ષને આક્રાંત કરનાર, પૃથ્વીપાલ નામે રાજા છે. તેને પોતાનાં રૂપથી રિતને ઝાંખી પાડતી રિતસુંદરી નામે પટ્ટરાણી છે, તે જ નગરમાં બુદ્ધિ સંપન્ન દાક્ષિણ્યનો દરિયો, Page #72 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ ઇન્દ્રદત્ત કથા ૬૧ વિનીત, કૃતજ્ઞ, ઉત્તર પ્રત્યુત્તર આપવામાં નિપુણ ઈન્દ્રદત્ત નામે કુલપુત્ર છે. તેને અનુરાગી ગુણવતી નામે પત્ની છે. રાજાએ તેનાં ગુણો સાંભળ્યા તેથી રાજાએ કોઈક રાજા પાસે મોકલ્યો. તે વિશેષરૂપે કામ કરીને આવ્યો. ત્યારે આ સારો છે એથી કરીને રાજકાજ માટે સર્વરાજકુલમાં તેનેજ મોકલે છે. અને તે ઈંદ્રદત્ત પણ દાક્ષિણ્યના લીધે રાજ આદેશની અવજ્ઞા કરી શકતો નથી. અને તેથી તે કાલે અકાલે સર્વ ઠેકાણે જવા લાગ્યો. એક વખત વર્ષાકાળે ઉજ્જૈનીમાં મોકલ્યો. તેની ભાર્યા દેવાલય કરી યજ્ઞ પ્રતિમા સ્થાપી તેનું વંદન, પ્રક્ષાલન વિગેરે કરી વિનંતી કરે છે કે મહાયશવાળા હે યક્ષરાજ ! માર્ગ નગરાદિમાં તેમનું રક્ષણ કરજે. હે યક્ષ ! હંમેશા સર્વ ઠેકાણે મારા પતિનું સાંનિધ્ય કરજે. કારણ કે તમારા જેવા પ્રણામ કરનારા ઉપર વાત્સલ્ય વેલડીથી વિંટાઈ જનારા હોય છે. યક્ષ પણ તેની બહુમાન ભક્તિ પૂર્વક ઘણી વિનંતીથી તુષ્ટ થઈ તેનું (ઈન્દ્રદત્તનું) સાંનિધ્ય કરે છે. ઈન્દ્રદત્ત પણ ઉજ્જયનીમાં રાજકાર્યથી ઘેર આવતા રસ્તામાં નદી ઉતરતા વરસાદના કારણે પૂર આવવાથી તણાવા લાગ્યો. ત્યારે ચલાયમાન મણિકુંડલવાળા, દીપતા મુગુટમણિથી ભાસુર, હારથી શોભતી છાતીવાળા, આભરણોથી શોભતાં યક્ષે હથેળીમાં લઈ પાર ઉતાર્યો. ઉતારીને યક્ષ અદ્રશ્ય થઈ ગયો તે ઈન્દ્રદત્ત તે બીનાને સ્વપ્નની જેમ માનતો પોતાનાં નગરમાં ગયો. રાજકાર્ય નિવેદન કરી ઘેર આવી સર્વ વાત કરી, ત્યારે પત્નીએ કહ્યું તે તો યક્ષ હતો. તમારા રક્ષણ માટે હું તમે ગયા ત્યારથી દરરોજ યક્ષની આરાધના કરું છું. ઈન્દ્રદત્ત - તે યક્ષ ક્યાં છે ? ગુણવંતીએ દેવલુકમાં રહેલ યક્ષ (પ્રતિમા) દેખાડી. પતિએ કહ્યું જો એકનો આટલો પ્રભાવ હોય તો “સર્વ દેવોની પ્રતિમા દેવાલયમાં બેસાડી આરાધના કર!” ત્યારે ઝાડ વિગેરેના નીચેથી સર્વ દેવોની પ્રતિમા લાવીને દેવાલયમાં સ્થાપી. દ૨૨ોજ આરાધવા લાગી. એકવાર ફરી વર્ષાકાળ આવ્યો. તમાળના પાંદડા સરખા કાળા વાદળાના વલયથી આકાશતલ અંધાર્યું. યમની જીભ સરખી વીજ ચમકવા લાગી. તે સમયે ફ૨ી ૨ાજકાર્ય માટે રાજા દ્વારા પ્રેરણા કરાયો ત્યારે પૂર્વે ભય જોયેલો હોવાથી તેણે સવિશેષ પૂજા સત્કારાદિથી સર્વ દેવોને આરાધવાની પત્નીને ભલામણ કરી. ઈન્દ્રદત્ત કાર્યકરી જેટલામાં પાછો આવે છે, તેટલામાં નદીમાં પૂરથી તણાઈ છ યોજન ગયો. આયુષ્ય શેષ હોવાથી બચી ગયો. ઘેર આવતાં ક્રોધથી ધમધમી પત્નીને કહેવા લાગ્યો, હે પાપિણી ! તે દેવતાઓની પૂજા કરી નહિં હોય, જેથી કોઈએ મારી સહાય ન કરી. તે બોલી ગુસ્સે ના થાઓ. જો મારાં ઉપર વિશ્વાસ ન હોય તો તમે જઈને જુઓ મેં તો સવિશેષ પૂજા કરી છે. તે પ્રમાણે દેખી ક્રોધને વશ બનેલ તે ઈન્દ્રદત્ત ફરશી ઉપાડી પ્રતિમાઓ તોડવા તૈયાર થયો, ત્યારે પૂર્વયક્ષે હાથ પકડ્યો. અને કહ્યું આમ ન કર. પહેલાં મને એકને પૂજતો હોવાથી સ્વઅપવાદનાં (મને પૂજનારની હું સહાય ન કરું તો મારી હલકાઈ દેખાશે એવાં) ભયથી સદા પાસે રહેતો. અત્યારે આ કરશે, પેલો કરશે, એમ અમે સર્વ યક્ષોએ ઉપેક્ષા કરી. ત્યારે તેનાં વચનથી પ્રતિબોધ પામી એકને Page #73 -------------------------------------------------------------------------- ________________ ૬.૨ મૂળશુદ્ધિ ભાગ-૧ છોડી સર્વને પૂર્વના સ્થાને મૂકી આવ્યો. “ઈંદ્રદત્ત કથાપુરી” જેમ અનેક યક્ષની પૂજા = આકાંક્ષા દોષમાટે થઈ તેમ અહીં પણ જાણવું. વિચિકિત્સાકાર - વિચિકિત્સા એટલે અનુષ્ઠાનના ફળમાં અવિશ્વાસરૂપ મનનું ડગુમગુ થવું, એટલે કે આ અનુષ્ઠાથી મને સ્વર્ગ કે મોક્ષ પ્રાપ્ત થશે કે નહિ. વિદ્વત જુગુપ્સા - વિદ્વાન - મુનિ તેઓની નિન્દા કરવી, મુનિઓનાં મલિન ગાત્રાદિ જોઈ ધૃણા - જુગુપ્સા કરવી, બંને સ્વરૂપ માટે એક દ્રષ્ટાંત ગ્રન્થકાર રજૂ કરે છે. (પૃથ્વીસાર અને કીર્તિદેવ) આ જંબુદ્વીપના મહાવિદેહમાં નગરગુણોનું નિવાસ સ્થાન, નિરુપત - (ઉપદ્રવ વગરનું) અને જે જિનેશ્વરનાં વચન જેમ નૈગમ સંગ્રહ વ્યવહારનયથી ભાવિત (યુક્ત) આચારપ્રધાન હોય છે, તેમ આ નગર અનેક રસ્તા, સંગ્રહસ્થાન, અને વ્યાપારથી યુક્ત અને પ્રધાન આકારવાળુ છે. ગગનતલ જેમ સૂર્ય, ચંદ્ર, મંગળ, ગુરુ, બુધ, શુક્રથી વ્યાપ્ત અને ચિત્રા નક્ષત્રથી શોભે છે, તેમ આ નગર શૂરવીર રાજા, મંગલ, પંડિત, ગુરુ, કવિ, હંસ, પોપટ વિ. પક્ષીઓથી ભરપૂર અને ચિત્રોથી સોહામણું છે. વિષ્ણુ જેમ સુદર્શન ચક્રનો આધાર અને લક્ષ્મી(નું) સાથે વાસ કરનારો છે. તેમ આ નગર સમકિતધારીઓનો આધાર અને લક્ષ્મી-સંપત્તિનું નિવાસ સ્થાન છે. શ્રેષ્ઠ પહાડ જેમ સૈકડો વાંસથી યુક્ત અને જંગલી પશુઓથી વ્યાપ્ત હોય, તેમ આ નગર સેંકડો કુલવંશવાળુ અને શ્રાવક કુલવાળું છે. ધનુષ જેમ બાણવાળું અને દોરીવાળું હોય તેમ આ નગર મકાન અને ગુણોથી યુક્ત છે. ઘણું કહેવાથી સર્યું. દેવનગર સમાન આ શ્રેષ્ઠ નગરનું શ્રીપુર નામ છે. તેનું શત્રુરૂપી હાથીનો નાશ કરવામાં વનરાજા - જંગલી સિંહસમાન, ભટ સમૂહથી યુક્ત શત્રુજ્ય નામનો રાજા પાલન કરે છે. જે રાજા જેમ પિતા સંતાનનું પાલન કરવામાં ઉદ્યમી હોય છે, તેમ આ રાજા પ્રજાનું પરિપાલન કરવામાં ઉદ્યમી છે, મહાન ધનુર્ધારી જેમ વાંકો નથી હોતો તેમ સરલ નવયૌવનથી ઉશ્રુંખલ કામુક જેમ પ્રિયાને બોલનારો (/બોલાવનારો) હોય તેમ રાજા પ્રિય બોલનાર છે. ત્રિકૂટ પર્વત જેમ વાંસ વગરનો હોય, તેમ કલંક વગરનો, શંકર જેમ ભભૂતિ રાખવાળો હોય તેમ આ રાજા વિભૂતિ - આબાદીવાળો છે. સૂર્ય જેમ ગો - કિરણોનો સ્વામી છે, તેમ ગો-ઘોડ/હીરાનો આ સ્વામી છે, ઘણુ શું કહેવું - સુવિસુંદર વર્તન કે સારુ ધન જેમ ગુણ સમૂહ ઉત્પાદન કરવામાં સમર્થ હોય તેમ આ નવાનવા ગુણો પેદા કરવાને યોગ્ય-સમર્થ છે, તેને સૌભાગ્યથી ગર્વિષ્ઠ જયશ્રી નામે પ્રિયા છે. - તે જયશ્રી જેમ હંસીની બંને પાંખ એકદમ સ્વચ્છ હોય તેમ તેનો સાસરિયા પક્ષ અને પિયરપક્ષ બંને પવિત્ર છે. બાણની ગતિ સીધી હોય છે, તેમ તે સરલ સ્વભાવવાળી, સૂર્યબિમ્બ જેમ એકદમ ગોળાકાર હોય છે તેમ સુંદર આચરણવાળી, શરદકાળની રાત્રિમાં આકાશ બિસ્કુલ સ્વચ્છ હોય તેમ સ્વચ્છ નખવાળી, કાળી ગાય જેમ ઘણી દૂધાળુ હોય તેમ સુંદર પગ વાળી, શ્રેષ્ઠ સૂત્રધાર = સોમપુરા થી બનાવેલ દેવકુલિકા જેમ સુંદર-મજબૂત પાયાવાળી હોય તેમ સુંદર સુવ્યવસ્થિત જંઘાવાળી છે, પર્વત મેખલા જેમ સુંદર નિતમ્બવાળી હોય, મેખલા = (પર્વતનો ઢળાન ભાગ જેમ ઉંચો અને ઉતરતો ઢોળાવવાળો હોય તેમ) ભારે અને ઢળતા કૂલો (થાપો) વાળી, મોટું વન જેમ ભૂંડવાળું હોય તેમ સુંદર Page #74 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ પૃથ્વીસાર અને કીર્તિદેવકથા ઉદરવાળી, પૈડાનો ગોળાકાર મધ્યભાગ જેમ સુંદર નાભિવાળો હોય તેમ સુંદર ઘૂંટીવાળી, વર્ષાકાળની શોભા સુંદર વાદળાવાળી હોય તેમ સુંદર સ્તનવાળી, કાવડને સારા માણસો વહન કરે છે તેમ સુંદર ભારને વહન કરનારી, પ્રજાપાલક રાજાની સંપત્તિ જે યોગ્ય કર(ટેક્સ)વાળી હોય છે તેમ સુંદર હાથવાળી, રામાયણ કથા જેમ સુગ્રીવવાળી હોય તેમ સુંદર ગળાવાળી, જાતિમંત સારિકા (એના) જેમ સુંદર વચનવાળી હોય તેમ સુંદર મુખાકૃતિવાળી, મહાધનવાળા સાધુ અને વાણિયા જેમ હીન નાસિકાવાળા (આબરુ વગરના) ન હોય તેમ અહીણ = બરાબર યોગ્ય પ્રમાણની નાસિકાવાળી, રવિપુરુષ જેમ સુંદરનેત્રવાળો હોય તેમ સારા નામવાળી શ્રાવિકા જેમ સારું શ્રવણ કરનારી હોય તેમ સુંદર કર્ણવાળી, જેમ સુશિષ્યો આદેશ વચનને સાક્ષાત ગુરુ માનનારા હોય તેમ સુંદર શીર્ષવાળી, બાળા જેમ ઘણી મુગ્ધ હોય તેમ સુંદર માથાવાળી. જન્માંતરમાં ઉપાર્જિત વિષયસુખને અનુભવનારા રાજા - રાણીનો કાળ પસાર થઈ રહ્યો છે. તેને એક સાથે પુત્ર યુગલને જન્મ આપ્યો. પૃથ્વીસાર અને કીર્તિદેવ નામ પાડ્યા. રાજા રાણી શ્રાવક શ્રાવિકા હતા. તેથી તેઓ પુત્રને જિનપ્રતિમા અને ગુરુના પગે નમાવે છે. પણ પડતા નથી. અને જબરજસ્તીથી પગે પડાવીએ તો રડવા લાગે છે. તેઓ આઠ વર્ષના થયા ત્યારે બોત્તેર કલા શીખ્યા, છતાં ધર્મમાં જરા પણ પ્રયત્ન કરતા નથી. હે વત્સ ! ત્રણે કાળ ચૈત્યવંદન કરો, સાધુઓની સેવા કરો, એમ પિતા પ્રેરણા કરવા છતાં કાંઈ પણ સ્વીકારતા નથી. એમ કરતાં યુવાન બન્યા. ત્યાં પૂર્વ કર્મોદયથી કીર્તિવર્મનું શરીર એકદમ કુશ-નબળુ પડી ગયું, કે જે તણખલું પણ દૂર કરી ન શકે. અને મહાવેદનાથી ઘેરાયો. વૈદ્યોના પ્રયત્ન નિષ્ફળ નીવડ્યા. મંત્ર તંત્ર પણ ઉખર ભૂમિમાં વાવેલ બીજની જેમ નકામા થયા. ત્યારે બાપે-રાજાએ કહ્યું કે વત્સ ! તારો રોગ વિષમ લાગે છે. પુરુષાર્થથી સાધ્ય નથી. તેથી જિનાલયોમાં મહાપૂજા કરાવ, સાધુઓને વહોરાવ, દીન, અનાથાદિને મહાદાન આપ, સમક્તિપૂર્વક અણુવ્રતોને સ્વીકાર, યથાશક્તિ તપ કર, ભાવનાઓ ભાવ ઈત્યાદિ જિનભાષિત અનુષ્ઠાન આચરવા કહ્યું, પણ તે સ્વીકારતો નથી. ત્યારે રાજા વિચારવા લાગ્યો, અહો ! ભારે કર્મનું કેવું માહાસ્ય છે, કે જેથી આપત્તિ સમયે પ્રેરણા કરવા છતા તેઓ ધર્મમાં પ્રવૃત્ત થતાં નથી. આ અરસામાં કલ્યાણદેવ ઉદ્યાનપાલકે જણાવ્યું કે હાથમાં રહેલ કુવલય ફળની જેમ સંપૂર્ણ ત્રણે લોકનાં સમસ્ત પદાર્થ સમૂહનાં વિસ્તાર અને પરમાર્થને જાણનારાં, અનેક સાધુઓથી પરિવરેલા, દેવદાનવ નરવંદથી વંદિત ચરણકમળવાળા “સંયમસિંહસૂરિ' નામે કેવલી ભગવંત આજે ઉદ્યાનમાં પધાર્યા છે. તે સાંભળી તરત જ કદંબપુષ્પની જેમ રોમાંચિત અંગવાળા રાજાએ “સર્વસામગ્રી તૈયાર કરો” એમ આદેશ કર્યો, સંપાડિઓ - દરબારીઓએ રાજાના આદેશને સંપાદિત કર્યો. તે બધુ કર્યું. અને રાજા વંદન માટે ગયો. ત્રણ પ્રદક્ષિણા પૂર્વક વંદન કરીને શુદ્ધભૂમિ ઉપર બેઠો. કેવલી ભગવંતે ધર્મરસનું પાન કરાવવાનું શરૂ કર્યું. ધર્મ સુખરૂપી વૃક્ષનું મૂળ છે. દુઃખરૂપી પર્વતને દળવામાં ધર્મ વજસમાન છે. યથાચિંતિત અર્થ સંપાદન કરી આપવા ધર્મ ચિંતામણી રત્નતુલ્ય Page #75 -------------------------------------------------------------------------- ________________ ૬૪ મૂળશુદ્ધિ ભાગ-૧ છે. ધર્મ સ્વામીઓનો પણ પરમ સ્વામી છે. બંધુઓનો પરમબંધુ છે. મિત્રોનો પરમમિત્ર છે. ધર્મ યુદ્ધમાં વિજય આપનાર છે. દેવલોક ઉપર (માં) ચડવા માટે પગથિયા રૂપે છે. મોક્ષમાર્ગના વટેમાર્ગુ માટે ધર્મ શ્રેષ્ઠ ૨થ સમાન છે. જો ભવ ભ્રમણની પરંપરાથી જન્ય દુઃખથી નિર્વેદ (ઉદ્વેગ) પામ્યા હો તો જિનપ્રણીત ઉદાર ધર્મનો સ્વીકાર કરો. પછી કથાંતર-વિષય બદલાતો જાણી રાજાએ પુત્ર સંબંધી કારણ પૂછ્યું. હે ભગવંત ! અનેક રીતે સમજાવવા છતાં મારા પુત્રો ધર્મને કેમ નથી સ્વીકારતાં ? અને કીર્તિવર્ષને રોગ કેમ થયો ! ત્યારે કેવલીભગવંતે કહ્યું – એમાં કારણ છે, પરંતુ તું કુમારોને મારી પાસે લાવ, કે જેથી બધી વાત વિસ્તાર પૂર્વક કહું. ત્યારે બીજા દિવસે મા બાપે આગ્રહ કરી બંનેને ગુરુ પાસે લાવ્યા. ત્યારે ભગવાને પુનઃ ધર્મદેશના આપી આ સંસારરૂપ જંગલમાં રખડતા પ્રાણિઓને બોધિ પ્રાપ્તિ ઘણી જ દુર્લભ છે. ક્યારેક જીવ કર્મવિવર દ્વારા તેને પ્રાપ્ત કરીને પણ અજ્ઞાન અને મોહથી મૂઢાત્મા વિરાધી દે છે. અને શંકાદિના કારણે દુઃખરૂપી પહાડને ભેદનાર એવા સમકિતને ફરીથી પામી શક્તા નથી. અને તેથી શારીરિક અને માનસિક દુઃખોને મેળવે છે. તે તીક્ષ્ણ ભયંકર દુઃખોને કોઈ ઉપમા આપી શકાય એમ નથી. તે વિશે એક કથા કહું છું તે ધ્યાનથી સાંભળો. કે જેથી તમને વિશ્વાસ બેસશે. આ જંબુદ્વીપનાં સલિલાવતી વિજયમાં તિલકપુર નગર છે. ત્યાં સૂરપ્રભ રાજા છે. તેને ચંદ્રશ્રી નામે રાણી છે. તે નગરમાં નાગશ્રેષ્ઠી રહે છે. તેને નાગશ્રી નામે ભાર્યા છે. સર્વ ઈન્દ્રિયોને આનંદ દાયક, મનોહર પાંચ પ્રકારનાં વિષયસુખને અનુભવતાં તે બેઓનો સમય પસાર થઈ રહ્યો છે. એક વખત નાગશ્રીએ પ્રધાન સ્વપ્નથી સૂચિત પુત્ર યુગલને જન્મ આપ્યો. પ્રિયંકરા દાસીએ વધામણી આપી. શેઠે તેને ઈનામ આપી વધામણાં મહોત્સવ કર્યો. બાર દિવસ થતાં વીરચંદ્ર અને શૂરચંદ્ર નામ પાડ્યા. પાંચ ધાવમાતાથી પાલન પોષણ પામેલાં તે બંને ય આઠ વરસના થયાં. કલા શિક્ષણ ગ્રહણ કર્યું. અને યૌવનવનના મુસાફર બન્યા. તેના ફળનો સ્વાદ માણવા પોતાનાં અનુરૂપ કન્યાઓ સાથે લગ્નગ્રંથીથી જોડાણા અને તેઓની સાથે સુખમાં કાલ પસાર કરવાં લાગ્યા. એક વખત પિતા સાથે મહેલ જોવાં ઉપર ચઢ્યાં. નગરની શોભાને જોતાં જોતાં પૂજાનાં ઉપકરણ લઈ લોકોને જતાં જોઈ એક પુરુષને કારણે પૂછ્યું. તેણે કહ્યું કે અતિશયજ્ઞાની પધાર્યા છે. તેનાં વંદન માટે બધા લોકો જાય છે. તે સાંભળી તેઓનાં આદેશાનુસાર નિયુક્ત પુરુષોએ સર્વસામગ્રી તૈયાર કરી અને રથમાં બેસી તેઓ પણ મહાવિભુતિ સાથે ઉદ્યાનમાં ગયા. ત્યાં મૂર્તિમાન્ ધર્મસમા, ચારજ્ઞાનનાં અતિશય યુક્ત, જેનાં ચરણોને અનેક જન ચૂમી રહ્યા છે, વિશુદ્ધ ધર્મદેશના આપતા એવાં મુનિચંદ્રસૂરિને જોયાં. વંદન કરીને ઉચિત સ્થાને બેઠા. એ અરસામાં ભગવાને કહ્યું કે, ધર્મ, અર્થ, કામ, મોક્ષ એ ચ્યારને પુરુષાર્થ છે, તેમાં મોક્ષ પ્રધાન પુરુષાર્થ છે, તે મોક્ષ પુરુષાર્થ માટે બુદ્ધિશાળીએ સમ્યક્ જ્ઞાન-દર્શન ચારિત્રમાં યત્ન કરવો જોઈએ. અને તેમને બરાબર સમજવા જોઇએ. જિનેશ્વરે ભાખેલ પદાર્થોની શ્રદ્ધા કરવી તે સમકિત, સમજવું તે જ્ઞાન અને કાયાથી આચરવું તે ચારિત્ર છે. કહ્યું છે કે... Page #76 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ (પૃથ્વીસાર-કીર્તિદેવકથા) ૫ ત્રણેકાલ, નવપદ સહિત છ દ્રવ્ય, છ લેશ્યા, છ જીવનિકાય, પાંચ-વ્રત, સમિતિ, ગતિ-જ્ઞાન ચારિત્રનાં ભેદો, અને પાંચ બીજા અસ્તિકાય, ત્રિભુવનપતિએ આને મોક્ષનું મૂળ તરીકે ફરમાવ્યું છે. એને જે બુદ્ધિશાળી જાણે, શ્રદ્ધા કરે, અને આચરણ કરે તે શુદ્ધ દ્રષ્ટિવાળો જાણવો. (૪૧) જો મોક્ષસુખની સંપત્તિ ઇચ્છતા હો તો તે ત્રણેમાં યત્ન કરો એવા ગુણવચન સાંભળી પિતા સહિત બંને ભાઈએ શ્રાવક ધર્મ સ્વીકાર્યો. શ્રાવકધર્મમાં ભારે પ્રયત્ન કરતા તેઓ સમય પસાર કરે છે. પણ એક વખત અશુભ કર્મનો ઉદય થવાથી વીરચંદ્રને વિચિકિત્સા જાગી. તે વિચારવા લાગ્યો જિનવંદન, સાધુસેવા, સામાયિક વિગેરે ક્રિયા દ્વારા શરીરને હું કષ્ટ આપું છું. તથા જિનપૂજામાં, મુનિને વહોરાવામાં, દીનાદિને દાનમાં હું ઘણો ખર્ચ કરું છું. અને એ વાત તો ચોક્કસ છે કે અરિહંતની આજ્ઞા પ્રમાણે વર્તનારને સ્વર્ગ, મોક્ષ મળે તો છે. શું મને “આનાથી સ્વર્ગ કે મોક્ષ મળશે કે નહિં અહિં કાંઈ પ્રત્યક્ષ તો દેખાતું નથી.” અને જોઈ શકાતું નથી. એ પ્રમાણે વિચિકિત્સાથી સમય પસાર કરે છે. થોડા કાલ પછી સૂરચંદ્ર તપથી સુકાયેલાં શરીરવાળા, માત્ર નસોવાળા, લોહિ માંસ વગરના, જેમાં સુકા હાડકાનો અવાજ થાય છે. જાણે હાડકાનો માળો હોય એવા શરીરવાળા, સાધુ યુગલને દેખી વિચિકિત્સા જાગી અને વિચારવા લાગ્યો, કે જેમ બીજાને પીડા કરવાની નથી. તેમ આત્માનેય પણ પીડા આપવી યુક્ત નથી. બીજા ઘણાં શુભ - સાધુની સેવા, દાનદયા વિગેરે સરલ મોક્ષસાધક અનુષ્ઠાન છે, તો તપથી આત્માને કષ્ટ આપવાની શી જરૂર ? અન્ય દર્શનીઓએ પણ સુકર અનુષ્ઠાનથી મોક્ષ કહ્યો છે. તો ભગવાને પણ તેમ કહ્યું હોત તો શું બગડી જવાનું હતું ? એમ સમકિત વિરાધી મિથ્યાત્વ આપનાર બોધિ પ્રાપ્તિ ન થાય તેવું કર્મ બાંધી મરીને વ્યંતર થાય છે. શેઠ પણ કાળ કરી સૌધર્મ દેવલોકે ગયો, ત્યાંથી ચ્યવી સોભાંજણી નગરીમાં શ્રીદેવ શેઠની યશોધરા પત્નીની કુક્ષિમાં અવતર્યો. તેનું સિંહ એવું નામ પાડ્યું, કલાકલાપાદિથી પ્રકર્ષને વહન કરતો યૌવનને પામ્યો. સમાનકુલ, શીલ, રૂપ, યૌવન, લાવણ્યવાળી, રૂપિણી કન્યાને પરણ્યો. તેની સાથે દોગુંદક દેવની જેમ સર્વ ઈન્દ્રિયોને આનંદદાયક અને મનોહર વિષયસુખને અનુભવતાં કાળ જઈ રહ્યો છે. એક વખત વર્ષાઋતુની શોભાને દેખવા પ્રસાદ શિખર ઉપર આરુઢ થયો. તેની પાછળ ચઢતી રૂપિણી ઉપર વિજળી પડી અને મરણને શરણ થઇ. હાહારવ થયો. તે દેખી સિંહ વિલાપ કરવા લાગ્યો. હાહા પ્રિયે ! સુરૂપાળી ! અરે મારા હૃદયને આનંદ આપનારી ! સુભગા ! શરદપૂર્ણિમાના ચંદ્રસરખા મુખવાળી ! નીલકમળના પાંદડા સરખા નયનવાળી ! કોમલ ચક્રદાર કાળા, વાંકા, દીર્ઘ, સુસ્નિગ્ધ વાળવાળી ! ગુણનો ભંડાર ! દુઃખી અનાથ એવા મને મૂકીને ક્યાં ગઈ ?’ સ્વજનોએ સર્વ મૃતકૃત્ય સમાપ્ત કર્યું. છતાં સિંહ તો શોકાકુલ જ રહે છે. એટલામાં નભસ્તલથી ચારણ ઋષિ અવતર્યા, સિંહે અભ્યુત્થાન કર્યું અને આસન આપ્યું. ઋષિએ દેશના ના બહાને તેને અનુશાસન (હિતશિક્ષા) આપ્યું. સંસાર અસાર છે કારણ કે અહિં મૃત્યુ સ્વછંદચારી છે. કહ્યું છે કે Page #77 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ સેંકડો વ્યાધિરૂપી બાણ ચડાવી, જરારૂપી ધનુષ હાથમાં લઈને, મનુષ્યરૂપી મૃગયૂથને મારતો, વિધાતારૂપી ઘોડે ચઢી યમ આવી રહ્યો છે. તેને કોઈ રોકી શકતું નથી. દુઃખ (આપત્તિ) પ્રતિકાર કે લાંબાકાળની અનુકૂલ પ્રવૃત્તિને તે ગણકારતો નથી. પણ સ્વછંદ રીતે મૃત્યુ જીવોને હણે છે. જેમ સિંહ મૃગલાઓને હણે તથા ઘણાં રોગરૂપી ફણાંથી શોભિત વ્યસન/આપત્તિ રૂપી વિષવાળી લાંબી દાઢાવાળા યમરૂપી કાળા સાપના બચ્ચાથી ક્યાં ગયેલો (જીવ) છટકી/બચી શકશે. કૃતાંતરૂપી હાથીની સામે યુદ્ધમાં પલાયન (નાશી જવું) કે ભય યોગ્ય નથી, વળી તેની સૂંઢ = તેનો હાથ દેખાતો નથી પણ જોરથી પકડી રાખે છે, કે જેથી છૂટી ન શકાય. જેમ ખેડૂત કાલવડે પરિણત થયે છતે ઘાસને લૂણી નાંખે છે. તેમ કૃતાંત પ્રાણીઓનો નાશ કરે છે. તેથી તું વિષાદ કરીશ મા. મૃત્યની દાઢામાં ફસાયેલાને ઈન્દ્ર પણ છોડાવી શકે એમ નથી. ધર્મમાં ઉદ્યમ કર, જેથી દુ:ખથી ભરપૂર સંસારરૂપી અટવી પાર પામીશ. કેવલજ્ઞાનથી જાણી મને ધર્મઘોષસૂરિએ તને વ્રત આપવા મોકલ્યો છે. તેથી તું વિલંબ ના કર ! મુનિ ભગવંતોએ આચરેલી સર્વદુઃખ રૂપી પર્વતસમૂહને ચૂરવા માટે ઈન્દ્રના અન્ન = (વજ) સમાન આ દીક્ષાને તું ગ્રહણ કર. અને આ સાંભળી ચારિત્રના પરિણામ જાગ્યા અને મા બાપની સમ્મતિ લઈને દીક્ષા ગ્રહણ કરી, ગીતાર્થ થયો. ગુરુએ સ્વપદે સ્થાપ્યો, શુક્લધ્યાનરૂપી અગ્નિથી ઘનઘાતીકર્મ બાળી કેવલજ્ઞાન પેદા કર્યું. વિચરતો તે જ હું અહીં આવ્યો છે. દ આ જ શ્રીપુર નગરમાં વીરચન્દ્ર શૂરચંદ્ર વ્યંતર યોનીથી આવી ઉપન્યા છે. કેવલી ભગવંત જેટલામાં એટલુ બોલે છે તેટલામાં તેમને મૂર્છા આવી અને ભૂમિ ઉપર પડ્યા. શીતોપચારથી સ્વચ્છ થયા. ત્યારે રાજાએ પૂછ્યું કે વત્સ ! આ શું ? કુમારોએ કહ્યું કે અમારા પ્રતિબોધ માટે અમારું જ આ ચરિત્ર ભગવાને કહ્યું છે. જાતિસ્મરણથી અમને સર્વ પ્રત્યક્ષ થયું. અધધ... પરલોક માટે ચિંતવેલ દુષ્કૃતકર્મનો આટલો દારૂણ વિપાક અમારે ભોગવવો પડ્યો. જેની વિચારણા કરતા પણ ત્રાહિમામ્ પોકારી જવાય. અથવા અમારા જેવા પાપિષ્ઠ જીવ બીજો કોઈ નથી. કારણ કે અમે સર્વજ્ઞનાં વચનમાં પણ આવી રીતે વિચિકિત્સા કરી. હવે કીર્તિદેવ કહેવા લાગ્યો હે તાત ! મહામોહથી મુગ્ધ બનેલને વિચિકિત્સાથી આત્માને દુઃખમાં નાંખ્યો. હે તાત ! સંગ, મમત્વ અને ગર્વ વગરનાં ગુણથી સમૃદ્ધ સાધુ મહાત્માઓની વિચિકિત્સાનું આ તો કેટલું ફળ કહેવાય ? કારણ કે વિચિકિત્સાથી ઘણાં ભયંકર અનેક જાતનાં દુ:ખને વેઠતા જીવ સંસારરૂપી વનમાં રખડે છે. અને પૂર્વ આચરિત વિચિકિત્સાનો પશ્ચાતાપ કરવા લાગ્યા. તેથી અત્યારે આપને જે મનગમતું હોય તેમ અમો કરીશું. રાજાએ કહ્યું કે પુત્રો ! તમે ધર્મ સ્વીકારો એ જ અમને ઈષ્ટ છે. ત્યારે વંદન કરી વિનંતી કરવા લાગ્યા. હે ભગવંત, ! અત્યારે અમારે જે કરવા યોગ્ય છે તેનો આદેશ કરો. કેવલી ભગવંતે પણ તેઓને શ્રાવક ધર્મને યોગ્ય જાણી તેનો ઉપદેશ તે બંનેને આપ્યો. અને તેઓએ ભાવપૂર્વક શ્રાવક ધર્મ સ્વીકાર્યો. તે વખતે લલાટે અંજલિ કરી શત્રુંજ્ય રાજાએ વિનંતી કરી કે હે ભગવંત ! જેટલામાં હું કુમારને રાજ્યે સ્થાપું તેટલામાં આપનાં ચરણકમળમાં સર્વ સંગને ત્યજી હાથીના કાન સરખા મનુષ્ય અવતારને સફળ કરું. ભગવાને કહ્યું - હે દેવાનુપ્રિયે ! વિલંબ કરીશ મા ! ત્યારે ઈચ્છું કહી રાજા ઘેર ગયો. Page #78 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ પૃથ્વી સાર-કીર્તિદેવ કથા ને ઘેર આવી મંત્રી સામતાદિને પૂછી તેમનાં મત પ્રમાણે પૃથ્વી સારનો રાજ્યાભિષેક કર્યો. ભગવાનના પ્રભાવથી અને ધર્મના સામર્થ્યથી રોગ રહિત થયેલા કીર્તિદેવને યુવરાજ પદવી આપી. અને સર્વ રાજય સુવ્યવસ્થિત કરી ઠાઠમાઠથી રાજાએ દીક્ષા સ્વીકારી. નિરતિચાર ચારિત્ર પાળી અંતકૃત કેવળી થઈ સર્વ દુઃખ વગરનાં મોક્ષને પામ્યા. તે બંને પણ પ્રચંડ આજ્ઞા/શાસનવાળા મહારાજા બન્યા. અને ત્રણે વર્ગનું સંપાદન કરવામાં તત્પર રાજય સુખને અનુભવતાં તેઓનો સમય વીતવા લાગ્યો. કેટલો કાળ જતાં બંને છેલ્લા પહોરે સારી રીતે ધર્મધ્યાનમાં પ્રવર્તવા રૂપ સુદક્ષનાગરિકોને કરતા એ પ્રમાણે વિચારવા લાગ્યા કે જન્માંતરમાં કરેલી વિચિકિત્સાનાં કર્મ વિપાકને જોઈને પણ હા! અનેક આપત્તિને કરનાર, દુર્ગતિમાં જવા સારુ તૈયાર માર્ગ, કલેશ-કંકાસનું ઘર, પ્રમાદનો પરમમિત્ર, અશુભ અધ્યવસાયનું કારણ એવાં અત્યારે આપણે કેવી રીતે રાજ્યમાં આસક્ત થઈને પડ્યા છીએ. હવે તો ભગવાન પાસે દીક્ષા લઈ લઈએ. અને સંયમમાં ઉદ્યમ કરીએ. ત્યાં તો જેઓનો સમય પાકી ગયો છે, એમ જાણી સંયમસિંહસૂરિ પધાર્યા. તેઓશ્રીની જાણ માટે ગોઠવેલ માણસો પાસેથી તેઓશ્રીનું આગમન સાંભળી હરખઘેલા બની ભગવાનને વાંદવા ગયા, ભાવપૂર્વક વાંદીને તેઓશ્રીની પાસે બેઠા, અને ધર્મ સાંભળ્યો, ત્યારે ગુરુને પોતાના અભિપ્રાયનું નિવેદન કરી નગરમાં ગયા પુત્રને રાજ્ય સ્થાપી પ્રધાન પુરુષો જેમની પાછળ પાછળ ચાલી રહ્યા છે, એવા તે બંને (પૃથ્વી સાર - કિર્તીસાર) ગુરુ પાસે દીક્ષા ગ્રહણ કરી સંવેગાદિના અતિશયથી તપસંયમમાં ઉદ્યમ કરી જીવનપર્યત નિરતિચાર ચારિત્ર પાળી મૃત્યુ સમયે મરણ પામી સર્વાર્થસિદ્ધ વિમાનમાં ગયા. ત્યાંથી આવી તેજ વિજયમાં રાજપુરનગરમાં રાજપુત્રો થઈ મોક્ષે જશે. (ઈતિ પૃથ્વીસાર કીર્તિદેવકથા સમાપ્ત) એ પ્રમાણે વિચિકિત્સા સમકિતને દૂષિત કરે છે, અને અનર્થનું કારણ હોવાથી ત્યજવી જોઈએ. - હવે “ચતુર્થદૂષણ કુતીર્થકોની પ્રકટ પ્રશંસા કરવી સૌગત વિગેરેની ઘણાં જનોની સમક્ષ સ્તુતિ કરવાથી અન્યજનોનું મિથ્યાત્વ સ્થિર થવાથી મહાદોષ થાય છે. એ અર્થને જણાવા માટે પ્રકટ વિશેષણ મૂક્યુ છે. ગુપ્ત રીતે પ્રશંસા કરતા (માત્ર) પોતાનું સમકિત દૂષિત બને છે. નિશીથમાં પણ કહ્યું છે કે .... (પ્રશંસા - સ્તુતિ = તેમના ગુણો ગાવા) અનાદિકાળનાં સ્વભાવથી બીજી રીતે પણ આત્માનું મિથ્યાત્વ વધે છે. તો પછી અવિરત અજ્ઞાનીઓ મળે જ સાધુ મિથ્યાદર્શનની પ્રશંસા કરે છે, તેનું શું થશે? અહિ વિપરીત રૂપે સુલસાનું દ્રષ્ટાંત જાણવું. જેમ સુલસાએ કુતીર્થકોની પ્રશંસા ન કરી તેમ બીજાઓએ ન કરવી જોઈએ. તે દ્રષ્ટાંત ભૂષણ દ્વારમાં કહેવાઈ ગયું છે. પાંચમું દૂષણ વારંવાર કુતીર્થીકોનો પરિચય કરવો, તે ક્યારેક રાજા વિ.ના આગ્રહથી સેવા પરિચય કરવો પડે તો દૂષણ રૂપ નથી. તે જણાવા સારુ “અભિખણંપદ કહ્યું આ સતત પરિચય પણ મહાઅનર્થ નો હેતુ હોવાથી તેનું વર્જન કરવું. અહિં જિનદાસનું કથાનક કહે છે. Page #79 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ ( જિનદાસ કથા ) આ જંબુદ્વીપના ભરતક્ષેત્રના મધ્યખંડમાં જેમાં ગામ, ગાયનો વાડો વ્યવસ્થિત ગોઠવાયેલા છે, સાગરકાંઠે રહેલ, જેમાંથી ઘણાંજ દુષ્ટ, ધૃષ્ટ, શત્રુ રાજય તરફનો કષ્ટભય, અને આકુલતા નાશ પામી ગઈ છે. અર્થ - ધનને પ્રાપ્ત કરેલ વિશિષ્ટ લોકોનો જ્યાં વાસ છે. એવો રાષ્ટ્રોમાં સોહામણો સૌરાષ્ટ્ર નામે દેશ છે. ત્યાં મહાનરેન્દ્રની જેમ ઘણાં ના શરણભૂત, શૂરપુરુષો ના શત્રુકુલ જેમ ઘણી વિધવાવાળું હોય, (પક્ષ) ઘણાં વૈભવવાળું, જેમ ચિત્ર ઘણાં વર્ણવાળું હોય તેમ ઘણી (જાતિ) વાળું, દરિદ્રકુલની જેમ ઘણી પ્રજાવાળુ, સમુદ્ર જેમ ઘણાં પાણીવાળું હોય તેમ ઘણાં વણિફવાળું, ગંધર્વ જેમ ઘણાં સ્વરવાળો હોય તેમ ઘણાં સરોવરવાળું, કુનરેન્દ્ર જેમ ઘણાં ભાંડ - કજીયાવાળા હોય તેમ ઘણાં ભાંડ - વસપાત્રવાળું, પ્રલયકાળનો સમય જેમ ઘણાં સૂર્યવાળો હોય (પ) ઘણાં શૂરવીરવાળું, ગિરનારની તળેટીમાં ગિરિનગર નામે નગર છે. ત્યાં નવતત્ત્વને જાણનારો, સુપાત્ર અને દીનાદિને દાન આપવા માટે ધન ખર્ચનાર, ભાવના શાસ્ત્રથી ભાવિત, શ્રાવક ક્રિયાને સારી રીતે કરનાર. - કુશ્રુતિ = ખબારશ્રુતિવાળા, કુદર્શનીઓનાં કામશાસ્ત્ર, મનુસ્મૃતિ વિ. હિંસોપદેશક શાસથી દૂર રહેનાર, અણુવ્રત અને શિક્ષાવ્રતાદિના નિયમવાળો, શિષ્ટાચારને પાળનારો, સંસાર સ્વરૂપને જાણનાર, વસ્ત્ર જેમ દોરાવાળા હોય તેમ (પક્ષ) ગુણનો આવાસ, અથવા પ્રમાદ શત્રુને હંમેશને માટે દુર રાખનાર, (પ્રમાદ શત્રુથી હંમેશને માટે દૂર રહેનાર) જિનાજ્ઞામાં જ વસનારો, નિયાણું અને આશંસા વગરનો, મિથ્યાત્વનો જેણે નાશ કરી દીધો છે. સિદ્ધાં સાંભળવાથી જાગેલા ઉલ્લાસવાળો, દુઃખી પ્રાણીઓને આશ્વાસન આપનાર, બાવ્રતધારી, દાનવીર, દયાળુ જિનદાસ નામે શ્રાવક છે. તેણે એક વખત દુષ્કાળ ના કારણે નિર્વાહ ન થતાં સાર્થ જોડે ઉજૈની ભણી પ્રયાણ કર્યું, પ્રમાદ યોગે સાર્થથી વિખૂટો પડ્યો. ભાથું પણ સાથે સાથે જતું રહ્યું. અન્ય કોઈ સાર્થ ન મળતા બૌદ્ધ ભિક્ષુનાં સાર્થમાં ભળ્યો. ભિક્ષુઓએ કહ્યું કે જો અમારી ભાથાની પોટલી ઉપાડીશ તો તને ભોજન આપશું. ત્યારે કાંતારવૃત્તિ રૂપ અપવાદ વિચારી તેમ કરવા લાગ્યો. અને તેઓ સ્નિગ્ધ લાડુ વિગેરે ભોજન તેને આપે છે. કારણ તેઓ આવું સ્નિગ્ધ ભોજન જમે છે. તેઓ માને છે કે... “કોમલ શવ્યા હોય, સવારે ઉઠતી વખતે સરસ પેય હોય, બપોરે ભોજન, સાંજે દૂધ, મધ્યરાત્રિએ દ્રાક્ષાખંડ અને શર્કરા ખાય, તે અન્ને મોક્ષે જાય.” એમ શાક્યસિહે જોયું છે. તથા મનોજ્ઞ ભોજન જમી મનોહર ઘરમાં સુંદર આસન ઉપર મુનિ શુભધ્યાન ધરે છે. તેને સ્નિગ્ધ ભોજનથી વિપૂચિકા | કોલેરા થઈ, ભારે વેદના થવા લાગી. જંગલમાં વેદના દૂર કરી શકાય તેવા પ્રકારનો પ્રતિકારનો અભાવ હોવાથી ઘણોજ પીડાય છે. પદ્માસન લગાડી બોલવા લાગ્યો – શ્રી અરિહંતોને નમસ્કાર હો, શ્રી સિદ્ધોને નમસ્કાર હો, શ્રી ગણધરોને નમસ્કાર હો, શ્રી ઉપાધ્યાયને નમસ્કાર હો, શ્રી સર્વ સાધુઓને નમસ્કાર હો, અરિહંત, સિદ્ધ સાધુ અને કેવલીએ ભાખેલો ધર્મ, આ ચારે પણ મારે મંગલરૂપે થાઓ. આ ચાર જ ત્રણભુવનમાં ઉત્તમ છે. એઓનું જ હું Page #80 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ જિનદાસ કથા ત્રિવિધ શરણ સ્વીકારું છું. હિંસા, જૂઠ, ચોરી, મૈથુન, પરિગ્રહ તથા કાયા ને ત્રિવિધ વોસિરાવું છું ત્યારે અંત સમય જાણી ચાર શરણ સ્વીકારી, ચાર આહારનો ત્યાગ કરી શુભધ્યાનથી દુર્ગધિદેહને છોડી કાળ કરી સૌધર્મ દેવલોકમાં ઉપન્યો, અતિશય દેદીપ્યમાન વિમાનમાં અંતર્મુહૂર્તમાં તો સુંદર રૂપવાળો થયેલો શધ્યાથી ઉઠી દિવ્ય દેવવૃદ્ધિ જોવા લાગ્યો, ત્યારે સેવકોના જય શબ્દ સાંભળી વિચારવા લાગ્યો કે મેં પૂર્વભવમાં શું કર્યું જેથી આવી ઋદ્ધિ પ્રાપ્ત કરી. તેને ઉપયોગ મૂકી જોયું તો કરુણાથી ભિક્ષુએ નિજ આચાર કરી રક્તવસ્ત્રવડે ઢાંકી તેનું શરીર પરઠવેલું જોયું, તે દેખી અવ્યક્ત જ્ઞાનનાં કારણે વિચારવા લાગ્યો કે હું પૂર્વભવમાં ભિક્ષુ હતો. માટે આ બૌદ્ધ દર્શન મહાપ્રભાવવાળું છે. જેનાં પ્રભાવે હું આવી ઋદ્ધિવાળો થયો. તેથી આ ભિક્ષુઓની ભક્તિ કરું. એમ વિચારી ત્યાં આવી બુદ્ધ વિહારમાં રહેલાં ભિક્ષુઓને મનોહર ભોજન અલંકૃત હાથથી રોજ દેવા લાગ્યો, તેથી બૌદ્ધ શાસનની પ્રભાવનાં થવા લાગી. શ્રાવકપણ મોહ પામવા લાગ્યા. આ આંતરામાં વિચરતા વિચરતા ધર્મઘોષસૂરિ' ત્યાં પધાર્યા, શ્રાવકોએ વંદન કરી સર્વ હકીકત કહી અને વિનંતી કરી – આપના જેવા નાથ હોવા છતાં જિનશાસનની આવી હલકાઈ થાય તો પછી અત્યારે અમે કોની આગળ જઈ પોકાર કરીએ. તેથી હે ભગવંત ! એવું કરો કે જેથી જિનશાસનનો જયજયકાર થાય. આપને છોડી બીજું કોઈ આ કાર્ય કરવા સમર્થ નથી. ત્યારે શ્રુત ઉપયોગથી તેનું સ્વરૂપ જાણી એક સાધુ સંઘાટક ભિક્ષુ પાસે મોકલ્યું. અને કહ્યું કે તે હાથ વડે તમને ભક્ત અપાવે ત્યારે તમે હાથ પકડી નવકાર ભણજો. અને કહેજો “બુઝ ગુજ્જગા મા મુઝ” બોધ પામ, મુગ્ધ ન થા, ઈચ્છે કહી બે સાધુ બુદ્ધ વિહારમાં ગયા. તે દેખી ઋદ્ધિ ગારવથી સામે જઈ બૌદ્ધ ભિક્ષુઓ કહેવા લાગ્યા “આવો તમને પણ દેવ નિર્મિત આહાર અપાવું” સાધુએ પણ ત્યાં જઈ સૂરિ કથિત કર્યું, તે સાંભળી પેલા દેવે અવધિજ્ઞાનનો ઉપયોગ મૂક્યો, ત્યારે સાચું સ્વરૂપ જાણ્યું, ત્યારે “મિચ્છામિ દુક્કડમ્” આપી નિજ સ્વરૂપે પ્રગટ થઈ સાધુને વાંદીને કહ્યું કે હું અનુશાસન ઈચ્છું છું અને અટ્ટહાસને મુકી ગુરુ સમીપે ગયો. અને મુકુટથી શોભી રહેલાં મસ્તકવાળો. મણિકુંડલ યુગલથી ચમકતા ગાલવાળો, હાર, અર્થહાર, ત્રણસેરા હારથી લટકતા હાર – કંઠીથી ઢંકાયેલ છાતીવાળો, ઉત્તમ કડા | વલય અને ભુજારક્ષકથી-બાજુબંધથી ભૂષિત કોમલ તેમજ ચંચલ ભુજાયુગલવાળો, સોનાની મુદ્રિકાની પ્રભાથી પીળી થયેલ કોમલ આંગળીવાળો, મધુર અવાજ કરનારી ઘૂઘરીથી યુક્ત તેમજ ધૂળ વગરનાં દેવદુષ્યને ધારનારો તે દેવ ભૂમિએ મસ્તક લગાડી સૂરીશ્વરના ચરણમાં પ્રણામ કરી કરકમલની કર્ણિકાના મુગુટને મસ્તકે લગાડી કહેવા લાગ્યો. આજે આપે મિથ્યાત્વથી મુગ્ધ એવા મને દુઃખથી ભરપૂર પાર વગરનાં ભવસમુદ્રમાં ડુબતા બચાવ્યો, અન્યથા નિયામાં ડૂબી જાત, એમ કહી અને જિનમંદિરમાં જઈ પ્રભુને નમસ્કાર કર્યા. અને જિનશાસન મહિમા કરી ભક્તિપૂર્ણ અંગવાળો, હાથ ઉછાળતો નાચવા લાગ્યો અને લોકો સમક્ષ કહ્યું કે ભવથી કરવામાં આ જિનધર્મ જ સમર્થ છે અને શિવવૃક્ષનું સફળ બી છે. તેથી તે લોકો ! અહિં જ જાત્રા પૂજા કરો, અથવા ઘણું કહેવાથી શું? Page #81 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ ત્યારે ઘણાં લોકોએ જિનધર્મ સ્વીકાર્યો. એ પ્રમાણે જિનશાસનનો જયજયકાર કરી તે દેવ ઉછળીને આકાશ માર્ગે દેવલોકમાં ગયો. (જિનદાસકથા સમાપ્ત). માટે પ્રથમથી પાખંડીઓનો પરિચય ન કરવો. એ પ્રમાણે દૂષણદ્વાર પુરું થયું. lલા લિંગ દ્વારા જણાવવા ગાથા કહે છે. सुहावहा कम्मखएण खंती, संवेग णिव्वेय तहाऽणुकंपा । अत्थित्तभावेण समं जिणिंदा, सम्मत्तलिंगाइमुदाहरंति ॥१०॥ ગાથાર્થ કર્મક્ષય કરી સુખને આપનારી ક્ષાન્તિ તે સમકિતનું લિંગ છે. તેમજ “સંવેગ નિર્વેદ અનુકમ્પા અને આસ્તિક્ય ને જિનેશ્વરે સમકિતના લિંગ હ્યાં છે.” સમ્યગ્બોહનીયના દળીયાનું વેદન કરતા આત્માનો એવો ક્ષમારાખવાનો સ્વભાવ બની જાય તેવા સ્વભાવથી કર્મના અશુભ વિપાકને જાણી અપરાધી ઉપર ક્યારે ક્રોધ ન કરવો તે ઉપશમ કહેવાય. કષાયના કારણે બંધાયેલ કર્મોનો એવો અશુભ વિપાક છે કે અન્તર્મુહર્ત માત્ર કષાય કરવાથી કોડાકોડી સાગરોપમ સુધી દુ:ખ ભોગવવું પડે, એમ જાણીને, સર્વ ગુણોનો આધાર હોવાથી ક્ષમાને સુખાવહ કહી છે. કહ્યું છે કે... ક્ષાન્તિ જ મહાદાન છે. ક્ષત્તિ મહાતપ છે. ક્ષાન્તિ મહાજ્ઞાન છે. ક્ષમા મહાન દમ છે. ક્ષત્તિ મહાશીલ છે. ક્ષમા એ જ મહાન ઉત્તમકુલ છે. ક્ષમા જ મોટી શક્તિ છે. ક્ષમા જ મોટું પરાક્રમ છે. ક્ષમાજ સંતોષ છે. ક્ષમા જ ઈન્દ્રિયોનો નિગ્રહ છે. ક્ષમાજ પવિત્રતા (શૌચ) છે, ક્ષમા મહાન દયા છે. ક્ષમા મહા-શ્રેષ્ઠ = આદરરૂપ છે. ક્ષમા પરમ બ્રહ્મ અને મહા સત્ય છે. ક્ષમા એ જ મહાબળ છે, ક્ષમા મહાઐશ્વર્ય અને પૈર્ય છે, ક્ષમા જ મોટી મુક્તિ છે, ક્ષમા સર્વ અર્થને સાધી આપનાર છે. ક્ષમા એ જ વિશ્વવંદ્ય છે, ક્ષમા જગતમાં સર્વશ્રેષ્ઠ છે. ક્ષમા જગતનું હિત કરનાર છે. ક્ષમા કલ્યાણને આપનાર છે. ક્ષમા જગતમાં પૂજ્ય છે. ક્ષમા પરમ મંગલ છે. ક્ષમા જ સર્વ રોગને નાશ કરનાર સુંદર ઔષધ છે. ક્ષમા શત્રુનો નાશ કરનાર ચતુરંગ સૈન્ય સમાન છે. ઘણું કહેવાથી શું ? બધુ ક્ષમામાં જ પ્રતિક્તિ છે. ઈત્યાદિ સર્વ ગુણો ક્ષમામાં રહેલાં છે આ પ્રથમ લિંગ થયુ. ૨. સંવેગ : મોક્ષાભિલાષ, સુરનર ના સુખને દુઃખરૂપે માનતા સંવેગથી મોક્ષને મૂકી અન્ય કાંઈ માંગે નહિ. (ધર્મ. ૮૦૯). ૩. નિર્વેદ સંસાર પ્રત્યે ઉદ્વેગ, કહ્યું છે કે તત્ત્વને જાણતા હોવાથી મમત્વરૂપ વિષ વેગ રહિત હોવા છતાં જેણે સઅનુષ્ઠાન આચર્યા નથી તે આત્મા ચારગતિ રૂપ સંસારમાં દુઃખપૂર્વક વસે છે. (૮૧૦) ૪. અનુકંપા : દુઃખી જીવોની દયા કરવી. કહ્યું છે કે.. . ભયંકર ભવસાગરમાં દુ:ખી પ્રાણીઓને દેખી સ્વ-પરનો ભેદભાવ રાખ્યા વિના દ્રવ્ય અને ભાવથી પણ શક્તિ પ્રમાણે અનુકંપા કરવી. (૮૧૧) ૫. અસ્તિત્વભાવ : એટલે જીવાદિ પદાર્થની વિદ્યમાનતા સ્વીકારે કહ્યું છે કે જે ભગવાને કહ્યું તેણે કાંક્ષા વિશ્રોતસિકા રહિત શુભ પરિણામથી નિશંક પણે સ્વીકારે (૮૧૨) ૧ના હવે શ્રદ્ધાદ્વારનું પ્રતિપાદન કરવા ગાથા કહે છે. Page #82 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ जीवाइवत्थूपरमत्थसंथवो, सुदिटुभावाण जईण सेवणा । दूरेण वावण्ण - कुदिट्ठिवज्जणा, चउव्यिहं सदहणं इमं भवे ॥११॥ ગાથાર્થ : (૧) જીવાદિક પદાર્થને પરમાર્થથી જાણવા. (૨) સારી રીતે પદાર્થને જાણનારા યતિઓની સેવા,(૩) નષ્ટ દૃષ્ટિવાળા, અને (૪) કુત્સિત દ્રષ્ટિવાળાથી દૂર રહેવું. એમ આ ચાર પ્રકારની શ્રદ્ધા હોય છે. જીવે-પ્રાણોને ધારણ કરે તે જીવ-પૃથ્વી વગેરે ૧૦ પ્રકાર છે, આદિથી અજીવ પુણ્ય પાપ વગેરે તત્ત્વો-પદાર્થો છે, તેઓને પરમાર્થથી વસ્તુ જે રૂપે રહેલી છે તે રૂપે જિજ્ઞાસાવૃત્તિથી જાણવા. પરમાર્થથી જીવાદિ વસ્તુતત્ત્વના વિસ્તારને જાણવાવાળો જીવ તે પદાર્થોમાં શ્રદ્ધા કરે, તેને નિશ્ચયથી સમકિત હોય છે. કૌતુકથી મિથ્યાત્વીઓ પણ જીવાદિ પદાર્થોનો પરિચય કરે છે તેનાં નિરાસ માટે “પરમાર્થ વિશેષણ ગ્રહણ કર્યું. આ પ્રથમ શ્રદ્ધા સ્થાન... સુદિઠભાવાણ' - યથાર્થ રીતે પદાર્થને જાણનાર સાધુઓની સેવા કરવી, તેનાથી પણ સમ્યકત્વની શ્રદ્ધા કરાય છે. સમ્યફ રીતે પદાર્થ નહિં જાણનાર યતિનાં નિષેધ માટે “સુદ્રષ્ટિભાવ” વિશેષણ મુક્યું છે. એટલે અગીતાર્થ યતિની સેવાથી સમકિતની શ્રદ્ધા તો થતી જ નથી, ઉલ્ટ તેની દેશના સાંભળવાથી બંનેને અનર્થ જ થાય છે. આનાથી વધારે દુઃખની વાત કઈ હોઈ શકે? ધર્મસ્વભાવને નહિ જાણનાર મૂઢ જે અન્યને કુદેશના વડે કષ્ટતર પાપમાં પાડે છે. (પંચ વ.) ષોડશકગ્રંથમાં કહ્યું છે કે... જે કારણથી પરમ જ્ઞાનીઓએ અન્યસ્થાનમાં દેશના કરવી તેને પાપ કહ્યું છે. કારણ કે આ વિપરીત દેશના શ્રોતાને ઉન્માર્ગે લઈ જાય છે. સંસાર અટવીમાં દારુણ ફળ આપે છે. વળી અગીતાર્થ દેશના યોગ્ય નથી કેમ કે જે સાવદ્ય અને અનવદ્ય વચનોનો ભેદ જાણતો નથી તે બોલવા પણ સમર્થ નથી. તે દેશના કેવી રીતે કરી શકે ? લાખો ભવનું મથન કરનારા, ભવ્યકમળોને વિકસિત કરનારા, જિનભાષિત ધર્મ યોગોદ્ધહન કરેલા સાધુએ જ કહેવો જોઈએ આ બીજું શ્રદ્ધા સ્થાન. સમકિત વમી ગયેલા નિહનવો વિગેરે અને કુત્સિત, સ્વચ્છન્દ પ્રરૂપણાવાળા યથાછન્દ વિ.ને દૂરથી તજવા, તે પણ સમક્તિની શ્રદ્ધા માટે થાય છે. કહ્યું છે કે.. . નષ્ટ દૃષ્ટિવાળાનો સંગ કરવો યોગ્ય નથી. કારણ કે તેમનાં વચનો સાંભળવાથી તેમાં જ દ્રઢ અનુરાગ થાય છે. જેમ નિહનવ વિ. ના શિષ્યો તેમાં જ અનુરાગ કરે છે. તથા - એથી જ તેઓના ઉપાશ્રયમાં ભૂલના વશથી આવેલો સાધુ તેઓની ધર્મકથામાં બળ હોતે છતે વિઘાત કરે = વાદ કરી નિરુત્તર કરે, શક્તિ ન હોય તો કાન બંધ કરી દે. કારણ કે તેઓનાં વચનો કર્ણમાં ધારવાથી સાધુ પણ મિથ્યાત્વ પામી જાય, તો પછી ધર્મ-અધર્મને નહિં જાણનાર નિર્બળ શ્રાવક શું ન પામે. આ ત્રીજી, ચોથી શ્રદ્ધા થઈ. એમ ચાર પ્રકારની શ્રદ્ધા કહી. ૧૫ હવે આગારની વ્યાખ્યા કરતાં કહે છે.... Page #83 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ रायाभियोगो य गणाभियोगो, बलाभियोगो य सुराभियोगो । તારવિજ્ઞી મુખિહો ય, છ કિડિયાઓ બિળસાસમ્મિ ર્ા ગાથાર્થ : રાજાભિયોગ, ગણાભિયોગ, બલાભિયોગ, દેવાભિયોગ, કાંતારવૃત્તિ અને વિડલોનો આગ્રહ આ છ આગાર જિનશાસનમાં દર્શાવેલ છે. ૭૨ રાજાની આજ્ઞાથી અકલ્પ્ય પણ આચરતા સમકિતમાં અતિચાર ન લાગે, કારણ કે આગાર રૂપે હોવાથી તેમ કરવાની છૂટ છે. અહિં તેનાં ઉપર કાર્તિક શેઠનું દ્રષ્ટાંત કહે છે. અભિયોગ એટલે પરવશતા. કાર્તિકશેઠની કથા આ ભરતક્ષેત્રના કુરુક્ષેત્રમાં હસ્તિનાપુર નગર છે. ત્યાં પોતાના પ્રતાપથી જેણે અભિમાની રાજાઓને પરાસ્ત કરી દીધા છે અને સમસ્ત સદ્ગુણરૂપી રત્નનો સાગર એવો જિતશત્રુ નામે રાજા છે. ત્યાં એકહજાર વ્યાપારીઓનો સ્વામી જીવાદિ તત્ત્વને જાણનાર કાર્તિક નામે શેઠ છે. તેને દેવ પણ જિનશાસનથી ચલિત ન કરી શકે એવો તે દ્રઢ સમકિતધારી છે. અને સંવેગથી ભાવિત છે. તેવાજ ગુણવાળો ઋદ્ધિથી કુબેર સમાન બીજો ગંગદત્ત નામે શ્રેષ્ઠી છે. ત્યાં એક વખત કેવલજ્ઞાન ના કિરણ સમૂહથી ધરણિતળને ઉદ્યોદિત કરનારા, ગામ નગરાદિમાં વિચરતાં, શ્રમણસંઘથી પરિવરેલાં, ઈન્દ્ર પણ જેમનાં ચરણ ચૂમી રહ્યાં છે એવા મુનિસુવ્રતસ્વામી હસ્તિનાપુર નગરમાં પધાર્યા. દેવોએ સમવસરણ ૨ચ્યું. પરમાત્મા તેમાં બિરાજમાન થયા. તેટલામાં તો સુરાસુરનર અને પશુ-પંખીઓથી સમવસરણ (છલોછલ) હેકડેઠઠ થઈ ગયું. ભગવાને પણ નૂતન વાદળા સરખા અવાજે ધર્મ દેશના આપી. તે સાંભળી ઘણાં ભવ્યજીવો પ્રતિબોધ પામ્યા. ત્યારે ગંગદત્ત શેઠ પણ ભવસમુદ્રથી ઉદ્વેગ પામ્યો, રોમાંચિત દેહે જિનેશ્વરને વાંદી વિનંતિ કરવા લાગ્યો કે ભગવંત ! જેટલામાં પ્રથમપુત્રને ઘરબાર સોંપું તેટલામાં આપની પાસે મોક્ષ સુખનો અર્થી હું પ્રવ્રજ્યા ગ્રહણ કરીશ. મોડું ના કરીશ .એમ જિનેશ્વરે કહ્યુ છતે ઘેર જઈ પુત્રને પરિવાર સોંપી પાલખીમાં બેસી ઠાઠમાઠથી (બનીઠનીને) પરમાત્મા પાસે જઈ દીક્ષા લઈ પોતાનાં શરીર ઉપર પણ અપેક્ષા વગરનો અને તપ વિશેષ અનુષ્ઠાનથી થાતીકર્મ ખપાવી કેવલજ્ઞાન મેળવી કાયકવચને મૂકી મોક્ષે ચાલ્યો ગયો. । ૧૪ । ત્યાં એકઅનેકજાતના કષ્ટતર તપથી શુષ્ક અંગવાળો, પદ્રિાજક ક્રિયામાં ઉદ્યમશીલ જે શાસ્ત્રમાં નિપુણ છે / શાસ્ત્રમાં દર્શાવેલ તપ વિશેષને કરનાર છે. લોકો તેની પૂજા કરે છે. એવો પદ્વ્રિાજક આવ્યો. અતિશય ગર્વને વહન કરતો તે મહીના - મહીનાના ઉપવાસ કરે છે. તેથી આખુંય નગર તેનું ભક્ત બની ગયું. અને નગરમાં ચાલે ત્યારે લોકો તેનાં આદર માટે ઉભા થાય છે. પરંતુ કાર્તિક શેઠ નિર્મલસમકિતી અને જિનધર્મમાં રક્ત હોવાથી પૂજા આદર વિગેરે કરતો નથી. તે દેખી ઈર્ષ્યારૂપી પવનથી ભડકે બળતાં ક્રોધાગ્નિથી પોતે ઘણો જ દાઝવા લાગ્યો છે. તેનાં ગુણથી રંજિત રાજાએ પગે પડી તેને પોતાનાં મહેલમાં પારણું કરવાનું આમંત્રણ આપ્યું. ઈર્ષ્યાવશથી તેણે કહ્યું જો કાર્તિક શેઠ મને પીરસે તો હું આવું ! ભક્તિવશથી પૂર્ણ ભરેલાં રાજાએ તે પ્રમાણે સ્વીકાર કર્યો. ॥૨૨॥ Page #84 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ રાજા સ્વયં કાર્તિકશેઠના ઘેર જાય છે, ત્યારે અચાનક રાજાને જોઈ અભ્યત્થાનાદિ કરી હાથ જોડી વિનંતી કરવા લાગ્યો... હે સ્વામી ! સેવકને પણ અતિશય સંભ્રમ જગાડનાર એવું શું કારણ (કામ) આવી પડ્યું? આપ જલ્દી આજ્ઞા ફરમાવો. રાજા પણ તેનો હાથ પકડી કહેવા લાગ્યો કે હે સુંદર ! તારા ઘેર આવેલા એવા મારું એક વચન તારે કરવાનું છે. “પારણું કરવા મારે ઘેર આવેલ (પરિવ્રાજક) ભગવાનને તારે જાતે પીરસવાનું છે.” આ વાત કરી ત્યારે શેઠે કહ્યું મારે આ કહ્યું નહિ પણ “તમારા ક્ષેત્રમાં જે વસે તેને તમારો આદેશ કરવો જોઈએ,” એટલે હું આ કરીશ. જયારે શેઠ પીરસવા લાગ્યો ત્યારે પરિવ્રાજક આંગળી નાકે લગાડીને તે શેઠની તર્જના કરવા લાગ્યો. ત્યારે શેઠ મનમાં ઘણો દુભાયો અને શેઠે વિચાર્યું. “ગંગદત્તને ધન્ય છે કે તેણે તે વખતે જ દીક્ષા લઈ લીધી.” ગંગદરની જેમ મેં પણ પહેલાં દીક્ષા લીધી હોત તો આ અન્યદર્શનીઓને પીરસવું વિ. ની વિડંબના ન થાત.” આવા ચિંતાતુર શેઠ પાસેથી જમીને હૃષ્ટ પુષ્ટ, સન્માન પામેલ, પરિવ્રાજક રાજમહેલથી નીકળી ગયો. ૩રા શેઠે પણ ઘેર જઈ મોટા પુત્રને પોતાનાં સ્થાને સ્થાપી વ્યાપારીઓને કહ્યું કે “હું તો દીક્ષા લેવાનો છું. તમે શું કરશો? અમે પણ તમને અનુસરનારા છીએ. અમારે બીજું કોણ આધાર છે?” શેઠ – જો એમ હોય તો પોતપોતાના પુત્રને ઘરબાર સોંપી દીક્ષા લેવા તૈયાર થાઓ. એટલામાં તો ત્યાં મુનિસુવ્રતસ્વામી પધાર્યા. ત્યારે હર્ષથી રોમાંચિત શરીરવાળો હજાર વ્યાપારીને કહેવા લાગ્યો કે ભો ! આપણા પુણ્ય પ્રભાવે આજે આપણાં મનોરથો પૂરા થયા. ત્યારે સર્વસામગ્રી તૈયાર કરી એક હજાર વ્યાપારીઓ સાથે પ્રભુ પાસે દીક્ષા લીધી. ઉદાર તપ કરી અંતે જિનેશ્વરની અનુજ્ઞા લઈ અનશન કરી કાયા છોડી સૌધર્મ દેવલોકે સૌધર્માવલંસક વિમાનમાં બત્રીસલાખ વિમાનનાં સ્વામી સૌધર્મેન્દ્ર તરીકે ઉપન્યો. આવા એકાવતારી હોવાથી ત્યાંથી ચ્યવી મોક્ષે જશે. પરિવ્રાજક પણ મરીને ઇંદ્રના વાહન તરીકે હાથી થયો. અવધિજ્ઞાનથી તેમ જાણીને એમ વિચારવા લાગ્યો આ તો પેલો કાર્તિક શેઠ છે. અરે ! મારે આનું વાહન બનવાનું? એમ વિચારી ઐરાવણે બે રૂપ કર્યા તો ઈન્દ્ર પણ બે રૂપ કર્યા. તે હાથી રૂપ વધારવા લાગ્યો ઈન્દ્ર પણ તેટલા રૂપો વિકુળં. છેલ્લે ઈન્દ્ર વજથી તાડન કર્યું, ત્યારે હાથી ઠેકાણે આવ્યો. (સ્વભાવસ્થ થયો.) આભિયોગિક કર્મના લીધે સીધી રીતે વહન કરવાની શરૂઆત કરી. (ઈતિ કાર્તિક શેઠ કથાનક સમાપ્ત) હવે બીજો આગાર બતાવે છે... ગણાભિયોગ મલ્લાદિનો સમુદાય તેની પરવશતાથી ક્યારેક અકથ્ય આચરતાં સમકિતમાં અતિચાર ન લાગે તેના અંગે રંગાયણમલ્લની કથા કહે છે. (રંગાયણમલ કથા) આ ભરતક્ષેત્રમાં સવિલાસ નામે નગર છે. તેનું શત્રુવગરનો સુરેન્દ્રદત્ત રાજા પાલન કરે છે. તેને દશેદિશાને પ્રકાશિત કરનારી રૂપવતી નામે રાણી છે. તે નગરમાં ઘણાં ઉત્તમ મલ્લો રહે છે. જેઓ Page #85 -------------------------------------------------------------------------- ________________ ७४ મૂળશુદ્ધિ ભાગ-૧ વિજ્ઞાન, જ્ઞાન, બળથી ગર્વિત, આસન કરવામાં દક્ષ, યુદ્ધ નિયુદ્ધમાં પ્રધાન, અનેક રાજ્યમાં જયને વરેલાં છે. તે બધામાં પ્રધાન, ઘણાં રાજાને ખુશ કરનારો રંગાયણ નામે મલ્લ છે. ત્યાં વિચરતાં ધર્મરથસૂરિ પધાર્યા. તેઓશ્રીને વાંદવા રાજા વિ. બધા નગરજનો ગયા. અને મલ્લ (ગામનો મુખિયો) પણ જલ્દી ગયો. સૂરીશ્વરને વાંદી યથાસ્થાને બેઠા. આચાર્યશ્રી પણ જિનેશ્વરે ઉપદેશેલ ધર્મ કહેવા લાગ્યા. મિથ્યાત્વ પાણીથી ભરપૂર, કષાયરૂપી પાતાળ કળશથી અગાધ, કુગ્રહરૂપી જલચરના સમૂહવાળા, મોહરૂપી આવર્તવાળા, મહાભયંકર, અનેક જાતના રોગરૂપી તરંગો જ્યાં ઉછળી રહ્યા છે. આપત્તિરૂપ કલ્લોલ શ્રેણીથી યુક્ત, મદનાગ્નિરૂપ વડવાનલવાળા, એવાં સંસાર સમુદ્રમાં ડુબતા ભવ્ય જીવોનો ઉદ્ધાર (વિસ્તાર) કરવામાં જહાજ સમાન, આ જિનધર્મ છે. તેથી શિવસુખનાં ફળ માટે તેમાં જ મહેનત કરો. તે સાંભળી કેટલાએ પ્રવ્રજયા ગ્રહણ કરી. તેમજ કેટલાક શ્રાવક થયા. રંગાયણ પણ પાંચ અણુવ્રત સ્વીકારી ઘેર ગયો. માલકલ્પપૂર્ણ થતાં સૂરીએ અન્યત્ર વિહાર કર્યો. રાજાએ ચામુંડાની મોટી યાત્રા પ્રારંભી. રાજાએ સર્વ મલ્લોને આવવાની આજ્ઞા કરી. ત્યારે મલ્લોએ રંગાયણને કહ્યું ચાલો તૈયાર થાઓ, આપણે યાત્રાએ જઈએ. તેણે કહ્યું તમે જાઓ મારે નથી આવવું. તેઓ બોલ્યા અમે પણ ન જઈએ. ત્યારે ગણાભિયોગ જાણી ઈચ્છા વિના તેમની સાથે ગયો. અને નૃત્ય કર્યું. તેથી રાજા ઘણો જ ખુશ થયો. અને રંગાયણને કહ્યું તને જે ગમે તે માંગ. જો આમ જ હોય તો તે પૃથ્વીધર ! જાવજજીવ મને અન્યતીર્થે ન લઈ જવો. રાજાએ હા પાડી. ઘેર જઈ બ્લેક રહિત ધર્મનું પાલન કરી અંતે અનશન કરી એકાવતારી પહેલાં દેવલોકે દેવ થયો. “રંગાયણ મલ્લ કથા સમાપ્ત” હવે બળાભિયોગનો આગાર બતાવે છે... બળ એટલે બલાત્કારે કોઈ બલવાન કાંઈક કામ કરાવે તો અતિચાર ન લાગે. તેના વિશે જિનદેવની કથા કહે છે.. ( જિનદેવની કથા) આ ભરતક્ષેત્રમાં શંખવર્ધન નામે ગામ છે. ત્યાં શ્રાવકકુલમાં જન્મેલો જીવાદિ તત્ત્વમાં વિચક્ષણ સામાયિક વિ. અનુષ્ઠાનમાં નિરત, મેરુની જેમ નિશ્ચલ સમક્તિવાળો, જિનદેવ નામે શ્રાવક છે. તે કોઈના પણ આગ્રહથી ધર્મ વિરુદ્ધ આચરણ કરતો નથી. તેણે ક્યારેક બીજા ગામ ભણી પ્રયાણ કર્યું. રસ્તામાં મહામિથ્યાત્વી પોતાનો સાળો મહેશ્વરદત્ત મળ્યો, તેને કહ્યું છે જિનદેવ! ક્યાં જાઓ છો? પુત્રી લેવા વસંતપુર જાઉં છું. જિનદેવે જવાબ વાળ્યો. તો ચાલો હું પણ ત્યાં જ જાઉં છું. બંને સાથે જતાં રસ્તામાં ધર્મ ચર્ચા થઈ. જિનદેવે તેને નિરુત્તર કર્યો. તેથી મહેશ્વરદત્તને માઠું લાગ્યું. આગળ જતા મહાનદીના તટે એક લૌકિક દેવકુલને દેખીને મહેશ્વરે કહ્યું કે આ સ્વયંભૂ મંદિર પરમતીર્થ છે, તેથી ચાલો વંદન કરીએ. જિનદેવે કહ્યું હું તો થાકી ગયો છું. માટે અહિં આરામ કરું છું. ત્યારે તેનો અભિપ્રાય જાણીને આનું વ્રત ભંગાવું. એમધારી મહેશ્વરદત્ત મહાબળથી બાહુથી પકડી ત્યાં લાવ્યો અને Page #86 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ ૭૫ કેડથી ધારી દેવનાં પગમાં પાડ્યો. ત્યારે જિનદેવ વિચારવા લાગ્યો, સંસાર વાસને ધિક્કાર હો. જ્યાં આવી વિડંબના થાય છે. તેથી ઘેર જઈને દીક્ષા લઈશ. પછી વસંતપુર જઈ દીકરીને ઘેર લાવી મોટાપુત્રને ઘરનો ભાર સોંપી દીક્ષા લીધી. નિષ્કલંક સંયમ પાળી, સર્વાર્થસિદ્ધ વિમાનમાં ગયો. ત્યાંથી આવી “ક્ષિતિપ્રતિષ્ઠિત, નગરમાં રાજપુત્ર થઈ મોક્ષે જશે. જિનદેવકથા પૂરી” ઉપનય સર્વ ઠેકાણે જાતે સમજી લેવો. હવે દેવાભિયોગ આગાર બતાવે છે... (કુલપુત્રની કથા) એક ગામમાં એક કુલપુત્ર રહે છે. તે સાધુના સંસર્ગથી શ્રાવક થયો. તેથી પૂર્વપરિચિત દેવતા વિ.ની પૂજા બંધ કરી અને મહાપૂજા કરીને ત્રણે કાળ જિનેશ્વરને વાંદે છે. તેઓના બળિ સ્નાત્ર યાત્રા મહોત્સવ દરરોજ કરે છે. ભરપૂર ભક્તિભાવથી | રાશિથી વિકસિત રોમરાજીવાળો, ખીલેલા મુખકમલવાળો, આનંદ પ્રવાહથી પૂર્ણ પ્રયોજનવાળો, હું ધન્ય છું. હું કૃતપુણ્ય છું. એવી ભાવનાથી સુદેવ, સુગુરુની ભક્તિ કરવા લાગ્યો. તે દેખી એક પૂર્વપરિચિત દેવી કોપાયમાન થઈ અને પૂજોપચાર માંગ્યા. તેણે કહ્યું કે હે કટપૂતના ! હું તારાથી ડરતો નથી. તે સાંભળી દેવી ઘણી રોષે ભરાઈ, અને ગાયો સાથે તેના પુત્રનું અપહરણ કર્યું. તેણે ઘણી શોધખોળ કરી પણ ક્યાંય જોવામાં ન આવ્યો. તેથી તે આકુળ થયો. એ અરસામાં દેવીએ એક ડોશીને ભૂતાવિષ્ટ કરી, કુલપુત્રના) શરીરને ઉછાળ્યું વાળો કંપાવ્યા, હથેળી ઉખેડી નાંખી અને ભૂમિ પીઠ થપથપાવીને કહેવા લાગી. જો હજી પૂજા નહિ કરે તો આનાથી વધારે દુઃખ પામીશ. છતાં તે નિશ્ચલ રહ્યો તેનો નિશ્ચય જાણી દેવીએ પત્તિય ખંડ = પત્નીનો ભોગ | વિશ્વાસનો ભાગ આપવાની વાત કરી. ત્યારે દેવાભિયોગ જાણી તેનો સ્વીકાર કર્યો. અને કહ્યું કે તું જિનપ્રતિમાની નીચે રહીશ તો પૂજા કરતા તેને પણ નાંખીશ. ત્યારે દેવી ગાયો સહિત પુત્રને પાછો લાવી આપે છે. એ પ્રમાણે નિષ્કલંક સમકિત પાળી જીવનનો અંત થતા દેવલોક ગયો. (ઈતિકુલપુત્ર કથાનક સમાપ્ત) - કાંતારવૃત્તિ - લોકોની અવરજવર વગરનાં જંગલ વિગેરેમાં નિર્વાહ કરવા સારુ અકથ્ય આચરતા સમકિતમાં અતિચાર ન લાગે. આના વિષે સુરાષ્ટ્રના શ્રાવક જિનદાસનું દ્રષ્ટાન્ત જાણવું. જે પૂર્વે દૂષણ દ્વારમાં કહેવાઈ ગયું છે. ગુરુ નિગ્રહ ગુરુ-મા બાપ વિ. કહ્યું છે કે માતા - પિતા, લાચાર્ય, એઓના જ્ઞાતિજનો તથા વૃદ્ધો તેમજ ધર્મદાતા સજજનોનાં ગુરુ. કહેવાય. ગુરુ-મા, બાપ વિ. વડિલના નિશ્ચય (આગ્રહ) થી “આ પ્રમાણે કરવું જ પડશે.” આવી મક્કમતાના કારણે અકથ્ય આચરવા છતાં પણ સમ્યગ્દર્શન દૂષિત થતું નથી. તેનાં વિષે દેવાનંદનું Page #87 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ દ્રષ્ટાંત કહે છે. દેવાનંદની કથા આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં વત્સદેશનાં શણગારભૂત કૌશામ્બી નામે નગરી છે, તેમાં મહાધનવાન ધનદત્ત શ્રેષ્ઠિ છે. તેને રૂપાદિ ગુણસમૂહથી સુશોભિત જીવાદિ તત્ત્વને જાણનારી, જિનસાધુના ચરમકમળમાં મધમાખની જેમ રત રહેનારી, દેવકી નામની કન્યા છે. તે ઘર ઉપર દડાથી રમતી હતી ત્યારે પાટલિપુત્રથી આવેલાં ભિક્ષુ ભક્ત શ્રીદત્ત શેઠનાંપુત્ર દેવાનંદે દેખી કામદેવના બાણના પ્રહારથી વ્યાકુલ થતાં મનવાળા એણે ચિંતવ્યું.... અહો ! કેવું જોરદાર રૂપ ! અહો કેવી કલાની કુશલતા ! તેથી આને પરણું. તેથી તેને વરવા પ્રધાન માણસો મોકલ્યા. પણ અન્યધર્મ જાણી પિતાએ ના પાડી. ત્યારે દેવકીના લોભથી તે કપટી શ્રાવક બન્યો. પણ સતત સિદ્ધાંત સાંભળવા વિ. થી સમ્ય રીતે ધર્મ પરિણત થઈ ગયો. મેરુ જેવો ધર્મમાં નિશ્ચલ થયો. ત્યારે પિતાએ દેવકી આપી. • મોટા ઠઠથી લગ્ન થયા, તેને લઈ પોતાના નગરે ગયો, સ્વનગરે જઈ માતપિતા અન્યધર્મી હોવાથી જુદા ઘરે રહેવા લાગ્યા. જિનપૂજા, વંદન, સ્નાન, યાત્રા, બલિકર્મ ઈત્યાદિમાં નિરત, સ્વાધ્યાય. ધ્યાનમાં તત્પર અને સાધુ સાધ્વીની પાત્રમાં ભક્તિથી દાન આપતાં (વહોરાવતાં) પોતાનો કાળ પસાર કરે છે, પણ કુતીર્થિકોને દાન વંદનાદિ કરતાં નથી. ત્યારે ભિક્ષકોએ તેનાં માતાપિતાને પૂછ્યું કે “તમારો પુત્ર પાકો ભક્ત હોવા છતાં અમારી પાસે કેમ આવતો નથી.” ત્યારે માત-પિતાએ સર્વ વૃતાંત કહી સંભળાવ્યો. ભિક્ષુએ કહ્યું તમે કોઈ પણ રીતે એકવાર મારી પાસે લઈ આવો. માતપિતાએ દેવાનંદને કહ્યું કે અમારા આગ્રહથી પણ આજે તારે આવવું પડશે. ત્યારે ગુરુ નિગ્રહનો આગાર જાણી ત્યાં ગયો. તેમને એક મંત્રિત ફળ આપ્યું. અને પૂર્વનાં અભ્યાસે ખાઈ ગયો. તેથી ભાવ પરિવર્તન પામ્યા, એ ઘેર આવીને પોતાનાં માણસોને ભિક્ષુઓ માટે ભોજન બનાવવાનો આદેશ કર્યો. ત્યારે હૃષ્ટપુષ્ટ થયેલાં તે માણસોએ તે પ્રમાણે કરવાની શરૂઆત કરી. ત્યારે દેવકીએ પતિનું ચલચિત્ત જાણી ગુરુ પાસે જઈ સર્વ હકીકત કહી. ગુરુએ પ્રતિયોગ આપ્યો અને દેવકીએ દેવાનંદને આપ્યો. તેથી સ્વભાવસ્થ થયો. ત્યારે ભોજન દેખીને કહ્યું આ શું? માણસોએ કહ્યું તમે ભિક્ષુઓ માટે ભોજન તૈયાર કરાવ્યું છે ને. તેણે કહ્યું હું જિનસાધુને મૂકીને અન્યને ધર્મ માટે દાન આપતો નથી. ત્યારે દેવકીએ સર્વ પરમાર્થ કહ્યો. ત્યારે અરેરે ! ગુરુ નિગ્રહથી હું થોડોક પતિત થઈ ગયો. એમ કહેતાં આ બધુ પ્રાસુક, શુદ્ધ એષણીય છે.” એમ વિચારી મુનિઓને વહોરાવ્યું. આ રીતે વડિલના આગ્રહથી કાંઈક અકથ્ય સેવતા સમકિત દર્શનમાં અતિચાર લાગતો નથી. પરંતુ આવા ગુરુઓ કેટલા હશે? એમ માની પહેલાથી જ ન કરવું. I/૧રા મૂળદ્વારની ગાથામાં છિડકાદ્વાર વર્ણવી દીધું છે, હવે સ્થાનક દ્વાર કહે છે.. Page #88 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ अत्थी य णिच्चो कुणई कयाई, सयाइँ वेइए सुहा - सुहाई । णिव्वाणमत्थी तह तस्सुवाओ, सम्मत्तठाणाणि जिणाहियाणि ॥१३॥ ગાથાર્થ - જીવ છે, નિત્ય છે, કર્મને કરે છે તે શુભાશુભ કર્મને વેદે છે મોક્ષ છે અને તેનાં ઉપાય છે. આ જિનેશ્વરે કહેલાં સમકિતનાં સ્થાનો છે. ૭૭ ચકાર અવધારણ માટે છે એથી “જીવ છે જ” એમ જણાય, તેનું-જીવનું પ્રતિપાદન કરનારા ચિહ્નો વડે જીવ જણાઈ આવે છે. કહ્યું છે કે. ચિત્ત, ચેતન, સંજ્ઞા, વિજ્ઞાન, બુદ્ધિ, ઈહા, મતિ, વિતર્ક આ જીવનાં લક્ષણો છે. “હું શરીરમાં નથી” એવું જે વિચારે છે તેજ જીવ છે. સંશય ઉત્પાદક જીવ સિવાય અન્ય કોઈ નથી. ઈત્યાદિ રીતે જીવનાં અસ્તિત્વનું મનન કરવું. આદિ પદથી નિર્જીવને પત્થર મારતાં કશી બુમાબુમ કરતો નથી. ત્યારે સજીવને પત્થર મારતા બુમાબુમ કરે છે. બસ તેજ જીવની હયાતીની નિશાની છે. શરીરમાં કોઈ દુ:ખ ન હોવા છતાં શોક વિગેરેના કારણે “હું દુઃખી છું.” આવું પોતે અનુભવે છે, હવે આ અનુભવ કરનાર કોણ ? શરીરતો એ.સી.માં મોજ કરી રહ્યું છે, માટે દેહમાં રહેલ બીજો કોઈ પદાર્થ હોવો જોઇએ તે જ આત્મા. આ પ્રથમ સ્થાનક થયું. આના વડે નાસ્તિક મતનો નિરાસ કર્યો. ‘કોઈ દિવસ પણ નાશ નહિં પામનાર, જે ક્યારેય ઉત્પન્ન થતું નથી. તેમજ સ્થિર અને સદા એક રૂપે જ રહે છે.” આવી નિત્યની વ્યાખ્યા અન્યમતની જાણવી. જૈન સિદ્ધાંત પ્રમાણે તો “પરિણામ બદલવા છતાં જે દ્રવ્યરૂપે સદાકાળ રહે” તે નિત્ય. આત્માનો દેવનરાદિ રૂપે પરિણામ બદલાય છે. તે આત્માસર્વથા ક્યારેય નાશ પામતો નથી. તેથી જ તો પૂર્વે કરેલ કાર્યાદિનું સ્મરણ થઈ શકે છે. નહિં તો ચૈત્રે કરેલું મૈત્રને યાદ આવતું નથી. તેમ પૂર્વ આત્માથી ઉત્તર આત્મા અત્યંત અલગ માનતાં તેણે કશું જ યાદ ન આવે. આના વડે ક્ષણિકવાદી એવા બૌદ્ધ મતનો નિરાસ થયો. આ બીજું સ્થાનક થયું. – તેજ જીવ શુભાશુભ કર્મને કરે છે, જો અન્યકર્તા માનીએ કૃતનાશ - કરેલા કર્મનો ભોગવ્યા વગર છુટકારો થઈ જવો, જેમ જો આત્મા ક્ષણિક હોય તો હિંસા કરનાર આત્મા જુદો હતો. અને તે આત્મા તો તે હિંસાજન્ય કર્મને ભોગવ્યા વગર જ નાશ પામી ગયો. એટલે તે કર્મથી છુટકારો પામી ગયો. અકૃતાગમ - નહિં કરેલા કર્મની પ્રાપ્તિ થવી. જેમ ઉત્તર આત્માએ તો હિંસા કરી નથી છતાં તેણે તે કર્મ વિપાક ભોગવવો પડે છે. આ રીતે બૌદ્ધને આ બે દોષ લાગી શકે છે. તેમજ કપિલમત – સાંખ્યો પ્રકૃતિને કાર્ય કરનાર માને અને આત્મા તેને ભોગવે છે, માટે તેમને (સાંખ્ય)ને (પણ) એ બે દોષ લાગે છે. “માટે કર્તા અને ભોક્તા આત્મા જ છે.” એમ માનવું આનાથી સાંખ્યમતનો નિરાસ થયો આ ત્રીજું સ્થાન થયું. પોતે કરેલા કર્મો પોતે જ ભોગવે છે. એટલે સુખ દુઃખ પુણ્ય પાપથી જન્ય છે. આનાથી જીવ અકર્તા છે. તે મતનો નિરાસ કર્યો આ ચોથું સ્થાન. સકલ કર્મથી મુક્ત બની જીવનું એક સ્થાને રહેવું (અવસ્થાન) તે મોક્ષ છે. આના વડે દીવો જેમ ઉપર નીચે જતો નથી. દિશા કે વિદિશામાં જતો નથી. પણ ક્ષય થવાથી માત્ર શાંત થઈ જાય છે. તેમ જીવ ઉપર નીચે ક્યાંય ન જતાં માત્ર કલેશના ક્ષયથી શાન્તિ (અભાવ) ને પામે છે. આ પ્રમાણે સર્વ Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭૮ મૂળશુદ્ધિ ભાગ-૧ અભાવ પ્રતિપાદક દુર્નયનો (બૌદ્ધમતનો) નિરાસ કર્યો. તે પાંચમું સ્થાન, તે મોક્ષના સમ્યફ દર્શન, જ્ઞાન, ચારિત્ર ઉપાય છે. આનાથી મોક્ષ ઉપાયનો અભાવ પ્રતિપાદન કરનાર દુર્નયનો નિરાસ થયો આ છઠું સ્થાન. * એટલે આ છ સ્થાન હોય તો જ સમકિત ટકી શકે. એવો હાર્દ છે. એટલે આ છ સ્થાન ના આધારે સમક્તિ રહેલું છે. આ સ્થાનો જિનેશ્વરે પ્રતિપાદન કરેલ છે. તેનો માહાત્મ બતાવનારી બે ગાથા ગ્રંથકાર કહે છે. मूलं इमं धम्ममहादुमस्स, दारं सुपायारमहापुरस्स । पासायपीढं व दढावगाढं, आहारभूयं धरणी व लोए ॥१४॥ पहाणदव्वाण य भायणं व, माणिक्क - णाणामणिमाइ - मुत्ता। सिल-प्पवाला-ऽमललोहियक्ख-सुवण्णपुण्णं व महाणिहाणं ॥१५॥ ગાથાર્થ : - “આ સમકિત ધર્મરૂપી મહાવૃક્ષનું મૂળ છે. મહાનગરરૂપી જૈન ધર્મનું દ્વાર છે. દ્રઢ અવગાહીને રહેનાર મહેલના પાયાની જેમ ધર્મને દ્રઢ બનાવે છે. જેમ ધરણિતલ સર્વલોકનો આધાર છે, તેમ ધર્મનું આધારભૂત, પ્રધાન દ્રવ્ય ના ભાજનની જેમ ધર્મરાશિનું ભાજન છે. માણિક્ય વિવિધ મણિ તેમજ સુવર્ણથી ભરેલાં મહાનિધાનની જેમ મોક્ષાદિસુખનું સાધન છે. ૧૪ . તથા દ્રઢમૂળવિનાનું વૃક્ષ પવનનાં ઝપાટાથી પડી જાય છે. તેમ સમકિત વિનાનું ધર્મવૃક્ષ દ્રઢ બની શકતું નથી. જેથી મોહરૂપી પવનના ઝટાપાથી પડી જાય. ઉડે સુધી ગયેલા મૂળવાળું વૃક્ષ પણ દ્રઢ થાય છે. જેમઢાર વગરનું નગર કોઈ પણ કામ કરવા સમર્થ બની શકતું નથી. (ચીજ વસ્તુ લાવી કે મોકલી શકાતી ન હોવાથી) તેમ સમકિત રૂપ ધાર વગરનું ધર્મનગર પણ નિરર્થક જાણવું (જે નેત્ર અને મનને પ્રસન્ન કરે તે પ્રાસાદ) જેમ પાણી સુધી ભરેલા પાયાવાળો મહેલ દ્રઢ બને તેમ સમકિત સહિતનો ધર્મ પણ દ્રઢ બને છે. જેમ ભૂતલ સર્વ પ્રાણીઓનો આધાર તેમ સમકિત ધર્મનો આધાર છે. જેમ કુંડ-તપેલી, થાળી, ટોપ વિગેરે પાત્ર વિના સર્વ વસ્તુ નાશ પામી જાય છે. તેમ સમકિતરૂપ પાત્ર વિના વિવિધ ધર્મરાશિ નાશ પામી જાય. (૮૧) મણિ-ચંદ્રકાન્ત મણિ. આદિ શબ્દથી હીરામોતી વિ. ગ્રહણ કરવું, સૂર્યકાન્ત મણિ વિ. મુક્તા - મુક્તાફળો વિ. શિલા - સ્ફટિકપત્થર, પરવાલા - વિદ્ગમ - મુંગો નિર્મલ લાલરત્ન, માણિક્ય અને નાનામણિ ઈત્યાદિનો દ્વન્દ સમાસ છે. જેમ વિવિધ મણિ હીરામોતીથી પૂર્ણ નિધિ જીવને અનેક સાંસારિક સુખનું કારણ બને છે. તેમ નાના ધર્મથી યુક્ત સમતિ પણ આત્યંતિક – જેનો ક્યારેય અંત ન આવે એવા નિરુપમ મોક્ષ સુખનું સાધક બને છે. ૧૪ો ઉપા હવે આવા દુષ્પાપ્ય સમકિતને પ્રાપ્ત કરી શું કરવું જોઈએ તે જણાવે છે. एयं महापुण्णफलं सहावसुद्धिएँ लभ्रूण अलद्धपुव्वं । जिणाणमाणाएँ पयट्टियव्वं, विसेसओ सत्तसु ठाणएसु ॥१६॥ Page #90 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ ૭૯ ગાથાર્થ - મહાપુણ્ય ફળવાળું, પૂર્વે પ્રાપ્ત નહિ થયેલુ, સ્વભાવશુદ્ધિથી આને પ્રાપ્ત કરીને જિનેશ્વરની આજ્ઞામાં પ્રવર્તવું જોઈએ. વિશેષ કરી સાત સ્થાનમાં. જેમ કે - ઘણાં કરોડો ભવમાં નિર્માણ કરેલાં કર્મ ડુંગરાનો નાશ કરવામાં વજ સમાન એવું સમકિત પુણ્ય સમૂહનો ઉદય થયે છતે પ્રાપ્ત થાય છે. મોક્ષ મહાવૃક્ષનું નિરુપત - જેની શક્તિ નાશ નથી પામી એવું બીજભૂત વિશુદ્ધ સમકિત જીવો વડે પ્રાપ્ત કરાય છે. તે વિવિધ પુણ્યનું માહાત્ય છે. સ્વભાવશુદ્ધિ એટલે અકામ નિર્જરાદિથી કર્મનો ક્ષય થવાથી પંદર અંગની અનુક્રમે પ્રાપ્તિ થવી, તેના દ્વારા... કહ્યું છે કે.... ભૂતોમાં (પ્રાણીઓમાં) ત્રસપણું, તેમાં પંચેન્દ્રિયપણું તેથી પણ મનુષ્યત્વ, મનુષ્યમાં પણ આદિશ, દેશમાં ઉત્તમકુલ, તેમાં પણ ઉત્કૃષ્ટ જાતિ, તેમાં પણ રૂપ સમૃદ્ધિ, રૂપમાં પણ બળ, બળમાં પણ જય, તેમાં પણ પ્રધાન વિજ્ઞાન, વિજ્ઞાનમાં પણ સમકિત, સમકિતમાં પણ શીલ, શીલમાં પણ સાયિકભાવ, તેમાં પણ કેવલજ્ઞાન પ્રાપ્ત થયે છતે પ્રધાન મોક્ષ પ્રાપ્ત થાય છે. આઠ પ્રકારનાં કર્મરૂપી તાડવૃક્ષની ગર્ભસૂચી (=મધ્યમાં રહેલ તંતુ) સમાન (કારણ કે જેમ મધ્યમાં રહેલ તંતુ નાશ પામતા સંપૂર્ણ તાડ વૃક્ષ નાશ પામી જાય છે. તેમ મોહનીયનો ક્ષય થતા શેષ કર્મ સહજમાં નાશ પામી જાય છે. - ઈતિતત્ત્વાર્થ કારિકા) મોહનીય કર્મની ઓગણસિત્તેર કોડાકોડિ સાગરોપમ સ્થિત યથાપ્રવૃત્તકરણ વડે ઓછી થાય ત્યારે અપૂર્વકરણ કરીને જીવ સમતિ પ્રાપ્ત કરે છે. એટલે કોઈ નિજી સ્વાર્થના કારણે માત્ર બાહ્ય દેખાવ ન હોય, સ્વભાવ -કર્મનો ક્ષયોપશમ થાય ત્યારે “સમકિત - જિનધર્મ ગમે” એવો જીવનો સ્વભાવ છે. ૧દી જિણાણું એટલે મોહ મહારાજાને મૂળથી ઉખેડી જય મેળવનાર, આજ્ઞા – પરમાત્માએ ફરમાવેલ આદેશ, વિસેસ - બધાકરતા વિશેષ પ્રકારે સાત ક્ષેત્રમાં લાગી જાય. હવે તે સાત ક્ષેત્ર બતાવે છે. बिंबाण चेईहर-पुत्थयाणं, जिणाण साहूण य संजईणं । आणारुईसावय सावियाणं, समायरेज्जा उचियं तमेयं ॥१७॥ ગાથાર્થ - જિનપ્રતિમા, જિનાલય, પુસ્તક, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાનું જે ઉચિત હોય તે આચરે... I૧ણા. બિમ્બ એટલે પ્રભુની પ્રતિમા, ચેઈઅ એટલે પ્રતિમાના આધારભૂત ભવન, પુસ્તક આગલનો ચકાર અહિં પણ અવધારણ માટે લેવાનો છે. તેથી આ ત્રણે જિનેશ્વર સંબંધી જ લેવાના, નહિ કે શાક્યાદિ સંબંધી, સાધુ-સક્રિયાદિ ગુણ સંયુક્ત મુનિ ભગવંતો. કહ્યું છે કે - જે સત્ ક્રિયામાં પ્રવૃત્તિવાળો પ્રશસ્તજ્ઞાનવાળો, નિસ્પૃહી, ક્ષમાશીલ, ધર્મ ધ્યાનમાં સચિવાળો હોય, તેને સજ્જનો સાધુ કહે છે. તાદશ ગુણવાળી સાધ્વી, આજ્ઞારુચિ-શ્રદ્ધાવાળો શ્રાવક, તેમજ સદા યતિઓ પાસે સમાચારીને સાંભળે તે શ્રાવક. Page #91 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ કહ્યું છે કે : દર્શન, જ્ઞાન વ્રતાદિને મેળવેલ, દરરોજ સાધુ ભગવંત પાસે શ્રેષ્ઠ સામાચારી સાંભળે તેને પરમ શ્રાવક કહેવાય. ८० તેવી જ શ્રાવિકા હોય. તે માટે કહેવાતી રીત પ્રમાણે ઉચિત આચરવું. ૧૭ના જેવો ઉદ્દેશ તે પ્રમાણે નિર્દેશ, આ ન્યાય આશ્રયીને જિનપ્રતિમાસંબંધી જે પ્રથમ પૂર્વે કરવાનું કહ્યું, તેનું બે ગાથા વડે પ્રતિપાદન કરે છે. જિનબિંબ નામનુ પ્રથમ સ્થાન વન્ગેનીત-ઙનળ-સંત-રિg-ડં-જોયા-વિદુમાળ । સુવળ-સપ્પા-ડમલાતિયાળ, સારાળ ∞ાળ, સમુદ્મવાઓ ॥૮॥ महंतभामंडलमंडियाओ, संताओ कंताओ मणोहराओ । भव्वाण णिव्वाणणिबंधणाओ, णिम्मावएज्जा पडिमा वराओ ॥१९॥ ગાથાર્થ : વજ્ર, હીરા, ઇંદ્રનીલ-નીલવર્ણવાળા મોટા રત્ન, અંજન, કાજળ જેવી શ્યામ કાંતિવાળા રત્ન, ચંદ્રકાન્ત ચન્દ્રનાં કિરણો પડતા જેમાંથી પાણી ટપકે છે એવા મણિ, રિષ્ટ કૃષ્ણરત્ન, અંકરત્ન, શ્વેતરત્ન, કર્કેતન, પીતરત્ન, વિદ્રુમ - પરવાળા, સોનું, રુપુ, નિર્મલસ્ફટિક તથા અન્ય પણ ઉત્તમદ્રવ્યોની બનેલી, તેમજ વિશાળ ભામંડલથી શોભિત, શાંત દીપ્તિવાળી, મનોહરચિત્તને આનંદદાયક, ભવ્યજીવોના મોક્ષનાં કારણભૂત આવી ઉત્તમપ્રતિમાઓ (ગૃહસ્થે) ભરાવવી જોઈએ. = = વિશેષાર્થ : શાન્તા એટલે રાગદ્વેષનું સૂચન કરનારા સ્ત્રી, હથિયાર વિ. ચિહ્નોરહિત હોય તેવી પ્રશાન્ત આકૃતિવાળી, પ્રતિમા ઉપર દ્રષ્ટિ નાંખતાં આપણાં રાગ દ્વેષ મંદ પડી જાય. નિવ્વાણણિબંધણાઓ એટલે કે તેવી પ્રતિમાઓ વિશિષ્ટ ભાવોલ્લાસનો હેતુ બનતી હોવાથી કર્મક્ષય કરનારી છે. કહ્યું છે કે - પ્રસન્ન લક્ષણવાળી, સર્વ આભરણથી શોભિત પ્રતિમાઓ જોવાથી જેમ જેમ મન આનંદ પામે તેમ તેમ નિર્જરા થાય છે એમ તું જાણ. જેમ વાદળાઓ જોઈ મોર આનંદથી નાચી ઉઠે છે. તેમ જિનેશ્વરનાં મનોરંજક પ્રશાન્ત બિમ્બ દેખીને ભવ્ય જીવો આનંદ ભરપૂર બને છે. ૫૧૮ ॥ ॥૧૯॥ ગૃહસ્થે આવી પ્રતિમા કોની ભરાવવી ? તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર શ્લોકનું પૂર્વાર્ધ રજૂ કરે છે. जिणेंदचंदाण णरेंद-चंद-नागेंद-देवेंदऽभिवंदियाणं । ગાથાર્થ → જિણંદ = નરેન્દ્ર, ચક્રવર્તી, વાસુદેવ વિ. ચંદ્ર જ્યોતિષી ઈન્દ્રો નાગેન્દ્ર ભવનપતિ દેવોના ઈન્દ્રો, આ સર્વ વડે નમસ્કાર કરાયેલ જિનેન્દ્રચંદ્રની પ્રતિમાઓ ભરાવવી ! વિશેષાર્થ →અવધિજિન વગેરે જિન છે, તેઓના ઈન્દ્ર સામાન્ય કેવલી પણ છે, તેઓમાં શ્રેષ્ઠ દર્શાવવા માટે ‘જિનેન્દ્ર - ચંદ્ર' આવું પદ મૂક્યું છે. કહ્યું છે કે... સુર અસુર જ્યોતિષી, વાણવ્યંતર, વ્યંતર, વિદ્યાધર, અને માણસોનાં જેઓ સ્વામી છે. તેઓ ભક્તિ-સમૂહથી પૂર્ણ બનીને જિનેન્દ્રચંદ્ર Page #92 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ પરમાત્માઓને નમસ્કાર કરે છે પોતે અથવા બીજાએ કરાવેલી તે પ્રતિમાઓનું શું કરવું જોઈએ. તે માટે ઉત્તરાર્ધ રજૂ કરે છે. कुज्जा महग्घेहिँ महारिहेहि, अट्ठप्पगारा पडिमाण पूया ॥२०॥ ગાથાર્થ – મહબ્બેહિ - મહામૂલ્ય, મહરિહેહિ – ગૌરવશાળી વિશેષ પ્રકારે ઉચિત એવાં દ્રવ્યોથી અષ્ટપ્રકારે પ્રતિમાની પૂજા કરવી જોઈએ રવા पुप्फेहि गंधेहिँ, धूवेहिँ दीवेहिँ य अक्खएहि । णाणाफलेहिं च घणेहिं णिच्चं, पाणीयपुण्णेहिँ य भायणेहिं ॥२१॥ ગાથાર્થ – સુગંધિત પુષ્પ, સુગન્ધિત ગન્ય, ચન્દન વિ. ધૂપ દીપ, અક્ષત, વિવિધફળ, ઘીજલપૂર્ણ પાત્ર, કળશ વિ. થી પૂજા કરવી જોઈએ. વિશેષાર્થ – કહ્યું છે કે સ્વચ્છ, વિકસિત તેમજ જેમાંથી ઘણી સુગંધ નીકળી રહી છે એવાં. ગૂંથણીના સૌન્દર્યથી રમ્ય, તેની ગંધમાં લુબ્ધ બનેલાં ભમતાં ભ્રમર સમૂહનાં ગુંજનથી શબ્દમય બનેલા, પરાગવાળા અને જલકણથી શોભિત એવા પુષ્પોથી રોમાશ્ચિત શરીરવાળા, પુણ્યશાળીઓ આદરપૂર્વક હંમેશા જિનબિમ્બને પૂજે છે. જાયફળ, ઈલાયચી, ચંદન વિ. ના ચૂર્ણથી બનેલો હોવાથી સ્પષ્ટ ગંધવાળા, કપૂરના પાણીથી અવિવાસિત એવાં વાસક્ષપથી પુણ્યશાળીઓ જિનેશ્વરને પૂજે છે. પૂજાનાં ઉત્તમ સાધનોથી ઉત્તમભાવ જાગે છે. અને સજ્જન પુરુષોને આ ઉત્તમ દ્રવ્યોનો આનાથી શ્રેષ્ઠ અન્ય કોઈ સુન્દરતર ઉપયોગ નથી. જો સુગન્ધિત પુષ્પોનો અભાવ હોય કે ખરીદવાની શક્તિ ન હોય તો યથાસંભવ દ્રવ્યથી કરાતી પૂજા પણ ગુણકારી થાય છે. કહ્યું છે કે... સફેદ કમલના પત્રોથી અને નદીનાં પાણીથી જિનેન્દ્રની પૂજા કરવાથી ધન્યા કલ્યાણ પરંપરાને પામીને મોક્ષમાં ગઈ., આ કથા મુગ્ધજનોનો પૂજામાં ભાવ પ્રકર્ષ = વધારો પ્રતિપાદન કરવાના હેતુથી લખાય છે. (ધન્યાકથાનક) આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં મહોદય નદીની નજીકમાં શ્રીવર્ધન નામે નગર છે. ત્યાં ગર્વિષ્ઠ શત્રુરૂપી મત્ત હાથીનાં ગંડસ્થલને ભેદવામાં સમર્થ પ્રકૃષ્ટ હૃષ્ટપુષ્ટ સિંહ સમાન શ્રીવર્મ નામે રાજા છે. તેન સઘળાં અંતપુરમાં પ્રધાન, રતિનાં રૂપ લાવણ્યનો તિરસ્કાર કરનારી, શ્રીકાંતા નામે મહાદેવી પટ્ટરાણી છે. જન્માંતરમાં ઉપાર્જિત પુણ્ય પ્રકર્ષથી પ્રાપ્ત વિશિષ્ટ વિષયસુખ અનુભવતાં તેઓનો સમય સરકી રહ્યો છે. એકવાર રાણીએ ફળફુલથી શોભિત અને પોતાની કાંતિથી સર્વ વનલતાઓને જેણે ઝાંખી પાડી દીધી છે એવી કલ્પલતાને સ્વપ્નમાં દેખી અને જાગી. વિધિપૂર્વક રાજાને સ્વપ્ન કહી સંભળાવ્યું. રાજાએ કહ્યું કે હે દેવી ! તારે સર્વ સ્ત્રીઓમાં પ્રધાન અને ત્રણ લોકનો ઉપકાર કરનારી પુત્રી થશે. દેવી પણ – “એ પ્રમાણે હો !” એ રીતે સ્વપ્નફળને અભિનંદીને સ્વસ્થાને ગઇ. તે દિવસથી Page #93 -------------------------------------------------------------------------- ________________ ૮ ૨ મૂળશુદ્ધિ ભાગ-૧ માંડીને વૃદ્ધી પામતાં ગર્ભવાળી જિનપૂજા, જિનાભિષેક, ઈત્યાદિ દોહેલાં જેનાં પૂરાઈ રહ્યા છે એવી રાણીએ સમય થતાં પુત્રીને જન્મ આપ્યો. અને પોતાની પ્રભાકાલથી તે પ્રદેશને ઉદ્યોદિત કરતી પુત્રીને જોઈ રાજાને પુત્રી જન્મનું નિવેદન કર્યું. રાજાએ પણ યથોચિત રીતિ-રિવાજ કરીને શૂચિકર્મથી નિવૃત્ત થયેલી પુત્રીનું “રત્નપ્રભા' નામ પાડ્યું. અને તે નિર્વાત અને નિર્વાઘાતવાળી ગિરીગુફામાં રહેલી ચંપકલતાની જેમ દેહના વિકાસથી વૃદ્ધિ પામે છે. અને શુકલપક્ષની ચંદ્રલેખાની જેમ કલા સમૂહથી વૃદ્ધિપામે છે. એ રીતે જ્યારે તે ચૌદ વર્ષની થઈ ત્યારે દાસ દાસીઓથી પરિવરેલી, કંચુકીથી યુક્ત સૈન્યવૃંદથી ચારેબાજુથી સુરક્ષા કરાયેલી, સોનાની પાલખીમાં આરુઢ થઈ દરરોજ આનંદ માણતી, ઉદ્યાન, વાવડી વિગેરેમાં ફરે છે., એક વખત પ્રિયંકરી દાસીએ કહ્યું કે આપણે હજી સુધી મહોદયા નદીના કાંઠે રહેલાં ઉદ્યાનોમાં ગયા નથી. જો આપને સારું લાગતું હોય તો ત્યાં જઈ ઉદ્યાનશોભા અને નદીને નીરખીએ. ત્યારે રાજકુમારી સહર્ષે ભલે ! ત્યાં જઈએ” એમ કહી ત્યાં ગયા. કાંઠા ઉપર ફરીને મહાનદી જોઈ અને કૌતુકથી નદી કાંઠે રહેલા ઉદ્યાનમાં પ્રવેશી. ત્યાં આસોપાલવ, સોપારીનું ઝાડ, નાગ, હિતાલ, તાડવૃક્ષ, દેવદાર વૃક્ષ, સાંદડ, સહકાર, આમ્ર, ચંપક, બકુલ, તલવૃક્ષ ઈત્યાદિ શ્રેષ્ઠ ઝાડોની વચાળે શરદ ઋતુનાં વાદળાની જેમ એકદમ ઉજજવલ જિનમંદિરને જુએ છે. તે દેખી હર્ષથી વિકસિત નયનવાળી અંદર જાય છે. અને અંતરત્નની ચંદ્રપ્રભસ્વામીની પ્રતિમા જુએ છે કે તરત જ “મેં આ પ્રતિમા અને જિનમંદિર ક્યાંક જોયેલું છે?” એવો ઈહા અપોહ કરતી, થરથર ધ્રૂજતા અંગોપાંગવાળી મૂછના કારણે બીડાતા નેત્રવાળી, સુકાતાં મુખવાળી, સાંધા ઢીલા પડી ગયા છે જેનાં એવી રત્નપ્રભા ધર્ દઈને નીચે પડી. ત્યારે નજીક રહેલો પરિવાર સંભ્રાન્ત થઈ (ચમકી ગયો) અરે ! આ શું થયું? આમ હાહાકાર કરતો વિવિધ ચેષ્ટાઓ કરવા લાગ્યો. વળી કોઈ રત્નપ્રભાનાં અંગ મસળે છે. કોઈ શ્રેષ્ઠ તાલવૃતથી વીજે છે. કોઈ સરસ ગોશીર્ષ ચંદનથી શરીરે વિલેપન કરે છે. અને કોઈ (સેવક) જલ્દીથી રાજા પાસે જઈ નિવેદન કરવા લાગ્યો કે “રક્ષણ કરો બચાવો !” અમને કોઈ કારણ સમજાતું નથી, પણ કુમારીની દશા બહુ ભારે (ગંભીર) છે. તેવું સાંભળી અશ્રુભીની નેત્રવાળો, લોભના કારણે અટકતી વાણીથી ગદ્ગદસ્વરે વળવળતો “અરે જલ્દી વૈદ્યને બોલાવો” એમ બોલતો ઉત્તમ જાતિના ઘોડા પર ચડી રાજા જલ્દી જલ્દી જિનમંદિરે ગયો. રાજાની પાછળ પાછળ શ્રીકાંતા રાણી પ્રમુખ અંતઃપુર તથા સામંત મંત્રી તેમજ ઘણાં લોકો ગયા., એ અરસામાં પૂર્વજન્મ સ્મરણ કરીને ભાનમાં આવેલી કુમારી ઉઠી. રાજાએ ખોળામાં બેસાડીને પુછયું બેટી આ શું? કુમારીએ કહ્યું... વનમાંથી પાંદડા લાવી, નદીમાંથી પાણી લાવી, છતાં તેણે હાથ ન લગાડ્યો, તેથી હે માતા હજી પણ તે કઠિયારો તેવી જ અવસ્થામાં છે. બેટી ! અમને એમાં કશી સમજ પડતી નથી. પિતાશ્રી ! બધા લોકોને બેસાડો અને આ દોહાનો Page #94 -------------------------------------------------------------------------- ________________ ૮૩. મૂળશુદ્ધિ ભાગ-૧ ધન્ય કથાનક હું સવિસ્તર અર્થ કહું છું. તે ધ્યાન દઈને સાંભળો. તરત જ બધા સાવધાન થઈ બેસી ગયા. ત્યારે રત્નપ્રભા બોલી. આ શ્રીવર્ધન નગરની તો બધાને જાણ છે જ. આ જ નગરમાં જન્મથી દરિદ્ર દરરોજ લાકડા વેચી આજીવિકા ચલાવનારો ભમ્મલિક નામે કાવડિયો-કઠિયારો છે. તેને ધન્યા નામની સ્ત્રી હતી. તે બંને પ્રતિદિવસ રાત્રિનાં છેલ્લા પહોરે મહોદયા નદીમાં ઉતરી કાઇ લાવે છે. અને માથે ઉપાડી ઉદ્યાનની નજીકના આ વટવૃક્ષની છાયામાં વિસામો લઈ નગરમાં પ્રવેશે છે. એક દિવસ વિસામો ખાવા બેસેલી ધન્યાએ પતિને કહ્યું નાથ ! તરસથી મારું ગલું સુકાય છે. જો તમે કહેતા હો તો નદીમાં જઈ પાણી પીને આવું. ત્યારે ભગ્ગલિક કઠિયારો કહે ભદ્રે ! આપણું ઘર નજીક જ છે માટે આપણે જઈએ. ધન્યા કહે મને બહુ તરસ લાગી છે. ભગ્ગલિક કહે જો એમ હોય તો જલ્દી જઈ આવ. ધન્યા ગઈ, પાણી પીને જેટલામાં પાછી આવે છે. તેટલામાં આ સોહામણો બગીચો જુએ છે. ત્યારે ઉદ્યાનની ઉચ્ચકોટિની શોભા જોઈ તે વિચારવા લાગી કે મંદભાગી એવા અમે અંધારામાં જતા હોવાથી અને પાછા વળતા ભારથી અભિભૂત હોવાનાં થાકીને લોથપોથ થઈ જવાના કારણે ક્યારેય પણ આ બાગને નજરથી સારી રીતે નિહાળ્યો નથી. દર્શનીય વસ્તુને જોવી આ જ દ્રષ્ટિયુગલનું ફળ છે, માટે અત્યારે ઉદ્યાનશોભા જોઈને નેત્રો સફળ કરું. - વિસ્મયથી વિસ્ફારિત નેત્રોવાળી, નમેલી ડોકવાળી, વળેલી ખાંધવાળી, વિવિધ શોભાને નિહાળતી આ પ્રદેશે આવી પહોંચી. ત્યારે આ જિનમંદિરને સાક્ષાત નિહાળ્યું. અહો ! આ તો કોઈ આશ્ચર્યકારી દેવગૃહ લાગે છે. તેથી “અંદર જઈને જોઉં' એમ વિચારી પ્રવેશીને જોવા લાગી કે - રત્નનિર્મિત સોપાન પંક્તિવાળું, મણિમય ભૂમિતળવાળું, સુવર્ણમય થાંભલામાં કોતરાયેલી વિવિધભંગીઓવાળી પુતલીયોવાળું, ઈશ્વરગૃહ જેમ રમ્ય અને અનેક રૂપિયાથી ભરપૂર હોય તેમ અનેક રમ્ય આકૃતિ-ચિત્રોથી વ્યાપ્ત, સુંદર શિલ્પવાળા પાત્રથી ભોજન મંડપ જેવું. તારલાવાળા આકાશની જેમ વિસ્તૃત સચિત્ર ચંદરવાવાળુ, કિલ્લાથી યુક્ત શ્રેષ્ઠ નગર જેવું, દેવતાઓથી યુક્ત સ્વર્ગના વિમાન જેવું જિનગૃહને દેખતી દેખતી જ્યારે અંદર પ્રવેશી ત્યારે રાગ અગ્નિને શાંત કરવામાં મેઘસમાન ચંદ્રપ્રભસ્વામીની મૂર્તિ જોઈ સહસા ભક્તિવશ રોમાંચિત થયેલી ધન્યા પ્રભુનાં ચરણે પડી અને વિનંતિ કરવા લાગી હે નાથ ! તારાં ગુણોને અને વંદનવિધિને હું જાણતી નથી. પણ તારી ભક્તિનું ફળ મને મળો. તેણીએ વિચાર્યું કે સ્નાનપૂર્વક પૂજા કરીને વંદન કરું તો સારું. પણ અમારા જેવા કમભાગીને પુષ્પાદિ સામગ્રી ન હોવાથી આ આશા કેવી રીતે પુરી થાય? એમ વિચારતાં તેના મનમાં જંગલમાં દેખેલા સફેદ કમલપત્રો સ્કૂર્યા. (એટલે તે પત્રો તેને યાદ આવ્યા) કાલે વિધિથી પૂજા કરીશ. એમ અધૂરા મનોરથવાળી પતિ પાસે ગઈ. તેને પૂછયું આટલો બધો સમય કેમ લાગ્યો. તેણીએ કહ્યું મેં કોઈ દેવનું અતિ અદ્ભૂત બિમ્બ જોયું. તેને જોતાં આટલો સમય સરકી ગયો. તેથી તમે ત્યાં જઈને વાંદીને નિજનયન, જન્મ અને જીવનને સફળ કરો ! Page #95 -------------------------------------------------------------------------- ________________ ८४ મૂળશુદ્ધિ ભાગ-૧ , ત્યારે તે કઠિયારો કહે “હે પાપિણિ યાફૂટી! આપણો સંધ્યાકાળ થઈ ગયો છે અને તું માથું ખાય છે.” તને મંદિર જોવાની પડી છે. એમ કહી લાકડાનો ભારો ઉપાડ્યો નગરમાં ગયા. બીજા દિવસે નવો (વાટકો) કળશ લાવી નદીની રેતીમાં છુપાવી જંગલમાં ગઈ. પાછા ફરતાં વસ્ત્રાંચલમાં પુષ્પો લઈ વિસામો લેવા ત્યાં આવ્યા. અને ધન્યાએ કહ્યું કે નાથ ! ચાલો આપણે દેવને વાંદવા જઈએ. જુઓ મેં આ કમલપત્રો લાવ્યા છે. અને આ સામે નદીનું પાણી રહ્યું. તેથી સ્નાન કરી દેવને પૂજીને વંદન કરીએ. કારણ કે આવા દેવની પૂજાદિ આલોક અને પરલોકમાં કલ્યાણકરનાર થાય છે. તેણે કહ્યું અરે નિર્લક્ષણા ! શું મને પણ તારી જેમ ગ્રહો લાગ્યા છે? શું મારુ પણ ફરી ગયું છે? આવું સાંભળી તે બોલી તમને એવું લાગે તેવું બોલો અને કરો ! પણ હું તો દેવના ચરણયુગલ વાંદ્યા પહેલાં આવીશ નહીં, આ મારો નિર્ણય છે. તેણીનો નિશ્ચય જાણી તેણે કહ્યું તને જે ગમે તે કર. ત્યારે ધન્યા ચાલી નદીમાં ચરણ કમલ પખાળ્યાં, પાણીનો કળશ (લઘુઘટ) ભર્યો. દેવગૃહમાં પ્રતિમાનો પ્રક્ષાલ કર્યો. પૂજા કરીને પૂર્વક્રમથી વાંદ્યા. ત્યાર પછી ભગવાનને હૃદયમાં વહન કરતી સ્વસ્થાને ગઈ. એ પ્રમાણે દરરોજ કરવા લાગી. - એક વખત પૂર્વકર્મ દોષથી તેનાં શરીરમાં ભારે રોગ થયો. પીડા ભોગવતાં તે ચિંતા કરવા લાગી કે હું તો કમભાગી છું કે જેથી આજે દેવને વાંદવા જઈ શકતી નથી. આવી પરિસ્થિતિમાં મારું શું થશે? તે હું જાણી શકતી નથી. તેથી હવે આલોક અને પરલોકમાં મારે તેજ ભગવાન શરણભૂત છે. એમ ધ્યાન ધરતી મરીને આ હું તમારી પુત્રી તરીકે જન્મી છું. આજે વળી આ જિનેશ્વરનું બિલ્બ જોઈને મને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેના કારણે મેં તમને એ પ્રમાણે કહી સંભળાવ્યું. જો વળી પિતાશ્રીને ખાત્રી થઈ ન હોય તો ભગ્ગલિક કઠિયારાને બોલાવો. ત્યારે રાજાએ કોટવાલને પૂછયું અરે ! આ નગરમાં ભમ્મલિક નામે કઠિયારો રહે છે. તેણે કહ્યું હાં રાજાસાહેબ, રાજાએ કહ્યું જલ્દી બોલાવો, કંપતા અંગવાળા કઠિયારાને જલ્દી ત્યાં લાવવામાં આવ્યો. રાજાએ અભયદાનાદિ વડે આશ્વાસન આપી પૂછયું. તારે કોઈ પત્ની છે. અત્યારે કોઈ નથી, પણ પહેલાં ધન્યા નામની પત્ની હતી. જેણે મર્યાને પંદર વર્ષ થઈ ગયા છે. તને શું તે પત્ની દેખાય છે ? તેણે કહ્યું શું મરેલાઓ કાંઈ દેખાય ખરા? રાજાએ કહ્યું દેખાય જ છે. જો આ ઉભી છે તે તારી સ્ત્રી છે. રાજાસાહેબ ! આ તો મારી પત્ની નહિ, પરંતુ આપની પુત્રી છે. ત્યારે રત્નપ્રભા બોલી અરે મૂર્ખ ! તેજ હું ધન્યા નામની સ્ત્રી છું. સર્વદેવોના અધિપતિ ઇન્દ્રોવડે વંદિત ચરણવાળા ચિંતામણિ કલ્પવૃક્ષથી અધિક પ્રભાવશાળી આ ભગવાનની પૂજાદિના પ્રભાવથી સર્વકલા કલાપ વિ. ગુણોયુક્ત રાજપુત્રી થઈ છું. એકાંતમાં હાસ્યક્રીડા વિ. કરેલી તે સર્વ સાક્ષી સહિત કહી બતાવ્યું. તેથી કઠિયારાએ કહ્યું આ મારી પૂર્વની પત્ની સંભવી શકે છે. કારણ કે આ મારી પત્ની સંબંધી રહસ્યો જાણે છે. રાજપુત્રીએ કહ્યું કે પહેલાં મારા કહેવા છતાં ન સ્વીકાર્યું. તો પણ અત્યારે જિનાદિ ધર્માનુષ્ઠાનને કર, જેથી જન્માંતરમાં આવાં દુઃખ ન ભોગવવા પડે. છતાં તે કઠિયારો ભારેકર્મી હોવાનાં કારણે કાંઈ પણ ધર્મ સ્વીકારતો નથી. અહો ! કેવી અશુભકર્મની પ્રવૃત્તિ - પરિણતિ છે. જેના લીધે આવી સાક્ષાત્ પ્રતીતિ હોવા છતાં આ ધર્મને સ્વીકારતો નથી. એમ વિચારી રાજપુત્રીએ તેને ઉચિત દાન આપ્યું અને રવાનો કર્યો. અને ઘણાં લોકોને ધર્માભિમુખ કરીને રાજપુત્રી ઉભી થઈ. અને રાજાદિ સર્વ લોકો પણ સ્વ સ્વ સ્થાને ગયા. Page #96 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ અષ્ટપ્રકારી પૂજા ૮૫ ત્યારપછી દરરોજ જિનવંદન પૂજન સ્નાત્રયાત્રા વિ.કરતી, ગુરુજનને આરાધતી, સુસાધુ પાસે સિદ્ધાંતને સાંભળતી, સુપાત્રાદિમાં દાન આપતી, દીન, અનાથ વિ. દુઃખીજનોના મનોરથને પૂરતી સાધર્મિકોની ભક્તિ કરતી માં બાપને પ્રતિબોધ પમાડતી તેણીનાં કેટલાક દિવસો ગયા. એક દિવસ ત્યાં મહાપુર નગરનો રાજા રિપુવિજય નો પ્રતિનિધિ આવ્યો. ઉચિત પ્રતિપત્તિ કરીને વિનંતી કરી કે હે રાજન્ ! તમારી પુત્રીના ગુણો સાંભળી, આકર્ષિત થયેલા રિપુવિજય રાજાએ તેણીને વરવા માટે મને મોકલ્યો છે. જો તમને યોગ્ય લાગતું હોય તો રાજાને તમારી પુત્રી આપો. રાજાએ પણ “એમ થાઓ એમ સ્વીકારી સત્કારીને પ્રતિનિધિને વિસર્જન કર્યો. ત્યાર પછી શુભ દિવસે મોટા સૈન્ય સાથે રત્નપ્રભાને મોકલી. અને શુભ દિવસે લગ્ન થયા. .ત્રિવર્ગને સંપાદન કરવામાં સમર્થ, સ્વભાવથી સારવાળું એવાં વિષયસુખને અનુભવતાં તેઓનો કાળ વીતવા લાગ્યો. એક વખત કંચુકી પાસેથી “ચારશાનના ધણી વિજયસિંહસૂરિ પધાર્યા છે.” એવું જાણી તેઓ વાંદવા ગયા. વાંદીને યથોચિત સ્થાને બેઠા. ધર્મલાભ આપવા પૂર્વક આચાર્ય ભગવંત બોલ્યા કે .. જન્મ મરણરૂપ જલસમૂહવાળો. દારિદ્રરૂપી મોટા મોંઢાવાળો, સેંકડો વ્યાધિરૂપ જલચરપ્રાણિઓનાં સમૂહયુક્ત એવો આ ભવસમુદ્ર મહાભયંકર છે. આ ભવસમુદ્રમાં પોતાનાં પાપથી જ પરવશ થયેલો નરક તિર્યગ્નોના ભવોમાં ભમતો ઘણી મુશ્કેલીથી કર્મવિવરની મહેરબાનીથી મનુષ્યપણું જીવ મેળવે છે. અને મહાનુભાવો ! તમે કુલાદિયુક્ત એવો મનુષ્ય અવતાર મેળવ્યો છે, તો પ્રમાદ છોડી ધર્મમાં ઉદ્યમ કરો. I૧૩ આવી ધર્મદેશના સાંભળી રાજા અને રાણીને સંયમના પરિણામ જાગ્યા. અને સૂરિપુરંદરને વિનંતી કરી કે મોટા પુત્રને રાજ્ય સોંપી તમારા ચરણ કમળમાં ચારિત્ર સ્વીકારી હાથીનાં કર્ણ સરખા ચંચલ મનુષ્યપણાને સફળ કરીએ. ત્યાં સુધી આપ સ્થિરતા કરો. ભગવાને કહ્યું તમે વિલંબ કરશો નહિં. તેઓ રાજમંદિર ગયા. મંત્રી વિ.ને સ્વાભિપ્રાય જણાવીને પુરંદર નામના પ્રથમ પુત્રનો રાજગાદી ઉપર અભિષેક કર્યો. મોટી શોભાપૂર્વક પાલખીમાં બેસી રાજા રાણી સૂરિ પાસે ગયા. આચાર્યશ્રીએ આગમવિધિથી દીક્ષા આપી. રત્નપ્રભા સાધ્વીની પ્રવર્તિનીને સોંપણી કરી. જયાં તે સાધ્વી ક્રિયાકલાપનો અભ્યાસ કરીને, વિવિધ તપચરણને આચરી, ગુરુજનને આરાધી, સંલેખના કરી નિરતિચાર ચારિત્રપાળી અનશન આદરી શુભધ્યાનના યોગે દેહપિંજરાને છોડી દેવલોકમાં ગઈ. એવી રીતે કલ્યાણ પરંપરાને પામી તે ધન્યા સિદ્ધ થઈ. “ઈતિ ધન્યા કથાનક સમા” શ્રેષ્ઠ પુષ્પોના અભાવમાં અન્ય પુષ્પાદિથી કરેલી પૂજા પણ મોટા ફળને આપનારી બને છે. જોકે ઉત્તમપુષ્પાદિ સુલભ હોય તો તેનાથી જ પૂજા કરવી જોઈએ. હવે ધૂપપૂજા બતાવે છે. ધૂપ એટલે અગ્નિના સંપર્કથી સળગી ઉઠે તેવા ચંદન-સારંગમદ મીનોગાર, અમારુ વગેરે દ્રવ્યના સમૂહના સંયોગથી ધૂપ પૂજા કરવી. ઉક્તચ... કપૂર, અગર, ચન્દન વિ. સુગન્ધિ દ્રવ્યોના સમૂહથી નિર્મિત, અગ્નિના સંપર્કથી વિકસિત થયેલ ચપલ ધૂપપટલથી દિશા ભાગોને વ્યાપ્ત કરનાર, ઘણી સુગંધથી આકૃષ્ટ ભ્રમર સમૂહથી ઘેરાયેલ, તેમજ નાસિકાને આનંદ ઉપજાવનાર એવાં ધૂપથી ધન્યજનો હર્ષથી સદા જિનેશ્વરની પૂજા કરે છે. (૧૦૧). Page #97 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ દીવેહિં : અંધકારને દૂર કરનાર વાટ અને તેલના સંયોગથી પ્રજ્વલિત અગ્નિશિખા તે દીપ કહેવાય. તેનાથી (દીપકથી) પૂજા કરવાની, કહ્યું છે કે - પૂજાવિધિમાં સ્વચ્છ વાટ અને સુગંધી તેલના લીધે ઉછળતી પ્રભાથી દેવાલયનાં અંધકારને દૂર કરનાર એવાં દીવડાને ધન્યજનો નિર્મલ ભક્તિભાવથી જિન સમક્ષ પેટાવે છે. (૧૦૨) ૮૬ અક્ષએહિં : અષ્ટમંગલાદિની રચના કરવામાં ઉપયોગી અખંડ ડાંગર વિ. ઉત્તમજાતનાં ચોખાથી અક્ષતપૂજા કરવી. કહ્યું છે કે - શંખ અને કુન્દ્રપુષ્પ જેવા શ્વેત,પાણીથી પ્રક્ષાલિત, ઉત્કટ સુગંધવાળા વિશાલ, અખંડિત, અક્ષતોથી પંડિત પુરુષોએ ભક્તિથી પ્રભુની પૂજા કરવી જોઇએ. (૧૦૩) તથાણાણાફલેહિં - અનેક જાતનાં પાકથી પવિત્ર એવાં કેરી વિ. ફળોથી ફળપૂજા કરવી. કહ્યું છે કે - પાકેલાં ઉજ્જવલ વિવિધ વર્ણવડે શોભતા, નેત્રને સારા લાગનારા-આનંદ અર્પનારા, જેની સુગંધ લેવી ગમે તેવાં વિવિધ ફળો અને સુંદર જાતિના કન્દ, અને મૂળથી ધન્યપ્રાણીઓ પ્રભુ સામે પૂજા કરે છે. અર્થાત્ પૂજા નિમિત્તે પ્રભુ આગળ ધરે છે. (૧૦૪) ઘએહિં = સુંદર જાતનાં ઘી વડે, – કહ્યું છે કે - સ્વચ્છ, ઇન્દ્રિયોને ઘણાં જ સુખકારી, સદ્ભાજનમાં અર્પણ કરાયેલા (મુકાયેલા), સુગંધ-સુવર્ણયુક્ત, સર્વ દોષ દૂર કરનાર, એવાં ઘીથી હરખાયેલા હૃદયવાળા ધન્યજીવો, રાગદ્વેષ અને મદરૂપી ઉદ્ધતશત્રુને જિતનાર એવાં પરમાત્મા સમક્ષ સદ્ભક્તિથી પૂજા કરે છે. (૧૦૫) બધી પૂજા નિત્ય કરવી કેમકે સ્તોક પણ પુણ્ય પ્રતિદિન કરવાથી વૃદ્ધિ પામે છે. મધમાખીના મુખનાળથી એકઠું કરાયેલ મધ સેંકડો ઘડા જેટલું થાય છે. (૧૦૬) તત્ત્વ = નિત્ય (ખિન્ન) આ વિશેષણ બધી પૂજામાં જોડવાનું છે, એટલે દરેક પૂજા દરરોજ કરવાની છે. “પાળીય પુળેદિ ય ભાવળેદિ' આ બે પદ વચ્ચે ય= ચકાર છે, તેથી બન્ને નો જુદો જુદો અર્થ લેવાનો હશે” આવી શંકા સંભવે એમ છે, માટે ટીકાકાર ખુલાસો કરે છે કે અહીં ય વ્યવહિતનો સંબંધ કરનાર હોવાથી બન્ને પદ જોડીને અર્થ કરવો. જલપૂજા : સુગંધી સ્વચ્છ શીતલજલ ભરેલ ભાજનો (થી પખાલ કરવા દ્વારા) ધરવા વડે પૂજા કરવી. કહ્યું છે કે - નિર્મલ ઉજ્જવલ જલથી શોભિત એવાં પૂર્ણ ભરેલાં પાત્ર સમૂહને આદરપૂર્વક વિકસિત રોમરાજીવાળો, ગૃહસ્થ (વેશ્મભાગ) સદા જિન સમક્ષ મૂકે. (૧૦૭) એકવીશમી ગાથામાં કહેલ ચકાર અણકહેલાંનાં સમુચ્ચય માટે છે. તેથી નૈવેદ્ય, વસ્ર, આભરણ, વિલેપન વિ. પૂજાનો આ આઠપૂજામાં અંતર્ભાવ કરવો ॥૨૧॥ પૂજાનું સ્વરૂપ કહ્યું. હવે તથા પ્રકારનાં વિશેષણ યુક્ત પ્રાણી જિનપૂજામાં પ્રવૃત્ત થયેલો જેવાં દુઃખોથી મુક્ત રહે છે તે બે ગાથા વડે ગ્રંથકાર દર્શાવે છે. કે.... पूर्व कुतो बहुमाणवतो, उदारचित्तो जिणभत्तिजुत्तो । નાશિક-લોયા-કુાંતનુવા-યુવળ-ટુ-યુવવાનું રા Page #98 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ સંતાવ-સંયોગ-વિયો -સો-બફીન-લીખત્તળમાવાળું । तिक्खाण दुःखाण भवुब्धवाणं, ण भावणं होइ भवंतरे वि ॥ २३॥ બહુમાનવાળો, આન્તરપ્રીતિયુક્ત જેમ અટવીમાં રહેલાં મહાદેવની ધાર્મિક માણસોએ પૂજા માટે રચેલાં વિશિષ્ટ પૂજન દ્રવ્યોને, ડાબાપગથી ખસેડી મોઢામાં ભરેલાં કોગળાનું પાણી શંક૨ ઉપર નાંખનાર અને જમણા હાથમાં રહેલાં પુષ્પથી પૂજા કર્યા બાદ, પગમાં પડતા તે ભિલ્લ જોડે વાતચીત કરતાં શંકરને જોઈ રોષે ભરાયેલા ધાર્મિક બ્રાહ્મણને બોધપાઠ આપવા દૂર કરેલી એક આંખવાળા શંકરને જોઈ ખેદિત થયેલાં શંકર ઉપરના બહુમાનથી પરવશ થયેલા ભિલ્લે ભલ્લીથી- બરછીથી પોતાની આંખ ઉખાડી શિવની મૂર્તિમાં લગાડી દીધી. આવું ભિલ્લ જેવું બહુમાન જોઈએ. અને ઉદારચિત્તવાળો, જિનેશ્વરની ભક્તિમાં તત્પર, એવા પ્રભુની પૂજા કરતા પ્રાણીઓ દારિદ્ર, દૌર્ભાગ્ય, દુરંતદુઃખ, દુર્વર્ણ - (શરીરની કાંતિ રંગ ખરાબ હોય તે), દુર્ગંધ, કુરુપતા = (આકૃતિ ખરાબ હોય તે), તેમજ સંતાંપ, સંયોગ, વિયોગ, શોક, કાર્યઅકુશલતા, દીનપણું, તથાપ્રકારના તીક્ષ્ણ દુઃખોને આ ભવ અને પરભવમાં પણ પામતા નથી. કહ્યું છે કે —દરિદ્રતા સર્વ આપત્તિનું સ્થાનક છે કારણ કે, નિર્ધન માણસ લજ્જા પામે, લજ્જાનાં કા૨ણે તેજ ઓછું થાય, તેજ ઓછું થવાથી પરાભવ પામે છે. પરાભવ થવાનાં કારણે કંટાળે છે. કંટાળેલો શોક પામે, શોકવાળાની બુદ્ધિ નાશ પામે, અને બુદ્ધિ ભ્રષ્ટ થયેલો નાશ પામે છે. અહો ! નિર્ધનપણું સર્વ આપત્તિનું કારણ છે. દૌર્ભાગ્ય – સર્વજનમાં અપ્રિયત્વ –પોતે બધાને અપ્રિય લાગે, તેનું પોતાને મનમાં ભારે દુઃખ લાગે છે એટલે તે મહામાનસિક દુઃખનું કારણ છે. ઉક્ત ચ → દુ:ખે સહેવાય એવાં દૌર્ભાગ્ય કલંકરૂપ અગ્નિજ્વાળાથી દાઝેલાં એવાં જીવતાં છતાં મરેલાં જેવા પ્રાણિઓનો નિરર્થક જન્મ શું કામનો. માનસિક ખેદથી મનુષ્યો સંતાપ - ચિત્તખેદ ભારે પીડા પામે છે. ભલે મોઢેથી ન બોલે પણ તેમનું કરમાયેલું શરીર સ્પષ્ટ રીતે જણાવે છે.(૧૧૦) - સંયોગ - અનિષ્ટ માણસનો મેલાપ તે પણ દુઃખ માટે થાય છે. અનિષ્ટ માણસ સાથે થયેલો અણધાર્યો સંયોગ પણ અબુધ માણસોને ભારે દુઃખ આપનારો હોય છે. (૧૧૧) વિયોગ : ઇષ્ટ ભાઈ વિ.નો વિયોગ જે આન્દન વિ. મહાદુ:ખનું કારણ બને છે. સંસારમાં બંધુના વિયોગથી રડ્યા તે આંસુને ભેગા કરીએ તો સમુદ્ર નાનો પડે. ઇષ્ટવસ્તુ અને પ્રિયજન ઇત્યાદિના વિયોગમાં વીતરાગ સિવાય બધાને ભારે દુઃખ થાય છે. (૧૧૨-૧૩) ד શોક : પિતાદિના મરણથી થયેલ ચિત્તખેદ જે સર્વ આપત્તિનું સ્થાન છે. કહ્યુ છે કે - શોક એ પિશાચી (ડાકણ)નો પર્યાય, પાપનું રૂપાન્તર, અંધકારની યુવાની, વિષની વૃદ્ધિ, યમ નહિં છતા પ્રેત નગરનો નાયક, આ ન ઓળવાય એવો અગ્નિ છે. રાજ્યમા = ટી.બી. હોવા છતાં અક્ષય (મૃત્યુ) છે એટલે આ ક્ષય રોગ નાશ પામે એવો નથી. જનાર્દન – કૃષ્ણ તો લક્ષ્મી સાથે વિલાસ કરનાર છે જ્યારે આ લક્ષ્મી વગરનો છતાં જનાર્દન (જનને પીડનારો) છે. પુણ્યમાં અપ્રવૃત્ત છતાં ક્ષપણક છે. એટલે કર્મ ખપાવા ઉદ્યત થયેલો પુણ્ય - સઅનુષ્ઠાનમાં પ્રવૃત્ત થાય છે, જ્યારે શોક પુણ્યમાં પ્રવૃત્ત થયા વિના, - Page #99 -------------------------------------------------------------------------- ________________ ૮૮ મૂળશુદ્ધિ ભાગ-૧ પ્રાણીઓનો ક્ષય કરનાર છે. જેમાંથી જાગવાનું નથી એવી નિદ્રા સમાન, આ આળસ વગરનો સંનિપાત છે. ઉપદ્રવ કરનાર છતાં વિનાયક, અબુધ જન સેવિત (મૂર્ખ જનોથી) સેવિત છતાં આ ગ્રહ વર્ગ છે. બુધાદિ ગ્રહોની સેવા-પૂજા પંડિત પુરુષો કરે છે, એટલે શોકપણ એવો ગ્રહ છે કે તેના પાશમાં પડેલો કયોરેય પાર પામતો નથી. આ યોગ વિના ઉપજેલ જયોતિરૂપ છે. સ્નેહથી (સ્નિગ્ધ ભોજનથી) વાયુનો પ્રકોપ થાય, માનસ પ્રવૃત્તિથી જ્યારે અગ્નિ ઉઠે, ઠંડા-ભીનાશથી રજો ગુણનો ક્ષોભ થાય, રસથી અતિશોષ રાગથી આયુ ઘટે છે. જ્યારે શોકથી સંતપ્ત માનવ માનસ સંતાપ, ચિંખેદ, વિવિધ આપત્તિઓ, મરણ અને ધર્મ-અર્થ -કામ ત્રણે વર્ગની હાનિ ને મેળવે છે. ણિદિણ : એટલે ભાવ પ્રધાન વિવલા હોવાથી કોઈપણ જાતનું કામ નહિ કરવું. કહ્યું છે કે ... જે કાર્ય કરવામાં સમર્થ નથી તેવો રૂપવાન પુરુષ પણ પોતાનાં સ્નેહી બંધુજનોથી નિંદા પામે છે. - દીનત્વ: નિસત્ત્વપણું, - લાચારી – જ્યાં કોઈ કામ જાતે કરવાની હિંમત ન હોય, જે માનસિક અને શારીરિક દુઃખનું કારણ છે. કહ્યું છે કે - “ો પિતાશ્રી ! હે ભાઈ! હો મામા ! હો કાકા ! હે પુત્ર ! હે ભાણેજ ! અમારા કાર્યને કરી આપોને” એમ દિન માણસ (લલિ) ખુશામત કરે છે. ર૨ // ૨૩ “પૂજા કરનારને આવી દુઃખ વિડંબના હોતી નથી,” એ કહ્યું. હવે તે કેવો બને તે જણાવે છે. भवे पुणोऽसेससुहाण ठाणं, महाविमाणाहिवई सुरेंदो । तओ चुओ माणुसभोगभागी, रायाहिराया व धणाहिवो वा ॥२४॥ कलाकलावे कुसलो कुलीणो, सयाणुकूलो सरलो सुसीलो । सदेवमच्चा-ऽसुरसुंदरीणं, आणंदयारी मण-लोयणाणं ॥२५॥ ગાથાર્થજિનપૂજા કરનાર આલોકમાં બધા સુખોનું ભાન બને છે. અને પરલોકમાં મહાવિમાનાધિપતિ સુરેન્દ્ર થાય છે. ત્યાંથી એવી મનુષ્ય સુખનો ભોગી ચક્રવર્તી રાજા કે ધનાધિપતિ બને; સાથોસાથ કલાકલાપમાં કુશળ, ઉત્તમ કુલવાળો, સ્વજનોને સજ્જનોને અનુકૂલ, સરલસ્વભાવી, સુશોભનસ્વભાવવાળો, દેવ મનુષ્ય – ભવનપતિ વિ. ની સ્ત્રીઓને તેમજ મન અને ચક્ષુ ને આનંદકારી થાય છે. સુરાસુરની દેવીઓને આનંદ આપનાર તરીકે ભરતચક્રીનું દષ્ટાંત છે. જેમ ભરતચક્રી ગંગાદેવીને આનંદ દાયક બન્યા. અનુરાગને પરવશ થયેલી ગંગાદેવી સાથે રતિસુખ ભોગવતા તેણીનાં ભવનમાં ઘણો કાળ વ્યતીત કર્યો. તેમજ સ્ત્રીરત્નાદિ અન્યરાણીઓને પણ આનંદ આપતો ઉદારભોગથી પ્રાપ્ત લક્ષ્મીને ભોગવે છે. કેમકે તે ભારતના જીવે પૂર્વભવમાં રોગથી પીડિત સાધુનો રત્નકંબલ, ગોશીષ ચંદનથી ઉપચાર કર્યો હતો. રત્નકંબલના વેચાણમાંથી દેરાસર બનાવ્યું હતું. તેમ જિનબિમ્બ ભરાવી સ્થાપના કરી (ગાદીનશીન) કરી અને તેમની ભક્તિ કરવા દ્વારા જીવ અનુપમ ફળને મેળવે છે. એટલે સુખની પરંપરાને પેદા કરનાર એવું અતુલ ફળ પ્રાપ્ત થાય છે, તેમ તમે સમજો ! જાણો ૨૪ / ૨૫ . . એમ જિનબિમ્બને ઉચિત કાર્ય-પૂજાદિ કરવાનું જે ફળ મળે તે બતાવી હવે ઉપદેશ આપવા Page #100 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ સાથે પ્રકરણનો ઉપસંહાર કરે છે. कारेज्ज तम्हा पडिमा जिणाणं, ण्हाणं पइठ्ठा बलि पूय जत्ता । अण्णच्चयाणं च चिरंतणाणं, जहारिहं रक्खण वद्धणं ति ॥ २६ ॥ ગાથાર્થ : જિનેશ્વરની પ્રતિમા ભરાવવી, તેમની પૂજા, બલિયાત્રા, અભિષેક પ્રતિષ્ઠા કરાવવી અને અન્યે ભરાવેલી પ્રાચીન પ્રતિમાઓનું યોગ્ય રીતે રક્ષણ અને વર્ધન (નિર્મલ) કરવું. પ્રતિમા ભરાવ્યા પછી સ્નાત્ર વિ. કરવું. કહ્યું છે કે... ગાન્ધર્વ નૃત્ય સાથે નન્દીના જ્યઘોષથી દિશાઓ પૂરી સદ્ગુણનું પાત્ર એવું સ્નાત્ર જિનેશ્વરનું કરો. પઇટ્ઝ - પ્રતિષ્ઠા પૂર્વે કહેલ વિધિથી ભરાવેલ પ્રતિમાઓની આકાર શુદ્ધિ કરી સ્નાત્રપૂર્વક મન્ત્રાદિનો ન્યાસકરવો. બર્લિ - વિવિધ નૈવેદ્યરૂપ બલિ પ્રભુ આગળ મૂકવું. યાત્રા : જિનકલ્યાણકભૂમિ વગેરેમાં કલ્યાણક સમયે (તીથિએ) શાશ્વતી અઢાઇ પ્રસંગે જવું. ૮૯ કહ્યું છે કે - જિનેશ્વરને ઉદ્દેશીને જે યાત્રા મહોત્સવ કરાય, તે જિનયાત્રા કહેવાય. તે યાત્રા દરમ્યાન દાનાદિ કરવાનું વિધાન છે. યથાશક્તિ દાન, ઉપધાનતપ, શરીર શણગાર, ઉચિતગીત, વાજિંત્ર, સ્તુતિ, સ્તવન, નાટક ઇત્યાદિ કરવા. યાત્રાના પ્રસ્તાવે આ સર્વ તે રીતે કરવું જોઇએ, જેમ જિનશાસનનાં અગ્રણી ગુરુદેવવડે રાજા જોવા યોગ્ય અને શિખામણ આપવા યોગ્ય બને. એટલે કે રાજા પણ ગુરુદેવના દર્શને આવે અને ઉપદેશ સાંભળે – જેમ પંચાશક ગ્રન્થમાં કહ્યું છે કે હે મનુષ્ય શિરોમણિ ! મનુષ્ય રૂપે બધા મનુષ્યો સમાન હોવા છતાં કોઈ જીવ પુણ્ય કર્મના ઉદયથી મનુષ્યોનો સ્વામી રાજા બને છે. આ જાણીને ધર્મમાં પ્રયત્ન કરવો જોઇએ. (૧૨૦) લોકોનાં ચિત્તને હરણ કરનારી મનુષ્ય અને દેવલોક સંબંધી સઘળી સંપત્તિનું કારણ ધર્મ છે. (આનાથી ધર્મનું સાંસારિક ફળ બતાવ્યુ) અને ધર્મજ સંસારરૂપ સાગરને તરવા માટે જહાજ સમાન છે. (આનાથી ધર્મનું મોક્ષ ફળ બતાવ્યું.) (૧૨૧:) સર્વે કોઈનું ઉચિત કાર્ય કરવાથી શુભ (પુણ્યના અનુબંધવાળો) ધર્મ થાય છે. જિનયાત્રા વડે વીતરાગ સંબંધી ઉચિતકાર્ય કરવાથી શ્રેષ્ઠ શુભ ધર્મ થાય છે. કારણ કે વીતરાગ સમસ્ત જીવોથી અધિક ગુણોવાળા હોવાથી યાત્રાનો વિષય : પારમાર્થિક છે. અર્થાત્ વીતરાગની યાત્રા કરવી તે શ્રેષ્ઠ છે, કા.કે. પ્રભુ સર્વ જીવોથી અધિક ગુણવાળા હોવાથી સર્વોત્તમ છે. (૧૨૨) જિનનાં જન્મ આદિ પ્રસંગે બધા જીવો સુખી જ હતા આનંદમાં જ હતા. તેથી હે મહારાજ ! હમણાં પણ જિનયાત્રામાં અમારીનું પ્રવર્તન કરાવીને બધા જીવોને અભયદાન આપવા દ્વારા સુખી કરો. (૧૨૩) આચાર્ય ન હોય અથવા આચાર્ય હોય પણ રાજાને મળવા આદિ માટે સમર્થ ન હોય તો શ્રાવકોએ પણ રાજકુલમાં પ્રસિદ્ધ રીત-રિવાજ મુજબ રાજાને મળવું અને (સમજાવીને) તેની પાસે જીવહિંસા બંધ કરાવવી. જો (સમજાવવાથી) રાજા આ કાર્ય કરવા ન ઇચ્છે તો તેને ધન આપીને પણ આ કાર્ય કરાવવું. (૧૨૪) Page #101 -------------------------------------------------------------------------- ________________ ૯૦ મૂળશુદ્ધિ ભાગ-૧ જીવહિંસાથી જીવનારા માછીમાર આદિને પણ જેટલા દિવસ મહોત્સવ હોય તેટલા દિવસ પ્રેમ ઉત્પન્ન કરે તેવાં (મીઠાં) વચનો કહેવા પૂર્વક ઉચિત અન્નાદિનું દાન આપવું. અને જિનયાત્રામાં જીવહિંસા બંધ કરવાથી તમને પણ ધર્મ થશે. વિ. શુભ ઉપદેશ આપવો. અહીં હિંસક જીવોને પણ દાન આપવાનું કહીને ધર્માર્થી જીવોએ પરના સંતાપનો ત્યાગ કરવો. (= પરને સંતાપ થાય તેમ ન કરવું.) એ કલ્યાણકારી છે એમ સૂચન કર્યું છે. (૧૨૫). - હિંસકોને દાન આપવા પૂર્વક હિંસા બંધ કરાવવાથી લોકોમાં જૈન શાસનની પ્રશંસા થાય છે. અને એથી કેટલાક લઘુકર્મી જીવોને સમ્યગદર્શનનો ઉત્તમ લાભ થાય છે. કેટલાક જીવોને સમ્યગ્દર્શન ના બીજની (= જિનશાસન પક્ષપાત રૂપ શુભાધ્યવસાયની) પ્રાપ્તિ થાય છે. (૧૨૬). કારણ કે જિનશાસન સંબધી (= જિનશાસનમાં રહેલાં) ગુણનો ભાવ પૂર્વક (જૈનો ઉદાર હોય છે માટે જૈનધર્મ ઉત્તમ છે ઇત્યાદિ ભાવથી) અલ્પ પણ સ્વીકાર થાય તો તે સમ્યગ્દર્શનનું બીજ-કારણ બને છે. આ વિષયમાં ચોરનું ઉદાહરણ છે. આ ઉદાહરણ સાતમા પંચાશકની આઠમી ગાથામાં કહેવાઈ ગયું છે. મુનિની પ્રશંસા કરનાર ચોર બોધિબીજ પામ્યો અને ઉદાસીન રહેનાર ચોર બોધિબીજ પ્રાપ્ત ન કરી શક્યો. (૧૨૭) - આચાર્ય અને શ્રાવક બંને રાજાને મળીને હિંસા બંધ કરાવવા સમર્થ ન હોય તો તે બંનેએ “રાજાને મળીને હિંસા બંધ કરાવવાના સામર્થ્યવાળા પૂર્વના મહાપુરૂષો” ઉપર આંતરિક બહુમાન કરવું. (૧૨૮). જેમકે – પૂર્વના તે મહાપુરૂષો ધન્ય છે. - પ્રશંસનીય છે જેમણે જિનયાત્રામાં રાજાદિને ઉપદેશ આપીને હિંસા બંધ કરનારાઓને દાન આપવા પૂર્વક હિંસા બંધ કરાવી હતી. (૧૨૯). અમે તો જિનયાત્રાદિ કાર્યો શાસ્ત્રોક્ત વિધિ મુજબ કરવા અસમર્થ હોવાથી અધન્ય છીએ – પ્રશંસનીય નથી. હા હજી અમારા માટે એટલું સારું છે કે અમે ધર્મ પ્રધાન તે મહાપુરૂષોના સુખ આપનાર આચરણનું બહુમાન (પક્ષપાત) કરીએ છીએ અને એથી એટલા પૂરતા ધન્ય છીએ. (૧૩) - ઉક્ત રીતે બહુમાન (-પક્ષપાત) કરવાથી તે મહાપુરૂષોનાં ગુણોની અવશ્ય અનુમોદનાં થાય છે. ગણોની અનુમોદનાથી પૂર્વ મહાપુરૂષોનાં આચરણ સમાન જ કર્મક્ષય વગેરે ફળ મળે છે. અર્થાત તે મહાપુરૂષોએ આચરણ કરીને કર્મક્ષય વગેરે જેટલુ ફળ મેળવ્યું હતું. તેટલું જ ફળ તેમના ગુણોની અનુમોદનાથી મળે છે. આશય શુદ્ધ હોવો જોઇએ. (૧૩૦). - ચ શબ્દ દેશી હોવાથી અપિ અર્થમાં આવેલ છે, તેના લીધે આવો અર્થ નીકળે છે કે અન્ય પ્રતિતિ પ્રાચીન જિનબિંબોની પણ વિશેષરીતે પૂજા કરવી જોઈએ. કારણ નવીનબિંબ કરવાભરાવવા કરતાં જીર્ણ થતાં બીજાએ ભરાવેલ બિંબને પૂજવામાં ઘણો લાભ છે. તેમની પૂજા જ કરવી, એટલું નહિં, પણ તેમનું રક્ષણ તેમજ વર્ધન - દ્રવ્યવિશેષથી નિર્મલ બનાવવા તેમજ દેવદ્રવ્યની રક્ષા વૃદ્ધિ કરવી. દેવદ્રવ્યનું ભક્ષણ કરવું, ઉપેક્ષા કરવી, પ્રજ્ઞાહીનતાથી અન્યખાતામાં ખતવી દેવું વિગેરે દોષનું વર્જન કરવું તે દેવદ્રવ્યનું રક્ષણ. ઉપદેશપદમાં: ચૈત્યદ્રવ્ય રક્ષણનું આ પ્રમાણે ફળ કહ્યું છે. જિન પ્રવચનની વૃદ્ધિ કરનાર જ્ઞાન દર્શન ગુણોને દીપ્ત કરનાર એવા જિનદ્રવ્યનું રક્ષણ કરનાર પરિમિત સંસારવાળો થાય છે. Page #102 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ ૯૧ જિનપ્રવચનવૃદ્ધિ કરનાર છે, - એટલે દેવદ્રવ્ય તેની સંતાન પરંપરાને અવિચ્છિન્ન ચલાવનાર હોવાથી, મુડી હોય તો વંશજો મંદિર સુધારી | સમારી શકે અને દર્શન વંદનથી જિનધર્મમાં જ રત રહે, નહિતો મંદિરના અભાવે અન્ય ધર્મી પણ થઈ જાય. એથી તે દ્રવ્યનો નાશ કરવામાં મહાન દોષ થાય છે. કહ્યું છે કે – દેવદ્રવ્ય અને સાધારણ દ્રવ્યનો જે મૂઢમતિ ભક્ષણ કરે છે તે “ધર્મને - નિઃસ્પૃહતા નામના ધર્મને” અને “તેનાં ભક્ષણથી કેવું ફળ ભોગવવું પડશે તે જાણતો નથી.” અથવા તેણે દેવદ્રવ્યનો દ્રોહ કરતા પહેલાંજ નરકાદિનું આયુષ્ય બાંધેલુ હોય છે. શ્રાવકે તો શું સાધુએ પણ તેનાં વિનાશમાં ઉપેક્ષા નહિ કરવી જોઈએ. જેથી ઉપદેશપદમાં કહ્યું છે કે... સ્વપક્ષ કે પરપક્ષ દ્વારા મંદિરનો નાશ થયો હોય કે મંદિર માટે ઉપયોગી કાષ્ઠ, ઉપલેપ (સિમેન્ટ-ચુનો) વિ. ઉપયોગી દ્રવ્ય બે પ્રકારનું હોય છે. નવીન અને લાવ્યા પછી ઉખાડી નાંખેલું અથવા થાંભલા કુંભી વગેરે મૂલ ઉપયોગી દ્રવ્ય છે. અને છત વિ. ઉત્તર ઉપયોગી દ્રવ્ય સમજવું. તેનો નાશ થતો હોય તેની ઉપેક્ષા કરે તો સાધુ અનંત સંસારી થાય છે. સાધ્વીના શીલનો ભંગ કરવો, ચૈત્યદ્રવ્યનો વિનાશ, પ્રવચન ઉડાહ અને ઋષિઘાત આ ચાર સમકિતનાં મૂળિયાને બાળવામાં અગ્નિ સમાન છે. અને મૂલ પ્રાયશ્ચિત્તના હેતુ છે. વર્ધન : વ્યાજ વિ.થી દ્રવ્યની વૃદ્ધિ કરવી, કહ્યું છે કે.. જિનપ્રવચનની વૃદ્ધિ કરનાર, જ્ઞાન દર્શન ગુણોની પ્રભાવના કરનાર, જિનદ્રવ્યને વધારનાર, જીવ તીર્થંકરપણાને મેળવે છે. ચૈત્ય, કુલ, ગણ અને સંઘનો જે આશંસા વિના ઉપકાર કરે છે. તે પ્રત્યેક બુદ્ધ, ગણધર કે તીર્થકર થાય છે. જે નિસ્પૃહ ચિત્તથી દેવદ્રવ્યની વૃદ્ધિ કરે છે તે ઉચ્ચકોટિની લક્ષ્મી ભોગવીને શાશ્વત સ્થાનને પ્રાપ્ત કરે છે. રદી રેન્ન – રત્ આ ક્રિયાનો સંબંધ સ્નાન, પ્રતિષ્ઠા વગેરે બધા સાથે કરવાનો છે, વળે તિ = તિ પદ પ્રકરણની પરિસમાપ્તિના અર્થમાં છે. _ “પ્રથમ સ્થાનકનું વિવરણ પૂરું” જ “જિનભવન નામે દ્વિતીય સ્થાન ) હવે અનુક્રમે આવેલાં બીજા સ્થાનની શરૂઆત કરાય છે. આને પૂર્વ સાથે આ પ્રમાણે સંબંધ છે. અંજનશલાકા દ્વારા પ્રતિષ્ઠિત જિનબિમ્બ માટે જિનગૃહની જરૂર પડે છે. માટે જિનભવનનું વિધાન આ બીજા સ્થાનક દ્વારા કહેવામાં આવે છે. जिणिदयंदाण य मंदिराई, आणंदसंदोहणिसंदिराई । रम्माई रुंदाणि य सुंदराई, भव्वाण सत्ताण सुहंकराई ॥२७॥ ગાથાર્થ - જિનેન્દ્ર ચંદ્રના આનંદ ધોધને ઝરાવતા, રમ્ય, વિશાળ, સુંદર મંદિરો ભવ્યજીવોને સુખ અથવા કલ્યાણ કરનારા છે. ll૨૭ળી વાસ્તુ શાસ્ત્રોક્ત પ્રમાણવાળા, સુંદર જિનાલયને દેખીને પ્રાણી આનંદ વિભોર અને પ્રફુલિત હૃદયવાળા થાય છે. માટે જિનાલયનું નિર્માણ કરવું જોઈએ. “આ કર્મ =જિનાલય | અને ક્રિયાનો = કરવા જોઇએ” નો ૩૬ મી ગાથા સુધી સંબંધ છે. ભવ્યનું અહીં ગ્રહણ કર્યું છે તે અભવ્યના નિષેધ માટે છે. કા.કે. તેઓને પાલકવિગેરેની જેમ જિનેશ્વરને સાક્ષાત દેખવા છતાં આનંદ જાગતો નથી. Page #103 -------------------------------------------------------------------------- ________________ ૯૨ મૂળશુદ્ધિ ભાગ-૧ मेरु व्व तुंगाइँ सतोरणाई, विसालसालासबलाणयाइं । सोपाण-णाणामणिमंडियाई, माणेक्क-चामीकरकुट्टिमाई ॥२८॥ ગાથાર્થ – મેરુ જેવાં ઉંચા તોરણવાળા, વિશાળ પટ્ટશાળાયુક્ત, જગતીથી નીકળવાના દ્વારવાળા તેમજ ચંદ્રકાંત વગેરે વિવિધ મણિઓથી મંડિત પગથીયા, મહારત્ન અને સોનાની ફરસવાળા (ભૂમિનળવાળા). विचित्तविच्छित्तिविचित्तचित्त, सच्छत्त-भिंगार-स(सु)चामराई । ससालाभंजी-मयरद्धइंध, वाउद्भुयाणेयधयाउलाई ॥२९॥ ગાથાર્થ – વિવિધલા-રચના તથા શોભતા ચિત્રવાળા જેમાં છત્ર (ત્રણ છત્રો પ્રભુત્રણે લોકના સ્વામી છે એવું સૂચન કરે છે,) શૃંગાર = કળશ (જેને હાથીના મોઢા જેવું નાળચું હોય છે) સ્નાત્રમાં ઉપયોગી ભાજન વિશેષ તથા સુંદર ચામરો વિદ્યમાન છે, એવા અને પુતળીયો તથા મકરધ્વજનાં ચિહ્ન વાળા, (અહીં કામદેવનું નિશાન કામનાં જય નું સૂચન કરે છે.) પવન દ્વારા ઉડતી-ફરકતી અનેક દેવકુલિકાની નાની નાની ધજાઓથી વ્યાપ્ત. કહ્યુ છે કે છત્તત – (૧૪૦) અર્થ - પ્રભુની ઉપર ત્રણ છત્ર ઇંદ્ર હાથમાં ધારણ કરીને રહેલ છે, તેનો જે સુવર્ણ નો દંડ છે, તે છત્રની ચારે બાજુ ચંચલહારમાળા લટકી રહી છે, “ત્રણ જગતના ધ્યેય આ જ દેવાધિદેવ છે, બીજા કોઈનો એવો અતિશય નથી,” આવું નિશ્ચયથી છત્રત્રય પ્રગટ કરે છે, તે માનવો ! એમાં તમે સંશય ન કરો. (૧૪૧) આ ઈન્દ્રધ્વજનું વર્ણન ચાલે છે, જેનો દંડ તપીને એકદમ ચોખ્ખા થયેલા અતિશય સુંદર વર્ણવાળા શ્રેષ્ઠ સુવર્ણમાંથી નિર્મિત છે, જેમાં સફેદ ધજા/વસ મંદપવનથી ફરકી રહી છે. એવો દેવોથી ગ્રહણ કરાયેલ મોટો ધ્વજ અરિહંતની નિશાની તરીકે આગળ વધે છે. જગતને જિતનારો ભડવીર યોદ્ધો એવાં દુર્જય કામદેવને પણ જે અરિહંત પ્રભુએ જિત્યો છે. એવું સૂચવે છે. (સર્વવિજયી હોવાથી મોટો ધ્વજ રાખેલ છે.) પવનથી ઉંચે લહેરાતી ધ્વજ-પતાકાસમૂહવાળા ! देवंग-पट्टेसुय-देवदूसउलोयरायंतनिरंतराई । विलोलमुत्ताहल-मल्लमालापालंबओउलकुलाऽऽकुलाइं ॥३०॥ પ્રધાન વસ્ત્ર, રેશમના દોરાથી બનેલું પટોળુ (પાંશુ) અને દેવદૂષ્ય વડે શોભતાં ચંદરવાવાળા, લટકતા ચંચલ મુક્તાફળ અને પુષ્પમાળાઓના ઝુલતા (મુકી પ્રમાણ કુલોમાં રહેલ) પુષ્પ ગુચ્છાના સમૂહથી વ્યાપ્ત = ચાર કોર ભરેલાં. પૂ-ભૂથિ-વસ્તુદી-તરત-સંબં-શુંશુમાdf | डझंतकालागरुसार धूयणीहारवासंतदिगंतराइं ॥३१॥ કપૂર, કસ્તુરી, કુંદુરુફક = સુગંધિ દ્રવ્ય વિશેષ, સીહલક-આ પણ સુગંધિ દ્રવ્ય છે, શ્રેષ્ઠચંદન અને કેશરનો બનેલો બળતો કાલાગ ધૂપની મહાગંધથી દિશાઓને સુવાસિત કરનારા. Page #104 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ ૯૩ चउव्विहाऽऽउज्जसुवज्जिराइं, गंधव्व-गीयद्धणिउद्धराई । णिच्चं पणच्चंतसुनाडगाई, कुइंतरासासहसाऽऽउलाई ॥३२॥ वंदंत पूयंत समोयरंत, रंगंत वग्गंत थुणंतएहि । णच्चंत गायंत समुप्पयंत, उक्किट्ठिनायाइकुणंतएहि ॥३३॥ देवेहिंदेवीहि य माणवेहि, नारी तिरिक्खेहि य उत्तमेहिं । भत्तीऐ कोऊहल णिब्भरेहि, लक्खेहिँ कोडीहि समाकुलाई ॥३४॥ ગાથાર્થ – તત-વીણાવિગેરે, વિતત- તબલાવિ., ઘન-તાલ-મંજીરાવિ., શુષિર - વાંસળી વગેરે આવા ચાર પ્રકારનાં વાજીંત્રના પડઘાથી સંગીત લહેરાવતા ગંધર્વ અને મનુષ્યના ગીતના મૂડ્ઝના વગેરે ગીત ધ્વનિથી અતિશય સોહામણા શાનદાર નાટકો ભક્તજનોવડે સદા જેમાં થઈ રહ્યા હોય. હજારો લોકો ઉછળીને જેમાં રાસડા લેતાં હોય, ગરબા ગાતાં હોય, ચૈત્યવંદન કરતા, પૂજા કરતાં, આકાશથી ઉતરતાં, અહીં તહીં ધીરે ધીરે ચાલતાં, કૂદકા મારતાં, સ્તુતિ કરતાં, નૃત્ય કરતાં, ગીત ગાતાં, આકાશમાં ઉડતા, સિંહનાદ વિ. મોટા નાદને કરતાં, તથા ભક્તિ અને કૌતુકવાળાં એવાં લાખો ક્રોડો પ્રધાન દેવ દેવી વિદ્યાધર મનુષ્યો અને ઉત્તમજાતિના તિર્યચોથી ખીચોખીચ ભરેલા ! કયા જિનાલયોને દાખલારૂપે લઈ દેરાસર બનાવવા જોઈએ? એથી કહે છે विमाणमाला-कुलपव्वएसं, वक्खार-नंदीसर मंदरेसुं । अट्ठावए सासय-ऽसासयाई, जिणालयाई व महालयाई ॥३५॥ દેવલોકનાં વિમાનની શ્રેણી, હિમવંત વગેરે વર્ષધર પર્વત, વક્ષસ્કાર, આઠમો નંદીશ્વર દ્વીપ, મેરુપર્વત, અયોધ્યાની નજીક વૈતાઢયના માર્ગમાં આવેલ અષ્ટાપદ પર્વત, ઉપલક્ષણથી શત્રુંજય વિ. ઉપર રહેલાં શાશ્વતાં - અશાશ્વતાં ચૈત્યો જેવાં, આવા પ્રકારના મહાન તથા શોભાદાયક મંદિરો બનાવવા. તે કયા સ્થાનોમાં બનાવવાં તે નીચેની ગાથાથી જણાવે છે. उत्तुंगसिंगेसु महागिरीसु, पुरेसु गामा-ऽऽगर-पट्टणेसु । पए पए सव्वमहीयलम्मि, गिही विहाणेण विहावएज्जा ॥३६॥ ગાથાર્થ = ગગનચુંબી ગિરનાર જેવાં પર્વતનાં શિખરો ઉપર, તેમજ અયોધ્યા, અવન્તી વગેરે પુર, શાલિગ્રામ વગેરે ગ્રામ બુદ્ધિ વગેરે ગુણોને ખાઈ જાય તે ગામ, જ્યાં મીઠું વગેરે પેદા થતું હોય તે શાકંભરી વિ. આકર સ્થાનમાં, જલ અને સ્થલ બને માર્ગથી યુક્ત તે ભરુચ વગેરે પત્તનમાં, ઘણું શું કહીયે, ડગલેને પગલે વિધિપૂર્વક મંદિરો બનાવી ગૃહસ્થ ભૂમિને મંડિત કરવી જોઇએ. ગૃહસ્થ જ આ કરવાનું છે. પંચાશક ગ્રન્થમાં જિનભવનના વિધિમાં કહ્યું છે કે ... સુખીસ્વજનવાળો, કુલવાન, પૈસાદાર, અતુચ્છ-હલકા નહિ પણ ઉમદા વિચારવાળો, બુદ્ધિશાળી, બલવાન, મતિમાન, ધર્મરાગી, ગુરુપૂજા કરવામાં રુચિ ધરાવનાર, શુશ્રષા-સાંભળવાની ઇચ્છાવિ. ગુણોથી યુક્ત, જિનાલય કરાવવાની વિધિને જાણનારો, આજ્ઞાપ્રધાન એવો ગૃહસ્થ જિનભવન નિર્માણમાં અધિકારી છે. અયોગ્ય-અનધિકારી વડે કરાતું જિનભવન દોષ માટે થાય છે. હરિભદ્રસૂરિ પંચાશકમાં દર્શાવે છે કે - અધિકારીએ જ આ કરવું જોઈએ. આજ્ઞાભંગાદિ દોષનું વર્જન કરવું જોઈંએ, ધર્મ આજ્ઞાની સાથેજ રહેલો છે. આજ્ઞાની આરાધનાથી પુણ્ય અને વિરાધનાથી Page #105 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ પાપ થાય છે. આ ધર્મ રહસ્ય બુદ્ધિશાળીએ જાણવું જોઈએ. વિધિથી કરાતું અનુષ્ઠાન જ ફળદાયક બને છે. કહ્યું છે કે .... . વિધિથી કરાતું સર્વ ધર્માનુષ્ઠાન ફળ આપનારું બને, માટે તેમાંજ યત્ન કરવો જોઈએ ! (૨૭૩૬) શ્લોકનો અર્થ પૂરો. કેવી સંપત્તિથી કેવા ચિત્તથી કેવા આદરભાવથી તેમજ કોનો દાખલો લઈ જિનભવનો કરાવવા, હવે તે જણાવે છે... जन्मंतरोवत्तमहंतपुण्णसंभारसंपत्तसुसंपयाए । सुहासएणं परमायरेणं, संकासजीवो णिवसंपई वा ॥३७॥ ગાથાર્થ – જન્માંતરમાં ઉપાર્જેલ મોટા પુણ્ય દ્વારા પ્રાપ્ત શ્રેષ્ઠ લક્ષ્મીથી તેમજ શુભ આશયથી અને પરમ આદરથી સંકાશ શ્રાવક કે સંપ્રતિ રાજાની જેમ જિનભવનો બનાવવા જોઈએ. / I જેથી કહ્યું છે કે – હું જિનાલય બનાવીશ તો અહિં પરમાત્માના દર્શન વંદન માટે પુણ્યશાળી, ઐશ્વર્યાદિવાળા, ગુણરત્નના ભંડાર, મહાસત્ત્વશાળી એવાં સાધુઓ આવશે, તો મને પણ તેઓશ્રીના દર્શન વંદનનો લાભ મળશે.” આવી શુભ ભાવનાથી જિનાલય બનાવવું જોઈએ. પણ અશુભ ભાવથી ન બનાવવું, કારણ કે સંકલિષ્ટ ચિત્તવાળો, ધર્માનુષ્ઠાન કરવા છતાં તેનાં ફળને મેળવી શકતો નથી. ઉપદેશપદમાં કહ્યું છે. અશુભ આશયવાળાને તપ, સૂત્ર, વિનય, પૂજા રક્ષણ માટે થતાં નથી. જેમાં ક્ષપક, આગમન, વિનયરન અને કુંતલાદેવી જેવા ઉદાહરણો પ્રસિદ્ધ જ છે. અશુભમનવાળો જે પુણ્ય (ધર્મ) કરે છે, તે દોષ કરનારું બને છે. જેમ નવા તાવમાં આપેલ સારી દવા નુકશાન કરે છે તેમ. તેમજ સર્વ ક્રિયા આદરપૂર્વક કરવી જોઇએ. અનાદરથી કરાતું ઈહલોક સંબંધી કાર્ય પણ ફળ આપવા સમર્થ બનતું નથી. તો પછી પરલોકમાં સુખકારી એવાં ધર્મ અનાદરથી કરીએ તો ક્યાંથી ફળ આપનાર બને? દેવદ્રવ્યનું ભક્ષણ કરનાર સંકાશ શ્રાવક અને મોર્યવંશમાં પેદા થયેલ સંપ્રતિરાજાના કૃત્યનો ભાવાર્થ જાણવા; તેની કથા કહે છે. (“સંકાશ શ્રાવક કથા) આજ જંબુદ્વીપમાં નગરી યોગ્ય અનેક ગુણોથી ભરેલી ગંધિલાવતી નામે નગરી છે. તેમાં સમકિત સાથે બાર વ્રતને સ્વીકારનાર, જીવાદિપદાર્થને જાણવાવાળો, સર્વજ્ઞભાષિત અનુષ્ઠાનમાં રક્ત, સુસાધુઓનો ભક્ત, જેનાં શરીરનાં રોમેરોમમાં જિનશાસને વસેલું છે, સુપાત્ર દાન દેવામાં મગ્દલ, શત્રુમિત્રને સરખા ગણનારો, જિનવંદન પૂજામાં યત્નશીલ-આસક્ત, એટલે કે સર્વ ગુણ સમુદાયનો આધાર, એવાં પવિત્ર મનવાળો સંકાશ નામે શ્રાવક છે. ત્યાં શક્રાવતાર નામે જિનાલય છે. તે પવનના કારણે ઉંચા શિખરે ફરકતી ધજાવાળું, સેંકડો સુંદર આકૃતિઓથી ભરપૂર, શરદઋતુના વાદળાં જેવું સ્વચ્છ છે. તેનાં વહીવટમાં ઘણું દ્રવ્ય જમા રહેલું છે. જાણે કૈલોક્યની લક્ષ્મીની શોભાના સમુદાયનાં સારભૂત પદાર્થથી ઘડેલું એવું જિનભવન છે. Page #106 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ ૯૫ તેમાં તે સંકાશ શ્રાવક દ૨૨ોજ પ્રભુભક્તિ કરે છે. વ્યાજ વિગેરે થી દ્રવ્યની વૃદ્ધિ કરે છે. નામુ પણ જાતેજ કરે છે. હિસાબ-કિતાબ પોતે જ કરે છે. આ વિશ્વાસુ માણસ છે. એમ સમજી કોઈપણ તેને દ્રવ્યાદિ બાબતમાં પૂછપરછ કરતું નથી. એમ કેટલોક સમય વીતતાં અશુભ કર્મને વશ થઈ સંકાશે દેવદ્રવ્યનું ભક્ષણ કર્યું. પ્રમાદ અને વિષયવૃદ્ધિનાં કારણે પશ્ચાતાપ પણ ન થયો. અને આલોચના, નિંદા, ગર્હા પણ ન કરી. (પ્રાયશ્ચિત્ત લઈને આદર્યુ નહિં.) પ્રતિકારનાં અભાવે તેનાં નિમિત્તે તેણે ઘણું અશુભકર્મ બાંધ્યું. આયુષ્યની દોરી તૂટતાં તે કર્મનાં લીધે ચારે ગતિમાં ભટક્યો, હંમેશને માટે અંધારાથી અવરાયેલ, ચરબી, મજ્જા, માંસ, પરું થી કાદવવાળા (ખરડાયેલ), મૃત માણસનાં કોહવાઈગયેલાં કલેવર સરખી નાક-માથુ ફાટી જાય તેવી ગંધવાળા, જાણે મનુષ્યના પુણ્યસમૂહનો ઘાત કરાતો હોય તેવાં કરુણા શબ્દથી વ્યાસ, કોઠાના વૃક્ષ જેવાં સ્પર્શવાળા તથા અનિષ્ટ રૂપ-૨સવાળા નરકાવાસમાં તીક્ષ્ણ છુરી ભાલથી છેદાતો ને ભેદાતો, કુંભીઓમાં પકાતો, શૂળી ઉપર પરોવાતો, આગથી ધગધગતી લોઢાની નારી સાથે સ્પર્શ કરાવાતો, ધોબી જેમ વસ્ત્રોને શિલા ઉપર પટકે તેમ તેનાં અંગે અંગ શિલા ઉપર પછડાઈ રહ્યા છે. તપેલી રેતીના માર્ગ ઉપર જ્વાલાથી વ્યાપ્ત લોઢાનાં રથમાં જોતરાતો, વળી તરસ્યાં થતાં શીશું તાંબુ અને લોઢાના રસોને બળજબરીએ પરમાધામીઓ તેને પીવડાવે છે. તે કરવત તથા યંત્ર વિ.થી જુના લાકડાની જેમ કપાય છે. પાડાની જેમ આગમાં નંખાય છે. વૈતરણી નદી, અસિપત્રવાળા વનમાં ઘણાં દુઃખ સંકટ પ્રાપ્ત કરતો એવા તેણે ઘણો કાળ પસાર કર્યો. ।।લા તિર્યંચ યોનિમાં વનદાહ વિ.થી બળ્યો, કાન, નાક વિ. ઉપર ચિહ્નો કરાયા. છેદાયો, ભેદાયો, નાકમાં છિદ્ર કરી નાથવામાં આવ્યો. લાકડી, ચાબુક વિ.ના પ્રહાર પડ્યા. ભારવહન કર્યો. ચુંકણ નાનો પાતળો ખીલો ઘોબાયો, અકાલે મરણ પામ્યો, ઇન્દ્રિયોનું દમન કરાયું - ખસી કરાઇ, ભુખ્યો તરસ્યો રહ્યો, ઠંડી ગરમી સહન કરી, અને ગાઢ બંધને બંધાયો, ઇત્યાદિ નરક જેવાં ભારે દુઃખો તેણે સહન કર્યા. = મનુષ્યગતિમાં હાથ, પગ, જીભ, તથા નાસિકાનો છેદ થયો, જેલમાં સપડાવું, અપરાધ વિના પણ નેત્રો ખેંચાવા તથા વધને પામવું, મહાભયંકર રોગ શોક દારિદ્રથી પીડાતો તેમજ આગની જવાલાથી દાઝેલાં અંગવાળો, સર્વ ઠેકાણે તિરસ્કારને પાત્ર, દીન-લાચાર બનીને રહ્યો. દેવગતિમાં કિલ્બિષિકપણું, (હલ્કીકોટિના દેવો) ઈર્ષ્યા, વિષાદ,ભય, અન્યની આજ્ઞાનું પાલન વિ. વિષમ દુઃખોને તેણે સહન કર્યા. ત્યાર પછી આ જંબુદ્વીપમાં તગરા નગરીમાં ઈલ્યપુત્ર તરીકે ઉત્પન્ન થયો. શેષ રહેલાં અશુભ કર્મના કારણે પિતાનું પણ નિધન થયું. “આ કમભાગી છે.” એમ લોકો તેને નિંદવા લાગ્યા. પિતાના મૃત્યુ પછી ઘણી જાતનાં ધંધા કરવા છતાં રોટલા જેટલું પણ રળી શકતો નથી. તેથી જ્યાં જ્યાં હાથ નાખે ત્યાં આંગળી દાઝે છે. તેથી તે ખૂબજ ખિન્ન થયો. એક વખત ત્યાં કેવલી ભગવંત પધાર્યા. દેવતાઓએ સુવર્ણ કમલ રચ્યું. નગરજનો વંદન માટે Page #107 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ ગયા. “ત્રણ કાલને જાણનારા કેવલી પધાર્યા છે.” એવી વાત નગરમાં પ્રસરી તે સાંભળી સંકાશ પણ વાંદવા ગયો. 1 કેવલી ભગવંતે દેશના આપી ! અસાર સંસારમાં ભમતાં જીવોનું જે અન્યભવમાં ઉપાર્જન કરેલું કર્મ છે, તેને કોઈ નાશ કરી શકતું નથી. જગતમાં જીવોને જે મહાભયંકર દુઃખ પ્રાપ્ત થાય છે. તે સર્વ અન્ય ભવમાં ઉપાર્જન કરેલાં પાપકર્મનું ફળ છે. . આ અરસામાં પ્રસ્તાવ (અવસર) જાણી સંકાશે પૂછયું - હે ભગવન્! જો આ પ્રમાણે છે તો મેં અન્યભવમાં શું પાપ કર્મ કરેલું કે જેનો આવો દારુણ વિપાક હું ભોગવું છું. ત્યારે કેવલી ભગવંતે વિસ્તાર પૂર્વક દેવદ્રવ્યના ભક્ષણથી થયેલી ભારે દુઃખવાળી પૂર્વભવની પરંપરા કહી. તે સાંભળી સંવેગ પામેલો સંકાશ આત્માને નિંદવા લાગ્યો. હા હા ! હું અનાર્ય, પાપિઇ, લજજા વગરનો, અકૃતાર્થ (કોઈપણ જાતની સફળતાની પ્રાપ્તિ વગરનો), નિર્મ, મર્યાદા વગરનો, પુરુષાધમ અધન્ય છું. જે કારણે મેં મનુષ્ય જન્મમાં કુલ, શીલ, નિજ ધર્મ પ્રાપ્તકરીને, સિદ્ધાંતને જાણીને પણ લોભ વશ થઈ મૂઢમને દેવદ્રવ્ય ભોગવ્યું, જે આવા દુઃખ આપનારું થયું. તેથી ભગવન્! મને કોઈ ઉપાય બતાવો. જેનાથી વિચારતા પણ ભય ઉપજાવે એવા તે કર્મને સર્વથા ક્ષય કરી દઉં. (૨૦) ભગવાન બોલ્યા - ચૈત્યદ્રવ્યની વૃદ્ધિ કર !" જેથી તે કર્મ દૂર થઈ જાય, તેથી તેણે કેવલી ભગવંતના ચરણમાં અભિગ્રહ લીધો કે ભોજન વસ્ત્ર પાત્રના ખર્ચને મૂકી બાકી જેટલું દ્રવ્ય હું કમાઉં તે સર્વ ચૈત્ય દ્રવ્ય કરીશ. ત્યાર પછી અચિન્હ માહાભ્યથી અભિગ્રહથી ઉપાર્જિત કુશળકર્મવાળા તેનો વૈભવ વધવા લાગ્યો. ચૈત્ય નિમિત્તે જેવી રીતે ઉપયોગી બને તેમ કરીશ. વૈભવ વિસ્તાર જોઈ હર્ષાવેશથી વધતાં જતાં શુભ પરિણામના લીધે રોમાંચિત ગાત્રવાળો જિનભવન વિ.માં સ્નાત્રપૂજન બલિવિધાન વિ. કરે છે. અષ્ટાલિકા મહોત્સવ પ્રવર્તાવે છે. જિનાલયો અક્ષયનિધિ કર્યા (જિનાલયોના ભંડારો ધનથી ભરપૂર કર્યા) અને જીર્ણોદ્ધાર કરાવે છે. એ પ્રમાણે અમ્મલિત રીતે પ્રવૃત્તિ કરવા છતાં લક્ષ્મી ઘણી વધવા લાગી ત્યારે નિરતિચાર અભિગ્રહ પાળવાની બુદ્ધિથી પ્રસ્તુત પ્રકરણમાં વર્ણવેલાં જિનાલયો સરખા અનેક જિનભવનો કરાવ્યા. તેમાં પૂર્વે વર્ણિત તેવાં જિનબિમ્બો પ્રતિષ્ઠિત કર્યા. ભય જોયેલો હોવાથી પ્રયત્નથી જિનાલયના પરિભોગથી દૂર રહે છે. આજ કથાનકમાં ઉપદેશપદમાં કહ્યું છે કે .... નિઠિવણાઈ અકરણો” થુંકવું, ઝાડો, પેશાબ, ભોજન વિ.નો ત્યાગ અસક્કહા-વિકથા, અનુચિત આસને બેસવું તેમજ સુવું ઇત્યાદિનો જિનાલયમાં ત્યાગ કરવો. તેમાં દેવો ઉદાહરણરૂપે છે. વિષયવિષને વશ થયેલાં ઉત્કટરાગવાળા દેવો પણ જિનાલયમાં ક્યારે પણ અપ્સરા સાથે હાસ્યક્રીડા વિ. કરતા નથી. જેમ તે દેવો નથી કરતા તેમ આજના પુરુષોએ પણ સ્ત્રીઓ સાથે તે બધાનું જિનાલયમાં વર્જન કરવું. એ પ્રમાણે તે મહાનુભાવ આશાતનાને વર્જતો વિધિમાં તત્પર બની ધર્માનુષ્ઠાન કરતો જ ભવપર્યન્ત વિશુદ્ધ રીતે અભિગ્રહ પાળી આરાધક થયો. “ઇતિ સંકાશ કથા સમાપ્ત” સંકાશની કથા પુરી થઈ, હવે સંપ્રતિરાજાની કથા કહેવાય છે... Page #108 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ (સંપ્રતિરાજા કથાનક ) સુર અસુર વ્યંતર વિદ્યાધર ચક્રીઓ વડે વંદિત ભરતવર્ષમાં અપચ્છિમ વીર જિનેશ્વર હતા. તેમણે લાંબુ આયુષ્ય જાણી પોતાનાં પદે સુધર્માસ્વામીને સ્થાપ્યાં. તેમનાં જાંબુનદ સમા તેજવાળાચરમ કેવલી જબુસ્વામી નામે શિષ્ય હતાં. અને તેમનાં પ્રભવસ્વામી નામે શ્રુતકેવલી શિષ્ય હતાં. તેમનાં શિષ્ય શäભવસ્વામી જે ભવોદધિ તરવા માટે શય્યા (નાવ) સમાન છે એટલે કે સંસારથી તારનાર છે. કારણ કે જેમણે મનક માટે દશવૈકાલિક સૂત્રનો પૂર્વમાંથી ઉદ્ધાર કર્યો. તેમનાં શિષ્ય યશોભદ્ર સૂરિ, તેમના શિષ્ય સંભૂતિસૂરિ, તેમનાં ભદ્રબાહુ સ્વામી, તેમની પાટે સ્થૂલિભદ્ર થયા. જે અનેક ગુણોનાં પ્રભાવે પૂજાયેલાં આ ભરતક્ષેત્રમાં આ અવસર્પિણના છેલ્લા ચૌદ પૂર્વધર હતા. અનેક ગુણોથી અલંકૃત તેમજ જેઓ કામરૂપીહાથીના કુંભને ભેદવામાં દ્રઢદાઢા અને ખુલ્લા મુખવાળા, ખરખવાળા સિંહકિશોર સમ હતા. તેમનાં બે શિષ્યો દશપૂર્વી આર્યમહાગિરિજી અને આર્ય સુહસ્તિસૂરિજી હતા. સ્થૂલભદ્રસ્વામીએ બન્નેને જુદા જુદા ગણ આપ્યા હતા.છતાં બન્નેમાં પ્રીતિ ઘણી હોવાથી સાથેજ વિચરતા હતા. એક વખત વિચરતાં વિચરતાં કૌશાંબી નગરીમાં પધાર્યા. ત્યાં નાની વસતિનાં કારણે અલગઅલગ રહ્યા, પણ ત્યાં તે વખતે ભારે દુષ્કાળ ફેલાયેલો હતો. આર્યસુહસ્તિનાં સાધુ ભિક્ષા માટે સંપત્તિશાળી ધનસાર્થવાહનાં ઘેર ગયાં, સાધુને આવતાં દેખી પરિજન સાથે શેઠ સહસા ઉભા થયા અને સાધુને વાંદ્યા અને શેઠાણીને કહ્યું કે “સિંહકેસરીયા લાડુ” વિ. ઉત્તમજાતિનો આહાર લાવ. જેથી સાધુ મહાત્માને વહોરાવું. વચન સાંભળતા જ શેઠાણી સર્વ ઉત્તમ આહાર લઈ હાજર થયાં. હર્ષવિભોર થઈ વિકસિત વદને મુનિઓને વહોરાવ્યું. દરવાજા સુધી શેઠ સાથે ગયા. આ સર્વ હકીકત એક ભીખારીએ જોઈ. તે જોઈને વિચારવા લાગ્યો, આ જીવ લોકમાં આ સાધુઓજ કૃતાર્થ છે. જેમને આવાં ધનકુબેરો પણ નમે છે.અને દારુણ દુષ્કાળમાં પણ મૃત્યુ લોકમાં દુર્લભ એવાં વિવિધ પ્રકારનાં આહારને પ્રાપ્ત કરે છે. અનેક રીતે દીનતા દાખવવાં છતાં (મસ્કા મારવાં છતાં) કોળીયા જેટલું હલકું અન્ન પણ અધન્ય એવાં મને પ્રાપ્ત થતું નથી. ક્યારેક કોઈક આખો દિવસ દીનવચનો બોલતા કોળીયા જેટલું ખરાબ અન્ન આપે તો પણ ઘણો આક્રોશ કરે, તેથી યથેચ્છિત મેળવેલ આહારમાંથી મુનિ પાસે થોડું માંગુ, મુનિ કરુણાથી કાંઈક આપશે. . એવું વિચારી તે સાધુ પાસે તેણે આહાર માંગ્યો. સાધુઓએ કહ્યું જ્યાં સુધી ગુરુદેવ આજ્ઞા ન આપે ત્યાં સુધી અમે આના સ્વામી નથી. તેથી આ બાબતમાં ગુરુભગવંત જ જાણે. ભીખારીએ સાધુની પાછળ ગુરુ પાસે જઈ ભોજન માંગ્યું. ત્યારે શ્રુત ઉપયોગ મૂકી આર્યસુહસ્તિસૂરિએ જાણ્યું કે “આ જિનશાસનનો આધાર બનશે.” પછી તેને કહ્યું કે જો તું દીક્ષા લે તો ઈચ્છિત આહાર આપું. તેણે હાં પાડી એટલે દીક્ષા આપી. અવ્યક્ત સામાયિક આપી ઈચ્છા પ્રમાણે ભોજન કરાવ્યું. ત્યાર પછી સ્નિગ્ધ આહારના લીધે વિપૂચિકા (કોલેરા) થઈ. મહાવેદનાથી ઘેરાઈ જવા છતાં આયુષ્ય ક્ષય થતાં મરીને Page #109 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ અવ્યક્ત સામાયિકના પ્રભાવે “અંધકુણાલનો પુત્ર થયો. તે કુણાલ કોણ હતો? તે અંધ કેવી રીતે થયો. તે કહે છે... આ ભરતક્ષેત્રમાં ગોલ્લ દેશમાં ચણક ગામ છે. ઋગ્વદ, યજુર્વેદ, સામવેદ, અથર્વણ વેદને જાણનારા, શિક્ષા, વ્યાકરણ, કલ્પ, છંદ, નિરુક્ત - વેદાંગશાસ્ત્ર વિશેષ અને જ્યોતિષમાં વિદ્વાનું, મીમાંસાનો જ્ઞાતા, ન્યાયવિસ્તારનો વેત્તા અને પુરાણ વ્યાખ્યાનમાં નિપુણ, ધર્મશાસ્ત્રનાં વિચારમાં ચતુર ચણી નામે બ્રાહ્મણ છે. જે મહાશ્રાવક છે. તેનાં ઘેર શ્રુતસાગર નામનાં સૂરીભગવંત રહ્યા. તેની પત્ની સાવિત્રીએ દાઢાવાળાપુત્રને જન્મ આપ્યો હતો. બાર દિવસ થતા તેનું ચાણક્ય નામ પાડ્યું. તે પુત્રને સૂરીશ્વરનાં ચરણસ્પર્શ કરાવ્યા અને દાઢાની વાત કરી. આચાર્યે કહ્યું “આ રાજા થશે.” બ્રાહ્મણે ઘેર જઈ વિચાર્યું આ તો મોટું કષ્ટ આવ્યું કે મારો પુત્ર થઈને પણ અનેક અનર્થ તથા મહાઆરંભ વિ. પાપસ્થાનના કારણભૂત એવાં રાજ્યને કરશે. તેથી આવું કરું કે જેથી આ રાજ્યને ન કરે ! તેથી તે પુત્રની દાઢાને શિલાથી ઘસી નાંખી અને ગુરુને તે બીના કહી. ગુરુએ કહ્યું તે ખરાબ કર્યું. અન્યભવનાં કર્મથી ઉપાર્જિત જે સુખ કે દુઃખ આ જીવલોકમાં જે જીવને પ્રાપ્ત કરવાનું હોય તે નાશ કરવા કોઈ શક્તિમાન નથી. “જે કર્મ, જેણે જયારે, જે રૂપે, બાંધ્યા હોય તે કર્મ તેણે ત્યારે તે રીતે ભોગવવાનું હોય છે.” એમાં કોઈ સંશય નથી. કુલપર્વતને ભેદી નાંખે એવાં વેગવાળા તરંગોથી સામે આવતો સમુદ્ર અટકાવી શકાય. પણ અન્ય જન્મમાં પેદા કરેલા શુભાશુભ દિવ્ય પરિણામ કોઈ ફેરવી ન શકે. તેથી આ બાળક પડતરિએણ - પર્દાની પાછળ રહી રાજા જેવું કામ કરનાર અવશ્ય થશે. (એટલે પ્રગટ રીતે રાજા નહિ બને પણ સર્વ સત્તા તેનાં હાથમાં હશે.) તે ચાણક્ય અનુક્રમે યૌવનવય પ્રાપ્ત કરી ચૌદ વિદ્યાનો પારગામી થયો. સમાનકુલ શીલવાળી સ્ત્રી સાથે લગ્ન લેવાયાં. પિતા મૃત્યુ પામ્યા. શ્રાવક હોવાના લીધે અલ્પધન સામગ્રીમાં સંતોષ માનવાવાળો હતો. એ પ્રમાણે કાલ જતાં એક વખત પત્ની ભાઈનાં લગ્ન પ્રસંગે પિયરે ગઈ. પૈસાદારને ત્યાં પરણાવેલી તેણીની અન્ય બહેનો પણ આવી. તેઓનો મા-બાપે બધા પ્રેમ આદરભાવ કરવા લાગ્યા. કોઈ તેમના પગ ધોવે છે. કોઈ સુગંધી તેલથી માલિશ કરે છે. વિવિધ પ્રકારની (ઉવર્તન) સુગંધી વસ્તુથી-ચણાનો લોટ વગેરે માલિશ દ્રવ્યથી મેલ દૂર કરે છે. કોઈ હરાવે છે. કોઈ વળી વસ્ત્ર, ઘરેણાં વિગેરે આપે છે. ભોજન શયનમાં પણ કુટુંબજનો પ્રયત્નથી ગૌરવ આપે છે. અને બધા ઘણા જ આદરભાવથી એમની જોડે અનેક જાતના ઉલ્લાસ કથા = વાતોચીતો કરતા બોલે છે. ચાણક્યની પત્ની તો નિર્ધન હોવાથી વચનમાત્રથી પણ કોઈ ગૌરવ આપતું નથી. તેનો કોઈ ભાવ પણ પૂછતું નથી. તેમજ તેનું કોઈ કામ કરતું નથી. એકલીજ એક ખૂણામાં બેસી રહે છે. વિવાહ પૂરો થતાં વિદાય આપવાં અન્ય બહેનોને તો વિશિષ્ટ જાતિનાં વસ્ત્ર, આભરણો આપી આદર સત્કાર કર્યો. પણ પેલીને (ચાણક્યની પત્નીને) તો સામાન્ય થોડા વસ્ત્રો ઓપ્યા. તેણીને મનમાં લાગ્યું કે દારિદ્રયને ધિક્કાર હો. જેને લીધે મા-બાપ પણ આવો તિરસ્કાર કરે છે. આર્ત - દુર્વાર પીડાને વશ થયેલી મહાચિંતા સાગરમાં ડૂબેલી સાસરે ગઈ. Page #110 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ સંપ્રતિ કથા ચાણક્ય જોયું અરે ! આ તો પિયરથી આવી છતાં ખિન્ન-ગમગીન મનવાળી દેખાય છે. એને ખેદનું કારણ પૂછ્યું, પણ તે કાંઈ બોલી નહિં, આગ્રહથી પૂછતા તે બોલી કે હું દરિદ્ર એવાં તમારે પનારે પડી છું. જેથી મા-બાપે પણ તિરસ્કાર કર્યો. તેથી મને અકૃતિ-ખેદ થયો. ત્યારે ચાણક્યે વિચાર્યું આ વાત તો સાંચી છે. કારણ અર્થ - ધન જ ગૌરવને યોગ્ય છે, ગુણો નહિં. કહ્યું છે કે.. “ઉત્તમજાતિ ધરતીમાં જાઓ, ગુણસમૂહ તેમાંથી પણ નીચે ઉતરો, શીલ, સદાચાર પર્વતથી પડો. અભિજનો - સ્વજનો (કુલ) અગ્નિથી બળી જાઓ, શૌર્ય રૂપ વૈરી ઉપર વજ્રઘાત થાઓ, અમને તો માત્ર પૈસા મળી જાય તો બસ છે. કારણ કે તેનાં એકના વગર આ સર્વે ગુણો તણખલા તુલ્ય છે.’’ તથા. 22 ધનથી નીકુલવાળો ઉચ્ચકુલવાળો થઈ જાય છે. ધનથી જ માણસો પાપથી નિસ્તાર પામી જાય છે. (ગુન્હો કર્યા પછી પૈસા ખવડાવી જેલ વિગેરેથી બચી જવાય છે.) લોકમાં ધનથી અધિક વધારે કશું જ નથી, માટે ધનને ઉપાર્જિત કરો. વળી જ્ઞાન અને ગુણથી ભરપુર પણ ધન વગરનો માણસ પૂજા પામતો નથી. ધનવાન નીચ (ખરાબ આદતોવાળો ઈત્યાદિ) પણ લોકમાં ગૌરવને મેળવે છે. નિર્ધન માણસના કુલ, શીલ, શૌર્ય, સુંદરતા, બોલવાની કુશલતા, મીઠા વચનો, આ સર્વે નાકામા નીવડે છે. ધનવાનનું કડવું વચન પણ અમૃતની જેમ ગ્રહણ કરાય છે, જ્યારે નિર્ધનનું કલાકલાપવાળુ વચન પણ સ્વીકારાતું નથી. (૨૪) જેની પાસે ધન હોય, લોકો પણ તેનાં થાય છે. ધનવાનનાં ઘણાં ભાઇઓ બની જતાં હોય છે. (તેમની સાથે ઘણા માણસો સ્વજન જેવો વ્યવહાર કરવા લાગે છે.) ત્યારે નિર્ધન માણસ દાસ સમાન બને છે. સમસ્ત ભુવનમાં સમર્થ સંસાર છોડેલા એવાં મુનિનાથની જેમ આ અર્થને વિદ્વાન માણસો પૂજે છે. આ (ધન) આવવાથી નહિં રહેલાં પણ ગુણો આવે છે. અને તેનાં જવાથી રહેલાં ગુણો પણ જતાં રહે છે. સર્વગુણસમૂહ સાથે આ લક્ષ્મી જોડે છે. તેથી તે લક્ષ્મી જય પામો. તેથી સર્વપ્રકારે-કોઈ પણ હિસાબે ધન પેદા કરવું જોઈએ. પાટલીપુત્ર નગરમાં નંદ નામે રાજા છે. તે બ્રાહ્મણોને સોનું આપે છે. તેથી હું ત્યાં જાઉં એ પ્રમાણે મનમાં ધારી ચાણક્ય ત્યાં ગયો. દિવ્ય / દૈવ યોગે દ્વારપાલોના પ્રમાદથી તે રાજસભામાં પહોંચી ગયો. ત્યાં રાજા માટે તૈયાર થયેલું સિંહાસન જોયું. તેનાં ઉપર બેસી ગયો. એટલામાં સ્નાન કરી સર્વ અલંકારોથી ભૂષિત થઈ નૈમેત્તિક સાથે રાજા ત્યાં આવ્યો. ચાણક્યને જોતાં નૈમેત્તિક બોલ્યો કે રાજન્ ! આવાં પ્રકારના મુહૂર્તમાં આ રાજસિંહાસન ઉપર બેઠો છે જે મુહૂર્તમાં તે નંદવશંની છાયાનો તિરસ્કાર કરી સ્થિત થયો છે. (નંદવંશની કાંતિને દબાવીને બેઠો છે.) આને ઠંડા કલેજે સમજાવીને વિનયથી ઉઠાડવો જોઈએ. ત્યારે રાજાએ અન્ય આસન અપાવ્યું અને નોકરે કહ્યું આ તો રાજસિંહાસન છે. માટે ઉઠીને અહીં બેસો. ત્યારે ચાણક્યે વિચાર્યું અન્યે નહિં આપેલા આસન ઉપર બેસવું તે અજુગતું કહેવાય, પણ આસનથી ઉઠી જવું તો સાવ હલકું કહેવાય. એમ વિચારી કહે છે, ભલે, તો અહીં મારી કુણ્ડિકા બેસશે (પડી રહેશે) એથી ત્યાં કુણ્ડિકા મૂકી (નોકરોએ લાવેલા) અન્ય રચેલા સિંહાસન ઉપર Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ મૂળશુદ્ધિ ભાગ-૧ ત્રિદંડ, અન્ય ઉપર જનોઈ મૂકી એમ જે જે આસન ગોઠવેલા હતા (આપ્યા) તે ઉપર વસ્તુઓ મૂકી તે સર્વને રોકી નાંખ્યા. તેથી રાજાએ પગથી પકડાવી બહાર ખસેડ્યો. અપમાનથી ગુસ્સે થયેલા ચાણક્યે આ પ્રમાણે પ્રતિજ્ઞા કરી કે “ધનભંડાર ને નોકરોથી મજબૂત મૂળિયાવાળા, પુત્રો અને મિત્રોથી વિશાળ શાખાવાળા નંદવંશરૂપી મોટા ઝાડને ઉગ્રવાયુ જેવો હું ઉખેડીશ !' જ્યાં સુધી એને ઉખેડીશ નહિં ત્યાં સુધી આ ગાંઠ છોડીશ નહિં.૧ એમ બોલી માથામાં ચોટલીએ ગાંઠ મારી. તારા બાપને જે ગમે તે કરજે. એમ કહી રાજપુરુષોએ થપ્પડ મારી બહાર કાઢ્યો. નગરથી નીકળી વિચારવા લાગ્યો. હેરાનગતિનાં કારણે ક્રોધને વશ થઈ માન રૂપી પર્વત ઉપર ચઢી અજ્ઞાનરૂપી અંધકારથી વિવેકનેત્ર અંજાઇ (છવાઈ) જવાથી મેં આ ભારે પ્રતિજ્ઞા કરી, પણ હવે તો પૂરી કરીએ છૂટકો, સમર્થ માણસે પ્રતિજ્ઞા પાર પાડવી અથવા લડતા લડતા મરી જવું બહેતર છે. પણ કુલમાં જન્મેલાએ નિષ્ઠુરમાણસોનો ત્રાસ ન સહેવો. એમ વિચારતાં તેણે પૂર્વે સાંભળેલા (પિતાએ દાંત ઘસી નાંખ્યા પછી ભવિષ્યવાણીરૂપ ઉચ્ચારેલા) ગુરુવચન યાદ આવ્યા. “રાજ્યનો સંપૂર્ણ કારોબાર-સંચારદોરી મારા હાથમાં રહેશે તેવો રાજા હું થઈશ.” તે મહાનુભાવનાં વચનો ક્યારેય બદલાતાં નથી. કારણ કે - ભલે મેરુ ચૂલિકા ચલિત થાય, સૂરજ પશ્ચિમમાં ઉગે, સમુદ્ર મર્યાદાને તોડે, સ્વર્ગ પણ નીચે પડે, નરક ઉપર થઈ જાય, ચંદ્ર અગ્નિજવાલાને મૂકે તો પણ વિશિષ્ટ જ્ઞાની વડે જે દેખાયું હોય તે બદલાતું નથી. તેથી કોઈ બિંબની - પ્રભાવશાળી શિશુની ગવેષણા કરું. તે માટે પરિવ્રાજક વેશે નંદરાજાના મોરપોષક ગામમાં ગયો. અને આવકાર મળતાં ગામમુખિયાના ઘરે ગયો. ત્યાં સર્વ માણસો ઉદ્વેગ પામેલા દેખ્યા. તેઓએ ચાણક્યને પૂછ્યું. તમે કાંઈ જાણો છો. ચાણક્યે કહ્યું હું બધું જાણું છું. લોકો કહે - તો ગામમુખિયાની પુત્રીનો ચંદ્ર પીવાનો દોહલો પૂરી આપો. કારણ દોહલો પૂર્ણ ન થવાનાં કારણે બિચારીના પ્રાણ કંઠે આવી ગયા છે. તેથી કૃપા કરી મનુષ્યની ભિક્ષા આપો. ચાણક્યે વિચાર્યું ખરેખર આના ગર્ભમાં મારા મનોરથને પુરવામાં સમર્થ ઉત્તમ આત્મા હોવો જોઈએ. આથી ચાણક્યે કહ્યું હું આના દોહલાને પુરું પણ એક શરત આ ગર્ભ (પુત્ર) મને આપો. “સગાઓએ પણ આ સ્ત્રી જીવતી હશે તો બીજા ઘણાં સંતાન થશે.' એમ વિચારી તેની વાત માન્ય રાખી. ચાણક્યે વચ્ચે સાક્ષી તરીકે માણસોને રાખ્યા. પછી દોહલો પૂરવા વજ્રનો મંડપ બનાવ્યો. પૂર્ણિમાની રાત્રીમાં આકાશમધ્યે ચંદ્ર આવ્યો ત્યારે પટ (વસ) ઉપર છેદ પાડ્યું અને નીચે સર્વરસયુક્ત ૧. ‘‘મુદ્રારાક્ષસ માં’” સર્વાર્થ સિદ્ધ નામે નવકોટિ નો ધની રાજા હતો રાક્ષસ નામે મહામંત્રી, બે રાણી, સુનંદા મોટી, બીજી ચાંડાલ (શુદ્ર) પુત્રી મુરા નામે હતી. રાજાએ રાણી સાથે ઘે૨ પધારેલ તપસ્વીનો પૂજા સત્કાર કર્યો, તેનાં પાદ પ્રક્ષાલનનું પાણી બંને પત્ની ઉપર છાંટ્યું. એક ઉપર નવ બિંદુના છાંટા પડ્યાં. ભક્તિથી નમેલી મુરાના મસ્તકે એક જ બિંદુ પડ્યું. તેને મૌર્ય નામે પુત્ર થયો. પહેલીને નવ મોઢાવાળી માંસ પેશીઓ નીકળી. રાક્ષસમંત્રીએ તેલમાં રાખી પાલન કરતા નવનંદ થયા. નવને રાજ્ય સોંપી મૌર્યને સેનાપતિ બનાવી રાજાએ ગૃહત્યાગ કર્યો. Page #112 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ સંપ્રતિ કથા ૧૦૧ ખીર દ્રવ્યથી ભરેલ થાળ રાખ્યો. કહ્યું કે હે પુત્રી ! તારી ખાતર મેં મંત્રથી ખેંચી આ ચંદ્ર લાવ્યો છે. તેથી તું તેને પી તે પણ હર્ષપૂર્વક ચંદ્ર છે, એમ માનતી જેટલું જેટલું પીએ તેટલું ઉપર રહેલો પુરુષ વસનાં છિદ્રને ઢાંકે છે. જ્યારે અડધી ખીર પીધી ત્યારે ગર્ભ પરિપૂર્ણ લક્ષણવાળો થશે કે કેમ? તેની પરીક્ષા કરવા (તે સંશયને દૂર કરવા) ચાણક્ય કહ્યું બેટી આટલી રહેવા દે, બીજા લોકોને આપી દઈએ, પણ તે સ્ત્રીની ઇચ્છા ન હોવાથી કહ્યું કે, બેટી તું પી લે. લોકો માટે બીજો લાવીશ ! એ પ્રમાણે દોહલો પૂરો કરાવીને દ્રવ્ય - ધન મેળવવા ધાતુવિવર (ખાણ) માં ગયો. ત્યાં અનેક જાતનાં ધાતુવાદનાં પ્રયોગ કરી ઘણું ધન પ્રાપ્ત કર્યું. થોડા સમય પછી તે ગર્ભની હકીકત જાણવા ત્યાં આવ્યો. ત્યારે ગામ પાદરે સર્વ લક્ષણવાળો રાજનીતિ રમતો બાલક જોયો. અને વળી ધૂળમાં દોરેલાં ઘણાં દેશ નગર ગામોની મળે ખાઈ ઝરોખાં, કિલ્લા અને ભવનોથી રચેલાં નગરમાં ધૂળનાં સિંહાસન ઉપર બેઠેલો મંત્રી, સામંત, નગર આરક્ષક, બલવાન, દ્વારપાલ, પુરોહિત, સુભટોનો સમૂહ, ભાંડાગારિક – કોશાધ્યક્ષ, રાજાથી સન્માનિત મારવાડી કોટવાલ, સેનાપતિ, પટાવાળો, ઈત્યાદિથી પરિવરેલો, તેઓને ગામ, આકર, ખાણ દેશ વિ. આપતો, સાર્થવાહ, મહાજન, શેઠ તથા પ્રજાથી વિનવણી કરાતો શ્રેષ્ઠ રાજનીતિ યુક્ત તેને દેખીને ચાણક્ય ઘણો જ સંતુષ્ટ થયો. એની સામે આવીને પરીક્ષા નિમિત્તે એ પ્રમાણે બોલતો પ્રાર્થના કરવા લાગ્યો હે રાજન્ ! મારી ઉપર મહેરબાની કરીને મને પણ કાંઈક આપો. તે બ્રાહ્મણ ! તમને ગોકુલ આપ્યા જઈને ગ્રહણ કર. હે રાજન્ ! ગોકુલ લેવાં જતાં મને માર પડશે તો. તેણે કહ્યું “વીર ભોગ્યા વસુંધરા” તેનાથી ચાણક્યને ખબર પડી એમાં વિજ્ઞાન અને શૌર્ય પણ છે. તેથી મારા મનોરથ પૂરવા માટે આ યોગ્ય છે. તેથી એક છોકરાને પૂછ્યું આ કોનો છોકરો છો? આનું નામ શું છે? પેલા છોકરાએ કહ્યું મુખિયાની પુત્રીનો પુત્ર છે. પરિવ્રાજકને સોંપાયેલો છે. આનું નામ ચંદ્રગુપ્ત છે. જયારે ચાણક્ય ચંદ્રગુપ્તને કહ્યું પોતેજ તે પરિવ્રાજક છે. તેથી તે પુત્ર ! તું મારી સાથે આવ, તને સાચો રાજા બનાવું, ત્યારે “આર્ય જે આજ્ઞા કરે, તે મને પ્રમાણ છે.” એમ બોલતો ચંદ્રગુપ્ત તેની પાછળ ગયો. બાળકોને તે વૃતાંત કહી ચંદ્રગુપ્તને લઈ નીકળી ગયો. ચાર પ્રકારનાં અંગવાળું સૈન્ય ભેગું કરી ચંદ્રગુપ્તને રાજા બનાવ્યો અને પોતે મંત્રીપદે રહ્યો. એવી રીતે મોટી મૌર્ય ને ચંદ્રગુપ્ત વિગેરે ૧૦૦ પુત્રો હતા. અસૂયાથી ભૂમિગૃહમાં મંત્રણા બહાને લઈ જઈ મૌર્યને પુત્રો સાથે નવ નંદરાજાએ હણ્યો. બચેલા ચંદ્રગુપ્તને મારવા પ્રયત્ન કરવા છતાં બચી જાય છે. દાનશાળામાં રહેલ ચંદ્રગુપ્ત નંદોને ઉખેડવા વિચારે છે, ત્યારે એક બ્રાહ્મણને જોયો. જે દંડનીતિ. વિગેરે માં હોંશીયાર હતો. નીતિશાસ્ત્ર પ્રણેતા ચણકનો પુત્ર હોવાથી ચાણક્ય તરીકે પ્રખ્યાત થયો. (નામ તો વિષ્ણુગુપ્ત હતું.) તેણે ચંદ્રગુપ્ત ઉપર પ્રેમ જાગ્યો. ચંદ્રગુપ્ત નંદ દ્વારા થયેલી પોતાની હેરાનગતિ કહી. ચાણક્ય “નંદરાજ્ય તને અપાવીશ” એમ પ્રતિજ્ઞા કરી. ભૂખ્યો ચાણક્ય નંદોના ભોજન ગૃહમાં પેઠો અને અગ્રઆસને બેઠો. નાનો છોકરો જાણી ત્યાંથી નંદીએ ઉઠાવ્યો, બધા નંદ ધિક્કારવા લાગ્યા. તે ગુસ્સે થયો. ભોજનશાળામાં જ ચોટી બાંધી નંદનો નાશ કરવાની પ્રતિજ્ઞા કરી. ચંદ્રગુપ્ત પણ તેની સાથે ચાલ્યો. . Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ મૂળશુદ્ધિ ભાગ-૧ સામગ્રી ભેગી કરી પાટલીપુત્રમાં ગયો. તેને ઘેરો ઘાલ્યો. તેવું જાણી નંદરાજા સર્વ સામગ્રી સાથે સામે આવ્યો. અને યુદ્ધ થયું. તેમાં વાંચતાં વાજિંત્રનો નાદ થઈ રહ્યો છે. ફેકાઈ રહેલ બાણોથી ભીષણ બનેલ છે. ત્યાં ભાટચારણો બિરદાવલિ બોલી રહ્યા છે. બાણો આવી રહ્યાં છે, સ્વપક્ષનાં નામગોત્રની ઘોષણા થઈ રહી છે, તીક્ષ્ણ ભાલાઓ ભાગી રહ્યા છે, તલવારના ઘા પડી રહ્યાં છે, તીક્ષ્ણ તીર ફેંકી રહ્યાં છે, રાજચિહ્નો છેદાઈ રહ્યા છે, કવચ તુટી રહ્યા છે. છત્ર ભોંય પડી રહ્યા છે, ઘણાં માણસો મૃત્યુને પામી રહ્યા છે. આવું યુદ્ધ થતાં નંદરાજાના લડવૈયાઓએ ચંદ્રગુપ્તના સૈન્યને ભાંગી નાંખ્યું. અને તેઓ પવનથી વાદળાઓ નાશ પામી જાય તેમ ભય વિદ્વલ બનેલાં ચારેકોર ભાગી ગયાં. આવું સ્વરૂપ જોઈ ચંદ્રગુપ્ત અને ચાણક્ય ઘોડે ચઢી એક દિશામાં પલાયન થઈ ગયાં. ઘોડેસવારોએ તેનો પીછો કર્યો. કોઈ ઓળખી ન જાય માટે ઘોડા મૂકી દોડતા દોડતા તળાવની પાળી ઉપર ચડીને દેખ્યું તો એક ઘોડેસવાર તેમની તરફ આવી રહ્યો હતો. તે દેખી વસ્ત્ર ધોતા ધોબીને ચાણક્ય કહ્યું કે અરે રે ! જલ્દી ભાગ, ચાણક્ય અને ચંદ્રગુપ્ત પાટલિપુત્રનો નાશ કર્યો, અને નંદના માણસોને ગોતી ગોતીને પકડે છે. તે સાંભળી ધોબી ભાગ્યો. ચંદ્રગુપ્તને કમલસમૂહમાં છુપાવી દીધો. અને પોતે ધોબીના ઠેકાણે બેસી વસ્ત્ર ધોવા લાગ્યો. જયારે ઘોડેસવારે પૂછયું કે “ચાણક્ય અને ચંદ્રગુપ્તને જોયા ? તેણે કહ્યું ચાણક્યની તો મને ખબર નથી. પરંતુ ચંદ્રગુપ્ત કમલસમૂહમાં છુપાયો છે. તેણે પણ દેખ્યો. જ્યારે પેલાએ ઘોડો ચાણક્યને આપ્યો. ચાણક્ય કહ્યું મને તો આનાથી ડર લાગે છે. (આ વાક્ય પણ તેને કોઈ પીછાણી ન જાય તે માટેનું અમોઘ સાધન હતું.) ત્યારે વૃક્ષે ઘોડો બાંધી તલવાર એકબાજુમાં મુકી જેટલામાં પાણીમાં ઉતરવા વાંકો વળેલો તે સિપાઈ શસ્ત્ર મૂકે છે. તેટલામાં તલવાર ઉપાડી ચાણક્ય તેને કાપી નાંખ્યો. અને ચંદ્રગુપ્તને બોલાવી ઘોડે ચઢીને નાઠા. પણ “કોઈ જાણી જશે તો” આવા ભયના કારણે ઘોડો મૂકી દીધો. ચાલતા ચાલતા ચાણક્ય ચંદ્રગુપ્તને પૂછ્યું, મેં જ્યારે તને બચાવ્યો ત્યારે તે શું વિચાર કર્યો હતો.? ચંદ્રગુપ્ત કહ્યું એ પ્રમાણે જ મને રાજ્ય મળશે. આર્ય જ યોગ્યાયોગ્ય જાણે છે, ગુરુવચનમાં વિચાર કરવાનો ન હોય. કહ્યું છે કે... આચાર્ય મહારાજે એકમુનિને ઉપાશ્રયમાં નીકળેલ ઝેરી સાપ બતાવી કહ્યું કે આ પ્રકારનાં ઝેરી સાપને આંગળીથી માપ અથવા તેના મોઢામાં દાંત કેટલા છે? તે ત્યારે શિષ્ય તહત્તિ કહી સાપ પાસે ગયો, સાપ કરડ્યો. આચાર્યે કહ્યું હવે પાછો આવતો રહે. તારાં શરીરનાં રોગ નિવારણ માટે સર્પદેશ જરૂરી છે. માટે આજ્ઞા કરી હતી. ગમે તેવી આશા ગુરુમહારાજ કરે પણ શિષ્ય વિચાર ન કરે, અમલ કરે. કારણનાં જાણકાર આચાર્યો “ક્યારેક કાગડો સફેદ હોય છે. એમ કહે તો તે વચનને તે સ્વરૂપે શ્રદ્ધા કરવી જોઈએ.” કે આમ કહેવામાં કોઈ કારણ હોવું જોઈએ. બોલાતા ગુરુવચનને જે વિશુદ્ધ મનવાળો ભાવથી સ્વીકારે છે તે પીવાતી દવાની જેમ તેને સુખ માટે થાય છે. (૧૫૯). તેથી ચાણક્ય જાણ્યું કે આ યોગ્ય છે. આને મારા વિશે ક્યારે પણ ગેરસમજ થશે નહિ. આગળ Page #114 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ સંપ્રતિ કથા ૧૦૩ જતાં ચંદ્રગુપ્તને ભૂખ લાગી ત્યારે વનમાં મૂકી ભોજન લેવા જતાં રસ્તામાં સર્વ અંગે ભૂષિત મોટા પેટવાળો બ્રાહ્મણ આવતો દેખાયો. ચાણક્યે તેને પૂછ્યું કેમ કોના ઘેર ભોજન છે ? તેણે કહ્યું એક યજમાનના ઘેર સારું ટાણુ છે, જ્યાં બ્રાહ્મણોને ઇચ્છા પ્રમાણે ભોજન અપાય છે. વળી શત્રુ મિત્રનો ભેદભાવ રાખ્યા વિના વિવિધપૂર - ભાત દહિનો કરંબો અપાય છે. તેથી તું પણ ત્યાં જા, તે દાતા અતિભક્તિવાળો છે. તેમાં વળી બ્રાહ્મણોની વિશેષ ભક્તિ કરે છે. એથી તું જા હું પણ અત્યારે જ ત્યાંથી જમીને આવું છું. ગામમાં જતાં કોઈ ઓળખી જશે તો તેથી એણે હમણાં જ ભોજન કર્યું છે. એટલે ખરાબ નહિં થયું હોય એમ વિચારી તેનુ જ પેટ ફાડી પાત્ર વિશેષ ને કરંબાથી ભરી - પડિઓ ભરીને ચંદ્રગુપ્ત પાસે ગયો. તેને જમાડી આગળ ચાલ્યા. રાત્રે એક ગામમાં પહોંચ્યા, ત્યારે ત્યાં ભિક્ષા માટે ભમતા ભમતા મુખ્ય ભરવાડણના ઘેર ગયા. તે અરસામાં તેણીએ છોકરાઓને તરત ઉતારેલી રાબ થાળીમાં પીરસી પણ ગરમ હોવાથી હાથ દાઝી જશે” એવું નહિં જાણતાં એક છોકરાએ થાળીની વચ્ચે હાથ નાંખ્યો, અને દાઢ્યો તેથી રડવા લાગ્યો. ત્યારે ભરવાડણ બોલી રે પાપિષ્ઠ ! બુદ્ધ ! તું પણ ચાણક્યની જેમ ઉતાવળીઓ છે/ અજ્ઞાની છે. ત્યારે સ્વનામ સાંભળી શું આ મારી વાત તો કરતી નથી ને ? એવી શંકા જાગી, શંકાશીલ બનેલાં ચાણક્યે તેણીને પૂછ્યું ઓ મા ! આ ચાણક્ય કોણ છે ? જેની તું ઉપમા આપે છે. તે બોલી કે બેટા ! બુદ્ધિશાળી કોઈ ચાણક્ય છે. જેણે ચંદ્રગુપ્તને રાજા બનાવ્યો અને સૈન્ય લઈ પાટલીપુત્રને ઘેર્યું. ત્યારે નંદ સાથે યુદ્ધ થતાં ચંદ્રગુપ્ત સાથે ભાગ્યો. તેથી તે મૂર્ખ છે. કારણ કે આટલું પણ જાણતો નથી કે પહેલાં આજુબાજુના પ્રદેશ ગ્રહણ કરવા જોઈએ. આસપાસનો પ્રદેશ ગ્રહણ થતાં નગર ગ્રહણ થઈ જ જાય છે. આ મારો પુત્ર પણ તેનાં જેવો જ છે. બાજુની રાબ લેવાને બદલે વચ્ચે હાથ નાંખે છે. બાળક પાસેથી પણ હિતવચન ગ્રહણ કરવું જોઈએ. બાલાર્ અપિ હિતં વાક્ય ગ્રાહ્યું' એવું નીતિ વાક્યને યાદ કરી ચાણક્યે તેણીનાં વચન સ્વીકાર્યા. હિમવંત ફૂટ નામના ગિરિએ જઈ ત્યાંના રાજા પર્વત સાથે પ્રીતિ બાંધી (દોસ્તી કરી) અને કહ્યું આપણે પાટલિપુત્ર નગરને જપ્ત કરી, એને અડધું અડધું ખેંચી લઈએ. રાજાએ પણ સંમતિ આપી. ત્યારે મોટી સામગ્રીથી અન્ય દેશોને જીતતાં જીતતાં એક નગરને ઘેર્યું. ઘણો પ્રયત્ન કરવા છતાં નિશાનમાત્ર પણ લાગતું નથી, એટલે તે ગઢને કોઇ જાતની અસર થતી નથી. ત્યારે ચાણક્ય પરિવ્રાજકના વેશે નગરની વાસ્તુકલા જોવા નગરમાં ગયો. ત્યાં શુભમુહૂર્તે પ્રતિષ્ઠિત ઈન્દ્રકુમારિકાઓ દેખી નિર્ણય ર્યો કે આના પ્રભાવથી નગર પડતું નથી. લોકો પણ સ્વાધીન થઈ નગરના ઘેરાવાનું કારણ પુછવાં લાગ્યા. ત્યારે માયા- પ્રપંચમાં નિપુણ ચાણક્યે કહ્યું, અરે લોકો ! તમે એવાં મુહૂર્તમાં ઈંદ્રકુમારિકાઓ સ્થાપન કરી છે જેનાં લીધે શત્રુ સૈન્યનો ઘેરો દૂર થતો નથી. ક્ષણબલથી મેં જાણ્યું છે કે આને દુર કરતાં ઘેરો દૂર થશે. એ એની સાબિતી છે. જ્યારે કુમારિકાઓને દૂર કરે છે ત્યારે પૂર્વસંકેત પ્રમાણે સૈન્યને Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ મૂળશુદ્ધિ ભાગ-૧ થોડું દૂર મોકલી દીધું. એમ ખાત્રી થતાં લોકોએ મૂળથી તેને ઉખેડી નાંખી. એ પ્રમાણે નગરને ભાંગી પાટલિપુત્ર ગયા. વચ્ચેથી કોઇ નીકળી ન જાય એવો ઘેરો લગાડીને રહ્યાં. નંદ રાજા રોજ રોજ મોટાપ્રમાણમાં યુદ્ધ કરે છે. એમ નંદ રાજા યુદ્ધ કરતાં ક્ષીણ થયો, ત્યારે ધર્મદ્વાર (ભાગી છૂટવાની અનુજ્ઞા) માંગ્યું. તેઓએ આપ્યું અને કહ્યું કે એક રથ વડે જેટલું લઈ શકો તેટલું લઈ જાઓ. ત્યારે નંદરાજા વિચારવા લાગ્યો. આ રાજ્ય લક્ષ્મીને ધિક્કાર હો ! જે લાંબી દ્રષ્ટિવાળી નથી. મુહૂર્ત માત્ર મનોહર દુર્જનસ્વભાવવાળી એક સાથે એકાએક જુના સ્વામીને ત્યજીને અન્યની બની જાય છે. ક્ષણમાત્ર રમણીય બની અચાનક કારણ વિના દુષ્ટ સ્ત્રીની જેમ શીઘ્ર આ બધું લુંટી લે છે. અરે રે કેવી કષ્ટકારી આ રાજ્યલક્ષ્મી ! નંદરાજા, બે રાણી, એક પુત્રી અને ઉત્તમરત્નોને રથમાં મૂકી નીકળ્યો. ત્યારે તે રાજકન્યા ચંદ્રગુપ્તને જોવા લાગી. ત્યારે નંદે કહ્યું અરે પાપિણી ! જેણે મારું સર્વરાજ્ય લઇ લીધું તેણે આ રીતે સ્નેહથી તું જુએ છે. તો તું જા એમ કહી રથથી ઉતારી મૂકી. ચંદ્રગુપ્તનાં રથમાં ચડતા રથનાં આરા ભંગાણા. આ તો અપશુકન થયું એમ માની કન્યાને ચંદ્રગુપ્તે ના પાડી. ત્યારે ચાણક્યે કહ્યું આને ના ન પાડ, નવપેઢી સુધી તારું રાજ્ય થશે. આ તો મહાશુકન છે. તેથી પોતાનાં રથમાં ચઢાવી. નગરમાં જઈ બધું સરખે ભાગે વેંચ્યું પણ કન્યા એક હતી. અને બંનેનો તેનાં ઉપર રાગ હતો. ત્યારે ચાણક્ય વિચાર્યું કે ‘શત્રુ કન્યા સારી નહિં.' એમ ચંદ્રગુપ્તને કહ્યું ‘આ પર્વત તારો મોટો ભાઈ છે એથી આ કન્યા ભલે એની થાય' એમ ચંદ્રગુપ્ત ને નિવાર્યો. પર્વતરાજા સાથે કન્યાના લગ્ન લેવાં સારુ સર્વ સામગ્રીની તૈયારી થવાં લાગી અને ત્યાં તો વરવેદિકા ચણાઈ, અગ્નિકુંડની સ્થાપના થઈ, મંગલ વાજિંત્રનાં નાદથી આકાશ ભરાઈ ગયું. ઘી, મધથી સિંચાયેલો અગ્નિ વિષમ જવાલા સાથે બળવા લાગ્યો. જ્યોતિષીઓએ (ગોરમહારાજાઓએ) બલિ બાકળાની અંજલિ નાંખી. તાડપત્ર સરખા કાલા ધૂમથી આકાશે અંધારું છવાઈ ગયું. દિવ્યભંગીથી ગણિત સુવિશુદ્ધ મુહૂર્ત હોવા છતાં તે પળે નીચેનો મંગલગ્રહ ચંદ્રબિમ્બમાં સંક્રાંત થયો. અને એ વખતે રાજાએ કન્યાનો હાથ ગ્રહણ કર્યો. પણ હાથનો અગ્રભાગ વિષભાવિત હોવાથી ઘોરવિષ રાજામાં શીઘ્ર સંક્રાન્ત થયું. વિષવેગથી પીડાતો રાજા હે ભાઈ ! હે ભ્રાતૃવત્સલ ! ચંદ્રગુપ્ત હું મરી રહ્યો છું. ત્યારે “વિષવેગ છે” એમ જાણી તેને રોકવા જેટલામાં ચંદ્રગુપ્ત રાજપુરુષોને આજ્ઞા કરે છે ત્યાં તો “અર્ધ રાજ્યને લેનાર મિત્રને જે હણતો નથી તે હણાઈ જાય છે.” એવું નીતિ વચન સ્મરણ કરતાં દુષ્ટચિત્તવાળા ચાણક્યે ભવાં ચઢાવ્યાં. તેનાથી ચાણક્યનાં ભાવ જાણી ચંદ્રગુપ્ત રાજા નિષ્ક્રિય જ બેઠો રહ્યો અને વેદનાથી વ્યાકુલ પર્વત રાજા મરણને શરણ થયો. ત્યારે બંને રાજ્યોમાં ચંદ્રગુપ્ત રાજા થયો. આ બાજુ નંદરાજાના પુરુષો ચોરી કરવા લાગ્યાં. ચોરને પકડવા વેષ બદલી ચાણક્ય ભિક્ષા માટે ફરે છે. ત્યારે નલદામ વણકરને વસ વણતો જોયો. રમી રહેલાં તેનાં છોકરાને મંકોડાએ ચટકો ભર્યો તેણે રડતાં રડતાં બાપને વાત કરી. તેથી ક્રોધે ભરાયેલાં નલદામે દર ખોદી અંગારા નાંખી સર્વ Page #116 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ સંપ્રતિ કથા ૧૦૫ મંકોડાની રાખ કરી દીધી. આ માણસ નગરનાં રક્ષક તરીકે ઠીક છે. એમ ચાણક્યના મનમાં લાગ્યું. રાજમહેલમાં જઈ બોલાવીને તેને તલા૨ક્ષક પદે સ્થાપ્યો. તેણે સર્વ ચોરોને બોલાવી વિશ્વાસ પમાડીને કહ્યું કે આ તો આપણું રાજ્ય છે. ઈચ્છા મુજબ લહેર કરો. બીજા દિવસે બધા ચોરોને સપરિવાર ભોજન માટે નિમંત્રણ આપ્યું અને જ્યારે ભોજન કરવા બેઠા ત્યારે દ્વાર બંધ કરી આગ લગાડ઼ી સર્વનો નાશ કર્યો. એમ નગર નિરુપદ્રવી થયે છતે હવે મારાથી અધિક કોણ છે એમ વિચારતાં પૂર્વે કાર્પેટિક થઈને ફરતો હતો ત્યારે એક ગામમાં ભિક્ષા ન મળી હતી તે યાદ આવ્યું, તેથી મનમાં ક્રોધે ભરાયો. અને ગામડીયા માણસોને આદેશ કર્યો કે તમારાં ગામમાં આંબા અને વાંસ છે. આંબા કાપી વાંસને ચારે તરફ વાડ બનાવો. ત્યારે પરમાર્થથી અજ્ઞાત ગામડીયોએ આંબાનું રક્ષણ કરવું' આવો રાજ આદેશ હોવો જોઈએ. આવું વિચારી વાંસોને છેદી આંબાની ચારે કોર વાડ કરી. ‘તમે તો રાજઆજ્ઞાથી વિરુદ્ધ કામ કર્યું.' એવાં ગુનાનો આરોપ લગાડી સપરિવાર તેમજ પશુ વિગેરે સર્વને દ્વાર બંધ કરી આખું ગામ બાળી નાંખ્યું. એક વખત (દ્રવ્ય) કોશનું નીરક્ષણ કરતાં સર્વ ભંડાર શૂન્ય-તિજોરીના તળીયા ઝાટક થયેલા દેખ્યાં, કોશને પૂરવાં કુટ પાસાઓ બનાવ્યાં. સોનામહોરથી ભરેલાં સુવર્ણ થાળ અને તે પાસાઓ પોતાનાં માણસને આપ્યા. અને નગરમાં ફરતો પુરુષ કહેવા લાગ્યો જે મને જીતે તે આ થાળ લઈ જાય અને હું જીતું તો એક સોનામહોર આપવી. થાળના લોભે ઘણાં લોકો રમે છે. પણ પુરુષની ઈચ્છા પ્રમાણે પાસાં પડતાં હોવાનાં કારણે કોઈ જીતતું નથી. ચાણક્યે વિચાર્યું આ રીતે ધન ભેગું કરવામાં લાંબો સમય લાગી જશે, માટે બીજો કોઈ ઉપાય વિચાર કરું. શું ઉપાય કરું ? હા હા યાદ આવ્યું સર્વ શ્રીમંત કૌટુંબિકને (મદિરા) પીવડાવું. તેથી તેઓ પોતાની સાચી પરિસ્થિતિ જણાવશે. કારણ કે – ક્રોધે ભરાયેલો, આતુર, વ્યસનને પ્રાપ્ત થયેલો, રાગને વશ થયેલો, મત્ત અને મરતો માણસ, આ બધા સ્વભાવિક પરિસ્થિતિને પ્રગટ કરનારાં હોય છે. એમ વિચારી કૌટુમ્બિકોને નિમંત્રીને મદિરા પીવડાવી પણ પોતે ન પીધી. જ્યારે બધાં દારુનાં નશામાં પરાધીન થયાં ત્યારે તેમનાં ભાવની પરીક્ષા કરવા પહેલાં પોતે બોલ્યો. મારે ગેરુના રંગેલા બે વસ્ત્રો છે, સોનાનું કમંડલ છે અને ત્રિદંડ છે. તેમજ રાજા મારે વશ છે. આવી ઋદ્ધિ હોવાથી મારા નામે ઢોળ વગાડ. (૧૬૦) । તેની ઋદ્ધિને નહિં સહન કરનાર એક બોલ્યો કે “હાથીનું મદોન્મત્ત બચ્ચું હજાર યોજન ચાલે તેનાં પગલે પગલે લાખ લાખ સોનામહોર મુકું આવી મારી ઋદ્ધિ છે.” તેથી મારા નામે ઝાલર (ઢોળ) વગાડો. (૧૬૧) ત્યારે બીજો કહેવા લાગ્યો એક આઢક = (૪ શેર) તલ વાવવાથી તે સારી રીતે પાકીને (ઘણાં સેંકડો પ્રમાણ) તેનાં જેટલાં તલ ઉતરે તેટલા લાખ ટાંક = (સિક્કાઓ) મારી પાસે છે. તેથી મારા નામે ઢોળ વગાડો. (૧૬૨) Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ મૂળશુદ્ધિ ભાગ-૧ * અન્ય બોલ્યો - નૂતન વર્ષાકાળમાં પૂર્ણ ભરેલી શીઘગતિવાળી, ગિરીનદીને એક દિવસે તૈયાર થતાં માખણથી પાળ બાધી હું રોકી શકું છું. આટલી બધી મારી પાસે ગાયો છે. માટે મારા નામે મંજીરા વગાડો. (૧૨) બીજો બોલ્યો - જાતિવંત ઘોડાના તે દિવસે જન્મેલાં કિશોર વછેરા) નાં વાળથી આકાશતળ ઢાંકી દઉં, એટલા બધા મારી પાસે ઘોડા છે. તેથી મારા નામે ઢોળ વગાડો. (૧૬૪) બીજો બોલ્યો - મારી પાસે બે જાતની શાલિ છે, પ્રસૂતિકા અને ગર્દભિકા નામનાં બે રત્નો રૂપે પ્રસિદ્ધ છે. અને જેમ જે છેદવામાં આવે તેમ તે પુનઃ ઉગે છે. માટે મારા નામે ઢોલ વગાડો. (૧૫) બીજો બોલ્યો - મારી પાસે પુષ્કળ ધન રોકડું છે. તેથી હું સદા ચંદનની સુગંધથી વાસિત રહું છું મારે કોઈ દિવસ પરદેશ જવું પડતું નથી. હું કોઈ પણ વખત = ક્યારેય દેવું કરતો નથી, અને મારી પત્ની સદા મારે આધીન છે, તેથી મારા નામે ઢોલ વગાડો. (૧૬) - એ પ્રમાણે તેમની સમૃદ્ધિ જાણી દ્રવ્યના સ્વામી પાસે યથેચ્છિત દ્રવ્યને, ગોધન સ્વામી પાસે એક દિવસનું માખણ, અશ્વપતિ પાસે એક દિવસે જન્મેલાં ઘોડા, ધાન્યના સ્વામી પાસે શ્રેષ્ઠ ચોખા માંગ્યા. એ પ્રમાણે ભાંડાગાર અને કોઠાગાર ને ભર્યા, સ્વસ્થચિત્તે રાજ્યને પાળવા લાગ્યો. એક વખત મહાભયંકર બાર વરસનો દુષ્કાળ પડ્યો, ભુખથી સુકાયેલા પ્રાણીઓના) મૃતકલેવરોથી ધરતી છવાઇ, જીવતા માણસોને ચાલવાનું મુશ્કેલ થઈ ગયું. માણસો જ માણસોને ખાય છે. એવું જાણી ભયથી કાંપતા લોકોએ ગામમાંથી પરગામ જવાનું બંધ કરી દીધું. પરિવારવાળી સ્ત્રી ભોજન માંગતા પોતાના છોકરાને છોડી જીવવાની ઝંખનાથી અન્ય દેશમાં જાય છે. કોઈ સ્વજીવનમાં લુબ્ધ બનીને કુલ શીલને મુકી અતિરૌદ્ર પરિણામવાળી પોતાનાં સંતાનને જ મારીને ખાવા લાગી. કોઈક સાત્ત્વિક સ્ત્રી પોતાનાં મરેલાં બાલકનાં મોઢામાં અતિસ્નેહ અને મોહવશથી આહાર નાંખે છે. કોઈ સ્ત્રી રડતા બાળકને ભોજન માંગતા ક્રોધે ભરાઈ ભુખથી ઉગ - ઉચાટ પામેલી ઘા કરીને હણે છે. ભરતાર પોતાની ઘરવાળીને મૂકી જાય છે અને પત્ની પોતાનાં ભરથારને મૂકી જવા લાગી. ભિક્ષાચરોને કહ્યું પ્રાપ્ત થતું નથી. ઘેર ઘેર ભમતાં સાધુ અને ગૃહસ્થોનું છુપાયેલ અન્ન પણ ચોરો હરી જાય છે. ને બીજું શું કહીયે. દારુણ દુર્ભિક્ષના કારણે પાટલિપુત્રમાં સર્વ અસ્તવ્યસ્ત થઈ ગયું. આવાં અનાગત દુષ્કાળને જ્ઞાનથી જાણી ત્યાં વિહાર કરતાં પધારેલા જંઘાબલક્ષીણ થવાનાં કારણે ત્યાં જ વર્ષાકાલ રહેવાની ઈચ્છાવાળા શ્રીવિજયસૂરિએ અન્ય આચાર્યને પોતાનાં પદે સ્થાપ્યાં. અને એકાંતમાં વિશેષ ઉપદેશ આપ્યો. બાલ અને વૃદ્ધ સાધુઓથી ભરપૂર ગચ્છને તેમની સાથે અન્ય સુભિક્ષ દેશમાં મોકલ્યો. પણ બે બાલ સાધુઓ આચાર્યના સ્નેહથી પાછા વળ્યા. વાંદીને પોતાનો અભિપ્રાય જણાવ્યો. ગુરુએ કહ્યું તમે સારું ન કર્યું. અહિં માતા પુત્રના સંબંધને નહિ ગણે તેવો ભારે દુષ્કાળ પડવાનો છે. માટે પાછા જતાં રહો. તેઓએ કહ્યું તમારા ચરણ કમલની સેવા કરતાં જે થવું હોય તે થાય, પણ અમો આપને નહિ છોડીએ, તેથી સૂરિએ ત્યાં રાખ્યા. Page #118 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ સંપ્રતિ કથા ૧૦૭ પૂર્વોક્ત વર્ણિત દુર્મિક્ષ થયો. જે કાંઈ મનોજ્ઞ ભોજન સૂરિજીને પ્રાપ્ત થાય છે તે ભોજન બાલ સાધુઓને આપે છે. ત્યારે બાલસાધુઓએ વિચાર્યું આ સારું નથી. કારણ ગુરુ ક્ષય પામતાં અમારી શી ગતિ થશે. જેણે આધારે કુલ હોય તે પુરુષનું રક્ષણ કરવું જોઈએ. નાભિભાગ નાશ થયે આરા નિરાધાર થઈ જાય છે. મદ ઝરી ગયું હોય, જરાથી શરીર જર્જરીત થયું હોય, દંત મુશુલ ડગમગ થતા હોય તેવાં વૃદ્ધ હસ્તપતિને જે ધારણ કરી રાખે છે- સાચવે છે, તે યૂથ સનાથ રહે છે. બંને બાલ મુનિઓએ પરસ્પર વિચાર્યું કે નવીન આચાર્યને અપાતો અંજન પ્રયોગ ભીંતના ઓઠે રહેલાં આપણે સાંભળ્યો છે, તે પ્રયોગ કરીએ અને એ પ્રમાણે અંદરોઅંદર નક્કી કરી, સાંભળવા પ્રમાણે કરતાં તે પ્રયોગ સિદ્ધ થઈ ગયો. અને તે અંજનયોગથી અદ્રશ્ય થઈ ચંદ્રગુપ્તના ભોજન મંડપમાં બંને ગયાં. રાજાના બંને પડખે બેઠા. રાજાના ભોજનને જમી રોજ બંને પાછા ફરે છે. પ્રમાણોપેત - પ્રમાણસર ભોજન થતાં વૈદ્યો અજીર્ણના ભયથી રાજાને વધારે જમવા દેતા નથી. પણ એકના ભોજનમાં ત્રણ ત્રણ જમવાથી રાજા ઘણો દુર્બલ થઈ ગયો. તે ચાણક્ય કહ્યું શું? તમારે પણ દુષ્કાળ છે. જેથી દુબળા થઈ ગયા છે. ચંદ્રગુણે કહ્યું વાત તો સાચી છે. પણ એ આર્ય ! હું કારણ જાણતો નથી. પણ હું ભોજનથી તૃપ્ત થતો નથી. ત્યારે ચાણક્ય વિચાર્યું નક્કી કોઈ વચ્ચે સિદ્ધપુરુષ આવી આના આહારને ગ્રહણ કરતો લાગે છે. બીજા દિવસે ઈંટનો ભુક્કો ભોજન મંડપમાં ચારે કોર નાંખ્યો તેમાં બાલવયવાળા બે જણનાં પગલાં પડતા દેખાયા. તેનાથી ખબર પડી કે નાની વયવાળા બે સિદ્ધપુરુષો અહીં આવતાં લાગે છે. બીજા દિવસે દ્વાર બંધ કરી ધુમાડો કર્યો તેનાથી તેમનું અંજન ગળી ગયું. એથી રાજાના બંને પડખે બેઠેલા ક્ષુલ્લક સાધુ દેખાયા. એમને મને એઠ ખવડાવી અપવિત્ર કર્યો. એથી તેમના ઉપર વૈમનસ્ય (મન દુઃખ) થયું. ચંદ્રગુપ્તનું દુષ્ટમન દેખી ચાણક્ય કહ્યું તમે દુભાઓ છો કેમ ? તમે બાલસાધુ સાથે ભોજન કર્યું એથી આજે ખરેખર તમે શુદ્ધ બન્યા છો. સાધુઓ સાથે એક જ થાળીમાં જમવાનું વળી કોને મળે? તેથી તમે જ કૃતાર્થ છો. તમારો જન્મ સફળ છે, તેમજ ધન્ય પુણ્યશાળી પરમપવિત્ર છો, અને તમને પ્રાપ્ત સામગ્રી પ્રશંસવા લાયક બની છે. જે સામગ્રીને તમે તે બાલમુનિ સાથે જમ્યા. આ જીવલોકમાં એઓ કૃતાર્થ છે, કે જેઓ ભોગોને છોડી બાલપણામાં દીક્ષા અંગીકાર કરે છે. - કારણ કે જિનેન્દ્ર ધર્મમાં કહ્યું છે કે બાલ મુનિઓને ધન્ય છે. જેઓએ બાલપણામાં ચારિત્ર સ્વીકાર્યું છે. અરે ! ઘાસ ને પારા માં, આક્રોશ – ગાળ ને રસયુક્ત મીઠા શબ્દમાં ભેદભાવ વગરનાં, તેઓએ પ્રિય-સરસમીઠા વિયોગ ક્યારે જોયો નથી (કારણ તેમને પ્રિય અપ્રિય કશું છે જ નહિ) IIકરા એમ ચંદ્રગુપ્તને અનુશાસન કરી સમજાવી બાલસાધુઓને વિદાય કર્યા. ચાણક્ય પોતે આચાર્ય પાસે જઈને કહ્યું કે આપનાં શિષ્યો જો આ પ્રમાણે કરશે તો બીજે ક્યાં સારું જોવા મળશે? તેથી તમે એમને આવું કરતાં રોકો. ત્યારે સૂરીએ ચાણક્યને કહ્યું કે ભદ્ર ! શું તું શ્રાવક થઈને આત્માને વગોવે છે? “તું શ્રાવક છે” Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ મૂળશુદ્ધિ ભાગ-૧ બસ આટલા નામમાત્રથી સંતુષ્ટ થઈ ગયો. શું આ પ્રમાદથી સંસાર તરી જઈશ? જેથી આ દુષ્કાળમાં બે સાધુને પણ નિભાવી શકતો નથી. એટલા માટે જ તો સર્વ સાધુઓને મેં અન્ય ઠેકાણે મોકલ્યા છે, પણ આ તો પાછા ફરી ગયા. તો આવા પ્રકારનાં પાપારંભનું અન્ય શું ફળ તને થશે? કહ્યું છે કે.. જેનું યથોચિત દાન યતના યત્ન)થી યતિઓ ગ્રહણ કરતા નથી, તે શું ગૃહસ્થ છે? તેનું તો ઘરવાસમાં રહેવું નકામું છે. (૧૬૭) દાનાદિ રૂપ જ્યાં સાધુ સેવા નથી થતી ત્યાં “ત્યાં તળાવમાં પાણી, (પશુઓ માટે) તૃણ અને અણુ જેટલું અન્ન પણ ઉપર (માલીયામાં સંગ્રહસ્થાને) અડતું નથી. વાદળ (કદાચ દેખા દે તો) ભૂલા પડેલા જાણવા. પરંતુ પાણીનુ બિંદુ વરસાવે નહિ. આ સાંભળી ચાણક્ય શરમાયો... હે ભગવન્! અનુશાસનને ઈચ્છું છું. આપે ડૂબતાં એવા મને સંસાર સમુદ્રમાંથી પ્રેરણારૂપી શ્રેષ્ઠ માનદ્વારા બહાર કાઢ્યો છે. પ્રાસુક એષણીય અમારા માટે બનાવેલાં ભક્તપાનનો મારે ઘેર દરરોજ લાભ આપી મારા ઉપર ઉપકાર કરો. મેં આપને ઠપકો આપ્યો. તેની મને ક્ષમા કરો. (મારા ગુનાને માફ કરો) એમ કહી ચાણક્ય ઘેર ગયો. અને વિચારવા લાગ્યો ક્ષુલ્લક સાધુની જેમ કોઈ વૈરી અદ્રશ્ય થઈ ઝેર ભેળવી દે તો ઘણું ખરાબ થઈ જાય. તેથી આવો કોઈ ઉપાય કુરુ જેથી વિષપ્રયોગથી પણ ભય ન રહે. પછી સહન કરી શકે તેટલુ વિષથી મિશ્રિત આહાર ચંદ્રગુપ્તને જમાડવાનું શરુ કર્યું. - રાજાને ધારિણીની નામે પટ્ટરાણી છે. તેણીને પ્રધાન ગર્ભનાં પ્રભાવે દોહલો ઉત્પન્ન થયો કે. તે માતાઓ ધન્ય છે, કતાર્થ છે, જેઓ રાજા સાથે એક સિંહાસને બેઠેલી એક જ થાળીમાં ભોજન કરે. જેઓ રાજા સાથે એક થાળીમાં ભોજન કરતી નથી, તેઓનું જીવન તથા ગર્ભને ધારવો વ્યર્થ છે. એવો દોહલો પૂર્ણ ન થવાનાં કારણે પાતળી પડી ગઈ. તે દેખી રાજાએ પૂછ્યું. હે પ્રિયે ! હું પણ સ્વાધીન હોવા છતાં તારું શું નથી પુરાતું (એટલે તારે શેની અધુરપ છે?) અથવા તો શું કોઈ દુર્જને દુષ્ટ વચનો ક્યાં છે, હે દેવી ! શું તારી આજ્ઞાનું કોઈએ ખંડન કર્યુ છે. આજે સહસા કોનાં ઉપર યમરાજા અકાળે ક્રોધે ભરાણો છે? ધારિણીએ જવાબ વાળ્યો હે નાથ ! આવું કશું જ થયું નથી. પરંતુ ગર્ભનાં પ્રભાવથી થયેલો “રાજા સાથે જમવાન” મારો દોહલો પૂર્ણ થતો નથી. ત્યારે રાજાએ કહ્યું તું સ્વસ્થ બન, હું આ દોહલો પૂરીશ. તેથી બીજા દિવસે ભોજન કરતા રાજાએ રાણી સાથે બેસવાની વાત કરી તેણે પણ કબુલ્યું ત્યારે ચાણક્ય કહ્યું કે રાજન્ ! તારો આહાર વિષ યુક્ત છે, માટે ન આપીશ. એમ રોજ માંગવા છતાં ચાણક્યનાં ભયથી તેણીને આહાર આપતો નથી. પણ એક દિવસ ચાણક્યની ગેરહાજરીમાં તેણે એક કોળીયો રાણીને આપ્યો. એટલામાં મોઢામાં રહેલો કોળીઓ ચાવે છે તેટલામાં ચાણક્ય આવ્યો તેણે રાણીને કોલીઓ ગળતી દેખી અરે રે ! ખોટું થયું ખોટું થયું એમ બોલતો છુરીથી પેટ ફાડી ગર્ભ કાઢ્યો અને ઘી વિગેરે માં શેષ દિવસો પૂર્યા. માતા દ્વારા ચવાઈ રહેલો તે કવલનો એક બિંદુ ગર્ભના માથે પડ્યો.તેથી તેનું બિંદુસાર નામ પાડ્યું તે કાયા અને કલાકલાપથી વૃદ્ધિ પામ્યો. Page #120 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ સંપ્રતિ કથા ૧૦૯ રાજાની મૃત્યુ બાદ તે રાજા થયો. રાજાએ કહ્યું તું ચાણક્યને બરોબર અનુસરજે. તે પણ તે રીતે કરવા લાગ્યો. પણ એક વખત એકાંતમાં નંદ તરફી પ્રધાન સુબંધુએ કહ્યું કે હે દેવ ! જો કે તમે અમારા ઉપર ખુશ નથી પણ આ પટ્ટાલંકાર (રાજાના ઉત્તરદાયી)નું હિત અમારે કહેવું જોઈએ. આ જે ચાણક્ય મંત્રી છે, તે ઘણો જ શુદ્ર છે, કે જેણે રોક્કલ કરતી તમારી માતુશ્રીનું પેટ ફાડીને મારી નાંખી હતી. તેથી તમે પણ યત્નથી જાતને સાચવજો. તેથી રાજાએ અંબાધાત્રીને પૂછ્યું કે હે મા ! શું આ વાત સાચી છે? ધાત્રીએ કહ્યું વાત તો સાચી જ છે. તેથી ચાણક્ય ઉપર રાજા ગુસ્સે થયો. તેથી તેને આવતો દેખી પોતે મુખ ફેરવી લીધું. બીજો કોઈ ચાડીયુગલખોર અંદર ઘુસી ગયો લાગે છે. એમ જાણી ચાણક્ય ઘેર પાછો ફર્યો સ્વજનવર્ગમાં ઉચિત રીતે દ્રવ્ય વહેંચી એક ઓરડામાં પેટીની અંદર ગંધનો દાભડો એક પત્ર સાથે મૂક્યો. અને બધે તાલા લગાડી નગર બહાર જઈ બકરીની લીંડી વચ્ચે ઈગિત મરણ રૂપ અનશન સ્વીકાર્યું. અંબાધાત્રીએ કહ્યું કે પુત્ર ! તે મહામંત્રીનો તિરસ્કાર કર્યો તે સારું નથી કર્યું. આના આધારે તો તને રાજય અને જીવન મલ્યું છે. એમ કહી પૂર્વની બીના કહી સંભળાવી. તેથી માફી માંગીને તેને પાછો લાવ. તેને લાવવા રાજા સપરિવાર ચાણક્ય પાસે ગયો. ખમાવીને કહ્યું કે મહેરબાની કરી ઘેર આવો. ચાણક્ય બોલ્યો. મેં સર્વ ત્યાગ કરી લીધો છે. કારણ કે મેં અનશન સ્વીકાર્યું છે. આનો નિશ્ચય જાણી ખમાવી અને વંદન કરી બિંદુસાર રાજમહેલમાં પાછો વળ્યો “જો આ કદાચ પાછો ફરે તો મારું નિકંદન કાઢી નાંખશે.” એવું વિચારી સુબંધુએ રાજાને વિનંતી કરી હે દેવ ! અત્યારે ચાણક્ય શત્રુ મિત્ર ઉપર સમભાવના કારણે દેવરૂપ જ છે, માટે તેમની હું પૂજા કરું ! રાજાએ કહ્યું કરો. ત્યારે માયાથી પૂજા કરી ધૂપ ઉપાડી સંધ્યાકાળે લીંડી વચ્ચે અંગારો મુકી પોતાનાં ઘેર આવી ગયો. ચાણક્ય પણ આગથી દાઝતો છતાં સહન કરે છે. બહુ પિત્ત, મુત્ર અને રુધિરથી ભરેલાં એવાં અશુચિમય અને દુર્ગધી દેહ ઉપર રે જીવ તું રાગ રાખીશ નહિ, પુણ્ય અને પાપ એ બેજ જીવની સાથે જાય છે. શું આ શરીર કોઈ પણ સ્થાનથી સાથે ચાલ્યું છે ખરું? (૮૩). પશુનાં ભાવમાં ઘણી વેદનાઓ સહન કરી તેને યાદ કરતો રે જીવ ! આ વેદનાને સહન કર રે જીવ ! નરકમાં જે વિવિધ દુઃખો તે સહયાં, અત્યારે તેમને યાદ કરતો આ વેદનાને સહન કર (૮૫) વળી જ્યાં સુધી આ દેહમાંથી પ્રાણને છોડું નહિ, ત્યાં સુધી આ નીચેનાં જિનવચનો પ્રસન્ન મને સ્મરણ કરું. જીવ એકલો જાય છે, મરે છે અને ઉપજે છે. તથા સંસારમાં એકલો ભમે છે. અને એકલો સિદ્ધિવધૂને વરે છે. જ્ઞાન દર્શન ચારિત્રમાં આ શાશ્વત આત્મા સદા રહેલો છે. શેષ દુર્ભાવોને જીવન પર્યન્ત વોસિરાવું છું. હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ, પરિગ્રહ, રાત્રિભોજનથી વિરમું છું. અને આહાર પાણી વિગેરેના ત્રિવિધ ત્રિવિધ પચ્ચકખાણ કરું છું. જે જે સ્થાનોમાં મારા અપરાધ થયાં હોય તેઓને જિનેશ્વરો જાણે છે. તે સર્વની સમભાવથી ઉપસ્થિત થયેલો હું આલોચના કરું છું. છદ્મસ્થ મૂઢ મનવાળા આ જીવને કેટલું યાદ આવવાનું? જે યાદ ન આવે તેનું પણ હું “મિચ્છામિ દુક્કડમ્” આપું છુ. અત્યારે મરણ સમય નજીક આવેલો હોવાથી આત્મહિત કરવું યોગ્ય છે. તેથી અરિહંત પરમાત્માનું Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧o મૂળશુદ્ધિ ભાગ-૧ સ્મરણ કરું છું. અરિહંતને નમસ્કાર હો, સર્વ સિદ્ધને નમસ્કાર હો, આચાર્ય ઉપાધ્યાયને નમસ્કાર હો, સર્વ સાધુઓને નમસ્કાર હો. એવાં શુભપરિણામવાળો ચાણક્ય દેવલોકનાં વિમાનમાં શ્રેષ્ઠ દેવરૂપે ઉત્પન્ન થયો. અવસર જોઈ સુબંધુએ ચાણક્ય ના ઘરની માગણી કરી, રાજાએ હા પાડી, સુબંધુ ત્યાં ગયો. પણ આખું ય ઘર શૂન્ય હતું. પણ ત્યાં એક બંધ હારવાળો ઓરડો જોયો. તેણે ચિંતવ્યું આમાં જ બધો સાર હશે. ખોળીને જોયું તો એક પેટી દેખાઈ ! અરે ! આમાં શ્રેષ્ઠ રત્નો હશે ? તેથી તાળાઓ તોડી પેટી ઉઘાડી. તેમાં મઘમઘતી ગંધવાળો ડાભડો દેખાયો. હું ! હું ! આમાં હીરા હશે એમ ધારી ડાભડો ખોળ્યો તેમાં સુગંધમય એક પત્ર દેખ્યો. ગંધ લઈને પત્ર વાંચ્યો અને તેમાં લખ્યું હતું કે... આ ગંધને સુંધી જે શીતલ પાણી પીશે, મનોજ્ઞ ભોજન અને ઉત્તમ ખાદિમ સ્વાદિમને જમશે. સુગંધિ પુષ્પ કપૂર વિ. ને સુંઘશે, ચિત્ર વિ.માં રહેલા સુંદર રૂપ નિહાળશે, વિણા વાંસલીના ધ્વનિને, કોયલના મધુર ગીતોને સાંભળશે. સ્ત્રી શય્યા તકીયો વિ. કોમલ પદાર્થને અડકશે એટલે કે પાંચે ઈન્દ્રિયોના મનોજ્ઞ વિષયોને જે ભોગવશે તે યમનાં ઘેર જશે. (મૃત્યુ પામશે) એમાં કોઈ સંદેહ નથી. દાઢી, મુંછ અને માથાના વાળનું મુંડન કરાવી. હલ્દી જાતનાં અન્ન પાનથી જીવન ચલાવનાર સાધુની જેમ જે રહેશે તે જીવી શકે, નહિ તો મરશે. એવું વાંચી સુબંધુ વિચારવા લાગ્યો. મારી બુદ્ધીને ધિક્કાર હો, કે જેના મદથી ચાણક્યને માર્યો. આ જીવલોકમાં શ્રેષ્ઠમતિવાળો તો ચાણક્ય છે. કે જેણે મરવા છતાં પણ મને જીવતો છતાં મરેલો બનાવી દીધો. ખાત્રી કરવા માટે અનાથપુરુષને ગંધ સુંઘાડી મનોહર વિષયો ભોગવવાં આપ્યા. તે મર્યો, તેથી જીવવા ખાતર સાધુ રૂપે રહેવા લાગ્યો. પરંતુ અભવ્યત્વને લીધે ભાવવગરનો હોવાથી ભવાટવીમાં તીણ દુઃખોને સહન કરતો ભમશે. બિંદુસારની પૃથ્વીતિલકા પત્નીને લાલપત્રમાં સમૂહવાળાં, છાયા રેળાવતાં, પુષ્પથી શોભતાં, અનેક લોકોને આનંદ આપતાં અશોકવૃક્ષ જેવો અશોક શ્રી નામે પુત્ર થયો. યૌવનવયે ઉભેલો તે કલાકલાપમાં નિપુણ હતો. તેથી રાજાએ યુવરાજપદે સ્થાપ્યો. પિતાનાં મૃત્યુ પછી મંત્રી સામંતોએ તેને રાજા બનાવ્યો. રાજયધુરા સંભાળતા તેને કુણાલ નામે પુત્ર થયો. બાલ્યાવસ્થામાં જ યુવરાજપદે સ્થાપી સ્વમાતા મૃત્યુ પામી હોવાથી સાવકીમા ના ભયના કારણે કુમારભક્તિમાં (આજીવિકા માટે) ઉજ્જૈની નગરી આપી. કુણાલને શ્રેષ્ઠ મંત્રી પરિજન સાથે ઉજૈની મોકલી દીધો. અતિસ્નેહના લીધે રાજા દરરોજ સ્વહસ્તે ટપાલ લખીને મોકલે છે. એક વખત કુમારને ભણવા માટે યોગ્ય જાણી માહંતોને = પ્રધાનોને ઉદ્દેશીને લખ્યું કે “અધીયતાં કુમાર” એ પત્રને ફરી વાંચ્યો પણ હજી અક્ષર ભીનાં હોવાનાં કારણે ખુલ્લો મૂકીને રાજા શરીર શંકા નિવારવા ઉક્યો. રાજા પાસે બેઠેલી કુમારની સાવકી માતાએ વિચાર્યું રાજા આટલા આદરથી પત્ર કોને લખે છે, તેથી તેણીએ પત્ર વાંચ્યો. પણ રાજય પોતાના પુત્રને મળે તેવી ઈચ્છાના કારણે “અ” કાર ઉપર બિંદુ મૂકી દીધું. પત્રને તેજ સ્થાને પાછો મૂકી દીધો. “હાથે મૂકેલો પત્ર ફરીથી વાંચેલો હોય છતાં પણ એકવાર પુનઃ વાંચવો Page #122 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ સંપ્રતિ કથા ૧૧૧ એવા વચન યાદ ન આવવાથી રાજાએ આવીને પત્ર વાળીને મુદ્રિત કરી પત્રવાહકના હાથમાં ધર્યો. તેણે જઈ કુણાલને આપ્યો. તેને પણ લેખ વાંચનારને આપ્યો. પણ તે વાંચી ચૂપ થઈ ગયો. કુમારે કહ્યું પત્રને કેમ નથી વાંચતા? ત્યારે ચૂપ થઈ ગયો. તેથી જાતે લેખને વાંચ્યો. અને જોયું કે “અંધીયતાં કુમાર” તે કુમાર બોલ્યો અમારા મૌર્યવંશમાં રાજાજ્ઞા સર્વથા “અપ્રતિહત હોય છે - પાછી ન ઠેલાય”, જો હું પિતાની આજ્ઞા ઓળંગુ તો બીજો કોણ આજ્ઞા પાળશે? વળી પિતાને આ પ્રમાણે પ્રિય છે, તો એ પ્રમાણે કરવું જ જોઈએ. એમ કુણાલે તપ્ત સળીયા આંખમાં ધરબી દીધા. આ સાંભળી મહાશોકથી વ્યાપ્ત રાજાએ વિચાર્યું..... પુરુષથી મનોરથો અન્યરૂપે વિચારાય છે, ભાગ્યથી પ્રાપ્ત ભાવો અન્યરૂપે થાય છે. સહર્ષ સમૂહથી ઉદ્યત-હર્ષ પૂર્વક અવસર પામી તત્પર બનેલ (ખંતીલો) માણસ હૃદયથી અન્યરૂપે વિચારે છે. વિધિવશે કાર્યારંભ અન્યરૂપે પરિણમી જાય છે. (૧૦૫) અંધને રાજ્ય નકામું છે. તેથી આને એક ગામ આપ્યું. કુણાલની સાવકીમાના પુત્રને કુમારભક્તિની (માટે) ઉજ્જૈની નગરી આપી. કુણાલ પણ ગાંધર્વ કલામાં ઘણો કુશલ હોવાથી ગાંધર્વ ગીતો ગાવામાંજ મસ્ત રહે છે. આ અરસામાં પેલા ભીખારીમાંથી મુનિ બનેલનો જીવ અવ્યક્ત ચારિત્રના પ્રભાવે કુણાલની પત્ની શરદશ્રીનાં કુખે પુત્રરૂપે અવતર્યો. બે મહીનાં થતા જિનપૂજા, સાધુને દાન આપવું ઈત્યાદિ દોહલા થયા. કુણાલે યથાશક્તિથી પૂરા કર્યા. કાલક્રમે પુત્રને જન્મ આપ્યો ત્યારે “સાવકી માતાનાં મનોરથોને ધૂળભેગા કરું અને પોતાનાં રાજ્યને લઉં.” એમ વિચારી અજ્ઞાત વેશે ગામથી કુણાલ નીકલ્યો. ગાંધર્વ ગીતો ગાતો પાટલિપુત્ર નગરે પહોંચ્યો. ત્યાં પણ મંત્રી સામંત વિગેરેના ઘેર ગીત ગાઈ સર્વને ખુશ કર્યા. તેથી સર્વજનો કહેવા લાગ્યા કે છૂપા વેશે હાહા કે હુહુ આવ્યા લાગે છે અથવા શું તુંબરુ સ્વયં તો આવ્યો નથી ને ? શું આ ગંધર્વ છે? શું આ કિન્નર છે? કે શું આ માણસ છે? એમ બોલતા લોકોનો અવાજ રાજા પાસે પહોંચ્યો. કુતુહલથી રાજાએ તેને બોલાવ્યો અને પર્દાની અંદર રહીને કુણાલ ગાવા લાગ્યો. કારણ રાજાઓ વિકલ ઈન્દ્રિયવાળા માણસોને જોતાં નથી. તેથી તેને પર્ધામાં રાખ્યો. તેનાં ગીતગાનથી રાજા ઘણો જ પ્રસન્ન થયો, અને કહ્યું કે હે ગંધર્વ! તું વરદાન માંગ જેથી હું તને આપું. (૧૧૦) ત્યારે કુણાલે કહ્યું. ચંદ્રગુપ્તના પુત્ર બિંદુસારનો પૌત્ર તેમજ અશોકગ્નીનો અંધપુત્ર કાકિણી માંગે છે.” અશ્રુભીની નેત્રવાળાં રાજાએ પણ પોતાનો પુત્ર જાણી પરદો દૂર કરી પોતાનાં ખોળામાં બેસાડ્યો. હે પુત્ર ! તું તો આંખે અખમ હોવાથી રાજયને લઈ શું કરીશ? તાત ! મારો પુત્ર રાજય કરશે? રાજા- પુત્ર ક્યારે થયો. સંપ્રતિ (હમણાં) જ થયો છે. તેથી રાજાએ તેનું સંમતિ નામ પાડ્યું. દશ દિવસ થતાં જન્મ સંબંધી દશ દિવસનો વ્યવહાર કરીને બોલાવીને રાજયે સ્થાપ્યો. અનુક્રમે તે પ્રચંડ શાસનવાળો “અર્ધભરત” નો સ્વામી બન્યો. અને ઘણાં અનાર્ય દેશોને પણ બલથી વશ કર્યા. એક વખત રાજા ઉજૈનીમાં હતો ત્યારે જીવંતસ્વામીની પ્રતિમાને વાંદવા માટે સંયમના પાલન પૂર્વક વિહાર કરતાં કરતાં આર્યસુહસ્તિસૂરિ પધાર્યા. બજારમાંથી પસાર થતાં તેમને Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ મૂળશુદ્ધિ ભાગ-૧ ગવાક્ષમાંથી સંપ્રતિ રાજાએ જોયા. જોઈને રાજા વિચારવા લાગ્યો મેં એમને પહેલા ક્યાંક જોયા લાગે છે. “અરે ! એમને મેં પહેલા કયાં જોયા” એમ ઈહાપોહ કરતાં સંભ્રમથી - ખળભળાટના કારણે અલના પામતો અન્વય ધર્મની પર્યાલોચના દ્વારા અન્વેષણ કરતો ઝરુખામાં જ પડ્યો. ત્યારે નજીકના માણસોએ ચંદનના રસ વિગેરેથી સિંચન કર્યું અને તાલવૃત પંખાથી વીંઝવા લાગ્યા. પલકમાં પૂર્વભવ યાદ કરી ઉભો થયો અને ગુરુ પાસે ગયો. ભક્તિના અતિશયથી વિકસિત રોમરાજીવાળાં ખીલેલાં વદનકમલવાળાં રાજાએ લલાટે અંજલિ લગાડીને વિનંતી કરી હે ભગવન્! જિનધર્મનું શું ફળ છે? સ્વર્ગ અને મોક્ષ ફળ છે, રાજાએ કહ્યું સામાયિકનું શું ફળ છે? સૂરીએ કહ્યું - અવ્યક્ત સામાયિક નું રાજયપ્રાપ્તિ વિ. ફળ છે. ત્યારે વિશ્વાસ બેસવાથી રાજાએ કહ્યું આ વાત આમ જ છે. એમાં કોઈ સંદેહ નથી, પણ આપ મને ઓળખો છો કે નહિ? ત્યારે આચાર્યશ્રીએ શ્રુતોપયોગ મૂકી બરાબર કહ્યું. “હું” બરાબર ઓળખું છું. તું કૌશામ્બી નગરીમાં મારો શિષ્ય હતો. - ત્યારે વિશેષ ભક્તિ બહુમાનનાં કારણે ગદ્ગદ કંઠે ફરી પણ સૂરિજીને વાંદ્યા અને કહ્યું. દુઃખીયાના દુઃખો દૂર કરી સુખની સોડમાં સુવડાવનારા ! ગુણોથી ભરેલાં ! કરુણાનાં સાગર ! વિશિષ્ટશ્રુતજ્ઞાનના ભંડાર ! મિથ્યાત્વરૂપી અંધકારને દૂર કરવામાં સૂર્ય સમાન ! ગર્વથી ભરેલા પરવાદીરૂપી હાથીઓનો નાશ કરવામાં સિંહ સમાન ! મનુષ્ય, વિદ્યાધર ને દેવતાઓથી નમન કરાયેલાં હે મુનિનાથ ! તમને નમસ્કાર હો ! જીવોનાં પિતા સમાન આપે તે વખતે મારાં ઉપર કૃપા ન કરી હોત તો દુઃખની ભમરીમાં ફસાઈ જાત. તમારાં ચરણ પસાએ અસાધારણ રાજ્યની પ્રાપ્તિ થઈ. તેથી અત્યારે મારે જે કરવા યોગ્ય હોય તે આદેશ કરો. સૂરીએ કહ્યું આ સર્વ ધર્મનો પ્રભાવ છે તેથી તેમાં જ યત્ન કર. જેવી ગુરુની આજ્ઞા” એમ કહી શ્રાવક ધર્મ સ્વીકાર્યો. પ્રતિમાઓને અશ્મકારી પૂજાથી પૂજવા લાગ્યો. અને ગુરુ સેવામાં રક્ત બની સાધુજનોને વહોરાવે છે. દીન અનાથ વિ.ને દાન આપી જીવદયા પાળે છે. આ પ્રકરણમાં વર્ણવેલી વિધિથી જિનમંદિરો કરાવે છે. ગામ-નગર-આકર વિ.માં ગગનચુંબી ઊંચી ફરકતી ધજાવાળા જિનાલય બંધાવી રાજાએ પૃથ્વીને શોભાવી-ધરતી માતાને મઢી નાંખી. સુવિહિત સાધુઓના તે શ્રાવક રાજાએ પ્રાન્તનાં-આસપાસના સર્વ રાજાઓને જલ્દી બોલાવ્યા તેમને વિસ્તારથી ધર્મ કહ્યો અને સમક્તિ પમાડ્યું. અને શ્રમણોએ ઉપદેશ આપ્યો ત્યારે ઘણાં રાજાઓ શ્રાવક થયા. તે રાજાઓ ત્યાં જ રહેલાં હતા ત્યારે ઉજ્જૈનીના જિનાલયથી ઠાઠમાઠથી રથયાત્રા કાઢી. તેમાં મહાવિભૂતિથી રથયાત્રા નીકળી તેનું વર્ણન કરે છે.... ભંભાબેરી અને ઉદ્યોષણાથી શબ્દમય બનેલી, જેમાં જય જય શબ્દનો કોલાહલ થઈ રહ્યો છે. કાહલ (વાજિંત્ર વિશેષ) શંખ, કરટ, વાજિંત્ર નાં શબ્દથી આડંબરવાળી, જેમાં રહેલી ધ્વજાઓ પવનથી લહેરાઈ રહી છે. મૃદંગ તિલિમ (વાજિંત્ર વિશેષ) એ પટહથી જેમાં સુંદર અવાજ ભરાય છે. ભવિક જીવોનો ઘોર ભયંકર મહાસંસારનો નાશ થઈ રહ્યો છે. રત્નનાં બનાવેલ ચિત્રો જેમાં સારભૂત હતા એટલે રથ બગી વિ.માં રત્ન જડિત ફોટાઓ સજાવીને રાખેલા છે, તેથી રથયાત્રા ઘણી Page #124 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ સંપ્રતિ કથા ૧૧૩ જ શોભી રહી છે. એટલે રથયાત્રામાં એ ચિત્ર પ્રધાન-સારભૂત હતા. જેમાં વાંસળી, વિણા, સારંગીનો ધ્વનિ ગુંજી રહ્યો છે. જેમાં કાંસ્યાલ - વાદ્યવિશેષ કાંસીજોડાના તાલનો મંજીરાનો ઉત્કટ = ઉગ્ર-ઉત્તમ શબ્દ પ્રસરી રહ્યો છે. માણસોનાં ઘસારાથી શેરીઓ સાંકડી બની ગઈ છે. ઝાલરનાં ધ્વનિથી ગગન - આંગણું ભરાઈ ગયું છે. શણગાર સજેલી સ્ત્રીઓ નાચી રહી છે. મધુર ગીતોથી પુરુષ સમુદાય આશ્ચર્ય પામી રહ્યો છે. પુષ્પની શોભા – સજાવટથી જાણે નંદનવન લાગી રહ્યું છે. સેંકડો ઘોડાઓ જેમાં ઉછળી રહ્યા છે. સેંકડો રાસ- ગરબાથી વ્યાપ્ત નારીઓ ઉંચે અવાજે ધવલ ગીતો ગાઈ રહી છે. વારંવાર આરતી ઉતરી રહી છે. અર્થીઓને ભક્તિથી દાન અપાય છે. એ પ્રમાણે અનેક અતિશય ગુણોથી યુક્ત વરઘોડો સંપ્રતિ રાજાના ઘેર પહોંચ્યો. ત્યારે સંપ્રતિરાજા પણ વિકસિત મનવાળો મૂલ્યવાન, પૂજા સામગ્રી લઈને નીકળ્યો, રોમાંચિત થઈ રથને પૂજયો અને સામંતો સાથે રથની પાછળ પાછળ ચાલવા લાગ્યો. આ અદ્દભૂત રથાયત્રાને નિહાળી રાજાએ સર્વ સામંતોને કહ્યું. જો તમે મને માનતા હો તો તમે પણ પોતાના રાજ્યમાં આવું કરો. તેઓએ પણ તેમ કર્યું. આ અર્થની સાબિતીમાં નિશીથ સૂત્રની ગાથા છે. જો તમે મને સ્વામી તરીકે માનતા (ઓળખતા) હો તો સુવિહિત સાધુઓને પ્રણામ કરો. મારે ધનનું કાંઈ કામ નથી, પણ સાધુઓને પ્રણામ કરો એજ મને પ્રિય છે. ઉદ્દેશો - ૧૬ ગાથા નં. // પ૭પપા. સંપ્રતિ રાજાએ સર્વસામંતોને વિદાય કર્યા અને તેઓએ પોતાનાં રાજ્યમાં જઈ અમારિ ઘોષણા કરાવી. જિનાલયો બંધાવા લાગ્યા અને રથયાત્રાના કાર્યક્રમ ગોઠવવા લાગ્યા. અને નજીકના રાજ્યો સાધુના વિહાર યોગ્ય બન્યા. //પ૭પી અણજાણે...” યાત્રામાં સઘળાં સામંતોથી પરિવરેલો તે રાજા પગપાળા ચાલે છે. રથમાં ફૂલો ચઢાવે છે. રથ આગલ પુષ્પવૃષ્ટિ કરે છે. તેમજ વિવિધ જાતના ફૂલ ખાજા | ખાદ્ય પદાર્થો મોટા કોડા, વસ્ત્ર વિ. ઉડાડે છે. ચૈત્યપૂજા કરે છે = અન્ય જિનાલયોમાં રહેલી પ્રભુ પ્રતિમાની પૂજા કરે છે. તે દેખી તે.સામંતો (પાડોશી- ખંડીયા રાજાઓ) પોતાનાં રાજ્યમાં તેમ કરવા લાગ્યાં. (૫૭૫૪ જિ.ભા.) (૧૭૧) એકવાર રાત્રિના પૂર્વભાગમાં રાજાને વિચાર આવ્યો કે અનાર્ય દેશમાં પણ સાધુનો વિહાર ચાલુ કરાવું. એમ વિચારી તેણે અનાર્યોને કહ્યું... મારા પુરુષો જેવા પ્રકારનો કર માગે તેવો આપજો. અને સાધુ પુરુષધારી રાજપુરુષો ત્યાં મોકલ્યા. તેઓએ કહ્યું અમને બેંતાલીશદોષ વિનાની શુદ્ધ વસતિ, ભક્ત, પાન, વસ્ત્ર, પાત્ર વિ. આપો. અને આ આ ભણો તે રાજાને સારું લાગશે. અનાર્યો પણ રાજાના સંતોષ ખાતર તેમ કરવા લાગ્યા. અનુક્રમે અનાર્ય દેશો પણ સાધુ સામાચારીથી પરિચિત થઈ ગયા. ત્યારે ગુરુને વિનંતી કરી કે ગુરુદેવ ! અનાર્ય પ્રદેશમાં સાધુઓ કેમ વિચરતાં નથી. ગુરુ-તેઓને જ્ઞાન નથી. રાજા – જ્ઞાન કેમ થતું નથી. ? આચાર્ય મ.સા. - સાધુ સમાચારીને અનાર્યો જાણતાં નથી. રાજા - આપનાં સાધુને મોકલી અનાર્ય દેશોનું સ્વરૂપ જાણો. ત્યારે કેટલાક સાધુ સંઘાડાને ત્યાં મોકલ્યા. તેઓ પણ રાજપુરષો છે, એમ પોતાનાંથી બલવાન માની સામાચારી પ્રમાણે આપવાં લાગ્યા. Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ મૂળશુદ્ધિ ભાગ-૧ તેઓએ સૂરિ પાસે આવી જણાવ્યું સર્વે ક્ષેત્ર વિહાર યોગ્ય છે. અને જ્ઞાનાદિનું પોષણ થઈ શકે એમ છે. તેઓ ધર્મદેશનાથી ભદ્ર પરિણામી બન્યા. નિશીથ સૂત્રમાં કહ્યું છે કે... શ્રમણરૂપધારી સુભટોથી ભાવિત તે દેશોમાં એષણા વિ. યોગના લીધે સાધુઓ સુખેથી વિચારવા લાગ્યાં. તેનાથી અનાર્યો ભદ્ર બન્યાં. //૫૭૫૮ . ઉન્નત જોરાવર ઘણા યોદ્ધાના કારણે સિદ્ધસેનાવાળો તે રાજાએ શત્રુસેના ઉપર વિજય મેળવ્યો છે. તેણે વિકટ એવા આંધ્ર અને દ્રવિડ દેશમાં ચારે તરફથી સાધુઓને સુખપૂર્વક વિહારકરાવ્યો. I/૫૭૫૮ એકવાર સંપ્રતિએ પૂર્વભવનું દારિદ્ર સ્મરી નગરનાં ચારે દરવાજે મોટી દાનશાળાઓ ખોળી. - ત્યાં શત્રુમિત્રનો ભેદભાવ રાખ્યા વિનાં બધાને મોટા પ્રમાણમાં દાન આપવાનું શરૂ કર્યું. અને વધેલું રસોઈયાને મળે છે. રાજાએ તેઓને પૂછ્યું વધેલું કોને આપો છે. હે રાજનું! વધેલુ તો અમે રાખીએ છીએ. ત્યારે રાજાએ તેમણે કહ્યું કે તમે સાધુઓને આપો, હું તમને દ્રવ્ય આપીશ. તેઓ રાજાશાને સ્વીકારી તેમ કરવા લાગ્યા. નગરમાં પણ કંદોઈ, વણિક મંત્રી, કાપડના વ્યાપારી વિ. લોકોને કહ્યું તમે સાધુઓને જે ઉપયોગી હોય તે આપો. અને તેનું મૂલ્ય હું તમને આપીશ. લોકો તેમ કરવા લાગ્યા. આર્યસુહસ્તિસૂરિ આ જાણવા છતાં શિષ્યનાં અનુરાગથી તેમને રોકતાં નથી. આ બાજુ આર્યમહાગિરી બીજા ઉપાશ્રયમાં હતા. તેમને આર્યસુહસ્તિસૂરીને કહ્યું કે આર્ય ! તમે જાણવા છતાં રાજપિંડ અને અષણીય આહારાદિ કેમ પ્રહણ કરો છો, ? આર્યસહસ્તિસૂરીએ કહ્યું “જેવો રાજા તેવી પ્રજા” આ ન્યાયથી રાજાની પાછળ પાછળ આ લોકો પણ વહોરાવે છે. આ તો માયાવી છે. એમ રોષે ભરાઈ આર્યમહાગિરીએ કહ્યું આર્યસુહસ્તિસૂરિ !આજથી તમારે અને મારે ગોચરી વ્યવહાર બંધ છે. આ હકીકત નિશીથસૂત્ર ગાથા (૫૭૫૧)માં દર્શાવી છે. આગમમાં કહ્યું છે કે – સરખા કલ્પવાળા, સમાનચારિત્રવાળા, અથવા વિશિષ્ટચારિત્રવાળા, ચારિત્રયુક્ત જ્ઞાની સાધુઓ સાથે પરિચય કરવો જોઈએ. અને તેઓનાં ભક્તપાન ઉપાદેય છે. અને તેઓને મળેલાં આહારાદિથી ખુશ કરવા જોઈએ. આ સાંભળી આદરપૂર્વક આર્યસુહસ્તિસૂરિએ મિચ્છામિ દુક્કડમ્” આપ્યો. અને કહ્યું ફરી આવી ભૂલ કરીશ નહિં. અમારા એક અપરાધને ક્ષમા કરો. ત્યારે ફરી ગોચરી વ્યવહારને ચાલુ કર્યો. સંપ્રતિ રાજા રાજય કરી વિશુદ્ધ શ્રાવક ધર્મ આરાધી દેવલોકમાં ગયો. ઉત્તમ મનુષ્ય વિ. નાં ભવ પ્રાપ્ત કરી સિદ્ધિ સુખ પામશે. Il૩થા ઈતિ સંપ્રતિ કથા સમાપ્ત અન્ય કરેલાં ચૈત્યનાં વિશે જે કરવાનું છે તે અને પ્રકરણનો ઉપસંહાર ગાથા વડે કહે છે. देज्जा दवं मंडल - गोउलाइं, जिण्णाइँ सिण्णाई समारएज्जा । नट्ठाई भट्ठाइँ समुद्धरिज्जा, मोक्खंगमेयं खु महाफलं ति ॥३८॥ ચૈત્યના નિર્વાહ માટે દ્રવ્ય (ધન) દેશ, ગોકુળો - (ગાયના વાડાઓ) આપવા. જુના થયેલા ભેજ વિ. નાં કારણે દુર્બલ પડેલાં ચૈત્યોનું સમારકામ કરાવે. નાશ પામેલાં એટલે ત્યાં માત્ર જમીન દેખાતી Page #126 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ ૧૧૫ પુનઃ નવાં બનાવવા કારણ કે હોય કે અહિં જિનાલય હતું એવી નિશાની પણ ન હોય અને સંપૂર્ણ નાશ પામેલાં તેવાં જિનાલયને આ પૂર્વોક્ત પ્રવૃત્તિ મહાફળવાળી ને મોક્ષના હેતુભૂત છે. ।।૩૮।। બીજા સ્થાનકનું વિવરણ પુરું “જિનાગમ નામે ત્રીજું સ્થાન” પૂર્વે જિનભવનનું મૃત્યુ કહ્યું તે આગમથી સંભવી શકે છે. માટે તે આગમનું સ્વરૂપ જાણવું જોઈએ. તેનાં માહાત્મ્યને બતાવનારી પ્રથમ ગાથા કહે છે...... देवाहिदेवाण गुणायराणं, तित्थंकराणं वयणं महत्थं । मोत्तूण जंतूण किमत्थि ताणं, असारसंसारदुहाहयाणं ? ॥३९॥ ગાથાર્થ—અસાર સંસારમાં જે દુઃખ છે તેનાથી હતપ્રભ બનેલાં-પીડાયેલા પ્રાણીઓને દેવાધિદેવ અને ગુણોની ખાણ એવાં તીર્થંકરોના મહાર્થવાળા વચનોને મૂકી અન્ય કોણ તારણહાર છે. ? તેઓ ગુણોની ખાણ સમા છે. કારણ કે જેમ ખાણમાંથી સોનું કાઢતા રહીએ તો પણ ખાલી થતી નથી. તેમ પ્રભુનાં ગુણો ગાતા રહીએ તો પણ ક્યારેય પુરા થતા નથી. કહ્યું છે કે મતિ શ્રુતરૂપી વેગવાળા અશ્વોથી યુક્ત અવધિજ્ઞાનરૂપી મનોહર રથવડે જેનાં ગુણ સ્તુતિ રૂપ માર્ગનો ઈન્દ્રપણ પાર પામતો નથી. (૧૭૬) અન્ય દેવો પણ આવા જ હશે એવો ભ્રમ દૂર કરવા મૂળગાથામાં તીર્થંકર શબ્દ મૂક્યો છે. તીર્થ જેનાથી તરાય. દ્રવ્યતીર્થ - નદી વિ.માં ઉતરવાનો આરો. અહીં દ્રવ્યતીર્થનો અધિકાર નથી. ભાવતીર્થ = એટલે સંસાર સાગર ઉતરવા સમર્થ ચતુર્વિધ સંઘ અથવા પ્રથમ ગણધર, આવા ભાવતીર્થને સ્થાપનારા તીર્થંકર કહેવાય છે. આવા તીર્થંકર ભગવાનનું વચન જ આગમ સમજવું. આ આગમ મહાઅર્થથી ભરેલ છે. કહ્યું છે કે... સર્વ નદીઓની રેતી અને સર્વ સમુદ્રોના પાણીનું જે પ્રમાણ હોય તેનાથી એક આગમ સૂત્ર અનંતગુણ અર્થવાળું હોય છે. (૧૭૭) સાડાત્રણ ગાથાથી જે રીતે રક્ષણ થાય છે તે બતાવે છે. ૩૯ नज्जंति जं तेण जिणा जिणाहिया, भावा मुणिज्जंति चरा - ऽचरं जगं । સંસાર-સિી તહ તમ્બુબ્જાન્ઘુળા, तक्कारणाइं च अणेगहा तहा ॥४०॥ = धम्मा-धम्मं गम्मा-गम्मं गम्मए आगमेणं, कज्जा - कज्जं पेज्जा - ऽपेज्जं जं च भोज्जं न भोज्जं । ગુત્તા-ડબ્રુત્ત સારા-સાર માિમા-મંાિમ હૈં, भक्खा - Sभक्खं सोक्खा - सोक्खं जेण लक्खति दक्खा ॥४१॥ सद्धासंवेगमावन्ना भीया दुक्खाण पाणिणो । कुणता तत्थ वुत्ताइं पावंति परमं पयं ॥४२॥ Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ મૂળશુદ્ધિ ભાગ-૧ तम्हा एसो दुहत्ताणं ताणं सत्ताणमागमो ॥४३ पू० આગમથી-જિનેશ્વરો જિનપ્રતિપાદિત પદાર્થો, ત્રણ-સ્થાવર રૂપ ચરાચર જગત, સંસાર, મોક્ષ અને તેમનાં દોષ-ગુણ તથા તેમનાં અનેક પ્રકારનાં કારણો જણાય છે. - ચારે ગતિમાં ભ્રમણ કરવું તેને સંસાર કહેવાય. - જીવનું કર્મથી વિખૂટા થઈને રહેવું તે મોક્ષ કહેવાય. - દુમ્બફળે... વગેરે સંસારના અવગુણ છે કહ્યું છે કે... “સંસારનું ફળ દુઃખ છે. સંસાર દુઃખમાં જકડી રાખે છે. સંસાર જાતે જ દુઃખ રૂપ છે. સંસાર દુઃખનું જ ઘર છે. અરે આ સંસારનું વર્ણન કરતાં ભયથી સંવાટા ઉભા થઈ જાય છે. અનંતસુખ વિ. સિદ્ધિ પદના ગુણો છે. આવશ્યનિર્યુક્તિ માં કહ્યું છે કે – અવ્યાબાધ સુખને પામેલાં સિદ્ધ ભગવંતોને જે સુખ હોય છે તે સુખ મનુષ્ય તથા સર્વ દેવોને પણ હોતું નથી. સઘળાં દેવોનું સર્વકાલનું સુખ ભેગું કરી અનંતગણું કરીએ તો પણ મુક્તિ સુખનાં અનંતમા વર્ગમૂલને પણ આંબી શકતું નથી. સર્વકાલનું ભેગું કરેલું સિદ્ધ ભગવાનનું સુખ અનંતવર્ગથી ભાગાકાર કરીએ તો સર્વ આકાશમાં ન સમાય. (આ.નિં. ૯૮૦-૮૨) સંસારનાં કારણ મિથ્યાત્વ વિગેરે સિદ્ધિનાં કારણ જ્ઞાન વિ. ના અનેક પ્રકાર જિનાગમથી જાણી શકાય છે. ધર્મ અને અધર્મ લૌકિક લોકોત્તર ભેદથી બે પ્રકારે છે. લૌકિક ધર્મ તે ગ્રામધર્મ વિગેરે તે દ્રષ્ટાંત દ્વારા સમજાવે છે. લૌકિક ધર્મ કથાનકથી જાણી શકાશે.” (નાગદત્ત કૌટુમ્બિક કથાનક ) આ ભરતક્ષેત્રનાં લાટ દેશમાં ધન્યપૂરક નામે નગર છે. ત્યાંના કુટુંબનાં સ્વામી સમુદાયધર્મપૂર્વક ચાલતાં નથી. તેમાં એક નાગદત્ત નામે પરિવારનો સ્વામી છે. તેણે બધાને સમજાવ્યું કે છૂટા છૂટા થઈને રહેવું સારું નહિ. નીતિશાસ્ત્રમાં પણ યું છે કે... ભેગાં મળીને રહેવું પુરુષોને કલ્યાણકારી છે. (જેમ ડાંગરના છોડ ભેગા કરી પુનઃ રોપવામાં ન આવે તો પાકતા નથી.) વિશેષ કરીને જ્ઞાતિજનો સાથે હળીમળીને રહેવાથી વિશેષ કલ્યાણ થાય છે. તુષનો સાથ છોડવાથી ચોખા ફરી ઉગતાં નથી. છુટા છવાયા રહેનારનું રાજદરબારમાં પણ કાઈ કાજ સરતુ નથી. કુંઢ = આળસુઓ વડે તેઓનું ભક્ષણ (નાશ) કરાય છે. તેથી તમે ખોટી પક્કડ ના રાખો. પણ તેઓએ તેની વાત ન માની. આ ગામનો પરસ્પર સંપ નથી એવું જાણી રાજાના આળસુ પુરુષો (ભાટ નાં પુત્રો) ઉપદ્રવ કરવા લાગ્યા. તેવી પરિસ્થિતિ જોઈને નાગદત્ત નિરુપદ્રવ ઠેકાણું શોધવા ગાડામાં બેસી રંધેજય નામના ગામમાં ગયો. ત્યાં પહોંચ્યો ત્યારે જાણે કોઈક કારણસર ઉકરડા ઉપર રહેલાં ચોરામાં ૧ કારણ કે સંસાર ભોગવતાં નવી દુઃખકારી પ્રકૃતિઓજ બંધાય છે. Page #128 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ ૧ ૧૭. આબુગામ ભેગું થયેલું જોયું. “લો આ તો સારું થયું કે એક ઠેકાણે બધા ભેગા થયેલા જોવા મળ્યા.” એમ વિચારીને ઉતરીને ત્યાં ગાડું મૂક્યું. ઉચિત પ્રવૃત્તિ કરી તેમની સમક્ષ બેઠો, અને વિનંતી કરી કે હું તમારા ગામમાં વસવા ઈચ્છું છું. - જો તમે લાભ આપો તો (હાં પાડો તો)? હા પાડીને કહ્યું કે જલ્દી આવ ! ત્યારે ઉઠીને ગાડું જોતરે છે, ત્યારે એક ચક્ર ન દેખાયું. તે બોલ્યો તે ગ્રામજનો ! મારા ગાડાનું ચક્ર કોઈએ ચોરી લીધું હોવાથી હું કેવી રીતે જાઉં? ત્યારે તેઓ એક અવાજે બોલ્યા કે આ તો એકચક્રવાળા ગાડાથી આવ્યો છે. તેણે કહ્યું એક ચક્રે અવાય જ કેવી રીતે ? મેં જાતે જ તેલ લગાડી ગાડામાં જોડ્યું હતું. હાં ભાઈ ! આ ગાડું તો દેખાય જ છે પણ એક ચક્રવાનું જ છે. તમે જોતરીને આવતા હતા ત્યારે અમે એમ જોયેલું. તેથી તમને ભ્રમ થયો લાગે છે. જે અમારાં ઉપર વિશ્વાસ ન હોય તો તમારા આવવાના રસ્તે તળાવકાંઠે રમતા છોકરાઓને પૂછી લો. છોકરાને પૂછતાં તેઓ પણ તે પ્રમાણે જ બોલ્યા. “આટલા બધા કેવી રીતે ખોટું બોલે” “તેથી હું જ ભ્રમમાં પડ્યો હોઈશ.” એમ વિચારી ગાડું જોતરી ઉપર ચડી બળદો હંકાર્યા. ત્યારે ગ્રામજનોએ તેને બોલાવીને કહ્યું કે ભદ્ર ! નાનું બાળક પણ જાણે છે કે એક ચક્રથી ગાડું ન ચાલે. જયારે તું વિનંતી કરવામાં વ્યાકુલ (વ્યસ્ત) હતો, ત્યારે અમારામાંથી એક જણાએ પૈડું ચોરી ગાડું તેજ રીતે નિયંત્રિત કરી દીધું. પણ અમારો આ ગ્રામધર્મ છે કે “એક માણસે સારું કે નરસું કર્યું હોય તેમાં સર્વને હાં ભરવાની. તેથી જો તું આવા ગ્રામધર્મ દ્વારા સપરિવાર શાંતિથી જીવન ચલાવી શકે એમ હોય તો અહિ આવજે, અન્યથા નહિં. ત્યારે તેણે હર્ષપૂર્વક તેમની વાત સ્વીકારી. તો બોલ તારી અમે શું મદદ કરીએ. મારે કાંઈ ખોટ નથી. પણ મારું એક પૈડું આપો જેથી જઈને આવું, તેઓએ પૈડું આપ્યું. તે પોતાનાં ઘેર ગયો. પુત્ર, સ્ત્રી સાથે એક મત કરી કુટુંબકબીલા સાથે ત્યાં આવીને રહ્યો. આવો લૌકિક ધર્મ છે. કારણ કે (એમાં સદ્ અસનો વિવેક નથી પણ ગ્રામવાસીઓ માટે સુખદાયી હોવાથી લોક અપેક્ષાએ ધર્મ કહેવાય. અને ધન્યપૂર ગામનો રિવાજ અધર્મ કહેવાય) શ્રુતચારિત્ર રૂપ લોકોત્તર ધર્મ સાધુને સર્વથી, શ્રાવકને દેશથી છે. હિંસા વિદેશથી કે સર્વથી અધર્મરૂપે છે. સ્વસ્ત્રી જ ભોગ્ય ગમ્ય છે. અને બહન વિ. અભોગ્ય છે. આ લૌકિક બાબત થઈ. અને લોકોત્તરમાં આર્યક્ષેત્ર ગમ્ય-વિહાર કરવા યોગ્ય છે અને અનાર્ય દેશ અયોગ્ય છે. - શ્રાવકોને સ્વસ્ત્રી ગમ્ય છે, પરસ્ત્રી અગમ્ય છે. - લૌકિકકાર્ય કરવા યોગ્ય કાર્ય નીતિપૂર્વક વ્યાપાર કરવો તે, - લોકોત્તર કાર્ય - સાધુઓને સદ્ અનુષ્ઠાન, અકાર્ય સામાચારીનો ભંગાદિ, * - શ્રાવકોને કાર્ય જિનપૂજા વિ., અકાર્ય લોક વિરુદ્ધ આચરણ વિ. - લૌકિક પીવા યોગ્ય - દુધ દ્રાક્ષારસ વિ. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ લૌકિક અપીવા યોગ્ય - લોહિ વિ. લોકોત્તર પીવા યોગ્ય - અચિત્ત દોષ રહિત રાબ વિ. લોકોત્તર પીવા અયોગ્ય - સચિત્ત પાણી વિ. તેમાં શ્રાવકને પેય - પાણી વિ., અપેય - દારુ વિ. લૌકિક ભોજ્ય - ભાત વિ., અભોજ્ય - ગાયનું માંસ વિ. - લોકોત્તર ભોજ્ય - દોષ વિનાનો આહાર, અભોજ્ય - દોષયુક્ત આહાર વિ. - શ્રાવકોને ભોજ્ય - ત્રસજીવોથી રહિત અન્નાદિ વિ. શ્રાવકોને અભોજ્ય - અનંતકાય-બટાટા વિ. લૌકિક ઉચિત - સામે જવું, ઉભા થવું વિ. - લૌકિક અનુચિત - બીજાનો વિરોધ કરવો. - - - લોકોત્તર સંયમીઓને ઉચિત - પરોપકાર વિ. - લોકોત્તર સંયમીઓને અનુચિત - આગમસૂત્રનાં અર્થ છુપાવવા કે ઉલ્ટા અર્થ કરવા. શ્રાવકોને ઉચિત - સાધુ સેવા વિ. શ્રાવકોને અનુચિત - પાંખેડીઓનો પરિચય વિ. લૌકિક સારભૂત - વજ્ર, ગોશીર્ષ ચંદન, સ્ત્રી વિ. લૌકિક અસારભૂત બરછટ પત્થર, એરંડનું લાકડું, કાંટા વિ. નવવાડની સાચવણી સાથે બ્રહ્મચર્ય પાલન વિ. - લોકોત્તર સાર લોકોત્તર અસાર - તેમાંજ અતિક્રમ અતિચાર વિ. લગાડવા. - શ્રાવકનો સાર શ્રાવકનો અસાર લૌકિક લોકોત્તરમાં સાર અસારના વચ્ચે રહેનારાં ભાવો મધ્યમ, અને અમધ્યમ તો સાર અને અસાર બન્ને અસારજ છે, (સાર પણ અસાર જ છે.) સામાન્ય મીઠાશ અને થોડાક ઘીવાળા મોદક વિ. લૌકિક મધ્યમ સાર છે હવે તેનાથી પણ સાવ ફીકા અને લુખા મોદક અસાર જ છે, એટલે મોદક સારભૂત છે, પણ આવા લુખા લાડુ તો અસારજ છે. તેમ સંવિગ્ન પાક્ષિક બની શક્ય તેટલુ સંયમ પાળે અને ન પલાય તેનું ખેદ કરે તે મધ્યમ, પણ સાવ પાસસ્થાની જેમ આવશ્યક ક્રિયાપણ ન કરે તે તો અમધ્યમ હોવાથી અસારજ છે. કિંપાક ફળ વિ. મૂળશુદ્ધિ ભાગ-૧ - - સર્વ વિરતિની અતૂટ ઝંખના. પ્રમાદ વિ. - - લૌકિક ભક્ષ્ય લાડુ વિ., અભક્ષ્ય - લોકોત્તર ભક્ષ્ય શુદ્ધ આહારાદિ. લોકોત્તર અભક્ષ્ય - અશુદ્ધ આહારાદિ. શ્રાવકને વિશુદ્ધ અવિરુદ્ધ અન્નપાન વિ. ભક્ષ્ય, શલાકા ઉપર પકાવેલું માંસ તેમજ તેના ઉપરનું ફળ વિ. અભક્ષ્ય. Page #130 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ ૧ ૧૯ - લૌકિક સુખ – પાંચ ઈન્દ્રિયોના વિષયો જે રૂપાદિ તે ના ભોગજન્ય સુખ. ' - લૌકિક દુઃખ - તે વિષયોની અપ્રાપ્તિ વિ. - લોકોત્તર સુખ - વ્રત પર્યાયમાં ધૃતિ - સ્થિરતા રમણતા વિ. - લોકોત્તર દુઃખ - વ્રતપર્યાયમાં અરમણતા, અરતિ વિ. અનેક કહ્યું છે. વ્રતમાં રક્તમુનિઓનો પર્યાય દેવલોકના સુખ સમાન હોય છે. અરકતનો પર્યાય મહાનરકતુલ્ય છે, (૧૮૪) શ્રાવકોને સુખ - પૌષધ વિ. અનુષ્ઠાન કરવા. દુઃખ - શંકા કક્ષા વિ.થી વ્યાકુળ થવું. સાધુ શ્રાવકનું સુખ મોક્ષ અને દુઃખ સંસાર. આ સર્વ બાબતનો બુદ્ધિશાળી પુરુષો આગમથી નિશ્ચય કરે છે. I૪૧૫ શ્રદ્ધાથી = સંયમ અનુષ્ઠાન કરતા સંવેગ-સાંસારિક સુખ જેઓને દુઃખ રૂપે લાગે એવા શ્રદ્ધાસવેગને પામેલાં, તથા શારીરિક માનસિક દુઃખોથી ભયભીત બનેલાં પ્રાણીઓ આગમમાં જણાવેલ ઉપાયોને આચરી ઉપેય એવા પરમપદને પામે છે. ૪રા તેથી આ આગમ દુઃખથી બળેલાં પ્રાણિઓને શરણરૂપ છે. ll૪૩ પૂર્વાર્ધ, આ માત્ર શરણરૂપ છે, એટલું જ નહિ પણ આલમ્બન રૂપે પણ છે. તે માટે ઉત્તરાર્ધ કહે છે... भवकूवे पडताणं एसो आलंबणं परं ॥४३॥ સંસાર કુવામાં ડુબતા પ્રાણિઓને બહાર નીકળવા માટે આગમ દોરડા સમાન છે. एसो णाहो अणाहाणं सव्वभूयाण भावओ । भावबंधू इमो चेव सव्वसोक्खाण कारणं ॥४४॥ અનાથ એવા સર્વ જીવોને આ આગમ પરમાર્થથી નાથ છે, જેમાં માલિક આશ્રિતનું રક્ષણ કરે છે. તેમ આગમ અહિંસાનું પ્રતિપાદન કરનાર વાક્યનાં આદેશથી/ઉપદેશથી સર્વ જીવોનું રક્ષણ કરે છે. અને સર્વ સુખોનું કારણ હોવાથી આ જ પરમાર્થથી ભાઈ છે. જેમ કહ્યું છે કે... જેમ ભાઈ સારી શિક્ષા આપવા દ્વારા સુખનું કારણ બને છે, તેમ આગમ જ્ઞાનાદિ આપવા દ્વારા શિવસુખનું કારણ બને છે. I૪૪ આગમ દીવડા સમાન છે; તે ગાથાથી બતાવે છે. अंधयारे दुरुत्तारे घोरे संसारचारए । एसो चेव महादीवो लोया - ऽलोयावलोयणो ॥४५॥ અંધકારમય, દુઃખે નીકલી શકાય એવાં ભયંકર સંસારરૂપી કારાવાસમાં મોટા દીવડાની જેમ આ આગમ લોક-અલોકના સર્વ પદાર્થને પ્રકાશિત કરનાર છે. ૪પા - આગમ આંખ છે તેના માટે ગાથા કહે છે. जेणं सग्गा - ऽपवग्गाणं मग्गं दाएई देहिणं । चक्खुभूओ ईमो तेणं सव्वेसि भव्वपाणिणं ॥ ४६॥ પ્રાણીઓને સ્વર્ગ-મોક્ષનો માર્ગ (જ્ઞાન દર્શનાદિ ચારિત્ર રૂ૫) દેખાડે છે. માટે આ આગમ Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૦ મૂળશુદ્ધિ ભાગ-૧ સર્વ ભવ્ય પ્રાણીઓ માટે ચક્ષુ સમાન છે. I૪૬ - આગમ માબાપ છે, તે જણાવે છે. आगमो चेव जीवाणं जणणी णेहणिब्भरा । जोग-खेमंकरो निच्चं आगमो जणगो तहा ॥४७॥ આગમ જીવોની સ્નેહ સભર નયનોવાળી માતા છે; તથા સદા યોગક્ષેમ કરનાર હોવાથી પિતા છે. જેમ માતા પુત્રનું પાલન પોષણ પરિવર્ધન કરે છે. તેમ જિનેશ્વરે ભાખેલો સિદ્ધાંત પણ જીવોનું પાલનાદિ કરતો હોવાથી માતા છે. પૂર્વ પ્રાપ્તગુણોનું રક્ષણ કરવાથી; અપૂર્વ ગુણોને પ્રાપ્ત કરાવવાથી જીવોનો આગમ પિતા સમાન યોગક્ષેમકારી છે. ll૪ળા - સાર્થવાહની ઉપમા દર્શાવે છે. સા-કોર - વસાયાલાવથસંધુને ! एसो संसारकंतारे सत्थाहो मग्गदेसओ ॥४८॥ રાગ, દ્વેષ, કષાય વિગેરે દુષ્ટ જંગલી પશુઓથી ભરપૂર આગમ સંસાર વનમાં સાર્થવાહની જેમ આ માર્ગ દેખાડનાર છે. માર્ગનાં ગુણોને જાણનાર સાર્થવાહ જંગલી પ્રાણીઓથી વ્યાપ્ત જંગલમાં સાર્થના પ્રવાસીઓને નિરુપદ્રવમાર્ગ બતાવે છે. તેમ અનેક આપત્તિઓથી ભરપૂર સંસાર વનમાં જ્ઞાનાદિ સ્વરૂપ નિરુપદ્રવ માર્ગને જૈનાગમ દેખાડે છે. I૪૮ सारीर-माणसाणेयदुक्ख-कुग्गाहसागरे । बुडुंताणं इमो झत्ति हत्थालंबं पयच्छइ ॥४९॥ શારીરિક, માનસિક દુઃખ અને ખોટી પક્કડ સ્વરૂપ નથીભરપૂર) સંસારરૂપી સમુદ્રમાં ડૂબતાં પ્રાણીઓને હાથના આલમ્બન રૂપ સમકિતાદિ આપે છે. જેમ સાગરમાં ડુબતાં પ્રાણીઓને કોઈક હાથનું આલમ્બન આપીને બચાવી લે છે. તેમ દુઃખસાગરમાં ડૂબતાં પ્રાણીને જૈનાગમ સમકિત વગેરેના દાન દ્વારા ઉદ્ધરી લે છે. I૪૯H महाविज्जासहस्साणं महामंताणमागमो । भूइट्ठाणं सुदिट्ठाणं एसो कोसो सुहावहो ॥५०॥ આગમ હજારો મહાવિદ્યા તથા (પ્રભાવશાળી પુરુષોથી અધિતિ) અનેક અતિશયવાળા મંત્રોનો સુખકારી ભંડાર છે. * વિદ્યા પ્રજ્ઞપ્તિ વગેરે દેવીઅધિષ્ઠિત હોય છે અને સાધનાથી સિદ્ધ થાય છે. મંત્ર ચેટક વગેરે દેવ અધિતિ હોય છે અને સાધના વિના સિદ્ધ થાય. (આવશ્યક નિર્યુક્તિમાં પણ આમ જ કહ્યું છે.) કોઈને શંકા થાય કે અન્યદર્શનનાં શાસ્ત્રોમાં પણ મહાવિદ્યા વિ. દેખાય છે. તો પછી આ જૈનાગમ જ મહાવિદ્યા ભંડાર કેવી રીતે થયો ? Page #132 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ ૧૨૧ તમે હકીકતથી અજ્ઞાત છો, કારણ તે આગમ તથા વિદ્યાઓ આ આગમમાંથી નીકળેલા છે. શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિએ કહ્યું છે કે - પરશાસ્ત્રમાં જે કાંઈ સુભાષિતો જાણવા મળે છે. તે પૂર્વરુપી મહાસમુદ્રમાંથી નીકળેલાં જિનવાક્ય રૂપ બિંદુઓ જ છે. આની અમને પાકી ખાત્રી છે. ।।પડ્યા અને વળી આ આગમ પ્રધાન ચિંતામણિ છે, એ માટે શ્લોકાર્ધ કહે છે - चिताईयंफलं देइ एसो चिंतामणी परो ( ५१ ) શ્લોકાર્થ → ધાર્યા કરતા ઘણુ ફળ આ-આગમ આપે છે, માટે આ પ્રધાન ચિંતામણિ રત્ન છે. આંગળી ચીંધીને કેટ કેટલા વિશેષણો આગમને આપીએ, એથી સમસ્ત આદેશનો સંગ્રહ કરવા ઉત્તરાર્ધ કહે છે. मण्णे तं नत्थि जं नत्थि इत्थ तित्थंकरागमे (५१) શ્લોકાર્થ :→ મન્યે એ આપ્તવાદનું સૂચન કરનાર છે, અને અવધારણ તો જણાઈ આવે છે. એટલે તે નથી જ કે જે આ જિનેશ્વરના આગમમાં ન હોય (૫૧) આગમના આદરવાળાએ જે કર્યુ તે કહે છે.... आगमं आयंतेण अत्तणो हियकंखिणा । तित्थणाहो गुरु धम्मो ते सव्वें बहुमण्णिया ॥५२॥ આત્મહિતની ઝંખનાવાળો આગમનો આદર કરે-પ્રમાણભૂત માને તો સાથોસાથ તીર્થંકર, સુગુરુ, ધર્મ તે સર્વનું બહુમાન થઈ જાય છે. ૫૨ बहुमाणेण एयम्मि नत्थि तं जं न मन्नियं । तेलोक्के मन्नणेज्जाणं वुत्तो ठाणं जओ इमो ॥५३॥ આગમમાં આંતરપ્રીતિ રાખવાથી તે નથી કે જેનું બહુમાન ન થયું (ત્રણલોકની સર્વશ્રેષ્ઠ વસ્તુઓનો આદર થાય છે) કારણ કે ત્રણ લોકમાં માનનીય પુરુષોનું આ આશ્રય સ્થાન છે. 114311 આગમનું પ્રામાણ્ય દર્શાવે છે. न यागमं पमोत्तूणमन्नं मण्णंति सूरिणो । प्रमाणं धम्णमग्गम्मि दिट्ठतं बेंति केवली ॥५४॥ આગમને છોડી આચાર્યો ધર્મ બાબતમાં સાધક-સિદ્ધિ કરાવનાર તરીકે અન્યને પ્રમાણ કરતાં નથી. દ્રષ્ટાંત રૂપે જેના રાગ દ્વેષ નાશ પામી ગયા છે એવા પ્રત્યક્ષજ્ઞાની કેવલી ભગવંતો પણ આગમ દ્રષ્ટિથી શુદ્ધ આહાર વાપરે છે. ભલેને પછી તે આધાકર્મ દોષ કેવલીને દેખાતો હોય. પિRsનિર્યુક્તિ ગા. ૫૨૪માં કહ્યું છે કે - શ્રુતોપયોગવાળો શ્રુતજ્ઞાની જો અશુદ્ધ ગોચરી લાવે તો પણ કેવલી ભગવંતો વાપરે છે. નહિં તો શ્વેત અપ્રમાણ થઈ જાય. ૯ Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨ ૨. મૂળશુદ્ધિ ભાગ-૧ कल्लाणाणं महंताणं अणंताणं सुहाण य । भायाणं चेव जे जीवा ते तं भावेति भावाओं ॥५५॥ જે જીવો બહુમાનથી આગમને મનમાં ધારે છે, તેઓ મહાકલ્યાણ અને અનંતસુખનાં ભાજન બને છે. //પપ अण्णाणं मंदपुण्णाणं णिसामंताण कत्थइ । कण्णसूलं समुप्पज्जे अमयं पि विसं भवे ॥५६॥ મંદભાગી, દુર્ભવ્ય અભવ્ય વિ. ને આગમ સાંભળતા કાનમાં શૂળો ભોકાય છે (ઉપડે) = દુઃખ ઉપજે છે. તેઓને અમૃત પણ વિષ બની જાય છે. //પદી આ અર્થમાં કથા કહે છે. છેવસુદત્તકથા અહીં જંબુદ્વીપમાં ભરતક્ષેત્રમાં જયપુર નામે નગર છે. તે નગર જેમ શ્રેષ્ઠ ગાંધર્વકલ સુંદર ધ્વનિવાળું, શબ્દશાસ્ત્ર સુંદર સ્વરવાળું, ધનુરનું શરીર સુંદર બાણવાળું હોય છે, તેમ આ નગરી સુંદર સરોવરવાળી છે. સર : સ્વર, શર, સન્ = તાવ ત્યર્થે જેમ તીણ તલવાર સુંદર પાની પાયેલી હોય છે. માનસરોવર સુંદર પાણીવાળું હોય, ઉત્તમ કવિનું વચન (કાવ્ય) સુંદર વાણીવાળું હોય છે, તેમ આ.નગર સુંદર વણિકવાળું છે. જેમ વાત્સલ્ય ભાવિત નર સમૂહ સુંદર શરણ રૂપ (રક્ષણ કરનાર) હોય છે, મહામતિનું હૃદય શ્રેષ્ઠ સ્મૃતિવાળું હોય, વાયુ શરીર સુંદરધ્વનિવાળું હોય છે. તેમ આ નગર સુંદર રસ્તાવાળું છે. જેમ સમુદ્રતલ સુંદર રત્નવાળું, કિરમજના રંગથી રંગાયેલું વસ્ત્ર સુંદર રંગવાળું, હાથીનું મુખ સુંદર દાંતવાળું હોય છે તેમ સુંદર નિર્માતા (કલાકાર) વાળું આ નગર છે. - ત્યાં નમી રહેલાં સામંત રાજાઓના મુકુટ મણિની પ્રભાથી જેનાં ચરણકમલ કાન્તિવાળા થાય છે તેવા જિતશત્રુ રાજા છે. રૂપાદિગુણોથીયુક્ત ત્રણ જગતની સ્ત્રીઓને ફિકી પાડનારી તેને કુંદપ્રભા પટ્ટરાણી છે. ત્યાં સઘળાં શાસ્ત્રમાં નિપુણ રાજાને માનીતો ધનદત્ત નામે શેઠ છે. જેને વસુમતિ પ્રિયા સાથે પંચવિષયક સુખ ભોગવતાં પાછળી વયમાં વસુદત નામે પુત્ર થયો. તે પુત્ર અનુક્રમે બોત્તેર કલામાં હોંશીયાર થયો, છતાં પણ ધર્મકલામાં અજાણ હતો. માબાપે સમજાવ્યું કે હે બેટા ! સર્વકલામાં પંડિત પણ ધર્મકળા વિના અપંડિત જ છે. વળી વિજ્ઞાન વિનય વિગેરે સર્વગુણો પણ ધર્મ વગર નકામા નીવડે છે. માટે ધર્મમાં પ્રયત્ન કર. તે કલાની પ્રાપ્તિ જિનાગમ સાંભળવાથી જ થાય છે. માટે સુગર પાસે જઈને સાંભળ. આટ આટલું કહેવા છતાં ભારે કર્મના લીધે તે જરા પણ માનતો નથી. જયારે માતાએ શેઠને વાત કહી કે આ આપણો પુત્ર થઈ સંસાર વનમાં ભટકે તે સારું ન કહેવાય. તેથી કાંઈ યુક્તિ લગાડો જેથી આ જૈને સિદ્ધાંતને સાંભળે. ત્યારે પિતા આગ્રહ કરીને પુત્રને વ્યાખ્યાનમાં લઈ ગયો. પણ અભવ્યત્વનાં લીધે જેમ જેમ સાંભળે છે તેમ તેમ કાનમાં સોયો ભોંકાવા લાગી Page #134 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ વસુદત્ત કથા ૧૨૩, અને ચિત્તમાં ખેદ થવા લાગ્યો. બાપના અનુરોધે દરરોજ વ્યાખ્યાનમાં જાય છે, પણ કાંઈ સાંભળવું ગમતું નથી. * હે તાત ! જગતમાં જીવાદિનો જ વિરહ હોવાથી કાગડાના દાંતની પરીક્ષા જેવું આ અગડે બગડે શું સાંભળો છો. પોતાની બુદ્ધિથી અનેક પ્રકારના કલ્પિત શાસ્ત્રો રચી: અનેક પાંખડીઓ ભોળા માણસોનું ભક્ષણ કરે છે, બોલવામાં ઉસ્તાદ માયાવી પુરુષો સંતનો વેશધારી લોકોનો વિશ્વાસ મેળવવાં “આ સર્વજ્ઞનું વચન છે,” એમ કહે છે, ખરેખરતો કોઈ સર્વજ્ઞ જ નથી, તો તેણે રચેલું શાસ્ત્ર ક્યાંથી હોય ? - તેથી ઉન્મત્તના વચનની જેમ એમાં તમને આદર કેવી રીતે થાય? વળી ઓ પિતાજી! આ સાંભળતા મારા કાનમાં ભારે વેદના થાય છે અને અંગો અંગ આગથી દાઝી રહ્યું છે, તેથી હું તો ઘેર જાઉં છું. ત્યારે શેઠે વિચાર્યું આ તો કોઈ અભવ્ય જીવ લાગે છે. આને પકડી રાખવાનો કોઈ ફાયદો નથી. ઉઠીને ઘેર ગયા. યોગ્ય વયે લગ્ન થયા. વિષય સુખ અનુભવતો ધર્મ મોક્ષ પુરુષાર્થથી વિમુખ અગમ્ય અભસ્થ વિ.માં પ્રવૃત્તિ કરનારો તથા જીવઘાત કરવામાં મસ્ત રહેનારો આર્ત - રૌદ્ર ધ્યાનને વશ થયેલો મરીને સાતમી નરકમાં ગયો. ૩૩ સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ આયુભોગવી ત્યાંથી માછલો થયો. ત્યાંથી મરી આ જ ભારતમાં રિખપુર નગરમાં (ભીખ માંગનારો) ચક્રચલાવનાર (ચિત્ર બતાવી પૈસાભેગા કરનાર) ગોભદ્ર બ્રાહ્મણની જવલનપ્રભા નામની પત્નીની કુખે પુત્ર થયો. તેનું અગ્નિદેવ નામ પડ્યું. શરીર તો વધ્યું પણ મુંગો અને કુર ચિત્તવાળો હોવાથી વિષવૃક્ષની જેમ સર્વને ત્રાસ ઉપજાવનારો થયો. પિતાની પરંપરામાં આવેલી ચક્ર ચલાવનાની વૃત્તિ કરે છે. એક વખત રાજાનાં પ્રિયપુરુષે તેની આગલ રમતમાં ઘાસનું તણખલું નાંખ્યું. ત્યારે તે ક્રોધે ભરાઈને તેને લાકડીથી પ્રહાર કરીને મારી નાંખ્યો. તેથી રાજાએ પણ તેનાં નેત્રો ઉપાડી હાથ પગ કાન નાક છેદીને કર્દથના કરીને મરાવ્યો અને ઘોરપરિણામવાળો તે છઠ્ઠી નરકમાં ઉપન્યો, ત્યાંથી ફરી માછલો થયો. માછીમારે જીવતો જ તેને પકડ્યો, અને તપેલા તેલ વગેરે સીંચી નાશ કર્યો, ત્યાંથી ભરવાડના વાડામાં ભરવાડ તરીકે ઉપન્યો. પણ તે મહામૂર્ખ પત્થર જેવો જડબુદ્ધિવાળો હતો. તે કૃત્ય-અકૃત્ય કશું જાણતો નથી. એમ કરતા એક યુવાન થયો. યૌવનના ઉન્માદથી તથા મૂર્ખતાનાં લીધે મા બહેનને પણ મારવા લાગ્યો. એક વખત પોતાનાં ઘરની પાછળ સ્નાન કરતી ગામમુખીની પત્ની જોઈ. વાડ ઓળંગી તેની પાસે ગયો. બલાત્કારે ભોગવતાં તેણીએ બુમ પાડી તેટલામાં ઠાકોર આવ્યો. તેના અંડકોષનો છેદ કર્યો અને લિંગને પીલી નાંખ્યું, એમ વેદના ભોગવતો મરી પાંચમી નરકમાં ગયો. ત્યાંથી નીકળી પ્લેચ્છજાતિમાં જાત્યંઘ પુત્ર થયો. આનું પાલન પોષણ કરવું ભારે પડશે. એમ જાણી માતાએ જાતે તેનું ગળું મરડી મારી નાંખ્યો અને નરકમાં ગયો. એ રીતે અભવ્ય હોવાના લીધે અનંતકાલ સંસારમાં ભમશે. (વસુદત્ત કથા સમાપ્ત) આ અર્થનાં નીચોડ માટે ગાથા કહે છે... Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૪ મૂળશુદ્ધિ ભાગ-૧ ता एवं जेऽवमण्णंति बाला हीलंति आगमं । घोरंधारे दुरुत्तारे अहो गच्छंति ते नरा ॥५७॥ जिणाऽऽणं लंघए मूढो 'किलाहं सुहिओ भवे । जाव लक्खाइँ दुक्खाणं आणाभंगे कओ सुहं ?॥५८॥ ગાથાર્થ - જે અજ્ઞાની લોકો આ આગમનું અપમાન અને હાલના કરે છે, તેઓ ઘોર અંધકારમય દુઃખે નીકળી શકાય એવી નરક પૃથ્વીમાં જાય છે. આજ્ઞા ઓળંગવાથી હું સુખી થઈશ એવું મૂઢ માણસ માને છે, પરંતુ તે લાખો દુઃખ પ્રાપ્ત કરે છે. કારણ કે આશા ભંગ કરવાથી સુખ ક્યાંથી હોય ? ઓઘ નિર્યુક્તિ (ભાષ્ય ૪૫-૪૬ ગાથામાં) માં કહ્યું છે કે – પ્રમાદના વશે રાજાની આજ્ઞાનો ભંગ કરતા જેમ જેલમાં જકડાવું, ધનાદિ સામગ્રીનું જપ્ત થવું. દુઃખ મરણ ઈત્યાદિ પ્રાપ્ત થાય છે તેમ પ્રમાદવશે જિનેશ્વરની આજ્ઞા તોડતાં દુર્ગતિમાં ક્રોડોવર મોતને પામે છે. પણ આપતા આગમન માહાસ્ય દર્શાવનારી ગાથા कट्ठ त्थ )मम्हारिसा पाणी दूसमादोसदूसिया । ફા ! આપIII હુંતા ?, ન હુંતો ના નિVT/Tો શા હરિભદ્ર સૂરિપંદદર કહે છે - જિનાગમ ન હોત તો દુષમકાલનાં દોષથી દૂષિત નાથ વગરનાં એવાં અમારા જેવાનું શું થાત ? મિથ્યાત્વ બલથી પ્રેરણા કરાયેલું સમતિ મંદ પડે છે અને અવસર્પિણી કાલનાં દોષથી કષાયો વૃદ્ધિ પામે છે. - ગુરુકુલવાસ ફુટી રહ્યો છે એટલે અંદરોઅંદર ફૂટ પડી રહી છે. ધર્મમાં પણ મંદ બુદ્ધિ થઈ રહી છે. લોકનાનાથે જે કહ્યું તે જ થઈ રહ્યું છે. જેમ રાજાઓ કુટુંબીઓ સાથે ઝઘડે તેમ ઉપકરણ, વસ્ત્ર, પાત્ર, વસતિ શ્રાવક વિ. માટે સાધુઓ (યુદ્ધકરશે) ઝઘડશે, કજીયો કરનારા, તથા પ્રાયઃ કરીને દુષમ કાલમાં અસમાધિ કરનાર, શાંતિનો ભંગ કરનારા, નિધર્મી, નિર્દય અને કુર લોકો હોય છે. જનસમૂહને ક્રોધ-માન, મદ, અને મત્સરથી પૂરી પોતાનો પ્રભાવી પંજો ફેલાવી અધર્મે સમસ્ત તપ જપ સારવાળા ધર્મને પણ જીતી લીધો છે. - વિષયોમાં આતુર તે પાપીઓ વ્યવહારમાં પોતાના કામ-કાજમાં પહેલાં – પાવરધા હોય છે. અને ધર્મ થી ભ્રષ્ટ તેઓ અસદાચારી હોય છે. સ્વજનો સાથે હંમેશને માટે વિરોધી લુબ્ધ, ગૃદ્ધ, અને મિત્રોનાં ઘર ભરનારાં, ભારે ક્રોધી દંયા તથા લજા વગરનાં લોકો હોય છે. દુષમકાળમાં શરણ વગરનાં લોકો નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવલોકમાં શારીરિક અને માનસિક દુઃખો પ્રાપ્ત કરે છે. તારક એવા આગમને નહિ જાણનારા જીવો દુઃખથી તપેલા (પીડાતાં). ચોરાશી લાખયોનિ સ્વરૂપ ચાર ગતિના ગમનથી ગહન સંસારમાં ભટકે છે. (૨૦૪). Page #136 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ કાલકાચાર્ય કથા ૧ ૨૫ આવા દુષમકાળમાં પણ આગમ જો તારણહાર હોય તો ભવસાગરથી તરી જાય છે. સ્વભાવથી કુર અને વિષયમાં લટ્ટ બનેલાં પણ જિનવચનથી મન વાસિત થતાં ત્રણે લોકનાં જીવોને સુખ આપનાર બને છે. જો એમ છે તો શું થયું ? तम्हा ताणं महाणाहो बंधु माया पिया सुही । गई मई इमो दीवो आगमो वीरदेसिओ ॥६०॥ તેથી આગમને વીર પ્રભુએ મહાનાયક, બંધુ, મા, બાપ, મિત્રસમાન, સુગતિ સન્મતિ આપનાર હોવાથી ગતિ, મતિ, ભવસમુદ્રમાં આશ્વાસન આપનાર હોવાથી બેટ દ્વીપ) અને અજ્ઞાન અંધકારને દૂર કરનાર દીવડો કહ્યો છે. सूरिपरंपरेणेसो संपत्तो जाव संपयं । किंतु साइसओ पायं वोच्छिन्नो कालदोसओ ॥११॥ આચાર્યની પરંપરાથી આ સિદ્ધાંત આપણને પ્રાપ્ત થયો છે. પણ કાળદોષથી પ્રાયઃ કરીને અતિશયવાળા મહાપરિણાધ્યયન વગેરે ગ્રન્થનો વિચ્છેદ થઈ ગયો છે. ' આ વાત કાલાકાચાર્ય અભિમાની પોતાનાં પ્રશિષ્ય સાગરચંદ્ર આચાર્યને પ્રતિબોધ કરતાં કહે છે. (કાલકાચાર્ય કથાનક) આ જંબુદ્વીપનાં ભરત ક્ષેત્રમાં ધરાવાસ નામનું નગર છે. શત્રુસમૂહની સ્ત્રીઓને વૈધવ્ય રૂપી દીક્ષા આપવામાં ગુરુ સમો વૈરિસિંહ નામે રાજા છે. તેને અંતઃપૂરમાં પ્રધાન સુરસુંદરી નામે પટ્ટરાણી છે. અને કાલક નામનો સકલ કલામાં પારગામી પુત્ર છે. - એકવાર તે ઘોડા ખેલાવી પાછો ફરતો હતો ત્યારે આ આંબાના બાગમાં પાણી ભરેલાં વાદળ જેવી ગંભીર અને મધુર ધ્વનિ સાંભળી કૌતુકથી જોવા માટે અંદર ગયો. ત્યારે ત્યાં સુસાધુ સમુદાયથી પરિવરેલાં ઘણાં લોકોને ધર્મદેશનાં આપતાં એવાં ગુણાકર આચાર્ય ભગવંતને નયણે નિરખ્યાં. વંદન કરીને બેઠો, આચાર્ય ભગવંતે પણ કુમારને ઉદ્દેશી વિશેષથી ધર્મદેશનાં શરૂ કરી. જેમ કસોટીનાં પત્થરે સોનાને ઘસવાથી, છેદવાથી, તપાવાથી અને તાડના કરવાથી સોનાની પરીક્ષા થાય છે તેમ શ્રત, શીલ, તપ, દયા આ ચાર ગુણોથી ધર્મની પરીક્ષા વિદ્વાનો કરે છે. ||૨૦૬ આદિ અંત વગરનો જીવ પ્રવાહથી અનાદિ કાલથી કર્મ વડે લેપાયેલો છે, તે પાપથી દુઃખી થાય છે. અને ધર્મથી સુખી થાય છે. સોનાની જેમ કષ છેદ તાપથી શુદ્ધ થયેલ ચારિત્ર ધર્મ, મૃતધર્મ અને તપ એમ ખરેખર ત્રણ પ્રકારનો ધર્મ જાણવો. તે ધર્મ પ્રાણિવધ વિ. પાપસ્થાનનો નિષેધ કરે અને ધ્યાન ધરવું, ભણવું, વિ. નું વિધાન કરે આ ધર્મની કષપરીક્ષા (ચકાસણી) થઈ. જે બાહ્ય અનુષ્ઠાનથી વ્રત નિયમોનો બાધ ન થાય તેમજ જેમાં શુદ્ધિ સંભવતી હોય તે ધર્મ છેદ પરીક્ષામાં પાસ થયો કહેવાય. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૬ મૂળશુદ્ધિ ભાગ-૧ જીવાદિપદાર્થોને યથાસ્થિત ભાખનારો અને તે જીવને કર્મબંધાદિ થાય છે એવું જણાવી તેનાથી છુટવા માટે સાધન બનનારો ધર્મ તાપશુદ્ધ કહેવાય છે. આવી રીતે પવિત્ર થયેલો ધર્મ જ ધર્મપણાનું નામ પામે છે. આ પ્રકારોથી જે ધર્મ નિર્મલ થયેલો નથી, તે બેમાંથી - આલોક | પરલોક કોઈ પણ ઠેકાણે સારો નીવડતો નથી. એવા (અશુદ્ધ) ધર્મનું ફળ નક્કી વિપરીત હોય છે. આ ધર્મ ઉત્તમપુરુષાર્થ હોવાથી આમાં જે ઠગાઈ જાય તે સર્વ કલ્યાણથી દૂર-વિખૂટો રહે છે. તે તે પ્રકારથી આ ધર્મમાં જે ઠગાતો નથી તેના હાથમાં સર્વ કલ્યાણ સામગ્રી આવે છે. તેથી પંડિત પુરુષોએ હંમેશા સૂક્ષ્મ બુદ્ધિથી ધર્મની પરીક્ષા કરવી જોઈએ. આ ગુરુવયણો સાંભળવાથી કાલક રાજકુમારનો કર્યભાર ઓછો થવાથી ચારિત્રનાં ભાવ જાગ્યા. અને કહેવા લાગ્યો કે ભગવન્! મિથ્યાત્વની જાળમાં ફસાયેલાં મને વાસ્તવિક ધર્મ કહીને આપે ઉગાર્યો છે. તેથી હવે મારે જે કરવા યોગ્ય છે તે ફરમાવો. જ્યારે સૂરીશ્વરે તેનાં ભાવો પરખી ઉત્તમ સાધુ ધર્મ ફરમાવ્યો, તે વાત સ્વીકારી રાજા પાસે કુમાર ગયો. મહા મુશ્કેલીએ મા-બાપ આદિથી પોતાને છોડાવીને અનેક રાજપુત્રો સાથે સંયમ સ્વીકાર્યો. ગ્રહણ, આસેવન શિક્ષા ગ્રહણ કરીને ગીતાર્થ થતાં ગુરુએ ગચ્છાધિપતિ તરીકે સ્થાપ્યાં. પાંચસો સાધુઓથી પરિવરેલાં ભવ્ય જીવોને પ્રતિબોધ પમાડતાં ઉજૈની નગરીમાં પધાર્યા. નગરનાં ઉત્તર દિશાનાં વનખંડમાં યતિયોગ્ય પ્રાસુક પ્રદેશમાં વસ્યાં. (૧૫) તેમને પધારેલાં જાણી લોકો ઝડપભેરે વંદન કરવા ગયા અને સૂરિને પ્રણામ કરી શુદ્ધભૂમિતલ ઉપર બેઠા. ત્યારે કાલક સૂરીએ દુઃખરૂપવૃક્ષનાં ગીચ વનને ભસ્મસાત્ કરવામાં દાવાનલ સમાન જિનેશ્વરે ભાખેલો ધર્મ ગંભીર ધ્વનિથી કહ્યો. તે સાંભળી સભાજનો અધિક સંવેગ પામ્યા અને સૂરીનાં ગુણ ગાતાં ગાતાં પોતાના ઘેર ગયાં. એ પ્રમાણે ભવ્ય જીવોરૂપી કમળને પ્રતિબોધ કરતાં આચાર્યશ્રી નો કેટલોક કાળ પસાર થયો. ત્યારે ભવિતવ્યતા યોગે ત્યાં સાધ્વી સમુદાય આવ્યો. તેઓમાં સરસ્વતી નામનાં સાધ્વી હતાં... તે કેવાં છે ? સરસ્વતીની જેમ હસ્તા2માં પુસ્તક છે, પણ અકુલીન નથી. (સરસ્વતી પિતા-બ્રહ્માને પરણી હતી તેથી કુલીન નથી) ગૌરીની જેમ મહાતેજસ્વી છે પણ ભવ-સંસારમાં રક્ત નથી. (ગૌરી ભવ-શંકરમાં રક્ત હતી) શરદકાળની નદીની જેમ સ્વચ્છ આશયવાળી છે પણ નદી ગ્રાહ ઝુંડા વિ. દુષ્ટ જલચર પ્રાણીવાળી હોય છે જ્યારે આ ખોટી પક્કડ રાખનારી નથી. લક્ષ્મી જેમ કમલ આલયવાળી છે તેમ આ નિર્મલ સ્થાનવાળી છે. પરંતુ કામના (વિષયવાસના) વિનાની છે ચંદ્રલેખાની જેમ સર્વજનોને આનંદ આપનારી છે, પણ તેની જેમ વાંકી નથી. એટલે કે તે ગુણો અને રૂપથી સર્વનારીઓમાં મુખ્ય છે. વળી સંયમની ક્રિયામાં ઉદ્યમવાળી એવી સરસ્વતી નામની કાલકાચાર્યની નાની બહેન અંડિલ ભૂમિએ જતી ઉજૈનીના રાજા ગર્દભિલ્લે જોઈ. અને એવો Page #138 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ કાલકાચાર્ય કથા ૧ ૨૭. દુષ્ટ વિચાર થયો-તેમાં આસક્ત બન્યો. હા સુગુરુ ! ઓહ! ભાઈ ! ઓ પ્રવચનનાં નાથ ! હે કાલક મુનીન્દ્ર ! અનાર્ય રાજાવડે હરણ કરાતા મારાં સંયમનનું રક્ષણ કરો. આવી રીતે વિલાપ કરતી તેણીને અનિચ્છાએ બળજબરીથી અંતઃપુરમાં નાંખી દીધી. તે જાણી સૂરિએ રાજા પાસે જઈ કહ્યું કે રાજનું ! પ્રમાણમાં રહેલાંઓએ પ્રમાણોનું યત્નથી રક્ષણ કરવું જોઈએ. પ્રમાણમાં રહેલાં અવ્યવસ્થિત બને ત્યારે પ્રમાણો વિષાદ (નાશ) પામે છે. (મર્યાદામાં રહેલાઓએ ન્યાયોનું પ્રયત્નથી રક્ષણ કરવું જોઈએ. નહિ તો વેર વિખેર થયેલી મર્યાદાથી નીતિઓ લોપ થાય છે.) વળી તપોવન વિ. નું રાજાને રક્ષણ કરવાનું હોય છે. રાજાઓનાં ભુજાઓના પરાક્રમની છાયાનાં આશ્રયથી ઋષિ મુનિઓ સુખે રહે છે. અને નિર્ભય બની પોત પોતાની ધર્મ ક્રિયા કરે છે. તેથી આ સાધ્વીને છોડી દો. પોતાનાં કુલને કલંક ના લગાડો ! તે કહ્યું છે કે... જે પરદારાનું હરણ કરે છે, તે ગોત્રને ગંદુ કરે છે. ચારિત્રને મલિન કરે છે. સુભટપણાને હારી જાય છે. જગમાં સઘળે અપયશ ફેલાવે છે. અને કુલ ઉપર મેંશનો કુચો ફેરવે છે. (૨૦૯) તેથી મહારાજ ! શરીરમાંથી નીકળેલી પેશીઓની માફક આ વિરુદ્ધ છે. કામાતુર તથા ઉધી બુદ્ધિનાં લીધે રાજાએ કાંઈ માન્યું નહિ. કેમ કે - સામે રહેલું દ્રશ્ય (આંખથી જોઈ શકાય તેવી) વસ્તુને અંધ માણસ દેખતો નથી, જ્યારે કામાંધ રાગાંધ તો જે છે તે તો દેખાતો નથી, અને જે નથી તેને દેખે છે. અને તેથી અશુચિથી ભરેલાં પ્રિયાનાં શરીરમાં ડોલરના ફૂલ, કમળ, પૂનમનો ચંદ્ર, કળશ, કાંતિ ભર્યા લતાનાં પાંદડાઓ વિગેરેનો આરોપ કરી હરખે છે, ક્રીડા કરે છે. તેથી હે રાજનું ! આ તપસ્વિનીને છોડી દે. અન્યાય ન કરો, તેમ અન્યાય કરશો તો બીજો કોણ ન્યાયી બનશે. છતાં રાજા કેમે કરીને ન માન્યો. અને સંઘ પાસે કહેવડાવ્યું છતાં તેણે સંઘને પણ નકાર ભયો. ત્યારે ક્રોધે ભરાઈ કાલાકાચાર્યે આ ઘોર પ્રતિજ્ઞા કરી કે સંઘનો વિરોધી, પ્રવચનનો ઘાતક, સંયમનો નાશ કરવામાં તત્પર એવાં માણસોની ઉપેક્ષા કરનારની જે ગતિ થાય તે ગતિ મારી થાય. તેથી નિર્લજજ આ રાજાને હું આ રાજયથી ભ્રષ્ટ કરીશ. આવું કરવું જોઈએ એ વિષે આગમમાં પણ કહ્યું કે... સામર્થ્ય હોય તો આજ્ઞા ભંગ કરનારની ઉપેક્ષા ન કરવી જોઈએ, પણ અનુકૂળ કે પ્રતિકૂળ ઉપાયથી શિક્ષા આપવી જોઈએ. (૨) તથા સાધુ અને ચૈત્યનાં શત્રુને તથા જિનશાસનનાં નિંદાખોરોને વિશેષે કરી સર્વશક્તિથી વારવા જોઈએ. ર૧રા આવી પ્રતિજ્ઞા કરીને સૂરિએ વિચાર્યું આ ગઈભિલ્લ મહાપરાક્રમી અને ગર્દભી વિદ્યાનાં લીધે બલિષ્ઠ છે. માટે તેને ઉખેડવાનો કોઈ ઉપાય કરવો પડશે. એમ વિચારી કપટથી પાગલ બની ત્રણ રસ્તે ચાર રસ્તે ચોક વિગેરે જાહેર સ્થલમાં આ પ્રમાણે બકવા લાગ્યા. જો ગર્દભિલ્લા Page #139 -------------------------------------------------------------------------- ________________ કાલકાચાર્ય કથા ૧૨૮ મૂળશુદ્ધિ ભાગ-૧ રાજા છે તો તેથી શું થયું ? એનો દેશ રમ્ય છે તો તેથી શું થયું ? રમ્ય-રાણીવાસ છે તો તેથી શું થયું ? નગરી સારી વસેલી છે તો તેથી શું થયું ? માણસો સારા વેશવાળા છે તો તેથી શું થયું. ? ભિક્ષા માટે ફરું તો તેથી શું થયું ? જો હું સૂના ઘરમાં સુઈ જાઉં તો તેથી શું થયું.?? એ પ્રમાણે સૂરિને બોલતા દેખી નગરજનો કહેવાં લાગ્યા. કર્યું. કારણ કે બહેન આપત્તિમાં પડવાથી પોતાનાં ગચ્છને મૂકી કાલકસૂરિ પાગલની જેમ ભમે છે તે ખેદ જનક છે. અરેરે ! રાજાએ સારું નથી આ સકલગુણના નિધાન ! બાળ, ગોપાળ, સ્ત્રી વિ. પાસેથી રાજાની નિંદા સાંભળી મંત્રીઓએ રાજાને કહ્યું કે રાજન્! આ બરાબર નથી કર્યું. આ સાધ્વીને છોડી દો. એનાં લીધે ભારે નિંદા થઈ રહી છે. વળી મોહ વશ બનેલો જે માણસ ગુણીજનનું અહિત કરે છે, તે જાતને દુઃખ દરિયામાં ડુબાડે છે. ત્યારે રાજા ગુસ્સે થઈને કહેવા લાગ્યો કે આવી શિખામણ તારા બાપને આપજે. તે સાંભળી “સમુદ્ર મર્યાદા ઉલંધે તો કોણ રોકી શકે” એવું દિલમાં ધારી મંત્રીઓ ચૂપ થઈ ગયા. (૩૧) તે વાતની માહિતી મળતાં સૂરિ નગરથી નીકળી નિરંતર વિહાર કરતાં કરતાં ઈરાન કાંઠે શકકૂલ નામના કુલમાં પહોંચ્યા. ત્યાં જે સામંત હોય તે શાહી અને તેમનો અધિપતિ તે શાહાનુશાહી કહેવાય છે. કાલકસૂરિ એક શાહી પાસે રહ્યા અને મંત્ર તંત્રાદિથી તેને પ્રસન્ન કર્યો. એક વખત વિવિધ ગોષ્ઠી કરતો સૂરિ સમીપે ખુશમિજાજ બની શાહી બેઠો હતો. ત્યાં પ્રતિહારે આવીને વિનંતી કરી કે હે સ્વામી ! શાહાનુશાહીનો દૂત આવ્યો છે. જલ્દી અંદર બોલાવો. ત્યારે અંદર બોલાવ્યો, આપેલ આસન ઉપર બેઠો. અને દૂતે ભેટ આપી. તે જોઈ નવી વર્ષા ઋતુનાં આકાશ જેવુ મોઢું કાળુ ડિબાંગ બની ગયું. તે દેખી સૂરીએ વિચાર્યું કે શાહી જુદા જ ભાવ કરતો કેમ દેખાય છે? કારણ કે સ્વામીના પ્રસાદે આવેલું ભેટલું જોઈ “વાદળા જોઈ મોર હર્ષ ઘેલાં બને છે, તેમ સેવકો ખુશ થાય છે.” ત્યારે એમનું તો મુખ કાળું થઈ ગયું છે તેથી આનું કારણ પુછું ? આ દરમિયાન જ્યારે શાહીનાં પુરુષે બતાવેલાં દૂતાવાસમાં ધૂત ગયો, ત્યારે સૂરિએ પુછયું “સ્વામીની કૃપા આવવાં છતાં તમે ઉદાસ કેમ દેખાઓ છો ?” શાહીએ જવાબ આપ્યો કે હે ભગવાન્ ! આ સ્વામીનો પ્રસાદ નહિ પરંતુ ક્રોધ આવ્યો છે. અમારાં સ્વામી જેનાં ઉપર ક્રોધિત બને છે, તેને નામાંકિત મુદ્રાવાળી છુરી મોકલે છે. તેથી કોઈક કારણથી ક્રોધે ભરાઈ આ છુરી મોકલી છે. આનાથી જાતનો ઘાત કરવાનો છે. આ સ્વામી ઉગ્ર દંડવાળો હોવાથી તેની આજ્ઞામાં કોઈ જાતનો વિચાર કરી શકાય નહિં. સૂરીએ કહ્યું તારા એકલા ઉપર રુઠ્યો છે કે અન્ય ઉપર પણ ? શાહીએ કહ્યું મારા સિવાય અન્ય પંચાણું શાહી ઉપર રૂઠ્યો લાગે છે, કારણ કે આ છરી ઉપર છન્નુમો આંક દેખાય છે. સૂરિએ કહ્યું તો પછી મરવાનું રહેવા દો. શાહીએ કહ્યું - શાહાનુશાહી ગુસ્સે થાય પછી કુલક્ષય થયા વિના રહેતો નથી. તો પણ દૂત મોકલી પંચાણું Page #140 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ કાલકાચાર્ય કથા ૧૨૯ શાહીઓને અહીં બોલાવી દો. અને આપણે બધા હિંદુ દેશમાં જઈએ. જેથી તમારો કે તમારાં કુલનો પણ નાશ થશે નહિં. શાહાનુશાહીનાં દુત પાસે અન્ય પંચાણુંનાં નામ જાણી પોતાનો દુત મોકલી કહેવડાવ્યું કે તમે પ્રાણ ત્યાગ કરતાં નહિં પણ બધા અહીં આવી જાઓ. હું બધું સંભાળી લઈશ. ત્યારે પ્રાણોનો ત્યાગ ઘણી અઘરી ચીજ હોવાથી તેઓ સર્વ સામગ્રી ભેગી કરી ત્યાં જલ્દી આવી ગયા. ત્યારબાદ શાહીએ સૂરિને પૂછ્યું હવે અમારે શું કરવાનું છે ? તે ફ૨માવો! સૂરિએ કહ્યું સૈન્ય સાથે સિંધુ નદી ઉતરી હિંદુ દેશમાં ચાલો. પછી વહાણમાં બેસીને સૌરાષ્ટ્રમાં આવ્યા. આ દરમ્યાન વર્ષાઋતુ શરૂ થઈ એટલે માર્ગો દુર્ગમ થયા. તેથી સૌરાષ્ટ્ર દેશમાં ઢંક પર્વતની પાસે છન્દુ ભાગ પાડીને રહ્યાં આ અરસામાં જેમ મોટો રાજા શોભાશાળી પ્રધાનવાળા હોય તેમ સુંદર સફેદ કમલવાળો, જેમ મોટા યુદ્ધનાં સમયે ઘણા. રાજાઓ ઉછળતા હોય, તેમ ઘણાં ગોવાળો ચંચલ બની રહ્યા છે. નવો વર્ષા કાળ જેમ ધોધ વાદળાવાળો (બગલાવાળો) દેખાય છે, તેમ ધોળા બગલાઓ દેખાય છે. જેમ ભગવાન શ્રેષ્ઠ રાજાઓથી સેવાય છે, તેમ રાજહંસ ચોતરફ ફરી રહ્યા છે. શ્રેષ્ઠ મહેલમાં જેમ સુંદ૨ ઝરોખાં પ્રત્યક્ષ થાય છે, તેમ મત્તહાથીઓ ચોતરફ દેખાય છે, એવો શરદ કાળ આવ્યો. અને તે કાળે સજ્જનની મનોવૃત્તિ જેવી નદીઓ ચોખ્ખી થઈ. શ્રેષ્ઠ કવિની વાણી જેવી દિશાઓ નિર્મળ બની પરમ યોગીના શરીર જેવું ધૂળ વગરનું ગગનમંડલ થયું. જેમ મુનિઓ શુદ્ધ મનથી શોભે છે, તેમ સપ્તચ્છદના વૃક્ષો પુષ્પોથી શોભે છે. શ્રેષ્ઠ કારીગરે ઘડેલી દેવકુલની પંકિતઓ સુંદર ચમકતી હોય છે. તેમ સુંદર તારલાઓવાળી રાત્રીઓ શોભી રહી છે. પાકેલા ધાન્યવાળી પૃથ્વી ઘણી શોભવા લાગી. વળી હર્ષ ભરેલાં ગાયનાં સમુદાયમાં રહેલાં અભિમાની બળદો ઢેકારો કરવા લાગ્યા. (૩૨) અમૃતનાં પૂર સમા ચંદ્રનાં કિરણો રાત્રે આખાએ મૃત્યુલોકને વિશેષ સ્નાન કરાવી ઢાંકી રહ્યા છે. જેમાં વળી શાલિવનનું રક્ષણ કરવા તૈયાર થયેલી ભીલડીઓનાં મુખેથી ગવાતા મધુર ગીતોમાં આસક્ત બનેલાં મુસાફરો માર્ગથી ભ્રષ્ટ થાય છે. આવો સર્વ જીવોને સંતોષ આપનાર શરદ કાલ આવ્યે છતે ચક્રવાક-ચકવો જાણે સંસારના વિચિત્ર સ્વભાવને સિદ્ધ કરવાં સારુ શોકાતુર બન્યો. આવી શરદકાલની શોભા જોઈ પોતાની ધારણા સિદ્ધ થવાની કામનાવાળા સૂરીએ તેઓને ઉજ્જૈની નગરી જીતવાનું કહ્યું અને ઉમેર્યું કે તેની સાથે મોટા ભાગનો માલવદેશ સંકળાયેલો છે. તેથી ત્યાં તમારો સારી રીતે નિર્વાહ (ગુજરાન) થઈ શકશે. અમે કરીએ પણ અમારી પાસે ભાથું નથી. કારણ કે આ દેશમાં તો અમને માત્ર ખાવા પુરતું જ મળ્યું છે. ત્યારે સૂરિએ યોગચૂર્ણની એક ચપટી નાંખી કુંભાર જ્યાં વાસણો પકવે તેવાં ઈંટનિભાડાને - કુંભારવાડાને સોનાનો કરી દીધો. રાજાઓને કહ્યું કે તમે આ ભાતું હાથ કરો. ત્યારે સરખે ભાગે વહેંચી સર્વ સામગ્રી સાથે ઉજ્જૈની ભણી પ્રયાણ કર્યું. વચ્ચે આવતા Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ કાલકાચાર્ય કથા મૂળશુતિ ભાગ-૧ લાટ દેશમાં રાજાઓને સ્વાધીન કરી ઉજજૈની દેશના સીમાડે પહોંચ્યા. ત્યારે શત્રુ સૈન્યને આવતું સાંભળી મોટા સૈન્ય સાથે ગઠભિલ્લ શરહદે આવ્યો. ત્યારે અભિમાને ચડેલી બંને બળવાન સેનાઓ વચ્ચે ભારે યુદ્ધ થયું. યુદ્ધ વર્ણન : પડતાં તીક્ષ્ણ બાણ, અસર, ભાલા, વાવલ્લ બળથી રૌદ્ર, ફેંકાતા ચક્ર, તીણ ધારાવાળી બઈ, ઘણ, બાણથી ભયંકર, આ બધા વિશેષ પ્રકારના શસ્ત્ર છે. તેમાં તલવાર કુહાડી ભાલા કુંગીના ઘર્ષણથી અનિના કણીયા ઉછળી રહ્યા છે, સુભટોનો પોત્કાર થઈ રહ્યો છે. 'ધૂળ ઉડવાથી સૂર્યનાં કિરણો કાઈ ગયા છે. આવું યુદ્ધ થતાં ગઠભિલ્લનું સૈન્ય વાયુથી વાદળા વિખરી જાય તેમ પણ માત્રમાં નાશી ભાગ્યું. તે દેખી પોતે પાછો વળી નગરમાં ભરાઈ ગયો. અને ચારે કોર સૈન્ય ગોઠવી દીધું (૩૯). શત્રુસૈન્ય પણ નગરને ઘેરો પાળ્યો. અને દરરોજ પુસણ ખોરી કરે છે. ત્યારે એક વખત ઘુસવા જતાં | સામનો કરવા જતા કિલ્લો ખાલી જોઈ તેઓએ હાને પૂછયું ત્યારે સૂરીએ યાદ કરી જવાબ આપ્યો કે આજે આઠમ છે. તેથી ગઈભિલ્લ ઉપવાસ કરીને ગર્દભી મહાવિદ્યાને સાધી રહ્યો છે. તેથી કિલ્લાના ઉપરના ભાગે રહેલ ગધેડીની તપાસ કરો. તપાસ કરતાં ગધેડી દેખાઈ. - સાધનાં પૂરી થતાં ગધેડી મોટો અવાજ કરશે. અને તેને જે શત્રુ સૈન્યના મનુષ્ય કે પશુ સાંભળશે તેઓ લોહી વમતા હેઠા પડશે, તેથી તે સર્વને બે ગાઉ દૂર લઈ જાઓ. અને એકસો આઠ શબ્દવેધી યોધાઓ અહીં મારી પાસે રાખો. એકસો આઠ શબ્દ વેધી યોદ્ધાઓને સૂરીએ કહ્યું કે જ્યારે ગધેડી શબ્દ કરવાં સારુ મોઢું ખોલે ત્યારે તે અવાજ કરે તેની પહેલાં જ તેનું મોટું બાણથી ભરી દે જો. જો અવાજ કર્યો તો તમે પણ પ્રહાર કરી શકશો નહિ. માટે સજાગ થઈ તીર તાણીને ઉભા રહો. તેઓએ પણ સૂરિનાં કહેવા પ્રમાણે કર્યું. ત્યારે કાન સુધી ખેંચાયેલા ધનુષ્યમાંથી છૂટેલાં બાણથી મોટું ભરાઈ જવાથી પીડાયેલી ગધેડી અવાજ કરી શકી નહીં. તેથી પ્રતિહત શક્તિવાળી ગર્દભીવિદ્યા તે સાધક ઉપર મૂતરી અને લાત મારીને જતી રહી. સૂરિએ શાહીઓને કહ્યું હવે આને પકડો બસ આનું આટલું જ બળ હતું. ત્યારે કિલો તોડી ઉજજૈનીમાં પ્રવેશ્યા. જીવતો જ ગર્દભિલ્લને પકડ્યો અને મુશ્કેટોટ બાંધી સૂરિ સમક્ષ હાજર કર્યો. સરિએ કહ્યું અને પાપિઇ ! દુષ્ટ ! નિર્લજજ ! અનાર્યકાર્ય કરવા તૈયાર થયેલાં ! મહારાજયથી ભ્રષ્ટ થયેલાં ! નહિ ઈચ્છતી સાધ્વીનો નાશ કર્યો અને સંઘનું માન્યો નહિ તેથી મેં આ કર્યું. મહામોહથી મોહિત બની જે સાધ્વીના શીલનો નાશ કરે છે, તે માણસ જિન ધર્મ અને બોધિલાભનાં મૂળમાં અગ્નિ ચાંપે છે, નષ્ટ બોધિ લાભવાળો તું પણ અનંત દુઃખથી ભરપુર સંસારમાં ભમીશ. વળી આ જન્મમાં પણ બંધન, તાડન, અપમાન ઈત્યાદિ દુઃખને પામ્યો. તે તો સંઘ અપમાન રૂપ વૃક્ષનું ફૂલ છે. નરક તિર્યંચ હલ્કી જાતનાં મનુષ્ય તથા નીચકોટિના દેવમાં જઈ સંકટોથી પીડાતો અનંત ભવોમાં રખડપટ્ટી કરીશ તે તેનું કરુણ ફળ થશે. માન મદથી અક્કડ બનેલો જે થોડું પણ સંઘનું અપમાન કરે છે તે ભયાનક દુઃખ સાગરમાં જાતને ડુબાડે છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ કાલભાચાર્ય કથા ૧ ૩ ૧ શ્રી શ્રમણ સંઘની આશાતનાં વિ.થી જીવો જે દુઃખ પામે છે તે કહેવા કેવલી ભગવંત જ સમર્થ છે. જેણે મોટું પાપ કર્યું હોય, સંઘનું માને નહિ તેની સાથે અમારે વાત પણ ન કરાય. છતાં પણ ઘણાં પાપના ભારથી આક્રાન્ત દુઃખાગ્નિની ભયંકર જવાલાથી બળતાં તને દેખી કરુણાથી હું કહું છું કે તું નિંદા અને ગર્તાપૂર્વક આલોચના કરી પ્રાયશ્ચિત્ત કર, જેથી દુષ્કરતપ ચારિત્રમાં રક્ત બની હજી પણ દુઃખ સમુદ્રથી તરી જઈશ. એમ કરુણાથી કહેવા છતાં અતિ સંકલિષ્ટ કર્મનાં લીધે ચિત્તમાં વધારે દુભાયો. તે દેખી સૂરીએ કહ્યું એક વાર છોડી દઉં છું અને આ દેશથી નીકળી જા. સૂરિનું વચન સાંભળી તે રાજાઓએ દેશથી તેને કાઢી મૂક્યો અને દુખી ને દીન બનેલો ભમવા લાગ્યો. મરીને તે કર્મનાં કારણે અનંતકાલ ભમશે. ત્યાર પછી સૂરિનાં સેવાકારી શાહીને મહારાજપદે સ્થાપી શેષ શાહીઓ સામંત તરીકે રાજય સુખ ભોગવવા લાગ્યા. શકકુલથી આવેલાં હોવાથી શક કહેવાયા. એ પ્રમાણે શક સપનો વંશ ઉત્પન્ન થયો. - સૂરીશ્વરજીના ચરણ કમલમાં ભ્રમરની જેમ લીલા કરતા તથા જિનશાસનની ઉન્નતિ કરવામાં તત્પર બની કાલ પસાર કરવા લાગ્યા. (૫૭) કાલ જતાં શક કુલ નો નાશ કરી વિક્રમાદિત્ય નામે માલવ રાજા થયો. (જે ગર્દભિલ્લમો જ પુત્ર હતો.) વિસ્મયકારી આચરણથી ચારે તરફ કીર્તિ ધ્વજ ફેલાયો. જેને પરાક્રમથી ઘણાં રાજાઓને આક્રાન્ત કરી દીધાં. પોતાનાં સત્ત્વથી યક્ષને આરાધી ત્રણ વરદાન પ્રાપ્ત કર્યા. જેના દ્વારા શત્રુ મિત્રનો ભેદભાવ કર્યા વગર દાન ગંગાનો ધોધ વહેતો કર્યો. પુષ્કલદાન પ્રવાહથી પૃથ્વીનાં સઘળાં માણસોને ઋણ વગરનાં કરી પોતાનો સંવત પ્રવર્તાવ્યો. તેનો વંશ ઉખેડી ઉજૈની નગરીનો શક રાજા થયો. જેની સામતરાજાઓ સેવા કરવા લાગ્યા. વિક્રમ સંવતથી ૧૩૫ વર્ષ થયે છતે તેનો સંવત ફેરવી પોતાનો શક સંવત સ્થાપ્યો. શક કાલ જણાવા માટે પ્રાસંગિક વાત કરી. હવે પ્રકૃત કથા સંબંધ કહીએ છીએ. સૂરિએ ફરીથી બેનને સંયમમાં સ્થાપી અને આલોચના કરી સ્વયં ગણપુરાને વહન કરવા લાગ્યા. આ બાજુ ભરૂચ નામનું નગર છે જેમાં સૂરીનાં ભાણેજો બલમિત્ર અને ભાનુમિત્ર રાજા તથા યુવરાજ છે. તેઓની બેન ભાનુશ્રી તેમનો પુત્ર બળ ભાનુકુમાર છે. પરદેશથી સૂરિને આવેલા જાણી મતિસાગર નામના પોતાનાં પ્રતિનિધિને ઉજ્જૈની મોકલ્યો. ત્યાં જઈને તેને શકરાજા પાસે આગ્રહકરી સ્વદેશમાં સુરિને લઈ જવાની હા પડાવી, સૂરિ પાસે જઈ વંદન કરીને વિનંતિ કરી કે હે ભગવંત ! બલમિત્ર અને ભાનુમિત્ર હાથ, ઢીંચણ અને લલાટને ભૂમિએ લગાડી ભક્તિ થી આપને પ્રણામ કરે છે. અને હાથ જોડી અંજલિ કરી વિનવે છે કે તમારા વિરહ રૂપી સૂર્યનાં પ્રચંડ કિરણોથી અમે સંતાપ પામેલા છીએ. તેથી આપનાં દર્શન રૂપી વાદળાથી ઉદ્ભવેલા દેશના ૧.૨ પર્યાવાથી નામથી વિક્રમાદિત્ય રાજાની પ્રસિદ્ધિ કેટલાક ઈતિહાસકાર માને છે. (કાલકાચાર્ય કથા સંગ્રહ) (બળ-વિક્રમભાનુ-આદિત્ય = વિક્રમાદિત્ય). Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ૨ મૂળશુદ્ધિ ભાગ-૧ જલથી તે તાપને દુર કરો. ઘણુ શું કહીએ હે કરુણાનાં સાગર ! અમારા ઉપર કરુણા કરી પાપને હરનારા તમારા ચરણ કમળનાં વંદનનો લાભ આપો. (૬૯), ત્યારે કાલકસૂરિ શકરાજાને સ્વરૂપ જણાવી ભરૂચ ગયા. મોટા આંડબર થી પ્રવેશ કરાવી ભાવથી બલમિત્ર ઈત્યાદિએ વંદન કર્યું. અને સૂરિપુરંદરે ભવ નિર્વેદ જગાડનારી દેશના આપી. તુચ્છ ધાન્યનાં ઢગલા/ફોતરાં જેવો સંસાર અસાર છે. વિજળી જેવી લક્ષ્મી ચંચલછે. તારુણ્ય ઊંધા રસ્તે જનારનું વોળાવું કરનાર છે. ભોગ ઉપભોગ દારુણ દુઃખ દેનારાં રોગસમાં છે. ધન માનસિક અને શારીરિક ખેદનું કારણ છે. ઈષ્ટજનનો સંયોગ મહાશોક કરાવનાર છે. અને આયુનાં દળિયાં ક્ષણે ક્ષણે ક્ષય પામે છે. આવી પરિસ્થિતિ હોવાથી તે ભવ્ય જીવો ! ઉત્તમ કુલાદિયુક્ત મનુષ્યભવ પ્રાપ્ત કરી પ્રમાદ કરવો ન જોઈએ. સર્વ સંગનો ત્યાગ કરવો. દેવાધિદેવને વાંદવા, સુગુરુને સેવવાં, સુપાત્રમાં દાન આપવું, નિદાન ન કરવું, પંચ નમસ્કાર ગણવા, જિનાલયમાં પૂજા સત્કાર કરવો. બાર ભાવનાઓ ભાવવી, પ્રવચન નિંદા દૂર કરવી, સુગર પાસે દુષ્કાર્યની આલોચના કરવી, બધા પ્રાણિઓ સાથે ક્ષમા કરવી, પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કરવો, મનથી ખરાબ ચિંતવવું નહિ, યથાશક્તિ તપ ચારિત્ર (પૌષધવિ.) કરતા રહેવું, દુર્દાત ઇંદ્રિયોનું દમન કરવું, શુભ ધ્યાન ધરવું, એમ કરવાથી સંસાર ધારા ટૂટશે અને થોડા જ કાલમાં મોક્ષ મળશે. આ સાંભળી બલભાનુને દીક્ષાનાં ભાવ જાગ્યા. તેથી મસ્તકે હાથ જોડી વિનવવા લાગ્યો. હે નાથ ! દુઃખી એવાં મને સંસાર કારાવાસથી બહાર કાઢો. ઉત્તમ પુરુષ દ્વારા લેવાયેલી દીક્ષા માટે યોગ્ય હોઉં તો સંસારથી ડરેલા મને દીક્ષા આપો. આપ મોડું ના કરો. કુમારનો નિશ્ચય જાણી સ્વજનોને પૂછી તે જ ઘડીએ દીક્ષા આપી. રાજા વિ. પર્ષદા આચાર્ય મ. સા.ને નમીને ઘરે ગયા. સાધુઓ પોતાનાં અનુષ્ઠાનમાં રત રહેતાં અને રાજાને દરરોજ ભક્તિભાવથી સૂરીશ્વરને નમસ્કાર કરતા જોઈ નગરવાસીઓ જિનધર્મથી ભાવિત બન્યા. “જેવો રાજા તેવી પ્રજા' આ કહેવત સાચી ઠરી, પણ તેવું નગર દેખી દુભાયેલા મનવાળાં રાજપુરોહિતે રાજાની આગળ તે સૂરીશ્વરની હયાતીમાં જ કહ્યું કે હે દેવ ! બાહ્ય આડંબરમાં હોંશીયાર અપવિત્ર આ પાખંડીઓથી શું વળવાનું ? આ સાંભળી સૂરિએ અનેક યુક્તિથી પુરોહિતને નિરુત્તર કરી દીધો. ત્યારે અનુકૂલ વચનોથી રાજાને ભંભેરવાનું શરું કર્યું. એ (સૂરિ સાધુ) મહાતપસ્વી છે. સર્વગુણોનું ઘર, મહાસત્ત્વશાળી, દેવ દાનવોથી પણ પૂજાયેલાં, ત્રિભુવનમાં પણ ગૌરવશાલી છે. તેથી હે રાજન્ ! જે માર્ગે આ સાધુ ભગવંતો ચાલે તે માર્ગમાં તમારે ચલાય નહિ. કારણ કે એમનાં પગલાં ન ઉલ્લંઘાય, તેમાં મોટી આશાતના લાગે, દુર્ગતિ થાય તેથી ગુરુને વિદાય કરો. " આ વચનોથી ભમરાઈ જવાનાં કારણે રાજાને તે પુરોહિતની વાત સાચી લાગી ગઈ. પણ કેવી રીતે એમને વિદાય કરવા? પુરોહિત - અષણા કરાવો. પુરોહિતનાં કહેવા પ્રમાણે નગરમાં અનેષણા ફેલાવી નગરજનો પણ “આધાકર્મ વિ. થી વધારે લાભ થાય છે” એમ માની Page #144 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ કાલભાચાર્ય કથા ૧૩. લોકો દોષિત ભક્ત પાન બનાવા લાગ્યા. એવું અપૂર્વ કરતા દેખી સાધુઓએ ગુરુને વાત કરી અને તપાસ કરતાં રાજાનો અભિપ્રાય જાણી પર્યુષણ પહેલાં જ મહારાષ્ટ્ર દેશમાં ભૂષણ સમાન પ્રતિષ્ઠાન નગર ભણી વિહાર કર્યો અને ત્યાં જણાવ્યું કે અમે ન આવીએ ત્યાં સુધી પર્યુષણ કરતાં નહિ. ત્યાં વળી પરમ શ્રાવક શાતવાહન રાજા છે. તે સૂરિને આવતાં જાણી વાદળાં ના આગમનની ઉત્કંઠા રાખતો મોર જેમ વાદળા આવતા હર્ષઘેલો બને તેમ તે ઘણો જ હર્ષ પામ્યો. અનુક્રમે આચાર્યશ્રી ત્યાં આવતાં સપરિવાર ચતુર્વિધ સંઘ સાથે સામે આવ્યો. અને ભાવપૂર્વક વંદન કર્યું. અને સ્તુતિ કરતાં બોલ્યો કે... “ભવ્યકમલોને બોધ પમાડનાર ! મોહ અંધકારના પ્રસારને દૂર કરવામાં સૂર્યસમાન ! અભિમાનનાં શિખરે નર્તન કરનાર પરવાદી રૂપી હાથીઓનો નાશ કરવામાં સિંહસમાન ! નમતાં રાજાઓનાં મુગુટમણિઓના કિરણોથી જેમનાં ચરણ કમલ ચમકી રહ્યા છે. જિનશાસનની ઉન્નતિ કરવામાં મશગૂલ બનેલાં, કલિયુગના કલેક રૂપ મલને દૂર કરવા માટે પાણી સમાન! વર્તમાન શ્રત દરિયાનો પાર પામેલા ! ફેલાતા/આત્મા તરફ સરકતાં દર્પકંદર્પ રૂપી સાપનું શિર છેદવામાં તીક્ષ્ણ કુહાડી સમાન ! સર્વગુણોનાં નિવાસ સ્થાન ! કરુણામાં તત્પર ! શ્રેષ્ઠ ચારિત્રવાળાં યુદ્ધ વગરના ! સજજનો જેમનું નામ લે છે, એવાં પુરુષોત્તમ ! હે મુનિનાથ ! આપને મારા પ્રણામ! (૮૩) એમ રાજાએ સ્તુતિ કરી. આચાર્ય ભગવંતે પણ રાજાને ધર્મલાભ આપતાં કહ્યું કે, “કલિકાલની કાલિમાના ઘેરા (ગાઢ) પડને ધોવા માટે અનુપમ પાણીનાં ધોધ સમો, સઘળાય દુઃખોના પર્વત સમૂહને પીસી નાંખવા સારુ ઈન્દ્રનાં વજસમાન, ચિંતામણી, કલ્પવૃક્ષ, કામઘટ, કામધેનું, વિ. થી અધિક માહાસ્યવાળો, ભવસમુદ્ર તરવા માટે જહાજ સમો, સ્વર્ગ અને મોક્ષ માટે અડચણભૂત નરક રૂપી ભૂગલને ભાંગવા માટે ઘણ સરખો તેમજ જિનેન્દ્ર અને ગણધરે ઉચ્ચારેલો એવો ધર્મલાભ હે રાજનું ! તને હો ! * ધામધૂમથી સામૈયું કરી નગર પ્રવેશ કરાવ્યો. બધા જિનાલયો વાંદી સાધુ યોગ્ય વસતિમાં વસ્યા. દરરોજ શ્રમણ સંઘથી બહુમાન અને શાતવાહન રાજાથી સન્માન પામતાં વિદ્વાન વર્ગથી સેવાતાં, સર્વજનોથી વંદન કરાતાં, ભવ્ય જીવોને બોધ પમાડવામાં તત્પર બનેલાં આચાર્યશ્રીને પર્યુષણનો સમય આવ્યો. રાજા વડે આચાર્ય મ.સા.ને વિનંતી કરાઈ કે આ મહારાષ્ટ્ર દેશમાં ભાદરવા સુદ પાંચમે ઈન્દ્ર યાત્રા છે, તેથી મારે લોકને અનુસરવું પડે તેનાં લીધે વ્યાકુલતાનાં-કાર્યમાં વ્યસ્ત રહેવાના કારણે જિનપૂજા વિ. થઈ શકે નહિ તેથી કૃપા કરી છઠની પર્યુષણા રાખો. સૂરી બોલ્યા - “મેરુ ચુલા ચાલે, સૂરજ પશ્ચિમમાં ઉગે, તો પણ પર્યુષણા પાંચમની રાતને ઓળંગે નહિ આગમમાં કહ્યું છે કે – મહાવીર પ્રભુએ વર્ષાકાલનાં એક મહીનાને વીસ દિવસ ગયે છતે પજુસણ કરેલ. તેજ પ્રમાણે ગણધરો પણ, જેમ ગણધરો તેમ તેમના શિષ્યો પણ, તેમની જેમ અમારા ગુરુ પણ અમારા ગુરુની જેમ અમે પણ વર્ષાકાલમાં પર્યુષણા કરીએ છીએ પણ તે રાત્રિને Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ મૂળશુદ્ધિ ભાગ-૧ ઓળંઘાય નહિ. (કલ્પસૂત્ર સામાચારી) રાજા કહે જો એમ હોય તો ચોથની રાખી શકાય? સૂરીએ કહ્યું એમ થાઓ. એમાં કોઈ દોષ નથી. જેથી આગમમાં કહ્યું છે કે – પહેલા પણ પર્યુષણા કરી શકાય છે. તેથી હર્ષથી ખીલેલાં નયણવાળાં રાજાએ કહ્યું - ભગવન્! આપની મોટી મહેરબાની. અમારાં ઉપર મહાઉપકાર કર્યો. મારી રાણીઓનાં પર્વ ઉપવાસનાં પારણે સાધુઓનાં ઉતર વાયણાં થશે. તેથી ઘેર જઈ રાણીઓને કહ્યું કે તમારે અમાવસનો ઉપવાસ થશે. અને પારણે સાધુઓનાં ઉત્તરવાયણાં થશે. તેથી તે દિવસે શુદ્ધ ભક્તપાનથી સાધુઓને વહોરાવજો.. આગમમાં પણ કહ્યું છે કે - વિહારથી થાકેલ, ગ્લાન, આગમ ભણનારો, લોચ કરાવનારને તથા ઉપવાસાદિના ઉત્તર પારણે આપેલું દાન ઘણાં ફળવાળું થાય છે. પર્યુષણાંનો બીજ ત્રીજ ચોથનો અઠ્ઠમ કરવાનો હોવાથી એકમનું ઉત્તર પારણું હોય છે. તે જોઈ તે દિવસે લોકો પણ સાધુઓની પૂજા કરવા લાગ્યા. ત્યારથી મહારાષ્ટ્ર દેશમાં “શ્રમણપૂજાલક” નામનો પર્વ પ્રવર્યો, એમ કારણસર કાલકાચાર્યે ચોથની પર્યુષણા (સંવત્સરી) પ્રવર્તાવી અને સમસ્ત સંધે તેને વધાવી લીધી. તથા કહ્યું છેકે - ચૈત્ય, યતિ સાધુનાં વાસ નિમિત્તે શાતવાહન રાજાને ઉદ્દેશીને કાલકાચાર્યે કારણિક ચોથ પ્રવર્તાવી. છે. તેનાં લીધે પાક્ષિક પ્રતિક્રમણ પણ ચૌદસનું થયું નહિતર આગમમાં પૂર્ણિમાનું પાક્ષિક પ્રતિક્રમણ કરવાનું વિધાન છે. આવાં ગુણધારી સૂરીનાં પણ શિષ્યો સમય જતાં દુર્વિનીત બન્યા. તેમને સૂરિ સમજાવવા લાગ્યા પણ માનતા નથી. ફરી કહ્યું રે મહાનુભાવો ! ઉત્તમકુલવાળાં મહાપુરુષો ઈન્દ્ર અહંઈન્દ્ર વિ. ને પણ દુર્લભ શુદ્ધ ચારિત્ર પ્રાપ્ત કરી અવિનયથી ગુરુ આજ્ઞા ઓળંગી નકામું ન બનાવો. આગમમાં કહ્યું છેકે - છઠ, અઠમ, ચાર, પાંચ, પંદર, ત્રીસ ઉપવાસ કરવા છતાં ગુરુ વચન ન માને તો તે અનંત સંસારી થાય. જંગલમાં દુષ્કર તપ કરવા છતાં ગુરુ આજ્ઞાના ભંગથી કુલવાલક સાધુ નરકમાં ગયો. આતાપના સાથે તપ કરવા છતાં ગુરુ આજ્ઞા ઓળંગવાથી દ્રૌપદી પૂર્વભવમાં સુકુમાલિકાનાં ભવમાં મોક્ષ ન પામી. આમ સમજવા છતાં તેમણે ગુરુની વાત કાને ન ધરી. સેવા પણ કરતાં નથી. અને ઉલટ સુલટ ગુરુની સામે બોલવા લાગ્યા. અને પોતાની ઈચ્છા પ્રમાણે તપ અને સમાચાર આચરવા લાગ્યા. ત્યારે સૂરિએ વિચાર્યું મારાં શિષ્યો ગળીયા બળદ (ગધેડા) જેવાં છે. પોતાની મરજી પ્રમાણે જતો આવતો તથા વ્રત ન કરતો જે શિષ્ય હોય તેને સ્વેચ્છાથી છોડી દેવો જોઈએ. તેથી હું પણ આ દુર્વિનીત શિષ્યોને છોડી દઉં. બીજા દિવસે શિષ્યો ઉંઘતા હતાં ત્યારે શય્યાતરને હકીકત જણાવી કે હું મારા પ્રશિષ્ય સાગરચંદ્રસૂરિ પાસે જાઉં છું. “જો કોઈક રીતે વ્યવસ્થિત થયેલાં , Page #146 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ કાલકાચાર્ય કથા . ૧૩૫ (આદર યુક્ત બનેલાં) આગ્રહ કરીને પૂછે તો ઘણાં કઠોર શબ્દોથી ખખડાવીને અને ડરાવીને કહેજો. એ પ્રમાણે કહીને નીકળી ગયા. સતત સુખપૂર્વક વિહાર કરી ત્યાં પહોંચ્યા નિસહી કહી અંદર પ્રવેશ્યા. કોઈક સ્થવિર લાગે છે. એમ માની અવજ્ઞાથી “પૂર્વે નહીં દેખેલાં સાધુને દેખી ઉભા થવું જોઈએ, પૂર્વે જોયેલાં હોય તો જેને જે યોગ્ય હોય તેમ વર્તવું (એટલે પોતે મોટો હોય તો ઉભો ન થાય અને પોતે નાનો હોય તો ઉભો થાય) આવો સિદ્ધાંતનો આચાર ભૂલી સાગરચંદ્રસૂરિ ઉભા થયાં નહિ. વ્યાખ્યાન પુરું થતાં જ્ઞાન પરિષહને સહન ન કરવાથી સાગરચંદ્રસૂરિએ પુછ્યું. “અરે આર્ય! મેં વ્યાખ્યાન કેવું આપ્યું? “કાલકસૂરિએ કહ્યું – સારું આપ્યું.” સાગરચંદ્રે કહ્યું તે કાંઈક પૂછ, જો એમ છે તો તમે અનિત્યત્વની વ્યાખ્યા કરો. સાગરચંદ્રસૂરિ કહે કઠીન પ્રશ્ન કરો, કાલકાચાર્ય કઠિન પ્રશ્ન મને આવડતા નથી. ત્યાર પછી વ્યાખ્યા કરવાનો આરંભ કર્યો. અનિત્ય એ ધર્મ છે તું કેમ આટલું વિચારતો નથી. કાલકાચાર્યે કહ્યું “ધર્મનથી” પ્રત્યક્ષાદિ પ્રમાણનો વિષય ન બનતો હોવાથી, ગધેડાના શિંગડાની જેમ કહ્યું છે કે – પ્રત્યક્ષ પ્રમાણથી અર્થ-પદાર્થનો નિર્ણય થાય તે વખાણવા લાયક છે. પ્રત્યક્ષપ્રમાણના અભાવમાં અનુમાન કે આગમ દ્વારા તેનું ગ્રહણ થાય (૨૨૧) પ્રત્યક્ષાદિ પ્રમાણથી ધર્મ ગ્રહણ થતો નથી, તેથી તેનાં વિષયની વિચારણા કરવી વ્યર્થ છે. આહા ! દાદા ગુરુનું અનુસરણ કરનારો આ તમારો કેવો વેશ છે. આહ ! અરે કો વા એસ'.- આ વૃદ્ધ કોણ છે ? એમ માનતાં સાગરચંદ્રે કહ્યું કે તમે “નાતિધર્મ = નથી ધર્મ” બોલ્યા તેમાં પ્રતિજ્ઞા અને પદનો વિરોધ પ્રગટ દેખાય છે. આહ ! અરે ! નથી તો ધર્મ કેવી રીતે ? અને ધર્મ તો નથી કેવી રીતે ? બીજાઓએ ધર્મ માનેલો છે, તેના આધારે કહેતા હો તો શું આપને પૂછીએ છીએ કે બીજાએ માનેલું તમને પ્રમાણ છે કે અપ્રમાણ ? જો પ્રમાણ માનો તો અમારી વાત સિદ્ધ થઈ ગઈ, એટલે બીજાએ માનેલ ધર્મ પણ પ્રમાણસિદ્ધ થઈ ગયો. અને જો અપ્રમાણ માનતા હો તો પાછો તેજ ઉપરનો દોષ. અપ્રમાણિતને પ્રતિજ્ઞાનો વિષય બનાવ્યો કેવી રીતે ? પ્રત્યક્ષાદિ પ્રમાણનો વિષય નથી બનતો એ પણ બરાબર નથી કારણ કે કાર્ય દ્વારા ધર્મ અધર્મનું પ્રત્યક્ષ થાય છે. કહ્યું છે કે – ધર્મથી સારાકુલમાં જન્મ, તંદુરસ્ત શરીર, સૌભાગ્ય, દીર્ધાયુ, ધન, યશ વિદ્યા, અર્થ, ઉત્તમ સાધન સામગ્રી પ્રાપ્ત થાય છે. વનવગડામાં અને મહાભયમાં ધર્મ રખેવાળી કરે છે. ધર્મની સારી રીતે ઉપાસના કરવાથી સ્વર્ગ અને મોક્ષસુખ પ્રાપ્ત થાય છે. ' બીજું વિદ્યાધરને ઝાંખા પાડનાર, કામદેવ સરખા રૂપવાળા કેટલાક હોય છે. જયારે બીજા કેટલાક પુરુષ શિયાળ જેવા બેડોલ હોય છે. બીજા કેટલાક સર્વ શાસ્ત્રને જાણનાર બૃહસ્પતિ જેવા હોય છે. કેટલાક અજ્ઞાન અંધકારથી છવાયેલાં આંધળાની જેમ (ભટકે) વિચરે છે. કેટલાક ત્રણ વર્ગનાં સુખને પામેલાં લોકોને આનંદ આપનાર દેખાય છે. જયારે બીજા પુરુષાર્થ વગરનાં સાપની જેમ ઉદ્વેગ પમાડે છે. શ્વેત આતપત્રધારી ભાટચારણો જેમની બિરુદાવળી બોલાવી રહ્યાં છે અને Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ મૂળશુદ્ધિ ભાગ-૧ હાથીની અંબાડીએ બેસીને ટહેલે છે. જ્યારે અન્ય લોકો તેની પાછળ દોડે છે. અર્થાજનોની આશાને પૂરી પૃથ્વીમાં યશ ફેલાવે છે. ત્યારે બીજા કલંકવાળા પોતાનું પેટ પણ માંડ માંડ ભરે છે. સતત દાન ગંગા વહાવે છે છતાં ધન અને શ્રુત વધતું જાય છે. જ્યારે અન્ય લોકો ભેગું કરી રાખવા છતાં રાજા કે ચોર વિગેરે હરી જાય છે. એમ ધર્મ-અધર્મનું પ્રત્યક્ષ ફળ દેખાય છે. માટે અધર્મને મૂકી આદરથી ધર્મને આચરો. (૯૬) આ બાજુ દુષ્ટ શિષ્યોએ સવારે કાલકાચાર્ય ગુરુને ન દેખવાથી અહીં તહીં શોધ કરતા શય્યાતર પાસે ગયા. અને શય્યાતરને પૂછ્યું કે શ્રાવક ગુરુ ક્યાં છે ? ત્યારે તેણે કહ્યું તમારા ગુરુનું તમે જાણો મને શી ખબર? શિષ્યો - આવું ના કહો, તમને કીધા વગર ન જાય, ત્યારે શયાતર ભવાં ચડાવીને બોલ્યો... રે રે ! દુષ્ટ શિષ્યો ! ગુરુની આજ્ઞા માનતા નથી, પ્રેરણા કરવા છતાં સારણા વારણાં વિ.નો સ્વીકાર કરતા નથી. અને સારણાં વારણાં નહિ કરનાર આચાર્યને મહાન દોષ લાગે છે. કારણ કે આગમમાં કહ્યું છે કે - ગચ્છની સારણાદિ નહિ કરનાર આચાર્ય શરણે આવેલાનું માથું કાપનારા જેવાં છે. જે ગચ્છમાં આચાર્ય જીભનાં સ્પર્શથી શિષ્યોને વહાલ કરે છે, પણ સારણાં ન હોય તો ગચ્છ સારો ન કહેવાય. પણ દાંડાથી ફટકારે, છતાં જયાં સારણાં છે તે ગચ્છ ઉત્તમ કહેવાય. સારણાદિ તથા ગુણોથી રહિત એવા ગચ્છને પરિવર્તના વિગેરે કરનારા વર્ગે સૂત્રવિધિથી છોડવો જોઈએ. તમો પણ દુર્વિનીત હોવાથી આચાર્યે છોડ્યા. તેથી અરે પાપીઓ ! મારી નજરથી દૂર હતો. = નહીંતર તમે બોલો કે (અમે) નથી કહેલું કર્યું. જયારે ડરેલાં તેઓ શવ્યાતરને ખમાવી કરગરવા લાગ્યા. એકવાર અમારા ગુરુ દેખાડો ? જેથી તેમને પ્રસન્ન કરી જીવન પર્યન્ત તેમની આજ્ઞામાં રહીશું. હવે અમે સૂરિનાં હૃદયમાં રહેલી ઈચ્છા પ્રમાણે કરીશું. બસ દયાકરો હે શ્રાવક ! એકવાર કહી દો. અમારા ગુરુ ક્યાં ગયા છે ? (સૂય). આ સાધુઓ ઠેકાણે આવી ગયા છે. એમ જાણી હકીકત જણાવીને ત્યાં મોકલ્યા. સાધુ સમુદાયને જતો જોઈ લોકો પૂછવા લાગ્યા આ કોણ જાય છે ? તેઓ બોલ્યા કાલકસૂરિ જાય છે. પરંપરાએ સાગરચંદ્રસૂરીનાં કાનમાં તે સમાચાર પહોંચ્યાં. સાગરચંદ્રસૂરિએ કાલકસુરીને જ પૂછ્યું? શું મારા દાદા ગુરુ આવે છે? તેમણે કહ્યું હાં પણ સાંભળ્યું છે. બીજા દિવસે તે માર્ગે જતો સાધુ સમુદાય ત્યાં આવી પહોંચ્યો. ત્યાં સાગરચંદ્રસૂરિ ઉભા થઈ સામે આવ્યા. ત્યારે તેઓ બોલ્યા અમે તો બધા મુનિજ છીએ, ગુરુ તો પહેલાં અહીં પધારેલા છે. ત્યારે સાગરચંદ્રસૂરિએ કહ્યું અહીં તો વૃદ્ધ સાધુ સિવાય બીજું કોઈ આવ્યું નથી. આ અરસામાં ચંડિલ ભૂમિથી કાલકસૂરિ આવ્યા. ત્યારે મહેમાન સાધુ સમૂહ ઉભો થઈ સામે ગયો. ત્યારે સાગરચંદ્ર કહ્યું આ શું? સાધુઓએ કહ્યું આ આચાર્ય કાલકસૂરિ છે. ત્યારે શરમિંદા બનેલાં સાગરચંદ્રસૂરિએ ઉભા થઈ ક્ષમા માંગી અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. ગુરુએ કહ્યું - સંતાપ ના કરીશ. આ તારો ભાવ દોષ નથી, પરંતુ પ્રસાદ દોષ છે. એક વખત વેળથી પ્રસ્થકમાણું ભરાવ્યું ને પછી એક બાજુ ઢગલો કરાવ્યો, ફરી ભરાવી Page #148 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ કાલકાચાર્ય કથા ૧૩૭. બીજે ખાલી કરાવ્યું, એમ કરતાં પ્રસ્થક સાવ ખાલી થઈ ગયું. ગુરુએ પૂછ્યું કાંઈ સમજ પડી? તેણે કહ્યું ના સાહેબ, ગુરુએ કહ્યું જેમ આ વાલુકાથી પુરો ભરેલો પ્રસ્થક હતો તેમ સુધર્મા સ્વામીનું શ્રુતજ્ઞાન સંપૂર્ણ અતિશયવાળું હતું, તેમની અપેક્ષાએ જંબુસ્વામીનું શ્રુતજ્ઞાન થોડું ઓછું અને અલ્પ અતિશયવાળું હતું, તેમનાથી પ્રભવસ્વામીનું વધારે ઓછું અને વધારે ઓછાં અતિશયવાળું હતું. કેમ કે શ્રુતકેવલી ભગવંતના પણ પસ્થાન પતિત ભાંગાઓ ભાખ્યા છે. (એક શ્રુતજ્ઞાનીથી બીજો અનંતગુણ અધિકજ્ઞાનવાળો હોય છે. ત્યાં શબ્દજ્ઞાન સરખું હોવા છતાં વિચારણાથી અત્યધિક વિસ્તરેલું હોય છે. તેઓ એક શબ્દના આધારે અનેક અર્થ કાઢી સુમેલ કરી દે. એમ અનુક્રમે ઓછું થતું થતું મારાથી તારા ગુરુનું જ્ઞાન ઓછું તેનાથી પણ ઓછું તારું જ્ઞાન છે. વળી દુષમકાળના પ્રભાવે પ્રાયઃ કરીને અતિશય વગરનું શ્રત રહ્યું છે. તેથી આવા ઋતથી ગર્વ ના કર. કહ્યું છે કે – છેક સર્વજ્ઞ સુધી તરતમયોગે મતિ વૈભવ હોય છે, તેથી એમાં હું જ પંડિત છું, એવો ગર્વ ન કરવો. (૨૨૬) એ પ્રમાણે ઉત્તમ ચરિત્રવાળા, આજ્ઞાને શિરોધાર્ય કરનાશ એવાં અનેક શિષ્યોથી પરિવરેલાં આચાર્ય ગામ નગર વિગેરેમાં વિચરી રહ્યા છે. એક વખત ચળકતા શરીરવાળા લટકતી માળાવાળા, હાર, અર્થહાર, ત્રણ સરવાળો હાર, નેકલેસ ગળાની દોરોથી છવાયેલા વક્ષસ્થલવાળા, ભુજાબંધથી શોભતાં ભુજાયુગલવાળા, કુંડલ વડે એના ગાલ ઘસાઈ રહ્યા છે, શ્રેષ્ઠ રત્ન કિરણોથી ઉત્કૃષ્ટ જે મુકુટ તેનાથી શોભતાં મસ્તકવાળાં, ઘણું શું કહીએ ? તેના બધા અંગો શણગારેલા છે, સુંદર સ્વચ્છ વસ્ત્રને ધારણ કરનારાં સુધર્મસભાની ત્રણ પર્ષદા મધ્યે સાત સેનાઓ તેમના સાત સેનાપતિ, ત્રાયસિંશત, અંગરક્ષક, સામાનિકદેવ, બીજાપણ સૌધર્મ સ્વર્ગ નિવાસી લોકપાલ વિગેરે દેવદેવીના મધ્યે શ્રેષ્ઠ સિંહાસન ઉપર ઈન્દ્રની ઋદ્ધિથી શોભતાં ઈન્દ્ર મહારાજ બેઠેલા છે. - તે વિપુલ અવધિજ્ઞાનથી લોકાઈને દેખતાં પૂર્વ વિદેહમાં પર્ષદા સમક્ષ ધર્મદેશનાં કરતાં સમવસરણમાં બિરાજમાન સીમંધરસ્વામીને જોયા. જોતાંની સાથે જ ઉભા થઈ ત્યાં રહ્યાં છતાં વંદન કર્યું અને પછી ઋદ્ધિ સાથે સપરિવાર ત્યાં આવી વંદન કરી યોગ્ય સ્થાને બેઠા. તે સમયે પ્રભુ નિગોદનું સ્વરૂપ સમજાવી રહ્યા હતા. તે સાંભળી વિસ્મયથી ઈન્દ્રના નેત્રો વિકસિત થયા અને હાથ જોડી વિનયથી પૂછ્યું હે ભગવન્! આ અતિશયરહિત દુઃષમકાળમાં ભરતક્ષેત્રમાં સૂક્ષ્મ નિગોદનું વર્ણન કરવા અત્યારે કોઈ સમર્થ છે ? ભગવાને કહ્યું હે ઈન્દ્ર ! આ ભરતક્ષેત્રમાં સૂક્ષ્મ નિગોદનું વર્ણન કાલકસૂરિ કરી શકે છે. તે સાંભળી ઈન્દ્ર કૌતુકથી આવી બ્રાહ્મણ રૂપ કરી સૂરિને વંદન કરી પૂછ્યું હે ભગવન્! જિનેશ્વરે સિદ્ધાન્તમાં જે નિગોદ જીવો કહ્યાં છે તે મને સમજાવો? મને તેના વિષે ઘણું કુતુહલ છે. ત્યારે સૂરિ મેઘ જેવી ગંભીર મધુર વાણીથી બોલ્યા “જો કૌતુક હોય તો તે મહાભાગ ! તું ઉપયોગ પૂર્વક સાંભળ. * ૧૦ Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ મૂળશુદ્ધિ ભાગ-૧ આ લોકમાં અસંખ્ય ગોલા છે, એક એક ગોલામાં અસંખ્ય નિગોદ છે, અને એક એક નિગોદમાં અનંતા જીવો છે. ઈત્યાદિ વિસ્તારથી સૂરિએ વ્યાખ્યા કરી ત્યારે ઈન્દ્ર વિશેષજ્ઞાનને જાણવા સારુ ફરી પણ પૂછયું વૃદ્ધ હોવાનાં કારણે હું અનશન કરવા ઈચ્છું છું. તેથી મારું કેટલું આયુષ્ય છે તે જોઈને જણાવો. ત્યારે શ્રુતથી દિવસ, પક્ષ, માસ, વર્ષ, સોવર્ષ, પલ્યોપમ એમ વધતાં વધતાં બે સાગરોપમનું આયુષ્ય જોઈ વિશેષ ઉપયોગ દઈ સૂરિએ જાણ્યું કે આ સૌધર્મેન્દ્ર છે. ' સૂરિએ કહ્યું તમે તો ઈન્દ્ર છો. ત્યારે ચલાયમાન કુંડલ વિ. આભૂષણોથી શોભતું પોતાનું રૂપ ઈન્ડે પ્રગટ કર્યું. પૃથ્વીતલ ઉપર નમેલાં ભાલ - હાથ - પગવાળા, ભક્તિથી ખીલેલી રોમરાજીવાળા ઈન્દ્ર પંચાંગ પ્રણિપાત કર્યા. હો ! ગુણ ગરિમાવાળા આપે તો આ અત્યન્ત દુઃષમ કાલમાં પણ જિનાગમને ધારી રાખ્યો છે. તે મુનીન્દ્ર ! તમને મારા કોટિ કોટિ પ્રણામ છે. અતિશય વિનાનાં પ્રભાવ વગરનાં કાલમાં જેનું જ્ઞાન આવું નિર્મલ છે, જે ત્રણ લોકને આશ્ચર્યમાં નાંખી દે છે એવા આપને મારા વંદન હો. અદ્દભુત ચરિત્રથી જિનશાસનની ઉન્નતિ કરનારા તમારા ચરણ કમળમાં હું નમસ્કાર કરું છું. એમ સ્તુતિ કરી સૌધર્મેન્દ્ર આચાર્યશ્રીનાં ગુણોનું રટણ કરતો આકાશમાં ઉડી સૌધર્મદેવલોકમાં ગયો. સૂરીશ્વર પણ પોતાનું અલ્પ આયુષ્ય જાણી સંલેખના કરી અનશન વિધિથી સ્વર્ગે સીધાવ્યા. (કાલકાચાર્ય કથા સમાપ્ત). આ પ્રમાણે હોય તો વિશિષ્ટ પ્રયોજન આ આગમથી સિદ્ધ થશે નહિ કારણ કે અત્યારે અલ્પ અને અતિશય વગરનું શ્રત છે. આવી કુશંકા દૂર કરવા ગાથા કહે છે. पयमेगं पि एयस्स भवणिव्वाहयं भवे । इत्तोऽणंता जओ सिद्धा सुव्वंते जिणसासणे ॥२॥ આ આગમનું એકપદ પણ સંસારથી પાર પમાડનાર છે, કારણ કે “આગમથી અનંતા સિદ્ધ થયાં' એવું જિનશાસનમાં સાંભળવા મળે છે. તત્વાર્થની કારિકામાં કહ્યું છે કે - આ જિનાગમ માંહેલું એક પદ પણ ભવથી પાર પમાડનાર છે. માત્ર સામાયિક પદથી અનંતા સિદ્ધ થયા છે. એવું સંભળાય છે. આનો ભાવાર્થ રૌહિણેયના કથાનકથી જાણવો. તે આ પ્રમાણે. -. .રોહિણય ચોર કથાનક) આ જંબુદ્વીપમાં ભરતવર્ષમાં જનપદોમાં ગુણનાસ્થાનરૂપે મગધ નામે દેશ છે. ત્યાં ત્રણે લોકમાં વિખ્યાત રમ્યાતાદિગુણોથી સ્વર્ગ નગરી સમી રાજગૃહી નગરી છે. શત્રુ વગરનો, વીર , પ્રભુનાં ચરણમાં ભ્રમરની જેમ મસ્ત બનનાર સાયિક સમકિત ધારી શ્રેણિક મહારાજા છે. તેને રતિના રૂપને જીતનારી ગુણ રત્નરાશિથી ભરેલી સુનંદા, ચેલ્લણા નામે પટરાણી છે. સુનંદાને ગુણોનો ભંડાર અભયકુમાર નામે પુત્ર છે. જેની બુદ્ધિ બૃહસ્પતિને ટક્કર મારે એવી છે. ત્યાં વૈભારગિરિની ગહન ગુફામાં વસનારો લોહખુર નામે ચોર છે. જે રુદ્ર, શુદ્ર, કુર, ભયાનક, Page #150 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ રોહિણેય કથા ૧૩૯ સાહસિક, સદા જીવો મારવામાં રત રહેનારો, લોહીથી ખરડાયેલા હાથવાળો, મહાપાપી, મધ, મદિરા, માંસમાં આસક્ત, પરનારી ભોગવવામાં લંપટ, વિશ્વાસુ મિત્રને પણ દુઃખ દેનાર, અન્યને ઠગવામાં ઘણો જ હોંશીયાર છે. તે રાજગૃહના નગરજનો જ્યારે ઓચ્છવ મહોત્સવમાં જન્મ અને વૃદ્ધિના પ્રસંગે અને દુઃખના પ્રસંગમાં પોતાની મસ્તીમાં મસ્ત કે લોકો હાવરા-બાવરા હોય ત્યારે અને (પ્રમત્ત, વ્યાક્ષિપ્ત) સૂતેલા પ્રવીસાઓના છિદ્રો-અવસર જોઈ પ્રાણીઓને મારી ધન ચોરે છે. અને તેનાથી પોતાની આજીવિકા ચલાવે છે. તેણે રોહિણી નામે સ્ત્રી છે. તેનો પુત્ર રોહિણેય પણ બાપ જેવા દુર્ગુણોથી ભરેલો છે. મરણવેલાએ બાપે પુત્રને કહ્યું તું મારી વાત સાંભળ! માને તો કહું, પુત્રે કહ્યું તમે મારા જન્મ દાતા ગુરુદેવ છો. તમારી આજ્ઞા છોડી બીજા કોની આશા માનું.? ત્યારે ખુશ થયેલાં બાપે કહ્યું. “તારે જિનેશ્વરના વચન સાંભળવા નહિ.” ગુણશીલ ચૈત્યમાં દેવોએ કરેલા સમવસરણમાં બિરાજિત ઈન્દ્રાદિ વંદિત જે પ્રભુ વીર દેશના આપી રહ્યા છે. બીજુ તને જે ગમે તે કરજે એમ કહી બાપ મરણને શરણ થયો. બાપનું મૃતક કાર્ય પટાવીને બાપના આદેશને પાલતો નિર્ધ્વસ પરિણામવાળો ચોરી કરે છે. એ અરસામાં મનુષ્ય વિદ્યાધર દેવોના સ્વામી જેમના પગે પડી રહ્યા છે, તથા સુવર્ણ કમલ ઉપર પગને ધરનારા, તીર્થકર ઋદ્ધિથી શોભતાં, ચૌદ હજાર સાધુઓ સાથે ગામ, આકર, નગરમાં વિહાર કરતાં પરમાત્મા મહાવીર દેવ ત્યાં સમવસર્યા. ત્યાં દેવોએ સમવસરણ માંડ્યું. અને પ્રભુએ યોજનગામી મેઘસમ ગંભીર મધુર વાણીથી દેશના શરૂ કરી. તે વખતે પેલો રોહિણેય ચોર ઘેરથી નીકળી રાજગૃહ નગર ભણી ચાલ્યો. પણ સમવસરણ નજીકમાં દેખી વિચારવા લાગ્યો જો માર્ગથી જઈશ તો ભગવાનનું વચન સંભળાઈ જવાથી પિતાની આજ્ઞાનો ભંગ થશે. અને બીજો કોઈ માર્ગ નથી. “મારે તો આ બાજુ વાઘ અને આ બાજુ નદી આવો હાલ થયો છે.” હવે કેવી રીતે બચવું. એમ વિચારતાં મગજમાં આવ્યું કે બંને કાનમાં આંગળી નાંખી જલ્દીથી ભાગી જાઉં. અને તે પ્રમાણે કરી રાજગૃહ નગરમાં ગયો. અને શ્રીમંતના ઘેર ખાતર પાડી ધન હરી ઘરે આવી ગયો, એમ દરરોજ કરે છે. પણ એક વખત સમવસરણ પાસે આવતાં કાંટો વાગ્યો અને ઉતાવળના કારણે ઘણો અંદર પેઠો. તેથી કાઢ્યા વગર ચલાય એમ નથી, બીજો કોઈ ઉપાય ન હોવાથી એક હાથથી કાંટો કાઢવા જાય છે. તે વખતે દેવ સ્વરૂપનું વ્યાખ્યાન કરતાં પ્રભુ વીરનાં વચનો તેનાં કાનમાં પડયાં કે “દેવો અનિમેષ નયણવાળા, સદા ખીલેલી પુષ્પમાળાવાળા, નીરોગી ધૂળવગરનાં શરીરવાળા, તથા ભૂમિથી અદ્ધર રહે છે.” અરે બાપરે આ તો ઘણુ સંભળાઈ ગયું એથી જલ્દી કાંટો કાઢી જલ્દી કાન બંધ કરી ભાગ્યો. નગરને રોજ લુંટાતું જાણી મહાજનો રાજા પાસે ગયા. અને ભેટયું ધરી રાજા દ્વારા સન્માન કરાયેલા વિનંતી કરવા લાગ્યા. હે રાજનું! આપની ભુજારૂપી પાંજરામાં રહેલાં અમને કોઈ ભય નથી. પણ ચોરો રાજા વગરનાં નગરની જેમ નગરમાં લુંટ ચલાવે છે, માટે નગરની રક્ષા થાય તેવું કરો. વધુ શું કહેવું હવે તો આપને યોગ્ય લાગે તેમ કરો. (૧૯) તે સાંભળી હોઠ કરડી, ભવાં ચડાવી રાજાએ કોટવાળને કહ્યું અરે ! નગરમાં ચોરી કેમ થઈ રહી છે ? Page #151 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ હે રાજન્ ! હું શું કરું ? ચોર દેખાવા છતાં પકડી શકાતો ય નથી. તે તો વિદ્યાથી વિજળીની જેમ ઉછળી એક ઘરેથી બીજા ઘરે જઈ કિલ્લો કુદાવીને નાશી છૂટે છે. અને અમે રસ્તાથી તેની તરફ જઈએ તેટલામાં તો એ ક્યાં ગયો તેની ખબર જ પડતી નથી. લોકવાયકામાં “આ રોહિણૈય નામનો મોટો ચોર છે.” એવું સંભળાય છે. અને તેને નથી દેખ્યો કે જાણ્યો. તેથી હે દેવ ! બીજા કોઈને દંડપાશિકપણું (કોટવાલપણું) આપી દો, હું તો ઘણાં ઉપાય કરવા છતાં આ ચોરને પકડી શકુ એમ નથી. ત્યારે રાજાએ અભયકુમાર ઉપર નજર નાંખી. ત્યારે અભયકુમા૨ે કોટવાલને સૂચના આપી કે દિવસે સૈન્ય તૈયાર કરો. તે ચોર નગરમાં પેઠો છે. એવું જાણી બહારથી નગરને ઘે૨ી સજાગ થઈ ઉભા રહો. યોદ્ધાઓએ તેને તર્જના કરી અંદર હાંકવો, પાછળથી જ્યારે કૂદીને બહાર પડે ત્યારે પકડી લેવો. ૧૪૦ કોટવાલે પણ એક જ દિવસમાં એ પ્રમાણે બધી ગોઠવણ કરી લીધી. ચોર બહાર ગયેલો હોવાથી આ બાબતની જાણ ન હતી એટલે અજાણમાં ગામમાં પેઠો એ પ્રમાણે કરવાથી ચોર પકડાઈ ગયો. બાંધીને શ્રેણીક રાજાને સોંપ્યો. અને રાજાએ ક્રોધથી ફાંસીની સજા ફટકારી દીધી. અભયકુમારે કહ્યું આ ચોરીના માલ સાથે પકડાયો નથી. તેથી વિચાર્યા વગર દંડ ન કરાય. જેનાં સ્વરૂપની હજી જાણ પડી નથી તે ચોર પણ રાજપુત્ર જેવો ગણાય છે. શ્રેણીક રાજાએ કહ્યું તો શું કરવું ? અભયકુમારે કહ્યું વિચારીને દંડ આપવો જોઈએ. ત્યારે રાજાએ પૂછ્યું તું કોણ છે ? અને ક્યાંથી આવે છે ? શું તારું નામ રોહિણૈય છે ? તેમે પોતાનું નામ સાંભળી શંકાશીલ બનીને કહ્યું હું તો શાલીગ્રામનો રહેવાસી દુર્ગચંદ્ર નામે કૌટુમ્બિક (કણબી) છું. કોઈક કામથી અહીં આવેલો નાટકના લોભે દેવકુલમાં મોડી રાત સુધી રોકાયો હતો, અને ઘર ભણી જઈ રહ્યો હતો. તેટલામાં તલારક્ષકોએ હક્કાર્યો. ત્યારે ડરના માર્યે મેં છલાંગ મારી અને હું કોટથી બહાર નીકળ્યો. અને તમારા પુરુષોએ અહીં લાગ્યો. હવે બાજી આપના હાથમાં છે. તેણે જેલમાં પૂરી એક માણસને તપાસ કરવા ગામમાં મોકલ્યો. તેણે પૂછ્યું ત્યારે સર્વ લોકોએ પણ “રોહિણૈયે આપણને કહેલું છે કે અહીં કોઈ પૂછવા આવે તો એમ કહેજો,” એમ વિચારી તેઓએ કહ્યું કે હા દુર્ગચંદ્ર નામનો કણબી અહીં રહે છે. પણ અત્યારે તો ગામડે ગયો છે. તેણે ગામથી આવીને સર્વ બીના અભયકુમારને કહી સંભળાવી, ત્યારે અભયકુમારે વિચાર્યું કે આ બરાબર જાણી શકાતો નથી. અને ચોરની ખાત્રી વગરનો માણસ રાજા પણ હોઈ શકે છે. તેથી ઉપાયથી તેને ઓળખવો પડશે. દેવ વિમાન સરખી ઋદ્ધિવાળો એક સાતમાલનો મહેલ બનાવ્યો. જેમાં દેવાંગ દેવદૂષ્ય ઈત્યાદિ ઉત્તમ કોટિનાં વસ્ત્રોથી ચંદરવો બનાવ્યો. જે મોતીની માલાના છેડે વિવિધ રત્નનાં ગુચ્છાવાળો છે. વજ, ઈન્દ્રનીલ, મરકત મણિ, કર્કેતન વિ. રત્નોનાં સમૂહથી ઉપર આકાશમાં અદ્ધર રહેલાં હોય એવાં ઈન્દ્રધનુષ્ય દશે દિશામાં રચ્યા. પાંચ વર્ણના ફૂલોથી ભોંયતળીયું શોભી રહ્યું છે. મણિમય ભૂતલ ઉપર ભીંતે ચિતરેલાં ચિત્રોનો પડછાયો પડી રહ્યો છે. થાંભલા ઉપર Page #152 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ રોહિણેય કથા ૧૪૧ ચામર દર્પણ લટકી રહ્યા છે. કામદેવ સરખા રૂપવાળા સેંકડો યુવાનો રહેલા છે. નવી યુવાનીથી ભરપૂર સ્વછંદ બનેલી એવી સોળે શણગાર સજી અપ્સરા સરખી વેશ્યાઓ રહેલી છે. મુચ્છના - (ધીમે ધીમે ધ્વનિનું નીકળવું,.) યુક્તવેણ = વિણાની રવ-ધ્વનિથી યુક્ત - તાલ – ગેય - લયવાળું, કાનના- કરણના અંગહારથી શોભતું નવરસ મય, નૃત્ય-યુક્તનાટક જેમાં ચાલી રહ્યું છે. જે વાગતા ઢોળ, તબલા વિ. થી રમણીય છે. અને શયનના આસન યુક્ત છે, જેમાં ચારેકોરથી સૂરજનો પ્રકાશ આવરી લેવાયો છે. શ્રેષ્ઠ રત્નનાં પ્રસરતા કિરણનાં પ્રકાશથી અંધકાર દૂર કરવામાં આવ્યો છે. વધારે શું કહીએ જાણે પ્રત્યક્ષ દેવ વિમાન જ લાગે. (૨૭). અભયકુમારે તેને (રોહિૌયને) મદિરા પાઈ અને બેશુદ્ધ થતાં દેવદૂષ્યની અંદર પલંગ ઉપર સુવડાવી દીધો. નશો ઉતરતા દેવદુષ્ય દૂર કરી દેખવા લાગ્યો. ત્યારે પૂર્વે નહિ જોયેલ ઋદ્ધિ જોઈ? તે વખતે અભયકુમારે શિખવાડેલ તે સ્ત્રી પુરુષો કહેવા લાગ્યા જય જય નંદા, જય જય ભદ્રા, નહિ જિતેલાં શત્રુ વર્ગને જીતો, જિતેલા મૃત્યવર્ગનું પાલન કરો, સર્વ વિઘ્નોને જીતેલા હે દેવ ! તમે પોતાનાં વિમાન મળે નિશ્ચિતપણે રહો. તમે અમારા સ્વામી છો. અમે તમારા નૌકર છીએ. તમે દેવ તરીકે ઉપન્યા છો. તેથી આ અપ્સરાઓને, આ રત્નના ઢગલાને, આ વિમાનને, આ પાંચ પ્રકારનાં ભોગોને ભોગવો. આ સાંભળી તે વિચારવા લાગ્યો કે શું હું દેવ તરીકે ઉપન્યો છું ? તેટલામાં નાટક શરું થયું (ખડુ થયું) જેટલામાં પેતરો ચાલુ થયો. ત્યારે સોનાનાં દંડવાલા એક પુરુષે કહ્યું અરે આ શું કરી રહ્યા છો ? તેણે કહ્યું પ્રભુ સમક્ષ મારી કલા દેખાડું છું. ભલે દેખાડ, પણ પહેલા દેવલોકનો આચાર દેવે (સ્વામીએ) કરવો જોઈએ. આચાર કેવો છે? એ પણ ભૂલી ગયા, તેઓએ કહ્યું આચાર એવો છે કે પોતે પૂર્વભવમાં કરેલાં સુકૃત એ દુષ્કૃતનું નિવેદન કરે અને પછી દેવ કૃદ્ધિ ભોગવે. અહો ! તમારી વાત સાચી છે. સ્વામી મેળવવાથી આનંદમાં ઉત્સુક બની ગયા. જેથી અમે ભૂલી ગયા. તેથી તે આર્ય! મહેરબાની કરી દેવલોકનો આચાર કરાવો. જેથી અમે અમારું કાર્ય આચરીયે. તેણે (દંડધારીએ) રોહિણેયને કહ્યું કે દેવ ! કૃપા કરી પૂર્વે કરેલું કહો ? અને પછી આ દેવકૃદ્ધિ ભોગવો, ત્યારે રોહિણેય વિચારવા લાગ્યો. શું આ સાચું છે? કે મને ઓળખવા સારું આ પ્રપંચ અભયકુમારે ઉભો કર્યો છે. ? જો સાચી હકીકત હોય તો કહેવામાં વાંધો નહિં. પણ જો પ્રપંચ ષડયંત્ર હોય તો ભારે મુસીબત આવી જાય-પણ આ જાણવું કેવી રીતે ? એમ વિચારતા કાંટો કાઢતી વખતે પ્રભુએ ભાખેલું દેવસ્વરૂપ સાંભળ્યું હતું, તે યાદ આવ્યું. દેવસ્વરૂપનું વર્ણન એમની જોડે મળે તો એઓ પૂછે તે સર્વ સાચું કહીશુ. નહિ તો અંટસંટ ઉત્તર આપી દઈશ. અને તેમની સામે જોયું તો તેઓ પલકારા મારતા(ઉન્મેષ નિમેષ કરતા), કરમાયેલી માલાવાલા, મેળવાનું શરીર હોવાથી હાથમાં પંખો રાખેલો છે અને ભૂમિને અડીને રહેલા છે. એવું દેખવાથી તે સમજી ગયો આ બધી અભયકુમારની ચાલ છે. તેથી અંટસંટ ઉત્તર આપું. એમ વિચારે છે ત્યારે તેઓએ ફરી પૂછ્યું હે દેવ ! મોડું કેમ કરો છો. આ બધા દેવ, દેવી ઉત્સુક થઈ ઉભા છે. Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ મૂળશુદ્ધિ ભાગ-૧ - ત્યારે રોહિતૈયે કહ્યું - જુઓ મેં પૂર્વભવમાં સુપાત્ર દાન વિ. આપેલું, જિનભવન, વિ. કરાવેલા, તેમાં જિનબિમ્બોની પ્રતિષ્ઠા કરાવેલ. વિવિધ પૂજા યાત્રા કરી સજજન સ્વજન બંધુ વિ. નું સન્માન કર્યું. ગુરુની સેવા કરી ધર્મદેશના સાંભળી, પુસ્તકો લખાવ્યા. શીયળ પાળ્યું, બધાને આત્મસમાં ગયા હતા, ખોટું બોલ્યો નથી, ચોરી કરી નથી, પરસ્ત્રીઓને માતા સમાન ગણી, ધનાદિમાં સંતોષ રાખ્યો. ભાવનાઓ ભાવી આવા પ્રકારનાં સદ્અનુષ્ઠાનો મેં કર્યા હતા. દરવાને કહ્યું આ તો સુંદર કહ્યું, હવે ખરાબ આચર્યું હોય તે કહો. તે બોલ્યો મેં કાંઈ ખરાબ આચર્યું નથી. પ્રતિહારે કહ્યું એક સ્વભાવથી જન્મ પુરો ન થાય. કાંઈક તો અશુભ આચર્યું હશે. તેથી જે કાંઈ ચોરી, પરસ્ત્રીગમન કર્યું હોય તે વિના સંકોચે કહી દો. તેણે કહ્યું શું અશુભ આચરણથી દેવલોક મળે ? તેઓએ સર્વ હકીકત અભયને જણાવી, તેણે શ્રેણીક રાજાને કહ્યું હે રાજનું ! ખાત્રી વગરનો ચોર સાહુકાર સમાન છે. જો આ ઉપાયથી પણ તે ન જણાય તો તે ચોર કેવી રીતે હોઈ શકે ? આને મુક્ત કરી દો. રાજાએ કહ્યું જો એમ હોય તો તારે જેમ કરવું હોય તેમ કર. અભયે તેને ભવનમાંથી બહાર કાઢી છોડી મૂક્યો. રોહિશ્નેય ચોર રાજગૃહીને જોઈ વિચારવા લાગ્યો. પિતાનો ઉપદેશ સારો નથી. કારણ કે ભગવાનનાં એક વચનનું આટલું મહત્ત્વ છે, જેનાં કારણે આલોકમાં પ્રાણદંડથી બચી ગયો નહિતર કુમારે કેવી રીતે માર્યો હોત તો કોઈને ખબર પણ ન પડત. એ ચોરી કરવાથી પરલોકમાં પણ કાંઈ સારું થશે નહિં. તેથી આ બાપનો ઉપદેશ અનર્થવાળો હોવાથી મારે ન જોઈએ. એમ વિચારી ભગવાન પાસે ગયો અને વાંદીને ભાવપૂર્વક સ્તુતિ કરવા લાગ્યો. સર્વ પ્રાણીઓનાં રક્ષક ! મોહ રાજાના સૈન્યનો નાશ કરનાર ! પ્રસરતાં કેવલજ્ઞાનથી જ્ઞાનાદિ સદ્દભાવોને જાણનારા ! સઘળી ભાવનાઓને ભાવનારા ! બધા દુઃખરૂપી કમલને ઉખેડવામાં હાથી તુલ્ય ! ત્રણ ભુવનના માલિક ! મહાતેજસ્વી ! મહાનું કાર્યવાળા જિનેશ્વર! ઋણ વગરનાં ! (૨૯) જે સદા આપનાં વચનરૂપ અમૃતનું પાન કરવામાં લાલચું હોય તે જીવો આ જગતમાં ધન્ય અને તેમનું જીવન સફળ છે. હું તો અત્યન્ત પાપિઇ છું. તમારાં વચનો સાંભળતી વખતે કાન ઢાંકીને (બીડીને) ભાગી ગયો હતો. હે નાથ ! ઈચ્છા ન હોવા છતાં મને એક વચન સંભળાઈ ગયું જેના દ્વારા હું આવ્યો. તેમજ ભવથી નિર્વેદ પામ્યો. તમને હે સ્વામી ! નમસ્કાર હો ! હવે એવું કરો કે જેથી ભવનને ઓળંઘી જલ્દી સિદ્ધપુરમાં પહોંચી જાઉં. (૩૩) ભગવાને ભવનિર્વેદને ઉત્પન્ન કરનારી ધર્મદેશના આપી. તે સાંભળી ઘણાં લોકો બોધ પામ્યા. તે વખતે રોહિૌયનું જીવવીર્ય ખીલી ઉઠયું. રોમરાજી વિકસિત થઈ અને ગાઢ કર્મ જાલ દળાઈ (છેદાઈ) જવાથી ચારિત્રના પરિણામ જાગ્યા. ત્યારે તેણે હસમુખ ચહેરે પ્રભુને વિનંતી કરી હે ભગવન્! હું દીક્ષાને યોગ્ય છું કે નહિ? પ્રભુએ કહ્યું તું પૂરેપૂરો યોગ્ય છે. તેણે કહ્યું તો હું દીક્ષા લઉં. પણ મારે શ્રેણીક રાજા સાથે વાત કરવી છે. રાજાએ કહ્યું જે તને ગમે તે વિના સંકોચે બોલ, તેણે કહ્યું ઓ ! મહારાજા તે હું જ રોહિૌય ચોર છું. એક પછી બીજા Page #154 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ રોહિણેય કથા ૧૪૩ મોઢે વાત જતા એમ પરંપરાએ સાંભળતા તમને પણ જેનો ખ્યાલ છે. પણ પ્રભુના એક વચનના પ્રભાવે બૃહસ્પતિની બુદ્ધિને ટક્કર મારનાર એવી બુદ્ધિવાળા અભયકુમારની યોજના નકામી નીવડી. મારા સિવાય બીજા કોઈએ તમારું નગર લુંટ્યું નથી. તેથી મને એક આપનો સાક્ષી આપો. તેને સર્વધન બતાવી દઉં. ત્યાર પછી દીક્ષા વડે મનુષ્ય જન્મને સફલ કરું. ત્યારે શ્રેણીક રાજાએ અભયકુમારના મોં તરફ જોયું ત્યારે અભયકુમાર અને કુતુહલથી નગરલોકો રોહિૌયની સાથે ગયા. ગિરી નદી વન-કુંજ = વનવગડા, ઘટાદાર લતા ગૃહ, સ્મશાન વિ. માં ચોરીને સંતાડેલું સર્વ ધન બતાવ્યું અભયકુમારે જેનું જેનું હતું તેને આપ્યું. રોહિણેયે પણ પોતાનાં માણસોને વસ્તુસ્થિતિ જણાવી. તેઓને પ્રતિબોધી-બુઝવીને પ્રભુ પાસે આવ્યો. શ્રેણીક મહારાજાએ તેનો દીક્ષા મહોત્સવ કર્યો. અને વિધિપૂર્વક દીક્ષા લઈ વિશેષ સંવેગના લીધે ઉગ્ર તપ કરવા લાગ્યો. રોહિૌય મુનિનો ઉગ્રતપ - ક્યારેક છઠના પારણે છઠ અટ્ટમ, પાંચ, ઉપવાસ, ચાર ઉપવાસ, આંબિલ, નીવી, ક્યારેક માસખણ, પાસખમણ, ક્યારેક બે માસ, ત્રણ માસ, ચારમાસ, પાંચ માસ, છ માસના ઉપવાસ કરે છે. વળી એકાવળી વિ. તપ કરે છે. આવો ઘોર તપ કરવા સાથે શિયાળામાં ઠંડીને, ઉનાળામાં ગર્મીને સહન કરે છે, અને વર્ષાકાલમાં ઢંકાયેલા સ્થાને રહે છે. તેનાં લોહી માંસ સુકાઈ ગયા છે. એવા રૂક્ષ શરીરવાળો હોવા છતાં તપના તેજથી દીપી રહ્યો છે. સદા ગુરુ આજ્ઞાને વફાદાર રહેનાર રોહિણેયનો અંતકાલ આવી ગયો. ત્યારે વીરપ્રભુને પૂછી સંખના કરી ઉચ્ચકોટિના ભાવવાળો તે ગીતાર્થ સાધુઓ સાથે પર્વત ઉપર જઈ શુદ્ધશિલા ઉપર વિધિપૂર્વક પાદપોપગમન અનશન સ્વીકારી જિનેશ્વર સિદ્ધભગવંત વિ. ને મનમાં ધારી સ્થિર રહ્યો. શરીર છોડી સ્વર્ગમાં ઝગમગતા શરીરવાળો દેવ થયો. ત્યાંથી ચ્યવી મનુષ્યપણામાં ઉંચી કોટીની સમૃદ્ધિ અને ધર્મ પ્રાપ્ત કરી દેવ થશે. એમ દેવપણું, મનુષ્યપણું પ્રાપ્ત કરી અનુક્રમે શિવસુખને પામશે. રોહિૌય કથાનક સમાપ્ત” विहीए सुत्तओ तम्हा पढमं पढियव्यओ । सोच्चा साहुसगासम्मि कायव्यो सुद्धभावओ ॥६३॥ | વિધિપૂર્વક મૂળપાઠ (સૂત્રથી) પહેલાં ભણવું પછી સાધુ પાસે સાંભળી તેમાં ઉપદેશેલાં અનુષ્ઠાનોને શુદ્ધ ભાવથી કરવા જોઈએ. વિધિ - વાચનાની ભૂમિ પૂજવી, વાચનાચાર્યનું તથા સ્થાપનાચાર્યનું આસન પાથરવું, યોગ્ય કાલનું નિવેદન કરવું. “યોગ્યકાલે વિનયથી બહુમાનથી, ઉપધાનથી, ગુરુને ઓળંધ્યા વિના સ્પષ્ટ અને શુદ્ધ (યથાવસ્થિત) સૂત્ર અર્થ અને ઉભયને ભણવા એમ આઠ પ્રકારનો જ્ઞાનાચાર છે.” (દશ. નિ.૧૮૪) જ્ઞાનનાં અતિચાર લગાડ્યા વિના ભણવું. સૌપ્રથમ પાઠરૂપે (સૂત્રથી) આગમનો અભ્યાસ કરવો જોઈએ. કારણ કે વ્યાખ્યાનકાર પાસે શ્રવણ વિ. કરવું ઇત્યાદિ સમસ્ત અનુષ્ઠાનોમાં સર્વ પ્રથમ મૂળસૂત્ર છે, અથવા તો અનુષ્ઠાનોની પૂર્વે આની (મૂળસૂત્રની) જરૂર Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ : જ્ઞાનના સાધન મૂળશુદ્ધિ ભાગ-૧ પડે છે. સાંભળવાની વિધિ આવશ્યક નિ.માં આ પ્રમાણે બાવી છે. તવનંત - મૂળસૂત્ર ભણ્યા પછી સોચ્ચા = એટલે કે વ્યાખ્યાનકારપાસે મૂળસૂત્ર સાંભળ્યા પછી અન્ય અનુષ્ઠાન થાય છે, તે શ્રાવણ માટે પણ આ વિધિ છે - સ્થાનને પૂંજી, બે આસન કરવા, એક ગુરુ માટે અને બીજું સ્થાપનાચાર્ય માટે, નિદ્રા વિકથા છોડી ત્રણ ગુપ્તિથી ગુપ્ત બની હાથ જોડી ભક્તિ બહુમાનથી ઉપયોગ પૂર્વક સાંભળવું. ગુરુ સામે બેસી, વિસ્મિત ચહેરે, હરખાઈને અને અન્યને હરખાવતાં એવા શિષ્યો સારભૂત અર્થવાલા સુભાષિત વચનોને સાંભળે – પ્રથમ મૌન રહીને સાંભળે. બીજીવાર હુંકારા ભરે, ત્રીજી વખતે “હાઁ ! આ એમજ છે” એમ પ્રશંસા કરે, ચોથી વેળાએ પૂર્વાપર સૂત્રનો અભિપ્રાય જાણીને પૂછે, પાંચમી વેળાએ સાચું છે કે ખોટું એ વિચારે. છઠ્ઠીવેળાએ ઉત્તરોત્તર ગુણપ્રસંગ અને શ્રુતનો પાર પામે, સાતમી વેળાએ નિશ્ચિતાર્થ બને. - ગુરુની જેમ પુરેપુરું સમજાવતો થાય. (આ.નિ.). સાધુ તે સુતીર્થ રૂપે છે કારણ કે તેનો આશ્રય લેવાથી સહેલાઈથી શ્રુતસાગરમાં અવગાહન કરી શકાય છે. માટે તેની પાસે આગમ સાંભળવાનું કહ્યું છે. જિનશાસનનાં એકબીજાને બાધા ન પમાડે તે રીતે દુઃખના નાશ માટે પ્રયોગ કરાતો દરેક યોગ (અનુષ્ઠાન) અવિરુદ્ધ - અસાધારણ થાય એ પ્રમાણે કરવું જોઈએ. ૬૩ા (ઓ.નિ.) सुप्पसण्णा जिणाणाए कारणं गुरुणो परं । पोत्थयाणि य णाणस्स संपयं साहणं तओ ॥६४॥ જિનાજ્ઞા પ્રમાણે સુપ્રસન્ન ગુરુ જ્ઞાનનું પ્રધાન કારણ છે અને આ દુષમકાળમાં પુસ્તકો જ્ઞાનનું સાધન છે. સુપ્રસન્ન ગુરુ શ્રત આપે છે કહ્યું છે કે – વિનયથી નમેલાં હાથ જોડી ગુરુની ઈચ્છાને અનુસરનારા શિષ્યોને ગુરુ ઘણું શ્રુત જલ્દી આપે છે. જિણાણાએ - તીર્થંકરના ઉપદેશ પ્રમાણે “વિનીત શિષ્યોને શ્રત આપવું” આવી જિનાજ્ઞાથી યથાવત્ (બરાબ૨) શાસ્ત્રાર્થને જાણનારા તે ગુરુ, તેઓ જ્ઞાનનું પ્રધાન કારણ છે. જેમાં જિનાગમ લખેલા હોય તેવા પાનાનો સમૂહ તે પુસ્તક. આ પુસ્તકો દુષમકાલમાં શ્રુતજ્ઞાનનાં સાધન છે. “તઓ” તતઃ પદ ઉત્તર શ્લોક સાથે સંબંધ માટે છે. If૬૪માં जिणाणाबहुमाणेणं विहाणेणं लिहावए । पोत्थयाणि महत्थाणि वत्थमाईहिं पूयए ॥६५॥ તઓ - પુસ્તકો જ્ઞાનનાં સાધન હોવાથી પ્રભુ આજ્ઞાની પ્રીતિથી વિધિપૂર્વક મહાઅર્થવાલા પુસ્તકો લખાવા જોઈએ. તેમજ વસ્ત્રની પોથી વીંટીયા વિગેરે દ્વારા અને પુષ્પ વિગેરે પ્રકારથી તેમની પૂજા કરવી જોઈએ. મહાર્થ : જેમાં થોડા શબ્દમાં ઘણું કહેવાય છે. પુસ્તકનું લેખન ઘણું ગુણકારી છે. તે આ પ્રમાણે છે. જેઓ જિનશ્વરનાં વાક્યોને લખાવે છે, તે માણસો દુર્ગતિને પામતા નથી. મૂંગા કે Page #156 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ ૧૪૫ જડ બનતા નથી. તથા આંધલા કે બુદ્ધ (મૂર્ખ) થતાં નથી. જે ધન્ય પુરુષો જિનાગમનાં પુસ્તકોને લખાવે છે, તેઓ સર્વ સિદ્ધાંતને જાણી નિઃસંદેહ સિદ્ધિ ગતિને પામે છે. //૬પ આગમને પુસ્તકમાં લખાવીને શું કરવાનું તે જણાવે છે... गीयत्थाणं सुसीलाणं पगासिंताणमागर्म । विहाणेण मुणिदाणं दाणं तत्तो निसामणं ॥६६॥ ગીતાર્થ સુશીલ તેમજ વિધિપૂર્વક આગમની વ્યાખ્યા કરનારા, મુનીંદ્રોને આગમ ગ્રંથ આપી તેમની પાસે આગમ સાંભળવું. ગીતાર્થ સૂત્રને કંઠસ્થ કરવા પૂર્વક અર્થનો જાણકાર, સુશીલ = શુદ્ધ ચારિત્રવાળા ગુણધારી હોવાથી તેઓ જ યોગ્ય છે. કહ્યું પણ છે કે – જયાં સુધી નિર્મલ પ્રશસ્ત શીલ હોય ત્યાં સુધી સર્વ સંપદા હાથમાં જ છે. પણ જો મોહથી તેને છોડી દે કે ભાંગી દે તો દોષ રૂપી કાગડાના આવાસવાળા લીમડા (ઝાડ) રૂપે બની જાય છે. વ્યાખ્યા વિગેરે દ્વારા સિદ્ધાન્ત વિધિથી પ્રગટ કરવા, કહ્યું છે કે - અવિધિથી વ્યાખ્યા કરવાથી ઘણાં દોષ ઉભા થાય છે. કાચા ઘડામાં નાંખેલ પાણી તે ઘડાને ખલાસ કરી નાંખે છે. એમ સિદ્ધાંતના રહસ્યો અપરિપક્વ બુદ્ધિવાળો નાશ કરે છે. (ઘંટનું લોલક જેમ બંને બાજુ વાગે છે) તેમ કાગડાના આંખનો ડોળો બંને બાજુ ફરે છે. તેમ અગ્રેતન દાન પદમાં “પણ”નો સંબંધ કરવો. મુનિવરોને સૂરિ ભગવંતોને પુસ્તકોનું વિધિથી દાન કરવું. એટલે સાંભળે પણ ખરો અને પુસ્તકનું દાન પણ આપે ખરો. પુસ્તક વહોરાવવાની વિધિ વૃદ્ધ પુરુષોએ આ પ્રમાણે કહી છે... આસન, વસ્ત્ર, પાત્ર વિ. મનને સુખકારી સર્વ સામગ્રી આપી હાથ જોડી એમ કહેવું જોઈએ હે પ્રભુ ! દુઃખે પારપામી શકાય એવાં આ સંસાર સમુદ્રમાં આપ નાવડી સમાન છો. માટે આ આગમ પુસ્તકના વ્યાખ્યા દ્વારા મારા સર્વકર્મની નિર્જરા કરાવો. પુસ્તક દાન ઉપલક્ષણ છે. જેથી કરીને સુવિહિતસાધુઓને ઉત્તમ કોટીના પાનાં, સુંદરપત્ર, સારા ભોજપત્ર, કાતર, લેખની, ખડિયો, વેષ્ટન, દોરી આપનારા જ્ઞાનનાં ફળને મેળવે છે. તે ક્યારેય નિષ્ફળ ન જાય. I૬૬ll कुन्जागमविहाणेणं पोत्थयाणं च वायणं । उग्गहं च पयत्तेण कुज्जा सव्वण्णुसासणे ॥६७॥ આગમના વિધાન થી = સિદ્ધાંતમાં કહેલા ન્યાય-નિયમ પ્રમાણે આગમ પુસ્તકો વાંચવા જોઈએ એટલે જાતે ઉચ્ચાર કરવો, અને સર્વજ્ઞ શાસનનો યત્નથી સ્વીકાર કરવો, ચકારથી સંકટ સમયે રક્ષણ કરવું. (જમ મુસ્લિમ આક્રમણ વખતે પાટણની અનેક હજારો હસ્તપ્રતો જેસલમેરમાં સુરક્ષિત કરી દેવામા આવી.) Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ મૂળશુદ્ધિ ભાગ-૧ આગમ વિહાણેણં - જે શાસ્ત્ર વાંચવાનો ગૃહસ્થને અધિકાર હોય તેજ શાસ્ત્ર તેઓ વાંચે, નહિ તો આશા ભંગ, અનવસ્થા - એક ને દેખી બીજો ત્રીજો એમ બધા વાંચવા માટે, તેથી વ્યવસ્થા (મર્યાદા) પડી ભાંગે. મિથ્યાત્વ વિરાધના વિ. મહાદોષ ઉભો થાય. આજ્ઞાભંગથી ધર્મનો પણ અભાવ થાય. કહ્યું છે કે – આજ્ઞાથી જ ચારિત્ર ટકે છે. આજ્ઞાનો ભંગ થતા બધુ નાશ પામે છે, આજ્ઞાને ઓળંગનારો કોના આદેશને માનવાનો હતો ? તથા અધિકારીએ જ ધર્મ કરવો અનધિકારીને આજ્ઞાભંગ થવાથી ધર્મદ્વારા દોષ જ ઉભા થાય. કારણ ધર્મ આજ્ઞાથી (પ્રતિબદ્ધ) વણાયેલો જ છે. આજ્ઞા અભાવે ધર્મ જ નથી. અનવસ્થા: એકે અકાર્ય કર્યું તેનો આધાર લઈ બીજો કરે. લોકો શાતા (અનુકુલતા)નાં રાગી હોવાથી બધા તેમ કરતા સંયમતપ પૂર્વક ગુરુ પાસે શ્રુતગ્રહણની પરંપરા ટૂટી ભાંગે, તેથી સંયમ તપ પણ કોઈ ન કરે. કહેવા પ્રમાણે ન કરવાથી મિથ્યાત્વ લાગે છે. જે કહેલા પ્રમાણે નથી કરતો તેનાથી બીજો કોણ મિથ્યાત્વી છે? કારણ કે તે બીજાને શંકા જગાડવાથી મિથ્યાત્વને વધારે છે. દેવતાદિથી ઉપદ્રવ (વિરાધનાને) પામે છે. ઉન્માદ - મગજ ખસી જાય અથવા તો લાંબા સમયની માંદગી આવે. અથવા સર્વજ્ઞ પ્રભુએ પ્રરુપેલાં ધર્મથી ભ્રષ્ટ થાય છે. મુસ્લીમ વગેરે દ્વારા ધમાલ - હુમલા, લડાઈ ઈત્યાદિ ઉપદ્રવ પ્રસંગે મોટા પ્રયત્નોથી - આદરથી પેટી દાભડા વિ.માં સુરક્ષિત સ્થાને મૂકીને પુસ્તકોનું રક્ષણ કરવું જોઈએ. अन्नेसि भव्वसत्ताणं जहाथामं पगासए । सव्वं वावारमुज्झित्ता कुज्जा सज्झायमुत्तमं ॥१८॥ અન્ય ભવ્ય પ્રાણીઓને યથાશક્તિ સમજાવવું જોઈએ. ઘરનાં સર્વ કાર્ય (ગૌણકરી) છોડીને ઉત્તમ સ્વાધ્યાય કરવો જોઈએ. કારણ સ્વાધ્યાયથી પણ આગમની ભક્તિ થાય છે. I૬૮ જેથી કરીને શ્રાવક વર્ણકમાં કહ્યું છે તેનું વિવેચન કરવું. पुव्यरत्ताऽवरत्तम्मि चिंतेज्जा पणिहाणवं । भावेज्जा भावणासारं परं अप्पाणमेव य ॥१९॥ “હે દેવાનુપ્રિય ! પ્રવચનનો આ અર્થ છે, પરમાર્થ છે.” સામર્થ્ય હોય તો રાત્રિના પહેલા અને છેલ્લા પહોરે આગમને ચિત્તમાં ધારી સમાધિવાળો સ્વપરની ભાવનાથી વિચારણા કરે. પર - જડ પદાર્થ નશ્વર છે. સ્વ- આત્મા હું શાશ્વત છું, જ્ઞાનાદિ ગુણવાળો છું. છતાં અત્યારે જડના રાગે જિન બની શકતો નથી. અનુપ્રેક્ષા પણ સ્વાધ્યાય છે. ઈત્યાદિ. આ પણ સિદ્ધાંતકૃત્ય છે. દા . પ્રકરણનો ઉપસંહાર અને ઉપદેશને ગાથા દ્વારા કહે છે - ' - Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ મૂળશુદ્ધિ ભાગ-૧ एयं जिणिदागमपोत्थयाणं, किच्चं दिसादसणमेत्तमुत्तं । सुसावगो सासणभत्तिमंतो, करेज्ज णाऊण जहारिहं ति ॥७०॥ એ પ્રમાણે જિનામના પુસ્તકો સંબંધી કર્તવ્યનું દિશાસૂચન કર્યું. આ કર્તવ્યોને જાણીને સુશ્રાવકો શાસન પ્રત્યે હૈયામાં વસેલી ભક્તિથી યોગ્યતા પ્રમાણે કરે II૭૦ (સાધુ કૃત્ય નામે ચોથું સ્થાન) ત્રીજામાં પુસ્તકનું કર્તવ્ય પૂર્વે કહ્યું અને તેને સાધુ મુખથી સાંભળવું જોઈએ. અને તે સાધુઓને જ વહોરાવાના હોય છે. એથી સાધુકૃત્યની પ્રરૂપણાં કરે છે. मुणीण णाणाईगुणालयाणं, समुद्दचंदाइनिर्दसणाणं । जयं जया जाण जहाणुरूवं, तयं तया ताण तहा विहेह ॥७१॥ જ્ઞાનાદિ ગુણોનાં ભંડાર, અને જેમને સમુદ્ર - ચંદ્ર વિ. ની ઉપમા આપવામાં આવે એવાં મુનિ ભગવંતોને જ્યારે જે યોગ્ય હોય ત્યારે તે કરવું. ૭૧ શા માટે યથાયોગ્ય કરવાનું ? તેનો ઉત્તર કહે છે ? जं जोणिलक्खागहणम्मि भीमे, अणोरपारम्मि भवोवहिम्मि । कल्लोलमाला व सया भमंता, दुक्खं व सोक्खं व सयं सहंता ॥७२॥ मणुस्सजम्मं जिणनाहधम्मं, लहंति जीवा खविऊण कम्मं । महाणुभावाण मुणीण तम्हा, जहासमाही पडितप्पियव्वं ॥७३॥। ચોરાશી લાખ યોનિથી ગહન, ભયંકર, પારવગરનાં, ભવસમુદ્રમાં તરંગોની જેમ સદા ભ્રમણ કરતા, જાતે જ સુખ-દુઃખ ઉમિયાને સહતા જીવો કર્મ ખપાવી મનુષ્ય જન્મ પછી જિનધર્મને પ્રાપ્ત કરે છે. માટે મહાનુભાવ મુનિઓને મનની સમાધિ રહે, તે પ્રમાણે વિનય વૈયાવચ્ચ કરવા જોઈએ. //૭૨૭૩ કર્મની પ્રધાનતાથી આનુપૂર્વીથી ક્યારેક શુદ્ધિને પ્રાપ્ત કરી જીવો મનુષ્યપણું મેળવે છે. જેમ મોટા સમુદ્રમાં ચપલ તરંગથી પ્રેરિત ધક્કો લાગેલ સમોલ ચાલે, વળે, સ્કૂલના પામે, દોડે છે, આમ ભમતા ભમતા ટિયોગે અકસ્માતુ ફરીથી કેમ કરીને ધૂંસરીના છિદ્રને પામે છે. તેમ ભવસાગરમાં પડેલાને મનુષ્ય જન્મ દુર્લભ છે, તેમાં પણ પછી કોઈક ધન્ય પુરુષ જ જિનધર્મને પામે છે. વસ્તુસ્થિતિ આવી હોવાથી અચિજ્ય શક્તિવાળા સાધુ ભગવંતોને સમાધિ રહે તે રીતે વિનય વૈયાવચ્ચાદિથી વિનય બહુમાન કરવું જોઈએ. વિનયધર્મનું મૂળ હોવાથી વિનયને કહેવાની ઈચ્છાવાળા કહે છે કે મૂળમાંથી ઝાડનો ૧. સમોલ = જોતરું ભરાવવા ધુંસરીના છિદ્રમાં નાંખવામાં આવતો લાકડાનો ખીલો. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ મૂળશુદ્ધિ ભાગ-૧ સ્કંધ નિકલે છે, તેમાંથી શાખાઓ પ્રગટે છે તેમાંથી ઉપશાખા પણ ઉગે તેના પછી ફૂલ ફળ અને રસ ઉપજે છે. એમ ધર્મનું મૂળ વિનય છે. જેનાથી શ્રેષ્ઠ મોક્ષની પ્રાપ્તિ થાય છે તેમજ કીર્તિ અને શ્રુત હાથમાં આવે છે. એટલે જિનધર્મ દુર્લભ વસ્તુ છે, તેની પ્રાપ્તિનો ઉપાય છે સાધુ સેવા માટે એવું વિધાન કરવામાં આવ્યું છે. कायव्वं ताव दिट्ठाणं अब्भुट्ठाणं ससंभमं । अंजलीपग्गहो सम्म, आसणस्स पणामणं ॥७४॥ आसणाभिग्गहो चेव, विहाणेण य वंदणं । ठाणट्ठियाण कालम्मि भत्तीए पज्जुवासणा ॥५॥ इंताणं सम्मुहं जाणं, गच्छंताणं अणुव्वए । काएणं अट्ठहा एसो विणओ ओवयारिओ ॥७॥ કાય, વચન, મનનાં ભેદથી વિનય ત્રણ પ્રકારે છે. મુનિજનોને દેખતા જ અતિઆદરથી સંભ્રમપૂર્વક ઉભા થવુ. ૧. હાથ જોડવા. ૨. આસન આપવું ૩. આસન આપવાનો અભિગ્રહ લેવો. ૪. વિધિપૂર્વકદ્વાદશાવર્ત વંદન કરવું. ૫. બે અવનત એક યથાજાત, બાર આવર્ત, ચાર શીર્ષાવંદન, ત્રણ ગુપ્તિ, બે પ્રવેશ એકવાર નીકળવું. આ પચ્ચીશ આવશ્યકથી શુદ્ધ કૃતિકર્મ (વંદન) થાય છે. જે આ પચ્ચીશમાંથી એક પણ આવશ્યક ને વિરાવે છે તે વંદન કરવા છતાં નિર્જરાનો ભાગી બનતો નથી. ગુરુને જે આવશ્યકથી પરિશુદ્ધ વંદન કરે છે તે જલ્દીથી નિર્વાણ નહિ તો વૈમાનિક દેવ તો થાય જ. મકાનમાં રહેલાં મુનિઓ પાસે યોગ્ય સમયે બેસવું ભક્તિથી સેવા કરવી (૬) આવતાં હોય ત્યારે સામે જવું. (૭) અને જતા હોય ત્યારે વળાવા જવું (૮) આ કાયાથી ઔપચારિક આઠ પ્રકારનો વિનય કહ્યો II૭૪ હવે વચન વિનયનું પ્રતિપાદન કરવા સારુ દોઢ ગાથા કહે છે. भासियव्वं हियं वक जं परिणामसुंदर । मियं थेवेहिं वण्णेहिं सहावमहुरं तहा ॥७७॥ पुव्वं बुद्धीए पेहेत्ता भासियव्यं सुहासियं ॥७५पू०॥ હિતકારી વાક્ય બોલવું જોઈએ. જે પરિણામે સુંદર થોડા અક્ષરવાળું અને સ્વભાવથી સુંદર હોવું જોઈએ. તથા બોલતા પહેલા બુદ્ધિથી વિચારી નિર્દોષ વચન બોલવું. કહ્યું છે કે, બુદ્ધિથી જોઈ ઉભય લોકમાં નિર્દોષ વચન બોલવું કે જે સ્વ-પરને ક્યારેય પીડા ના ઉપજાવે, એટલે કે હું જે બોલી રહ્યો છું તેનાથી હલકી - લઘુતા નહીં થાય ને, અને પરભવમાં આત્મા દુઃખી નહીં બને ને એવો વિચાર કરી પછી બોલવું. ll૭૮૭૮ Page #160 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ પ્ર.) “ભાયવ્યું" એનો બે વાર પ્રયોગ કેમ કર્યો. ? ઉત્તર→ શ્લોક જુદા જુદા હોવાથી. પૂર્વાર્ધ કહ્યું હવે ઉત્તરાર્ધ કહે છે, મન વિનયને અર્ધશ્લોકથી કહે છે. ૧૪૯ दुट्टट्ठ चित्तं निरुभेत्ता उदीरे कुसलं मणं ॥७८उ० ॥ આર્નરૌદ્ર ધ્યાનથી મનને રોકી ધર્મ ધ્યાનમાં મનને જોડવું જોઈએ. જે કારણે કહ્યું છે કે... આ સુંદર ચિત્તરૂપી રત્નની તું રક્ષા કર. કારણ કે આ શ્રેષ્ઠ અભ્યન્તર ધન છે. ધર્મ અધર્મ, સુખ, દુ:ખ બધા આના આધારે રહેલા છે. જ્યારે આ નિઃસ્પૃહ થઈ બાહ્યભ્રમને છોડી સ્થિર બને ત્યારે તને પરમ સુખ પ્રાપ્ત થશે. ભક્ત બની સ્તુતિ કરનાર અને ક્રોધે ભરાઈ નિંદાકરનાર આ બંને સામે આવે ત્યારે સમભાવવાળું ચિત્ત બનશે, તો તને પરમ સુખ મળશે. સ્નેહ સભર સ્વજન અને અપકારી શત્રુઓ ઉપર તુલ્યભાવ જાગશે, ત્યારે પરમસુખ થશે. શબ્દાદિ ઈન્દ્રિયોનાં શુભ-અશુભ વિષયોમાં મનની રેખા ન ફરે ત્યારે પરમ સુખ થશે. ગોશીર્ષ ચંદનનો લેપ કરનાર અને કરવતથી કાપનાર ઉપર ભેદભાવ નહિ રહે ત્યારે પરમસુખ. પાણી સમા સંસારી પદાર્થોથી ચિત્તકમલ નિર્લેપ બનશે ત્યારે પરમસુખ, સ્ત્રીઓનાં ઉત્તમ લાવણ્યથી મનોહર અંગો દેખાયે છતે ચિત્ત નિર્વિકારી રહેશે ત્યારે પરમસુખ થશે. અતુલ સત્ત્વ દ્વારા અર્થકામથી ચિત્ત હરીને-દૂર હટાવીને ધર્મમાં રત બનશે ત્યારે પરમસુખ. રાજસિક, તામસ ગુણોથી મુક્ત બનેલ ચિત્ત સ્થિર સમુદ્ર સમાન તરંગ વગરનું બનશે ત્યારે પરમસુખ થશે. (તરંગ – નવી અસાર કલ્પનાઓ કરવી.) મૈત્રી કારૂણ્ય માધ્યસ્થ અને પ્રમોદ ભાવનાથી ઉદાર બનેલું મન જ્યારે માત્ર મોક્ષના લક્ષ્યવાળું બનશે ત્યારે પરમ સુખ થશે. છેલ્લે ફરીથી મન શબ્દનું ગ્રહણ દુષ્ટ અદુષ્ટ એમ બે પ્રકારનું મન છે. તેનું સૂચન કરવા સારુ કર્યું છે. ૭૮॥ ઈતિ ઉત્તરાર્ધ હવે બાકીના કૃત્યનું પ્રતિપાદન કરવા માટે ૬ શ્લોક કહે છે :जहा जहा महाणम्मि आढिया होंति साहुणो । सव्वं सव्वपयत्तेण कुज्जा कायव्वयं तहा ॥ ७९ ॥ જે રીતે સાધુઓ મહાજનને વિષે આદરવાળા થાય, તે રીતે સર્વ પ્રયત્નથી કરવું જોઈએ. એટલે કે “મહાજન વર્ગ વ્યવહારુ છે” એવું સાધુને લાગે. गुणा बहुमाणं वण्णवायं वए फुडं । जहा गुणाणुरागेण लोगो मग्गं पवज्जई ॥८०॥ Page #161 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ ક્ષમાદિ ગુણોની બહુમાન પૂર્વક સ્પષ્ટ એ રીતે પ્રશંસા કરવી જોઈએ કે ` જેથી ગુણાનુરાગથી લોકો માર્ગને (જ્ઞાનાદિને) સ્વીકારે. ૧૫૦ સાધુઓનું દર્શન શ્રેષ્ઠ છે. સાધુઓ તીર્થ રૂપે છે. તીર્થ લાંબાકાલે પાવન બનાવે છે. જ્યારે સાધુ સમાગમ જલ્દી તારે છે. સાધુના દર્શન વંદનથી પાપો નાશ પામે છે. પદાર્થ વિશેની શંકા ટળે છે.પ્રાસુક દાન દેવાથી નિર્જરા થાય છે. જ્ઞાનાદિની પ્રાપ્તિ થાય છે. સર્વજ્ઞની પ્રાપ્તિ થાય છે. સર્વજ્ઞમતમાં જે પરિશુદ્ધ શુભ જ્ઞાનની (સુખની) ગતિ (પ્રાપ્તિ) થાય છે. તેજ બોધિનું બીજ (કારણ) છે, જેમ રોહિÂય ચોરને થયું. अहापवत्तसुद्धाणं संताणं फासूयाण य । एसणिज्जाण कप्पाणं तिहा वि विहिणा सयं ॥ ८१ ॥ પોતાના માટે તૈયાર કરેલ તેમજ નીતિથી મેળવેલા ધનથી બનાવેલ તથા ઘરમાં રહેલું અશનાદિ હોય, જીવ વગરનું, બેતાલીશ દોષથી શુદ્ધ હોય તેમજ સાધુને કલ્પ્ય હોય તેનું જાતે જ ત્રણ કરણની શુદ્ધિપૂર્વક દાન કરે. સ્વયં - પોતાના હાથે જે દાન આપ્યું હોય તેજ ધનવાનનું ખરેખર ધન છે. “માટે જાતે જ સાધુ મહારાજને વહોરાવું જોઈએ.” સતાં= ઘરે રહેલું જ આપવું, અન્યથા ગામમાં પધારેલ - ભાઈ મહારાજ માટે ગરીબ બહેન શેઠપાસે એક પલ તેલ પ્રતિદાનથી (ઉછીનું) લાવે છે. પણ પાછું આપવાની શક્તિ ન હોવાથી પલ પ્રમાણનું તેલ આટલું વધી ગયું કે તેણીને શેઠના ઘેર નોકરાણી થવું પડ્યું. આવી રીતે દોષનો સંભવ હોવાથી ઉછીનું લાવી સાધુને ન વહોરાવવું. काले पत्ताण पत्ताणं धम्मसद्धा- कमाइणा । असणाईण दव्वाणं दाणं सव्वत्थसाहणं ॥८२॥ પ્રાપ્તાનાં- અવસરે ઘર આંગણે પધારેલા વિશિષ્ટ ગુણવાળા સાધુ ભગવંતોને ધર્મશ્રદ્ધા અને તે તે દેશમાં પ્રસિદ્ધ વસ્તુઓના ક્રમથી, આદિ શબ્દથી સત્કાર સન્માન સાથે (એટલે તે દેશમાં જે ઉત્તમદ્રવ્ય તરીકે પ્રસિદ્ધ હોય તે પહેલા લે પછી તેનાથી ઉતરતા દ્રવ્ય લેવા) અશનાદિ દ્રવ્યોનું કરેલું દાન સર્વ સિદ્ધિદાયક બને છે. અવસરે આપેલું ઘણાં ફળવાળું બને છે. કાળે આપેલ પદાર્થનું મોલ કરી શકાય તેમ નથી. અકાલે આપેલા તેનું (ભોજનનું) સાધુઓ ગ્રહણ કરે છતાં તેવું ફળ મળતું નથી.(૨૬૯) કહ્યું છે કે - પત્તાણું - સુપાત્રાણમ્ - વેચવું ખરીદવું વિગેરે આરંભ ક્રિયાથી નિવૃત્ત થયેલ તેમજ બીજા પાસે આરંભ નહિં કરાવનાર ધર્મમાં પરોવેલા મનવાળાને ધર્માર્થી ગૃહસ્થે દાન આપવું જોઈએ. ધમ્મસદ્ધા – વિશિષ્ટ ભાવ ઉલ્લાસથી ‘અસણાઈણ' – કહ્યું છે શ્રાવકોએ અશન - ખાદિમ - સ્વાદિમં - પાન, યતિજનને હિતકારી એવા વસ્ત્ર – પાત્ર કાંબલી ઓઘો, વસતિ, પાટ ચારિત્રના વૃદ્ધિકારી અન્ય દ્રવ્યો પ્રીતિથી સાધુને વહોરાવવા, આવા ગુણવાળી વસ્તુ વહોરાવનારા ધન્ય છે. કહ્યું છે પ્રાયઃ શુભ મન વચન કાયાના ઉપયોગ સાથે “કરવું કરાવવું અનુમોદવું” ત્રણરૂપે Page #162 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ ૧૫૧ શુદ્ધ, બેંતાલીસ દોષથી રહિત પ્રાસુક= નિર્જીવ અને સાધુને જે વસ્તુ કલ્પ્ય હોય તેમજ સ્વયં - જાત માટે લાવેલું પાની વિ. વસ્તુઓથી અવસરે ઘેર પધારેલાં સાધુજનોને શ્રદ્ધાથી ધન્ય પુરુષો સન્માન કરે. દાન સર્વ પ્રયોજન ને સિદ્ધ કરનાર છે. કહ્યું છે કે - તરસ્યાને પાણી, ભૂખ્યાને ભોજન, માર્ગમાં રથ, થાક લાગતા શય્યા, પાણીમાં નાવડી, રોગમાં અસરકારક દવા, વિદેશમાં મિત્ર, તાપમાં છાયા, ઠંડીમાં અગ્નિ, ભયમાં રક્ષણ, અંધકારમાં પ્રકાશ તેની જેમ સામે આવી પડતા ભયવાળા આ ભવ (સંસાર)માં રખડતા પ્રાણીઓને દાન ચિંતામણી સમાન છે. દાનભૂતને વશ કરે છે, સૌભાગ્યને પ્રગટાવે છે. વિઘ્નોનો નાશ કરે છે. યશ ફેલાવે છે. સ્વર્ગ - મોક્ષને આપે. બીજું પણ મનમાં જે જે છે તે બધુ દાન આપે છે. ત્રિભુવનમાં દાન સમાન કોઈ ચિંતામણિ મણિ નથી. આદિ શબ્દથી સૂચન કરાયેલી વસ્તુઓ ગ્રન્થકાર પોતે જ જણાવે છે. असणं खाइमं पाणं साइमं भेसहोसहं । वत्थं पडिग्गहं चेव रओहरण कंबलं ॥८३॥ અશન, ખાદિમ, પાન, સ્વાદિમ દવા વસ્ત્ર પાત્ર ઓઘો અને કાંબલી. કહ્યું છે કે - અશન, ભાત, સાથવો, મગ, જગારી, ખાજા, ખીર, સૂણ, ખાખરા, વિ. અશન કહેવાય છે. ભૂંજેલા ચણા ગઉવિ., ગોળથી સંસ્કૃતદાંતણ વિ., ખજૂર નાલિયેર દ્રાક્ષ વિ., કાકડી, કેરી, પનસ વિ. અનેક જાતના ખાદિમ છે. રાબ, જવ વિ. નું ધોવણ, અનેક જાતની મદિરા વિ., સર્વજાતનું પાણી, કાકડી વિ.ના રસથી મિશ્રિત પાણી આ બધું પાનમાં આવે છે. દાંતણ, અનેક જાતના નાગરવેલના પાન, સોપારી, ઇલાયચી વિ. તંબોલ, તુલસી સુરસા (તુલસીના પાન આવે છે.) અજમો, જેઠીમધ, પિપર, સુંઠ વિ. સ્વાદિમ છે. ભેષજ - અનેક દ્રવ્યથી તૈયાર થયેલ, નારંગીનો અર્ક વિ., અથવા કોઈપણ જાતનું પથ્ય, ઓસડ એક જ દ્રવ્યથી તૈયાર થયેલ. पीढगं फलगं चेव सेज्जा संथारगं तहा । धम्मोवगरणं णाणा णाणाईण पसाहणं ॥८४॥ આસન, પાટ, શરીર પ્રમાણ તે શય્યા અને અઢી હાથ પ્રમાણ સંથારો જે ઉનનો હોય છે, તેવા પ્રકારના બીજા પણ ધર્મનાં ઉપકરણ તેમજ જ્ઞાનાદિના સાધન હોય તે સાધુને આપવા જોઈએ II૭૯-૮૪ (આમ ૬ ગાથાનો અર્થ થયો.) હવે દાન દેનારને આલોકને પરલોક સંબંધી જે ફળ મળે છે તેના વિષેના દ્રષ્ટાંતો ગાથાવડે કહે છે. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ असणाइणं दाणेणं इहई भोगसंपया । इट्ठा दिट्ठा य दिट्ठता मूलदेवाइणो बहू ॥ ८५ ॥ परलोगम्मि सत्थाहो धणो गामस्स चिंतओ । सेयंसो चंदणा दोणो संगमो कयउन्नओ ॥८६॥ મૂળશુદ્ધિ ભાગ-૧ અશનાદિનું દાન આપવાથી આલોકમાં ઈષ્ટભોગ સંપદા પ્રાપ્ત થાય, તેનાં વિષે મૂળદેવ વિ. ઘણાં દાખલા મળે છે. પરલોક સંબંધમાં ધનાસાર્થવાહ (આદિજિનનો જીવ) નયસાર (ગ્રામચિંતક) શ્રેયાંસકુમાર, ચંદના આ બંનેને પરલોક રૂપે મુક્તિપદની પ્રાપ્તિ થઈ. દ્રોણ નામનો નોક૨, સંગમક (શાલિભદ્રનો જીવ) કૃતપુણ્ય ઈત્યાદિ દાખલાઓ છે. ભાવાર્થ કથાઓથી જાણવો. ત્યાં પહેલાં મૂળદેવની વાર્તા કહે છે. મૂળદેવ કથાનક પાટલિપુત્ર નામે નગર છે. જાણે કે જે મનોહરતાનો સંકેત સૂચવે છે, લક્ષ્મીનું જાણે કુલઘર છે. સર્વકુશલ આચાર (રિવાજ)નું મંદિર, વિવિધ વિલાસનું રહેઠાણ, સજ્જન પુરુષો રૂપી રત્નોની ખાણ, ધર્મનુંઘર, સઘળી વિદ્યાની ઉત્પાદ ભૂમિ છે. ત્યાં સર્વકલામાં કુશલ, વિજ્ઞાન, રૂપ લાવણ્ય, વર્ણ અને યૌવનવાળો, દક્ષ, વિનીત, સરલ, ત્યાગી, કૃતજ્ઞ, ગુણાનુરાગી, પંડિત, વિદગ્ધ, પ્રિયવાદી, શોભાવાળો સૌભાગ્યશાળી, દીન દુ:ખીઓ ઉ૫૨ વાત્સલ્યવાળો, જુગારનો વ્યસની, ચોરીમાં આસક્ત, મહાધૂર્ત, સાહસિક મૂળદેવ નામે ચતુર રાજકુમાર છે. કહ્યું છે.. મનોહર કલાઓથી સુંદર, સોળે કલાએ ખીલેલા ચંદ્રસમો મૂળદેવ ત્યાં વસે છે. જે વિદ્વાનોની વચ્ચે મહાવિદ્વાન, ધર્મીઓને વિષે ધર્મમાં રત રહેનાર, રૂપવાનો મધ્યે કામદેવ, શ્રમણો મધ્યે શ્રમણ, માયાવીયો મધ્યે માયાવી, ચોરોની વચ્ચે મહાચોર, જુગારીઓ મધ્યે મોટો જુગારી, સરલસ્વભાવી માણસો પાસે સરલ, દીનકૃપણ ઉપર કૃપાવાળો, ધુતારાઓની વચ્ચે મોટો ધુતારો, સાહસિકો મધ્યે મહાસાહસિક, જેમ દ્રવ્યોના આધારે દર્પણના રૂપ બદલાય છે એ પ્રમાણે જેવાની જોડે મળે તેવો મૂળદેવ બની જાય છે. અનેક કુતુહલોથી લોકને આશ્ચર્યમાં નાંખતો જુગારમાં મસ્ત બનીને મરજી મુજબ ત્યાં હરેફરે છે. જુગારનો વ્યસની હોવાથી બાપે ખખડાવ્યો, તેથી નગરથી નીકળી ગયો. ત્યાંથી તે શ્રેષ્ઠ ઉજ્જૈની નગરીમાં ગયો. જે નગરીમાં કલંક માત્ર ચંદ્રમાં છે. ચંચલતા માત્ર રતિના ઝઘડામાં છે. કરનું ગ્રહણ વિવાહમાં જ છે એટલે ત્યાં કોઈ જાતનું પ્રજા ઉ૫૨ (ટેક્સ) કરવેરો નથી. માણસ માત્ર સ્વપ્નમાં જ ઠગાય છે. વિભમ્ર માત્ર કામી સ્રીઓમાં જ છે. વિગ્રહ, નિપાત અને ઉપસર્ગનું દર્શન માત્ર શબ્દ શાસ્ત્રોમાં જ થાય છે. જેમાં પોતાના બાહુબલથી સર્વ અભિમાની શત્રુ રાજાઓને જેણે દબાવી દીધા છે. અને જેનો દશે દિશામાં પ્રકાશ ફેલાયેલો છે. તેમજ અર્થીજનોની આશાપૂરવામાં કલ્પવૃક્ષ સમાન Page #164 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ મૂળદેવ કથા ૧૫૩ જિતશત્રુ નામે રાજા છે. નગરીમાં રાજકુમાર મૂળદેવ ગુટિકા પ્રયોગથી વામન રૂપ કરી વિચિત્ર કથાથી, ગાંધર્વકલાથી અને વિવિધ પ્રયોગથી નગરજનોને વિસ્મય પમાડે છે. અને તેથી તે ચારે બાજુ પ્રખ્યાત થઈ ગયો છે. આ બાજુ તે નગરમાં રૂપ લાવણ્ય અને વિજ્ઞાનના ગર્વવાળી દેવદત્તા નામે પ્રધાન વેશ્યા છે. ચોસઠ કલામાં કુશલ, ચોસઠ વિલાસીના ગુણવાળી, બત્રીસ પ્રકારના પુરુષના ઉપચારમાં અત્યંત કુશલ, ઓગણત્રીસ અતિશયમાં રમનારી, શ્રેષ્ઠ ચતુરાઇથી યુક્ત, એકવીસ રતિ ગુણધારી, અઢાર દેશની ભાષા જાણનારી, એ પ્રમાણે સર્વશાસ્ત્રમાં સારી રીતે બરાબર તૈયાર થયેલી વેશ્યા એવી હોંશીયાર છે કે તેણીને સામાન્ય પુરુષતો ખુશ ન કરી શકે. તેથી કૌતુકથી મૂળદેવે દેવદત્તાને ક્ષોભ પમાડવા સારુ પરોઢીએ નજીકમાં રહેલાએ મધુર ઘણાં ભંગવાળું ફરતા ફરતા કંઠે (ક્યારેક સ્ત્રીના અવાજે, ક્યારેક પુરુષના અવાજે, શ્રેષ્ઠ ગાયકના કંઠની તુલના કરતો) અસમાન વર્ણના સંવેધથી મનોહર ગાંધર્વ ગીત વારંવાર ગાવાનું શરૂ કર્યું. તે સાંભળી દેવદત્તાએ વિચાર્યું અહો! આ તો કેવો અપૂર્વ અવાજ છે, તેથી આ કોઈ દેવ હોવો જોઇએ. આ મનુષ્ય ન હોઈ શકે. દાસીઓ પાસે તપાસ કરાવી, તપાસ કરી દાસીએ કહ્યું કે સ્વામિની ! આ તો વસંતઋતુના ઉત્સવનું અનુસરણ કરનાર, સર્વ વિજ્ઞાનનો ભંડાર નગરજનોના મનને હરનાર, કોઈ બહારથી આવેલો ગાવાના બહાને માણસોને વશ કરે છે. ત્યારે દેવદત્તાએ માધવી નામની કુબડીદાસીને મોકલી અને તેણીએ જઈને વિનય પૂર્વક કહ્યું કે હે મહાસત્ત્વશાળી ! અમારી શેઠાણી દેવદત્તા વિનવે છે કે આપ મહેરબાની કરી અમારા ઘરે પધારો. તેણે પણ (વિદગ્ધતાથી) હોંશીયારીથી કહ્યું કે મારે વેશ્યાસંગની જરૂર નથી, તેમજ વિશિષ્ટ પુરુષો માટે વેશ્યાસંગનો નિષેધ કરાયેલો છે. કહ્યું છે કે, વિચિત્ર જાર પુરુષોના ઓષ્ઠના અગ્રભાગથી ખરડાયેલી, માંસ મદિરામાં રત, સાવ હલકી, વચનમાં કોમલ અને મનમાં દુષ્ટ ભાવવાળી એવી વેશ્યાને વિશિષ્ટ પુરુષો સેવતા નથી.(૨૭૯) - અગ્નિશિખાની જેમ તાપ ઉપજાવનારી, મદિરાની જેમ ચિત્તને મોહ પમાડનારી, છુરીની જેમ દેહને કાપનારી અસલિકા-લોઢાની જેમ વેશ્યા ગઈ લાયક છે અહો ! ગણિકા અન્યને સંકેત આપે છે, બીજાને જુએ છે, તેના ઘરમાં બીજો કોઈ, ચિત્તમાં બીજો અને પાસે બીજો કોઈ માણસ બેઠો હોય છે. સ્વાર્થ પૂરો થાય ત્યાં સુધી મીઠા કર્મો કરે છે. સાર નીકળી ગયા પછી નિર્લક્ષ (દુષ્ટ માણસ) અળતાને છોડી દે છે, તેમ તગેડી મૂકે છે. (૨૮૨) એથી મને ત્યાં જવાની ઈચ્છા નથી. તે (દાસી) પણ અનેક પ્રકારનાં વચનની ચતુરાઈથી ચિત્તને આકર્ષી આગ્રહથી હાથ ઝાળીને ઘેર લઈ ગઈ. રસ્તામાં જતા કલા કૌશલ્ય અને ક્રિયા) વિદ્યા પ્રયોગથી ઝાટકો મારીને કુબડી દાસીને સીધી કરી દીધી. તેથી તે વિસ્મયમાં પડી, તેની જોડે તે મૂળદેવ વેશ્યા ભુવનમાં પ્રવેશ્યો. વામન Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ મૂળદેવ કથા મૂળશુદ્ધિ ભાગ-૧ રૂપવાળો છતાં અદ્ભુત લાવણ્યવાળો તેને દેખી દેવદત્તા વિસ્મય પામી અને આસન અપાવ્યું. તે બેઠો અને તંબોલ આપ્યું માધવીએ પોતાનું રૂપ દેખાડી રસ્તાની વાત કહી, તેથી દેવદત્તા ઘણી વિસ્મય પામી. તેની જોડે વાતની શરૂઆત કરી. મૂળદેવે મધુર વિદગ્ધ ઉક્તિઓથી તેણીનું હૃદય આકર્ષી લીધું. કહ્યું છે કે – નમવામાં કુશલ, મશ્કરી કરવામાં ચતુર, મીઠી સુંદરવાણીની આદતવાળો/ લીલાવાળો એવો હોંશીયાર પુરુષોનો આલાપ પણ કામણ છે, એથી બીજાને વશ કરવા જડીબુટ્ટી વિ. મૂળીયાની તેમને જરૂર નથી. (૨૮૩) એ અરસામાં ત્યાં એક વીણાવાદક આવ્યો. તેણે વીણા વગાડી ખુશ થઈ દેવદત્તાએ કહ્યું કે વીણાવાદક ! સરસ સરસ તારી કલા સુંદર છે. ત્યારે મૂળદેવ બોલ્યો વાહ ! ઉજૈનીના માણસો બહુ હોંશીયાર છે કે જેઓને સારા નરસાના ભેદની ખબર પડે છે. દેવદત્તાએ કહ્યું એમાં શું ખામી છે ? તેણે કહ્યું વાંસ જ અશુદ્ધ છે અને તંત્રી ગર્ભવાળી છે. અને તેને કહ્યું કેવી રીતે જાણ્યું? તેણે કહ્યું હું જાણું છું તેણે વીણા આપી. તંબુરો લઈ વાંસમાંથી પત્થર અને તારોમાંથી વાળ કાઢ્યો. અને બરાબર કરી જાતે વગાડવાનું શરૂ કર્યું. પરિવાર સાથે દેવદત્તાનું મન પરાધીન વશ કરી દીધું. હંમેશ માટે રમત સ્વભાવવાળી, બાજુમાં રહેનારી, લટકતા કાનવાળી, હાથિણી પણ ધૂણવા લાગી, ઘણીજ આશ્ચર્ય પામેલી દેવદત્તા અને વીણાવાદક કહેવા લાગ્યો. આ તો ગુપ્તવેશી બ્રહ્મા જ લાગે છે. તેના પગમાં પડી તે વિનવવા લાગ્યો સ્વામી ! હું તમારી પાસે વિણા કલા શીખીશ. મૂળદેવે કહ્યું મને બરાબર આ કલા આવડતી નથી. આનો પાર પામેલા પુરુષો આને બરોબર જાણે છે. દેવદત્તાએ કહ્યું કે કોણ છે ? તમે તેણે ક્યાં દીઠા ? મૂળદેવે કહ્યું પાટલીપુત્રમાં વિમસેન નામે કલાચાર્ય છે. તેમનાં પડખા સેવનાર હું મૂળદેવ છું. એ અરસામાં વિશ્વભૂતિ નામે નાટ્યાચાર્ય આવ્યો. દેવદત્તાએ કહ્યું આખુ ભરત નાટક આને મોટું છે. આ મોટો સૂત્રધાર છે. મૂળદેવે કહ્યું વાત સાચી છે. આની આકૃતિ જ વિજ્ઞાનના અતિશયોને કહી બતાવે છે. ભરત નાટક સંબંધી વિચાર ચાલુ કર્યો ત્યારે વામન રૂપ દેખી મૂળદેવનો વિશ્વભૂતિ તિરસ્કાર કરવા લાગ્યો. મૂળદેવે વિચાર્યું આ તો પંડિતાઈનો ગર્વ રાખે છે. તેથી આને શિક્ષા કરું. ત્યારે ફરી પૂછ્યું. “ફલાણા ફલાણાનો અવિરોધ કેવી રીતે ઘટે?” તેણે જેમ તેમ કાંઈક જવાબ આપી દીધો, ત્યારે મૂળદેવે કહ્યું આવા જ્ઞાનનું તું અભિમાન કરે છે? ત્યારે પેલો વિશ્વભૂતિ ચૂપ થઈ ગયો. દેવદત્તાએ મૂળદેવને કહ્યું કે મહાભાગ્યશાળી ! તારા વડે સુંદર કહેવાયું, પરંતુ આ આ પ્રમાણે જ છે. પણ આનો બીજો કોઈ પરિહારનો ઉપાય જ નથી. મૂળદેવે કહ્યું પરિહાર કોણ કરે છે ? આવો પ્રશ્ન હોય તો ફલાણું આ પ્રમાણે અને ફલાણું આ પ્રમાણે હોય છે. બસ બીજી વાત જ ક્યાં છે. તેથી ખુશ થયેલી દેવદત્તા આ પ્રમાણે વિચારવા લાગી. શું આ Page #166 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ મૂળદેવ કથા ૧૫૫ પ્રચ્છન્ન રૂપમાં ભરત તો નથી આવ્યો ને ? તેથી મારા મનોરથો આના વિશે અવશ્ય પૂરા થશે. અન્ય પણ સંદિગ્ધસ્થાનો પૂછ્યા. તે સર્વ સંશયો દૂર કર્યા. લજ્જા પામેલો વિશ્વભૂતિ ‘મારે નાટકનો સમય થઈ ગયો છે' એમ કહી તે ઉઠી ગયો. દેવદત્તાએ દાસીને કહ્યું હલા ! અંગમર્દકને બોલાવ, જેથી અમે બંને સ્નાન કરીએ. મૂળદેવે કહ્યું જો આજ્ઞા આપો તો હું જ તમારા અંગનું મર્દન કરી આપું. શું તમે આ પણ જાણો છો. ? જાણતો નથી પણ તેનાં જાણકાર માણસો પાસે હું ૨હેલો છુ. ત્યારે શતપાક, સહસ્રપાક વિ. તેલો આણ્યા. તેણે મર્દન કરવાનું શરું કર્યું. અપૂર્વ હાથ ફેરવવાની કલાથી દેવદત્તાનું મન જિતી લીધું. તેણીએ વિચાર્યું અહો ! કેવું જોરદાર એનું વિજ્ઞાન છે. અરે ! કેવો હાથનો સ્પર્શ છે ! તેથી આ કોઈક ગુપ્તવેશે સિદ્ધપુરુષ હોવો જોઈએ. કેમ કે આવા વામનરૂપવાળાને આવી સુંદર કલા ન હોય. તેથી આનું સ્વરૂપ ખુલ્લું કરાવું તે માટે તે તેના પગમાં પડી અને કહ્યું હે મહાનુભાવ ! અસમાન ગુણોથી તમે ઉત્તમપુરુષ જણાઓ છો. અને તમે વાત્સલ્ય અને દાક્ષિણ્યવાળા છો. તેથી તમારા આત્મસ્વરૂપને દેખાડો ? મારું હૃદય તમા૨ા દર્શન માટે ઘણું ઉત્કંઠિત બન્યું છે. વારંવાર આગ્રહ કરવાથી સ્મિત રેળાવી વેશપરિવર્તન કરનારી ગુટિકા કાઢી મૂળદેવ મૂળરૂપે પ્રગટ થયો. જે સૂર્ય જેવા તેજવાળો, કામદેવની જેમ સ્ત્રીજનોનાં મનને હરવાવાળો, ચંદ્રની જેમ માણસોના મનને આનંદ આપનાર, બુદ્ધની જેમ શાસ્ત્રોક્ત અંગવાળો, અનુપમ રૂપ લાવણ્ય અને યૌવનવાળો છે. તેને જોઈ હર્ષાવેશે તેની રોમરાજી ખીલી ઉઠી. અને તેનાં પગમાં પડી. હે સ્વામી ! આપે મહાકૃપા કરી ! ત્યારપછી જાતે જ મૂળદેવનું અંગમર્દન કર્યું. મોટી વિભૂતિથી બંને જણાએ સ્નાન કર્યું. દેવદૂષ્ય (રેશ્મી) વસ્ત્રો ધારણ કર્યા, થોડું થોડું જમ્યા અને અપૂર્વ નાટક ગાંધર્વ વિગેરે દેવદત્તાને શિખવાડ્યું. ત્યારે ફરી દેવદત્તા બોલી હે મહાભાગ ! તમને છોડી બીજા પુરુષમાં મારું મન લાગતું નથી. તેથી આ સત્ય છે. આંખો દ્વારા કોણ નથી દેખાતું ? કોની સાથે વાર્તાલાપ નથી થતો. પણ રહસ્યભૂમિમાં આનંદ અંકુરો ઉગાડે તે મનુષ્ય વિરલા જ હોય. .(૧૩) તેથી મારા આગ્રહથી તમારે અહીં રોજ આવવાનું. મૂળદેવે કહ્યું ગુણાનુરાગી ! વિદેશી નિર્ધન શિરોમણી એવાં અમારા ઉપર રાગ કરવો શોભતો નથી. અને સ્નેહ સ્થિર રહેતો નથી. પ્રાયઃ કરીને સર્વને પણ કાર્યની અપેક્ષાએ જ સ્નેહ હોય છે. કહ્યું છે કે - ફળ નાશ પામી જતાં વૃક્ષને પંખીઓ છોડી દે છે. સુકા તળાવને સારસો, કરમાયેલા પુષ્પને ભમરાઓ, દાઝેલા વનભાગને મૃગલાઓ છોડી દે છે. નિર્ધન પુરુષને વેશ્યા, ભ્રષ્ટ રાજાને સેવકો ત્યજી દે છે. સર્વજન કાર્યવશથી એક બીજા પ્રત્યે પ્રેમભાવ દર્શાવે છે. કોણ કોનું છે? કોણ કોને પ્યારો છે ? દેવદત્તાએ મૂળદેવને કહ્યું સત્પુરુષો માટે સ્વદેશ કે પરદેશ કારણ નથી કહ્યું છે – ‘આ દેશ આપણો અને તે પરાયો' એવું તો કાપુરુષને લાગે છે. હે પ્રિય ! જ્યાં વાણિજ્યની Page #167 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ સિદ્ધિ થાય, જ્યાં ધનવાન લોકોનો વાસ હોય, ત્યાં ન્યાયથી અર્થોપાર્જન કરો ॥૨૮૫૫ ગુણીજન જ્યાં પણ હોય ત્યાં મસ્તક વડે વહન થાય છે, અર્થાત્ પૂજાય છે. સમુદ્રથી છૂટો પડેલો ચંદ્ર શંકરના મસ્તકે નિવાસ કરાવાય (કરે) છે ॥૨૮૬) સુવચનનું મૂલ્ય હજા૨ છે. સ્નેહપૂર્ણ દ્રષ્ટિનું મૂલ્ય લાખ છે. પરંતુ સજ્જન મનુષ્યના સદ્ભાવનું મૂલ્ય કરોડથી પણ ચઢી જાય છે. II૨૮૭ા તેથી સર્વ પ્રકારે મારી પ્રાર્થના સ્વીકારો, તેને હા પાડી, તેમનો અત્યંત સ્નેહ સંબંધ થયો. વિશિષ્ટ વિનોદ કરતા રહે છે. ત્યારે નૃત્ય (નાટક)નો સમય થતાં દેવદત્તાને બોલાવવા સારુ રાજપ્રતિહારી આવ્યો. ગુપ્તવેશધારી મૂળદેવ સાથે રાજસભામાં ગઈ. નાચવાનું શરૂ કર્યું. અને મૂળદેવ ઢોલક વગાડવા લાગ્યો. સામંતો સાથે રાજા અને પાટલિપુત્ર નગરનાં રાજાએ મોકલેલો રાજદરબારી વિમલસિંહ પણ ખુશ થઈ ગયો. ખુશ થયેલાં રાજાએ તેને વરદાન આપ્યું, અને થાપણ કર્યું. ફરીથી તેણીએ મૂળદેવ સાથે મનોહર ગીત ગાયું. તેને અનુસારે બીજીવાર નૃત્ય કરાયું. દ્રુપદી છંદવિશેષમાં રચાયેલા કાવ્યાંશ (વાળું ગીત અને તેને અનુસાર નૃત્ય કરવામાં આવ્યું) અત્યંત ખુશ થયેલા રાજાએ શરીર ઉપર રહેલું આભૂષણ આપી દીધું. વિમલસિંહે કહ્યું પાટલીપુત્રમાં મૂળદેવનો પણ આવો વિજ્ઞાન પ્રભાવ કલાતિશય છે. અને બીજો આણીનો છે, ત્રીજો કોઈ એવો નથી. તેથી મારા મતથી આણીને મૂળદેવ પછીનો કલામાં નંબર આપો અને નર્તકીપદ આપો. રાજાએ આપ્યું ત્યારે દેવદત્તાએ પગે પડીને રાજાને કહ્યું આપની મોટી મહેરબાની પણ ક્રમ આવો છે કે પ્રથમ લાભ ઉપાધ્યાયનો હોય છે અને આ મારો ઉપાધ્યાય છે. હવે શું કરવું ? તે આપના હાથમાં છે. રાજાએ (મૂળદેવને ઉદ્દેશીને) કહ્યું હે મહાનુભાવ ! આની આ વાત માનો. મૂળદેવે કહ્યું જેવી આપની આજ્ઞા દેવદત્તા બોલી - આપની મોટી મહેરબાની થઈ. ૧૫૬ આપનો ખુબ ખુબ આભાર. એ અરસામાં મૂળદેવે વીણા વગાડી. જેનાથી (મૂળદેવે) રંગમંચ ઉપર રહેલાં સર્વજનોનું મન આકર્ષી લીધું. વિમલસિંહે કહ્યું આ ગુપ્તવેશે મૂળદેવ જ હોવો જોઇએ. બીજાને એવું કલા વિજ્ઞાન નથી. તેનો કોઈ અન્ય ઉપાધ્યાય નથી. રાજ આદેશથી આખી ધરતી ભમ્યો, પણ એમાં તેવુ રત્ન મેં જોયું નથી. તેથી તમે ધન્ય છો. તમારી પાસે આવા કલારત્ન છે. ત્યાર પછી રાજાએ મૂળદેવને કહ્યું. “હે મહાનુભાવ ! અમને મોટુ કૌતુક હોવાથી તમે મારા અનુરોધથી તમે આત્મ સ્વરૂપને પ્રગટ કરો.” ત્યારે હાસ્ય પૂર્વક ગુટિકા કાઢી, મૂળદેવને જોઈ વિમલસિંહ તરતજ ભેટી પડ્યો. અને મૂળદેવ રાજાને પગે પડ્યો. રાજાએ તેનું સન્માન કર્યું. તેનાં ઉપર અત્યંત અનુરાગી બનેલી દેવદત્તા તેની સાથે વિષયસુખ અનુભવતી રહે છે. મૂળદેવને બધા વ્યસનો કરતા જુગારનું એવું ભારે વ્યસન હતુ કે ક્ષણમાત્ર પણ તેનાં વગર રહી શકતો નથી. તેથી દેવદત્તાએ કહ્યું હે પ્રિયતમ ! ચંદ્રને જેમ હરણનું કલંક છે. તેમ સર્વ ગુણભંડાર એવા તમારે દ્યુતવ્યસન કલંક રૂપ છે. કારણ કે અનેક દોષોનું કારણ છે. કહ્યું છે.→ Page #168 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ મૂળદેવ કથા ૧૫૭ વિદ્વાનોએ જુગારને ધન નાશ કરનાર, નિંદ્ય, કુલશીલને દૂષિત કરનાર, સર્વ પાપોનું જન્મસ્થાન, લોકમાં હલકો બનાવનાર, દુમનનું મૂળકારણ, અવિશ્વાસ ઉપજાવનાર અને પાપમાં પ્રવર્તાવનાર કહેલો છે. એટલે કે પાપ વિના જુગાર ન ખેલાય. કુલને કલંક, સત્યનો પ્રતિપક્ષ = ઝુઠ, વડીલોની લજ્જાનો નાશ શૌચનો ત્યાગ = ચોરી, વડીલોને શરમાવનાર, પવિત્રતાને હરનાર (અરે ! તમારો છોકરો જુગાર રમે એથી મા-બાપને નીચું મોં ઘાલવું પડે.) ધર્મમાં અત્તરાય, અર્થનો નાશ, પુત્ર પત્ની-પિતા, માતા, માસા વગેરે સ્વજનો પ્રતિ પ્રીતિદાન અને પરસ્પર પ્રીતિભોજનનો અભાવ થાય, દેવ ગુરુ અને કાર્ય અકાર્યના વિવેક સમજાય નહીં, શરીરને સંતાપ થાય અને જેનાથી કુગતિ થાય તે ઘુતમાં હે પ્રિય ! મા રાંચ ! ૨૯OMા તેથી સર્વ પ્રકારે આ છોડી દે. અતિરસના કારણે તે છોડી શકતો નથી. આ બાજુ આજ નગરીમાં કામદેવ સરખા રૂપવાળો, પોતાના કુલનો દીવડો, બાંધવ રૂપી કુમુદના વિકાસ કરવામાં ચંદ્ર સમાન, પ્રજાજનોને વિષે કલ્પવૃક્ષ સમાન, નિર્મલ યશથી દિશાઓને ધોળી કરનાર ઋદ્ધિથી કુબેર સરખો અચલ નામે સાર્થવાહ છે. તે તો મૂળદેવની પહેલાં જ તેમાં રાગી હતી અને સતત દ્રવ્ય આપી તેની જોડે ભોગ ભોગવે છે. અને તેણે મૂળદેવ ઉપર થોડો દ્વેષ હોવાથી તેની ભૂલ દેખવા પ્રયત્ન કરે છે. અને અચલની શંકાથી દેવદત્તાના ઘેર મૂળદેવ જતો નથી. અવસર મળતા તેની માતાએ દેવદત્તાને કહ્યું હે પુત્રી ! આ મૂળદેવને છોડ. આ નિર્ધનનું આપણે કોઈ પ્રયોજન નથી. તે મહાનુભાવ દાની અચલ વારંવાર ઘણું ધન મોકલે છે. તેથી તેને સર્વ સ્નેહથી અંગીકાર કર. એક મ્યાનમાં બે તલવાર રહી ના શકે. તેથી આ જુગારીને-જુગટીઆને છોડી દે. તે બોલી હે મા ! હું એકાંતે ધનમાં અનુરાગી નથી. પણ ગુણોમાં મને અનુરાગ છે. માતાએ કહ્યું તે જુગારીમાં વળી ગુણો કેવા? અરે મા ! આ તો સંપૂર્ણ ગુણીયલ જ છે. કારણ કે તે સકલ કલામાં પારંગત છે. શરણાર્થી ઉપર વાત્સલ્ય ઝરાવનાર, પ્રિય બોલનારો,ધીર ઉદારમનવાળો, ગુણરાગી વિશેષજ્ઞ છે, એથી હું આને નહિ છોડું. તેથી માતા દ્રષ્ટાન્તથી દેવદત્તાને સમજાવવાની કોશીશ કરે છે. અળતો માંગીએ છતે સાર કાઢીને સૂકાયેલ-વાસી અલતો આપે, શેલડી માંગતા તેનાં છોતરા આપે. પુષ્પો માંગતા ફૂલો ચૂંટી કૂળ ફૂલ તો એક બાજુ કરી (તોડી) નીચેના જે ડીંટ હોય તેનાથી ગુંથેલી માલા આપે છે, એમ દેખી જ્યારે વેશ્યા પૂછે છે ત્યારે (તેની માટે કહે છે જેવું આ અરસ-વિરસ છે, તેવો તારો પ્રિયતમ છે. છતા પણ તું આને છોડતી નથી. માટે આ કિંવદત્તિ સાચી છે કે ... અપાત્રમાં નારી રમે છે. પહાડ ઉપર વાદળા વર્ષે છે. લક્ષ્મી નીચનો આશ્રય કરે છે. પ્રાજ્ઞ પુરુષ પ્રાયઃ કરીને નિર્ધન હોય છે. દેવદત્તાએ કહ્યું પારખ્યા વિના અપાત્ર કેવી રીતે જાણી શકાય. માતાએ કહ્યું તો પારખુ કરો. હર્ષ પામેલી દેવદત્તાએ કહ્યું તો અચલને કહો દેવદત્તાને શેલડીની ઇચ્છા છે, માટે મોકલાવો. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ મૂળશુદ્ધિ ભાગ-૧ માતાએ એવું કહેવાથી અચલ તો ઉપકાર માનતો તેણે શેલડીના ગાડા મોકલ્યા. હરખાઈને માતા કહેવા લાગી. હે બેટી ! જો અચલની કેટલી દાનશક્તિ છે. ત્યારે દેવદત્તાએ વિષાદ સાથે કહ્યું શું હું હાથીણી છું? કે જેથી મૂળિયા અને ડાળવાળી ગાંઠોવાળી શેલડીના ઢગલા કર્યા છે. તેથી હવે મૂળદેવને કહો ત્યારે મૂળદેવે પણ પદ્મયુક્ત = પર્વ-ગાંઠોવાળો અગ્રભાગ સાથેનો વિંધ્યાચલની શેલડીના સાંઠાને છોળી બે આંગલ જેટલા કટકા કર્યા. તેઓને દાળ ચીની, તમાલપત્ર, ઇલાયચી અને નાગરકેસરથી સંસ્કાર્યા અને કપૂરથી વાસિત કર્યા. અને શૂલાથી થોડા છેદ્યા, અને નવા જ શકોરામાં ભરીને મોકલ્યા. તે દેખી હર્ષથી માતાને કહ્યું હે મા ! પુરુષોનું અંતર જો. તેથી આ ગુણોમાં આસક્ત છું. માતાએ વિચાર્યું. આ એમાં ઘણીજ રાગી હોવાથી જાતે આને છોડશે નહિં. તેથી આવો કોઈ ઉપાય કરું કે કામુક (મૂળદેવ) પરદેશ જતો રહે. તો બધું જ કાળે પડી જાય. એવો વિચાર કરી માતાએ અચલને કહ્યું કે તું દેવદત્તાને કહે કે હું બીજા ગામ જાઉં છું અને પછી મૂળદેવ તેના ઘેર જતો રહે ત્યારે મનુષ્યની ઉંચી સામગ્રી લઈ તું આવજે. અને તે મૂળદેવનું અપમાન કરજે. અને અપમાન થવાથી તે દેશ છોડી દેશે. તેથી તું તૈયાર થઈ ગુપ્ત રહેજે હું તને સમાચાર આપી દઈશ. તેણે પણ હા પાડી. બીજા દિવસે હું આજે બહારગામ જવાનો છું' એમ કહી ઘણું ધન આપી અચલ નીકળી ગયો. દેવદત્તાએ પણ મૂળદેવને બોલાવ્યો. અને માતાએ અચલને જણાવ્યું અને વિપુલ સામગ્રી સાથે આવ્યો. દેવદત્તાએ તેને આવતો દેખતા મૂળદેવને કહ્યું હે નાથ ! અત્યારે એવો સમય છે કે માતાએ અચલે મોકલેલું ધન ગ્રહણ કર્યું છે. તેથી તમો મુહૂર્ત માત્ર પલંગ નીચે રહો. હું એટલામાં એને ચલતી પકડાવું (જતો કરું) તેણે તેમ કર્યું. માતાએ પણ અચલને જણાવી દીધું. તે અચલ પલંગ ઉપર બેઠો. અને દેવદત્તાને કહ્યું સ્નાન સામગ્રી તૈયાર કર. હાં કહી સામગ્રી તૈયાર કરાવી અને દેવદત્તાએ કહ્યું પોતડી પહેરો જેથી માલીશ કરીએ ત્યારે અચલે કહ્યું મેં આજે સ્વપ્ન દેખ્યું છે કે પોતાની સ્ત્રીએ મારા શરીરનું મર્દન કર્યું અને આજ પલંગ ઉપર રહ્યો છતો મેં સ્નાન કર્યું તેથી આ સ્વપ્નને સાચુ પાડુ. દેવદત્તાએ કહ્યું આમ કરવાથી મહામૂલ્યવાળી આ પથારી (ઓશીક) તકીયો વિ. ખરાબ થઈ જશે. તેણે કહ્યું આના કરતા બમણા સારા હું આપીશ. અક્કાએ પણ સાખ પૂરાવી, હાહા આમ થવા દો. તેથી ત્યાં રહ્યા જ અંગમર્દન અને વિલેપન કર્યું. અને ગરમ પાણીથી સ્નાન કર્યું. તેનાથી નીચે રહેલો મૂળદેવ ઉના અને તલના ચૂર્ણવાળા પાણીથી ભરાઈ ગયો. હથિયાર ધારી પુરુષો આવ્યા અને માતાના ઈશારાથી અચલે મૂળદેવને વાળથી પકડ્યો અને કહ્યું તારે કોઈ શરણ હોય તો બતાવ. તીણ તલવારધારી પુરુષોથી પોતાને ઘેરેલો જોઈ મૂળદેવે વિચાર્યું કે અત્યારે હથિયાર વિનાનો હોવાથી પુરુષાર્થ દ્વારા બચી શકાશે નહિ. અને તેઓની વૈર શુદ્ધિ કરી લેવી જોઈએ. એમ વિચારીને કહ્યું તમને જે ગમે તે કરો. અચલે પણ આવા ઉત્તમ પુરૂષોનો નાશ કરવાથી શું મળવાનું ? ઉત્તમપુરુષને પણ વિષમદશાના કારણે દુઃખો પડવા દુર્લભ નથી. Page #170 -------------------------------------------------------------------------- ________________ મૂળદેવ કથા ૧૫૯ મૂળશુદ્ધિ ભાગ-૧ કહ્યું છે કે સકલ જગતના મસ્તકે રહેલા દેવ અસુર વિદ્યાધરથી ગવાયેલા પ્રતાપવાળો સૂર્ય પણ ભાગ્યવશે રાહુ ગ્રહ કલ્લોલનો કોળીયો બને છે. (સૂર્યગ્રહણ થાય છે.) - સાગર, સરિતા, સરોવર ભરાય છે ને ખાલી થાય છે. ધની, ધનવાન, સૂર્ય, દિવસો, અને દેવોની પણ એક સરખી દશા હોતી નથી. અહીં હંમેશ માટે કોણ સુખી ? લક્ષ્મી કોની થઈ છે ? સ્નેહ સંબંધો કોના સ્થિર રહ્યા છે ? કોની ભૂલ નથી થતી ? તુંજ બોલ ભાગ્ય કોને હેરાન પરેશાન નથી કરતું ? અર્થાત્ કરે છે, એમ વિચારી તેણે મૂળદેવને કહ્યું તું આવી અવસ્થામાં આવ્યો છતાં અત્યારે તને છોડી મુકુ છું. તેથી મારી જો આવી અવસ્થા આવે ત્યારે છોડી દેજે. ત્યારે દુભાયેલા મને વિચારવા લાગ્યો. હતતેરી જો ! આને મને કેવો છેતર્યો. અને વિચારતો વિચારતો નગર બહાર ગયો. સરોવરે ન્હાયો. પેટ પૂજા કરી, તેથી પરદેશ જાઉં અને આનું ખોટુ કરવાનો ઉપાય કરું.” એમ વિચારી બેન્નાતટ ભણી ચાલ્યો. ગામ, નગર વિગેરેમાંથી જતા જતા બાર યોજન લાંબુ વન આવ્યું. જો કોઈ માત્ર વાત કરવાવાળો મળી જાય તો અનાયાસે વન પારપામી જવાય. એમ વિચા૨ ક૨તો બેઠો છે. ત્યારે ભાથાની પોટલી સાથે એક બ્રાહ્મણ ત્યાં આવ્યો. તેણે પૂછયું ઓ ! ભટ્ટજી તમે કેટલા દૂર જવાના છો. બ્રાહ્મણે કહ્યું વનને પેલે પાર વીરનિધાન નામે સ્થાન છે ત્યાં જવાનુ છે. ઓ ભાઇ ! આપણે બંને સાથે જઈએ. ત્યાર પછી બંને નીકળ્યા. મધ્યાહ્ન સમયે જતાં-ચાલતા એવા તેઓએ તળાવ જોયું, હાથ-પગ ધોઈ તળાવની પાળી ઉપર રહેલા ઝાડની છાયામાં બેઠા. બ્રાહ્મણે પણ ભાથાની પોટલી છોડી વાટકામાં ચણા કાઢ્યા. પાણીથી ભીના કરી ખાવા લાગ્યો. મૂળદેવ વિચારવા લાગ્યો. બ્રાહ્મણ તો આવા ભૂખડી બારશ (ભૂખ્યા ડાંસ) જેવા હોય તેથી પોતે ખાધા પછી મને આપશે. ભટ્ટ તો ખાઈને પોટલી બાંધી રવાના થયો. મને ઢળતા પહોરે આપશે... એમ વિચારી તેની પાછળ ચાલ્યો. ત્યારે પણ તે એકલો જ જમ્યો. પણ મૂળદેવને આપ્યુ નહિં. કાલે આપશે, એવી આશાએ ચાલે છે. રાત પડી ત્યારે એક બાજુ બંને સુઈ ગયા. સવારે પાછા ચાલવા લાગ્યા. બપોરે જ્યારે થાક્યા પણ બ્રાહ્મણ તો એકલોજ ખાવા લાગ્યો. ત્રીજા દિવસે મૂળદેવે વિચાર્યુ કે હવે તો જંગલ લગભગ પુરું થવા આવ્યુ છે. તેથી આજે તો મને જરૂર આપશે. પણ તેને આપ્યુ નહિં. જંગલ પાર થઈ ગયું. તેથી બંનેના માર્ગ જુદા પડી ગયા. બ્રાહ્મણે કહ્યું આ વાટ તમારી છે, અને આ મારી. આના પ્રભાવે હૈં જંગલ ઉતર્યો એમ વિચારી મૂળદેવે કહ્યું કે ભટ્ટ ! મારું નામ મૂળદેવ છે. તારા પ્રભાવે હૈં વન પાર પામ્યો છું. તેથી મારાથી કોઈ કામ સ૨ી શકાતુ હોય તો બેન્નાતટ આવજો. ભાઈ ! તમારુ નામ શું છે ? ભટ્ટે કહ્યું સદ્ધડ નામ છે. લોકોએ નિષ્ઠશર્મા પ્રસિદ્ધ કર્યુ છે. મૂળદેવે કહ્યું મારું કામ પડે તો બેન્નાતટ આવજો. એમ કહી તે બેન્નાતટ ભણી ચાલ્યો. અને ભટ્ટ પોતાના ગામ ભણી ચાલ્યો. મૂળદેવે વચ્ચે વસતિવાળું સ્થાન દેખ્યુ. અને ભિક્ષા માટે ગામમાં પ્રવેશ કર્યો. આખા ગામમાં ભમ્યો. ત્યારે હલકા અડદ મલ્યા. બીજું કાંઈ ભોજન મળ્યું નહિં. જલાશય તરફ ચાલ્યો. Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦. મૂળશુદ્ધિ ભાગ-૧ એ અરસામાં તપથી સુકાયેલા દેહવાળા મા ખમણના પારણા માટે ગામમાં આવતા - મહાતપસ્વીને જોયા. તેમને જોઈ હર્ષ રોમ ખડા થઈ ગયા. એમ વિચારવા લાગ્યો. અહો ! હું ધન્ય છું. હું કૃતાર્થ બન્યો કે જેથી આવા દેશ કાલમાં આ મહાત્મા નિરખવા મળ્યા. તેથી ચોક્કસ મારે કલ્યાણ માર્ગ ખુલ્લો થશે. એમને વહોરાવાથી સઘળા દુઃખો ખપી જશે. આ મહાપાત્ર છે. કારણ કે – દર્શનજ્ઞાનથી શુદ્ધ, પંચમહાવ્રતને પાલનારા, ધીર, ક્ષમા, નમ્રતા, સરલતા તથા નિસ્પૃહતાવાળા, સ્વાધ્યાય, ધ્યાન, તપ, યોગમાં મસ્ત રહેનારા, શુદ્ધ વેશ્યાવાળા, પાંચ સમિતિ અને ત્રણ ગુણિને ધારનારા, ઉપકરણ સિવાય કોઈ પણ વસ્તુની માલિકી વિનાના, ગૃહસંગથી દૂર રહેનારા એવા પાત્ર રૂપી શુભ ખેતરમાં વાવેલુ, વિશુદ્ધ શ્રદ્ધારૂપી પાણીથી સિંચાયેલું દ્રવ્યરૂપી ધાન્ય આલોક અને પરલોકમાં અનંત ફળ આપનારું બને છે. છે તેથી કાલોચિત આજ અડદ તેમને આપુ કારણ કે આ ગામ દાન આપનારું નથી. અને આ મહાત્મા તો બે ચાર ઘેર જઈ પાછા ફરી જશે, જયારે હું તો બે ત્રણવાર ફરીફરીને મેળવી લઈશ. અને બીજા ગામ પણ નજીક છે. તેથી આ સર્વ એમને આપી દઉં. પ્રણામ કરી અડદ મુનિ ભગવંતને આપ્યા. સાધુએ પણ તેના પરિણામની વૃદ્ધિ અને દ્રવ્યાદિની શુદ્ધિ જાણી હે ધર્મશીલ! થોડુ આપજે. એમ કહી પાત્ર ધર્યું. તેણે પણ વધતા ભાવે સર્વ આપી એમ બોલ્યો - “ધન્ય પુરુષોનાં અડદો સાધુનાં પારણા માટે થાય છે.” એ અરસામાં આકાશમાં રહેલી ઋષીની ભક્તિ અને મૂળદેવની ભક્તિથી ખુશ થયેલી દેવીએ કહ્યું કે પુત્ર મૂળદેવ ! તે સારું કર્યું ! તેથી આ ગાથાના ઉતરાર્ધથી જે તને ગમે તે માંગ ! હું તને સર્વ આપીશ. ત્યારે મૂળદેવે કહ્યું જો આ પ્રમાણે છે “તો દેવદત્તા વેશ્યા, હજાર હાથી અને રાજ્ય આપો.” (૨૦) દેવતાએ કહ્યું તું નિશ્ચિત રહે. આ ઋષિના ચારિત્રના પ્રભાવે ટુંકા ગાળામાં જ તને સર્વ મળી જશે. મૂળદેવે કહ્યું હે ભગવતી હા આમ જ થશે ! તે દેવી ઋષિને વાંદી પાછી ફરી. સાધુ પણ ઉદ્યાનમાં ગયા. મૂળદેવને પણ બીજી ભિક્ષા મળી ગઈ. જમીને બેન્નાતટ ચાલ્યો. અનુક્રમે ત્યાં પહોંચ્યો. - રાત્રે મુસાફરખાનામાં સુઈ ગયો. છેલ્લા પહોરે સ્વપ્ન દેખ્યું કે નિર્મલ પ્રભાવથી જીવલોકને પ્રકાશિત કરનારો પૂર્ણચંદ્ર મોઢા દ્વારા પેટમાં પ્રવેશ્યો. એક ભિક્ષુકે પણ એજ સ્વપ્ન જોયું અને તેણે ભીખ માંગનારા ભિક્ષુઓને કહ્યું, ત્યારે એક જણાએ કહ્યું તે સારું સ્વપ્ન જોયું છે. જેથી તું ઘી ગોળથી ભરેલો પુડલો મેળવીશ તેણે પણ કહ્યું આ પ્રમાણે છે. આ લોકો સ્વપ્નના પરમાર્થને જાણતા નથી. એથી મૂળદેવે કહ્યું નહિ. કાપેટિકે - ભગવા વસ્ત્ર ધારી ભિક્ષુએ ઘરરૂપે તણાયેલા તંબુમાંથી તેવોજ પુડલો મેળવ્યો. અને તે તુષ્ટ થયો. ભિક્ષુઓને કહ્યું. Page #172 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ મૂળદેવ કથા ૧૬ ૧ મૂળદેવ પણ સવારે એક બાગમાં ગયો. ફૂલો એકઠા કરવામાં મદદ કરીને માળીને ખુશ કરી દીધો. તેણે પણ ફળફૂલ આપ્યા. તેને લઈ પવિત્ર થઈ. સ્વપ્ન પાઠકના ઘેર ગયો, અને પ્રણામ કર્યા. ક્ષેમકુશલ પુછયા સ્વપ્ન પાઠકે પણ બહુમાન પૂર્વક બોલાવ્યો, અને આવવાનું કારણ પુછયું. તેણે પણ હાથ જોડી સ્વપ્નની વાત કરી. ઉપાધ્યાયજીએ હર્ષથી કહ્યું કે શુભ મુહૂર્તમાં સ્વપ્ન ફળ કહીશ. આજે તો અમારા મહેમાન બનો. મૂળદેવે હા કહી ત્યાર પછી સ્નાન કરી ભોજનના અંતે ઉપાધ્યાયે કહ્યું હે પુત્ર ! મારી આ પુત્રીને વર પ્રાપ્ત થઈ ગયો છે. તેથી મારા ઉપરોધથી આને પરણો. હે તાત ! અજ્ઞાત કુલશીલવાળાને આપ જમાઈ કેવી રીતે બનાવો છો. નહિ કહેવા છતા આચારથી કુલ જણાઈ આવે છે. કહ્યું છે કે – આચાર કુલને, ભાષા દેશને, સંભ્રમ સ્નેહને, શરીર ભોજનને જણાવે છે. તથા – પદ્મમાં સુગંધ, શેલડીમાં મીઠાશ, શ્રેષ્ઠ હાથમાં લીલા, કુલવાન પુરુષોમાં વિનય કોણ કરે છે ? અર્થાત્ સહજ જ હોય છે. અથવા - જો ગુણો હોય તો પછી કુલની શી જરૂર ? ગુણીજનોને કુલનું કાંઈ કામ નથી. ગુણ રહિતને અકલંક કુલજ મોટુ કલંક છે. (જુઓ આવા ખાનદાનમાં જનમ્યો તોય આવો પાક્યો). તેથી કુલ તેને વધારે કલંક (દોષ) આપનારું બને છે. એમ અનેક ઉક્તિઓથી મનાવી પરણાવ્યો. તમે સાત દિવસમાં રાજા થશો” એ સ્વપ્નફળ કહ્યું. એ સાંભળી ખુશ થઈ ત્યાં રહેવા લાગ્યો. પાંચમાં દિવસે શહેર બહાર ચંપકના ઝાડની છાયામાં સુતો, આ બાજુ તેજ દિવસે અપુત્રીયો રાજા મરણ પામ્યો. નવા રાજાને નિમણૂક કરવા માટે ઘોડા, હાથી, છત્ર, ચામર, કળશ અધિવાસિત આ પાંચ દિવ્યો નગરમાં ફેરવ્યા. પણ કોઈ રાજાને યોગ્ય દેખાયો નહિ. તેથી નગર બહાર નીકળી મૂળદેવ સુતો હતો ત્યાં આવ્યા ત્યારે ઘોડાએ હષારવ કર્યો. હાથીએ ગર્જના કરી. કળશે અભિષેક કર્યો. ચામર વીંઝાવા લાગ્યા. છત્ર ઉપર સ્થિર થઈ ગયું. ત્યારે લોકોએ જય જય શબ્દ કર્યો. નાચ કરનારી જાતિ નાચવા લાગી. સૌભાગ્યવતી સ્ત્રીઓ મંગલ ગીત ગાવા લાગી. નંદી વાજિંત્ર વાગવા લાગ્યા. હાથીએ જાતે જ પોતાના પીઠ ઉપર ચડાવ્યો. મોટા આડંબરથી નગરમાં પ્રવેશ કરાવ્યો. મંત્રી સામંતોએ રાજ્યાભિષેક કર્યો. આકાશમાં રહેલી દેવીએ કહ્યું ભો ! ભો ! નગરજનો ! આ મહાનુભાવ સકલ કલામાં હોંશીયાર છે. દેવાધિષ્ઠિત શરીરવાળો વિક્રમ નામે રાજા છે. તેથી આની આજ્ઞામાં જે નહિ રહે તેને હું છોડીશ નહિ. તેથી સર્વ સામંત, મંત્રી, પુરોહિત ઇત્યાદિ પરિજન બરાબર આજ્ઞા પાળવા લાગ્યો. તે ઉમદા વિષયસુખ અનુભવતો દિવસો વિતાવે છે. ઉજજૈનીથી રાજા જિતશત્રુ સાથે આપ લેતી શરૂ કરી. તેથી પરસ્પર ગાઢ પ્રીતિ થઈ. આ બાજુ દેવદત્તા મૂળદેવની તેવી વિડંબના દેખી અચલ ઉપર ઘણી જ વિરક્ત થઈ. તેથી અચલને ખખડાવ્યો. ભો ! હું વેશ્યા છું, તારી ઘરવાળી નથી. છતાં પણ મારા ઘેર રહી આવું કામ કરે છે. તેથી આજ પછી મારા કારણે તારે ખીજાવાની જરૂર નથી. અને રાજા પાસે જઈ Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ૨ મૂળશુદ્ધિ ભાગ-૧ પગે પડી વિનંતી કરી હે રાજનું! તે વરદાન પુરું કરવાની કૃપા કરો. - રાજાએ કહ્યું તેને જે ગમે તે કહે, મારી પાસે મૂળદેવને છોડી બીજો પુરુષ આવવા ન દેવો. અને અચલને મારા ઘેર આવતો અટકાવો. જા તને ગમે તેમજ થશે. પણ વાત શું છે. તે તો કહે ત્યારે માધવીએ સર્વ બીના કહી સંભળાવી. રાજા અચલ ઉપર ક્રોધે ભરાણો. અરે ! મારી નગરીમાં આ બે રત્ન છે. તેઓને આ હેરાન કરે છે. તેથી બોલાવીને ઠપકો આપ્યો. અને કહ્યું રે! શું તું અહીંનો રાજા છે કે જેથી આવી રીતે વર્તે છે? તેથી અત્યારે તું શરણ બતાવ? તારો નાશ કરું છું, ત્યારે દેવદત્તાએ કહ્યું ઓ સ્વામી ! કુતરા જેવા મરી ગયેલા આનાથી શું સરવાનું? જો અત્યારે આ મહાનુભાવ નારીના વચનથી છુટો કરું. પણ શુદ્ધિ તો મૂળદેવને અહીં આણવાથી થશે. ત્યારે પગે પડી રાજકુલથી નીકળ્યો, દરેક દિશામાં શોધવાની શરૂઆત કરી. છતાં ન મળતા તેજ પૂર્ણિમાના દિવસે માલના જહાજ ભરી પારસકુલ ગયો. આ બાજુ મૂળદેવ વિચારવા લાગ્યો. દેવદત્તા - પ્રિયા વગરનું આ રાજય શું કામનું ? જેથી કહ્યું છે – જે કે તે ખાઓ. નગર કે જંગલમાં રહો. જ્યાં ઇષ્ટનો સંયોગ છે તેજ રાજય છે. બીજુ શું કામનું? એટલે બીજુ કશા કામનું નથી. મને દેવદત્તા ઈષ્ટ છે તેથી કૌશલ્યા નગરીમાં દેવદત્તા તથા રાજા ઉપર ટપાલ લખી. રાજાને લખ્યું કે “મને આ દેવદત્તા ઉપર ઘણો જ રાગ છે. તેથી તેણીને ગમતું હોય અને આપને સારું લાગતુ હોય તો કૃપા કરી આપીને મોકલો.” ત્યારે રાજાએ દ્વારપાલને કહ્યું ભો ! શું વિકમરાજાએ આ જ પ્રમાણે લખ્યું છે. શું તેનાં અને આપણામાં ભેદ છે ? કારણ કે આપણું રાજય તેનું પોતાનું જ છે. તો વળી દેવદત્તા કેમ ન હોય? અર્થાત એ પણ તેની જ છે. પણ તે ત્યાં જવાને ઈચ્છે છે ખરી ? ત્યારે તેણીને બોલાવીને પૂછયું કે દેવદત્તા ! પહેલા તેં જણાવ્યુ હતુ કે મૂળદેવ સિવાય બીજો પુરુષ મોકલવો નહિ. દેવપ્રસાદથી રાજા થયેલાં મૂળદેવે તને બોલાવા સારુ આ પુરુષો મોકલ્યા છે. તેથી જો તને ઠીક લાગે તો તેની પાસે જા. તેણીએ કહ્યું આપણો ખુબ ખુબ આભાર-પાડ ! તમારી અનુજ્ઞાથી આ મારી ઇચ્છા છે. ત્યાર પછી મહાવૈભવથી પૂજી સત્કાર કરી આણીને મોકળી. દેવદતા ત્યાં પહોંચી. મૂળદેવે પણ મહાવૈભવથી પ્રવેશ કરાવ્યો. ઉદાર ભોગ ભોગવતા તથા જિનપૂજામાં તત્પર બની સમય વિતાવે છે. આ બાજુ તે અચલ પણ પારસકુલમાં ઘણું ધન કમાઈ ઉંચી કોલેટી (જાતિનો) નો માલ ભરી બેન્નાતટ આવ્યો. બહાર રહ્યો. લોકોને પૂછયું અહીંના રાજાનું શું નામ છે? લોકોએ કહ્યું વિકમરાજા ત્યારે મણિ-મોતી વિદ્યુમ, પ્રવાળાનો થાળ ભરી રાજાને ભેટવા (મળવા) ગયો. રાજાએ આસન આપ્યું. અને બેઠો. અરે ! તે આ અચલ ક્યાંથી ? એ પ્રમાણે ઓળખી લીધો. પણ અચલે તો રાજાને ઓલખ્યો નહિ. Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ મૂળશુદ્ધિ ભાગ-૧ મૂળદેવ કથા રાજાએ પૂછયું, ઓ શેઠ ક્યાંથી આવ્યા? તેણે કહ્યું પારસકુલથી યથોચિત (પ્રતિપત્તી) સેવાથી સન્માન કરાયેલ અચલે કહ્યું હે દેવ ! કોઈક ઉપરીને (ઉંચા હોદાવાળા અધિકારીને) મોકલો. જે માલ તપાસી લે ! રાજાએ કહ્યું જહાજનાં કૌતુકથી હું જાતે જ આવીશ. ત્યારે પંચકુલની સાથે રાજા ત્યાં ગયો. શંખ (એક જાતનું સુગંધી દ્રવ્ય),સોપારી,ચંદન, અગરુ, મજીઠ વિ. માલ જોયો. પંચકુલની સમક્ષ રાજાએ પૂછયુ ઓ શેઠ ! આટલોજ માલ છે ? તેણે કહ્યું આટલો જ છે, રાજાએ કહ્યું ઓ શેઠ બરાબર કહી દો, કારણ કે મારા રાજ્યમાં (ટેક્સની) જકાતની ચોરી કરનારને દેહદંડની સજા થાય છે. અચલે કહ્યું શું રાજા આગળ વળી જુઠું બોલાતુ હશે? રાજાએ કહ્યું એમ છે તો કહેલાનું અડધુદાન કરો. પણ ગુણો મારી સમક્ષ તોલો, પંચકુલે તોલ્યા, ત્યારે ભારથી, પાદ પ્રહારથી, જમીનને ખરોસ (ચીરા) પડવાથી મજીઠ વિ.માં રહેલો સારભૂત માલ જણાઈ આવ્યો. તેથી ગુણો ખોલાવીને જોઈ. ત્યારે બરાબર જોયુ તો કોઈકમાં સોનું, કોઈકમાં ચાંદી,કોઈકમાં મણિ-મોતી, પ્રવાલા વિ. મૂલ્યવાન માલ જોયો. તે જોઈ ક્રોધે ભરાયેલા રાજાએ પોતાનાં પુરુષોને આદેશ કર્યો. ' અરે ! આને બાંધો ! આ પ્રત્યક્ષ ચોર છે.રાજાનાં વચનથી તેઓએ થરથરતા હૃદયવાળા એવા અચલને તુરંત બાંધ્યો. આરક્ષકને સોંપી રાજા વાહન વડે પોતાનાં ભવનમાં ગયો. આરક્ષક તેને રાજા પાસે લઈ આવ્યો. મુશ્કેટાટ બંધાયેલો જોઈ રાજાએ કહ્યું “અરે ! આને જલ્દી છોડો.” તરતજ છોડી મૂક્યો. રાજાએ પૂછયુ તે સાર્થવાહ પુત્ર ! મને ઓળખ્યો ? તેણે કહ્યું કે રાજ! સઘળી ધરતી ઉપર પ્રખ્યાત યશવાળા મહારાજા આપને કોણ ન ઓળખે? રાજાએ કહ્યું ઉપચાર વચનો રહેવા દે. જો જાણતો હોય તો સ્પષ્ટ બોલ. સાચું કહું તો હે રાજન્ ! હું આપને નથી ઓળખતો. ત્યારે રાજાએ દેવદત્તાને બોલાવી, શ્રેષ્ઠ અપ્સરાની જેમ સર્વઅંગે આભરણોથી શોભિત દેવદત્તા આવી. અચલે ઓળખી અને મનમાં ઘણો શરમાયો. તે બોલી ભો ! આ તેજ મૂળદેવ છે તેને તે સમયે તેં કહ્યું હતુ કે ભાગ્યયોગે હું ક્યારેક આપત્તિમાં પડી જાઉં તો આ પ્રમાણે કરજે. તેથી આ તે અવસર છે. એથી આજે દેહાંત દંડ પામેલ તને નમનાર અને દીન માણસ ઉપર વાત્સલ્ય ઝરાવનાર આર્યપુત્ર છોડી મૂકે છે. આ સાંભળી વિલખો થયેલો “આપનો આભાર” કહી રાજા અને દેવદત્તાને પગે પડ્યો. સર્વજનોને શાંતિ આપનાર, સઘળી કલાથી શોભતા નિર્મલ સ્વભાવવાળા, પૂર્ણિમાના ચંદ્ર સરખા દેવની (મૂળદેવની) રાહુ જેવા મેં ત્યારે જે (કદર્થના) હેરાનગતિકરી તે બદલ ક્ષમા કરો. તમારી હેરાનગતિના રોષથી મહારાજા ઉજજૈનીમાં પણ પેસવા નહિ દે, જેના ઉપર દેવદત્તાની કૃપા છે, તેને તો મેં ખમાવી જ દીધા છે. તથા તું તો મારો ઉપકારી છે. કેમકે જીવીત દાનથી બીજું કોઈ ચડિયાતુ દાન નથી.ત્યારે ફરીથી તે (અચલ) બંનેના પગે પડ્યો. દેવદત્તાએ ઘણાં આદરથી સ્નાન કરાવી ભોજન કરાવ્યું. રાજાએ મૂલ્યવાન વસ્ત્ર આભરણો પહેરાવ્યા. ઉજ્જૈની મોકલ્યો અને મૂળદેવરાજાની અરજથી જિતશત્રુ રાજાએ તેનો ગુનો માફ કર્યો. Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ મૂળશુદ્ધિ ભાગ-૧ ( નિધૃણશર્મા પણ “મૂળદેવ રાજા થયો છે” એવું સાંભલી બેન્નાતટ આવ્યો. રાજાએ જોયો તેથી લોક વ્યવહાર, ભય, લજ્જા (શરમ) દાક્ષિણ્ય, ત્યાગ સ્વભાવ આ પાંચ જેમાં નથી તેની સાથે સંબંધ ન જોડવો. એમ વિચારી જે ગામની ભક્તિ જોવાઈ નથી એવું ગામ આપ્યું. આપની મહેરબાની એમ કહી તે ગામ ભણી ગયો. કોઈક વખતે નગર દરરોજ ચોરો વડે ચોરાવા લાગ્યું. આરક્ષકો ચોરનું પગલુ પણ પકડી શકતા નથી. ત્યારે રાજાએ વિચાર્યું. મારું શહેર પણ અનાથની જેમ ચોરતું હોય તો મારો પુરુષાર્થ પાંડિત્ય બુદ્ધિ વિ. નકામી છે. હું તો આ સર્વ કાર્યમાં હોંશીયાર છું, તેથી મારી નગરી લુંટનાર ચોરોની ભારે ધિક્કાઈ કહેવાય. એમ વિચારી નીલ વસ્ત્ર પહેરી ચોરની તપાસ માટે રાત્રે નીકળી પડ્યો. નગરીના શંકાશીલ સર્વ ઠેકાણે ફરી ઘણો જ થાકી ગયેલો શૂન્ય દેવકુલમાં એક ઠેકાણે સુઈ ગયો. એ અરસામાં મંડિક નામનો મોટો ચોર આવ્યો. પગથી આને ઉઠાડ્યો, રે ! તું કોણ છે ? મૂળદેવે કહ્યું હું ભીખારી છું. જો એમ છે તો ચાલ મનુષ્ય કરું (મનુષ્ય સુખ અપાવું) આપની કૃપા ! બંને એક શેઠિયાના ઘેર ગયા. ખાતર પાડીને “મંડિકે ઘણું ધન કાઢ્યું. અને મૂળદેવના માથે ઉપડાવ્યું. માર્ગે ચલાવ્યો અને પોતે હાથમાં તલવાર લઈ તેની પાછળ ચાલ્યો. જીર્ણ બાગમાં ગયા. ભૂગર્ભના દ્વારને ખોલી અંદર પેઠો ત્યાં તેની રૂપાળી જુવાન બહેન રહે છે. ચોરે બહેનને કહ્યું મહેમાનના પગ ધો. તે પણ કુઆના કાંઠે રહેલા સુંદર આસન ઉપર મૂળદેવને બેસાડી પગ ધોવા લાગી. ત્યારે અત્યંત કોમલ ચરણ સ્પર્શ અનુભવતી આ કોઈક શ્રેષ્ઠ પુરુષ હોવો જોઈએ. એ પ્રમાણે વિચારીને તેના સર્વાગ જોયા. તેથી તેનાં ઉપર ઘણો રાગ થવાથી ઇશારો કરી ધીરે ધીરે કહ્યું કે બીજા જે માણસો અહીં આવે છે તેમને પગ ધોવાના બહાને કુઆમાં હું નાંખી દઉં છું. પણ તમને નહિ નાખુ. તેથી મારા ઉપરોધથી જલ્દી અહીંથી ખસી જાઓ. નહિ તો આપણા બંનેનું બગડશે. તેથી અવસર જાણી રાજા જલ્દી નીકળી ગયો. બહેન પણ પોતાની ભૂલના ભયથી રોવા લાગી. અરેરે આ માણસ તો નાઠો ! નાઠો ત્યારે ધન છુપાવવાનું પડતુ મુકી તલવાર લઈ મંડિકે પીછો કર્યો. રાજા પણ ચોરને નજીક આવતો જાણી નગરના ચાર રસ્તે રહેલાં મોટા થાંભલાને બરોબર પુરુષની જેમ વચ્ચે કરી પોતે નાશી ગયો. મંડિક પણ ક્રોધથી ઘેરાયેલાં નયણવાળો હોવાથી “તે પુરુષ છે” એમ જાણી તીક્ષ્ણ તલવારથી થાંભલાના બે ટુકડા કરી ઘેર ભાગી ગયો. ચોર જડી ગયો એથી રાજાને પણ હૃદયમાં શાંતિ થઈ. અને રાજમહેલમાં ગયો. સવારે રાજવાટિકાના બહાને તેને જોવા નીકળ્યો. ઘણાં પટ્ટાઓથી વીંટળાયેલી જંઘાવાળો, થોરની લાકડીવાળો, ધીરે ચાલતો, અર્ધા ખુલેલા મુખવાળો,દરજીની દુકાને સીવવાનું કામ કરતો, મંડિકને રાજાએ દેખ્યો. રાત્રે દવાનાં અજવાળામાં જોયેલો હોવાથી ઓળખી લીધો. ઘેર આવી ફલાણા દરજીને બોલાવા માટે કોટવાલને મોકલ્યો. Page #176 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ દેવધર કથા તેને કહ્યું ચલો રાજા બોલાવે છે.ત્યારે અરે ! રાજા કેમ બોલાવે છે. ખરેખર તે પુરુષ મર્યો નહિ હોય. એવી શંકાવાળો રાજા પાસે ગયો. રાજાએ મૂલ્યવાન આસન આપ્યું. મોટી ભક્તિથી સન્માન કરી કહ્યું કે તમારી બેન અમને આપો. તેણે વિચાર્યું આ તેજ રાજા હોવો જોઇએ એથી કાર્ય પરમાર્થને જાણી બહેન આપી અને પરણાવી. તેને પણ મહંત તરીકે રાખ્યો. ત્યાર પછી રાજાએ તે રાણીના મોઢેથી ચોરેલા બધા આભરણ, વસ્ત્ર કઢાવી લીધા, રાજા હવે કાંઈ બાકી નથી ? તેણીએ કહ્યું હે દેવ ! આટલું જ છે. ત્યારે અનેક રીતે હેરાન કરી તે ચોરને દેહાંત દંડ આપ્યો. એ પ્રમાણે સાધુએ પણ ગુણલાભ થાય ત્યાં સુધી દેહનું પાલન કરવું. તેના અભાવે સંલેખના અનશન વિ.થી નિગ્રહ કરવો જોઈએ. આ પ્રસંગથી કહ્યું. મૂળદેવ પણ ઉદાર રાય લક્ષ્મી અનુભવી છેલ્લે ગૃહસ્થ ધર્મપાળી દેવલોકમાં ગયો. આ પ્રમાણે આલોક સંબંધી સાધુ દાન ફળનું દષ્ટાન્ત પૂર્ણ થયું. ૨૪ “મૂળદેવ કથાનક સમાપ્ત” આદિશબ્દથી દેવધર, દેવદિત્ર, અભિનવ શ્રેષ્ઠી વિ. દાખલાઓ જાણવા. તેમાં દેવધરની કથા આ પ્રમાણે છે. (દેવધર કથાનક છે આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં કલિંગદેશમાં રમ્યતા વિ. ગુણોથી દેવનગરીને ઝાંખી પાડે એવી કાંચનપુરી નામે નગરી છે. ત્યાં ભારે પરાક્રમથી અભિમાની, શત્રુસમૂહનો નાશ કરનાર, સર્વ ભૂમિ ઉપર પ્રેમ રાખનારો રૂપાદિ ગુણોથી ઈંદ્રને ઝાંખો પાડનાર, ભામંડલ નામે રાજા છે. પોતાની છાયાની જેમ હંમેશને માટે અનુસરનારી કીર્તિમતી નામે રાણી છે. આ બાજુ તે નગરમાં ત્યાં મહાજનમાં મુખ્ય સુંદર નામે શેઠ છે. તેને સુંદરી નામે સ્ત્રી છે. તેણીને ઉત્પન્ન થયેલા સંતાનો મરી જ જાય છે. અનેક ઉપાયો કરવા છતાં એક પણ જીવતો નથી. એક વખત માનસિક દુઃખથી પીડાયેલી તે વિચારવા લાગી. મારા જન્મને ધિક્કાર હો, દુઃખ પ્રચુર મારા નિષ્ફળ પ્રસવને પણ ધિક્કાર હો. જે કારણે અપુણ્યશાળી મારે એક પણ સંતાન જીવતો રહેતો નથી. ખરેખર બીજા જન્મમાં મેં કોઈકના રત્નો વિ.હરણ કર્યા હશે. તેથી મારા સંતાનો વિના નિમિત્તે મરી જાય છે. અતિ હર્ષના વશે જે કાંઈ અકાર્ય કર્યા હોય તેઓને આવો દુસ્સહ વિપાક જલ્દી ઉદયમાં આવે છે. એ પ્રમાણે ચિંતાતુર થઈ તે વેળાએ તેણીની પ્રિયસખી દેશાવર ગયેલા સૂરપાલ રાજપુત્રની સ્ત્રી પ્રિયમતી ત્યાં આવી. હે સખી ! તું ઉદાસ કેમ દેખાય છે ? સુંદરીએ કહ્યું પિતા, માતા, ભાઈ બહન, પત્ની પુત્ર વિ. માટે કાંઈક રહસ્ય રખાય છે. પણ બેનપણીથી કાંઈ પણ છુપું રાખવાનું હોતું નથી. તે બેન ! સંતાનનું મરણ મારા મોટા ખેદનું કારણ છે. પ્રિયમતીએ કહ્યું હે સખી ! જન્માંતરમાં જે કર્મ જે રીતે ઉપાર્જન કર્યું હોય તે પ્રમાણે ભોગવવું જ પડે એમાં કોઈ સંદેહ નથી. તું સંતાપ ના કરીશ. મારો પતિ મને ગર્ભવતી મૂકી પરદેશમાં ગયો છે. તેથી Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ મૂળશુદ્ધિ ભાગ-૧ મારે જે સંતાન થશે તે હું તને અવશ્ય આપીશ. જે આમ છે તો મારા ઘેર આવીને રહે. કારણ કે મારે પણ ગર્ભ રહેલો છે. તેથી જો ભાગ્યયોગે એક સાથે આપણે બંને જન્મ આપીએ તો ઘણું સારું થઈ જાય. અને ગુપ્ત વાત કોઈને કહેવી નહિં. તેવુ માની ત્યાં જ આવી ગઈ. કર્મધર્મના યોગે એક સાથે સંતાનોને જન્મ આપ્યો. અને મરેલા તથા જીવતા સંતાનની અદલા બદલી કરી લીધી. કેટલાક દિવસે કોઈક રોગથી પ્રિયમતી મરી ગઈ. સુંદરીએ લોકમાં અનેક પ્રકારનાં મહોત્સવ કર્યા, ઉચિત સમયે પુત્રનું દેવધર નામ રાખ્યું, તે આઠ વર્ષનો થયો. બોત્તેર કલા ભયો. તેટલામાં મા બાપ સ્વર્ગે સીધાવ્યા. તેનો સ્વજન (વર્ગ) ધર્મ લગભગ નાશ પામેલો હતો. તથા ધનવૈભવ બધો ખલાસ થઈ ગયો. સાવ એકલો પડી ગયો. અને દારિદ્રથી ઘેરાયો. આજીવિકા નહિં ચાલતા ધન શેઠના ઘેર નોકરી કરે છે. અને ત્યાં જ જમે છે. કુલવાન અને શ્રાવક હોવાથી દરરોજ દેરાસર જાય છે. ચૈત્યને વાંદે છે. સાધુ-સાધ્વીને વાંદવા ઉપાશ્રયે જાય છે. વખત જતા કોઈક પર્વના દિવસે સંપદા શેઠાણીએ સારું ખાવાનું આપ્યું. તે વખતે સર્વ સંગને છોડેલા અનેક તપ ચારિત્રથી સુકાયેલા શરીરવાળા, અગ્યાર અંગ ભણેલા, જગતમાં દુર્જય એવા કામદેવને જેને જીતી લીધો છે, ત્રણ ગુતિથી ગુપ્ત, પાંચ સમિતિથી સમિત, સત્ત્વવાળા, શત્રુમિત્ર ઉપર સમદષ્ટિવાળા એવા બે સાધુ ત્યાં આવ્યા. . તેમને દેખી દેવધરના રોમકૂપ (બડબડાટ કરતા) ખડા થઈ ગયા. અને વિચારવા લાગ્યો. અહો ! આજે મારી સામગ્રી દુર્લભ થઈ ગઈ. કારણ કે ચિત્ત વિત્ત પાત્ર ત્રણે પુણ્યયોગે મળે છે. “તેથી સાધુને વહોરાવી પોતાના જીવનને સફળ કરે એમ વિચારી મુનિના ચરણે જઈ વિનવવા લાગ્યો. હે ભગવન ! આ સ્વીકારી મારા ઉપર ઉપકાર કરો. વધતા જતા ભાવો જોઈ સાધુએ પાત્ર ધર્યું. હર્ષ વશે તેણે બધુ પાત્રમાં વહોરાવી લીધું. આજે હું કૃતકૃત્ય બની ગયો. એમ ભાવના ભાવી તેજ સ્થાને થાળી આગળ કરીને બેઠો. આ વખતે જમવાના સમયે દેવને વાંદવા અંદર જતાં શેઠે તેને દેખ્યો. શેઠે કહ્યું હે સંપદા! દેવધરને પીરસી દે. તે બોલી મેં આને અમુક અમુક સારૂ પીરસ્યું હતું. એણે બધુ સાધુને આપી દીધું. શેઠે કહ્યું આ ધન્ય છે. જેણે આવું કર્યું છે, તેથી ફરીથી પીરસ. તે બોલી આ બાબતમાં હું કાંઈ જાણું નહિ. શેઠે કહ્યું અનુમોદનાના ઠેકાણે ખેદ ન કરવો. કેમકે અનુમોદના પણ તુલ્ય ફળ આપનારી થાય છે, કહ્યું છે કે આત્મહિતને આચરતો અનુમોદના કરનારો પણ સુગતિને મેળવે છે. જેમ કઠિયારાના દાનની અનુમોદના કરનાર હરણ તથા બળદેવ બધા પાંચમા દેવલોકે ગયા. તેથી આને સારું જમાડ, એમ કહી શેઠ દેરાસરમાં ગયા. શેઠાણીએ પણ બેદરકારીના કારણે કાંઈ પીરસ્યું નહિ. ત્યારે દેવધર પણ અભિમાનમાં આવી ગયો. અને આમ વિચારવા લાગ્યો. અહો ! દારિત્ર્ય ભારે કષ્ટ છે, જેના લીધે જગતમાં પહાડ જેવા સત્પરૂષો પણ તણખલાથી પણ હલકા થઈ જાય છે. દૌર્ગત્યના તાપથી તપેલાં, અન્ય માણસોથી ધિક્કાર અને તિરસ્કારને Page #178 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ દેવધર કથા ૧ ૬ ૭. પામનારા માણસોનું જીવન શું કામનું ? આ જગતમાં પુરુષાર્થ એક એવો છે જેનાથી ઉંચી મહત્તા પ્રાપ્ત થાય છે. જેનાં લીધે ઘણાં દોષવાલા માણસો પણ માન પાન મેળવે છે. સર્વ અપમાનના ગળે પગ મૂકી ત્રણે લોકમાં વંદનીય શાંત પાપવાલા જે સાધુ થયા તેમને ધન્ય છે. (સાધુ માનઅપમાનમાં સમભાવવાળા હોવાથી અને સર્વને પૂજ્ય હોવાથી “અપમાનને મારી નાંખ્યું છે” એમ કહેવાય છે.) હું તો અધન્ય છું કારણ કે દીક્ષા લઈ શકતો નથી જેથી રોજ અપમાનના ભારે દુઃખો સહુ છું. (૧૯) આ પ્રમાણે વિચારતો હતો એટલામાં શેઠ બહાર નીકળ્યા. તેવી જ દશાવાળો તેને દેખી શેઠે કહ્યું કે પુત્ર ! ઉભો થા મારી સાથે જમ. શેઠ સાથે સુંદર ભોજન કર્યું. આ લોકમાં સાધુ દાન પ્રભાવથી મહારાજય લક્ષ્મી જેને ઉપાર્જન કરી છે, વળી જે જિન સાધુ સાધ્વી વંદન સેવામાં રત છે, છતાં પણ અન્ય જન્મના નિકાચિત અશુભ કર્મને અનુભવતા તેનો સમય પસાર થાય છે. * આ બાજુ એજ નગરમાં રત્નસાર નામે શેઠ છે. મહાલક્ષમી નામે તેની ઘરવાળી છે. વિષયસુખ અનુભવતાં મહાલક્ષ્મીને ગર્ભ રહ્યો છ મહીના થયાને શેઠ ગુજરી ગયા. સમય પાકતા મહાલક્ષ્મીએ અપ્સરા કરતા સુંદર રૂપવાળી સર્વ લક્ષણ યુક્ત એવી પુત્રીને જન્મ આપ્યો. ત્યારે અપુત્રિયાનું ધન રાજાનું માટે પુત્રીના નિર્વાહ માટે થોડુ ધન મૂકી બધી ઘરવખરી વિ. સામગ્રી રાજાએ લઈ લીધી. રાજશ્રી નામ પાડ્યું. રાજાએ મૂકી રાખેલા દ્રવ્યથી પુત્રીને ભણાવી. એ અરસામાં પતિ મરણ, ધન વિનાશથી દુઃખી બનેલી મહાલક્ષ્મી મરી ગઈ. લક્ષમી નામની માસીએ રાજશ્રીને પોતાની પાસે રાખી અને પૈસાદારના ઘેર કામ કરી તેનું પાલન કરવા લાગી. પણ તે રાજશ્રી શ્રાવિકા હોવાથી ભાવપૂર્વક દરરોજ ચૈત્ય, સાધુ-સાધ્વીઓને વાંદે છે. દાનધર્મ વિ. ન કરી શકવાથી આત્માને નિંદે છે. હા ! હા! અરેરે આલોક અને પરલોક સંબંધી કાંઈ પણ સાધી ન શકાય એવા બકરીના ગલે રહેલાં સ્તન (થાન) સરખા સાવ નકામાં મારા જન્મને હા ! હા! ધિક્કાર છે. આલોકમાં પુણ્ય વિહુણી મને એક કોળીયો પણ માતાની ભારે તનતોડ મજૂરીથી પ્રાપ્ત થાય છે. જન્માંતરનાં ભારે પાપવાળી દાનશક્તિવિહુણી મારો પરલોક તો નિષ્ફળ જ થશે. પાત્રમાં આપ્યા વિના રોજ ખાનારી મને ધિક્કાર હો. ધનસંપત્તિ ન હોવાથી દેવા માટે હું અશક્ત છું. એક વખત મહેભ્યના ઘેર સેવા કરનારની લાહણીમાં તેની માસીને ચાર લાડુ મળ્યા. રાજશ્રીને કીધુ બેટી બસ આ સિંહકેસરીયા લાડુ તારા માટે લાવી છું. તું જમ ! તે લઈને દ્વારે બેઠી “જો કોઈ અતિથી આવે તો સારું થાય” એમ વિચારવા લાગી. આજે મારી માએ સારું ભોજન આપ્યું છે, તેથી પાત્રમાં આપી આત્માને કૃતાર્થ કરું. એ અરસામાં ગોચરી માટે ભમતી, ગુણોથી યુક્ત દુર્ધર બ્રહ્મવ્રતને ધારણ કરનારી તપસ્યાથી સુકાયેલા દેહવાળી, ઘાસ તથા મણિમોતીમાં સમદ્રષ્ટિવાળી, યુગપ્રમાણ ભૂમિ જોઈને ચાલનારી, ઉત્તમ સાધ્વીજીઓ Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ મૂળશુદ્ધિ ભાગ-૧ ભવિતવ્યતાના યોગે ત્યાં આવી. ત્યારે પોતાના વાંછિત-મનોરથ પૂરા થતાં હોવાથી ખીલેલી રોમરાજીવાળી,સંભ્રમથી ડગમગતી ઉતાવળે ચાલવા તૈયાર થયેલી, આનંદથી આંસુડાની ધારાને વરસાવતાં નયણોવાળી, તે બાળાએ ત્રિકરણ શુદ્ધિ પૂર્વક શુદ્ધ દાન (લાડુ) તેમને વહોરાવ્યું. ત્યારે પાત્ર અને ચિત્તથી (ભાવથી) શુદ્ધ એવા તે દાનથી આલોક સંબંધી વિશિષ્ટ ભોગ ફળ ઉપાર્જન કર્યું “આજે હું ધન્ય બની. પૂર્ણ બની... કારણ કે મારા હાથે આવું સરસ કામ થઈ ગયું. “એ પ્રમાણે સુકૃત અનુમોદનાથી વારંવાર તે કર્મને પુષ્ટ કર્યું” માસીએ પણ “આ ધન્ય છે,” જે નાની છોકરી હોવા છતા આવું દાન કરે છે. એમ માનીને તેણીની પ્રશંસા કરી, છતાં પણ ભરણપોષણ નહિ કરી શકવાના કારણે લક્ષ્મીએ તે કન્યા સુવ્રતા નામની પ્રવર્તિની સાધ્વીજીને સોંપી અને કહ્યું હું ભરણ પોષણ કરવાને સમર્થ નથી, જો તમને યોગ્ય લાગે તો આને ગ્રહણ કરો. પ્રવર્તિનીએ તેનો સ્વીકાર કર્યો. તેને ત્યાંજ મૂકી લક્ષમી પોતાના ઘેર ગઈ. જમવાના સમયે પ્રવર્તિનીએ કહ્યું બેટી ! તું જમી લે, તે બોલી હે ભગવતી ! આવા ભંયકર કોટીના શિયાળામાં ઠંડા પવનથી ધ્રુજતી સાધ્વીઓએ ભારે કષ્ટથી આ ભોજન લાવ્યું છે. તેને ગૃહસ્થપણામાં રહેલી હું કેવી રીતે જમું. - પ્રવર્તિનીએ કહ્યું બેટી ! સારા દિવસે દીક્ષા આપીશું, તેથી તું જમી લે. ત્યારે રાજશ્રી જમી પ્રવર્તિનીએ તેનામાં પાપભીરુતા જોઈને કર્ણપિશાચી વિદ્યાને પૂછયું શું આ યોગ્ય છે કે નહિ? કર્ણપિશાચી વિદ્યાએ કહ્યું હજી આને દીક્ષા ન આપો.પ્રવર્તિનીએ પણ ફરી પૂછીશ, માટે મૌન રહી, એટલામાં ઉનાળો આવ્યો. ત્યારે પ્રચંડ સૂર્યના કિરણોથી તપેલી, પરસેવાથી મેલા શરીરવાળી, ભૂખ તરસથી પીડાયેલી, ગોચરીના ભારથી વ્યાકુલ બનેલી, વહોરીને પાછી ફરેલી એવી સાધ્વીને જોઈ રાજશ્રી કહેવા લાગી. “હે ભગવતી ! આવા કષ્ટથી એઓ ગોચરી લાવે છે.” તે ગૃહસ્થપણામાં હું ખાઉં તેનાથી મને ભારે આશાતના લાગે છે, માટે મને જલ્દી દીક્ષા આપો. પ્રવર્તિનીએ કહ્યું ધીરી થા. વર્ષ માત્રમાં ફાગણ સુદ અગ્યારસે તારા માટે શુભ મુહુર્ત આવે છે. એમ શાંત કરી ફરીથી વિદ્યાને પુછ્યું? વિદ્યાએ કહ્યું હજી પણ આના ભોગફળ બાકી છે. પ્રવર્તિનીએ પણ ચૈત્ય તથા સાધુ સાધ્વીની ભક્તિ કરશે એમ માની વર્ષાકાળ સુધી મૌન રહી, ત્યારે વરસાદ પડ્યો, ત્યારે પણ તેણીના ભોગફળ બાકી છે. વિદ્યાએ કહ્યું પાંચશો પાંચ રાણીઓમાં પટરાણી થશે. પચાસ વર્ષના ભોગાવળી કર્મ બાકી છે. જિનશાસનની ઉન્નતિ કરશે એમ માની પ્રવર્તિની ઉદાસીન ભાવે રહી (આ છોકરીને છોડી દઉં ઇત્યાદિ વિચારણા કર્યા વિના તથા કોઈને જણાવ્યા વિના રાજશ્રીને પોતાની પાસે રાખી) એક દી સાધ્વીને વંદન કરવા આવેલાં દેવધરે રાજશ્રીને જોઈ, તેણે કહ્યું હજી આણીને દીક્ષા કેમ નથી આપતા ? પ્રવર્તિનીએ કહ્યું આ અયોગ્ય છે. આમ છે તો પછી અવિરતિનું પોષણ કેમ કરો છો ? શાસનની ઉન્નતિ કરનારી થવાની છે, માટે, તેણે કહ્યું કેવી રીતે ? વધારે કહેવાય એમ નથી. જયાં સુધી તમે નહિ કહો ત્યાં સુધી હું ભોજન નહિ કરું” એમ આગ્રહ કરતાં યથાવસ્થિત વાત કરી, ત્યારે દેવધરે વિચાર્યું A છે. Page #180 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ દેવધર કથા ૧૬૯ “કર્મ પરિણતિ કેવી વિચિત્ર છે, કે જેથી આ વાણિયાની છોકરી પણ રાજલક્ષ્મીને પ્રાપ્ત કરશે. અને ભોગવીને દુર્ગતિમાં જશે. તેથી આણીને પરણી લઉં જેથી આ રાજલક્ષ્મીને અને દુર્ગતિને પામે નહિ” એમ વિચારી તેને પ્રવર્તિનીને કહ્યું હે ભગવતી ! હું આણીને પરણું? ત્યારે પ્રવર્તિની બે કાન બંધ કરીને બોલી કે શ્રાવક ! અજ્ઞાનીને જેમ પૂછે છે. આ બાબતમાં અમારે કશું ન કહેવાય. અનુપયોગ બદલ દેવધરે “ મિચ્છામિ દુક્કડમ્” આપ્યો. ત્યાર પછી લક્ષ્મી પાસે ગયો. અને વિનયપૂર્વક કહ્યું કે માતા ! મને રાજશ્રી આપો. લક્ષ્મીએ કહ્યું મેં તો સાધ્વીજીને સોંપી દીધી છે. દેવધરે કહ્યું પણ સાધ્વીઓ તેણીને દીક્ષા આપશે નહિ. તેણે (લક્ષ્મીએ) કહ્યું તમે કેવી રીતે જાણ્યું ? તેણે (દવધરે) કહ્યું તેઓએ (સાધ્વીએ) જ કહ્યું છે, લક્ષમીએ કહ્યું જો એમ છે તો હું તે સાધ્વીઓને પૂછી જોઉં, તેણે કહ્યું ભલે તે પ્રમાણે થાઓ, અન્યથા ઉંધુ ન ભડાવતા લક્ષમીએ પ્રવર્તિનીને પૂછયું શું સત્ય છે. રાજશ્રીને દીક્ષા નહિ આપો પ્રવર્તિનીએ કહ્યું સત્ય છે, લક્ષ્મીએ પણ સાધ્વી પાસે જઈ ખાત્રી કરી ત્યારે લક્ષ્મીએ દરિદ્ર હોવા છતા ગુણવાળો શ્રાવક તથા આ શ્રમણ્યપુત્ર છે. અને બીજો કોઈ મહદ્ધિક નોકરાણીનો હાથ ગ્રહણ કરશે નહિ. એમ વિચારી દેવધરને રાજશ્રી આપી, કર્મ-ધર્મ યોગે તેજ ફાગણ સુદ અગ્યારસે લગ્ન લેવાયા. વિવાહ સંબંધી મંગલ કાર્યો કરતી વખતે રાજશ્રી એ પ્રમાણે ભાવના ભાવવા લાગી. સંયમ લેવાના દઢ નિશ્ચયવાળી, એવી ભાગ્ય વિહુણીએ મારે જો અંતરાય કર્મ ન હોત તો આજે સ્વજન અને શ્રાવકજન મને દીક્ષાનો વેશ આપતા હોત. સંવિગ્નો પ્રશંસા કરતા હોત, એમ ભાવના ભાવવા લાગી. વળી લગ્ન દિવસે પીઠી ચોલતી વખતે વિચારવા લાગી આજ મારે અત્યારે દીક્ષા અભિષેકનો મહોત્સવ ચાલી રહ્યો છે. સ્વજનો સાથે સર્વ આભરણોથી સજેલી વાજતે ગાજતે અત્યારે દેરાસર ઝઈ રહી છું. માતાના ઘેર બેઠેલી વિચારે છે કે ત્રણ પ્રદક્ષિણા દઈને હવે હું ગુરુ સાથે ભક્તિથી ચૈત્યવંદન કરી રહી છું. ચતુર્વિધ સંઘસમક્ષ મને અત્યારે ગુરવડે રજોહરણ વગેરે ચારિત્ર વેશ અર્પણ કરાઈ રહ્યો છે, હવે લોચ કરાઈ રહ્યો છે. હસ્તમેળાપ વખતે વિચારે છે તેજીવ હા ! આ તે સમય છે જ્યારે તું ગુરુજનની પાછળ પાછળ બોલી સામાયિકને ગ્રહણ કરી રહી છે. ફેરા ફરતી વખતે સમવસરણમાં પ્રદક્ષિણા આપતા સમસ્ત સંઘ વાસક્ષેપ નાંખી રહ્યો છે. એમ વિચારે છે ત્યાર પછી સર્વજનો વંદન કરી રહ્યા છે. અને પછી ગુરુ મહારાજ હિતશિક્ષા આપી રહ્યા છે. અને પોતે સંવેગપૂર્વક સાંભળી રહી છે. હા ! જીવ ! લક્ષણ વગરનો ! સર્વવિરતિ વિધાનને લેવા લલચાયેલા તને રાક્ષસ જેવા બલવાન અંતરાય કર્મે કેવી રીતે ઉપદ્રવ કર્યો ? એમ ભાવના ભાવતી રીવાજ પ્રમાણે પરણી. વિનંતી કરતા શેઠે આશ્રય સ્થાન તરીકે પોતાના વંડાના એક ભાગમાં રહેલી ઝૂંપડી આપી. પતિમાં અનુંરત રાજશ્રીને દેવધર ત્યાં લાવ્યો. રાજશ્રી સાથે વિષયસુખ અનુભવતો રહે છે, ત્યારે શેઠને સુઝયુ કે આ મહાનુભાવ દેવધર મારો સાધર્મિક મહાસત્ત્વશાળી, ઉદાર ચિત્તવાળો અને ઘણાં ગુણોવાળો છે. તેથી આની પાસે Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ મૂળશુદ્ધિ ભાગ-૧ કાંઈક વેપાર કરાવું. આનું વિજ્ઞાન જઉં “જો યોગ્ય હોય તો યથાયોગ્ય કરીશ” એમ વિચારી શેઠે કહ્યું.... શેઠે કહ્યું કે બેટા ! મારી પાસે પૈસા લઈ પત્ર શાકાદિનો વ્યાપાર કર. તેણે તેમ કર્યું. તેનાથી ખાવા પીવાનો ખર્ચ વિ. જાતે કાઢવા લાગ્યો. એટલામાં વરસાદના દહાડા નજીક આવ્યા. તેથી પત્નીએ કહ્યું ક્યાંથી પણ તમે ઇંટો લાવો તેથી આ નબળા પડેલ વરંડાનું સમારકામ કરી નાંખુ ! જેથી વર્ષાકાળે સુતેલા આપણાં ઉપર ન પડે. તેણે તે પ્રમાણે કર્યું. નબળી ઇંટોને બહાર કાઢતા પાંચસો સોનામહોરો બહાર નીકળી. રાજશ્રીને દેખાડ્યા વિના સોનામહોર પાછળ મૂકી દીધી. અને કૃતકૃત્ય થયેલા તેણે દુકાને જઈ સો દ્રમો વેચી રાજશ્રી માટે વસ્ત્ર અલંકાર કરાવ્યા. તે બોલી આ ક્યાંથી કર્યું? સજ્જન (શેઠ) પાસેથી સો દ્રમો માંગીને આ વસ્ત્રાભરણો કરાવ્યા છે. જો આમ હોય તો મારે આની જરૂર નથી. તેણે કહ્યું તું ડરીશ મા. એ શેઠ તો મહાધનવાન અને મારા ઉપર ઘણાં હેતવાળો છે. વળી તેને તો આટલાની કાંઈ ગણતરી જ નથી. રાજશ્રીએ પહેર્યા તે પણ વ્યાપાર કરતા થોડા દિવસમાં હજાર સોનામહોરનો સ્વામી બન્યો. એકવાર દેવધરને રાજશ્રીએ કહ્યું કે શ્રાવકને ચૌમાસામાં માટી ન ખણાય તેથી તમે કાંઈક ખણવાનું સાધન લાવો જેનાથી હું માટી એકઠી કરી લઉં. શેઠના ઘેરથી કોદાળી લાવી આપી. રાજશ્રી બોલી મારાથી માટી ખણી શકાય એમ નથી. દેવધરે કહ્યું સંધ્યાટાણે માણસોની અવર જવર ઓછી થશે, ત્યારે હું ખોદીશ, તું તગારું અને માટીનો કોથલો પકડજે હું પણ કોથલો ભરીને આવીશ, નહિ તો ખુલ્લી માટી લાવતા આપણને શરમ લાગશે. રાજશ્રીએ તે પ્રમાણે કર્યું, દેવધરે કોદાળીનો ઘા કરીને ભેખડ પાડ્યું, ત્યાં તો દસ લાખ સોનામહોરના મૂલ્યવાળો રત્નાદિથી ભરેલો ચરુ (મોટો ભંડાર) નીકળ્યો. દેવધરે કહ્યું પ્રિયે ! ચાલો આપણે અહીંથી જલ્દી નીકળી જઈએ. શા માટે? એ પ્રમાણે તેણે પૂછ્યું ત્યારે દેવધરે કહ્યું આ જો આપણો કાલ પાક્યો લાગે છે. રાજશ્રી બોલી આ તો કાલ નથી પણ તમારા પુણ્યપ્રભાવે લક્ષ્મી આવી છે. તારી વાત સાચી પણ રાજા જાણશે તો ભારે અનર્થ થશે. ત્યારે “મારી આ શંકા કરે છે એમ વિચારી રાજશ્રી બોલી મારી પાસેથી આ ધન કે વાત પ્રગટ નહિ થાય, તેથી તું વિના સંકોચે ભાગ્યયોગે સામે આવેલ ધનને કોઈ ન દેખે ત્યાં સુધીમાં ગ્રહણ કરી લો. ત્યારે તેને કોદાળીથી સીલ તોડી રત્નાદિને કોથળામાં ઠાળવ્યા. (સોનામહોરનાં ચરુને) ભાજનને પણ તગારામાં મૂકી ઉપર માટી નાંખી દીધી, ઘેર આવી એક ભાગમાં દાટી દીધું. એકવાર રાજશ્રીએ દેવધરને કહ્યું (બન્ને જણાએ વિચાર્યું) આ ધન તો પત્થર સમાન છે કારણ કે - જિનમૂર્તિ, જિનાલય, જિનપૂજા, જિનેશ્વરના પ્રક્ષાલ કે યાત્રામાં જે ધન ઉપયોગમાં આવતું નથી તે ધન હે પ્રિયતમ ! પત્થર સમાન છે. જે ધન સાધુ-સાધ્વીને અન્ન-પાન-પાત્ર-સંથારા -આસન-વસતિ-દવા વિ. માટે અપાતું નથી તે પણ કાંકરા સમાન છે. (૪૨) જે ધન સાધર્મિકોના ભોજન, તંબોલ, આસન,વસ વિ. માટે વપરાતું નથી, તે ધન છે પ્રિય ! ઢેફા સમાન છે, જે ધન પોતાના શરીર માટે, મિત્રો માટે, દીન-અનાથ માટે ઉપયોગી Page #182 -------------------------------------------------------------------------- ________________ ૭૧ મૂળશુદ્ધિ ભાગ-૧ દેવધર કથા થતું નથી. તે ધૂળ સમાન છે. તેથી મૂચ્છથી સંગ્રહી રાખવાથી શું ફાયદો ? તેણે પણ કહ્યું આ પરિસ્થિતિમાં ક્યો ઉપાય છે ? રાજશ્રીએ કહ્યું શેઠપુત્રી કમલશ્રીને પરણો. જેથી સર્વ કામ થઈ જશે. તેને કહ્યું મારે તને મૂકીને અન્યની જરૂર નથી. રાજશ્રી બોલી હે નાથ ! ગુણ દોષની વિચારણામાં જે ઘણાં ગુણવાળુ હોય તે કરવું જ જોઈએ.જો તારો આવો આગ્રહ હોય તો કહો, તે ક્યા ઉપાયથી મેળવવી ? રાજશ્રી બોલી તમારે તો તે પરિચિત જ છે. માટે ફળ વિ. થી ખુશ કરો. હું પણ વિભૂષાથી રાજી કરીશ જેથી કહ્યુ છે કે – અન્નપાનથી છોકરીને, વિભૂષાથી યુવતિને, વેશ્યાને ઉપચારથી વૃદ્ધાને સેવાથી વશકરવી, અને કમલશ્રી બાલા અને યૌવનના મળે છે, માટે આવી રીતે જ વશ થશે. તે સારું કહ્યું - એપ્રમાણે અંગીકાર કરીને દેવધર તેણીને ફળ વિ. આપવા લાગ્યો. તેથી દેવધરની પાછળ પાછળ તેનાં ઘેર જાય છે. અને રાજશ્રી દરરોજ તેને વિભૂષિત કરે છે. - શણગારે છે સુંદર ઢબથી મેકઅપ કરી આપે છે. ઘેર ગયેલી એવી તેણીને (કામશ્રીને) માતાએ પૂછયું ? તને ફલ વિ. કોણ આપે છે ? તને કોણ વિભૂષિત કરે છે ? દેવધર ફળાદિ આપે છે અને બાઈ રાજશ્રી વિભૂષિત કરે છે. આ દેવધર અને બાઈ કોણ છે ? એક વખત દેવધર સાથે આવતી પુત્રીને દેખી તેની માતા બોલી હે બેટી ! તું તો આખો દિવસ આની પાછળજ પડેલી દેખાય છે. તો શું તું આની સાથે લગ્ન કરવાની છે? તે બોલી એમાં કોઈ સંદેહ નથી. જો મને તું બીજાને આપીશ તો હું આપઘાત કરીશ. માતાએ કહ્યું ગાંડી ! તેને તો બીજી ઘરવાળી છે, તે બોલી તે તો મારી બહેન છે. આના સિવાય મારે પૈસાદાર વર પણ ન જોઈએ. પુત્રીનો આગ્રહ જાણી શેઠે પણ હા પાડી કારણ કે દેવધર ગુણોમાં અજોડ છે. તેનું દારિદ્ર દૂર કરવામાં હું સાથ આપીશ. પણ આની સ્ત્રીને પ્રાર્થના કરું, સંપદાએ તહત્તિ કહી વાત સ્વીકારી. શેઠે દેવધરને ફરમાવ્યુ તારી પત્ની અમને દેખાડ. દેવધરે કહ્યું જેવી પિતાશ્રીની આજ્ઞા અને રાજશ્રીને બુમ પાડી અને તે આવી શેઠના ચરણે પડી. તું “અખંડ સૌભાગ્યવતી થા” એમ બોલી પોતાના ખોળામાં બેસાડી, બધી નારીઓ કરતા વધારે રૂપાદિની શોભા દેખી ધન શેઠ વિચારવા લાગ્યા.... ભારે અનુરાગમાં રક્ત, અનુપમ દેહવાળી એવી આ રાજશ્રીના સર્વ અંગને ભેટનારો તે દેવધર મારી પુત્રીને ક્યાંથી ઇચ્છવાનો હતો ? લાવણ્યની તલાવડી એવી આની સાથે જ રોજ રમે છે, તે દેવધર મારી પુત્રી રૂપાળી હોવા છતાં પણ ક્યાંથી તેણીને જોડે રમવાનો. આ પ્રતિકૂલ થાય તો મારી પુત્રી વિષયસુખ ક્યાંથી ભોગવવાની, મારી પુત્રી સાવ ગાંડી છે, જે આણીના પતિમાં મુગ્ધ (રાગી) બની છે. આનાથી શું? આમ વિચારવાથી શું થવાનું ? પહેલા એણીનો ભાવ તો પરખું પછી યથાયોગ્ય કરીશ. એમ વિચારી રાજશ્રીને કહ્યું બેટી ! મારી પુત્રીને તારા Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ મૂળશુદ્ધિ ભાગ-૧ ધણી ઉપર ઘણોજ રાગ છે. તેથી જો તને “અસંતોષ ન થાય તો આપું” રાજશ્રી બોલી બાપુજી મને તો ઘણો હરખ થશે. તેથી પિતાજી આપ મારી બહેનના મનના કોડ પૂરો. શેઠ બોલ્યા આમ છે, તો આ કમલશ્રી તારા ખોળામાં મૂકી. હવે તુંજ સંભાળ - રાજશ્રી બોલી આપનો ખુબ ખુબ આભાર, શેઠે દેવધરને કહ્યું - તારા ઉપર રાગવાળી આણીનો હાથ ગ્રહણ કર. “જેવી પિતાશ્રીની આજ્ઞા' એમ કહી સ્વીકૃતિ આપી. શેઠે ભારે ઠાઠમાઠથી લગ્ન કરાવ્યા. રાજશ્રી અને કમલશ્રીને સરખા આભરણો વિ. આપ્યા. જમાઈ પાસે મોટો ધંધો કરાવ્યો. ઘણું ધન ઉપાર્જન કર્યું. પૂર્વે પ્રાપ્ત થયેલુ ધન જિનાલય વિ. માં વાપરવા લાગ્યો. આ બાજુ લગ્ન દિવસે આમંત્રિત કમલશ્રીની બેનપણી મતિ સાગરમંત્રીની પુત્રી પાશ્રીએ દેવધરને દેખી બેનપણીની આગળ પ્રતિજ્ઞા કરી કે હે હલા ! જો ભાગ્ય યોગે દેવધર મને પરણે તો ભોગ ભોગવીશ, નહિ તો આ જન્મમાં મારે નિયમ સમજ. તેવી પ્રતિજ્ઞા સાંભળી બેનપણીઓએ તેની માતા પ્રિયંગુસુંદરીને વાત કરી અને તેણીએ મતિસાગર મંત્રીને વાત કરી. . તેણે પણ શેઠને બોલાવી દેવધરને ગૌરવપૂર્વક પદ્મશ્રી આપી. મોટા ઠાઠથી લગ્ન કરાવ્યા. મંત્રીએ ત્રણેને સરખા ઘરેણા વિ. આપ્યા, ત્યાર પછી મંત્રી રાજાને પ્રણામ કરાવા સારુ વહુવરને લઈ ગયો. રાજાએ સન્માન કરી ઉત્તમ આસન આપ્યું. દેવધરનું રૂપ દેખી રાજાનું મન હરખાયું, એટલામાં એણીનો વર લાવવાનો સમય થઈ ગયો છે, એ જણાવવા માટે ઘરેણાથી સજાવી, રાજાને નમસ્કાર કરવા કીર્તિમતી રાણીએ પુત્રી દેવશ્રીને મોકલી. રાજાએ ખોળામાં બેસાડી તેણીના યોગ્ય વર માટે રાજા મનમાં વિચારે છે. તેટલામાં ભારે અનુરાગના વશ થઈ ડોલતા તારલાવાળી તથા કટાક્ષવાળી આંખોથી વારંવાર દેવધરને નિરખતી પુત્રીને રાજાએ જોઈ. તેથી રાજાએ વિચાર્યું. “આ આની ઉપર અત્યંત અનુરાગવાળી દેખાય છે. અને આ દેવધર રૂપાદિ ગુણ વડે શ્રેષ્ઠ છે. આ બિચારી ઇચ્છિત વર મેળવીને સુખ ભોગવે” એમ વિચારી રાજાએ મતિસાગરને કહ્યું આ દેવશ્રી ગુણરત્નના દરિયાં એવાં તમારા જમાઈને આપી. મસ્ત્રીએ કહ્યું મોટી મહેરબાની, તેથી મોટા વિસ્તારપૂર્વક પાણિગ્રહણ કરાવ્યું, ચારેને ઘરેણાં વિગેરે આપ્યા અને નરકેસરી શત્રુ રાજાની સીમા સંધીનો પ્રધાન દેશ આપ્યો. ત્યાં તેના વિષે દેવધરે પોતાના મહંતો - પ્રતિનિધિઓ ગોઠવી દીધા. અને પોતે રાજાએ આપેલા સર્વ સામગ્રીથી પૂર્ણ સાતમાળના મહેલમાં રહેલો પત્નીઓ સાથે દોગંદક દેવની જેમ વિષયસુખ અનુભવતો કાલ પસાર કરે છે. આ બાજુ નરકેસરી રાજાએ સાંભળ્યું કે મારી સંધિનો-સીમાડોનો દેશ પોતાના જમાઈ એક વાણીયાને આપી દીધો છે. ત્યારે ક્રોધાગ્નિની ભડભડતી જવાલાથી ભયંકર મોઢાવાળો નરકેસરી રાજા પોતાના પરિજનને કહેવા લાગ્યો. જુઓ તો ખરા... ભામંડલ રાજાની આપણાં ઉપર કેવી તિરસ્કાર બુદ્ધિ છે. જેણે આપણા સંધિપાલક તરીકે ભિલ્લને સ્થાપ્યો છે. તેથી તે દેશને લુંટી કાઢો, જેથી ફરીવાર આવું ન કરે. બોલતાની સાથે આખોય દેવધરનો દેશ લુંટી કાઢ્યો Page #184 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ દેવધર કથા ૧ ૭૩ અને ભામંડલ રાજાને આ જણાવ્યું. ત્યારે પરાભવથી ઉત્પન્ન થયેલા આમર્ષના વશથી તે જ પળે રાજાએ પ્રસ્થાનની ભેરી વગડાવી ત્યારે રાજાના સૈન્ય નીકળવાનો આરંભ કર્યો. નવા વાદળાની જેમ ગંભીર ગર્જનાથી આકાશ મંડલને ભરનારા, સોનાનાં આભરણોથી વિજલીની જેમ ચમકનારા, મદરૂપી પાણીને ઝરાવનારા હાથીઓ ચાલ્યા. મન અને પવન સરખી તેજ ગતિવાળા, તીક્ષ્ણ ખુરથી પૃથ્વીની રેતીને ઉખાડનારા કુષ્ઠલાકાર મુખથી જોરદાર છેષારવ કરનારા ઘોડાઓ બહાર નીકળ્યાં, મંજિરા (પૈડામાં ઘૂઘરી/ઝાલર) ના અવાજથી દિશાના આંતરા પૂરનારા, વિવિધ ધ્વજપતાકાથી શોભતા, સર્વજાતનાં હથિયારોથી ભરેલા, ઉંચા રથો નીકળ્યાં. ગર્વિષ્ઠ દુષ્ટ શત્રુના સુભટોનો નાશ કરવામાં નામ મેળવનારા, તાન ચડાવનારા, ચપલ પાયદલો નીકળ્યાં. હાથીની ગર્જના-રથોનો રણકાર- ઝણકાર, ઘોડાનો વેપારવ, સુભટોનો સિંહનાદ તથા વાજિંત્રોના અવાજથી અચાનક આકાશ ફુટવા લાગ્યું. ખળભળેલા સમુદ્રના અવાજ સરખો અવાજ સાંભળી દેવધરે કંચુકીને પુછયું “શું આભ ફુટી રહ્યું છે, શું ધરતી ફાટી રહી છે ? શું કુલ પર્વતો તુટી રહ્યા છે ? શું પ્રલયકાલ આવ્યો છે ? કે જે કારણે આવો શબ્દ સંભળાય છે. ત્યારે પરમાર્થને જાણી સવિસ્તર બીના કહી સંભળાવી. ત્યારે પરાભવથી ઉત્પન્ન ક્રોધના કારણે ફડફડતા (ફરકતા) હોઠવાળા ભવાં ચડાવી વારંવાર રૃરિ જોઈ ખુશ થનારા દેવધરે કહ્યું અરે ! જલ્દી હાથી તૈયારકરો જેથી પિતાજીની પાછળ પાછળ જાઉં, સ્નાન કરી વિલેપન અને અલંકારથી સજેલા દેહવાળો ધોળાપુષ્પોથી શોભતો ઉંચી કોલિટીના રેશમી વસ્ત્રોને ધારણ કરનારો, તડકાને રોકનારા છત્રવાળો, યમ રાજાની જીભ સરખી તલવારવાળો દેવધર હાથી હોદે ચડી રાજા પાસે ગયો, તેને આવતો દેખી રાજા વિચારવા લાગ્યો, હું ધન્ય છું કે મને આવો જમાઈ મલ્યો. દેવશ્રીએ પૂર્વે સારા કર્મ કર્યા લાગે છે. જેના ભાગ્યે આવો વર સાપડ્યો. એ અરસામાં પગે પડી દેવધરે વિનંતી કરી.... હે રાજનું ! મદોન્મત્ત હાથીને છોડી શિયાળિયા ઉપર ક્યારેય સિંહ છલાંગ ન મારે, તેથી મને આદેશ આપો કે જેથી દુરાચારીને સબબ શિખડાવું | શિક્ષા આપું. વળી હું વાણીયો છું, એમ માની તેણે મારો દેશ લુંટ્યો છે, તેથી મારે જ ત્યાં જવાનું હોય, હર્ષથી રોમાંચિત શરીરવાળા રાજાએ કહ્યું હે વત્સ ! તું આવી વાત ના કર, હું જાતે નહિ જાઉ તો મને સંતોષ થશે નહિ, એવું જાણી દેવધર મૌન રહ્યો તો મને સૈન્યના મોખરે રહેવાની અનુમતિ આપો, હે પુત્ર ! આ સારું નથી, કારણ હું તારો વિયોગ સહી શકુ એમ નથી, અગ્ર સૈન્ય તો સાત ગાઉ આગળ નીકળી ગયું છે. દેવધરે કહ્યું હું દરરોજ શીઘ્રવાહનથી આપને પ્રણામ કરવા આવીશ. તેનો નિશ્ચય જાણી રાજાએ હા કહી. સતત પ્રયાણ દ્વારા દેશની સંધિ પાસે પહોંચ્યાં. ગુપ્તચરો પાસે તે વાત જાણી શત્રુ રાજા બોલ્યો ! કે અરે, અમારી શક્તિને નહિ જાણનારા સેનાનાં મોખરે આવનાર તે નીચજાતિના માણસને પકડો. એમ કહેતાની સાથે સઘળું સૈન્ય તૈયાર થઈ ગયું. લાંબુ વિચાર્યા વગર જ સૈન્ય સાથે તે શુત્રરાજા ત્યાં આવ્યો. તે દેખી દેવધરનું સૈન્ય જલ્દી તૈયાર થઈ યુદ્ધ કરવા લાગ્યું. Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ મૂળશુદ્ધિ ભાગ-૧ યુદ્ધનું વર્ણન...... ક્યાંક – રૌદ્ર તલવારથી કપાતા મનુષ્યના મસ્તકની ખોપરી ક્યાંક – મહાશયોથી નાચતા ઘડ દ્વારા વિવિધ જાતના નાટકો થાય છે. (થઈ રહ્યા છે.) ક્યાંક – તીક્ષ્ણ ભાલાથી ભેદાયેલ હસ્તિકુંભથી મોતીનો સમૂહ ખરી રહ્યો છે. ક્યાંક – મુગરથી ચૂર્ણ કરાયેલા સુભટો અને ભાંગેલા રથનો સમૂહ. ક્યાંક – લોહી રૂપ મદ્યપાનથી ખુશ થઈ ડાકણો નાચી રહી છે. ક્યાંક - મનુષ્ય માંસને ખાનારા શિયાળિયાઓ અવાજ કરી રહ્યા છે. ક્યાંક – ધનુષ્યની દોરીથી ફેંકાતા તીક્ષ્ય બાણોના સમૂહથી ગગન ઢંકાઈ રહ્યું છે. ક્યાંક – ખણખણ અવાજ કરતા ટકરાઈ રહેલા શસ્ત્રોમાંથી અગનજવાલા ઉઠી રહી છે. ક્યાંક – ખાલી આસનવાળા હાથી ઘોડા અને રથોનો સમૂહ ભમી રહ્યો છે. ક્યાંક – સુભટોથી સંતોષ પામેલાં દેવોનો સમૂહ પુષ્પોને વરસાવતા દેખાય છે ક્યાંક - ભયાનક વિવિધરૂપો કરી ભૂત પ્રેતો કિલકિલ અવાજ કરી રહ્યા છે. હાથથી ભયંકર કાતર ચલાવનારી રાક્ષસીથી ભીષણ આવા ભયંકર યુદ્ધમાં દેવધરે મહાવતને કહ્યું નરકેશરીના હાથી પાસે હાથી લઈજા, ત્યારે “જેવો આદેશ” એમ કહી વિજ્ઞાન દ્વારા પોતાના હાથીના દત્તશૂલ સાથે શત્રુહાથીના દત્તશૂલને સ્પર્શ કરાવા લાગ્યો, ત્યારે ઉછળીને દેવધર નરકેશરીના હાથી ઉપર ચડી ગયો અને કહેવા લાગ્યો, હે રાજન ! આ હું કિરાત તારી પાસે આવ્યો ચલ ઉભો થા. હથિયાર હાથમાં લે વાણીયાની શક્તિ જો ! “નીચ છે,” એમ માની શસ્ત્ર લેવાની રુચિ ન હોવા છતાં નરકેશરી રાજાએ તલવાર લીધી આકર્ષથી રાજા પ્રહાર કરે છે. તેટલામાં શ્રેષ્ઠ પરાક્રમવાળો કુમાર છટકી જઈને રાજાને બાંધી નાખે છે. આ બાજુ ભામંડલરાજાને કુમારના મંત્રીઓએ વાયુસમાન વેગવાળા ઉત્તમજાતિના અશ્વને મોકલીને શત્રુ સૈન્યનું આગમન જણાવ્યું. રાજા પણ પ્રધાન સૈન્ય સાથે જલ્દી જલ્દી ત્યાં આવ્યો કુમારે ભામંડલ રાજાને નરકેશરી સોંપ્યો. રાજાએ હર્ષથી કુમારને ભેટી નરકેશરીના બંધનો છોડાવ્યાં અને સન્માન કરીને કહ્યું કે કુમારના સેવક થઈ રાજ્યને ભોગવો. નરકેશરીએ પણ મિત્રશ્રી નામની પોતાની પુત્રી કુમારને આપી, અભિમાનરૂપી ધનના લીધે રાજય છોડી સુગુરુ પાસે દીક્ષા લીધી.રાજા અને કુમાર પણ નરકેશરીના પુત્રને રાજ્ય ઉપર સ્થાપી પોતાના નગરમાં ગયા. | (દેવધરને મહા સામ્રાજ્યની પ્રાપ્તિ) અવસર જાણી રાજાએ પોતાના બધા પુત્રોને કહ્યું જો તમને ઠીક લાગે તો તમારા બનેવીને રાજય ઉપર સ્થાપું, પુત્રોએ હાં કહી, ત્યારે શુભ દિવસે બન્ને રાજય વિષે કુમારનો અભિષેક કર્યો. રાજા પોતે દીક્ષા લઈ આત્મકાર્ય સાધવામાં લીન બની ગયો. દેવધર રાજાને નરકેશરીના સામંતોએ ભેટણા સાથે અઢીસો કન્યા આપી અને નરકેસરી રાજાએ પણ અઢીસો કન્યા આપી. પાંચશો પાંચ રાણી થઈ અને રાજશ્રીને પટરાણી બનાવી. Page #186 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ દેવધર કથા ૧૭૫ ઉદાર ભોગોને ભોગવે છે. એ પ્રમાણે દેવધર મહાસમ્રાટ થયો. પૂર્વ અવસ્થા યાદ કરી રાજા-રાણી જિનશાસનની ઉન્નતિ કરવા લાગ્યા. જિનાલયો કરાવે છે, તેમાં જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવે છે. સ્નાત્રપૂજા ઈત્યાદિ તથા અષ્ટાદ્વિકા ઉત્સવો કરાવે છે. અભયદાન વિ.ની ઘોષણા કરાવે છે. રથયાત્રાનું આયોજન કરાવે છે. દીન, અનાથ વિગેરેને અનુકંપા ઇત્યાદિ દાન આપે છે. સાધર્મિક ભક્તિ કરે છે. સાધુ- સાધ્વીને ભક્તિ પૂર્વક મહાદાન (વસ્ત્ર પાત્રાદિનું) આપે છે. આગમ પુસ્તકો લખાવે છે. અને વિધિપૂર્વક પૂજે છે. જિનવાણીને સાંભળે છે. સામાયિક વિ. આવશ્યકને સેવે છે. પર્વતિથિએ પૌષધ આદરે છે. ઘણું શું કહેવું? જે રીતે જિનધર્મનો અભ્યદય થાય તેમ વર્તતા તેઓનો કાળ જાય છે. એક વખત ચાર જ્ઞાનના ધણી યશોભદ્રસૂરિ ત્યાં પધાર્યા, તેમને વાંદવા રાણી સાથે રાજા ગયો અને ભાવપૂર્વક વંદન કર્યું અને શુદ્ધભૂમિ ઉપર બેઠા. આચાર્ય ભગવંતે ધર્મદેશના શરૂ કરી. ઋદ્ધિ સ્વભાવથી ચપલ છે, રોગ અને જરાથી ખખડી જવાના સ્વભાવવાળું આ શરીર છે. પ્રેમ તો સ્વપ્ન સમાન અવાસ્તવિક છે. તેથી ચારિત્રમાં આદર કરો.જિનેશ્વરોએ શાસ્ત્રમાં ગૃહસ્થ ધર્મ અને ચારિત્રધર્મ વચ્ચે મેરુ સરસવ જેટલું અંતર ભાખ્યું છે. વિષયસુખથી નિવૃત્ત થયેલા તથા પરમ તૃપ્તિની આશા નહિ કરનાર સાધુઓને “જે સુખ હોય છે, તે ચક્રવર્તીને પણ ક્યાંથી હોય? મુનિઓના સમૂહે સેવેલું આ ચારિત્ર અનેક ભવમાં એકઠા કરેલા તીવ્ર અશુભ કર્મો રૂપી પર્વતનો ચૂરો કરવા માટે વજ સમાન છે. હે રાજન ! એક દિવસના દીક્ષિતને પણ રાજરાજેશ્વર પગે પડે છે. આ ચારિત્રનો પ્રત્યક્ષ પ્રભાવ છે. માત્ર એક દિવસ પણ ચારિત્રને અતુટ ભાવથી પાળતા મોક્ષ ન થાય તો વૈમાનિક તો ચોક્કસ બને. સોના તથા મણિના પગથીયાવાળું એક હજાર થાંભલાવાળું સોનાના તળિયાવાળું જે જિનાલય બનાવે તેના કરતા તપ-ચારિત્રનું અધિક ફળ છે. તેથી હે રાજન્ ! સર્વ દૂષણનું મૂળ એવા ગૃહસ્થવાસને છાંડી સંસારનો નાશકરનાર ચારિત્રને સ્વીકાર. તે સાંભળી રાજાને ચારિત્રના પરિણામ જાગ્યા અને વિનંતી કરી કે હે ભગવનું ! રાજશ્રીના પુત્ર ગુણધરને રાજય સોંપી આપે ભાખેલું હું ચારિત્ર લઈશ. પણ અમારો એક સંશય છે. તે દૂર કરો, મને અને રાજશ્રીને બાળપણમાં સ્વજનોનો વિયોગ વિ. તથા દારિદ્ર કેમ આવ્યું? ભગવાને કહ્યું હે મહાત્મા તું સાંભળ... અહીંથી પૂર્વના ભવમાં નંદિવર્ધન ગામમાં કુલવર્ધન નામે કુલપુત્ર હતો. રાણી પણ શાન્તિમતી નામે તારી ઘરવાળી હતી, તમે સ્વભાવથી હળુકષાયવાળા અને દાનરુચિવાળા હતા. એક દિવસ વિહાર કરતા તમારા ઘેર સાધુ યુગલ આવ્યું. તેને દેખી તે કહ્યું હે પ્રિયે ! આ જો દાન નહિ આપનારા તથા કુટુંબ,સુખી સ્વજન પાલન પોષણ કરનાર ન હોવાથી ભિક્ષા માટે ફરે છે. સ્વજન વગરના એઓને વળી તપ શેનો ? શાન્તિમતીએ પણ હામાં હા મલાવી “તેમાં સંદેહ નથી આર્યપુત્રે સારું જાણ્યું તેના નિમિત્તે સ્વજન વિયોગનું ગાઢ કર્મ બાંધ્યું. Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ મૂળશુદ્ધિ ભાગ-૧ આ બાજુ તે ગામમાં ઘણા ધનથી સમૃદ્ધ જિનાલય હતું. મહા ધનવાન જિનદેવ શ્રાવક તે દ્રવ્યને સંભાળે છે. એકવાર જિનદેવે વચન અનાદરથી તારો પરાભવ કર્યો. તે શાન્તિમતીને વાત કરી તે બોલી હે નાથ ! તે દેવનો નોકર દેવદ્રવ્યથી મોહાંધ બનેલો છે. કશું જોતો નથી, તેથી તે દેવદ્રવ્ય કોઈ પણ રીતે નાશ પામી જાય તો સારું - તે પણ તેની અનુમોદના કરી, તે સંક્લિષ્ટ પરિણામથી દારિદ્ર માટે કર્મ બાંધ્યું, તે પાપની આલોચના કર્યા વગર મરી તમે દેવધર-રાજશ્રી થયા. તે સાંભળી બંનેને જાતિસ્મરણ થયું અને તેનાથી સર્વ બીના જાણી. હે ભગવન ! પણ આ રાજય કયા કર્મનું ફળ છે ? ભગવાને કહ્યું આ ભવમાં તમે સાધુ સાધ્વીને ભક્તિથી દાન આપ્યું તેનું જ આ ફળ છે. આગમમાં કહ્યું છે કે ... આલોકમાં કરેલા કર્મો આલોકમાં ઉદય પામે છે. આલોકમાં કરેલા કર્મો પરલોકમાં ઉદય પામે છે. પરલોકમાં કરેલા કર્મો આલોકમાં ઉદય પામે છે. પરલોકમાં કરેલા કર્મો પરલોકમાં ઉદય પામે છે. તેથી હંમેશા શુભ અનુષ્ઠાનમાં પ્રયત્ન કરવો જોઈએ. “ઈચ્છે' કહી ઘેર જઈ પુત્રને રાજ્ય સ્થાપી રાજા રાણીએ ઠાઠ-માઠથી સંયમ સ્વીકાર્યો. જીવન પર્યત નિષ્કલંક નિરતિચાર ચારિત્ર પાળ્યું અને અંતે અનશન કરી બારમાં દેવલોકે ગયા. ત્યાંથી આવી મહાવિદેહમાં મોક્ષે જશે. દેવધર કથા સમાપ્ત (દેવદિનની કથા ) આ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રમાં ત્રણે ભુવનમાં અલંકાર સમાન ત્રિભુવન નામે નગર છે. ત્યાં દુર્વાર શત્રુરૂપી અંધકારના પ્રસારને દુર કરવામાં સૂર્ય સમાન ત્રિભુવન શેખર નામે રાજા છે. તેને ત્રિભુવના નામે પટ્ટરાણી છે. તેમનો પુત્ર ત્રિભુવનદત્ત છે. એ જ નગરમાં અઢાર શ્રેણી પ્રશ્રેણીનો નાયક જીવાજીવાદિ પદાર્થને જાણનારો રાજાનો માન્ય સુમતિ નામે શેઠ છે. દેવીના રૂપને જીતનારી ચંદ્રપ્રભા નામે શેઠાણી છે. તેને ત્રિભુવના રાણી સાથે જોરદાર પ્રીતિ છે. એક વખત માસી માનીને પોતાના પુરુષો સાથે ત્રિભુવનદત્ત રાજકુમાર ચંદ્રપ્રભાને ઘેર ગયો. ચંદ્રપ્રભાએ તેને સ્નાન, વિલેપન કરી શણગાર્યો – પછી પોતાના ખોળામાં બેસાડ્યો. અને મસ્તકે સુંધ્યો, (ચુંબન કર્યું, ત્યારે વિચારવા લાગી કે મારી સખી ધન્ય છે, પુણ્યશાલી છે, તેણીનું જીવન સફળ છે, તે જ ઉત્તમ લક્ષણવાળી છે કે જેણીને આવો સુંદર પુત્ર છે. જીવલોકમાં તે નારીઓનો જન્મ પણ સફળ છે. જેમની કુક્ષીથી સુંદર પુત્રનો જન્મ થયો છે.જેઓ વિવિધ મધુરી - ક્રીડા કરનારા - હાસ્યકારી બોલનારા, ખોળામાં બેઠેલા મધુર સ્વરે જવાબ આપે છે. હું તો અધન્ય છું કારણ હજી સુધી એક પણ પુત્ર પ્રાપ્ત થયો નથી. આવી Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ મૂળશુદ્ધિ ભાગ-૧ દેવદિન કથા ચિંતાથી ઉંડો નસાસો મૂકી કુમારને વિસર્જન કર્યો. ઘેર ગયો ત્યારે રાણીએ પુછયું કુમારને આવો સરસ કોણે શણગાર્યો, ત્યારે પરિજને કહ્યું, તમારી બેનપણીએ, પણ તમે કુમારને લુણ ઉતારો કારણ કે કુમાર ઉપર ચંદ્રપ્રભાએ નીસાસા નાંખ્યા હતા. રાણીએ કહ્યું આવું બોલશો મા; તેણીના નિસાસા પણ કુમારને આશીર્વાદ રૂપ થશે. - ત્યારે બધા ચુપ થઈ ગયા. રાણીએ વિચાર્યું કુમારને જોઈને તેણીએ નસાસા કેમ મૂક્યા હશે ? હાહા ખબર પડી તે પુત્ર વગરની છે. તો શું દોસ્તીના નાતે તેણીને પોતાનો પુત્ર આપી તેના મનોરથો ન પૂરાય ?? આવી ચિંતાતુર હતી ત્યારે રાજા આવ્યો અને ઉદ્વેગનું કારણ પૂછયું - રાણીએ સર્વ હકીકત જણાવી. રાજાએ કહ્યું તું ચિંતા ન કર, હું એવો ઉપાય બતાવીશ કે જેથી તારી સખીને પુત્ર થશે. દેવીએ કહ્યું હે નાથ, મોટી મહેરબાની. બીજા દિવસે રાજાએ શેઠને કહ્યું તારે પુત્ર નથી તો તેના માટે મારી કુળદેવી ત્રિભુવનશ્રીને આરાધ. તે પ્રગટ પ્રભાવી છે. આરાધતા જે માંગો તે આપશે. શેઠે કહ્યું, આ કરવાની શી જરૂર, જો પૂર્વના કર્મમાં લખેલું હશે તો પુત્ર થશે.રાજાએ કહ્યું તમારી વાત સાચી પણ મારા આગ્રહથી આમ કર. ત્યારે રાજાભિયોગ માની સર્વ સ્વીકારી શેઠ ઘેર આવ્યા. શેઠાણીએ કહ્યું નાથ ! આમ કરવાથી સમકિતને લાંછન લાગશે.શેઠે જવાબ આપ્યો રાજાભિયોગથી કરવામાં સમકિત મલિન ન થાય તેથી બીજા દિવસે સર્વ પૂજા સામગ્રી લઈ પત્ની સાથે ત્રિભુવનશ્રીના મંદિરે ગયો.સ્નાન વિલેપન પૂજાદિ કરાવીને દેવીને કહ્યું હે ભગવતી ! રાજા કહે છે કે દેવી પાસે પુત્ર માંગ તેથી તું મને પુત્ર આપ, દેવીએ વિચાર્યું અહો ! આની નિરપેક્ષતા કેવી છે. છતાં પણ પોતાની પ્રસિદ્ધિ ખાતર પ્રભાવ દેખાડું, એમ વિચારી દેવીએ કહ્યું છે ભદ્ર ! તારે પુત્ર થશે. શેઠે કહ્યું એમાં ખાતરી | સહેલાણી શું ? થોડોક દુભાવું એમ વિચારી દેવીએ કહ્યું જયારે ગર્ભ થશે ત્યારે તારી પત્ની સ્વપ્નમાં દેવ વાંદવા સારુ જિનાલયમાં પ્રવેશતી જિનાલયને પડતું દેખશે. પુત્ર ધર્મનો શત્રુ થશે એથી થોડોક દુભાયેલો મનવાળો શેઠ ઘેર ગયો. એક વખત દેવીએ કહેલું સ્વપ્ન જોઈ શેઠાણી જાગી શેઠને જઈને કહ્યું મેં તે સ્વપ્નમાં થોડું વિશેષ જોયું છે. કે હું પૂજાના ઉપકરણ લઈને જિનાલયમાં જાઉં છું તેટલામાં મને જિનાલય પડતું દેખાયું ઉપરના પડવાના ભયથી મેં ઉપર દેખતા દેખતા પ્રભુની પૂજા કરી અને બહાર નીકળું છું. ત્યારે સર્વ નવું બનેલું તેમજ પહેલા એક ધ્વજા હતી પાછળથી શ્રેષ્ઠ પાંચ ધ્વજાથી શોભતું જિનાલય જોઈ હું જાગી. હવે આપ કહો તે પ્રમાણે શેઠે કહ્યું શરૂઆતમાં કડવું છતા સુંદર પરિણતિવાળું છે. તેથી તારો પુત્ર પ્રથમ આપત્તિ ભોગવી પાછળથી મહાઋદ્ધિવાળો થશે. શેઠાણીએ હા કહી અને સ્વપ્નગ્રંથી બાંધી. ત્યારપછી પૂર્ણથતાં સર્વ મનોરથવાળી શેઠાણીએ સર્વાગ સુંદર પુત્રને જન્મ આપ્યો, શુભંકર નામની દાસીએ શેઠને વધામણી આપી. તેણીને ઇનામ આપી, વધામણીનો ઉત્સવ કર્યો. ગંભીર શબ્દવાળા વાજિંત્રો વાગે છે. નર્તકીઓ નાચે છે. શત્રુને પણ શત્રુરૂપે ગણ્યા વગર Page #189 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ ૧૭૮ દાન આપે છે. મહાજન વધામણી આપવા આવે છે. આચારને વિષે મતિ કૃત્યોથી પુષ્ટ થયા છે. તથા સ્વજનોના દિલ ઉપચારથી જીતાય છે. અર્થાત્ વશ થાય છે. અથવા સ્વજનો ઉપચાર વિનયને “આવો, બેસો” ઇત્યાદિ રૂપ વિનય સ્વીકારે છે. બધા બંદીઓને છોડાવે છે, મુનિવરોને વહોરાવે છે, જિન પ્રતિમાઓને પૂજે છે. બધાને માન આપે છે. ઘણું શું વખાણીએ ૨ાજા પણ રાણી સાથે ત્યાં વધામણી દેવા આવે છે.વધામણી ઉત્સવ પૂરો થતા બારમા દિવસે દેવદિન્ન નામ પાડ્યું. આઠ વર્ષનો થતા કલાચાર્યને સોંપ્યો, સઘળી કલાઓ ગ્રહણ કરે છે. રજાના દિવસે વ્યાખ્યાનમાં ગયો. ત્યાં દાનધર્મના વખાણ થઈ રહ્યા હતા. દાનથી પ્રાણીઓ પણ વશ થાય છે. દાનથી વેર નાશ પામી જાય છે. દાન સર્વ દુઃખને હણી નાખે છે. દાનથી ચક્રીપણું અને ઇન્દ્રપણું પ્રાપ્ત થાય છે.દાનથી યશ વધે છે. શત્રુ પણ ભાઈ બની જાય છે. દાન અનુક્રમે મોક્ષમાં લઈ જાય છે. એમ સાંભળી દેવદિશે વિચાર્યું અહો ! દાનજ આલોકમાં સર્વ દુઃખને દૂર કરવામાં સમર્થ છે. અને શિવસુખ આપે છે એવું અહીં વર્ણવ્યું છે. તેથી હું તેમાંજ પ્રયત્ન કરું, તેથી ભૂખ્યાને ભોજન વિ. (વિદ્યાર્થી વિગેરેને) આપવા લાગ્યો. વળી વૃદ્ધિ પામતા ભાંડાગારમાંથી દ્રવ્ય લઈ ગરીબ દીન ભિખારી વિ.ને આપે છે. જિનપ્રતિમાને પૂજેછે. ભક્ત વસ્ત્ર પાત્ર વિ.થી સાધુ સાધ્વીની ભક્તિ કરે છે. સાધર્મિકોનું સન્માન કરે છે. તેથી ઘણા ધનનો નાશ દેખી ખજાનચીએ શેઠને કહ્યું સ્વામી ! દેવદિન્ન દાન વ્યસનથી ઘણું ધનનાશ કરે છે. શેઠે કહ્યું તું વારીશ નહિં, તું તેને આપ, આપનારને લક્ષ્મી પૂરાય છે. પણ તેની ગણતરી હું કેવી રીતે જાણીશ. શેઠે કહ્યું પહેલાથી ગણીને તૈયાર રાખજે. તે પણ તેજ રીતે કરવા લાગ્યો, અને દેવદિશ પણ જેમ ઠીક લાગે તેમ આપવા લાગ્યો. એમ સમયનું પાંદડું સરકવા લાગ્યું. આ બાજુ તૃષ્ણાભિભૂત નામના ખજાનચીની મુગ્ધા નામની સ્ત્રીની કુક્ષિમાં જન્મેલી ઘણી રૂપાળી બાલા નામે કન્યા છે. અતિ પંડિત હોવાથી લોકોએ તેનું બાલપંડિતા એવું નામ રાખ્યું. ભ્રમણ કરતી તે દેવદેિશની નજરમાં પડી. દેખીને તેણે વિચાર્યું કે વિધાતાએ આણીનું રૂપ હાથનો સ્પર્શ કર્યા વગર ઘડ્યું લાગે છે. કારણ કે હાથથી ઘડેલાની આવી શોભા ન હોય. સર્વ રમણીયોનું રૂપ લાવણ્ય લઈને બ્રહ્માએ આને બનાવી લાગે છે. નહિંતર આવું રુપ ક્યાંથી હોય ? વિકાર વગરની પણ તે જ્યાં ત્યાં મંદગતિથી જાય છે. ત્યાં ત્યાં યુવાનો કામને પરવશ બની જાય છે. ઘણું શું કહેવું ? ઘણાં માણસોને વશક૨વા માટે કામ દેવની સ્ફુરિતતેજવાળી મહૌષધી પ્રજાપતિએ બનાવી છે. તેજ ધન્ય છે, તેજ સૌભાગ્યશાળી છે, તેનું જીવન સફલ છે. જે ભ્રમરની જેમ આણીના વદનકમલમાં પરાગનો રસ પીએ, જે આણીના અંત વિસ્તૃત સ્તનસ્થલ ઉપર લાકડીથી ફટકારેલા સાપની જેમ આળોટતો નથી તેનું જીવન શું કામનું ? સુરતસુખરૂપી અમૃત જલથી ભરેલી દિવ્યનદી સમાન આ સ્ત્રીના સર્વે અંગોમાં હંસની જેમ સ્નાન ક્રીડા કરે છે, તે ધન્ય છે. એમ અત્યંત અનુરક્ત થયેલો વિચારવા લાગ્યો આ મારી કેમ થશે ? હા જાણ્યું તેણીના પિતાને દાનાદિ કરું. Page #190 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ દેવદિન કથા - ૧૭૮ જેને ગ્રહણ કરવા ઇચ્છતા હો, તેને પહેલા મનોહર હાર આદિથી પકડો, પાછળથી નૈવેદ્યથી વશ થયેલાની પાસે કાર્ય અકાર્ય કરાવો. જો હું આણીને ન મેળવું તો મારે અહિંથી નીકળી જવું, તેથી કોઈને ખબર ન પડે તેમ આ વાત તેણીના પિતા અને તેણીને જણાવું. તેથી બીજા દિવસે તૃષ્ણાભિભૂતને શ્રેષ્ઠ હાર આપ્યો. તેણે કહ્યું સ્વામી ! આ હાર કેમ ? કુમારે કહ્યું હાર હું છું, વળી તમે પ્રતિહાર તેથી તમને આ સોંપ્યો.” તમને જેમ યોગ્ય લાગે તેમ કરો. તેણે પણ વાસ્તવિકતા નહિં જાણવાથી કુમારના આગ્રહથી ગ્રહણ કર્યો, બાલપંડિતાને આપ્યો. તેણીએ પિતાશ્રીને હાર સંબંધી પુછ્યું - પિતાએ કહ્યું દેવદિન્ને આપ્યો છે. કુમારના દર્શનથી અતિશય રાગી બનેલી બાલપડિતાએ પહેલાંજ કુમારના ભાવને ઓળખી લીધો હતો. છતા પરમાર્થ જાણવા સારુ પુછયું હે તાત ! બીજુ કાંઈ કુમારે કહ્યું હતું? તેણે આમ (ઉપરોક્ત) કહ્યું છે. ત્યારપછી પરમાર્થ જાણીને તે બોલી જે કારણે તે કુમાર ધનનાશ કરે છે. તે હાર (કુમાર) પ્રકારકિલ્લાથી (હૃદયથી) બહાર ન કઢાય પણ હૃદય ઉપરજ ધારણ કરવાનો હોય છે. જેથી સુખ મળે, બાપતો કશું સમજી ન શકવાથી કાંઈ પણ બોલ્યો નહિ. તેણીએ પણ વિદગ્ધતા બુદ્ધિથી આ પ્રયોજન સિદ્ધ થશે. એમ વિચારી અવસરે માતાને વિનવવા લાગી. - ' હે માતા ! મને તું દેવદિત્રને આપ. મા બોલી પણ્ડિત થઈને અજ્ઞાની જેવું શું બોલે છે ? કારણ કે તારો બાપ પણ તેનો નોકર છે. તો પછી તેની સાથે તારો સંબંધ ક્યાંથી થશે? તેથી અન્ય કોઈ સમાન વૈભવવાળાને વર. તે બોલી માતા ! તું પ્રયત્ન તો કર, નહિતર ખાટલાથી પડેલાને ધરતી તો છે. તે જ પ્રમાણે સ્થિર રહી. તેણીનો દૃઢ અનુરાગ જાણી મુગ્ધાએ ચંદ્રપ્રભાને યથાવસ્થિત વાત કરી, તેણીએ શેઠને કહ્યું ત્યારે શેઠ બોલ્યા તેણીનો બાપ શ્રમણ્યપુત્ર હોવા છતાં આપણો નોકર છે. પણ કુમારના દોસ્તારોએ મને પણ પૂછયું છે કે તે કન્યા ઉપર કુમારને ઘણો રાગ છે. તેથી કુમારના ભાવ જાણી આપણે યથાયોગ્ય કરીશું. અવસરે કુમાર સાંભળે તેમ શેઠ બોલ્યા... મા બાપને છોડવા ન જોઈએ. પત્નીનો પણ વિશ્વાસ ન કરવો. પત્નીનું ધન ન લેવું તથા પોતાની દાસીની કામના ન કરવી. ત્યારે પિતાનો ભાવ જાણી કુમાર બોલ્યો તે તાત ! દુર્બલ ભીંત પડતી હોય તો અંદરની બાજુમાં પડે તો સારું કે બહારની બાજુમાં પડે તો સારું. બાપે કહ્યું અંદર બાજુ પડેતો ઈંટ વિ. ખોવાય નહિ એથી અંદર બાજુ પડે એજ સારું. કુમારે કહ્યું જો એમ છે તો આપ એવું કેમ બોલો છો ? શેઠ પણ તેના ભાવ જાણી ઠાઠ-માઠથી લગ્ન કર્યા. દરરોજ વધતા જતા અનુરાગવાળા તેઓ વિશેષ શણગાર સજીને મોજથી રહે છે. કાંઈક પ્રયોજનથી બાલપચ્છિતા બહાર ગઈ તેણીને દેખી પોતાની બેનપણીને ઉદ્દેશી એક સ્ત્રી બોલી હે સખી ! પુણ્યશાળીમાં આ પ્રથમ છે. જેણીને આવી રિદ્ધિસિદ્ધિવાળું ઘર મળ્યું છે. ત્યારે બીજી બોલી - હે સખી ! આવું બોલીશ મા. જો નિર્ધન પુરુષને પરણી તેને ધનવાન Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ મૂળશુદ્ધિ ભાગ-૧ બનાવે તો હું પુણ્યશાલી માનું. તે સાંભળી બાલપચ્છિતા વિચારવા લાગી આણીએ પરિણતિથી સુંદર વચન કહ્યું છે. તેથી ધન કમાવા સારુ નાથને અન્યત્ર મોકલી હું પુણ્ય ઉપાર્જન કરવામાં રક્ત બનું. જેથી સ્વામીનાથ ઘણું ધન કમાય, એમ વિચારી ઘેર આવી. ત્યાં તો પતિને ચિંતા સાગરમાં ડુબેલા જોયા. કારણ પુછયું.... ત્યારે કહ્યું કે હું શણગાર સજી મિત્રો સાથે બેઠો હતો ત્યાં બે પુરુષોએ મને દેખ્યો તેમાંથી એક જણ બોલ્યો આજ વખાણવા લાયક છે. જે એકલોજ વિવિધ ઋદ્ધિ ભોગવે છે. અને હાથીની જેમ સતત દાન ગંગા વહાવે છે. ત્યારે બીજો બોલ્યો તે ભદ્ર ! તું આને શું વખાણે છે? જે પૂર્વ પુરૂષોએ કમાયેલી લક્ષ્મીને ભોગવે છે. જે પોતાના હાથે કમાયેલી લક્ષ્મીથી આવી ચેષ્ટા કરે તેને હું સત્યપુરુષ માનું, બાકી બધા કુપુરુષ જ છે. તેથી હે પ્રિયે ! જ્યાં સુધી પરદેશ જઈ જાતે ન કમાઉં ત્યાં સુધી મને શાન્તિ નહિ થાય. તે બોલી નાથ ! તમારો અભિગમ સરસ છે. કારણ કે તે જ સુભગ છે, તેજ પંડિત છે, તે વિજ્ઞાન પામેલા છે જે જાતે કમાયેલી લક્ષ્મીથી કીર્તિ ફેલાવે છે. તેથી નાથ તમારા મનોરથો પૂરા થાઓ. તે મને ઇચ્છિત છે. તમે તેમ કરો. તેણે વિચાર્યું, પતિ પ્રવાસની ઇચ્છા કરે ત્યારે કોઈ નારી આમ બોલતી નથી કારણ કે, ભર્તારના પ્રવાસમાં નારીનું સર્વ સુખ જાય છે. કારણ કે પ્રિયતમ સ્વાધીન હોય તેઓને સંસાર સુખ હોય છે. આણીની મહેંદીનો રંગ પણ ઉડ્યો નથી અને આવું બોલે છે. તેથી નક્કી આ બીજામાં આસક્ત હોવી જોઈએ. આ સારું થયું આ પણ અડચણ કરનારી તો ન બની. એમ નિશ્ચય કરી તાત પાસે જઈ વિનંતી કરવા લાગ્યો... છે તાત ! મને અનુજ્ઞા આપો કે ધન કમાવા પરદેશ જાઉં અને પુરુષાર્થ કરું (સાધુ). પિતાએ કહ્યું હે વત્સ ! કુલ પરંપરાથી આવેલું દાન - ભાગમાં સમર્થ ઘણું ધન તારે છે, તેથી તેનો જ ઉપયોગ કરતો નિશ્ચિત થઈને રહે, કારણ કે તારો વિયોગ હું સહન કરવા સમર્થ નથી. દેવદિ કહ્યું જે લક્ષ્મી પૂર્વ પુરુષોએ પેદા કરી હોય તેણીને ભોગવતા સજ્જન પુરુષનું મન કેવી રીતે (મું) લજ્જા ન પામે? તેથી મને કૃપાથી ભીના-હળવા હૈયે અનુજ્ઞા આપો કે જેથી પોતાના હાથથી કમાયેલા ધનથી કીર્તિ ફેલાવું. ત્યારે નિશ્ચય જાણીને મા-બાપે વિસર્જન કર્યો. (રજા આપી) અને તે સર્વ તૈયારી કરવા લાગ્યો. ત્યારે પુત્રવધુ ક્યારેક આને રોકે નહિ માટે પહેલાંથી જણાવી દેવું સારું, એટલે બાપે કહ્યું હે બેટી ! તારો પતિ પરદેશ જવાનો લાગે છે. તે બોલી હે તાત ! તમારાથી જન્મેલા સપુરુષ નામાર્ગ ને અનુસરનાર આર્યપુત્રને આ યુક્ત છે. જેથી કહ્યું છે. સિંહ, સપુરુષો, હાથીઓ સ્થાનનો ત્યાગ કરે છે. કાગડા કાપુરુષો, મૃગલાઓ પોતાના ઠેકાણે જ મરે છે. તે સાંભળી “આ અન્યમાં આસક્ત લાગે છે.” એમ વિચારી મા બાપ મૌન રહ્યાં. કુમાર તૈયાર થયે છતે પોતાનું ધન આપી ચાર ભાગે કરી વણિપુત્રો કુમારના સાથીદાર બનાવ્યા. ત્યાર પછી શુભ દિવસે હાથીની અંબાડીએ ચડી દાન આપતો કુમાર નીકળીને પ્રસ્થાન મંગલે ઉભો રહ્યો. બાલપણ્ડિતા પણ હાથિણી ઉપર ચઢી શણગાર સજી પ્રસન્નમુખવાળી કુમારના Page #192 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ દેવદિન કથા ૧૮૧ દર્શન માટે આવી, ક્ષણવાર પછી તેણીએ વિનંતી કરી કે સ્વામીનાથ! આદેશ આપો કુમારે પણ લોકરિવાજે ફૂલની માલાથી યુક્ત પાન બીડુ આપ્યું. મુખમાં નાખીને બોલી હે નાથ! ફરીથી પણ તમે આપેલુ તંબોલ મારા મુખમાં પ્રવેશશે. એમ બોલતી તેણીએ વેણી બાંધી અને હર્ષિત મને ઘેર ગઈ. લોકો પણ તેવું દેખી તે જ પ્રમાણે વિચારતા નગરમાં પેઠા. કુમાર પણ અહો ! સ્ત્રીની ચેષ્ટાઓ વિચિત્ર છે. તેથી કોઈ વાસ્તવિકતાની ખબર પડતી નથી. એમ વિચારતો આગળ ચાલ્યો. અનુક્રમે ગંભીરક નામના બંદરે (વેલાકુલે) આવ્યો. શ્રેષ્ઠ હાથી જેમ મદ વગરનો હોય, પ્રધાન મહેલ ઉંટ વગરનો હોય, દેવો મરણ વગરનાં હોય, મુનિવરો ઈષ્ટ પદાર્થ વગરના હોય, રાજા (ઔરા) ગર્વ વગરનો હોય, તેમ મયર+હિનો મગરમચ્છને હિતકારીશ્મશાન જેમ ઘોંઘા નામના કીડાથી વ્યાપ્ત હોય. સાંખ્યદર્શન મોટી સંખ્યાઓથી ભરપૂર હોય, તેમ મોટા મોટા શંખના સમૂહથી પૂર્ણ, શ્રેષ્ઠ રથ જેમ સુંદર પૈડાવાળો હોય તેમ કલ્લોલવાળો, દેવકુલ જેમ પીઠીકાવાળું હોય તેમ પીઠ જાતિના માછળાવાળો, સેના જેમ મુસાફરીવાળી, ધ્વજાવાળી હોય તેમ મત્સ્યવાળો, ઉછળતા મોટા મોટા મોજાઓથી જાણે ઉભો થઈ સામે આવતો ન હોય, તરંગ માળારૂપી ભુજાઓથી જાણે આલિગને કરતો ન હોય, સંખ્યાતા ભમતા જલચરોના મોટા અવાજથી જાણે બોલતો ન હોય, શ્વેત ફેણ રૂપી અટ્ટહાસ્યથી જાણે હસતો ન હોય. પક્ષિઓના કલકલ અવાજથી જાણે વાતો કરતો ન હોય, તેવો સમુદ્ર જોયો. તેને પૂજી યાનપાત્રો જોયા. તેમાંથી જિનવચનની જેમ અક્ષત, ગુણાધારવાળું, એકમદ ચોખું. નૈગમાદિ નયવાળું (યાનપણે આવા જવાના અનેક દરવાજાવાળું) અતિસુંદર ગોઠવાયેલા પાઠવાળું (યાનપક્ષે શ્રેષ્ઠ સફેદ પટવાળુ,) મહાર્થની ઉત્પત્તિનું કારણ (યાનપક્ષે ઘણા ધનની ઉત્પત્તિનું સાધન) આશ્રિત જનોને વૈભવ આપનાર, (યાનપક્ષે ડુબતા જંતુઓને તારવામાં સમર્થ) દેવાધિદેવથી અધિષ્ઠિત (યાનપક્ષે શ્રેષ્ઠ દેવથી અધિષ્ઠિત) એવું વાહન ભાડે લીધું. બધો સામાન તેમાં મૂક્યો. ત્યારપછી ચોખા ઘઉં વિ. ધાન્ય, પાણી,લાકડા વિ.નો સંગ્રહ કર્યો છd, દેવગુરુને પૂજી મહાદાન આપી પરિવાર સાથે વહાણમાં ચઢ્યો. સમુદ્રમાં ભરતી આવ્યું છતે, પૂજાવિધાન પૂરા થયે છતે, વિવિધ પતાકાઓ ઉંચી કરાયે છતે, લંગર છૂટી કરાવે છd, જહાજના થાંભલા ઉભા કરાયે છતે, જહાજનો ખલાસી, કર્ણધાર, જહાજના નીચા સ્તરનો નૌકર અને કેપ્ટન તૈયાર થયે છતે, યાનપાત્ર બંધનથી મુક્ત કરાયું. અને સાનુકૂલ પવનના યોગે થોડાજ દિવસોમાં ઘણાં યોજન નીકળી ગયા. આ બાજુ તે બાલપંડિતા સ્નાન વિલેપન શણગાર વિ.કર્યા વિના પૌષધ વિ. માં રક્ત બનેલી, આયંબિલ કરતી લગભગ સાધ્વીજીના ઉપાશ્રયમાં રહે છે. તેથી એક વખત પ્રસન્નમનવાળા સાધ્વી મા, બા, સાસુ સસરા વિ. કહેવા લાગ્યા છે બેટી ! તારું શરીર સુકોમલ છે, તેથી આવો તપ કર નહિ, તેણીએ વિનંતિ કરી છે વડિલો ! આપ ખેદ ન કરો, છ મહીના સુધી જ હું આ કષ્ટ સહન કરવાની છું. પાછળથી તો હું અનશન લઈશ. જો છ મહીનામાં મનોરથ પૂરા કરી મારા નાથ ન આવે તો તમારી (સાધ્વી) સમક્ષ નિશ્ચયથી હું આ વ્રત લઈશ. Page #193 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ તેઓએ કહ્યું કે બેટી ! તારો ધણી બહુ દૂર દેશમાં ગયો છે તેથી છ મહીનામાં આવવો શક્ય નથી. માટે તું આવી પ્રતિજ્ઞા ન કર. તે બોલી પ્રતિજ્ઞા તો કરેલી જ છે. તેથી તે બાબતમાં કોઈએ કાંઈ કહેવું નહિ, તેણીનો નિશ્ચય જાણી બધા મૌન રહ્યા. એક દિવસ જો૨દાર ઠંડીમાં અલ્પવસવાળી તે બાલખંડિતા સાધ્વીના ઉપાશ્રયની અંદર ખુલ્લા પ્રદેશમાં રાત્રે કાઉસગ્ગમાં રહી. ૧૮૨ તે વખતે રતિશેખર નામનો મહાનાસ્તિકવાદી પ્રચંડ વાણવ્યંતર ત્યાં આવ્યો. રૂપ દેખી મોહ વશ થવાથી પ્રગટ થઈ કહેવા લાગ્યો કે બાલા ! તું મને સ્વીકાર, કા૨ણ કે તારા ગુણથી હુઁ પ્રસન્ન થયો છું. હે સુંદર શરીરવાળી ? હૈં રતિશેખર નામનો દેવ છું. આજથી માંડી દેવ પણ હું તારો નૌકર બનીને રહીશ. તેથી તું મને સ્વીકાર, કારણ કે આ સુંદર શરીર ફરીથી મળવું મુશ્કેલ છે. પંચભૂતના સમૂહથી આ શરીર બનેલું છે. તેથી કોઈ ધર્મ નથી, પરલોક નથી અને મોક્ષ પણ નથી. આમ બોલવા છતાં બાલપંડિતા તેને જવાબ આપતી નથી. ત્યારે પાપીએ બળજબરીથી ભોગવવાનો પ્રયત્ન કર્યો, પણ તેણીના તપ તેજથી અવગ્રહ ભેદવા સમર્થ ન થયો. ત્યારે વિલખો થઈ રોષે ભરાઈ એ પ્રમાણે વિચારવા લાગ્યો, કે આ દુષ્ટપતિવ્રતાના પતિને મારું તો તેનાં વિરહમાં ઝુરી ઝુરીને મરશે. ત્યારે વિભંગજ્ઞાનથી સમુદ્ર મધ્યે કુમારને જાણી જલ્દી તેનાં વાહણમાં આવી પહોંચ્યો. વિકરાલ રૂપ કરી કહેવા લાગ્યો રે રે ! ઈષ્ટદેવને યાદ કર ! તારા જહાજને હમણાં જ દરિયામાં ડુબાડું છું. કુમારે કહ્યું તું કયા અપરાધનાં લીધે આવુ કરી રહ્યો છે ? દેવે જવાબ આપ્યો. તારી દુષ્ટપત્નીના દુર્વ્યવહારના લીધે, મેં પૂર્વે વિચાર્યુ તેમજ થયુ લાગે છે, જેથી દેવ પણ આવું બોલે છે. જો તે ખબાર ચિત્તવાળી છે તો તેણીને શિક્ષા કેમ નથી કરતો ? તપના પ્રભાવે તેણીનો હુઁ પરાભવ કરવા સમર્થ નથી. આ કોઈ મિથ્યાદ્રષ્ટિ મહાપાપી દેવ છે. મારી પ્રિયાને ચારિત્રધર્મથી ભ્રષ્ટ કરી શક્યો નથી, માટે ક્રોધે ભરાઈ અહીં આવ્યો છે. તેથી કદાચિત એ પ્રમાણે પણ ક૨શે. એમ વિચારી પંચપરમેષ્ઠિનું સ્મરણ કરવા લાગ્યો. ત્યારે પેલો દેવ જહાજ ઉંધુ ક૨ી સ્વસ્થાને ગયો. પાટીયું પકડી વિક્સુત્રો અન્ય અન્ય દ્વીપે પહોંચ્યા. દેવદિશને પણ પાટીયું મળ્યું અને પંચ નમસ્કાર ગણતો ગણતો કાંઠે આવ્યો. કર્મ સંયોગે લવણ સમુદ્રના અધિષ્ઠાયક સુસ્થિત દેવે તેને જોયો. “સાધર્મિક છે” એમ માની ખુશ થઈ કહેવા લાગ્યો હે ભદ્ર ! હૈં રત્નાકર છું તારી પંચનમસ્કારની ભક્તિથી હુઁ ખુશ થયો છું. તેથી અહીંથી પાંચસો યોજન દૂર રત્નપુરની નજીકના વનમાં રહેલા મારા મિત્ર મનોરથ યક્ષ પાસે જા. તે મારા કહેવાથી જે તું માંગીશ તે સર્વ સંપાદન કરી આપશે. ܕ હે ભગવાન્ ! હૈં આટલો દૂર કેવી રીતે જઈશ. ત્યારે સુસ્થિત દેવે એક અમૃતરસવાળું દાડમ આપ્યું. અને આના બીજ ખાતા ખાતા જજે. તેથી તેનાં મહાપ્રભાવથી ભુખ, તરસં, થાક લાગશે નહિં. અને જલ્દી ત્યાં પહોંચી જઈશ,દેવદિશ પણ જેવો આદેશ' એમ કહી જવા માટે પ્રવૃત્ત થયો. થોડાજ દિવસમાં જંગલમાં પહોંચી ગયો. વિવિધ મણિઓથી બનાવેલું, જેમાં કાલાગરુ Page #194 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ દેવદિન કથા ૧૮૩ કપૂર વિ. થી બનાવેલો ધૂપ સળગી રહ્યો છે, સાધકો અનેક પૂજાના ઉપકરણો લઈને રહેલા છે, રત્નની પ્રતિમાવાળું મનોહર યક્ષનું ભવન જોયું. દેવદિન્ન અંદર પેઠો. તેટલામાં પ્રત્યક્ષ થઈ યક્ષે કહ્યું જો આમ છે તો આ નજીકના રત્નપુરમાં જા. એમાં શક નામે રાજા છે. તું જે કાંઈ પણ જેટલું માંગીશ તે સર્વ ચાર ગણુ આપશે. તેથી તે નગરમાં ગયો. તે આખુય નગર અસિ મસિ કૃષિના વ્યાપાર વગરનું હોવા છતા પણ પંચ વિષયક સુખ સેવવામાં મસ્ત બનેલું તથા વિવિધ ક્રીડામાં રત રહેલું છે. ત્યાં વિવિધ કૌતુક દેખતો રાજમહેલે પહોંચ્યો. ઇંદ્રની જેમ વિવિધ વિનોદથી વિલાસ કરતો તથા માગ્યા કરતા ચાર ગણું આપતો એવો રાજા જોયો. તેને જોઈ એક પુરુષને પૂછ્યું કે વ્યાપાર વિ.થી ધન કમાયા વિના નગરજનો લહેર કરે છે, તો આ પૈસા ક્યાંથી મેળવે છે? તેણે કહ્યું શું તું પાતાલમાંથી આવ્યો છે? જે કારણથી તું આવું પૂછે છે? કુમારે કહ્યું તમે ક્રોધ ના કરો. હું ખરેખર જહાજ ટૂટી જવાથી સમુદ્રમાંથી આવ્યો છું. તેથી જે પરિસ્થિતિ છે તે સર્વ મને કહો. પુરુષે કહ્યું - આ અમારો રાજા નજીકના વનમાં રહેલા મનોરથ યક્ષને દરરોજ સત્ત્વથી સાધે છે. અને તુષ્ટ થયેલો યક્ષ ચારગણું આપે છે. કુમારે વિચાર્યું - જો આમ છે તો “આ અર્થીને પ્રાર્થના કરવાનું શું કામ ?” તેજ યક્ષને સાધું પણ દેખી તો લઉં “રાજા કેવી રીતે સાધે છે.” યક્ષ પાસે જઈ ઝાડના ઓઠે લપાઈને ઉભો રહ્યો. ત્યાં પહેલો પહોર પૂરો થતાં તલવાર લઈ રાજા આવ્યો. પૂજીને યક્ષને વિનંતિ કરી - ભો ! મહાયશસ્વી ! અચિન્ત શક્તિવાળા ! ઉત્તમ શક્તિશાળી જનસમૂહનું રક્ષણ કરનાર! મને પ્રત્યક્ષ થાઓ. એમ કહી જલ્દી ધગધગતા અગ્નિકુંડમાં પડ્યો. યક્ષે શક્તિથી બહાર કાઢ્યો. કુંડનું પાણી છાંટ્યું અને ફરી સારો થઈ ગયો. યક્ષે કહ્યું કે મહાસત્ત્વશાળી ! વર માંગ રાજાએ કહ્યું તમારા પ્રભાવથી જે માંગે તેનાથી ચાર ગણુ આપું. “એમ થાઓ એ પ્રમાણે યક્ષે કહ્યું ત્યારે પ્રણામ કરી રાજા ઘેર ગયો. બીજા દિવસે તેજ પ્રમાણે યક્ષને વિનંતી કરી. દેવદિત્ર અગ્નિકુંડમાં કુદ્યો, તેજ પ્રમાણે યક્ષે વરદાન આપ્યું. દેવદિત્રે કહ્યું તમારી પાસેજ રહેવા દો. એમ કહી બીજી વાર કુદ્યો, ફરી વરદાન આપ્યું. એમ ત્રીજી વેળાએ પણ વરદાન આપ્યું. ચોથી વાર કૂદવા જતાં યક્ષે પકડ્યો અને કહ્યું હે ભદ્ર ! આ ત્રણ શીર્ષથી યુક્ત (ત્રણ વાર કુદ્યો માટે) પ્રધાન શક્તિ મને ઇંદ્ર આપી છે. એના પ્રભાવથી ત્રણ વરદાન આપુ, પણ અધિક નહિ તેથી જે ગમે તે માંગ. કુમારે કહ્યું તો એક વરદાનથી રાજાને જે સિદ્ધિ છે તે એકવાર સાધવાથી જીવનભર રહે એવું મને આપ, બીજાથી હું જીવું ત્યાં સુધી કોઈને આ સિદ્ધિ આપવી નહિ. ત્રીજુ વરદાન પછી માંગીશ “તથાસ્તુ' એમ યક્ષે હા કહી ત્યારે છુપાઈને રહ્યો. એ અરસામાં રાજા આવ્યો.યક્ષે રોક્યો, રાજાએ કહ્યું શા માટે અટકાવો છો ? કારણ કે ત્રણે પણ વરદાન મહાનસત્ત્વશાલીને આપી દીધા છે. ત્યારે દુભાયેલા મને રાજ ઘેર ગયો, શયામાં બેઠો. તપેલી રેતીમાં પડેલા મીણની જેમ, Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ મૂળશુદ્ધિ ભાગ-૧ લાકડીથી ફટકારેલ સર્પની જેમ, જાલમાં ફસાયેલા હરણની જેમ પથારીમાં પડખા ઘસતા રાત પૂરી કરી. સવારે દેવદિશ રાજાના દર્શન માટે ગયો. આખુય રાજમહેલ શોકમગ્ન જોયું. (કારણ પુછ્યુ) તો અમારા રાજા કોઈ કારણે અગ્નિમાં પ્રવેશ કરવાના છે માટે, તો તમે ધીર બનો હું બધુ ઠીક કરું છું. એમ આશ્વાસન આપી રાજા પાસે ગયો. તેણે કહ્યું કે રાજન ! તમે કેમ આ હલકા માણસ જેવી ચેષ્ટા કરવા તૈયાર થયા છો ? આગ્રહ કરતાં કહ્યું મારે દાનનું વ્યસન છે. જે યક્ષના પ્રભાવે આટલા કાલ સુધી પૂરુ થતું હતુ. પણ આજે તેની મહેરબાની ન થવાથી મારી ઇચ્છા પૂરી થશે નહિં. તો દાન વગરનું જીવન શું કામનું ? આવી ચિંતાના લીધે મેં આ આદર્યું છે. જો આમ છે તો આજથી માંડી મારી સિદ્ધિથી જીવન પર્યત દાન આપો, યક્ષને સાધીશ નહિં, ઇચ્છા ન હોવા છતાં કુમારના આગ્રહથી તેનો સ્વીકાર કર્યો. કુમાર પાછો વનમાં ગયો. એક તલાવમાં ન્હાવા ઉતર્યો ત્યાં એક મધ્યમવયની નારીએ કહ્યું. હે મહાભાગ ! ક્યાંથી અને શા માટે અહીં આવ્યો છે ? સમુદ્ર કાંઠાથી આવ્યો છું અને સુસ્થિતદેવે ખુશ થઈ મને મનોરથ યક્ષ પાસે મોકલ્યો છે. તો તે હર્ષ પામીને બોલી આ ઝાડ નીચે બેસ જેથી કંઈક રહસ્ય તને જણાવું તે કહેવા લાગી... ગગનચુંબી શિખરવાળો, સર્વ વિદ્યાધરનું નિવાસ સ્થાન, રત્નનિર્મિત જિનાલયથી શોભતો વૈતાઢ્ય પર્વત છે. ત્યાં ગગનવલ્લભ નામે નગર છે. ત્યાં સર્વ વિદ્યાધર રાજાનો રાજા ચંદ્રશેખર નામે સમ્રાટ છે. તેણે સર્વ રાણીઓમાં પ્રધાન શ્રીકાન્તા, કનકકમલા, વિદ્યુત્પાલા, મેઘમાલા, સુતારાનામે પાંચ પટરાણી છે. તેઓને ક્રમશઃ કનકપ્રભા, ચંદ્રપ્રભા, તારપ્રભા, સુરપ્રભા, ત્રૈલોક્યદેવી નામે સર્વકલામાં કુશલ રૂપાદિથી દેવીઓને જીતનારી પાંચ કન્યાઓ છે. ચંદ્રશેખરે તેમના પતિ માટે નિમિત્તિયાને પૂછ્યું. નિમિત્તિયાએ કહ્યું તારો નાનોભાઈ સુરશેખર મરીને મનોરથ યક્ષ થયો છે. તે હજી પણ તારી સાથે બંધુસ્નેહ રાખે છે. આ કન્યાઓને તેની પાસે રાખવાથી એઓનું વાંછિત ફળશે. તેથી ચંદ્રશેખરે યક્ષને સાચવવા આપી. પરપુરુષ જોઈ ન શકે તેવા એકગુણ દ્વિગુણ ત્રિગુણાદિ તેજસ્વી શરીરવાળી દેવકુલની નજીક પાતાલઘરમાં છુપી રીતે રાખી છે. જો આ યક્ષ તું માગે તે આપે એમ હોય તો તે કન્યાઓને માંગ. હું તેઓની વેગવતી નામે ધાત્રી છું. તારા રૂપાદિગુણથી આકર્ષાઈને એ પ્રમાણે કહું છું. કુમાર પણ ‘જેવી માની આજ્ઞા' એમ બોલી યક્ષ પાસે ગયો અને વિનંતી કરી. ત્રીજા વરદાનથી તારી પાસે પાતાળગૃહમાં જે કન્યાઓ રહેલી છે, તે મને આપો. ખરેખર તે કન્યાઓએ જ રાગ થવાથી પોતાનું સ્વરૂપ આને દેખાડ્યું લાગે છે. નહિતર આને ક્યાંથી ખબર પડે ? એમ વિચારી યક્ષ બોલ્યો કન્યાઓ છે, પણ અત્યંત તેજના કારણે આંખે દેખી શકાય તેમ નથી. ભલે હોય, છતાં પણ મને આપો, ત્યારે ત્રૈલોક્ય દેવીને છોડી ચાર કન્યાઓ દેખાડી. કુમાર પાસે જતા કન્યાઓનું યક્ષે કરેલું તેજ નાશ પામી ગયું. ત્યાંરે કુમારે કહ્યું પાંચમી કેમ નથી આપતો યક્ષે Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ મૂળશુદ્ધિ ભાગ-૧ દેવદિન કથા કહ્યું. આ ચારથી ત્રણગણા તેજવાળી હોવાથી દેખવી દુઃશક્ય છે માટે. કુમારે કહ્યું છતાં મને દેખાડ. સ્વાભાવિક સૂર્યની મૂર્તિની જેમ દુઃખે દેખી શકાય તેમ છે, તે પણ કુમાર પાસે આવતા સ્વભાવિક રૂપવાળી થઈ ગઈ, તેને દેખી સર્વ કન્યાઓને રાગ થયો. આશ્ચર્ય પામેલા યક્ષે વિચાર્યું આ આનીજ છે. માટે કન્યાઓને પૂછયું આ પતિ તમને ગમે છે. હા, તાત ! આપની મહેરબાની, મનોરથે કહ્યું અને અત્યંત ગુણવાળી પહેલી પત્ની છે. તેણીનો વિનય કરનારને જ આ પરણે છે. કન્યાઓ બોલી, મોટી બહેનનો વિનય કરવામાં શું વાંધો? યક્ષે આપી. ચંદ્રશેખરને બોલાવી ઠાઠ માઠથી વિવાહ કર્યો. યહો કન્યાઓને મહાદાન આપ્યું. ત્યારે રૈલોક્યદેવીએ કહ્યું હે તાત! મારી માતા (સોટી બહેનને) શું આપશો. ત્યારે યક્ષે મુદ્રારત્ન આપ્યું. એમાં ચિંતામણી છે. તેથી હર્ષથી તેને ગ્રહણ કર્યું. યક્ષને સન્માની ચંદ્રશેખર ગયો. તે કન્યાઓએ વિદ્યાના પ્રભાવથી વાસભવન વિદુર્યો. ત્યાં તેમની સાથે વિલાસ કરી કુમાર સુઈ ગયો, એ અરસામાં ભવિતવ્યતાના યોગે, અમારી બેન શું કરે છે... તે માટે વિદ્યાનો ઉપયોગ ર્યો. ત્યારે અવલોકિની વિદ્યાથી રૈલોક્યદેવીએ દેખ્યું કે “અવધિ પૂરો થયો પણ હજી મારો ભરથાર આવ્યો નથી. તેથી સવારે હું અનશન લઈશ. “એમ નિશ્ચય કરી મલિન પાંચ વસ્ત્રો ધારણ કરનારી કાઉસગ્નમાં રહેલી, બાલપડિતાને જોઈ. જો સવારે આર્યપુત્ર ત્યાં નહિં જાય તો આ મહાનુભાવ ચોક્કસ અનશન લેશે. એમ વિચારી યક્ષ પાસે ગઈ. સર્વ બીના કહી. યક્ષે પણ આ વાત બરાબર છે,” એમ જાણી કહ્યું કે હે વત્સ ! તું જલ્દી જ સવાર થવા આવી છે. પોતાનો નોકર ધરણીધર નામનો યક્ષ તેમની સહાયમાં આવ્યો તેણે પણ મહાવિમાન વિકવ્યું. તેમા રત્ન, મણિ, મોતી, વિદ્યુમ, સોનું વિગેરે ભર્યું અને સુતેલાજ કુમારને વિમાનમાં ચઢાવ્યો. પરિવાર સાથે તે કન્યાઓ પણ ચઢી. ધરણીધરે આંગલીથી ધારી વિમાનને ઉપાડ્યું તે વેગથી જવા લાગ્યું. ત્યારે ઘૂઘરીના અવાજથી કુમાર જાગી ગયો, આ શું? એમ કૈલોક્યસુંદરીને પૂછયું તેણીએ પણ સર્વ હકીકત જણાવી. ત્યારે ગામ નગરાદિ દેખતો જલ્દી પોતાના નગર પહોંચ્યો. સાધ્વીના વસતિમાં કાઉસગ્નમાં રહેલી બાલપડિતાને જોઈ. રૈલોક્યદેવીએ તેની ઉપર દેવદૂષ્ય વસ નાંખ્યું ત્યારે સંભ્રમથી કાઉસગ્ગ પાલી ઉપર જોયું વિમાન દેખી સંભ્રમથી અંદર ચાલી ગઈ. આ શું છે? એમ સાધ્વીઓને પૂછ્યું. સાધ્વીઓએ કહ્યું તારા તપપ્રભાવે દેવ આવ્યો લાગે છે. એટલામાં વિમાન નીચે ઉતર્યું અને સૂરજ ઉગ્યો. વિમાનમાંથી નીચે ઉતરી નિસીપી કહી ઉપાશ્રયમાં પેસી સાધ્વીઓને કન્યાઓએ પ્રણામ કર્યા. અને બાલપંડિતા પોતાના પતિને દેખી સંભ્રમથી ઉભી થઈ, સામે આવી કુમારે તે કન્યાઓને બાલપંડિતાના પગમાં પાડી. તે સાંભળી રાજાદિનગરજનો, માં બાપ વિ. સ્વજનવર્ગ ત્યાં આવ્યો. ત્યારપછી ધરણીધરને જવાની રજા આપી. દેવદિની સર્વ દ્રવ્ય લઈ મહાવૈભવથી પોતાના ઘેર ગયો. વધામણી શરુ થઈ. વણિકપુત્રોના પરિવારે કુમારને તેમનો વૃત્તાંત પુછયો, ત્યારે કુમાર કાંઈ ઉત્તર આપતો નથી. તેટલામાં વિદ્યા પ્રભાવથી વાસ્તવિકતાં જાણી રસમાં ભંગ ન પડે તે માટે તૈલોક્યદેવીએ ઉત્તર આપ્યો કે આર્યપુત્ર Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ મૂળશુદ્ધિ ભાગ-૧ વિમાનમાં જલ્દી આવી ગયા છે. તેઓ તો સ્થલમાર્ગથી પ્રસ્થિત થયા હોવાથી થોડો કાલ પછી આવશે. અહો ! મારી પ્રિયાની કેવી વચન ચતુરાઈ છે, તેથી કુમાર ઘણો ખુશ થયો. * દરરોજ લોકો પોતાના પુત્ર માટે પૂછવા લાગ્યા, ત્યારે બાલપંડિતા નિમિત્તે આપેલા ચિંતામણી રત્નના પ્રભાવે કુમારે યક્ષને યાદ કર્યો. તેજ પળે યક્ષ હાજર થયો. યક્ષે કહ્યું કયા કારણે હું યાદ કરાયો ? કુમારે કહ્યું તમારી પુત્રીએ આપેલો જવાબ નિસ્તાર પામી શકાતો નથી. માટે તમને યાદ કર્યા છે. તો હું જલ્દી સર્વને લઈને આવું છું. યક્ષે તે પ્રમાણે કર્યું. એ પ્રમાણે આલોકમાં જ દાન ફળથી પ્રાપ્ત ચિંતામણીના પ્રભાવે સર્વ ઇચ્છા પૂરી થઈ. અને જિનસાધુ પૂજામાં તત્પર બનેલો દીનાદિને દાન આપતો સર્વ પ્રકારે પૂર્વે ચિંતવેલા પોતાના મનોરથને પૂરતો પંચ વિષયક સુખ અનુભવતો તેનો ઘણો કાલ વીતી ગયો. યોગ્ય પુત્રો થયા. એક વખત વિચરતાં શીલસાગરસૂરિ પધાર્યા. તેમને વાંદવા સ્ત્રીઓ સાથે દેવદિન્ન ગયો. વંદન કરીને શુદ્ધ ભૂમિએ બેઠો. સૂરિએ ધર્મ દેશના શરૂ કરી. સામગ્રી પ્રાપ્ત થયે છતે ધર્મમાં યત્ન કરવો જોઇએ. જો ભવ્યલોકો ! ભવરૂપી ભયંકર સમુદ્રમાં ફસાયેલા જીવોને મનુષ્યપણું, આર્યદેશ વિ.સામગ્રી સુખથી પ્રાપ્ત થતી નથી. પૂર્વનાં શુભ કર્મોથી આ સામગ્રીને પ્રાપ્ત કરી આપણે ધર્મમાં મન લગાડવું જોઈએ. તે ધર્મ બુદ્ધિશાળીઓએ બે પ્રકારનો કહ્યો છે. ત્યાં સુધી “અનંતા દુઃખો, રાગાદિની પરંપરા, કર્મની ઉત્પત્તિ, જન્મની પરંપરા, સર્વ વિડમ્બના, માણસો આગળ દીન વચનો બોલવા પડે, દુર્ગતિની પ્રાપ્તિ, રોગોનો પ્રાદુર્ભાવ અને બહુ કલેશવાળો ભયંકર સંસાર છે.” જયાં સુધી જિનેશ્વરે ભાખેલો સધર્મ જીવોએ પ્રાપ્ત કર્યો ન હોય. ત્યારે કોઈક દૈવયોગથી સદ્ધર્મ પ્રાપ્ત થાય છે. ત્યારે પાપનો નાશ કરી જીવો અનંત આનંદથી ભરેલી, સર્વ દુઃખથી રહિત એવી પરમગતિને પામે છે. (૬૪). | દીક્ષાની ભાવના થતાં દેવદિ ગુરુને કહ્યું કુટુંબને સ્વસ્થ કરી આપની પાસે દીક્ષા લઈશ. ગુરુએ કહ્યું તું થોભીશ નહિ. “હું પણ એમજ ઈચ્છું છું” એમ કહી ઘેર જઈ મોટા પુત્ર ધનપતિને ઘરનો ભાર સોંપ્યો. જિનાલયોમાં અષ્ટાદ્વિકા મહોત્સવો કરાઈ રહ્યા છે, સાધુ સાધ્વી સમુદાયને વહોરાવી રહ્યા છે, સાધર્મિકોની ભક્તિ થઈ રહી છે. દીન, અનાથ વિ.ને દાન અપાઈ રહ્યા છે. એમ જોરદાર ઠાઠમાઠથી પત્નીઓ સાથે ગુરુ પાસે સંયમ સ્વીકાર્યો. ગુરુએ હિતશિક્ષા આપી. , ભો ! અહીં પણ પ્રશમ અમૃતને પીનારા દીક્ષિત જીવો નિબંધ સુખથી પૂર્ણ થાય છે. તે ભાગવતી દીક્ષા અત્યારે તમે પ્રાપ્ત કરી લીધી છે. હવે તો માત્ર અપ્રમત્તપણે સતત યત્ન કરવાનો છે. જે ભવસમુદ્રને પાર પામતા નથી. તે અધન્ય અધમપુરુષ છે. જે પાર પામે તે ઉત્તમ પુરુષ છે. સાધ્વીઓએ “ઇચ્છા મોડણસઠી' એમ કહ્યું ત્યારે તે સાધ્વીઓને શીલમતિ પ્રવર્તિનીને સોંપી. બન્ને પ્રકારની શિક્ષા લીધી. આયુપર્યત નિરતિચાર ચારિત્ર પાળ્યું. અનશન વિધિથી મરી બારમા દેવલોકે દેવ થયા. ત્યાંથી ચ્યવી મહાવિદેહમાં મોક્ષ પામશે. તેથી આપત્તિ પામેલા ઉપર લવણાધિપતિ સુસ્થિત દેવ પ્રસન્ન થયો, અને ગુરુનું સાન્નિધ્ય કરાવ્યું, તે સર્વ દાનનું ફળ છે. Page #198 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ અભિનવ શ્રેષ્ઠિ કથાનક ૧૮૭ દેવાંગનાના રૂપને ઝાંખુ પાડનારી એવી સુંદર રૂપ લાવણ્ય વાળી કન્યાઓ મળી તે આલોકમાં દાનનું ફળ છે. પંચવર્ષી-સુકુમાલ (પંચવર્ણ - સુકુમાલતાથી યુક્ત) સઘન-મનોહર અનેક દેવદૂષ્યો પ્રાપ્ત થયા તે આલોકના દાનનું ફલ છે. (૭૧) ચિંતામણી વેઠ્ય, વ્રજ, કર્કેતન વિ. રત્નો મળ્યા તે આલોકમાં દાનનું ફળ છે. મણિ મુકતાફળ વિદ્યુમ, સોનુ વિ. વિવિધ દ્રવ્યોનો રાશિ પ્રાપ્ત થઈ તે આલોકમાં દાનનું ફળ છે. પંચ વિષયક અનુપમ ભોગ મળ્યા અને અસામાન્ય કીર્તિ અને ફેલાઈ તે આલોકમાં જ દાનનું ફળ છે. એ પ્રમાણે આ લોકમાં દાનનું અતુલ્ય ફળ છે માટે અહો ! મહાનુભાવો ! શક્તિ પ્રમાણે દાન આપો “દેવદિન્ન કથા સમાપ્ત” (અભિનવ શ્રેષ્ઠિ કથાનક ) આ જંબુદ્વીપના દક્ષિણ ભારતના મધ્યખંડમાં વૈશાલી નામે નગરી છે. અભિમાની શત્રુ રાજા રૂપ જંગલી સિંહનો નાશ કરવામાં મોટા શરભ સમાન અઢાર ગુણરાજીનો ચટક રાજા છે. ત્યાં જીર્ણશેઠ અને અભિનવ શેઠ દારિદ્ર અને ઐશ્વર્યના મંદિર એવા બે વાણીયા હતા. ક્યારેક ત્રિભુવનેશ્વર વીરપ્રભુ છદ્મસ્થ પર્યાયમાં વિચરતા વિચરતા ત્યાં પધાર્યા. ચૌમાસામાં એક ઉપાશ્રયમાં ચાર માસના ઉપવાસ કરીને કાઉસગ્ગ ધ્યાને રહ્યા. જીરણ શેઠે જોઈને ભક્તિથી પ્રણામ કર્યા. આજે હું કૃતાર્થ થયો. મારું જીવન સફળ થયું, કારણ કે આજે પાપરૂપી કાદવને દૂર કરવામાં પાણી સમાન એવાં ભગવાનના ચરણ યુગલમાં મને નમસ્કાર કરવા મળ્યા. એમ દરરોજ પ્રભુનાં ચરણ કમલને હાથ જોડી નમવા લાગ્યો. ક્ષણવાર સેવા કરે છે અને વિચારે છે કે પ્રભુ ખરેખર ચાર મહિનાના ઉપવાસ લઈને ઉભા રહ્યા લાગે છે. તેથી હંમેશા નિશ્ચલ દેહવાળા દેખાય છે. જે પ્રભુ પારણાના દિવસે મારા ઘેર પધારે તો હું મારી જાતને ધન્ય માનીશ. એમ વિચાર કરતા ચાર માસ વીતી ગયા. અને પારણાનો દિવસ આવી ગયો. ત્યારે વંદન કરી નત મસ્તકે વિનંતિ કરવા લાગ્યો કે હે ભગવનું ! “મારા ઘેર પારણું કરવાની કૃપા કરો !” એમ કહી ઘેર જઈ સામગ્રી તૈયાર કરાવી, રાહ જોઈને એક ચિત્તે ઉભો રહ્યો. “આ ભગવાન આવે છે” એમ વિચારતો ભગવાનને પારણુ કરાવી હું સફળ થઈશ, એમાં કોઈ સંદેહ નથી. જો મારા ઘેર પ્રભુ પધારે તો દુઃખરૂપી તરંગ સમૂહથી વ્યાપ્ત, ઘણી આપત્તિઓ રૂપી જલચર પ્રાણીઓનાં સમૂહવાળા સંસાર સમુદ્રથી હું તરી જઈશ. આ બાજુ જીરણ શેઠ વધતી જતી પરિણામની ધારાથી તેના રોમ રોમ ખડા થઈ રહ્યા છે. ત્યારે પ્રભુએ અભિનવ શ્રેષ્ઠિના ઘેર પ્રવેશ કર્યો. “દરેક પ્રાણીને આપેલુ દાન આલોકમાં જ ફળવાળું થાય છે,” આવી ભાવનાથી શેઠે ભગવાનને પારણું કરાવ્યું. તેજ પળે સુપાત્ર દાનના પ્રભાવે અજોડ પાંચ દિવ્ય પ્રગટ થયા. જીરણ શેઠ દુંદુભિનો અવાજ સાંભળી વિચાર મગ્ન થયો. - ત્યારે કોઈએ કહ્યું પ્રભુએ પારણું કર્યું, તે સાંભળી વધતા ભાવો અટકી ગયા. ત્યાં પાર્શ્વપ્રભુ તીર્થના કેવલી ભગવંત પધાર્યા.લોકો વાંદવા ગયા. કેવલી ભગવંતે પણ ભવસમુદ્રથી પાર પમાડવામાં નાવડી સમાન ધર્મદેશના આરંભી... ભો ભવ્યો ! ધર્મ જ શરણ છે. બીજુ બધુ નકામુ છે. સર્વ સાંસારિક સુખ-સામગ્રી, સ્વર્ગ, મોક્ષ બધુ સારી રીતે કરાયેલા ધર્મથી મળે છે. તે ચાર પ્રકારે છે. તે કરો, જેનાથી જલ્દી મોક્ષ પામશો. Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ મૂળશુદ્ધિ ભાગ-૧ આ અરસામાં અભિનવ શેઠના પુણ્ય સમૂહથી ચકિત થયેલા લોકોએ અવસર જાણી વિનયથી પૂછયું.આ નગરમાં વધારે પુણ્યવાળું કોણ છે? ભગવાને કહ્યું જીરણ શેઠ વધારે પુણ્યવાળો છે. ભગવન ! તેણે તો પારણુ નથી કરાવ્યું અને બીજાના ઘેર તો પાંચ દિવ્ય પ્રગટયા. ભગવાને કહ્યું જો એકક્ષણ માત્ર તેણે “પ્રભુનું પારણું થઈ ગયું છે” એવું ન સાંભળ્યું હોત તો ચોક્કસ કેવલજ્ઞાન પામત. બીજો ભાવ વગરનો હોવાથી તેને “પરલોકનું હિત કાંઈ પ્રાપ્ત નથી થયું. આ સાંભળી નગરજનો જીરણશેઠ ઉપર બહુમાન ધરતા કેવલીને નમી પોત પોતાના ઘેર ગયા. “અભિનવ શેઠ કથા સમાપ્ત હવે બીજા શ્લોકના ભાવાર્થને કહે છે તેના વિષે ધનસાર્થવાહની કથા કહે છે. . (ધનસાર્થવાહ કથાનક) જંબુદ્વીપનાં વિદેહક્ષેત્રમાં પવિત્ર પૂર્વ દિશામાં દેવનગર જેવું ક્ષિતિપ્રતિષ્ઠિત નામે નગર છે, કુબેર જેવો ગુણનો ભંડાર એવો ધન નામે સાર્થવાહ છે. જે બોત્તેર કલામાં કુશલ છે. એક વખત કુટુંબ માટે જાગરણ કરે છે. ત્યારે રાત્રિના છેલ્લા પહોરે વિચાર આવ્યો કે જે માણસ ઘરમાંથી નીકળીને અનેક આશ્ચર્યથી ભરપૂર એવી પૃથ્વીને જોતો નથી તે કૂપમંડુક છે. જયાં સુધી ધૂર્તોથી વ્યાપ્ત અનેક ઘટનાથી ભરપૂર એવી પૃથ્વી માણસ વડે પવિત્ર કરાતી નથી ત્યાં સુધી તે માણસને મોજ મજા પાંડિત્ય, વાણીમાં ચતુરાઈ અનેક દેશભાષાનું જ્ઞાન અને અન્ય પણ સારું પ્રાપ્ત થતુ નથી. તેથી પૃથ્વીપીઠ જોવા હું જાઉં અને પોતાના હાથે કમાયેલા ધનથી શ્રેષ્ઠ કીર્તિ ફેલાવું. સામગ્રી તૈયાર કરાવી ઘોષણા કરાવી કે “સાર્થવાહ વસંતપુર જાય છે.” જેણે સાથે આવવું હોય તેને બધી રીતે સંભાળશે. ત્યારે ઘણા માણસો તૈયાર થઈ ગયા. ધર્મઘોષસૂરીએ જવાની ઇચ્છા હોવાથી સ્વરૂપ જાણવા સાધુને મોકલ્યા. સાધુને જોઈ સાર્થવાહે ભક્તિથી | આદરપૂર્વક આવવાનું કારણ પૂછયું, ત્યારે સાધુએ બધી વાત કરી સાર્થવાહે ખુશ થઈને કહ્યું. જો સાર્થમાં જવાની ઇચ્છા હોય તો સાર્થના પડાવમાં રહો અને મારી રાહ જુઓ. ત્યારે કોઈક સાર્થવાહને ભેટ દેવા કેરીનો થાળ ભરી ત્યાં આવ્યો. સાર્થવાહ પણ સાધુને આપવા લાગ્યો. ત્યારે સાધુએ કહ્યું મહાભાગ ! કંદમૂલ ફલવિગેરે સચિત્ત હોવાથી અમારે ના ખપે. સંક્ષેપથી કધ્ય અકથ્ય. સમજાવી સાધુ સૂરિ પાસે ગયા. સાધુએ વૃત્તાંત કહ્યો, ત્યારે ગુણના દરિયા સૂરિભગવંત પાંચસો સાધુઓ સાથે ત્યાં આવ્યા. સર્વ સાથે તૈયાર થતા પ્રસ્થાન કર્યું. બધા લોકો સુખેથી ચાલે છે. સાર્થવાહ ખામી રાખ્યા વગર બધાની સંભાળ રાખે છે. અનુક્રમે એક મોટા ભયંકર જંગલમાં આવ્યા. ત્યાં વૃક્ષઘટાથી તડકો તો સાવ ઢંકાઈ ગયો છે. વળી ભારતકથા જેમ અર્જુન, ભીમ, નકુલથી શોભિત છે, તેમ આ વન અર્જુનવૃક્ષ અને ભયંકર નોળીયાથી યુક્ત છે, જેમ સપુરુષની મૂર્તિ સુંદર ચિત્રવાળી હોય છે તેમ સુંદર ચિત્તાવાળું, ખરાબનટનું નાટક ખરાબ નાટ્યશાળાવાળું હોય છે તેમ આ મૃગલાવાળું છે. જેમ જિનાલયની ભૂમિ હરતાં ફરતાં શ્રાવકોવાળી હોય છે, Page #200 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ ધનસાર્થવાહ કથા (૧૮૯ તેમ ભમતા ઘણા જંગલી પશુવાળું જેમ સાધુનું શરીર સંવરવાળુ હોય છે, તેમ સંવર નામના હરણવાળું, સિદ્ધિ જેમ શબ વગરની હોય, તેમ ભિલ્લને હિતકારી, મદોન્મત્ત સ્ત્રી જેમ કામવાળી હોય છે તેમ આ વન સારિકાવાળુ છે. શિવની મૂર્તિ જેમ ગંગાવાળી હોય છે, તેમ પેંડાવાળુ, અલ્કાપુરી જેમ ઘણાં વૈભવવાળી હોય તેમ ઘણા પ્રકારના વાયુવાળું, સજજન માણસોની પ્રવૃત્તિ જેમ ઘણાં નયવાળી = ઘણુ કરીને નીતિમય હોય) તેમ ઘણા ઝાડવાળુ, દુર્જન માણસની ચેષ્ટા ઘણી આપત્તિવાળી હોય, તેમ ઘણી નદીવાળુ, દાઢી મૂંછને ધારણ કરનાર શરીરવાળી નારી જેમ દાઢીવાળી હોય છે તેમ હિંસક જાનવરવાળું, જિનેશ્વરનો સમૂહ જેમ ઘણાં સત્ત્વવાળો હોય તેમ ઘણાં પ્રાણીવાળું એવા જંગલના મધ્યભાગમાં સાથે પહોંચ્યો. એ અરસામાં યુદ્ધે ચડેલો વિજયરાજા જેમ ભારે તલવારની ધારથી પરપક્ષને દબાવી દે છે, તેમ ગુરુતર જલવૃષ્ટિના નિપાતથી-ભારેવરસાદ પડવાથી પક્ષિયોને શાંતિ આપનાર, રાજા જેમ સૈન્યના સમૂહથી શોભે છે, તેમ નદીપૂરથી શોભનાર, રાજા ઉત્તેજિત પરભાવવાળા હોય તેમ ઉન્નત વિનાશવાળો, (ચારે બાજુ વિનાશ વેરનાર) જેમ રાજા ધનુષ્યવાળો હોય તેમ ઈન્દ્રધનુષ્યવાળો વર્ષાકાલ આવ્યો. વળી ચમકતી વિજળીના કડાકાથી વાતાવરણ ભયાનક થઈ ગયું. ગોકળગાયો ચાલી રહી છે. ભીના કાદવથી માર્ગમાં ચાલવું પણ મુશ્કેલ છે. દેડકાના અતિ અપ્રિય પ્રાંઉં ડ્રાંઉં શબ્દથી દિશાઓ ભરાઈ રહી છે, વહેતી ગિરિ નદીના પૂરથી મુસાફરી અટકી ગઈ છે. આવા વરસાદના કારણે આગળ જવાનું બંધ થઈ ગયું. તેથી ઉંચી રેતીવાળા પ્રદેશે ઢાંકીને | તંબુ તાણીને સાથે રહ્યો. દિવસો જતા આખા સાર્થમાં ધાન્ય ખલાસ થઈ ગયું. તેથી લોકો સચિત્ત કંદમૂલ ફળ ખાવા લાગ્યા.પર્વતગુફામાં રહેલા મુનિઓ પણ સમાધિ ચિત્તવાળા વિવિધ તપમાં તત્પર તેમજ ધ્યાન સ્વાધ્યાયમાં મસ્ત રહે છે. વર્ષાકાલ ઘણો ખરો વિતતા છતાં રાત્રીના છેલ્લા પહોરે સાર્થવાહ વિચારવા લાગ્યો કે “મારા સાર્થમાં કોણ સુખી છે ને કોણ દુઃખી છે”? એટલામાં તેને મુનિઓ યાદ આવ્યા અરે રે ! દુઃખની વાત છે તે મુનિઓ દુઃખી હશે કારણકે તેઓ સચિત્ત કિંદાદિને હાથ પણ લગાડતા નથી. મારા પ્રમાદને ધિક્કાર હો.જેના કારણે તપસ્વીઓને તૃપ્ત ન કર્યા. તેથી અપુણ્યશાળી એવા મેં જાતને (આત્માને) આલોક અને પરલોકની આપત્તિમાં નાખ્યો, કાલે સવારે સમસ્ત મુનિઓને તૃપ્ત કરીશ. એમ વિચારતા રાત્રિ જલ્દી પૂરી થઈ ગઈ. પરિવારે જણાવ્યું કે તે મુનિ અઠવાડિયે, પંદર દિવસે કે મહીને ગોચરી માટે આવે છે. પોતે ત્યાં જઈ જોયું તો મુનિઓના શરીર તપથી સૂકાઈ ગયા છે. શરમથી માથુ નમાવી સૂરીના પગે પડ્યો. સૂરીએ ધર્મલાભ આપ્યો. મેં તમારી સંભાળ ન રાખી તેની મને ક્ષમા કરો. અવસર જાણી ગુરુએ સંવેગ ઉપજાવનારી ભવસમુદ્રમાં તરવા માટે શ્રેષ્ઠ જહાજ સમાન સુંદર દેશના આપી. તે સાંભળી તે બોલ્યો કે મારે ઘેર સાધુઓને મોકલો જેથી શુદ્ધ ગોચરી વહોરાવું. તેનો ભાવ જાણી તેની સાથે જ સાધુ મોકલ્યા. ઘેર બધી રસોઈ જોઈ પણ કાંઈ તૈયાર ન હોવાથી રોમાંચિત દેહવાળાએ તેણે ઘી વહોરાવ્યું. કાલાદિથી વિશુદ્ધ એવા તે દાન વડે તેણે મોક્ષ ફળ આપનાર સમ્યકત્વ મહાવૃક્ષનું બીજ પ્રાપ્ત કર્યું. તે બાલવૃદ્ધ વિ. બધા સાધુઓએ વાપર્યું Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ મૂળશુદ્ધિ ભાગ-૧ અને હજમ થઈ ગયું, જેમ તપેલા તવા ઉપર જલબિંદુ. વર્ષાકાલ પૂરો થતાં સાર્થ ઇચ્છિત નગરે પહોંચ્યો. રાજાનું સન્માન કર્યું. પોતાનો માલ વેંચી ધાર્યા કરતાં વધારે લાભ મેળવ્યો. બીજો માલ લઈ પોતાને ઘેર હેમખેમ પાછો આવ્યો. લીલાપૂર્વક પોતાનાં મનોરથોને પ્રાપ્ત કરવામાં તત્પર વિષયસુખોને અનુભવતો તેનો કાલ સુખપૂર્વક જાય છે. એ પ્રમાણે અનુક્રમે આયુષ્ય પૂરું થયે છતે દેહનો ત્યાગકરીને દાનનાં પ્રભાવે યુગલિક થયો. ઉત્તરકુરૂમાં મનોહર રૂપવાળો, બત્રીસ લક્ષણથી યુક્ત, સમાન રૂપ અને યૌવનવાળી શ્રેષ્ઠ સ્ત્રીથી યુક્ત, કલ્પતરુથી પ્રાપ્ત થયેલા મનને ઈષ્ટ એવાં વિષયસુખ સંગમમાં એક તાન બનેલો ત્રણ પલ્યોપમ આયુ ભોગવી સૌધર્મ નામના શ્રેષ્ઠ વિમાનમાં સુંદર શરરીવાળો, પગ સુધી લટકતી માળાવાળો, ત્રણ પલ્યોપમની સ્થિતિવાળો દેવ થયો. સૌધર્મથી ચ્યવી મહાબલ થયો. આ પ્રમાણે “દેવ અને મનુષ્યો વડે જેમના ચરણ કમલ વંદાયા અને છેલ્લે કર્મ ખપાવીને મોક્ષને પામ્યા ત્યાં સુધી ત્રષભસ્વામીનું ચરિત્ર કહેવું. ઘીના દાનથી ધનસાર્થવાહ તેરમાંભવે તીર્થંકર થયા. માટે સ્વશક્તિથી દાન આપવું જોઈએ. શેષભવો શ્રેયાંસ કથામાં કહીશું. “ધનસાર્થવાહ કથા સમાપ્ત” (ગ્રામચિન્તકનું દષ્ટાન્ત) જંબુદ્વીપનાં વિદેહમાં રાજાએ એકને ગામનો ચિંતક તરીકે નીમ્યો. એક દિવસ રાજાની આજ્ઞાથી ભાત પાણી લઈ ઘર યોગ્ય લાકડા લેવાં પાંચશો ગાડા લઈ મોટા વનમાં ગયો. આ બાજુ સાર્થથી ભ્રષ્ટ થયેલાં ભૂખતરસથી પીડાયેલા શરીરાળા સાધુઓ આમ તેમ ભમતાં તે ગાડાના ચીëથી તેજ ભાગમાં આવ્યા, સંભ્રમથી તેમની પાસે ગયો. ભાવપૂર્વક વાંદ્યા તેમાં શરદઋતુનો સમય જેમ ધૂળ વગરનો હોય મોટો રાજા વેગ વગરનો હોય, આપત્તિથી ભંગાયેલો માણસ જેમ આનંદ વગરનો હોય, ઘરડો માણસ દાંત વગરનો હોય, સુવૈઘ જેમ રોગમાં રત હોય, તેમ રાગ વગરના,ચંદ્ર જેમ હરણવાળો હોય, ક્રોધી ગર્વવાળો હોય, જૈન સિદ્ધાંત જેમ સુંદર આશયવાળો હોય, દારુ પીધેલ જેમ નશાવાળો હોય તેમ જ્ઞાનવાલા સૂરીને જોયા. ગ્રામ ચિંતકે પુછયુ કે ભગવન ! આપ આ ભયંકર જંગલમાં કેમ આવ્યા ? સૂરી બોલ્યા - અમો માર્ગ ભૂલી ગયા છીએ. પોતાનાં આવાસે લઈ ગયો. ભક્તિ ભાવથી વહોરાવ્યું અને વિચારવા લાગ્યો. અહો ! આ જંગલમાં અચિંત્ય ચિંતામણી સમાન મહાસત્ત્વશાળી સુપાત્ર એવા મને સાધુ પ્રાપ્ત થયા. તે મારો પુણ્યોદય કહેવાય, મારે જંગલમાં આવવાનું ક્યાંથી હોય? અથવા દૈવયોગે વિષમદશાને પ્રાપ્ત થયેલાં સાધુઓ અહીં ક્યાંથી આવે ? આવી સામગ્રી ભાગ્યશાળી પુરુષોને જ પ્રાપ્ત થાય. તેથી હવે મારે ચોક્કસ કલ્યાણ પરંપરા ચાલુ થશે. જે પાપમલથી મેલા હોય એઓને આવાં અવસરે સાધુઓનું દર્શન મળી શકતું નથી. એમ વિચારતાં ફરીથી તેણે ચરણયુગલને વંદન કર્યું. જમ્યા પછી તલવાર લઈ માર્ગ દેખાડવા ગયો.ઘણાં ભોળા ભાવવાળો Page #202 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ નયસાર કથા ૧૯૧ જાણી સૂરીએ તેને મોક્ષવૃક્ષનું બીજ સમાન પાપરહિત એવુ સમ્યગ્દર્શનનું વર્ણન કર્યું. કર્મના લયોપશમના લીધે તેણે ગુરુ પાસે સ્વીકાર્યું. સૂરીએ કહ્યું આના વિષે તું પ્રમાદ કરીશ નહિ, કારણ કે ત્રાસ વગરનું,વિમલ, કલંકરહિત, નિર્દભ આચરણ યુક્ત, ત્રણે લોકમાં અદ્દભુત વખાણથી પૂજાયેલું, આનંદ આપનારુ, વિદ્વાનોનું હૃદય, મહાફલોદય ગુણવાળું, એવું ઉત્તમ સમકિત રત્ન સંસાર સમુદ્રમાં પ્રાપ્ત કરી કયો માણસ પ્રમાદ કરે ? (૮) જેમ આપ કહો તેમ કરીશ” એમ કહી માર્ગે ચડાવી પાછો ફર્યો. રાજકાર્ય કરી પોતાનાં ઘેર ગયો. ત્યાં પણ જિનવંદન-પૂજનમાં તત્પર,સુસાધુનું બહુમાન કરવામાં રત જિનભાષિત સિદ્ધાંતનો સ્વીકાર કરતો. પંચ નમસ્કાર રૂપી પાણીના પ્રવાહથી કર્મમલના પડને સાફ કરતો, અવિરત સમ્યદ્રષ્ટિ એવાં એનો અંત સમય આવ્યો. સમાધિથી મરી શરીરપિંજરને છોડી સૌધર્મ દેવલોક પલ્યોપમની સ્થિતિવાળો મહર્થિક દેવ થયો. ત્યાંથી આયુષ્ય પૂર્ણ થયે છતે અવીને આજ ભરતક્ષેત્રમાં વિનિતા નગરીમાં પ્રથમ જિનેશ્વરનો પુત્ર અને ભરતક્ષેત્રના અધિપતિ ભરત રાજાનો મરીચી નામે પુત્રપણે ઉત્પન્ન થયો. જિનેશ્વરનાં પ્રથમ સમવસરણમાં ઋષભ સ્વામીનું વચનામૃત પીને સંવેગ પામ્યો અને શમી ગયેલા પાપવાળા તેણે દીક્ષા લીધી. એક દિવસ ઉનાળામાં પરસેવા અને મલ વડે મેલા શરીરથી ઉદ્વેગ પામેલો, એમ વિચારવા લાગ્યો.. મેરુસમાન અતિશયભારી ઉત્તમ સત્ત્વોએ આચરેલ જિનેશ્વરોએ ઉપદેશેલ આ ચારિત્રને હું વહન કરવા અસમર્થ છું. અને પિતાની શરમથી વ્રત ભ્રષ્ટ થઈ ઘેર કેવી રીતે જાઉં? આ બાજુ વાઘ અને પેલી બાજુ નદી છે. આનાથી કેવી રીતે પાર પામવું? આમ વિચારતાં આવાં પ્રકારની બુદ્ધિ ઉપજી કે પરિવ્રાજકની દીક્ષાને હું ગ્રહણ કરું ? જેથી આગમમાં કહ્યું છે. - શ્રમણો ત્રણે દંડથી વિરમેલા અને નિશ્ચલ તથા સંકુચિત દેહવાળા છે. હું ઈન્દ્રિયને જીતેલ ન હોવાથી તથા મારા મન, વચન, કાય અશુભ વ્યાપારવાળા હોવાથી દંડ રૂપ છે માટે મારે ત્રિદંડ એવું ચિહ્ન થાઓ. દ્રવ્યથી લોચ વડે અને ભાવથી ઈન્દ્રિય દ્વારા શ્રમણો મુંડ છે, હું તો ભાવથી મુંડ નથી માટે હું અસ્ત્રાથી હજામત કરીશ, અને ચોટી રાખીશ. સ્કૂલ પ્રાણાતિપાતથી હું વિરતિ રાખીશ. શ્રમણો સોનું વિ. રાખતા નથી. જિનકલ્પી તો કાંઈ પણ નથી રાખતા, હું કાંઈક રાખીશ. શ્રમણ શીળસુગંધવાળા છે, હું શીલવાળો નથી. તેથી હું સુગન્ધિ દ્રવ્યથી વિલેપન કરીશ. શ્રમણો મોહ વગરના છે, મોહથી ઢંકાયેલા મારે છત્ર હો. શ્રમણો જોડા નથી પહેરતા હું પાવડી પહેરીશ. શ્રમણો શ્વેત વસ્ત્રધારી કે વસ્ત્ર વગરનાં હોય છે, હું ગેથી રંગેલા વસ્ત્ર પહેરીશ, કારણ હું ક્યાયથી કલુષિત મતિવાળો હોવાથી મારે આવા કષાય વસ્ત્ર યોગ્ય છે. પાપથી ડરનારા સાધુ ઘણાં જીવોથી વ્યાપ્ત જલારંભ કરતા નથી. હું તો પરિમિત પાણીથી સ્નાન કરીશ. અને કાચુ પાણી પીઈશ. એ પ્રમાણે તેને હિતકારી હેતુવાળા આ પરિવ્રાજક લિંગને પોતાની બુદ્ધિથી કલ્પીને અભિષ્ટ મતિવાળા-પોતાને જે ઈષ્ટ છે તે તરફ મતિ - બુદ્ધિ દોડાવનારા “તેણે પ્રવર્તાવ્યો. પ્રગટ રૂપવાળા તેને દેખી ઘણાં લોકો ધર્મને પૂછે છે, ત્યારે તે યતિના સમાદિ ધર્મને કહે છે. તો તમે આ ધર્મને કેમ ન સ્વીકાર્યો ? એમ માણસો વિચારવાં Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ મૂળશુદ્ધિ ભાગ-૧ લાગ્યા. ત્યારે તેઓને પોતે ઉપરની સઘળી વાત કરે છે. ધર્મકથાથી આકર્ષિત થયેલાં તેમજ શિષ્ય થવા તૈયાર થયેલાઓને સ્વામીને સોંપે છે. ગામ નગરાદિમાં પ્રભુ સાથે જ વિચરે છે. ભગવાન વિચરતાં વિનીતા નગરીમાં સમવસર્યા. ભરતે દેશનાં પછી પૂછ્યું કે હે ભગવન્ ! આ સભામાંથી આ ભરતમાં જ કોઈ ભગવાન થશે ? પ્રભુએ કહ્યું - મરીચીની સામે ઈશારો કરીને એ સુર અસુરથી વંદિત, સાત હાથના દેહ પ્રમાણવાળા વીરનામે છેલ્લા તીર્થંકર થશે. પહેલા વાસુદેવ અને મૂકાવિદેહમાં ચક્રવર્તી થશે. તે સાંભળી ભરતરાજા મરીચીને વંદે છે, અને ત્રણ પ્રદક્ષિણા આપી રોમાંચિત દેહડીએ સ્તુતિ કરવા લાગ્યા.. તમે પ્રશંસનીય લાભો પ્રાપ્ત કર્યા છે. તમે ધન્ય છો. પુણ્યશાળી છો, કે જેથી ખુદ પિતાશ્રીએ પણ કહ્યું છે. તેમ અહીં છેલ્લા તીર્થંકર તથા પહેલાં વાસુદેવ અને મુકાવિદેહમાં ચક્રી થાશો. એમ સ્તુતિ કરી પિતાશ્રીને પૂછી ઘેર ગયા. તે સાંભળી મરીચી પણ મલ્લની જેમ રંગમંડપ મધ્યે હાથ પછાડે તેમ હાથ પછાડી ત્રણવાર ગર્વથી એમ બોલવા લાગ્યો ‘હું વાસુદેવમાં પહેલો, પિતા ચક્રવર્તીમાં પહેલા, અને દાદા તીર્થંકરમાં પહેલા, અહો ! મારુ કુલ ઉત્તમ છે.’ આ ગર્વથી કોડાકોડિ સાગરોપમ સ્થિતિવાળું ભારેખમ દુઃખ આપનારું નીચગોત્ર બાંધ્યું. આવા પ્રકારની પ્રવૃત્તિ કરતો તે પ્રભુ સાથે વિચરી રહ્યો છે, ત્યારે પ્રભુ અષ્ટાપદે મોક્ષે પધાર્યા. ત્યાર પછી મરીચિને દારુણ રોગ ઉત્પન્ન થયો. પણ અસંયત હોવાથી સાધુઓ તેની સંભાળ રાખતા નથી. ત્યારે આ વિચારે છે કે મને કોઈ ચેલો પ્રાપ્ત થાય તો સારું. એટલામાં ત્યાં કપિલ નામે રાજપુત્ર આવ્યો. યતિધર્મ ભાખ્યુ છતે તેને કહ્યું શું તમારી ક્રિયાથી કાંઈ પુણ્ય થાય છે ખરું ? રિચીએ ઉત્તર આપ્યો. “અહીં પણ કંઈક છે' તે સાંભળી કપિલ કહેવા લાગ્યો જો એમ છે તો હું તમારી ક્રિયા કોઈ પણ જાતના વિકલ્પ વિના કરીશ. મરીચિએ પણ અમારા સરખો છે એમ જાણી પોતાની પરિવ્રાજક દીક્ષા આપી. “અહીં પણ કંઈક પુણ્ય-ધર્મ છે” આ વચનથી કોડાકોડી સાગરપોમનો સંસાર વધ્યો. આ પછીનું વીર ચરિત્ર પ્રસિદ્ધ હોવાથી અમો લખતા નથી. નયસાર કથા સમાપ્ત શ્રી શ્રેયાંસ કથાનક કુરુદેશમાં અલંકારભૂત ગજપુર નામે નગર છે. ત્યાં બાહુબલિનો પુત્ર સોમપ્રભ નામે રાજા છે. તેનો પુત્ર શ્રેયાંસકુમાર છે. તેણે રાત્રે છેલ્લા પહોરે મેરુપર્વતને કાળો થયેલો જોયો અને પોતે અમૃત કળશથી સીંચી એકદમ નવો કર્યો. સોમપ્રભે સ્વપ્નમાં જોયું કે સૂર્યના કિરણો છૂટા પડી ગયા. અને શ્રેયાંસે ઉંચા ઉડાડી ફરીથી સૂર્ય સાથે જોડ્યા. તેથી અધિક તેજથી ચમકવા લાગ્યા. નગરશેઠે સ્વપ્નમાં જોયું કે કોઈક મોટા માણસે શત્રુ સૈન્ય સાથે યુદ્ધ કરી પ્રાયઃ નાશ કરી નાંખ્યું શ્રેયાંસે તેની સહાય કરી સર્વ સામગ્રી વગેરે ભાંગી નાખી. સવારે બધા ભેગા મળી એકબીજાને તે સ્વપ્ન કહેવા લાગ્યા. કુમારને કાંઈ પણ શુભ થશે એટલુ ચોક્કસ છે. બધા ઘેર ગયા. શ્રેયાંસ પણ મહેલના ઉપરના માળના ગવાક્ષ (ઝરોખાં) થી નગર શોભા જોવા લાગ્યો. Page #204 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ શ્રેયાંસ કથા ૧૯૩ દેવ આ બાજુ દીક્ષા લઈ મૌન ધરી પ્રભુ ઋષભ જયાં જ્યાં જાય છે. ત્યાં બધા હાથી, ઘોડા, કન્યા વિગેરે થી આમંત્રણ આપે છે. (સામે ધરે છે.) કારણ કે તેઓ જાણતા નથી કે ભિક્ષા કેવી અને ભિક્ષાચર કેવા ? એમ વિચરતાં વિચરતાં પ્રભુને એક વર્ષ થઈ ગયું. શ્રેયાંસે નગરના દરવાજેથી પ્રવેશ કરતા પ્રભુને જોયાં. દેખીને વિચારવા લાગ્યો... “જેવું. દાદાજીનું રૂપ, લિંગ, વ્રત પ્રમાણ છે તેવું મેં પૂર્વે ક્યાંય દેખેલું લાગે છે.' ક્યાં દેખ્યું એમ ઈહાપોહ કરતાં જાતિસ્મરણ જ્ઞાન થયું તેનાથી પૂર્વની સર્વ હકીકત જાણી હું જિનેશ્વરને વહોરાવું. એમ વિચારતા ઘરના આંગણામાં આવ્યો. એ અરસામાં તેના દર્શન માટે શેલડીના રસના ઘડા લઈને કેટલાક માણસો ત્યાં આવ્યા અને ભગવાન પણ પધાર્યા. ત્રણ લોકના ગુરુને જોઈ રોમરાજી ખીલી ઉઠી અને ઈશુરસનો ઘડો લઈ કહેવા લાગ્યો હે ભગવન્! અનુગ્રહ (ઉપકાર) કરો. ત્યારે “કલ્પ એવો આહાર છે માટે જિનનાથે હાથ પસાર્યા. શ્રેયાંસે પણ કરતમાં સર્વ રસ વહોરાવ્યો. (નાંખ્યા) ચંદ્ર અને સૂર્ય સુધી શિખા લાગી જાય પણ પ્રભુના હાથમાંથી એક બિંદુ નીચે ન પડે. કારણ કે પરમાત્માનો આવો અતિશય છે. આજે હું કૃતાર્થ થયો. આજે જીવીત સફળ થયું. મનુષ્ય જન્મનું ફળ આજે મેં મેળવ્યું. કારણ કે આજે મેં પ્રભુને પારણું કરાવ્યું. એટલામાં ગગનમાંથી સુગંધી પાણીની વૃષ્ટિ થઈ. દેવોના હાથરૂપી કળીમાંથી મૂકાયેલી, લીન બનેલા મત્તભ્રમરનાં ઝંકારવાળી પુષ્પવૃષ્ટિ આકાશમાંથી પડી. દેવતાઓએ ગંભીર ધ્વનિવાળી દુંદુભિઓ વગાડી. રત્નનો સમૂહ મૂક્યો. ઈંદ્રધનુષ્ય રચ્યું. વસ્ત્ર ઉડાડ્યા, ખીલેલા નયનવાળા દેવો બોલવા લાગ્યા અહો ! સુદાન ! મહાદાન ! હે કુમાર ! તું કૃતાર્થ થયો છે. તારો મનુષ્ય જન્મ સફળ છે. જેણે આજે. ત્રણભુવનના નાથને પારણું કરાવ્યું. નગરજનો ત્યાં આવ્યા. અત્યંત હર્ષથી પૂછ્યું હે કુમાર ! તેં કેવી રીતે જાણ્યું કે ભગવાનને આવી રીતે દાન અપાય. તે સાંભળી સોમપ્રભ વિ. આશ્ચર્યથી પ્રફુલ્લિત નેત્રોવાળા, ત્યાં આવ્યા. મેં જાતિસ્મરણથી દાનવિધિ જાણી અને બીજુ મારે પ્રભુ સાથે આઠભવનો સ્નેહ સંબધ છે. કુતુહલથી તેઓએ ભવો પૂછ્યા. આ જંબુદ્વીપમાં ઉત્તરકુરુમાં હું સ્ત્રી અને પ્રભુ પુરુષ રૂપે યુગલિક હતા. દશ પ્રકારનાં કલ્પવૃક્ષથી ઉત્પન્ન સુરલોક સરીખા પંચ વિષયક ભોગ - ઉપભોગથી લાલિત શરીરવાળા અમે ઉત્તરદ્રહના મખમલ જેવી કોમલ ભૂમિતલે ઉગેલ કલ્પવૃક્ષની ગહન છાયામાં બેઠા હતા. ત્યારે ક્ષીરસાગર સરખા પાણીથી ભરેલા સરોવરમાં સ્નાન કર્યા પછી ગગનમાં કુદતા દેવ શરીરના કિરણોથી ઉદ્યોતિત થયેલી દિશાસ્ત્રીને જોવાથી ઉત્પન્ન ચિંતાભારથી મંદ મંદ બંધ થતા નયન યુગલવાળો તે મારો પતિ મૂછ પામ્યો. પળમાં સ્વસ્થ થઈ બોલવા લાગ્યો. હા સ્વયંપ્રભા ! તું ક્યાં ગઈ તું મને જવાબ તો આપ. સ્વયંપ્રભા નામ સાંભળી પૂર્વે અનુભૂત નામના વિમર્શ (વિચાર) થી નાશ પામતી ચેતનાવાળી હું પણ પરણિતલે પડી. થોડીવારમાં સ્વસ્થ થઈ જાતિસ્મરણ થવાથી મેં કહ્યું કે નાથ ! હું જ તે સ્વયંપ્રભા છું. તેણે કહ્યું કે સ્વયંપ્રભા તું કેવી રીતે ? મેં કહ્યું.... અઠાવીશ લાખ વિમાનથી વ્યાપ્ત, સુકૃતથી વ્યાપ્ત, ફાટફાટ થતા રૂપલાવણ્યવાળા દેવ Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ મૂળશુદ્ધિ ભાગ-૧ દેવાંગનાઓથી ભરેલ ઈશાલ કલ્પ છે, તેમાં શ્રીપ્રભ નામે વિમાન છે. તેનો સ્વામી લલિતાંગ દેવ છે. સ્વયંપ્રભા તેની પટરાણી છે. અનુરક્ત તેઓનો દિવસની જેમ ઘણો કાલ વ્યતીત થઈ ગયો. એક દિવસ કરમાયેલા પુષ્પવાળા ચિંતાતુર બનેલા દેવને દેવીએ દેખ્યો. કારણ પૂછ્યું. તે દેવે કહ્યું કે પ્રિયે ! કારણ મોટું છે. જન્માંતરમાં તપ ઓછો કર્યો હતો જેથી તારાથી વિખૂટો પડીશ. તે મહાનું ઉદ્વેગનું કારણ છે. તેણે કહ્યું તમે થોડા તપનું આચરણ કેવી રીતે કર્યું? તેણે કહ્યું - 1 આ જ જંબુદ્વીપના ગંધમાદન પર્વત પાસે ગંધિલાપતિ વિજય મધ્યે વૈતાઢ્ય પર્વતની શ્રેણીમાં ગંધાર દેશના ભૂષણ સમાન વિદ્યાસિદ્ધિ સમૃદ્ધિથી સમૃદ્ધ ગંધસમૃદ્ધિ નામે નગર છે. તેનો રાજા શતબલનો પુત્ર મહાબલ રાજા છે. તેને પૂર્વ પુરુષની પરંપરાથી આવેલો ક્ષત્રિય જિનવચનથી સંસ્કારિત મતિવાળો બાલપણાથી મિત્ર સ્વયંબુદ્ધ નામે મંત્રી છે. બીજો મિથ્યાત્વથી મૂઢ મનવાળો સંભિન્નશ્રોત નામે મંત્રી છે. રાજા ઘણું ખરું કાર્ય તેને પૂછીને કરે છે. એક દિવસ મધુર સ્વરના ઘોલનવાળા તંત્રી તલતાલના અવાજથી વિકસિત ગંધર્વ યુક્ત નાટકના રંગમંચમાં રહેલા શણગાર સજેલા મનોહર નટનટીમાં પરોવેલા ચિત્તવાળો રાજા બેઠો છે. ત્યારે સ્વયંબુદ્ધે કહ્યું હે દેવ “સર્વ ગીત તે વિલાપરૂપે છે. સર્વે નાટક વિડંબના છે.” ઘરેણાં ભાર રૂપે છે. સર્વે કામ દુઃખ આપનારા છે. ત્યારે રાજાએ કહ્યું - કાનને અમૃત સમાન આ ગીત છે, તને વિલાપ રૂપે કેવી રીતે લાગે છે.? નયનની ઉન્નતિ સમાન નાટકને તું વિડંબના કેવી રીતે કહે છે ? દેહને શણગારનારા ઘરેણાંઓને તું ભારરૂપે કેમ માને છે ? અસાર સંસારમાં સાર સમાન કામોને તું દુઃખાવહ કેમ માને છે? ત્યારે સ્વયંબુદ્ધે કહ્યું હે દેવ ! કોઈક સ્ત્રીનો પતિ પરદેશ ગયેલો છે, તેનાં આગમનની કાંક્ષા રાખતી તે સ્ત્રી તેનાં ગુણોને યાદ કરી સવારે સ્તુતિ કરે. તેમ સ્વામીને ખુશ કરવા તેમની આગળ તેમનાં જ ગુણોને વર્ણનારા ગીતને પણ ગાય છે, તેથી તે ગીત પણ વિલાપ જ છે. તેમ ભૂતને વશ થયેલો હાથ પગની અનેક ચેષ્ટાઓ કરે તેમ નાચનારો પણ વિવિધ ચેષ્ટાઓ કરે છે. તેથી પરમાર્થથી આ પણ વિડંબના છે. કોઈ સ્વામીના આદેશથી મુકુટ વિ. અલંકારને ગ્રહણ કરે તેનાં ભારથી પીડાય છે. તેમ શું કોઈએ યોગ્ય અંગોપાંગ ઉપર ઘરેણાં લગાડ્યા હોય તો શું તે ભારને વહન નથી કરતો ? તેમ કામો પણ હરણવિ. થી સેવાતા કામો પણ બહુ દુઃખ આપનારા થાય છે. (જેમ શબ્દ કામથી હરણો જાળમાં ફસાય છે.) નરનારીને આલોકમાં પણ કામો કલેશ, કંકાશ, મહેનત, અને દુઃખ કરનારા છે, અને એ પ્રમાણે પરલોકમાં નરકાદિ માઠી ગતિનાં મહેમાન બનાવે છે. તેથી તે કેવી રીતે દુઃખ આપનારા નથી ? તેથી પરલોકમાં સુખને ઈચ્છનારાઓએ તેમને વિદાય આપવી જોઈએ. સંભિન્નશ્રોતે કહ્યું કે રાજન્ ! સ્વયંબુદ્ધ શુભ નિમિત્તને નહિ દેખનારો પ્રત્યક્ષ જણાતા વિષયસુખને છોડી શિયાળની જેમ માંસ છોડી માછલી લેવા જતાં પાછળથી પસ્તાશે. સ્વયંબુદ્ધ Page #206 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ શ્રેયાંસ કથા ૧૯૫ કહ્યું છે સંભિન્નશ્રોત ! જે શરીર વૈભવ વિ.ને અનિત્ય જાણી આલોકનાં સુખમાં આસક્ત બનેલો નિર્વાણ વિ.સુખના પ્રસાધક તપ સંયમ અનુષ્ઠાનમાં પરાયણ થતો નથી, તે પ્રાપ્ત થયેલ રત્નભંડારનાં સુંદર રત્નો જે સર્વજનોને પ્રશંસવાલાયક, સુંદર ગુણના આધાર અનેસુંદર વિશિષ્ટ તેજથી ચમકતા છે, તેઓને છોડી કાચમાં અનુરાગી બનવાનો નિષ્ફળ પ્રયત્નથી દારિદ્ર, પરાભવ વિગેરે દુઃખાગ્નિની જવાલાથી દાઝેલા માણસની જેમ હોંશીયાર માણસોથી નિંદાય છે. સંભિન્નશ્રોતે કહ્યું ભવિષ્ય માટે નો તારો પ્રયત્ન મને તો આકાશ પડવાની શંકાથી તેને ધારવા માટે ટિંટોડી જેમ પગ ઉંચા કરીને જુએ છે, તેનાં જેવું લાગે છે. વળી મરવાનું નક્કી જ છે તેથી “શું શ્મશાનમાં જતુ રહેવું, તે શું યોગ્ય છે ?” તેથી અનાગત સુખ હેતુ હાલના સુખને ન છોડ. મરણ સમયે પરલોક હિત કરશું. સ્વયંબુદ્ધે કહ્યુ મુગ્ધ ! યુદ્ધ આવી પડતા ઘોડા હાથી આદિ સૈન્ય તૈયાર કરવું. નગર ઘેરાઈ જતાં અન્ન પાણી ભેગાં કરવા. આગ લાગતાં કૂવો ખોદવો વિગેરે. શક્ય નથી. જો સૈન્ય વિ. તૈયાર હોય તો શત્રુનો પ્રતિકાર, લાંબા સમય સુધી સ્વસ્થ રહેવું, આગ ઓળવવાનું સુખ પૂર્વક થઈ શકે. વળી તુચ્છ વિષય સુખમાં મોહિત બનેલો મોક્ષ સુખની અવગણના કરનાર તું શિયાળની જેમ જાતનો નાશ ન કર. બીજો બોલ્યો આ વળી શિયાળીઓ કોણ છે ? - સ્વયંબુદ્ધે કહ્યું એક જંગલમાં પર્વતની તળેટીમાં રહેલી ગિરીનદીના કાંઠે ઇત્યાદિમાં ભમનાર મત્ત હાથીને દેખી મારવાની ઇચ્છાવાળા શિકારીએ કાન સુધી બાણ ખેંચી પ્રહાર કરતાં વેદનાથી વ્યાકુલ બનેલો હાથી નીચે પડી રહ્યો હતો, ત્યારે તેનાં કુંભસ્થલથી પડતા મુક્તાફળ દેખી તેને લેવાની ઈચ્છાથી જીવા સાથેજ ધનુષ ત્યાં મૂકી દોડ્યો. ત્યાં તો હાથીનું શરીર પડવાથી અડધા પીસાયેલા મહાકાયવાળા સર્પ, નષ્ટપ્રાયઃ બનેલ હરણ અને ભિલ્લના શરીરોને ભમતા શિયાળે દેખ્યા. આ સજીવ છે કે મરી ગયા છે. નિશ્ચય કરવા આઘો પાછો થતાં “મરી ગયા છે,” એવો નિશ્ચય કરી હર્ષથી એમ ચિતવવા લાગ્યો. અહો ! આ તો મારે જીવનભરનું ભોજન થઈ રહેશે. ત્યાં પહેલાં ધનુષ્યની દોરી ઉપર લાગેલી નસ ખાઈ લઉં, પછી શાંતિથી આને ખાઈશ. એમ વિચારી નાડી ખાવા લાગ્યો. તેટલામાં ધનુષ્યના સંધિબંધન છૂટી જવાથી તીક્ષ્ણ અગ્ર કોટાભાગથી (તાળવું) ગળું વીંધાઈ ગયું, અને ખલાસ થયો. તેમ તું પણ નાશ પામીશ. એટલામાં રાજાએ પૂછયું કે સ્વયંબુદ્ધ! શું કોઈ પરલોક છે? તેણે કહ્યું કે સ્વામી! જયારે બાલકાલમાં મારી સાથે તમે નંદનવન ગયા હતા ત્યારે આપણી પાસે એક કાંતિવાળો દેવ આવેલો. તેણે કહ્યું હે ભદ્ર! મહાબલ ! હું તારા બાપનો બાપ શતબલ. જિનેશ્વરે ભાખેલા વ્રતને આચરી લાંતકાધિપતિ થયો. તેથી તે ભદ્ર! પરલોક ઘણું શું કહ્યું? અને સુકૃત દુષ્કૃત કર્મનો વિપાક પણ છે, માટે જિનધર્મમાં રત બનવું એમ કહી અદશ્ય થયેલા. જો આપને તે યાદ આવતુ હોય તો પરલોકની શ્રદ્ધા કરો ? રાજાએ કહ્યુ - પિતામહના વચનોને યાદ કરું છું. ત્યાર પછી અવસર પામીને સ્વયંબુદ્ધે કહ્યું - હે દેવ ! તમારા વંશમાં કુરચંદ્ર રાજા તેને કુરુમતિ નામે રાણી અને પુત્ર હરિશ્ચંદ્ર હતો. તે રાજા નાસ્તિકવાદના ધર્મથી ભાવિત મનવાળો મહાઆરંભ વિ. માં મસ્ત બનેલો મરણ સમયે નરકની Page #207 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ વેદના સાથે પણ ન સરખાવી શકાય તેવી ભયંકર વેદના વેદવા લાગ્યો. કાનને સુખકારી મધુર ગીતોને પણ આક્રોશ રૂપે માને છે. જીભને સ્વાદિષ્ટ લાગે તેવા દ્રવ્યો પણ વિષ્ટા જેવા લાગે છે. સુગંધિ કોષ્ટપુડ વિ. ની ગંધ પણ કોહવાયેલા હરણના શબની ગંધ જેવી લાગે છે. આંખને વિકસિત કરનાર લાવણ્યમય રૂપ પણ અનિષ્ટ લાગે છે. કોમલ રૂની પથારી કાંટાની શય્યા જેવી લાગે છે.ત્યારે હરિશ્ચંદ્ર વિપરીત પ્રતિકાર કરે છે. તે મરી નરકે ગયો. પિતાનું આવું કરુણ મરણ દેખી કુમાર ધર્મમાં મન લગાડવા લાગ્યો. પિતા પાસેથી પ્રાપ્ત આ ગંધસમૃદ્ધ નગરને વિધિથી પાળે છે. એક દિવસ તેણે એક ક્ષત્રિયકુમારને કહ્યું કે “બહુજન પાસેથી ધાર્મિક વચન સાંભળી “મને કહેવા” હે ભદ્ર! બસ આ જ તારે સેવા કરવાની છે. (૨૬) ત્યાર પછી તે સુબુદ્ધિ તેને હંમેશા ધર્મ કહે છે. રાજા સંવેગથી સુબુદ્ધિના વચનો સ્વીકારે છે. નગરબહાર રહેલા મુનિને કેવલજ્ઞાન થયું તેના નિમિત્ત આવેલ સુરસમૂહને જોઈ હર્ષ પામેલ સુબુદ્ધિ રાજા પાસે ગયો. તે બીના કહીએ છતે તેના મનમાં કુતુહલ પૂરાતા - ઉભુ થતા મન અને પવનને જિતનાર એવી ગતિવાળા ઘોડા ઉપર રાજા આરુઢ થયો અને કેવલી ભગવંત પાસે આવ્યો. પ્રણામ કરી શુદ્ધભૂમિએ બેઠો. અને કેવલી ભગવંતના મુખારવિંદમાંથી નીકળતા ધર્મને સાંભળવા લાગ્યો. કથાંતર થતુ જાણી પિતાની ગતિ પૂછી. ત્યારે સાંભળતા પણ ભય ઉપજાવે એવા સાતમી નરકના દુઃખ દરિયામાં ડુબેલા પિતાને જાણી ઘણો સંવેગ પામ્યો, નગરમાં ગયો પોતાના પુત્રને રાજ્ય સ્થાપી સુબુદ્ધિને કહ્યું હવે તમે મારા પુત્રને ઉપદેશ આપશો.” સુબુદ્ધિએ કહ્યું, હવે દેવ ! હવે પછી મારો પુત્ર પોતાના સ્વામીને ઉપદેશ આપશે, અને હું તો તમારી સાથે દીક્ષા લઈશ. એ પ્રમાણે તે બન્નેય પણ દીક્ષા સ્વીકારી આત્મ સાધના કરી. ત્યાર પછી હે રાજનું! તે હરિશ્ચંદ્રના વંશમાં અસંખ્યાતા રાજા વ્યતીત થતાં આપશ્રી રાજા થયા છો. અને સુબુદ્ધિના વંશમાં હું થયો છું, પોતાનો અધિકાર જાણી મેં વિનંતી કરી. તેમજ અકાળે કહેવાનું કારણ એ છે કે આજે હું નંદનવનમાં ગયો હતો. ત્યાં ચારણ મુનિને દેખી આપનું આયુઃ પ્રમાણ પૂછયું. તેઓએ પણ કહ્યું કે માત્ર એક મહીનો બાકી છે. તે સાંભળી પાણીમાં રહેલુ કાચી માટીનું કોડીયું જેમ ચારે બાજુથી નાશ પામે છે તેમ ઢીલા થતાં બધા અંગવાળા રાજાએ કહ્યું છે મિત્ર ! આટલા આયુષ્યવાળો હું હવે શું કરી શકીશ ? સ્વયંબુદ્ધે કહ્યું સર્વ વિરતિવાળાને એક દિવસ પણ કમ નથી. તરત જ પુત્રને રાજ્ય આપી જિનાલયમાં ગયો. ત્યાં પૂજા કરી ચારે આહારના પચ્ચકખાણ લઈ પાદપોપગમન અનશન સ્વીકારી મારીને તારો સ્વામી હું લલિતાંગ દેવ થયો છું. તે મારો મિત્ર પણ દ્રઢ ચારિત્ર પાળી અહીંજ દ્રઢધર્મ નામે દેવ થયો. “એ પ્રમાણે મેં થોડો તપ આચરેલ” એમ તે વખતે તે આર્ય ! મને લલિતાંગે કહ્યું - આ અરસામાં ઈશાનેન્દ્ર પાસેથી દ્રઢધર્મ આવ્યો છે લલિતાંગ ! નંદીશ્વરે જિનમહોત્સવ કરવા ઇંદ્ર જાય છે. હું પણ જાઉં છું. તું પણ ચાલ. અમે પણ (પ્રભુ અને હું) ઈંદ્રની આજ્ઞાથી નંદીશ્વર ગયા. જિનાલયમાં મહિમા કર્યો. ત્યાર પછી તિચ્છલોકના શાશ્વતા ચૈત્યની પૂજા વંદન કરતા લલિતાંગ વી ગયો. તેનાં વિરહાગ્નિ જ્વાલા સમૂહથી ભક્ષણ કરાતા શરીરવાળી હું (સ્વયંપ્રભા) પરિવાર સાથે વિમાનમાં આવી. મારી શોભા નાશ પામતી દેખી સ્વયંબુદ્ધ (દ્રઢધર્મ) મને કહ્યું કે સ્વયંપ્રભા! Page #208 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ શ્રેયાંસ કથા ૧૯૭ તારો ચ્યવન સમય થઈ ગયો છે. તેથી જિનાલયોમાં પૂજા કરે જેથી બોધિ લાભ થશે. તેનાં વચન સાંભળી નંદીશ્વર દ્વીપ વગેરેના જિનાલયમાં પૂજામાં તત્પર બનેલી હું અવીને પુષ્કલાવતી વિજય મધ્યે રહેલી પુંડરિકિણી નગરીના સ્વામી વજસેન ચક્રીની ગુણવતી રાણીની કુક્ષીમાં પુત્રી રૂપે ઉપજી. શ્રીમતી નામ પાડ્યું. પિતાના ભવનરૂપી પાસરોવરમાં રાજહંસીની જેમ ધાત્રીઓથી લાલન પાલન કરાતી યમક પર્વતને આશ્રિત લતાની જેમ સુખપૂર્વક વૃદ્ધિ પામી.સાતિશિયવાળી કલાઓ ગ્રહણ કરી. એક વખત સંધ્યાકાળે સર્વતોભદ્ર નામના મહેલ ઉપર ચડી. નગર બહાર મનોરમ ઉદ્યાન માં રહેલા સુસ્થિત આચાર્યને કેવલજ્ઞાનની ઉત્પત્તિ થવાથી દેવો આવવા લાગ્યા. તે જોઈ મેં ક્યાંય આ જોયેલું છે” એમ ઈહાપોહથી જાતિસ્મરણ થવાથી દુઃખથી હણાયેલી મૂર્છા પામી. પરિચારિકાઓએ જલમિશ્રિત વાયરાથી સ્વસ્થ કરી, હું વિચારવા લાગી મારો પ્રિય ક્યાં ગયો ? મને જણાતો નથી, તેના વિના અન્ય માણસો સાથે બોલવાનો શું મતલબ ? માટે મૌન લઈ લીધુ. જંકે આની વાણી પકડી લીધી છે. એમ જાણી લેવકજન મંત્ર તંત્ર બલિવિધાન વિ. કરવા લાગ્યો. પણ મેં મૌન ન મૂક્યું, સેવિકાને લખીને આજ્ઞા આપુ. એક વખત અમદવનમાં-રાણીવાસના બગીચામાં એકાન્ત જાણી પંડિતા નામની ધાત્રીએ પૂછ્યું કે પુત્રી ! શા કારણે તે બોલવાનું બંધ કર્યું છે? તું કહે, તો તેના પ્રમાણે હું કરું. મેં કહ્યું હે માતા ! મુંગાપણાનું કારણ છે, પણ તેણે સાધવાને કોણ સમર્થ છે ? હર્ષથી ખુશ થયેલી તેણીએ કહ્યું હે પુત્રી ! કારણ કહે, જેથી તેમાં પ્રયત્ન કરું. તો સાંભળ હે માત ! ધાતકી ખંડના પૂર્વ વિદેહમાં મંગલાવતી વિજયમાં નંદીગ્રામ નામે ગામ છે. ત્યાં અહીંથી જ ત્રીજાભવે દારિદ્રકુલમાં છ બહેનો ઉપર હું જન્મી નિર્વિણ થવાથી મા બાપે મારું નામ પણ નહિ પાડ્યું. લોકપ્રસિદ્ધિથી નિનમિકા એ પ્રમાણે કહેવાઉ . બધા ધૂતકારતા હોવા છતાં કર્મ વશથી હું જીવું છું. ક્યારેક તહેવારમાં પૈસાદારના છોકરાઓ મિષ્ટાન્ન વિ. લઈ નીકળ્યા, તેમની જોડે રમવા મેં પણ માતા પાસે લાડુ માંગ્યા, ત્યારે રીસે ચડી માતાએ કહ્યું રે પાપી ! અહીં મિઠાઈ ક્યાંથી હોય ? “અંબરતિલક પર્વતે જા ત્યાં ફળ ખાજે કે મરી જજે.” એમ બોલી મને ફટકારીને ઘરથી બહાર કાઢી. રડતી રડતી હું ઘરથી નીકળીને પર્વત તરફ જતા જનમસૂહ સાથે ત્યાં ગઈ. તે પર્વત મેં નજરે નીહાળ્યો. - અતિકાલા સ્નિગ્ધ વાદળાના ખંડની જેમ લોકના લોચનને આનંદદાયક ઉંચા શિખરરૂપ હાથોથી જાણે આભને ભેટવા ઈચ્છતો હોય, ઝરતા ઝરણોના અવાજથી ગુફા અને દિશા ભાગ પૂરનાર, નર વિદ્યાધર કિન્નર યુગલો જ્યાં ગાંધર્વ નાટક કરી રહ્યા છે. સુગંધી સ્વાદુ ફળ, ફૂલ, પત્રના ભારથી નમેલા શ્રેષ્ઠ વૃક્ષવાળો, જાણે તે અનેક જાતના પશુ, પંખીઓનું કુલમંદિર છે, સ્વાધ્યાય, ધ્યાન, વ્યાખ્યાન વિ. શ્રેષ્ઠ ગુણોથી ભરપૂર એવા મુનિઓ ત્યાં વાસ કરે છે. ઘણું શું કહેવું? દેવોને પણ રમ્યતાના લીધે આશ્ચર્ય પમાડે છે. (૩૦) ત્યાં ઉંચા ઉંચા વૃક્ષોથી લોકો સ્વાદુફળ તોડે છે. અને મેં પણ નીચે પડેલા પાકા ફળ ખાધા, લોકોની સાથે પર્વતની રમ્યતાને હું દેખી રહી હતી તેટલામાં કાનને આનંદદાયક એકબાજુથી ગંભીર શબ્દ સાંભળ્યો. (૩૨) Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ મૂળશુદ્ધિ ભાગ-૧ તેનાં અનુસારે હું માણસો સાથે ત્યાં ગઈ. ત્યાં ધર્મદેશના કરતાં યુગધર આચાર્યને જોયા. હર્ષ ભરેલી હું સૂરિને વાંદી લોકો વચ્ચે બેઠી અને તેમના મુખથી નીકળતા-નિસરતા ધર્મને સાંભળવા લાગી. તે ચૌદપૂર્વી ચાર જ્ઞાનના ધણી અમને બોધ પમાડવા વિશેષ રીતે સમજાવવા લાગ્યા. મિથ્યાત્વાદિથી જીવ નિરંતર કર્મ બાંધે છે. અદેવમાં પ્રભુની ગણના, અસાધુમાં સાધુની માનતા, અતત્ત્વમાં તત્ત્વની બુદ્ધિ આ મિથ્યાત્વ કહ્યું છે. મદિરા, વિષય, કષાય, નિદ્રા વિ. પાંચ અને ચારવિકથાએ પાંચ પ્રમાદ છે. મુંગ વિ.ના કુવાથ (ઉકાળા) થી-લાકડુ અને ચોખા વિ. ના લોટથી બનેલ મદિરા બે પ્રકારની હોય છે. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શને વિષય કહ્યા છે. ક્રોધ, માન, માયા, લોભ આ ચારે કષાય સંજવલનાદિ ભેદથી ચાર ચાર પ્રકારે છે, એટલે સોળ થયા. નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલાપ્રચલા, થીણદ્ધિ એમ પાંચ પ્રકારે નિદ્રા છે. ' સ્ત્રીકથા - આ દેશની સ્ત્રી સારી, તેની ભાષા મીઠી ઈત્યાદિ. ભક્ત કથા - શાકમાં મસાલા વિ. સારા નાંખ્યા છે, તેનું વર્ણન કરવું. દેશકથા - આ દેશ બહુ મનોહર છે, મન-તનને અનુકૂળ - ગમે એવો છે ઈત્યાદિ. રાજકથા - આ રાજય વ્યાપાર પ્રધાન છે, અહીં ધંધો સારો થઈ શકે અહીંના રાજનેતા આપણા ઓળખીતા છે. ઈત્યાદિ. રાજનિતી વાતો વિરતિનો નિષેધ (અભાવ) જ અવિરતિ છે. દુષ્ટ મન, વચન, કાય, અશુભ યોગ જાણવા. આ બધા કર્મબંધના હેતુઓને છોડો જેથી સંસાર ઓળંગી જલ્દી મોક્ષમાં જશો. આ સાંભળી ઘણા બોધ પામ્યા. મેં પણ ગુરુને પૂછ્યું - હે ભગવન ! મારાથી વધારે દુઃખી કોઈ છે ? હાં, નારકો છે, ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર વિના સદા અંધકારમય ધૃણાજનક બીભત્સ, પૂતિ-વસાથી કાદવવાળા, અશુભગંધ રસવાળા નરકાવાસમાં વિવિધ પાપકર્મવાળા જીવો ઉપજે છે. ભયંકર દર્શનવાળા દેખતાજ ગભરાટ છુટે જાણે સાક્ષાતુ પાપપુંજ હોય તેવા, તેમજ તેઓ પરસ્પર દુઃખ ઉદરે અને ક્ષેત્ર વેદના વેદે છે. તે દુઃખને વર્ણવા સર્વજ્ઞ સિવાય બીજો કોઈ સમર્થ નથી. તિર્યંચો પણ વિવિધ જાતનાં અતિ દારુણ ભૂખ, તરસ વિ. દુઃખોને સહન કરે છે. તે દુઃખો શબ્દથી વર્ણવી શકાય એમ નથી. તારા દુઃખથી અનંતગુણ ભયંકર દુઃખો પરવશ પડેલા નરક તિર્યંચો પામે છે. ' જયારે તું તો અમનોજ્ઞ શબ્દાદિને છોડવા અને મનોહર વિષયને સેવવા માટે સ્વાધીન છે. તેથી તારે દુઃખ થોડુ છે. પણ સુકૃત ધર્મવાળા સુખી જીવોને દેખી તું જાતને દુઃખી માને છે. તેથી જો સર્વોત્કૃષ્ટ સુખ ઈચ્છતી હોય તો ધર્મ કર, ત્યારે સંવેગ પામેલી મેં ગુરુને કહ્યું જેટલો ધર્મ કરવા હું સમર્થ હોઉં તેટલો ધર્મ આપો. ત્યારે ગુરુએ અણુવ્રત વિ. ગૃહસ્થ ધર્મ મને આપ્યો, ત્યારે ગુરુચરણ કમલને વાંદી ઘેર જઈ આત્મસંતુષ્ટ બનેલી હું તો યથાશક્તિ ધર્મ પાળવા લાગી. . ત્યાર પછી છઠ અઠમ વિ. નાના પ્રકારના તપમાં મસ્ત બનેલી મેં ઘણો કાલ પસાર કર્યો. પછી અનશન લીધુ તેમાં રહેલી મેં એક દિવસે મારી આગળ એક દેવને જોયો. હારથી શોભતા વક્ષસ્થલવાળા, રત્નના વિશાળ મુકુટથી શોભતા મસ્તકવાળા, પોતાના શરીરની કાંતિના ફેલાતા કિરણોથી દિશાભાગોને ઉદ્યોતિત કરનાર, ધૂળ વગરના, શ્રેષ્ઠgધુરીવાળા Page #210 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ શ્રેયાંસ કથા ૧૯૯ દેવદૂષ્ય વસને ધારનાર, અત્યદ્ભૂત રૂપવાળા દેવને જોયો. જે મધુર શબ્દોથી એ પ્રમાણે બોલી રહ્યો હતો કે હે નિર્નામિકા ! સ્નિગ્ધ દૃષ્ટિથી મને જો, નિશ્ચલમને આ પ્રમાણે નિયાણું કર કે “જો આ લાંબા ગાળાથી આચરેલ તપનું જે કાંઈ ફળ હોય તો ચોક્કસ હૈં આવતા ભવમાં આની પત્ની થાઉં” જેનાથી તું મારી સાથે દેવલોકમાં ભોગો ભોગવીશ. એમ કહી દેવ અદૃશ્ય થઈ ગયો. તેનાં દર્શન પ્રત્યયથી ભાવિત બનેલી મેં તેણે કહ્યું તેમ સર્વ કર્યું. નમસ્કાર ગણતી મરીને ઇશાન કલ્પમાં તેજ લલિતાંગ દેવની અત્યંત મનોહર રૂપવાળી રાણી થઈ. ત્યારપછી અવધિજ્ઞાનથી દેવપણાનું કારણ જાણી લલિતાંગ દેવ સાથે યુગંધર સૂરીને વાંદવા ગઈ. ત્યારે પ્રકૃતિથી સુંદર તે જ અંબરતિલક પર્વતના એક દેશમાં રહેલાં મનોરમ્ય ઉદ્યાનમાં અશોકવૃક્ષ નીચે બિરાજમાન સૂરીને નિહાળ્યા. અને ભાવપૂર્વક વાંઘા. પછી પોતાનું વૃતાંત કહી મધુર સ્વરવાળા ગાંધર્વ ગીત યુક્ત શ્રેષ્ઠ અપ્સરાના નાટકના વ્યાપારથી પૂજીને સ્વસ્થાને ગયા. ત્યાં ઘણા કાલ સુધી ભોગો ભોગવી મારો પ્રિયતમ ચ્યવી ગયો. ત્યાર પછી હું પણ ચ્યવી અહીં ઉપજી, દિવ્ય ઉદ્યોતના દર્શનથી જાતિસ્મરણ પામી. અને તેનાં વિના બીજા સાથે બોલવાનું શું કામ ? એટલે મૌન વ્રત લીધું. ત્યારે ધાત્રીએ કહ્યું સારું થયું કે તેં મને કહ્યુ. એમાં વળી ઉપાય છે—આ બધો પૂર્વભવનો વૃત્તાંત પટ ઉપર આલેખી હૈં ભમીશ. જો તે ક્યાંય મનુષ્યમાં ઉપન્યો હશે તો આ પટ જોઈ જાતિસ્મરણ પામશે. મેં પણ “આ યુક્તિ યુક્ત છે” એમ સમજી પટ તૈયાર કર્યો. વિવિધ વૃત્તાંત તેમાં આલેખ્યો, ત્યારે અંબરતિલક પર્વતના પ્રશસ્ત પુષ્પવાળા, આસોપાલવ વૃક્ષતળે બિરાજમાન યુગંધર સૂરિ, વંદન માટે આવેલ દેવદેવી ઈશાન દેવલોક, શ્રીપ્રભ વિમાન, તેમાં પણ તેજ કપલ, સ્વયંબુદ્ધ, સંભિન્નશ્રોત મહાબલ રાજા, દૂત, મંત્રી, તપસ્યાથી સુકાયેલા શ૨ી૨વાળી નિર્નામિકા, લલિતાંગ, સ્વયંપ્રભા આ બધુ નામ સહિત આલેખ્યું. ચિત્રપટ તૈયાર થયો. ત્યારે તે ચિત્રપટ લઈ યુતિના કેશ પાશ, કુવલય પલાશ સરખા કાલા ગગનતલમાં તે ધાવમાં ઊંચી ઉડી, પળવારમાં પાછી ફરી, મેં પૂછ્યુ હે માતા ! જલ્દી શા માટે પાછા ફર્યા. તેણે કહ્યું હે પુત્રી કારણ સાંભળ - તારા પિતાને વધારે વર્ષના નિમિત્તે (વર્ષગાંઠ નિમિત્તે) વિજયવાસી રાજાઓ પ્રાયઃ કરીને આવેલા છે. તેમાં તારો હૃદય દેવ હોય તો આપણું કાર્ય સિદ્ધ થઈ જશે. એમ વિચારી હું પાછી ફરી. અને તે પટ લઈને પૂર્વ પશ્ચિમ દિશામાં ગઈ. હસતા વદને પાછી આવી. હે પુત્રી ! શાંત થા તારો પ્રિય જોઈ લીધો. હે પુત્રી ! રાજમાર્ગમાં ચિત્ર મૂક્યું તેને દેખતા ચિત્રમાં નિપુણ લોકો રેખા વિ. સારી દોરેલી છે, એમ વખાણ કરે છે. જે લોકો નિપુણ નથી તેઓ વર્ણ-રૂપ વિગેરેની પ્રશંસા કરે છે. એ અરસામાં દુર્મર્ષણ રાજાનો પુત્ર દુર્માંત પરિવાર સાથે ત્યાં આવ્યો. મુહૂર્ત માત્ર ચિત્ર જોઈ તે મૂર્છા પામ્યો. પરિવારે પૂછયું શા માટે મૂર્છા પામ્યા ? તેણે કહ્યું - આ ચિત્રમાં આલેખેલા પોતાના ચરિત્રને જોવાથી જાતિસ્મરણ થવાથી હું મૂર્છા પામ્યો. કેવી રીતે ? તેણે કહ્યું → કારણ હુઁ લલિતાંગ દેવ હતો.સ્વયંપ્રભા મારી દેવી હતી. ત્યારે મેં (ધાત્રી) પૂછ્યુ “હે Page #211 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ મૂળશુદ્ધિ ભાગ-૧ પુત્ર ! આ કયું ગામ છે? પુંડરિકીણી નગરી છે. આ મેરુ પર્વત છે. આ અણગાર છે. પણ એનું નામ યાદ નથી આવતું. સૌધર્મ કલ્પ છે. મંત્રી સહિત આ કોઈક રાજા છે? આ કોઈક તપસ્વિની છે, પણ તેનું નામ યાદ આવતું નથી. એથી આ તો ખોટુ બોલનાર છે. એમ જાણી મેં કહ્યું કે પુત્ર ! તું બધુ સાચુ બોલે છે પણ જન્માંતર ભૂલી ગયો છે. જો તું સાચેજ લલિતાગ હોય તો ધાતકીયખંડના નંદીગ્રામમાં આગમમાં કુશલ, કર્મદોષથી પાંગલી બનેલી સ્વયંપ્રભાએ તને જણાવવા સારું આ ચિત્ર આળેખ્યું છે. તારી અનુકંપાથી તને શોધવા અહીં આવી છું. તો હે પુત્ર ! આવ, તને ત્યાં લઈ જાઉં. પૂર્વભવના સ્નેહથી બંધાયેલ તે બિચારીને પ્રસન્ન કર. ત્યારે મિત્રોએ મશ્કરી કરી શરમનો માર્યો ત્યાંથી પાછો ખસ્યો. મુહૂર્ત પછી લોહાર્ગલ નગરથી ધન નામે કુમાર આવ્યો. કૂદવામાં હોંશીયાર હોવાથી લોકો વજજંધ કહેતા. તે પટને જોઈને તેણે કહ્યું આ કોણે લખ્યું-દોર્યું છે. ? ત્યારે મેં કહ્યું શા માટે પૂછો છો, તેણે કહ્યું મારું ચરિત્ર કોઈએ લખ્યું છે, અથવા તે સ્વયંપ્રભાના કહેવાથી આ આલેખ્યું છે, એમ હું માનું છું. ત્યાર પછી મેં પૂછયું જો તારું ચરિત્ર છે તો કહો આ કયું ગામ છે? તેણે કહ્યું જુઓ નંદીગ્રામ છે, અંબતતિલક પર્વત છે. યુગંધર આચાર્ય છે. અને આ તપથી સુકાયેલી નિર્નામિકા છે. સભિન્નશ્રોત સ્વયંબુદ્ધ સહિત આ રાજા મહાબલ છે. ઈશાન કલ્પ છે. શ્રીપ્રભવિમાન છે, આ સઘળુ ખાત્રી પૂર્વક કહ્યું. ત્યારે મેં (ધાત્રી) કહ્યું કે તારા કુઆની પુત્રી શ્રીમતી તે જ સ્વયંપ્રભા છે, તેથી રાજાને હું નિવેદન કરું તો ચોક્કસ તને આ આપશે. ત્યારે તે શુભમનવાળો ઘેર ગયો. અને મારું કામ પતી જવાથી હું અહીં આવી, તેથી રાજાને નિવેદન કર્યું, જેના લીધે તારે પ્રિય સાથે સંગમ થાય. રાજા પણ મને (ધાત્રી) અને રાણીને બોલાવી એ પ્રમાણે કહેવા લાગ્યા. હે પ્રિય ! સાંભળ આ લલિતાંગને જેટલો હું જાણું છું. તેટલો પુત્રી પણ જાણતી નથી. કારણ કે આજ દ્વીપમાં પશ્ચિમ વિદેહના સલિલવતી વિજયમાં વીતશોકા નગરીમાં જિતશત્રુ નામે રાજા હતો, તેને મનોહરી કેતકી નામે બે રાણી, તેઓને અચલબિભીષણ નામે પુત્રો હતા. પિતા મરણ પામતા અચલ અને બીભીષણ અર્ધ વિજયને જીતી (સાધી) બળદેવ વાસુદેવ થયા. નમતા અનેક સામતના મુકુટ મણિથી જેમની પાદપીઠ ઘસાઈ ગઈ છે. હવે અચલને મનોહરી માતા કહે છે. હે વત્સ ! (મે) તારા પિતાની અને તારી રાજ્ય લક્ષ્મી ઘણી ભોગવી, ભવભયથી ડરેલી હવે પરલોક હિતકારી દીક્ષાને સ્વીકારુ. ઘણો આગ્રહ કરતા અચલે કહ્યું હે મા ! તો દેવલોકથી વ્યસન કાલમાં મને બોધ પમાડવા આવજે. હા પાડી, દીક્ષા લઈ અગ્યાર અંગ ભયા. પૂર્વેક્રોડનું સંયમ પાળી લાંતક કલ્પમાં ઈન્દ્ર થયો. તેજ હું છું. આ બાજુ પણ બળદેવ, વાસુદેવ લાંબા કાળ સુધી અતુલ રાજ્યને ભોગવે છે. અને એક વખત ઘોડા ખેલાવવા ઘોડે ચડી બંને ગયા. ઘોડાઓએ અપહરણ કરી મહાભંયકર જંગલમાં નાંખ્યા. ગાયો ચાલવાથી તેમનો પદમાર્ગ (પગલાં) ભૂસાઈ ગયા તેથી બધુ સૈન્ય પણ પાછુ ફર્યું. શ્વાસ ભરાઈ જવાથી ઘોડાઓ પણ મરી ગયા. આયુ ક્ષય થવાથી બીભીષણ મરણ પામ્યો, તેના મોહથી મોહિત મનવાળો અચલ પણ તેને ખભે ઉપાડી ફરે છે. આ મૂચ્છ પામ્યો લાગે છે. તેથી શીત (ઠડા) ગહન વનમાં લઈ જઈને રાખુ. ભવિતવ્યતા વશે ત્યારે મેં ઉપયોગ Page #212 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ શ્રેયાંસ કથા ૨૦૧ મૂક્યો. તેવી અવસ્થાવાળા અચલને દેખી સંકેત યાદ કરી લાંતકમાંથી બીભીષણનું રૂપ કરી તેને બોધ પમાડવા આવ્યો. હે ભાઈ! હું વિદ્યાધર સાથે યુદ્ધ કરવા ગયો હતો. જીતીને તારી પાસે આવ્યો. એ આંતરામાં કોઈક અનાર્ય કર્મવાળા દુષ્ટદેવે તને ઠગ્યો લાગે છે. તેથી જે આ શબને તે ઉપાડ્યું છે. તેને આ નદીના સંગમમાં સત્કાર કરી દે (વહાવી દે), ચાલો હવે આપણે ઘેર જઈએ. અને પોતાનું રાજ્ય ભોગવવા લાગ્યા. એક દિવસ આસને બેઠા હતા, ત્યારે એકાએક મેં મનોહરીનું રૂપ પ્રગટ કર્યું, તેથી આ ખળભળાટ પામી ગયો (૮૧) તે કહેવા લાગ્યો હે માતા ! તું અહીં ક્યાંથી? ત્યારે મેં સંકેત વિ. સર્વ કહ્યાં. હે પુત્ર ! આ અસાર સંસારમાં ધર્મમાં ઉદ્યમ કર. એમ કહી હું લાંતકમાં ગયો. અચલે પુત્રને રાજય સોંપી દીક્ષા લીધી. તપ, સંયમ પાળી લલિતાંગ દેવ થયો. પુત્ર નેહથી દેવી સાથે તેને વારંવાર મારી પાસે લઈ જાઉં છું. આ બાજુ તે સાગરોપમનાં સાતીયા નવભાગ સુધી ભોગ ભોગવી ચ્યવી ગયો. તેનાં ઠેકાણે બીજો લલિતાંગ થયો. સરખા ગુણવાળા તેને પણ પુત્ર સ્નેહથી હું વારંવાર મારી પાસે લઈ જતો એમ સત્તર લલિતાંગ વ્યતીત થયા. જેને શ્રીમતી જાણે છે તેને પણ હું ઘણીવાર મારી પાસે લઈ આવ્યો હતો. ત્યાંથી વી હું અહીં ઉપન્યો. હે પ્રતિહાર ! જલ્દી વજજંઘને બોલાવો. તેને આ શ્રીમતી કન્યા આપું. સર્વ અંગે ઉત્કૃષ્ટ શણગાર સજી કુમાર આવ્યો. સોળે કળાએ ખીલેલા ચંદ્ર સરખા મુખવાળો, મધ્યકાલના સૂર્ય કિરણોથી વિકસેલા કમલા સરખા લોચનવાળો મણિજડિત કુંડલથી (સ્કૃષ્ટ) ઘસાયેલા પુષ્ટ (કપોલ) ગાલવાળો ગરુડ જેવી લાંબી ઉન્નત નાસિકાવાળો,વિદ્રુમ જેવા એકદમ લાલ તેમજ કોમલ કંઠવાળો, કુંદ સરખા ધોળા, કળીની માળા સરખા આકારવાળા સ્નિગ્ધ દાંતની શ્રેણીવાળો “ઉત્તરાસંગથી યુક્ત વૃષભ સમાન ખભાવાળો મુખના ત્રીજા ભાગ પ્રમાણ રહેલી રત્નાવલીથી વેષ્ટિત ગ્રીવાવાળો, નગરની પરિખા (ખાઈ)ની જેમ લાંબા બાહુવાળો, નગરના કપાટની જેમ માંસલ (મજબૂત) અને વિશાળ વક્ષસ્થલ (છાતી) વાળો, હાથના અગ્રભાગથી સારી રીતે ગ્રહણ કરી શકાય તેવાં મધ્યદેશવાળો, વિકસિત કમલ સરખી નાભિવાળો, હરણ વાંસના પાત્ર અને ઘોડા જેવી ગોલ કેડવાળો, હાથીની સૂંઢ સરખા સાથળવાળો, ગુપ્ત જાનુ પ્રદેશ યુક્ત હરણ સરખા રમણીય જાંઘવાળો, સુંદર રીતે મૂકેલા સોનાના કુંભ સરખા લક્ષણયુક્ત ચરણયુગલવાળો, એવો કુમાર ત્યાં આવ્યો. અને રાજાને પ્રણામ કર્યા ત્યારે રાજાએ કહ્યું હે પુત્ર ! વજજંઘ પૂર્વભવના સ્નેહ સંબંધવાળી આ સ્વયંપ્રભા શ્રીમતી બનેલી છે તેણીને પરણ. ત્યારે જેમ રાજહંસ કમલીનીને દેખે તેમ મને તેણે દેખી, ઠાઠ માઠથી વિવાહ થયો. થોડા દિવસો પછr ઘણાં દાસી વિ. પરિવાર સાથે વિપુલ ઘરેણાં વસ્ત્ર દ્રવ્ય ઈત્યાદિના દાનપૂર્વક તાતે વિદાય આપી અને અનુક્રમે લોહગલ પહોંચ્યાં. ત્યાં જન્માંતરમાં ઉપાર્જિત વિશિષ્ટ પુણ્ય સમૂહથી પ્રાપ્ત થતાં સર્વ ઇન્દ્રિયને આનંદ આપનારા એવા સુખસાગરમાં ડુબેલા તેઓને પુત્ર થયો. દેહની વૃદ્ધિથી અને કલાભ્યાસથી તે મોટો થયો. આ બાજુ મારા પિતાશ્રી લોકાંતિક દેવોથી પ્રતિબોધ પામેલા પોતાનાં પુત્ર પુષ્કલપાલને રાજય સોંપી તીર્થંકર સ્વરૂપે દીક્ષા લીધી. વિવિધ તપથી ઉત્પન્ન કેવલજ્ઞાન સ્વરૂપ સૂર્યકિરણોના Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ મૂળશુદ્ધિ ભાગ-૧ પ્રસારથી અંધકારના ફેલાવનો નાશ કરી જીવરૂપી ભવ્યકમલવનને બોધ પમાડતા વિચરે છે. આજુબાજુના સામંત રાજાઓ પુષ્કલપાલ સામે પડ્યા ત્યારે વઘને બોલાવવા માટે મહંતને મોકલ્યો. તેણે જઈ વિનંતિ કરી કે જો મારા જીવનનું પ્રયોજન હોય તો ગતિ પ્રસંગથી તમે શ્રીમતી સાથે જલ્દી આવો. ત્યારે અમે પોતાના પુત્રને રાજ્યે સ્થાપી સરવન નામના વનખંડમાં પહોંચ્યા. વનમધ્યે દૃષ્ટિવિષ સર્પ હોવાથી અન્ય માર્ગે ગયા. મારું આગમન સાંભળતા જ ભયથી વ્યાકુલ લોચનવાળા સામંતો પુષ્કલપાલ રાજાના ચરણે પડ્યા. પૂજી-સત્કાર સન્માનકરી અમને વિદાય કર્યા. અમે સ્વનગર ભણી નીકળ્યા. લોકોએ કહ્યું સ૨વનમાંથી જાઓ, કારણ કે મુનિના કેવલજ્ઞાન ઉત્પત્તિનો મહિમા કરવા નીચે ઉતરેલા દેવોની પ્રભાસમૂહથી સર્પની દૃષ્ટિનું વિષ નાશ પામી ગયુ છે. અનુક્રમે ત્યાં પહોંચ્યા અને સ્થિત રહ્યા. ત્યાં મારા ભાઈ સાગરસેન મુનિસેન નામે બે મુનિ સામે રહેલા હતા. તેઓને અમે દેખ્યા. → જેઓ તપ લક્ષ્મીથી ભરેલા શરદઋતુમાં સરોવરનાં પાણી સરખા પ્રસન્ન હૃદયવાળા, શરદઋતુના પૂર્ણચંદ્ર સમાન સૌમ્ય દર્શનવાળા, દેવોની સભાથી પરિવરેલા ધર્મદેશના કરી રહ્યા હતા. વિશેષ ભક્તિ બહુમાનથી સપરિવાર તેઓને વાંઘા. અને શુદ્ધ અશનાદિ વહોરાવ્યું, ત્યાર પછી અમે તેઓના ગુણોને ગાતા ગાતા વિચરવા લાગ્યા. એઓ ધન્ય-પુણ્યશાળી છે. એઓનો મનુષ્ય અવતાર સફળ થયો છે, કે જેઓએ રાજ્ય લક્ષ્મી છોડી જિનમતમાં દીક્ષા લીધી, જેઓ શ્રુતસાગરના પારગામી, દુષ્કર તપ, સંયમ કરવામાં તત્પર, ભવ્ય જીવો રૂપી કમલોને પ્રતિબોધ પમાડવામાં સૂરજ સમાન પ્રકટ માહાત્મ્યવાળા, અનેક લબ્ધિવાળા, નિર્મલ યશના ફેલાવાથી જેઓએ દિશાને સફેદ બનાવી-ચમકાવી દીધી છે. ક્ષાન્ત, દાંત, નિર્મોહી (નિસ્પૃહી) સેંકડો ગુણોથી યુક્ત તેમજ મહાસત્ત્વશાળી છે. એઓ કોઈ દિવસ આવશે ત્યારે સર્વ સંગ છોડી આવી મુનિ દીક્ષાને ગુરુ પાસે અમે લઈશુ. ક્રિયાકલાપ કરવામાં ઉઘત બની તપથી પાપ કર્મ ખપાવી સંવેગથી ભાવિત બનેલા અમે એઓનું અનુસરણ કરશુ. અતિ ચંચલ આ જીવનનો ઘણો ભરોસો નહિ કરવો. જલ્દી પુત્રને રાજ્યે સ્થાપી અમે દીક્ષા લઈશુ. એવો નિશ્ચય કરી શુભ ભાવનાથી ભાવિત બનેલા તેઓ પોતાના નગરમાં ગયા. અમારા વિરહમાં પુત્રે પણ દાનાદિથી નૌકરજનોને પોતાને વશ કરી અમને મારવા સારુ અમારા શયન કક્ષમાં વિષયોગથી ધૂપિત ધૂપ (મૂકાવ્યો) અમે તે વાત જાણતા ન હોવાથી પરિવારનાં માણસોને વિદાય- ૨વાના કરી સુઈ ગયા. વિષથી ધાતુઓ દૂષિત થવાથી અમે કાલ કરી આ ઉત્તરકુરુમાં યુગલિક રૂપે ઉપન્યા. હે નાથ ! આ મેં સર્વ જાતિસ્મરણથી જાણ્યું. તેથી હે સ્વામી ! નિર્નામિકા ! જે સ્વયંપ્રભા, કે જે શ્રીમતી હતી તે હું જ છું. જે મહાબલ જે લલિતાંગ જે વજંઘ તે આપજ છો. આપે જેણીનું નામ લીધુ તે જ હું સ્વયંપ્રભા છું. સ્વામીએ કહ્યું કે આર્યા ! દેવ ઉદ્યોત દેખી પૂર્વ જાતિ યાદ કરી હું વિચારમાં પડી ગયો કે હું દેવ ભવમાં વર્તી રહ્યો છું. અને મારી સ્વયંપ્રભા ચ્યવી ગઈ. તે સર્વ આ પ્રમાણે તેં કહ્યું. પરિતુષ્ટ મનવાળા પૂર્વભવના સ્મરણથી ઉત્તેજિત થયેલા Page #214 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ શ્રેયાંસ કથા ૨૦૩ નેહવાળા સુખપૂર્વક પ્રાપ્ત થયેલ વિષયસુખોને ભોગવનારા ત્રણ પલ્યોપમ જીવી સૌધર્મકલ્પમાં દેવ થયા.. - ત્રણ પલ્યોપમ પ્રમાણ દેવલોકનું સુખ અનુભવી સ્વામીનો આત્મા ઍવી વત્સાવતી વિજયમાં પહંકરા નગરીમાં સુવિધિ વૈદ્યનો કેશવ નામે પુત્ર થયો. હું પણ ત્યાંજ અભયઘોષ નામે શ્રેષ્ઠી પુત્ર થયો. ત્યાં પણ ઉત્કૃષ્ટ પ્રીતિવાળા રાજપુત્ર, મંત્રીપુત્ર, શ્રેષ્ઠીપુત્ર, સાર્થવાહપુત્ર પરમમિત્ર બન્યા. અમે એક બીજાને ઘેર અવર જવર કરીએ. એક દિવસ વૈદ્યપુત્રના ઘેર અમે બધા બેઠા હતા, ત્યાં એક કૃમિ કોઢથી હેરાન થયેલાં (પીડાયેલા) તપસ્વી આવ્યા. તેમને દેખી અમે બધાએ વૈદ્યપુત્રને કહ્યું કે તું વૈદ્ય સાચો કે જેથી દ્રવ્યલોભથી ચિકિત્સા કરે છે. દીનાદિને દૂરથી છોડી દે છે. તે વૈદ્યપુત્રે કહ્યું આવું ન બોલો દીન, દરિદ્રોનો ભેદભાવ રાખ્યા વિના ધર્મબુદ્ધિથી હું ચિકિત્સા કરું છું. તો સાધુની ચિકિત્સા કેમ નથી કરતો ? ચિકિત્સા કરું, પણ મારી પાસે સામગ્રી નથી. કારણ કે આના માટે ત્રણ મૂલ્યવાન વસ્તુની જરૂર પડે છે. તેમાંથી એક લક્ષપાક તેલ મારા ઘેર છે. પરન્ત લાખ મૂલ્યવાળુ રત્નકંબલ અને ગોશીષ ચંદન નથી. આ અમે પૂરું કરશું, એમ કહી બે લાખ દ્રવ્ય લઈ વૃદ્ધ શેઠના ઘેર ગયા. અમને દેખી ઉભા થઈ શેઠે આસને બેસાડ્યા. હાથ જોડી કહેવા લાગ્યા. તે કુમાર ! મારા લાયક કામ હોય તો ફરમાવો. બે લાખમાં અમને ગોશીષ ચંદન અને રત્નકંબલ આપો. અમારે સાધુની ચિકિત્સા કરવાની છે. તે સાંભળી શેઠ વિચારવા લાગ્યા, એઓ ધન્ય છે, બાલ છતાં ધર્મમાં કેવા રત છે. અમે અધન્ય છીએ કે જેથી ઘરડા થયા છતાં મહામોહથી મોહિત મનવાળા અમે ધર્મમાં મન લગાડતા નથી. એમ વિચારી વિનામૂલ્ય બંને વસ્તુ આપી. (શેઠ) દીક્ષા લઈ અંતકૃત કેવલી થયા. બાળકો પણ સાધુને તેલ માલિશ કરી તેનાં વીર્યથી ચામડીમાં રહેલા કૃમિઓ બહાર નીકળ્યા. કંબલ રત્ન તેને ઢાંકી દીધુ. તેથી બધા જીવડા તેમાં લાગી ગયા. પછી મૃતકલેવરમાં ઝાટકી દીધા. ગોશીષ ચંદનથી વિલેપન કરવાથી સાધુ સ્વસ્થ થઈ ગયા. . એ પ્રમાણે બીજીવાર કરવાથી માંસમાં રહેલા બહાર નીકળ્યા. ત્રીજીવાર હાડકામાં રહેલા બહાર નીકળ્યા. પછી સઘલાએ ઘાઓને સંરોહિણી ઔષધિથી રુઝવ્યા. ક્ષમા માંગી સ્વસ્થાને ગયા. બાકી રહેલા ચંદન, કમ્બલનું અડધુ મોલ મળ્યું. તેનાથી ફરકતી ધ્વજાના આડંબરથી વ્યાપ્ત સેંકડો શિખરવાળુ ભવ્યજીવોને ભાવ જગાડનારું સુંદર જિનાલય કરાવ્યું. અને સંવેગ રંગમાં રંગાયેલા ભવથી ડરેલા તેઓએ મા બાપ સ્વજનોને સન્માન આપી ગુરુ પાસે દીક્ષા લીધી. ઉત્તમ મુનિવરોથી આચરિત, ઉદાર, સુપવિત્ર, સર્વોત્તમ મોક્ષ સુખ આપનાર એવા સંયમને નિરતિચાર પાળી અનશન વિધિથી દેહ છોડી અશ્રુત કલ્પમાં સામાનિક દેવ થયા. (૧૧૯) ત્યાંથી આવી પુંડરિકિણી નગરીમાં વજસેન રાજાની મંગલાવતી મહારાણીની કુક્ષિમાં ચૌદ Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ મૂળશુદ્ધિ ભાગ-૧ મહાસ્વપ્નથી સૂચિત વૈદ્યજીવ પુત્રરુપે (ઉપન્યો) અવતર્યો. તેનું નામ વજનાભ પાડ્યું. કનકનાભ, રુણ્યનાભ બાહુ સુબાહુ અથવા કનકનાભ અને રુષ્યનાભના પીઠ મહાપીઠ એ બીજા નામ હતા (આસક્ત) તેના ચાર ભાઈ થયા. અને હું અભયઘોષ નામે ત્યાં જ રાજપુત્ર થયો. હું બાલ્યપણાથી વજનાભમાં ઘણો લીન-તન્મય બનેલો હતો. અને તેનો સારથી થયો. વજનાભને રાજ્ય સોંપી વજસેન રાજાએ તીર્થંકર રૂપે દીક્ષા લીધી. વજનાભને પણ ચક્રાદિ રત્નો ઉપન્યા અને ચક્રવર્તી થયો. કનકનાભ વિ. મહાસામંત થયા. લાંબા સમય સુધી રાજય ભોગવી કામભોગથી નિર્વેદ પામેલા પોતાના પિતાશ્રી તીર્થકર લક્ષ્મીના ભોક્તા છે, તેમની પાસે દીક્ષા લીધી. વજનાભ ચૌદ પૂર્વી થયા. પ્રભુએ આચાર્યપદે આરૂઢ કર્યો. શેષ ૧૧ અંગ ભણ્યા ત્યાં બાહુ વૈયાવચ્ચ કરે છે, પાંચસો મુનિઓની ગોચરી તેમજ વસ્ત્ર પાત્ર કંબલ દંડ વિ. લાવે છે. ઔષધ, પાટ, પાટલા, સંથારા વિ. જેણે જે ઇચ્છા હોય તેને સર્વ જરા પણ ખેદ પામ્યા વિના લાવી આપે છે. બીજો સુબાહુ સ્વાધ્યાય, અધ્યયન ધ્યાન અને તપસ્યા કરનારની થાક્યા પાક્યા વિના સેવા કરે છે. એથી બાહુએ ભોગફળ અને સુબાહુએ બાહુબલનું કર્મ ઉપાર્જન કર્યું. જે ઉત્કૃષ્ટ સ્વરૂપે દેવોને પણ ચમત્કારે કરાવનારું હતું. પીઠ મહાપીઠ તો સતત સ્વાધ્યાય કરે છે. સૂરી પહેલાં બેની સતત પ્રશંસા કરે છે. ત્યારે બીજા બે વિચારવા લાગ્યા, ગુરુ રાજસ્વભાવને મૂક્તા નથી. જે કામ કરે તેની પ્રશંસા કરે છે. આવી માયાથી ગુરુ ઉપર અપ્રીતિના કારણે સ્ત્રીગોત્ર બાંધ્યું. અમે બધાએ ઘણાં કાલ સુધી વ્રત પાળ્યું. સમાધિથી મરી છએ જણ સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉપન્યા. તેત્રીસ સાગરોપમ સુધી સુખ ભોગવી પૂર્વભવે બાંધેલા તીર્થકર નામકર્મના ઉદયથી ત્યાંથી ચ્યવી પ્રથમ નર-દેવ જેમના ચરણ કમળમાં નમે છે એવા આ પ્રત્યક્ષ પિતામહ પહેલા નંબરના વજનાભ ઋષભનાથ નામે તીર્થંકર થયા. શેષ અનુક્રમે ભરત, બાહુબલી, બ્રાહ્મી, સુંદરી થયા. ત્યાં વિદેહમાં જિનેશ્વરે મને કહ્યું હતુ વજનાભ ભારતમાં પ્રથમ તીર્થંકર થશે. અને શેષ મનુષ્યપણુ પામી મોક્ષે જશે. તેથી જો ! જિનેશ્વર લિંગ દેખી મને જાતિ યાદ આવી, તેનાં દ્વારા ભિક્ષા દાન પણ જાણ્યું તે સાંભળી રાજા વિ.ના રોમહર્ષ ખડા થઈ ગયા. અને મારી પ્રશંસા કરી ઘેર ગયા. પ્રભુના પારણાના સ્થાનને કોઈ ઓળંધે નહિ તે માટે શ્રેયાંસે ત્યાં રત્નમય પીઠીક કરાવી અને ત્રણે કાલ પૂજે છે.લોકો પણ તેમ કરવા લાગ્યા. કાલ જતાં સંચપુરપીઠિકા તરીકે તે પ્રસિદ્ધ થઈ. પ્રભુ પાસે દીક્ષા લઈ શ્રેયાંસ મોક્ષે ગયો. મૂલ્યવાન સુપાત્ર દાને ભવનને ધનથી ભુવનને યશથી ભર્યો. અને ભગવાન ને રસથી ભર્યા. આત્માને નિરૂપમ સુખમાં મૂક્યો. “શ્રી શ્રેયાંસ કથાનક સમાપ્ત” (ચન્દનાસતી. કથાનક) , અંગ દેશમાં આભે આંબતા મોટા ખુલ્લા મકાન, નગર કોટના દરવાજા, ઝરોખા, તોરણ, ભવન,દેવકુલથી શોભાયમાન ચંપા નામે નગરી છે. જેમ શ્રેષ્ઠ પર્વત વનરાજી (જંગલ)થી શોભિત, ગેંડાવાળો, સિંહ યુક્ત, શ્રેષ્ઠ વાંસવાળો, સુંદર નાના મૃગલાવાળો, સુંદર મેખલા = શિખર ઉપરથી Page #216 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ ચંદના કથા ૨૦૫ સમતલ ભૂમિવાળો હોય છે. તેમ અધિકાર" સમૂહથી શોભિત, તલવારવાળી, પ્રધાન સૈન્યવાળો, ઉત્તમવંશવાળો, શ્રેષ્ઠ કોટવાલવાળો, સુંદર ગતિવાળો દધિવાહન નામે રાજા છે. તેને ચેડારાજાની પુત્રી શ્રાવકધર્મમાં ઉદ્યમશીલ ધારિણી નામે રાણી છે. તેણીએ એક વખત રાત્રિના છેલ્લા પહોરે ફળફૂલથી ભરપૂર અનેક માણસોને ઉપકાર કરનારી પોતાની કાંતિથી સર્વ વનલતાને ઝાંખી પાડનારી કલ્પલતાને સ્વપ્નમાં દેખીને જાગી. રાજાને સર્વ વાત કરી. ત્રણે લોકમાં વિશેષ, ઘણાં માણસોને ઉપકારી, સર્વ નારીઓમાં પ્રધાન એવી પુત્રી થશે. એ પ્રમાણે અભિનંદન આપ્યા. “તહત્તિ” કરી સુખપૂર્વક ગર્ભ ધારણ કરતી રાણીએ પણ કાળ પાકતા પુત્રીને જન્મ આપ્યો. તેણીનું વસુમતિ નામ રાખ્યું. * આ બાજુ વત્સ દેશમાં અલંકાર ભૂત કૌશામ્બી નામે નગરી છે. શતાનીક નામે રાજા છે. મૃગાવતી પટરાણી છે. આ બંને રાજાઓને પરસ્પર વૈર છે. અન્યદા શતાનીકે સૈન્ય સાથે દધિવાહન રાજા ઉપર ચઢાઈ કરી. યુદ્ધમાં દધિવાહન ભાગ્ય જોગે નાશ પામ્યો. લુંટાઈ રહેલા નગરમાં શતાનીકે પોતાનાં સૈન્યમાં ઘોષણા કરીકે “જે મળે તેને ગ્રહણ કરો' જે જેને ગ્રહણ કરશે તે તેનું જ રહેશે. ત્યારે એક નોકરે પિયરતરફ ભાગતી વસુમતિ સાથે ધારિણીને પકડી. રસ્તામાં એક પુરુષે પુછયુ એઓને શું કરીશ? આ મારી પત્ની થશે અને આ પુત્રીને વેચી દઈશ. તે સાંભળી ધારિણી વિચારવા લાગી.... નિર્દય ! કરુણાહીન ! કર્મવિધિને ધિક્કાર હો ! કોણે આવું કર્યું? ત્રિભુવનમાં અતુલ્યવીર પુરુષ એવો મારો પતિજ મરી ગયો. એટલાથી પણ તને શાંતિ ન થઈ એટલે મને આવા ક્રૂર પુરુષના હાથમાં જકડી. હા નિર્દય દૈવ ! શું અત્યારે મારા મનના નિશ્ચયને પણ જાણતો નથી. જેથી શીલ ખંડવા પણ ઉદ્યત થયો છે. તેથી શું આ પાપી બળજબરીથી પણ મારા શીલનું ખંડન કરશે ? શું આ બાળા અનર્થ પામશે ? પિયરે નહિ પહોંચેલી પતિના વિરહવાળી શીલભંગ અને પુત્રીનું વેચાણ થવાનું વિચારતી તરત જ મરી ગઈ. તેણીનું અકાલે મરણ દેખી બાલિકાને તે સૈનિકે કોમલ વચનથી સાચવીને રાખી. અનુક્રમે કૌશામ્બી પહોંચ્યો. માથે ઘાસનો ભારો આપી વેચવા માટે બજારમાં ઉભી રાખી. ધનવાહ શેઠે દેખી વિચાર્યું...... આકૃતિથી આ કન્યા ઉત્તમકુલની હોવી જોઇએ. તેથી આને ગ્રહણ કરું. જેથી આના પિતા સાથે મારે પરિચય થશે. મોલ આપી ગ્રહણ કરી મૂલા નામની પોતાની ભાર્યાને સોંપી. પુત્રીરૂપે રહેવા લાગી. અત્યંત શીતલ સ્વભાવના લીધે તેનું ચંદનબાલા બીજું નામ પાડ્યુ.યૌવનવય પામી. તેણીના અંગો અંગ અતિરસ યુક્ત કોમલ અને કામુક માણસોને મોહ પમાડનારા થયા. તેમજ સ્તનો અડધા ઉગી ઉઠ્યા. પરિપૂર્ણ ચંદ્રમંડલસમાન મનોહર મુખ, લાવણ્ય અને વર્ણ-કાંતિ “રૂપાદિ અસાધારણ છે” એવું કહી બતાવે છે. વન – મધર (2) જા.૪૬. Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ . મૂળશુદ્ધિ ભાગ-૧ કામદેવ રાજાના મંદિર એવા નવયૌવનમાં રહેલી હોવા છતાં યૌવન વિકાર રહિત સુખથી ત્યાં રહે છે. (૯) એક વખત ઉનાળાના તડકાથી સંતપ્ત દેહવાળા, ઘણાં જ થાકેલા, પરસેવાના જલથી મલિન, અને અશક્ત એવા શેઠ બહારથી આવ્યા. ચંદનાએ દેખ્યા. તેવું કાર્યકરવા હોંશીયાર બીજો કોઈ નહિ દેખાતા પાદશૌચની (પગ ધોવાની) સામગ્રી લઈને ચંદના આવી. “પુત્રી જ છે” એમ માની તેણીને શેઠે ના ન પાડી શરીર સર્વ રીતે ખીલેલ હોવાથી, સ્વભાવ શિષ્ય જેવો વિનયવાળો હોવાથી અંગો યૌવનના આરંભથી ભારી હોવાથી અતિઆદરથી પગ ધોતી તેણીનો કેશકલાપ (અંબોડો) છૂટી ગયો. કાદવમાં પડતાં અંબોડાને શેઠે ગેડીથી લીધો. અને ઉપર રહેલી મૂલાએ દે.... તે વિચારવા લાગી અરે રે ! તું દેખ ! આ મૂઢ પુત્રીને સ્વીકારવા માટે અતિરાગથી મોહિત મનવાળો બની આવી ચેષ્ટા કરે છે. અથવા આવું યૌવન, લાવણ્ય, રૂપ સૌભાગ્ય દેખી મુનિ પણ ચોક્કસ કામને પરવશ થઈ જાય. તેથી જો આણીને દ્રઢ અનુરાગવાળો આ પરણશે તો સ્વપ્નમાં પણ મારું નામ પણ નહિ લે. દૂરથી નાશ પામેલ આ કાર્ય ફળે નહિ તે પહેલાં પ્રયત્ન કરી લઉં. નખ છેદવાની ઉપેક્ષા કોણ કરે ? હજી પણ વ્યાધિ નબલો છે, તેથી પ્રતિકાર ચોક્કસ થઈ શકશે. પછી ગાઢ થયેલાં રોગનાં પ્રતિકારનો પ્રયત્ન પણ નિષ્ફળ થશે. દુષ્ટ ચિત્તના કારણે આવા ઘણાં ખોટા વિકલ્પો કર્યા. અથવા તો દુર્જન માણસ બધાને પોતાના સરખા માને છે. કહ્યું છે કે – શુદ્ધ સ્વભાવવાળો, સાધુજન (સજ્જન) અન્યરૂપે વ્યવહાર (વર્તન) કરે છે. તેને દુષ્ટ સ્વભાવવાળો દુર્જન અન્ય રૂપે માને છે. શેઠ ઘેરથી જતાં, નાઈને બોલાવી તેણીનું માથું મુંડાવી દીધું. પગમાં બેડી બાંધી દીધી. એક ભોંયરામાં પુરી અને સાંકળથી થાંભલા સાથે બેડી બાંધી દીધી. દરવાજો બંધ કરી દીધો. બધા પરિજનને કહ્યું કે શેઠને કહેશે તેને આ જ દંડ થશે. ભોજન સમયે ન દેખાતા શેઠે પૂછયું ચંદના કયાં ગઈ? મગરમચ્છની દાઢા સમાન મૂળાના ભયથી કોઈ બોલતું નથી. ત્યારે શેઠે વિચાર્યું ક્યાંય બહાર રમતી હશે. એટલે ભોજન કરી લીધુ. એમ બીજા ત્રીજા દિવસે એજ પ્રમાણે યાદ કરી. પણ ચોથા દિવસે શેઠે આગ્રહ કર્યો. આજ તો જયાં સુધી ચંદના ન દેખાય ત્યાં સુધી ખાવુ નહિ. “મૂલા મને શું કરી લેશે મારા જીવનદાનથી પણ અનેક ગુણવાળી બાલાને જીવાડું' એમ માનતી એક શુદ્ધ દાસીએ શેઠને સર્વ બીના કહી દીધી. ત્યાર પછી વ્યાકુલ મનવાળા ચિંતાતુર શેઠે ભોંયરાના દ્વાર ઉઘાડ્યા. કેશભારકેશકલાપ વિનાની, ભૂખ તરસથી શરીર એકદમ કરમાઈ ગયુ છે, ગાલ આંસુથી લીપાયેલા છે એવી ચંદનાને જોઈ. આંસુ ભરેલા નયનવાળા શેઠ રસોડામાં ગયા પણ મૂલાએ બધા અશનાદિ અંદર મૂકી દરવાજે તાળું મારી દીધું હતું. ત્યારે બરાબર જોતાં નિરાહાર-“આમાં શું ખાવાનું છે” એવી ઉપેક્ષાથી નહિ છુપાવેલા સુપડાના કોણામાં રહેલા અડદના બાકળા દીઠા. તેજ લઈને ચંદનાને આપ્યા. અને કહ્યું છે બેટી !” લુહારને બોલાવી લાવુ અને મનોજ્ઞ ભોજન રંધાવુ ત્યાં Page #218 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ ચંદના કથા ૨૦૭ સુધી આ ખા, એથી કરી અતિ ભૂખના લીધે શરીર નાશ પામી ન જાય. એમ કહી શેઠ લુહારના ઘેર ગયા. ત્યારે ચંદના સૂપડામાં અપાયેલ માખીનાં ઢગલા સરખા અડદને દેખી પોતાની પૂર્વાવસ્થા યાદ કરી શોક કરવા લાગી.હે દૈવ ! ત્રિલોકમાં તિલક સમાન કુલમાં જન્મ આપ્યો, તો અકાળે પ્રચંડ દુસ્સહ દારિદ્ર ક્યાંથી આવ્યું ? જો હું મા બાપને વલ્લભ થઈ તો, તેઓના મરણ દુઃખને ભોગવનારી શા માટે બનાવી ? હે નિષ્કરુણ ! બાંધવો સાથે વિયોગ કર્યો, તો આ બીજું દાસપણું કેમ આપ્યુ ? (૧૯) સુકુલમાં ઉત્પન્ન થયેલાંને અને પ્રાપ્ત થયેલી પોતાની અવસ્થાને વિશેષ નિંદી વારંવાર નીકળતા આંસુથી ભરાયેલી તે છોકરી રડવા લાગી. એમ પોતાનાં કર્મને નિંદી અને અવસ્થાનો શોક કરી. ભૂખથી (સુકાયેલા) પતલાં પડેલા ગાલવાળા મુખને હાથમાં મૂકી બાકળાને વિશેષે જોઈ શોક (અફસોસ) થી ભરેલા કંઠવાળી વિચારવા લાગી... ભૂખ્યા માણસને એવું કાંઈ નથી જે ન ભાવે. પણ પિતાના ઘેર એકાસણાંના પારણે પણ ઇચ્છા મુજબ ચતુર્વિધ સંઘને વહોરાવી (દાન આપી) પછી હુઁ પારણું કરતી હતી, તો અત્યારે અટ્ઠમના પારણે વિષમ દશા. પામેલી પણ (હું) કોઈને ભાગ આપ્યા વગર પુણ્યહીન હું પારણુ કેવી રીતે કરું ? જો કોઈક અતિથિ આવે તો કેટલાક બાકળા આપી હું પારણુ કરું. એમ વિચારી દ્વારદેશે ઉભી રહી અને દેખવા લાગી. (૨૫) એ અરસામાં સંગમદેવના મહાઘોર ઉપસર્ગોથી પાર પામેલા, જગતગુરુ શ્રી વર્ધમાન સ્વામીએ અભિગ્રહ કર્યો કે - તે આ પ્રમાણે - દ્રવ્યથી - સૂપડાના એક ખૂણામાં બાકળા હોય. ક્ષેત્રથી - આપનારનો એક પગ ઉંબરાની અંદર અને એક બહાર હોય. કાલથી - ભિક્ષાચરો ભિક્ષા લઈ પાછા ફરી ગયા હોય. ભાવથી - મહા૨ાજ કુલમાં ઉત્પન્ન થયેલી કન્યા દાસી બનેલી હોય, બેડીથી બંધાયેલા પગવાળી હોય, માથુ મુંડાવેલુ હોય, શોકથી કંઠ રૂંધાઈ ગયો હોય અને રડતી હોય તેવી કન્યા દાન આપે તો પારણુ કરવુ. અન્યથા નહિ.” એ પ્રમાણે કોશાંબિકામાં માણસો જેનાં અભિગ્રહને જાણતા નથી એવા પ્રભુ ગોચરી માટે વિચરે છે. એક વખત સુગુપ્ત મંત્રીના ઘેર ગયા. દાસી ભિક્ષા લાવી. ભગવાન તો લીધા વગર ચાલ્યા ગયા. નંદા મંત્રીણીએ દેખ્યા તે બોલી હે હલા ! ભગવાને ભિક્ષા કેમ ન લીધી ? હે સ્વામિની ! આ પ્રભુને ચોક્કસ કોઈ અભિગ્રહ હશે. અકૃતિથી મંત્રીને કહ્યું કે તમારું મંત્રીપણું શા કામનું ? ભગવાનનો અભિગ્રહ પણ જાણતા નથી. મંત્રીને પણ અધીરતા થઈ. ત્યારે મૃગાવતીની દાસી ત્યાં આવેલી હતી. તેણીએ રાણી મૃગાવતીને કહ્યું. રાણીને પણ અધીરતા થઈ. રાજાને નિવેદન કર્યું → તમારા રાજ્ય વડે શું ? જો પ્રભુનો અભિગ્રહ પૂરતાં નથી. અહીં પ્રભુ વિચરી રહ્યા છે એ પ્રમાણે પણ જાણતા નથી. અત્યારે હું અભિગ્રહ પૂરીશ” એમ રાણીને આશ્વાસન આપી, શોકાતુર રાજાએ મંત્રીને બોલાવ્યો. મંત્રીએ રાજ આદેશથી ભિક્ષાચરોને (પાખંડીઓને) અભિગ્રહ વિશેષ પૂછયા તેઓએ Page #219 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ કહ્યું હે મહારાજ ! સાધુ લોકોના વિચિત્ર-વિવિધ જાતના અભિગ્રહોય છે, તેથી કેવીરીતે જાણી શકાય ? તો પણ દ્રવ્યથી વિચિત્ર દ્રવ્યો, ક્ષેત્રથી જુદા જુદા પ્રદેશમાં દાતા ઉભો હોય ઇત્યાદિ, કાળથી પહેલો પહોર વગેરે, ભાવથી, દાતા હસતો હોય, રડતો હોય, નાચતો હોય, ગાતો હોય, રમતો હોય ઇત્યાદિ. ત્યારે જેમ કહ્યુ તેમ રાજાના આદેશથી લોકો દાન આપવા તૈયાર થયા છતાં પ્રભુ લેતા નથી.તેથી અત્યંત ચિંતાતુર બનેલા લોકો વિચારવા લાગ્યા. આ આખો દેશ પુણ્યહીન છે. જે કારણથી અહીં રહેલા જગદ્ગુરુનો પણ વ્યવહાર વિધિથી અપાયેલા અન્નપાનથી ઉપકાર કરી શકાતો નથી. જેનું યત્નથી (યોગ્યતાથી જોડાયેલું) જોએલ દાનને યતિઓ ગ્રહણ કરતા નથી, તે ગૃહસ્થ શું કામનો ? તેનો ઘરવાસ નકામો છે. જેમ જેમ પ્રભુ આગળ અર્પણ કરાયેલુ અનેક જાતનું ભક્તપાન પ્રભુ લેતા નથી. તેમ તેમ માણસો પ્રભુની ચિંતાથી મંદ થયેલા વિઠ્ઠલ બનેલા ખેદ પામે છે. એ પ્રમાણે પોતાના વૈભવ ઉપભોગ સંપત્તિની નિંદા કરવા પૂર્વક વ્યગ્ર બનેલા માણસો ધન પરિજન સમૃદ્ધિ સર્વ નિષ્ફળ માને છે. (૨૯) એ પ્રમાણે પાંચ દિવસ ન્યૂન છ મહિના સુધી વિચરતા ધનાવાહ શેઠના ઘેર પ્રવેશ્યા. પૂર્વે વર્ણવાયેલાં સ્વરૂપવાળી ચંદનબાલાએ પ્રભુને જોયા અને વિચારવા લાગી.... આલોકમાં હું કૃતાર્થ છુ, પુણ્યશાળી છુ, જેણીના પારણાંના દિવસે આ પરમાત્મા પધાર્યા છે. જો કોઈ પણ હિસાબે પ્રભુ મારાં અડદ બાકળા ગ્રહણ કરે તો દુઃખ પરંપરાને જલાંજલિ આપી દેવાશે. એમ વિચારતી હતી એટલામાં ત્યાં પ્રભુ આવી ઉભા રહ્યા. ભક્તિ સમૂહથી પૂર્ણ ભરેલાં અંગવાળી જલ્દી બાકળા લઈ આપવા તૈયાર થઈ, પણ પ્રભુ માટે અનુચિત કહેવાય એથી રડવા લાગી અને સાંકળે બંધાયેલી બહાર નીકળી શકતી નથી. પગેથી (ડેહલી) ઉંબરાને રોકીને જગદ્ગુરુને કહેવા લાગી હે ભગવાન્ ! આપને કલ્પતા હોય તો મારા ઉપર અનુગ્રહ કરી ગ્રહણ કરો ! અભિગ્રહ પૂર્ણ થયેલો જાણી સ્વામીએ પણ હાથ પસાર્યો. તે પણ તેમાં નાંખી ફરીથી વિચારવા લાગી પુણ્યશાળી ત્યારે પોતાનાં ભવનમાં આવા ઉત્તમ પાત્રને પ્રાપ્ત કરે છે, જ્યારે તે પ્રાણીઓને મોટુ કલ્યાણ થવાનું હોય. કલ્યાણ પરંપરા ફરી મારે ચાલુ થશે. કા૨ણ કે પ્રભુએ સ્વયં ઉપકાર કર્યો. અભિગ્રહના પારણામાં પ્રભુને પારણુ કરાવ્યું. તેથી નર દેવ અને મોક્ષ સુખ મારા હાથમાં જ આવી ગયા છે. (૩૮) ૨૦૮ એ અવસરે ‘અહો દાનં સુદાનં' બોલતા દેવસમૂહે આકાશમાં વસ્ત્ર ઉડાડ્યા. પુષ્પવૃષ્ટિ કરી. વાદળાઓએ સુગંધિ જલ વર્ષાવ્યું. સુગંધિ વાયરો વાવા લાગ્યો. દેવદુંદુભિ વાગી. દેવોએ રત્નવૃષ્ટિ કરી. દેવતાઓએ પોતાના હાથે નાંખેલા વિવિધ મણિના કિરણોથી દિશાભાગ રંગાઈ = પરસ્પર રંગો મળવાથી વધી ગયેલ વર્ણની અન્ય અન્ય વર્ણ શોભા ઇંદ્ર ધનુષ્યની લાકડીની જેમ શોભે છે. ગંધથી ભેગા થતાં ભમરાંના કુળ વલયાકારે લીન થઈ ઝંકાર કરી રહ્યાં છે,” એવી કલ્પવૃક્ષના પુષ્પની વૃષ્ટિ પડી રહી છે. પુષ્પવૃષ્ટિએ દિશાનાં છેડાઓને આનંદથી પુષ્ટ કરી દીધા.કોમલ કરકમલ દ્વારા તાલમાંથી નવા નીકળેલા શબ્દથી શબ્દમય બનેલ ગંભીર અવાજમાં Page #220 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ ચંદના કથા ૨૦૯ વાગતા વાઘથી યુક્ત એવો દુંદુભિનો અવાજ ઉછળી રહ્યો છે. મનોહર ભુજાથી ફેલાયેલા હાથરૂપકળીની અંજલિને મસ્તક કમલ સાથે જોડવા પૂર્વક દેવોએ જયજયનાં અવાજ સાથે રત્નવૃષ્ટિ કરી. દેવતાઓએ નવો. કેશકલાપ કર્યો. પૂર્વના લાવણ્યથી અધિક શોભાવાળુ શરીર કર્યું. ત્યારે નગરીમાં કલકલારવ ઉછળ્યો કે ધન શેઠના ઘેર ભગવાને પારણું કર્યું અને દેવોએ રત્નવૃષ્ટિ કરી. આ સાંભળી શેઠ તથા રાજા આવ્યા. ઘરમાં ઠેકાણે ઠેકાણે રત્નનાં ઢગલાં પડેલા જોયા. આશ્ચર્યથી વિકસિત નયનવાળો રાજા કહેવા લાગ્યો, “હે શેઠ ! તું ધન્ય છે જેને ત્રિભુવનમાં તિલક સમાન એવી પુત્રી છે. તેણીએ ભગવાનને પારણું કરાવી આવું દાનનું ફળ મેળવ્યું. કારણ કે - હું આ નગરીનો રાજા છું. અને તે એક ગૃહસ્થ છે આટલું આંતરું હોવા છતાં પ્રભુએ તારા ઉપર ઉપકાર કર્યો. વૈભવ, જાતિ, પ્રભુત્વ (સત્તા) કુશળતાનું કારણ નથી. પણ જેનાં ઘેર અર્થીઓ આવે છે તે પુણ્યશાળી છે. સ્તુતિ સમૃદ્ધિથી સંબદ્ધ વિવિધ યુક્તિઓથી આદરપૂર્વક શેઠને રાજાએ ગૌરવ સાથે અભિનંદન આપ્યા. તેટલામાં રાજા સાથે વારંવાર આવેલા અંતઃપુરના કંચુકીએ ચંદનાને દેખી વારંવાર તર્કમાં પરાયણ બનીને = વારંવાર તર્ક-વિતર્ક પૂર્વક વિચારણા કરવામાં લાગી જતા, ચંદનાને ઓળખી. ચરણે પડી રડવા લાગ્યો. તેને રડતો દેખી રાજા રાણીએ પૂછયું આ શું ? તેણે પણ કહ્યું આ તો દધિવાહન રાજાની પુત્રી વસુમતી છે. પણ અહિં ક્યાંથી આવી, એ હું જાણતો નથી. ત્યારે ચંદનાએ છેક સુધીની વીતક કથા કહી સંભળાવી. તે સાંભળી રાજારાણીએ સ્નેહથી ખોળામાં બેસાડી. ત્યાર પછી તે બોલી તમે અને શેઠ અનુજ્ઞા આપો તો ધર્મ આચરણ કરું. કારણ કે - વિવિધ દુઃખ અને સેંકડો કલેશથી ભરપૂર અસાર સંસારમાં કયો વિવેકી માણસ સુખ સંગમાં મૂઢ બની રમે ? આ જન્મમાં જ સુકુલમાં જન્મ મેળવી ફરી પણ બીજાના દાસપણાથી કલેશ પામી. તેવા પ્રકારની ઘણી સમૃદ્ધિના આડંબરવાળી પૂર્વમાં હું હતી, અત્યારે કથામાં કહેવાતી તે ઋદ્ધિની કોઈ શ્રદ્ધા પણ ના કરે. સંસારમાં બગાસુ પણ કર્મના વશથી ખાઈ શકાય છે. એવું જાણી ક્યો સકર્ણ (હોંશીયાર) માણસ નિમેષ માત્ર પણ (પળવાર પણ) આ સંસારમાં આસક્ત બને. આ સાંભળી રાજાએ કહ્યું હે પુત્રી ! હજી તો બાલવય છે. યૌવન વિકાર ઓળંગાયો નથી મોહનો પ્રસાર દુર્જય છે, ઇંદ્રિયસમૂહ બલવાન છે, તેથી સંસારના મોજશોખનો વિલાસ કરી, ઇંદ્રિય સુખને ભોગવી, દેવોથી પ્રાપ્ત ધન સમૃદ્ધિને ભોગવી પછી ધર્મ કરવો યોગ્ય છે. અત્યારે તો ત્રણે લોકના પ્રાણીઓને વિસ્મય પમાડનાર શરીરનું સ્વરૂપ પ્રશંસા કરવા યોગ્ય છે. અને લાવણ્યને હરનારા તારા સુંદર રૂપ માટે તપ વિનાશ રૂપ બનશે. જેમ હિમપવન (ઘણોજ ઠપ્પો વાયરો) કમલ માટે, “જયાં જે યોગ્ય છે.” તેમ બહુજનો કરે છે. શું બાળક પણ દારુના ઘડામાં બલિ કરે ? (પર) રુચિકર લાવણ્યકાંતિની શોભાવનારી તારી શરીરરૂપી લાકડીનો કરાતો Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨ ૧૦ મૂળશુદ્ધિ ભાગ-૧ તપ નિ:સંદેહ નાશ કરનારો બનશે. અને બીજું કમલ સરખુ કોમલ તારું શરીર તીવ્ર તપને કેવી રીતે સહન કરી શકશે? તીવ્ર તડકાને વૃક્ષજ સહી શકે, પણ નવો અંકુરો નહિં. તીવ્ર તપ સંતાપને વયથી પરિણત થયેલો સહી શકે, બાલ શરીરવાળો નહિ. તડકાના દર્શન માત્રથી ગોપદમાં ખાબોચિયામાં રહેલું (ગાયના પગથી ખણાયેલી જમીન માત્ર) પાણી સુકાઈ જાય છે. એમ વયની વૃદ્ધિ ઈષ્ટ સાધન માટે કારણ બને છે. પૂર્ણ ચંદ્ર સંપૂર્ણ જગતને ઉદ્યોતિત કરે છે, પણ ચંદ્રરેખા (બીજનો ચંદ્ર) નહિ. (૫૬) આવું સાંભળી થોડુ મોઢું મલકાવી ચંદના બોલી હે મહારાજ ! બુદ્ધિશાળી એવા આપ આ પ્રમાણે શા માટે બોલો છો ? પ્રાણીઓને જયારે સામર્થ્ય અને સંપૂર્ણ વિર્ય હોય તે કાલ જ તપનો છે તેને પંડિતો પ્રશંસે છે. નહિ હણાયેલ ઇંદ્રિય સામર્થ્યવાળો પ્રાણી સર્વ કર્તવ્ય કરવા માટે પ્રથમ વયમાં જ સમર્થ હોય છે. જ્યારે સર્વ ઇન્દ્રિયની વિકલતાથી લાવણ્ય મંદ પડી ગયું હોય એવું શરીર બની જાય છે. જ્યારે પોતે ઉઠવા માટે પણ અસમર્થ હોય તે વખતે કયું કર્તવ્ય તે કરી શકશે ? તપ વીર્યથી સાધ્ય છે, શરીરમાત્ર તેનું સાધન નથી” જેમ વજ પર્વતને ભેદી શકે, માટીનો પિંડ નહિ. સામર્થ્યથી રહિત માણસ શું કાંઈ પણ કરી શકે? તેથી યૌવનવયમાં જ ધર્મ કરવા ઈચ્છું છું. અને બીજુ આ રત્નવૃષ્ટિ પુણ્યાનુબંધી પુણ્યને કહેનારી છે. જે મને ધર્મ ઉદ્યમમાં ઉત્સાહ જગાડે છે. શું તમે વિદ્વાન માણસોએ કહેલું નથી સાંભળ્યું – કે “ધર્મ વગરના જીવો સર્વ સંપદાના ભાજન બનતા નથી.” એ વખતે ઇન્દ્ર શતાનીક રાજાને કહ્યું ભો રાજનું ! આવું ન બોલો કારણ કે – શું તમે જાણ્યું નથી આ સંપૂર્ણ શીલગુણ વૈભવવાળી ચંદન વૃક્ષની શાખાની જેમ આ ચંદના સ્વભાવથી ઘણી જ શીતલ છે. સંયમ ઉદ્યમમાં પ્રવર્તનારી પાપ વગરની પ્રભુવીરની સાધ્વીઓમાં આ પ્રથમ સાધ્વીજી થશે. હૃદયમાં વિચારેલ ઉતાવળથી શીધ્ર પ્રવ્રજ્યા કાલને પ્રાપ્ત કરવાની દ્રઢ ઇચ્છાવાળી અને બીજુ કહેવું પણ યોગ્ય નથી. પ્રભુનો દીક્ષાથી અનુગ્રહ કરવાનો યોગ્ય સમય થાય ત્યાં સુધી તમારે ઘેર ભલે રહે. અને આ રત્નવૃષ્ટિનું ધન પણ આપ્યું છે, તેને તું (ચંદના) ગ્રહણ કર. અને અત્યારે જેણે જે યોગ્ય હોય તેને આપ. ત્યારે ચંદના ઈન્દ્રની અનુમતિ માત્રથી શેઠની અનુજ્ઞા લઈ સર્વધન સાથે રાજાને ઘેર જવા રવાના થઈ. ઈચ્છા મુજબ દીન-અનાથને ધન આપતી ચંદનાને ગૌરવપૂર્વક રાજા પોતાના રાજમહેલમાં લઈ ગયો. ઈન્દ્રના વચનથી ઉત્સાહિત બનેલા રાજાએ ધનશેઠનું સન્માન કરી સંપૂર્ણ વ્યવસ્થા કરીને અંતઃપુરમાં કન્યાને રાખી. ત્યાર પછી તેણીએ સર્વ ઘરેણાનો ત્યાગ કરેલો હોવા છતાં સ્વાધીન શીલ અલંકારથી તેણીના અવયવો શોભતા હતા અત્યંત મનોહર રૂપ લાવણ્ય યૌવનના પ્રકર્ષવાળી હોવા છતાં પણ પરિણત ઉંમરવાળી વ્યક્તિ જેવુ તેણીનું આચરણ હતુ. સર્વ કામ ઇન્દ્રિયોનો (ઇન્દ્રિયના વિષયસુખનો) તિરસ્કાર કરેલો હોવા છતાં તે અતુલ્ય શમસુખનો સ્વાદ માણી રહી છે. ભગવાનના કેવલજ્ઞાનની ઉત્પત્તિના સમયની રાહ જોતી ત્યાં રહેલી છે. Page #222 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ દ્રોણક કથા ૨ ૧૧ પ્રભુને કેવલજ્ઞાન થતા ઠાઠમાઠથી જેણીની પાછળ સુર અસુર માણસો ચાલી રહ્યા છે, એવી તે પ્રભુ પાસે ગઈ. યથાવિધિથી પ્રભુએ દીક્ષા આપી. છત્રીસ હજાર સાધ્વીઓની પ્રવર્તિની સાધ્વી બની. કાળ જતા કેવલજ્ઞાન મેળવી પરમસુખ મોક્ષને પ્રાપ્ત કર્યું. “ચંદના સતીકથાનક સમાપ્ત” દ્રોણક કથાનક) ધરતી રૂપ નારીનાં ઘરેણા સમાન સર્વ દેશોની મળે જે મુકુટ સમાન શોભે છે, એવો કૌશલ નામે દેશ છે. તેમાં દશે દિશામાં પ્રખ્યાત શ્રીપુર નામે શ્રેષ્ઠ નગર છે. ત્યાં નિશ્ચયથી ચંદ્રના કિરણોનાં વિસ્તાર સમાન યશના ફેલાવાથી જેણે સંપૂર્ણ ધરતીતલ સફેદ કરી દીધુ છે એવો “તારાપીડ' નામે રાજા છે. સુર અસુર વિદ્યાધર માણસોની રૂપાળી નારીઓનાં રૂપને ઝાંખુ પાડનારી રતિસુંદરી નામે તેને રાણી છે. તેજ નગરમાં આખાએ નગરમાં પ્રધાન સુધન, ધનપતિ, ધનેશ્વર, ધનદ નામે ચાર શ્રેષ્ઠિ પુત્રો છે. તે ચારે મિત્ર છે. એક વખત તેઓ મા-બાપને કહ્યા વિના પ્રધાન સોનું, માલ અને મૂલ્ય લઈ ભાથુ ઉપાડનાર એક દ્રોણક નામના નોકર સાથે રત્નદ્વીપ તરફ પ્રયાણ કર્યું. રસ્તે જતાં મોટું જંગલ આવ્યું, તેનાથી બહાર નીકળતા તો લગભગ ભાથુ ખલાસ થઈ ગયુ. એ અરસામાં એઓએ પ્રતિમાપારી એક મહામુનિને જોયા અને વિચાર્યું. * તપથી સુકવી નાંખેલા શરીરવાળા, દુર્ધર ક્રિયા કલાપમાં મન રાખનારા, કામાગ્નિને પ્રશાંત કરવા માટે વાદળા સમાન, પાંચ ઇન્દ્રિયોરૂપી ઘોડાઓને કાબુમાં રાખનાર, સર્વ ગુણોના આધાર એવા આ પ્રધાનપાત્રને ભક્તિ પૂર્વક અન્ન વિ. વહોરાવે તે ધન્ય પુણ્યશાળી છે. તેઓનો મનુષ્ય અવતાર સફળ છે. તેથી અમો પણ આ ભાગ્યશાળીને વહોરાવીયે. એ વખતે પાત્ર પડિલેહી યુગમાત્ર દષ્ટિ નાંખી મુનિ વહોરવા ચાલ્યા. ત્યારે હર્ષથી ભરેલા હૃદયવાળા તેઓએ દ્રોણકને કહ્યું કે, હે દ્રોણક ! આ ભાથુ આ સાધુને આપ, પ્રાપ્ત થયેલી શ્રદ્ધા વિશેષથી વિકસતા મુખકમલવાળા, તેણે રોમાંચિત બની તપસ્વીને વહોરાવ્યું. અનુક્રમે રત્નદીપ પહોંચ્યા, ધાર્યા કરતા સવાયો. લાભ થયો. પોતાના નગરમાં આવ્યા, દીનાદિકને દાન આપવા પૂર્વક મોજ કરે છે. પરંતુ ધનપતિ અને ધનેશ્વર સૂક્ષ્મ માયા રાખે છે. એ અરસામાં આવું પૂર્ણ કરી દ્રોણક મર્યો. ભરતમાં કુરૂદેશનાં અલંકારભૂત હસ્તિનાપુરના રાજા દુuસહની પટરાણી શ્રી સુંદરીની કુક્ષિમાં ઉપન્યો. તેણીએ તેજ રાત્રીમાં અમૃત રસ સારવાળા ફેલાતા કિરણોનાં પૂરથી ધરતી અને આભના આંતરાને જેણે (ભીનો કરી દીધો -પખાલી દીધા છે) અને ગગનના આંગણાને જેણે શોભાવી દીધો છે એવા પૂર્ણ મંડલવાળા ચંદ્રને મોઢાથી પેટમાં પ્રવેશતો જોયો. તેનાં દર્શનથી ભય ઉત્પન્ન થવાથી નિદ્રા ઉડી ગઈ. અને પતિને સ્વપ્ન કહ્યું. સ્વાભાવિક પોતાના પતિ માહાત્મથી નિશ્ચિત કરેલા સ્વપ્નના ભાવાર્થથી રોમકૂપ ખડા થવાથી Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ૨ મૂળશુદ્ધિ ભાગ-૧ વિકસિત થયેલા વદનકમલવાળા રાજાએ કહ્યું હે દેવી ! કુરુદેશના સર્વ રાજા રૂપી તારામંડલમાં ચંદ્રસમાન તારો પુત્ર થશે. એમ થાઓ,એમ આનંદ પામી પતિના વચન પછી તરત જ પૂર્ણ થતા સઘળા ઇચ્છિત મનોરથવાળી તેણીએ યોગ્ય સમયે પુત્રને જન્મ આપ્યો. ફેલાતી પોતાના શરીરની કાંતિના સમૂહથી જન્મભવનનાં પ્રદેશને પ્રકાશિત કરનારો તેને દેખી હર્ષાવેશથી ઉત્પન્ન સંભ્રમ વડે સ્કૂલના પામતી ઉતાવળી ગતિના પ્રચારથી ઉઠતા શ્વાસ વડે ભરાયેલા હૃદયવાળી સુદર્શના નામની દાસીએ રાજાને વધામણી આપી. ત્યાર પછી તેના વચન સાંભળી, આનંદ સમૂહથી પરવશ થયેલા મનવાળા, મુકુટવર્જી અંગે લાગેલા સર્વ ઘરેણા વિ.ના તુષ્ટિ દાનથી દાસચેટીને તુષ્ટ કરી. પછી ઈષ્ટપુત્રનો જન્મ અભ્યદયનો દશદિવસનો માંડેલ વધામણી મહોત્સવને સુખથી અનુભવતા રાજાને પુત્રનું નામ પાડવાનો દિવસ આવ્યો. સ્વપ્ન અનુસારે કુરચંદ્ર નામ પાડ્યું. મોટો થયો ને લગ્ન થયા. અને પ્રવજયા લેવા તૈયાર થયેલા રાજાએ તેના ઉપર રાજય ભાર નાંખ્યો. તે પંચડ આજ્ઞા (શાસન) વાળો રાજા થયો. આ બાજુ સુધન, ધનદ મરી અનુક્રમે વસંતપુરમાં વસંતદેવ, કાર્તિકપુરમાં કામપાલ નામના પ્રધાન શ્રેષ્ઠી પુત્ર થયા. યુવાન થયા, ધનપતિ, ધનેશ્વર અનુક્રમે શંખપુર અને જયંતી નગરમાં મેરા અને કેશરા નામની રતિના રૂપલાવણ્યને જીતનારી ઇભ્યકુલની પુત્રીઓ થઈ અને યૌવનમાં આરુઢ થઈ. (તરુણ તરુવર ઉપર ચઢી) એક વખત વસંતદેવ ઉંટ બળદ વિ. વાહનયુક્ત મોટા સાથે સાથે વાણિજય માટે જયંતીનગરમાં ગયો. વસંતવર્ણન.... એ અરસામાં લંકાવાસ જેમ વિકસંત રાક્ષસવાળો હોય તેમ વિકસિત થતા પલાશવૃક્ષવાળો, જિનમુનિના મનનો અભિપ્રાય જેમ પ્રગટ રૂપે શોક અફસોસ વગરનો હોય, તેમ વિકાસ પામતા અશોકવૃક્ષવાળો, સ્ત્રીનું ભાલતટ જેમ તિલકથી શોભે છે, તેમ શોભતા તિલકવૃક્ષવાળો, વાચા વગરનો પુરુષ જેમ ખરાબ અવાજ કરનારો હોય છે, તેમ વિકસતા કુરબકવૃક્ષવાળો, ઈન્દ્ર જેમ વિકસતા લાલરંગવાળો હોય તેમ વિકસતા આંબાના વૃક્ષવાળો, શૂન્યગૃહનો ઉપરનો ભાગ જેમ ફેલાતી કરોલીયાની જાલવાળો હોય છે. તેમ ફેલાતા પ્રવાહવાળો વસંત મહીનો આવ્યો. વાયરા વશે હાલતી ચાલતી કોમલ લતારૂપી બાહુ દંડોથી જાણે નાચતો ન હોય, વિવિધ પ્રકારના પક્ષીઓનાં કલકલ અવાજથી જાણે ગાતો ન હોય, વિલાસ માણતી શ્રેષ્ઠ આંબાની કળીરૂપી મનોહર ચંચલ હાથના વિલાસોથી જાણે બોલાવતો ન હોય, મલય પવનથી કંપિત થઈ નમતા શિખરનાં મહાવૃક્ષરૂપી મસ્તકોથી જાણે નમસ્કાર કરતો ન હોય. નવા વિકસિત પુષ્પસમૂહ રૂપી અટ્ટહાસ્યથી જાણે હસતો ન હોય. ડીંટ-બંધન તૂટી જવાથી નીચે પડતા સિંદુવારના પુષ્પ રૂપી આંસુથી જાણે રડતો ન હોય. શુક સારિકાના સ્પષ્ટ અક્ષરવાલા ઉચ્ચારથી જાણે ભણતો ન હોય એવો વસંત મહીનો આવ્યો. સર્વત્ર અનેક જાતના વિલાસ રસથી ભરેલી ડગલે ને પગલે નાચતી યુવાનોની હર્ષ ક્રીડાઓ Page #224 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ દ્રોણક કથા ૨ ૧૩. નીકળી રહી છે. વિશેષ રીતે ઉજજવલ વેશ અને રત્નથી શણગારેલા અંગની શોભાવાળા યુવાન યુવતિના યુગલો હિંડોળા ઉપર ખેલે છે. વિવિધવૃક્ષના સંકુલમાં અને રમ્યવનમાં યુવતિઓ સાથે મેદોન્મત્ત યુવાનો ક્રીડા કરે છે. દુકાનો બંધ કરીને દારૂડિયા માણસો મદિરા પીએ છે. નશાના લીધે બેભાન બની ધરણીતલે પડે છે. બીજાઓ દારૂ ઘણો પીવાઈ જવાથી પગ પહોળા કરી વમન કરે છે. બીજા કેટલાક કામ વગર અહીં તહિ ભટકે છે. અન્ય સ્વગોત્રની પ્રશંસા વડે હૃદયમાં સમાતા નથી. અને ખુશ થઈ અનેક જાતના દાન આપે છે. અન્યજનો લોકો સામે પોતાની પ્રિયાને આલિગન કરે છે. બીજ રહસ્યવાતો બોલે છે. તથા વિવિધ ગીતો ગાય છે.વસંત મહિનામાં કામથી ઉન્મત્ત થયેલા યુવાનોની આવી કેટલી અસમંજસ ચેષ્ટાઓ કહી શકાય ? અને ત્યાં અષ્ટમીચંદ્રમહોત્સવમાં વસંતદેવ રતિનંદન બાગમાં ગયો. ત્યાં સખીઓથી પરિવરેલી ક્રીડા રસને અનુભવતી કેશરાને જોઈ અને વિચારવા લાગ્યો... “શું આ વનદેવી છે? અથવા તો શું શરીર ધારણ કરીને રતિદેવી અહીં આવી છે. અથવા તો દેવ કન્યા છે કે પાતાલ કન્યા છે કે અથવા લક્ષ્મી છે કે અથવા શું રોહિણી છે ગૌરી છે કે વિદ્યાધરી છે કે મનુષ્યની સ્ત્રી છે ? અથવા પ્રજાપતિએ આણીનું રૂપ બનાવ્યું લાગે છે. કારણ કે હસ્તસ્પર્શથી આલિંગિત થયેલાની આવી શોભા ન હોય “એમ વિચારતા વસંતદેવ ઉપર કેશરાની નજર પડી પૂર્વભવના સ્નેહથી પરસ્પર નજર મળી. આ કોણ છે ? એમ સરખી વયવાળા જયંતીનગરીના રહેવાસી પોતાના મિત્ર પ્રિયંકરને વસંતદેવે પૂછ્યું, આ પંચનંદીની પુત્રી છે. અને જયંતદેવની બહેન છે, તેથી તેણે જયંત સાથે પરિચય કર્યો. તેણે વસંતદેવને ઘેર જમવા બોલાવ્યો. ત્યાં કામદેવની પૂજા કરતી કેશરાને જોઈ, તેણીએ પણ જયંતદેવના હાથમાંથી પુષ્પમાળાને ગ્રહણ કરતાં વસંતદેવને દેખ્યો. અનુકૂલ શુકન હોવાથી અને ચિત્તમાં હર્ષ પામ્યા. તેણીનો આ ભાવ પાસે રહેલી પ્રિયંકરા નામની ધાત્રીપુત્રીએ જાણી લીધો. આણીને કહ્યું કે સ્વામિની ! તારે પણ આ મહાનુભાવનો કાંઈક ઉપકાર કરવો જોઈએ. તે બોલી તું જ યથાયોગ્ય કર. તે દાસીએ ઘરના બાગમાં રહેલા તેને પ્રિયંગુમંજરી અને તાજા તેમજ ઈષ્ટ વિશિષ્ટને દેવા યોગ્ય આ ફળ કેશરાએ મોકલ્યા છે. હર્ષથી ગ્રહણ કરી મુદ્રારત્ન આપીને કહ્યું ઇષ્ટને અનુરૂપ ચેષ્ટા કરવી જોઇએ. આ સર્વે કેશરાને કહ્યું અને રાત્રે હું વસંતદેવને પરણી ગઈ. એવું સ્વપ્નમાં જોયુ.પેલાએ પણ આવું સ્વપ્ન જોયું. ખુશી થયેલી પ્રિયંકરાએ કહ્યું એ અરસામાં વાસભવનમાં કોઈક પુરોહિતે પોતાની કથાથી સંબદ્ધ કહ્યું કે આ એમજ થશે. પ્રિયંકરાએ કહ્યું કે તે સ્વામિની ! તારે ચોક્કસ વસંતદેવ પતિ થશે. ત્યારે કેશરાએ શુકન ગ્રંથી (ગાંઠ) બાંધી, આ સર્વ વસંતદેવને કહ્યું “સંવાદીસ્વપ્ન છે.” એમ ખુશ થઈ પ્રિયંકરાનું સન્માન કર્યું, તે બોલી શુકન ગ્રંથી સંબંધથી સ્વામીએ પોતાની જાત તમને અર્પણ કરી દીધી છે. તેથી વિવાહ સામગ્રી તૈયાર કરો. વસંતદેવે કહ્યું બ્રહ્માએ જ તૈયાર કરી દીધી છે. એમ દરરોજ પરસ્પરની હકીકત મોકલીને કેટલાક દિવસો ગયા. તેટલામાં પોતાના ઘેર રહેલા વસંતદેવે પંચનંદિશેઠના ઘેર મંગલ વાજીંત્રનો ધ્વનિ સાંભળ્યો. આ શું છે ? આ Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨ ૧૪ મૂળશુદ્ધિ ભાગ-૧ વિચારથી તે હકીકત જાણવા દાસીને મોકલી, તેણીએ જાણીને કહ્યું કે કોંજના વાસી સુદત્તનો પુત્ર વરદત્તને પંચનંદિએ કેશરા આપી છે. તે નિમિત્તે આ વધામણી છે. ગંભીર અવાજવાળા વાજીંત્રો વાગે છે. મંગલ ગીતો ગવાય છે. અક્ષતના પાત્ર-થાળ સાથે નગરવાલાઓ પ્રવેશ કરી રહી છે, મુખે કરાયેલા કંકુના લેપવાળી તંબોલ પાન ચાવતી કન્યાઓ પાછી નીકળી રહી છે. તે સાંભળી મૂચ્છથી વ્યાકુલ શરીરવાળો વસંતદેવ પડ્યો. આટલામાં પ્રિયંકરા આવી પવન નાંખી સ્વસ્થ કર્યો અને કહ્યું કે કેશરાએ મને મોકલી છે. મને સંદેશો મોકલ્યો છે કે તમારે આ બાબતમાં ખીજાવુ નહિ. કારણ કે હું પૂર્વ અનુરાગને વિપરીત આચરણ નહિં કરું. વડિલો મારા ચિત્તને જાણતા નથી. તમને છોડી મારા બીજા નાથ નથી. જો અન્યથા થશે તો હું ચોક્કસ મરી જઈશ. તેથી કાલોચિત આચરણ કરવું જોઈએ. તે સાંભળી હરખાયેલા . હૃદયવાળા તેણે કહ્યું “અમારી આજ ગતિ છે.' એમ કહી પ્રિયંકરાને રવાના કરી મેળાપનો ઉપાય શોધવા તત્પર બનેલા તેઓનો કેટલોક કાલ વીતી ગયો. એક દિવસ “જાન આવી, તેથી આવતીકાલે લગ્ન થશે” એમ સાંભળી દુભાયેલા મનવાળો વસંતદેવ નગરથી નીકળી ગયો. જંગલ વચ્ચે પહોંચ્યો ત્યાં વિચારવા લાગ્યો. “પુરુષો અન્ય રૂપે મનોરથોને વિચારે છે, અને ભાગ્યથી સ્થાપિત કરાયેલા સભાવોવાળી કાર્યોની ગતિઓ અન્યરૂપે થાય છે. હર્ષથી અવસરમાં ઉદ્યત થયેલાં હૃદયવડે અન્ય રૂપે વિચારણા કરાય છે, પણ વિધિવશાત્ કાર્યારંભ અન્યરૂપે પરિણમે છે. તેથી આ કેવી રીતે પરિણમ્યુ? પૂર્વકમ દોષથી જો આ પ્રમાણે થશે તો પ્રિયા ચોક્કસ મરી જશે. તે પહેલા જ અશોકવૃક્ષ (આસોપાલવન) ના વૃક્ષની શાખાએ શરીરને ફાંસો લગાડી પોતાનાં પ્રાણોને છોડી દઉં. એમ વિચારી આસોપાળના ઝાડ ઉપર ચડી ફાંસો તૈયાર કરી એમાં પોતાની ડોક ફીટ કરી દીધી. અને ઝંપલાવ્યું તેથી દિશામાં અદ્ધર ભમ્યો. (લટકવા લાગ્યો) સ્વર માર્ગ રૂંધાઈ ગયો. અને લોચન યુગલ બીડાઈ ગયા. એટલામાં “સાહસ કરીશ મા.” એમ કહી કામપાલે ત્યાં આવી પહેલા તેનો ફાંસો છેલ્લો, વાયરો નાંખી સ્વસ્થ કર્યો અને કહ્યું હે ભદ્ર ! પોતાની આકૃતિને વિરુદ્ધ આ તે શું કર્યું ? ત્યારે વસંતદેવે દુઃખપૂર્વક કહ્યું કે હે ભદ્ર ! દુઃખાગ્નિની જવાલા સમૂહનો કોળિયો બનેલી અમારી આકૃતિની (શરીરની) કાંઈ જરૂર નથી. કામપાલે કહ્યું હે ભદ્ર જો આમ હોય તો પણ તારું દુઃખ કહેતો ખરો, જેથી તેના સ્વરૂપને જાણી તેને દૂર કરવાનો હું ઉપાય વિચારીશ. ત્યારે અહો ! આ કેવો પરોપકારી છે. એમ વિચારી વસંતદેવે સર્વ બીના કહી સંભળાવી. કામપાલે કહ્યું એમાં ઉપાય છે અને તને રોજ તેણીનું દર્શન થશે. તેથી તે ધન્ય છે. ત્યારે પુણ્યવગરનાં મારે તો કોઈ ઉપાય જ નથી. છતાં પણ હું પ્રાણી છોડતો નથી. કારણ જીવતા માણસો ક્યારે ભાગ્ય યોગે કલ્યાણી પામે. કહ્યું છે કે – અનુકૂલ થયેલુ ભાગ્ય અન્ય દેશથી, સમુદ્રના મધ્યથી, ધરતીના છેડાથી પણ ઇષ્ટ વસ્તુ લાવીને ઘડી આપે છે. વસંતદેવે કહ્યું તારે કેવુ દુઃખ છે. કામપાલે કહ્યું - કાર્તિકપુરનો વાસી Page #226 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ દ્રોણક કથા ૨ ૧૫ ઇભ્યપુત્ર હું યૌવનના ઉન્માદથી દેશાટન કરવા નીકળ્યો. શંખપુર નગરે પહોંચ્યો. ત્યારે ત્યાં શંખપાલ યક્ષની જાત્રા હતી. તેને જોવા બાળકો અને ઘરડા સાથે આખુય નગર ગયું. હું પણ ત્યાં ગયો. સુંદર ક્રીડારસ પ્રવર્યો. તેટલામાં મેં આંબાની શ્રેણી મધ્યે પોતાની સખીઓ સાથે બેઠેલી એક કન્યાને દેખી, તેણીના પ્રત્યે મને ઘણોજ અનુરાગ થયો. તે પણ મને દેખી જોરદાર અનુરાગને વશ થઈ નવા વાદળાના દર્શન થતા મોર ઉત્કંઠિત બને તેમ ઉત્સુક બની પોતાની બેનપણીના હાથે મને તેણીએ તંબોલ મોકલ્યું. હું કાંઈ બોલ્યો નહિ, એટલામાં તો રાજહાથી વિફર્યો. તેણે બધુ વેર વિખેર કરી નાંખ્યું અને આંબાની શ્રેણીમાં આવ્યો. કન્યાનો પરિવાર ભાગી છૂટયો, પણ તે કન્યા ભાગવા સમર્થ ન થઈ. હાથી પણ તે કન્યાને પકડે તેટલામાં મેં પાછળથી પ્રહાર કર્યો, તેથી કન્યાને મૂકી મારા તરફ વળ્યો, હાથીને વંચી કન્યાને પકડી અને હૃદયથી નહિ છૂટતી તે કન્યાને નિરુપદ્રવ સ્થાનમાં મૂકી તેણીનો પરિવાર આવ્યો. બધાએ મારું બહુમાન કર્યું. એટલામાં સાપોની વર્ષા થઈ. બધા આમ તેમ નાઠા. ત્યાર પછી તે કન્યા ક્યાં ગઈ તે મેં જાણ્યું નહિ. તેણીની માહિતી પ્રાપ્ત નહિ થવાથી કેટલાક દિવસ નગરમાં ભમી તેના વિરહથી ઉત્કંઠિત બનેલો તેના માટે વ્યાકુલ હું અહીં આવ્યો. વસંતદેવે કહ્યું ઉપાય બતાવ. તેણે કહ્યું આવતીકાલે તે પરણશે.તેથી આજ રાત્રે તેણીએ રતિયુક્ત કામદેવની પૂજા કરવાની હોય છે. તે એકલી જ કરે છે. એવી રૂઢિ છે. તેથી આપણે તેના આવતા પહેલા કામદેવના મંદિરમાં પેસી જઈશું. તેણીની ઇચ્છાથી તેણીના વેશને પહેરી હું તેણીના ઘેર ચાલ્યો જઈશ. હું ગયા પછી તું તેણીને લઈ ભાગી જજે. યુક્તિ યુક્ત તે સાંભળી હરખાયેલા વસંતદેવે કહ્યું મિત્ર ! આમ કરતા તારે ભારે અનર્થ થશે. એ વખતે ક્યાંથી આવેલી શુભ દિશામાં રહેલી વૃદ્ધ બ્રાહ્મણીએ છીંક કરી, તેથી કામપાલે કહ્યું મારે કાંઈ અનર્થ નહિ થાય. પણ તારું કાર્ય કરી આપવાથી મોટો અભ્યદય થશે. એ વખતે બીજા કોઈક સાથે બોલતા વૃદ્ધ બ્રાહ્મણો પોતાની કથા સાથે સંબદ્ધ કહ્યું કે એમાં કોઈ સંદેહ નથી. આ એ પ્રમાણે, જ છે. એમ શુકનના ભાવાર્થને ગ્રહણ કરી કામપાલે કહ્યું એમ કરવાથી બધા સારા વાનાં થશે. ત્યારપછી ઉઠીને નગરમાં પ્રવેશ કર્યો. ભોજન કર્યું પરિજન અને સેવક વર્ગને તે કાલને ઉચિત એવા કાર્યમાં જોડીને સંધ્યાકાળે કામદેવના મંદિરમાં પેઠા. પ્રતિમાની પાછળ રહ્યા. થોડા જ કાળમાં વાજિંત્રનો અવાજ સંભળાયો. આ તે આવે છે તે પ્રમાણે ચિત્તથી હર્ષિત થયા. તેટલામાં સ્વજનવર્ગથી પરિવરેલી કેશરા આવી. પાલખીમાંથી ઉતરી પ્રિયંકરાના હાથમાંથી વિવિધ પૂજાના ઉપકરણોથી ભરેલા પાત્રને ગ્રહણ કરીને અંદર પેઠી. કલ્પ પ્રમાણે દ્વારને બંધ કરી કેશરા પૂજા ઉપકરણની પાત્રી મૂકીને કામદેવ પાસે જઈ કહેવા લાગી. હે ભગવાન્ ! રતિવલ્લભ ! સમસ્ત પ્રાણીઓનાં ચિત્તને સાક્ષાત્ જોનારા હે નાથ ! દીન એવી મારે આ પ્રમાણેનો સંબંધ યોગ્ય નથી. ભક્તિથી આટલો કાલ મેં તારી વિવિધ જાતની પૂજા કરી કે જેથી તે ખરેખર મારું મન ગમતું કરીશ. પણ તે તો આવુ ઉંધુજ કર્યું. શું તું નથી Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨ ૧૬. મૂળશુદ્ધિ ભાગ-૧ જાણતો કે મારું મન વસંતદેવને મૂકી બીજે રમતુ નથી. અથવા આ પ્રલાપ કરવાથી શું ? બીજા જન્મમાં તે જ પતિ આપજે એમ બોલી તોરણ ના એક દેશમાં તેણીએ ફાંસો બાંધ્યો. અને પોતાનું . માથું તેમાં ફીટ કરવા તે દોડે છે. તેટલામાં બહાર નીકળીને વસંતદેવે તેણીને પકડી, તું ચિંતા કરીશ મા. હું તેજ તારા હૃદયનો સ્વામી છું. અમારા મિત્રને તારો વેશ આપી દે અને તેનો તું લઈ લે જેથી આ તારા પિતાના ઘેર જશે. આ બહુ સરસ, હર્ષથી પોતાનો વેશ તેને આપી દીધો. કામપાલ પણ મોટો ઘુંઘટ કાઢી બહાર નીકળ્યો અને પ્રિયંકરાને પાત્રી આપી પાલખીમાં ચડ્યો. વાહકોએ ઉપાડી. પંચનંદિના ઘેર ગયો, માતાના ઘેર તેને બેસાડ્યો અને કહ્યું ઇષ્ટ વિશિષ્ટ પ્રિય સમાગમના મંત્રને જપી એમ કહી પ્રિયંકરા કોઈ કામથી નિકળી ગઈ. એટલામાં શંખપુર નિવાસી કેશરાના મામાની છોકરી મર્યાદા નિમંત્રણ આપવાથી પરિવાર સાથે ત્યાં આવી. કેશરાને જોવા માતાના ઘરમાં ગઈ, કામપાલ પાસે બેસી અને કહેવા લાગી કે હે બેની ! તું ખેદ કરીશ મા, કારણ સર્વ જીવો કર્મને વશ છે, પૂર્વકર્મના દોષથી સંસારમાં દુઃખોને પામે છે. વિવેકી અને નિર્વિવેકી માં આટલો જ તફાવત છે. વિકિઓ સંસારના સ્વરૂપને વિચારે છે. જ્યારે વિવેક વગરના અસમંજસ બુમરાડ મચાવે છે. બેન તારા કરતા મારી ઘણી કરુણ કથા છે. અને પૂર્વની સર્વ બીના કહી સંભળાવી. શંખપુરમાં આ વસંતદેવ પ્રત્યેના અનુરાગ સંબંધી બધોજ વૃત્તાંત કારણથી આવેલી તારી સખીએ મને કહી સંભળાવ્યો. તેથી તે બેન ! શોકને છોડી તું મા બાપ કહે તે પ્રમાણે કર. ભાગ્ય-વિધાતાએ લલાટમાં જે લખ્યું હોય, તેને સમભાવે સહન કર. હે બેન ! તારા કરતા મારી કરુણ કથા છે. છતા મા બાપને દુઃખ થશે તેના ભયથી હું જીવું છું. બન્યું એમ કે ભગવાન શંખપાલની યાત્રા નગરજનોએ પ્રારંભ કરી હું પણ સહેલીઓ સાથે ગઈ. ઉદ્યાનમાં આંબાની પંક્તિ વચ્ચે અનેક જાતની રમતથી રમતી હતી. ત્યારે થોડાક દૂર રહેલા એક યુવાનને મેં જોયો. કામદેવ સરખા મોહક શરીરવાળા તેનાં ઉપર મને ગાઢ અનુરાગ જાગ્યો. તે પણ અનુરાગના વશથી મારી સામે પુનઃપુનઃ જોવા લાગ્યો. મારી સખી હાથે મેં તાંબૂલ મોકલાવ્યું. તેણે લીધું પણ ખરું, હજી મારી સખી સાથે વાત તો થઈ નહિ તેટલામાં મહાવત વિનાનો નિરંકુશ થયેલો મિત્તકરી-મદોન્મત્ત હાથીએ મને અડધી પકડી એટલામાં તેણે હાથીની પીઠ ઉપર લાકડી ફટકારી ત્યારે મને મૂકી તેની સામે હાથી આવ્યો. તે યુવાને પણ હાથીને છેતરી, મને લઈને હાથીના ભય વગરના સ્થાનમાં લાવી અને હૃદયમાંથી નહિ મુકાતી એવી મને ત્યાં મૂકી. મારો સ્વજન વર્ગ ભેગો થયો, અને તેમને યુવાનને અભિનંદન આપ્યા. એ અરસામાં સાપો સાથે વાદળા વરસવા લાગ્યા. તેના ભયથી લોકો ભાગંભાગ કરવા લાગ્યા. ત્યાર પછી મારા હૃદયને હરનારો તે ક્યાં ગયો ? તેની મને ખબર નથી. કેટલાક દિવસ નગરમાં તેની તપાસ કરાવી. પણ તે જડ્યો નહિ. તેથી તે બહેન ! વિધિએ અધન્ય એવી મને તો તેના દર્શનથી પણ દૂર કરી દીધી. જેથી કહ્યું છે કે નિરંકુશ બનેલો ચક્રવાક-ચકક્વો પક્ષી પાણીમાં પડેલા Page #228 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ દ્રોણક કથા ૨ ૧૭ પ્રતિબિંબના દર્શનના સુખ દ્વારા આશ્વાસન પામે છે. તેને પણ તરંગો હરી નાંખે છે. તું ભાગ્યની હોંશીયારી તો જો... તે સાંભળી કામપાલે ઘુંઘુટ ખોલ્યો તેને દેખી અરે ! શું તે જ આ છે એમ ભય અને શરમને વશ થઈ કશું બોલી નહિ. તેણે કહ્યું આ શરમનો સમય નથી. શરમ છોડી અહીંથી નીકળવાનો ઉપાય વિચાર. કેશરા પણ તારી જેમ આ જ પ્રયોગથી પોતાના પ્રિયને મળી. જો એમ છે તો દેહ ચિંતાના બહાનાથી અશોકવાટિકાના દ્વારથી આપણે નીકળી જઈએ. તેમ કરી પહેલાજ કેશરાને લઈને ગજપુરમાં પહોંચેલા વસંતદેવને મળ્યા. ચારે જણ સુખેથી ત્યાં રહે છે. આ બાજુ કરૂચંદ્ર રાજાને દરરોજ પાંચ પાંચ શ્રેષ્ઠ ભેટ આવે છે. તેઓને જાતે ભોગવતો નથી. બીજા કોઈને આપતો નથી અને બોલે છે કે ઈષ્ટ વિશિષ્ટને આ આપવાની છે. એટલામાં ઉદ્યાનપાલકે રાજાને વધામણી આપી કે રાજન ! હું તને વધાવુ શ્રેષ્ઠ કેવલજ્ઞાનથી પદાર્થના પરમાર્થને જાણનારા ત્રણ જગત જેમને નમે છે, એવા શાંતિનાથ પ્રભુ પધાર્યા છે. યોજન પ્રમાણ . ભૂમિમાં દેવતાઓએ સમવસરણ રચ્યું છે. અને ઘાસ કાંટા રેતી વિ. દૂર કર્યા છે. સુગંધિ પાણીની વૃષ્ટિ કરી છે. મણિ કંચન ચાંદીના ત્રણ ગઢ બનાવ્યા. તે ઉંચા અને કિલ્લાના ચાર દ્વારથી વહેંચાયેલા છે. ચારે દ્વાર ઉપર રત્નનાં ઉંચી ઉંચી ધ્વજાવાળા અનેક રૂપિયાના છિદ્રથી કોતરાયેલા તોરણો રચ્યા છે. ચક્રધ્વજ. સિંહધ્વજ, ગરુડધ્વજ. મોટા ધ્વજો બનાવ્યા છે. ચાર દિશામાં વાવડી અને વનરાજી રચી છે. તેનાં ઉપર સુંદર શોભાવાળું આસોપાલવનું ઝાડ છે. જાનુ પ્રમાણ ઉપર મુખવાળી પુષ્પવૃષ્ટિ પડી રહી છે. ઉંચા દંડવાળા (મજબૂત) ત્રણ છત્ર કર્યા છે. હાથમાં ચામર દંડ લઈ શક્રેન્દ્ર ઈશાનેન્દ્ર બે બાજુ ઉભા રહ્યા છે. આકાશમાં મેઘ સરખા ગંભીર અવાજવાળી દેવદુંદુભિ વાગે છે. એવા સમવસરણમાં સુવર્ણ કમલ ઉપર ચરણ ધરતા પ્રભુએ પૂર્વ દિશાથી પ્રવેશ કર્યો. ત્રણ પ્રદક્ષિણા દઈ “નમોતિત્યસ' કહી પ્રભુ બિરાજમાન થયા. ત્યારે દેવોએ ચાર દિશામાં પ્રભુના પ્રતિબિમ્બ રચ્યા. સૂર્યનાં કિરણો જેવી પ્રભાવાળું ભામંડલ થયું. તિર્યંચ મનુષ્ય દેવોથી ક્ષણવારમાં સમવસરણ ભરાઈ ગયું. તે જોઈ હે સ્વામી ! તમને નિવેદન કરવા હું આવ્યો છું. તે સાંભળી રાજા વધારે ખુશ થયો. વિકસિત રોમરાજીવાળા રાજાએ વધામણી આપનારને પુરતુ (તૃપ્તિથી) દાન આપી ભક્તિથી જિનેશ્વરને નમવા ગયો. સર્વ ઋદ્ધિથી વસંતદેવ વિ. પણ નમસ્કાર કરી ધરણીતલે બેઠા. ત્યારે પોતપોતાની ભાષા પરિણામ પામનારી જોજનગામિની વાણીથી પ્રભુ લોકોના હિત માટે ધર્મ કહેવા લાગ્યા. દાનાદિ ચાર પ્રકારે ધર્મ છે. દાનથી સ્વર્ગ વિવિધ પ્રકારનાં ભોગ ઉપભોગની સામગ્રી મળે છે. તેમજ મનુષ્ય અવતારમાં રાજાઓ જેને નમસ્કાર કરે છે એવું શ્રેષ્ઠ રાજય મલે છે. જેની આજ્ઞાનો કોઈ પરાભવ ન કરી શકે અજોડ પરિવારની જેને પ્રાપ્તિ થાય છે. તે સર્વ દાનનું ફળ છે. એ વખતે કથાંતર જાણી રાજાએ પૂછયુ હે પ્રભુ! મારે દરરોજ પાંચ પાંચ ઉપહાર કેમ આવે છે ? તેમજ હું કોઈને કેમ નથી આપતો ? ત્યારે પ્રભુએ પૂર્વજન્મની વાત કહી, Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ મૂળશુદ્ધિ ભાગ-૧ ) તેથી તેઓની સાથે જ ઉપભોગ થઈ શકશે. કારણ કે તેમનું દ્રવ્ય હતું. તે આ વસંતદેવ વિ: છે. તે સાંભળી બધાને જાતિસ્મરણ થયું. પ્રભુ આ વાત એમજ છે. અમને શ્રાવક ધર્મ આપો. ત્યારપછી રાજય સંપદા ઉપહાર વિ. દાનફળને ભોગવી છેલ્લે ચારિત્ર લઈ દેવલોકે ગયા. તેઓના વચનથી નોકરે મુનિવરને દાન આપ્યું, તેના ફળ દ્વારા આ રાજા થયો. તે ફળથી અનુક્રમે આ મોક્ષે જશે. તેથી દાનમાં સર્વ શક્તિથી પ્રયત્ન કરવો જોઇએ. “દ્રોણક કથા સમાપ્ત” (“શ્રી સંગમક કથાનક') મગધ દેશમાં ત્રણ લોકમાં પ્રખ્યાત અલ્કાપુરી જેવુ, સુંદર ધાન્યવાળુ, ગુણોથી ભરપૂર એવું રાજગૃહી નામે નગર છે. અભિમાની શત્રુરૂપી હાથીઓના ગંડસ્થલને ભેદવામાં સમર્થ સિંહ સમાન શ્રેણિક નામે રાજા છે. ચેલ્લણા નામે સૌભાગ્યના ગર્વવાળી, વર્ણ ને લાવણ્યથી યુક્ત, કલા કૌશલથી શોભતી એવી તેને રાણી છે. આ બાજુ નગરથી શાલિગ્રામમાં છિન્નવંશવાળી = જેના વંશમાં બીજુ કોઈ નથી એવી ધન્યા સંગમ નામના પુત્રને લઈને આવી, બાલક છોકરાઓને સંભાળે છે. પર્વમાં તહેવારમાં બાળકોને ખીર ખાતા દેખી તેને ખીર માંગી, વારંવાર ખીર માંગતા તેમજ રડતો દેખી માંને પૂર્વની મનોજ્ઞ ઋદ્ધિ યાદ આવી તેથી તે પણ રડવા લાગી. પાડોશી બહેનોએ કારણ પૂછયું ત્યારે સર્વ વાત કરી ત્યારે તેઓએ દૂધ વિ. આપ્યું. ખીર બનાવી પછી ઘી-ખાંડથી વ્યાપ્ત ખીરની થાળી ભરી પુત્રને આપી કામ માટે ઘરની અંદર ગઈ. માસખમણના પારણે ત્યાં સાધુ આવ્યા. તેમને દેખી રોમરાજી વિકસિત થઈ ગઈ અને વિચારવા લાગ્યો કે આજે મારો જન્મ સફળ બન્યો. પુણ્યયોગે ચિત્તવિત્ત અને પાત્ર ત્રણે પણ પૂર્ણ થયા. “આજે પુણ્ય પ્રગટ્યું છે” એમ વિચારી પ્રફુલ્લિત નયનવાળો તે બાલક થાળ ઉપાડી પાસે જઈ કહેવા લાગ્યો “હે નાથ ! અનુગ્રહ કરો” શુદ્ધ જાણી સાધુએ પાત્ર ઉંચુ કર્યું (ધર્યું) વૃદ્ધિ પામતાં ભાવોથી તેણે સર્વ ખીર પાત્રમાં નાંખી દીધી. “પુણ્યમાં અંતરાય થશે.” એવા ડરના લીધે સાધુએ તેને વાર્યો નહિ. ભક્તિથી વાંદી પોતાના સ્થાને બેઠો. સાધુ નીકળી ગયા પછી માતા ઘરથી બહાર આવી આને ખાઈ લીધી છે. એમ માની ફરીથી થાળ ભર્યો. કંગાલ હોવાના લીધે પેટ ભરીને ખાધી. અજીર્ણ થવાથી રાત્રે સાધુનું સ્મરણ કરતા મરણ પામ્યો. તે દાનના પુણ્યથી રાજગૃહ નગરમાં ગોભદ્ર શેઠની પત્ની ભદ્રાના ગર્ભમાં આવ્યો.સુંદર પાકેલા ડાંગર (શાલિ) ના ખેતરને સ્વપ્નમાં જોઈને જાગી.તારે પુત્ર થશે. એમ શેઠે અભિનંદન આપ્યા. બે મહીના થતા દાનાદિ ધર્મ કરવાનો દોહલો ઉત્પન્ન થયો. શેઠે પૂરો કરાવ્યો. નેત્રને આનંદદાયક પુત્રને જન્મ આપ્યો. દાસીએ જલ્દીથી શેઠને વધામણી આપી.તેઓને દાન આપી પોતાના હાથે જ પુત્રનું માથુ ધોયુ. અને ખુશ થઈ મહોત્સવ પ્રવર્તાવ્યો. વાગતા વાજિંત્ર ના શબ્દથી આકાશ આંગણુ ભરાવા લાગ્યું. દાનધોધ વહી રહ્યો છે. છત્ર અને કોલાહલ વ્યાપ્ત સેંકડો Page #230 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ - સંગમ કથા : ૨૧૯ અચ્છેરાથી ભરપૂર મહાજનોને આશ્ચર્ય પમાડનાર એવાં ઉત્સવને બાર દિવસ થતાં ગ્રહ અધિષ્ઠાયક દેવને સન્માની, સ્વજનોને આમંત્રી સ્વપ્ન અનુસારે શાલીભદ્ર નામ પડ્યું. કલા ગ્રહી યૌવન - વરરાજીમાં મહાલવા લાગ્યો. ત્યારે ત્યાંના જ નિવાસી બત્રીસ શેઠિયા રતિ સરખા રૂપવાળી સર્વસારવાળી સમસ્તસાર ભૂતગુણોથી યુક્ત બત્રીસ કન્યાઓને લઈને ગોભદ્રના ઘેર આવ્યા. કહેવા લાગ્યા – વિનયવાળી આ કન્યા તમારા પુત્રને યોગ્ય હોય તો અમારા ઉપર ઉપકાર કરી એમને સ્વીકારો. ત્યારે ખુશ ખુશાલ બનેલા શેઠે શુભતિથિએ ઠાઠ માઠથી લગ્ન કરાવ્યા. પોતે તો ઉત્તમ વિશાલ ભવનમાં રહેલો દોગંદક દેવની જેમ ભોગવિલાસમાં મસ્ત રહે. ૩લા તેનાં પુણ્યાનુભાવથી મા-બાપ સર્વ ઠેકાણે અલૂણ રીતે (પરિપૂર્ણ રીતે) પ્રવર્તે છે. એટલે એમને ક્યાંય ખામી આવતી નથી. કાલ જતાં બધુ ધન વગેરે છોડી ગોભદ્ર શ્રીવીરપ્રભુ પાસે દીક્ષા લીધી. ત્યારે પછી સંયમ પાળી મરણ સમયે ભક્ત પ્રત્યાખ્યાન કરી કાલધર્મ પામી દિવ્ય કાંતિવાળા દેવરૂપે દેવલોકમાં ઉપન્યો. ઉપયોગ મૂકે છે ૪રા અવધિના ઉપયોગથી પુત્રને જોઈ- પુત્રના સ્નેહથી તેમજ તેનાં પુણ્યથી આકર્ષાયેલા ચિત્તવાળો તે દેવ તરતને તરત ત્યાં આવ્યો. દાનના ફળથી વશ થયેલો એવો તે દિવ્યવસ, અલંકાર, માલા વિ. પત્ની સહિત તેને રોજ આપે છે. જે મનુષ્ય સંબંધી કાર્ય હોય તે તો ભદ્રામાતા સંભાળે છે. એમ સર્વ બાબતમાં નિશ્ચિત બની ભોગ ભોગવે છે. II૪પા એક વખત કેટલાક વ્યાપારી રત્નકંબલ લઈ શ્રેણિક રાજાને મહેલે આવ્યા. “મહાકિંમતી છે” એથી રાજાએ ગ્રહણ ન કરી તેથી ત્યાંથી નીકળીને વેપારી ભદ્રામાતા પાસે ગયો. મૂલ્ય આપી ભદ્રાએ બધી રત્નકંબલો લઈ લીધી. વેપારીઓ પણ પોતાના સ્થાને-આવાસે ગયા, એ વખતે ચલ્લણાએ શ્રેણિક રાજાને વિનંતિ કરી કે મારા માટે મોટી કીંમત ચૂકવીને પણ એક રત્નકંબલ લાવો //૪૯ો ત્યાર પછી ચેલ્લણાના ઘણાં આગ્રહથી રાજાએ પાછા બોલાવી કહ્યું હે ભો ! એક રત્નકંબલ આપો. તેમને કહ્યું તે તો બધી ભદ્રાએ લઈ લીધી છે. ત્યારે ગૌરવયોગ્ય એક ભદ્ર મહંતને ત્યાં મોકલ્યો. તેણે કહ્યું કે જે ભાવે રત્નકંબલ લીધી હોય તે મૂલ્ય લઈ એક રત્નકંબલ રાજાને આપો.ત્યારે ભદ્રાએ કહ્યું “હે ભદ્ર ! તે રત્નકંબલોને ફાડીને મેં શાલીભદ્રની સ્ત્રીઓ માટે પગલુંછણા બનાવ્યા છે. (૫૪) તેથી રાજાને નિવેદન કરો કે જો ફાડેલી રત્નકંબલથી કામ ચાલી જાય એમ હોય તો ઇચ્છા મુજબ લો, કા.કે. બીજી આખી કંબલ નથી. તે સાંભળી કુતુહલથી પૂર્ણ થયેલો રાજા મંત્રીને એમ કહેવા લાગ્યો. “હે ભદ્ર! તું ભદ્રાને કહે કે અમને ભારે કૌતુક હોવાથી જલ્દી શાલીભદ્રને અહીં મોકલો.” તે સાંભળી રાજા પાસે આવી ભદ્રા વિનંતી કરવા લાગી કે હે દેવ ! મારો પુત્ર ક્યારેય પણ સૂર્ય-ચંદ્રને દેખતો નથી. તો બહાર નીકળવાની વાત જ ક્યાં રહી ? તેથી અમારે ઘેર પધારવાની કૃપા કરો. કુતુહલથી રાજાએ હા પાડી. ભદ્રાએ કહ્યું, ક્ષણવાર થોભો હું પાછી બોલાવા આવું “ઘેર Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ મૂળશુદ્ધિ ભાગ-૧ જઈ પોતાનાં ઘેરથી માંડી રાજાના સિંહદ્વાર સુધી નિરંતર દુકાન રસ્તા વિ. શણગાર્યા અને ઠેર ઠેર વિવિધ જાતના નાચ, ગાન, નાટક વિ. રચાવ્યા. ત્યારપછી રાજાને વિનંતી કરી ત્યારે અંતઃપુરની રાણી સાથે રાજા દિવ્ય નાટક વિ. દેખતો શાલીભદ્રના ઘેર ગયો. તે ઘર કેવું છે તે કહે છે. ચકચકતા લાલ સોનાની ભીંતવાળુ,વિચિત્ર ચિત્રથી ચિતરાયેલું, માણિક્યથી બંધાયેલા ભૂતલવાળુ, તેજ મંડલો ચારે બાજુ પ્રસરી રહ્યા છે. સુંદર રચનાવાળી પુતલીયોવાળું, વીણા વાંસલીના અવ્યકત અવાજવાળું, લટકતી મોતીની માળાવાળુ, તારતાલના રણ૨ણ અવાજવાળું, ઝુલતા શ્રેષ્ઠ તોરણવાળું, મનુષ્ય સુખનું કારણભૂત, ઉંચા સાતમાળવાળુ,સારી રીતે ઘસાયેલુ તેમજ ધોળુ કરાયેલું પોલિશ લગાડીને ઘસીને ચીકણું ચમકતુ કરાયેલુ, વસ્ત્રથી કરાતી શોભાવાળુ, ઢોળક તબલા વિ.નો સમૂહ જેમાં વાગી રહ્યો છે, એવા ભવન-મહેલને દેખતો કરાયેલા અનેક મંગલવાળો, આશ્ચર્યથી ખીલેલાં નયનવાળો રાજા તેમાં પેઠો. અનુક્રમે ચોથા માળે રાજા ચઢ્યો. શ્રેષ્ઠ આસન ઉપર રાજાને બેસાડ્યો. અને વસ્ત્ર અલંકાર વિ. આપી ભદ્રા તેમની પાસેથી શાલીભદ્ર પાસે સાતમે માળે ગઈ અને કહ્યું કે “હે બેટા ! તને જોવા શ્રેણીક રાજા ચોથે માળે આવ્યો છે.” તેથી થોડીવાર માટે ત્યાં આવ. શાલીભદ્રે કહ્યું હે મા ! તું જ જાણે છે આનું કેટલું મોલ છે. માટે તું જ ગ્રહણ કરી લે. હું ત્યાં આવીને શું કરું ? ત્યારે માએ કહ્યું “આ કાંઈ કરિયાણુ નથી. પરંતુ સર્વ લોકો અને તારો ને મારો નાથ છે.” તે સાંભળી તેજ ક્ષણે વિરકત થયેલો વિચારવા લાગ્યો. “કે આ સંસારવાસને ધિક્કાર હો, જ્યાં મારો પણ અન્ય કોઈ સ્વામી છે, તો દુઃખથી ભરપૂર સંસારના ભોગ મારે ન જોઇએ. હું તો દુઃખથી મુકાવનારી દીક્ષા લઈશ.” એ પ્રમાણે સંવેગ પામેલો પણ માના આગ્રહથી તારા સાથે જેમ ચંદ્ર ઉતરે તેમ પત્નીઓ સાથે તે નીચે આવ્યો. શ્રેણીકને નમ્યો. શ્રેણીકે પણ સ્નેહથી ખોળામાં બેસાડી મસ્તકે ચુંબન કર્યું. (સુંધ્યું) થોડીવાર એના ખોળામાં રહ્યો. એમાં તો આંસુ ઝરાવા લાગ્યો. ।।૮ના તે દેખી માતાએ કહ્યું હે રાજન્ ! આને છોડી દો, કારણ કે આને મનુષ્ય સંબંધી ફૂળમાળા વિ.ની ગંધ પીડા કરે છે. દિવ્ય વિલેપન દ્રવ્ય ફૂળમાલા વિ. આના પિતા દેવ (દેવ બનેલા પિતાશ્રી) દ૨૨ોજ અર્પણ કરે છે. તેથી રાજાએ રવાના કર્યો, અને તે સાતમે માળ ગયો, રાજાએ ભદ્રાને કહ્યું અમે પોતાના આવાસે જઈએ. ભદ્રાએ રાજાને વિનંતિ કરી કે દેવ ! કૃપા-મહેરબાની કરીને આજ અમારા ઘેર જ ભોજન કરો. ત્યારે ભદ્રાથી આગ્રહ પામેલા રાજાએ તેણીની ભોજન પ્રાર્થના માન્ય રાખી ત્યારે ભદ્રાના વચનથી દાસ-ચારિકાઓ તેજ ક્ષણે મદનવર્ધક પુષ્ટિજનક તેજ વધારનાર લક્ષપાક વિ. તેલ આપ્યા. અને પોતડી આપી સુકુમાર હાથ-પગવાળા અંગમર્દન કરવામાં હોંશીયાર માણસો પરિવાર સહિત રાજાને માલીશ કરવા લાગ્યા. રત્નનાં પગથીયાવાળી વાવડીમાં રાજા સ્નાન કરતો હતો. તેટલામાં દૈવયોગે હાથમાંથી વીંટી સરી પડી. સંભ્રાંત નયનોથી (રાજાને) નામ મુદ્રાને જોતો દેખી ભદ્રામાતાએ (દાસીઓને) કહ્યું. “આ વાવડીનું પાણી ખાલી કરી બીજે Page #232 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ સંગમેક કથા ૨ ૨ ૧ સંક્રમાવી દો. યંત્ર પ્રયોગથી દાસીઓએ તેમ કર્યું. ત્યારે વિવિધ અલંકાર મધ્યે અંગારા સરખી પોતાની વીંટી જોઈ વિસ્મયથી રાજાએ દાસીને પૂછયું આ શું? તે બોલી નારી સહિત શાલીભદ્રના નિર્માલ્ય = ગઈકાલનાં ઉતારેલા માલા વિ. ઘરેણાં એમાં નંખાય છે. તે સાંભળી રાજા વિચારમાં પડ્યો. તું પુણ્યનું અંતર તો જો હું રાજા અને આ મારો નોકર છતાં આની ભોગ લક્ષ્મી આવી ઉન્નત કોટિની છે. આ ધન્ય છે. સર્વ રીતે આ કૃતપુણ્ય પુણ્યશાળી, ઉત્તમ નર છે, આનુ જીવન, જન્મ, મનુષ્ય ભવ લાધ્ય છે. એ પ્રમાણે સ્નાન કરી અનેક જાતના રસવાળું વિશિષ્ટ ભોજન કરી કૃતકૃત્ય બની ઘેર ગયો. શાલીભદ્ર પણ વિરકત બની રહેલો છે. એટલામાં કલ્યાણમિત્રે આવી નિવેદન કર્યું કે હે સ્વામી ! તને વધામણી હો ! કારણ કે આ નગરમાં ઘણાં શિષ્યોથી પરિવરેલા ધર્મઘોષસૂરિ પધાર્યા છે. જેમને મનુષ્યદેવો નમે છે. અને પોતે ચાર જ્ઞાનના ધણી છે. તે સાંભળી શાલીભદ્રના રોમકૂપ વિકસિત થયા. અને સામગ્રી તૈયાર કરી વાંદવા ગયો. ૯૯ો. સૂરીએ ધર્મદેશના આપી કે સ્વકર્મથી જીવો શારીરિક અને માનસિક અનંત દુઃખો પ્રાપ્ત કરે છે. એટલામાં શાલીભદ્ર પુછયું હે ભગવન્! ક્યું કર્મ કરવાથી આપણા ઉપર કોઈ સ્વામી ના થાય ? દીક્ષા, દીક્ષાને જે જીવો સ્વીકારે છે તેઓ ત્રણે લોકના સ્વામી બને છે. ત્યારે ઘેર જઈ પગ પકડી ભદ્રા માતાને કહેવા લાગ્યો. “આજે મેં જિનધર્મ સાંભળ્યો જો માતા તમે અનુજ્ઞા આપો તો તેનું હું આચરણ કરું.” ભદ્રામાતાએ કહ્યું હે વત્સ ! તે હંમેશા લોહના ચણા ચાવવા જેવું અત્યંત દુષ્કર છે. અને તારું શરીર તો દેવભોગથી સદા લાલન પાલન થયેલું છે. તેથી આવું કષ્ટકારી અનુષ્ઠાન કેવી રીતે કરી શકીશ? શાલિભદ્ર પણ કહ્યું કે કાયર માણસ માટે આ વાત બરાબર છે પણ વીર અને પ્રશસ્ત મનવાળા માટે કાંઈ પણ મુશ્કેલ નથી. જો આમ છે તો મનુષ્ય સંબંધી ગંધમાલામાં અભ્યાસ કરી અને કાંઈક કાંઈ (થોડો થોડો) ભોગ નો ત્યાગ કર. તેમ સ્વીકારી દિવસે એક શય્યા અને એક સ્ત્રીને ત્યાગ કરવા લાગ્યો. તેજ નગરમાં ધનાઢ્ય ધન્ય નામનો શેઠ છે. જેને શાલીભદ્રની નાની બહેન પરણાવેલી છે. પતિને હવરાવતી હતી ત્યારે આંસુ પડવા લાગ્યા. ભરથારે પૂછયું “હે ભદ્રા ! તારી આજ્ઞાનું કોને ખંડન કર્યું ? અથવા તો મન ઇચ્છિત કઈ વસ્તુ મળી નહિ ? તે બોલી, “મને આમાંથી કોઈ બાધા (પીડા) કરતું નથી. પણ મારો ભાઈ દીક્ષા લેવા તૈયાર થયો છે. રોજ એક એક સ્ત્રી અને શય્યા છોડે છે, તેનાં લીધે મને અવૃતિ થઈ છે.” ધન્ય કહ્યું “આવું કરે તે તો હીન સત્ત્વવાળો-કાયર કહેવાય” ત્યારે મશ્કરીમાં તેની અન્ય સ્ત્રીઓએ કહ્યું હે નાથ ! “જો સુકર હોય તો તમે જાતે કેમ નથી કરતા.” ? તમારું વચન બરાબર છે. આટલો કાલ દીક્ષા વગર ગયો. પણ અત્યારે સર્વ ત્યાગ કરતો દેખો, તેઓ બોલી અમો તો રમત કરતી હતી, તમે તો નિશ્ચયપૂર્વક બોલો છો. અનુરાગી પત્ની એવી અમને તથા ધનને અકાલ છોડો મા ! ત્યારે ધન્ય કહેવા લાગ્યો ધન, ધાન્ય, સ્ત્રીઓ બધુ અનિત્ય જ છે. તેથી હું પ્રભુ પાસે દીક્ષા લઈશ. ત્યારે નિશ્ચય જાણીને તેઓ બોલી – તો અમે પણ તમારી પાછળ દીક્ષા લઈશુ. ધન્ય બોલ્યો- ઘણું Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨ ૨ સંગમ કથા મૂળશુદ્ધિ ભાગ-૧ સારું, ધર્મ સ્થાનોમાં ધન વાપરી હજાર માણસો વહન કરે એવી શિબિકામાં સ્ત્રીઓ સાથે આરુઢ થયો. સગા સંબંધી પણ પાછળ ચાલવા લાગ્યા. વીર પ્રભુ પાસે પહોંચ્યા. શિબિકાથી ઉતરી પ્રદક્ષિણા દઈ પ્રભુને વંદન કરી કહેવા લાગ્યો - કે “હે નાથ ! ભવથી ઉદ્વેગ પામેલા ભાયંસહિત મને મહેરબાની કરી આપ જાતે દીક્ષા આપો. વસ્ત્ર - ઘરેણાં મૂકી લોચ કરી પ્રભુ પાસે દીક્ષા લીધી. એ અરસામાં શાલીભદ્ર પણ આવો અદ્ભુત વૃત્તાંત સાંભળી “અરે હું તો હાર્યો.' એથી તરતજ બધું છોડી શુભક્ષેત્રોમાં દ્રવ્ય આપી, શિબિકામાં આરૂઢ થયો. શ્રેણીક રાજા પણ તેની પાછળ ચાલવા લાગ્યા. એ પ્રમાણે ઠાઠ માઠથી નગર બહાર ગયો. છત્રાતિછત્ર દેખી તરત જ શિબિકાને મૂકી દે છે અને પૂર્વક્રમથી દીક્ષા લીધી. આ સંસાર વનમાં ભમતા પ્રાણીઓને જિનધર્મયુક્ત મનુષ્યપણુ વિ. દુર્લભ છે, તેમાં વ્રત સામગ્રી મેળવવી ઘણી મુશ્કેલ છે. તે મળી જાય તો સર્વદુઃખોને જલાંજલિ અપાય. માત્ર તેમાં અપ્રમત્ત થઈ ઉદ્યમ કરવો જોઇએ. પ્રમાદથી મોંઘેરી દીક્ષા મુધા (નકામી) બની જાય. એ પ્રમાણે શિખામણ આપીને સાધ્વીઓને ચંદના સાધ્વીને અર્પણ કરી અને તે બન્ને જણને સ્થવિરોની પાસે શિક્ષા માટે સોંપ્યા. અનુક્રમે ગીતાર્થ થયા. આત્માને ભાવિત કરનારા, બહુશ્રુત બન્યા, અને ૨, ૩, ૪, ૫,, ૧૫ ઉપવાસ, માસક્ષમણ, બેમાસી, ત્રિમાસી અને ક્યારેક ચારમાસી કરી પારણું કરે છે. (૧૩૯) - દુષ્કર તપથી શરીર એટલુ બધુ પાતલુ અશક્ત બની ગયુ કે હાડકા અને નસો દેખાવા લાગી. પ્રભુ સાથે એકવખત રાજગૃહી પધાર્યા. ત્યાં દેવોએ ત્રણ ગઢ વગેરેની રચના કરી. ત્યારે લોકો વંદન માટે નીકળ્યા. ગોચરીનો સમય થતા શાલીભદ્ર મુનિ મા ખમણના પારણે પ્રભુને વાંદી ગોચરી જતાં હતા. ત્યારે પ્રભુએ કહ્યું. “આજ તારે માતાના હાથે પારણું થશે.” ઉંચાનીચા ઘેર ભમતાં બંને મહામુનિ ભદ્રા માતાના ઘેર પહોંચ્યા. પણ તપથી કાયા સુકાઈ ગયેલ હોવાથી કોઈએ ઓળખ્યા નહિ. “તેમજ પ્રભુ વીરને, ધન્ય અને શાલીભદ્ર મુનિને વાંદવા જઈશું.” તે. માટે તૈયાર થવામાં) બધા વ્યાકુલ બનેલા હોવાથી કોઈએ તેમના ઉપર ધ્યાન દોર્યું નહિ. ક્ષણવાર રહી મુનિ ત્યાંથી નીકળી ગયા. ભાગ્યયોગે ગોચરી પ્રાપ્ત કરી નગરથી નીકળી ગયા. એટલામાં જન્માંતરની માતા ધન્યા ગામથી મહિઆરી-ભરવાડણ સાથે દહીં લઈ વેચવા સારુ નગરમાં પ્રવેશે છે. તેટલામાં પોતાના પુત્રને જોઈ રોમાંચિત બની અને સ્તનથી દૂધ ધારા નીકળવા લાગી, એવી માતાએ ભક્તિથી વાંદી બન્ને મહાત્માઓને દહી વહોરાવ્યું. ગોચરી. આલોવી પ્રભુને હાથ જોડી શાલીભદ્ર પુછયુ. “હે પ્રભુ અમારું પારણુ કેવી રીતે થયું? સ્વામીએ કહ્યું પૂર્વ જન્મની માતાના હાથથી. પછી પૂર્વ જન્મ કહ્યો. ત્યારે સંવેગ પામી તેજ દહીથી પારણું કરી પ્રભુને પૂછી વૈભારગિરિએ ગયા. એક શિલાને જાતે પૂંજી પાદપોપગમન' અનશન સ્વીકાર્યું. એટલામાં તે ભદ્રા માતા, શ્રેણીક રાજા ભક્તિથી જિનને વાંદવા પ્રભુ પાસે આવ્યા. શાલીભદ્ર અને ધન્ય મહાત્મા કયાં છે ? અમારા ઘેર ગોચરી કેમ ન આવ્યા? પ્રભુએ કહ્યું “હે ભદ્રા! Page #234 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ કૃતપુણ્ય કથા ૨૨૩ તારે ઘેર આવ્યા હતા પણ તમે કોઈએ ઓળખ્યા નહિં તેથી થોડી વાર ઉભા રહી નીકળી ગયા, અને પૂર્વભવની માતાએ પારણુ કરાવ્યું. ઇત્યાદિ સર્વ વાત કરી ત્યારે શ્રેણીક સાથે શિલાતલે ગયા, જ્યાં તે બન્ને મહાત્મા રહેલાં છે. ભાવપૂર્વક વાંદી ભદ્રા વિલાપ કરવા લાગી. હે પુત્ર ! ત્યારે તું બત્રીશ કોમલરુની શય્યા ઉપર સુતો હતો, અત્યારે કર્કશ શિલા ઉપર. હા પુત્ર ! ત્યારે તું ગીત વાજીંત્રના શબ્દોથી જાગતો હતો. અત્યારે શિયાળના ભયંકર શબ્દોથી. હા પુત્ર ! પ્રિય વાક્ય બોલનાર પરિજનથી પરિવરેલો રહેતો હતો. અત્યારે સાવ એકલો શૂન્યવનમાં રહેલો છે. હા પુત્ર ! ત્યારે તું રમ્ય સ્ત્રી સાથે પોતાનાં મહેલમાં વિલાસ કરતો હતો, અત્યારે ભયાનક પહાડ ઉપર તું કેવી રીતે રહે છે ? હા પુત્ર ! તું સદા દિવ્યભોગથી લાલન પાલન પામ્યો. અત્યારે શરીરની પણ ફિકર નહિ કરનારો તું ક્યાંથી મારી જોડે બોલે ? અરે રે પુત્ર ! પોતાના ઘેર આવ્યો છતાં પણ તપથી ડુબલા પતલા થયેલ હોવાથી મંદ ભાગ્યવાળા અમે તને ઓળખ્યો નહિં. વિલાપ કરતી ભદ્રાને શ્રેણીક કહેવા લાગ્યો. “હે માતા ! તું આમ વિલાપ શા માટે કરે છે ? મહાસત્ત્વશાળી નરોત્તમ સુર અસુરને વંદનીય ગુણીજનોમાં અગ્રેસર છે, જે તેવા પ્રકારની ઋદ્ધિ છોડી આવું ઉત્કૃષ્ટ કોટિનું વ્રત પાલી રહ્યો છે. તું પુત્રવાળીઓમાં અસાધારણ ગવાશે. કારણ કે જેણીનો આ શાલીભદ્ર મહાત્મા પુત્ર બન્યા. તને અને અમને પણ એણે તાર્યા છે. તેથી હે માતા ! હર્ષના સમયે શોક કેમ કરે છે ? હે મહાભાગ ! ઉઠ જગમાં ઉત્તમ આ મુનિઓને વાંદ, અને આપણે ઘેર જઈએ, કારણ કે સંધ્યાકાલ થઈ ગયો છે. એમ રાજાએ કહ્યું ત્યારે બંને મુનિઓને વંદન કરીને શરીરથી ઘેર ગઈ. પણ ચિત્તતો મુનિને જ યાદ કરે છે. બન્ને સાધુપણ આયુષ્યનો ક્ષય થતા સમાધિપૂર્વક કાલ કરીને સર્વાર્થસિદ્ધ વિમાને ઉપન્યા. સિદ્ધિ સુખનો સ્વાદ ચખાડનાર એવું સુખ તે વિમાનમાં તેત્રીસ સાગરોપમ સુધી ભોગવી ચ્યવીને મૃત્યુલોકમાં સિદ્ધ થશે. શાલીભદ્રનું આ પરમપવિત્ર અતિવિશિષ્ટ ચરિત્રને જે મનુષ્યો ભણે, અનુમોદે, વખાણે તેઓ દેવ મનુષ્યના સુખ ભોગવી મોક્ષે જાય છે. “સંગમ કથા સમાપ્ત” શ્રી કૃતપુણ્ય કથાનક વર-વિજયો (રાજાના પક્ષે) શ્રેષ્ઠ જય યુક્ત, હજારો નદીઓ (રાજાના પક્ષે) હજારો સેનાઓ થી સંકીર્ણ, સુંદર સૂર્ય/ચંદ્ર (રાજાના પક્ષે) સુંદર ઘોડાયુક્ત, સારા પ્રદેશવાળો (રાજાના પક્ષે) સારી પ્રજાવાળો એવો જંબુદ્વીપ છે. તેમાં વળી અર્ધચંદ્રના આકારવાળુ છ ખંડવાળુ ભરતક્ષેત્ર છે. તેમાં દેશના ગુણોથી યુક્ત અને મનોહર એવો મગધ દેશ છે. તેમાં વળી ધરતી રાણીના મુકુટ સમાન રાજગૃહ નામે નગર છે. જેનાં શત્રુ હણાઈ ગયા છે, એવો શ્રેણીક રાજા તેનું પાલન કરે છે. મતિ બુદ્ધિથી યુક્ત, તમામ મંત્રીઓમાં પ્રધાન એવા પોતાના પુત્ર અભયકુમારના શિરે Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૪ મૂળશુદ્ધિ ભાગ-૧ બધો રાજભાર મૂકી સુકુલમાં જન્મેલી રતિ સરખી રૂપાળી પોતાની માનીતી નંદા અને ચણા નામની રાણીઓ સાથે ભોગ ભોગવે છે. /પા. તેજ દેશના એક ગામમાં વાછરડાનું પાલન કરનારી દારિદ્રથી પરાભવ પામેલી એવી એક સ્ત્રી છે. તેણીનો છોકરો વાછરડાનું પાલન કરતો હતો ત્યારે જંગલમાં યતિ યોગ્ય એક ઠેકાણે કાઉસગ્નમાં રહેલાં એક શ્રેષ્ઠ સાધુને જોયા. તપથી સુકાયેલાં શરીરવાળા તેમને દેખી બાલક વિચારવા લાગ્યો. એમનું જન્મ જીવન મનુષ્યપણું ઇત્યાદિ સફળ છે, જે નિર્જન જંગલમાં આવા પ્રકારની વિવિધ તપ કરે છે. મારું પણ કંઈક પુણ્ય લાગે છે. જેથી એમનું દર્શન મને થયું. તેથી તેમને વાંદી આત્માને પવિત્ર બનાવુએમ વિચારી મુનિવરના ચરણોમાં પ્રણામ કર્યા, એમ દરરોજ મુનિને વાંદતો હતો ત્યારે કોઈક ઉત્સવ આવ્યો. તેથી ગામ નારીઓ પાસે દૂધ વિ. માંગી પોતાના પુત્ર માટે તેની માતાએ ખીર બનાવી. ઘર આંગણામાં જમવા બેસેલા પુત્રને ઘી, ગોળ યુક્ત ખીરનો ભરેલો થાળ આપી કાર્ય માટે માતા ઘરમાં ગઈ. એટલામાં તે જ સાધુ ત્યાં આવ્યા. તેમને આવતાં જોઈ ભક્તિ વશથી રોમરાજી ખડી થઈ. અને હર્ષના આંસુથી ભીની થયેલી નયનવાળો વિચારવા લાગ્યો. એક તો ઘર આંગણે સાધુ મહારાજા પધાર્યા અને ઘરમાં ધન પણ ન્યાયથી મેળવેલું છે, સાધુને વહોરાવાનો મને આજે ભાવ પણ જાગ્યો છે. - ચિત્ત વિત્ત અને પાત્રનો સંબંધ થયો છે. તેથી આજે હું મારી જાતને (આત્માને) પુણ્યશાળી માનું છું. ક્યાં અમે અને ક્યાં આ મુનીવર ! ક્યાં અમે અને ક્યાં આ સંપત્તિ ! ક્યાં અમે અને ક્યાં આ જોરદાર ભક્તિ ! ક્યાં અમે અને ક્યાં આ ત્રણેનું મળવું. એમ વિચારી થાળીમાં બે રેખા પાડી ત્રીજો ભાગ આપુ એમ ભાવના ભાવતો બાલક ઉક્યો. સાધુની સમીપે ગયો અને કહેવા લાગ્યો. જો આ શુદ્ધ હોય તો ગ્રહણ કરો. શુદ્ધ અને ભાવ જાણી મુનિએ પાત્ર ધર્યું: ત્રીજો ભાગ નાંખ્યો આ તો ઘણી થોડી લાગે છે. તેથી બીજો ભાગ નાંખ્યો, ફરી વિચારવા લાગ્યો. જો ક્યાંથી કોઈક ખાટી વસ્તુ પડશે તો આ ખીર બગડી જશે. તેથી ત્રીજો ભાગ પણ આપે છે. વાંદીને પોતાના સ્થાને બેઠો. માએ બહાર આવી થાળી ખાલી દેખી ફરીથી ભરી. કંગાલપણાના લીધે પેટ ભરી ખાવાથી અજીર્ણ થયું. | શુભ મનવાળો રાત્રે મરી રાજગૃહી નગરીમાં ધનપાલ ઇભ્યના ઘેર ભદ્રાની કુક્ષિમાં ઉત્પન્ન થયો. તેથી લોકો આ “કૃતપુણ્ય” છે એમ કહેવા લાગ્યા. કા.કે. જે મહાત્મા ધન ધાન્યની સમૃદ્ધિથી મનોહર આવા ઘરમાં (શેઠાણી)ને ગર્ભમાં ઉત્પન્ન થયો, હવે કાળ પાકતા સર્વાગે સુંદર, સુંદર કાંતિવાળા પુત્રને ભદ્રા શેઠાણીએ જન્મ આપ્યો. વધામણી આપતા શેઠે પુત્ર જન્મનો ઉત્સવ કર્યો. ગર્ભ રહેલો હતો ત્યારે જ લોકો આને કુતપુર્ણ કહેતા હતા. તેથી મા બાપે તેનું કુતપુણ્ય નામ પાડ્યું. ક્રમશઃ વૃદ્ધિ પામતો બોત્તેર કલામાં કુશલ થયો. એટલામાં કામિની જનને મોહ ઉપજાવનાર એવા યુવાન વયમાં રમતો થયો. ત્યારે મા-બાપે રૂપાળી કન્યાઓ જોડે હાથ Page #236 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ કૃતપુણ્ય કથા ૨૨૫ પકડાવ્યો. કલાનો રસીયો તે વિષયમાં મન લગાડતો નથી. તે દેખી ભદ્રાએ ધનપાલ શેઠને કહ્યું હે નાથ ! આ ધન વિસ્તાર નકામો છે. કારણ કે મૃતપુણ્ય તો કામમાં એકદમ નિઃસ્પૃહ મનવાળો છે. તેથી આ વિષય સેવે એવું કાંઈક કરો. શેઠે કહ્યું માણસોમાં શીખડાવ્યા વિના આહારાદિ સંજ્ઞા હોય છે. વળી હે પ્રિયા ! સ્વભાવથીજ જીવોને કામાગ્નિ દીપી રહી છે. તો ક્યો સકર્ણ (સમજું માણસ) જલતી આગમાં ઘાસ નાંખે. આ આમ જ છે. તો પણ એમ કરવાથી જ મને સંતોષ થશે. માટે વિચાર્યા વિના આ કરો. શેઠાણીનો નિશ્ચય જાણી ખરાબ આદતવાળા મનુષ્યોની મંડળીમાં મૂક્યો, અને તેઓની સાથે આખો દિવસ બાગ-બગીચા વાવડી-તળાવ, નાટક વગેરે સ્થાનોમાં ભટકે છે. એક દિવસ વેશ્યાવાડામાં ગયો. તેમાં વળી રૂપ, યૌવનવાળી વિજ્ઞાન, જ્ઞાન, વિનય, ઉપચારમાં કુશલ એવી વસંતસેના ગણિકાના ઘરમાં પેઢો. ત્યારે તેણીએ કામને ઉદીપ્ત કરનારી વિવિધ કથાથી તેને આકર્ષી લીધો. એટલામાં તેનાં દોસ્તારો ત્યાંથી નીકળી ગયા. કામકલા વિ. માં હોંશીયાર તેણીએ સુરત કાલે એવો રાગી બનાવ્યો કે તેનું મન બીજેથી પાછુ ફરી માત્ર તે વેશ્યામાં જ લાગી ગયુ. દેવની જેમ વિષયસુખ ભોગવે છે. મા બાપ ઇચ્છા મુજબ ધન મોકલે છે. એ પ્રમાણે નિશ્ચિત બનેલા તેણે મા-બાપ મરી ગયા તેની પણ ખબર ના પડી તેથી તેની સ્ત્રી ધન મોકલવા લાગી. એ પ્રમાણે કરતા કુબેરના આશ્રમ સરખું તેનું ઘર બારમા વરસે દરિદ્ર જેવું શૂન્ય થઈ ગયું. ધન ખલાસ થવા છતાં કુલીનપણાનાં લીધે તેની સ્ત્રી પોતાનાં ઘરેણા મોકલે છે. તે દેખી ફૂટણી (વેશ્યાઓને સંભાળનારી) ખરેખર અત્યારે આ નિસ્સાર બની ગયો છે. એથી હજાર રૂપિયા સાથે ઘરેણું પાછુ મોકલે છે. અને ફૂટણીએ વસંતસેનાને કહ્યું પીલાઈ ગયેલ શેલડી જેવા આ કામુકને છોડી મૂક. કારણ કે આપણો આ કુલધર્મ છે. પૈસાદારને માન આપવું, તેથી હે પુત્રી ! તું કુલાચારને મૂક નહિં અને ધનવાનને સ્વીકાર. હે મા ! તું આવું ન બોલ. એણે આપણને એટલુ ધન આપ્યું છે તેટલું બીજો કોણ આપવાનો હતો ? આ ધન આપણી સાતમી પેઢી સુધી રહેશે. અને આ મહાભાગી ફરી પણ બીજું ધન આપશે. આચારથી ખરાબનું મારે કામ નથી. મા ! આ તો ઉત્તમ ગુણ રત્નોનો ભરેલો છે. આવો તેણીનો નિશ્ચય જાણી ધુતારી ફૂટણીએ આકાર ગોપવી કાર્યને હૃદયમાં સ્થાપી ચુપ રહી. રાત્રે વસંતસેના સુઈ જતા પલંગ ઉપર સુતેલાને પોતાના પુરુષોના હાથે દેવકુલિકામાં મૂકાવી દે છે અને ઉંઘ ઉડતા જાગેલો આ પણ દિશાચક્રને જોઈ વિચારવા લાગ્યો. શું આ ઇંદ્રજાલ છે, કે મને દિશાભ્રમ થયો છે ? અથવા તો શું આ સ્વપ્ન છે ? કે આ શું હું ધાતુ વગરનો થયો છું ? ધાતુનો વિપર્યાસ થયો છે ? એમ વિચારતા તેને પાસે રહેલી દાસીએ કહ્યું કે તું ઘણાં વિકલ્પ કરીશ મા. પોતાના કુલ ધર્મને અનુસરતી વસંતસેનાની માતાએ હઠથી અહિં મૂક્યો છે. તેથી તું તારા ઘેર જા. જેથી હું આ પલંગ લઈને જાઉં. ત્યારે દુભાયેલા મનવાળો તે પોતાના ઘર ભણી ચાલ્યો. મોટા જંગલની જેમ નિર્જન, કુકવિએ રચેલ કાવ્યની જેમ સા૨ાવર્ણવાળા અલંકાર Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ મૂળશુદ્ધિ ભાગ-૧ વગરનું (ગૃહ પક્ષે સોનાનાં), શ્મશાનની જેમ બીહામણું, ઘરડા માણસનું મોઢું જેમ દાંત વગરનું હોય તેમ રત્ન વગરનું, સુકુ સરોવર કમલ વગરનું હોય તેમ (કમલા-ધનવગરનું), વિંધ્યાચલ પહાડ જેમ હાથીઓથી શોભાયમાન હોય છે તેમ શોભા વગરનું થયેલું એનું પોતાનું ઘર દેખતો શંકા સાથે અંદર પેસે છે. ત્યારે કૃતપુણ્યને આવતો દેખી તેની પત્ની સહસા ઉભી થઈ. તેણીએ આપેલા આસન ઉપર બેઠો અને પાણીએ પગ ધોયા. આંસુ સારી તેણીએ મા બાપની વાત કરી. તે સાંભળી તેણે નરક જેવું દુ:ખ થયું. જાતે જ પોતાને ધીરજ આપી સ્ત્રીને પૂછ્યું. તારી પાસે કાંઈ પણ છે ? તેણીએ પણ પોતાનું ઘરેણું આપ્યું. માલ લઈ દેશાટન જવા તૈયાર થયો. ત્યારે મિત્ર લજ્જાથી થોડા દિવસ ઘેર રહી તેણીએ મોટી પકોડી/ ફળની પોટલી કરી આપી. પણ સાર્થે પ્રયાણ કરી લીધુ હોવાથી નજીકના શૂન્યદેવકુલમાં ખાટલા ઉપર સુઈ ગયો. આ બાજુ તે નગરમાં સુધનુ નામે ઇભ્ય છે, તેને માયા બુદ્ધિથી સ્વેચ્છાચારી-નટખટ મહિમા નામની ઘરવાળી છે. ધનદત્ત નામે પુત્ર છે. ચાર કન્યા પરણાવી બાપ મરી ગયો. તે પણ દોસ્તારો સાથે ચાર પ્રકારનો માલ લઈ દેશાંતર જવા સમુદ્ર કાંઠે આવ્યો. વહાણમાં ચડી પેલે પાર ગયો. ધન કમાઈ પાછો ફર્યો. કાચા કોડિયાની જેમ પર્વત શિખરથી અથડાતા વહાણ તુટી ગયું. ધનદત્ત પણ મરણ પામ્યો. બચી ગયેલા એક પુરુષે ત્યાં આવી મહિમાને તે ગુપ્ત વાત છૂપી રીતે એકાંતમાં કરી. મહિમાએ પુરુષને દાનથી ખુશ કરીને કહ્યું કે આ રહસ્ય છુપુ રાખવાનું. તેણે પણ તેના વચનનો તરત જ સ્વીકાર કર્યો. તેણીએ વિચાર કર્યો કે “વહુઓને બીજો ભરથાર લાવુ કે જેથી સમસ્ત ઘરસારનું રક્ષણ કરનારા વહુઓને પુત્રો થાય. એમ વિચારી રાત્રે નગર બહાર ગઈ અને અંધારી દેવકુલિકામાં સુખે સુતેલાં કૃતપુણ્યને જોયો. પુરૂષો પાસે ખાટલો ઉપડાવી પોતાનાં ઘેર મુકાવ્યો. અનુક્રમે તે જાગ્યો. તેટલામાં મહિમા તેનાં ગળે વળગી., દુઃખપૂર્વક રડતી રડતી એમ બોલવા લાગી હે વત્સ ! બાલપણામાં જ મારા કમભાગ્યે તને હરી લીધો. આખાએ ધરણીતલમાં તપાસ કરી છતાં તારાં સમાચાર પણ ન મળ્યા. મુનિએ આજે તારૂં આગમન કહ્યું હતું.અને સ્વપ્નમાં જોવાયેલું કલ્પવૃક્ષ ઘર આંગણે પ્રાપ્ત થયું. તેથી આજે હે પુત્ર ! તું અમારા પુણ્યથી ખેંચાઈને આવી ગયો છે. આટલો કાલ તું ક્યાં રહ્યો હતો ? કેવા સુખ દુઃખ અનુભવ્યાં ? તે કહે અથવા તો મારૂં હૃદય જ વજ્રથી બનેલું લાગે છે કે જેથી તારો વિયોગ થવા છતા એકદમ ટુકડા ન થયા. હે ગુણસાગર ! હું તારાદેહ ઉપર ઓવારી જાઉં છું. હે વત્સ ! તારા વિરહમાં મેં હ્રદયથી જે વિચાર્યુ તે વૈરિના દેશમાં પણ કોઈ હિસાબે ન થાઓ. કષ્ટમાં પડેલો હોવા છતાં દેવગુરુ દ્વારા તું આટલો કાલ રક્ષણ પામ્યો તેથી મારા જીવનથી પણ તું યુગપ્રમાણ આયુવાળો થઈશ. દેવોના પ્રભાવથી તથા સતીઓના શીલથી પોતાના વંશને વધાર અને ઘરના વૈભવને ભોગવ ! તારી ભાભીઓનો ભરથાર દેશાંતરમાં મરી ગયો છે. ૧ અશુભ તથા દુઃખનું વારણ કરવા આશીર્વાદ આપવાની રીત Page #238 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ કૃતપુણય કથા . ૨ ૨૭ તેથી આ ચારનો તું સ્વામી થા. આ પ્રમાણે તેણીનાં ફૂટ ચરિત્રને જાણવા છતાં મતિ માહાભ્યથી ખુશ થયેલા અને વિસ્મય કુતૂહલથી ભરેલા તે કુતપુયે હા પાડી, પુત્રવધુઓને પણ એકાંતે બેસાડીને કહ્યું કે આવી પરિસ્થિતિમાં તમે દેવરને પતિ તરીકે સ્વીકારો. કારણ કે શ્રુતિમાં પણ કહ્યું છે કે - પતિ જતો રહે, મરી જાય, દીક્ષા લઈ લે કે નપુસંક હોય તો નારીઓને બીજો ભરથાર કરાય છે. તેથી ક્ષેત્રીય (પતિ સિવાય થી થયેલો પુત્ર) પુત્રને પણ ઉત્પન્ન કરી કુલ રક્ષા કરો. કે જેથી મારું સર્વધન રાજભવનમાં ન જાય. કુંતી મહાસતીને પણ અન્ય-અન્ય પતિથી પુત્રની ઉત્પત્તિ સંભળાય છે. તેથી મારી વાત માનો, વિકલ્પો છોડો, તે ધુતારીએ તેવી તેવી લોકશાસ્ત્રની યુક્તિથી એવું સમજાવ્યું કે તેઓએ પણ વિના સંકોચે તેણીની વાત માની લીધી. હવે મુનિ દાનના ફળથી પેદા થયેલા બમણા રાગવાળી એવી તેમની જોડે કુતપુણ્ય ઇન્દ્રની જેમ ભોગ ભોગવી રહ્યો છે. અને ચારેને દેવકુમાર જેવા પુત્રો થયા. એમ કરતા બાર વર્ષ વીતી ગયા. ત્યારે સાસુએ કહ્યું કે આને છોડી દો. કાર્યસિદ્ધિ થયે છતે પરપુરુષ રાખવાનું શું કામ? ત્યારે પુત્રવધુઓએ કહ્યું જેણે અમને ભોગવી તે શું અમારો પતિ ન કહેવાય ? ત્યારે સાસુના ભવાં ચડવાથી ભયંકર બનેલુ મુખ દેખી ભયથી ધ્રુજતા હૃદયવાળી વહુઓએ હાં પાડી હે માતા ! તમે કહો તો આને ભાથુ બનાવીને અમે આપીએ “જે ગમે તે બનાવો,” ત્યારે “આ સુખી થાઓ” આ વિચારથી સર્વ વહુઓએ લાડુમાં રત્નો નાંખ્યા. લાડુની થેલી ભરી ઓશીકા નીચે મૂકી દીધી. ત્યાર પછી સાસુએ તેને મદિરા પાઈ. તેથી તે ઉંઘી ગયો. ખાટલા સાથે તેજ દેવકુલિકામાં મૂકી દીધો. એટલામાં સાથે પણ પાછો ફર્યો. પણ રાત હોવાથી નગરમાં ન જતા ત્યાં જ રહ્યો. સાથે આવેલો જાણી પોતાના પતિની વાત જાણવા ત્યાં આવી. ત્યારે તેવીજ રીતે સુતેલો જોયો. શોભાવાળો જોઈ હરખાયેલી તેણીએ પતિને ઉઠાડ્યો. ભાથાની થેલી અને ખાટલો લઈ પોતાના ઘેર ગઈ કૃતપુણ્ય પણ હકીકત જાણી પોતાના ઘેર ગયો. ત્યારે ત્યાં બંધાયેલી વેણીવાળી વસંતસેનાને જુએ છે, તે શતપાક તેલથી માલિશ કરે છે. તેટલામાં સ્કૂલથી (નિશાળથી) છોકરો આવી બાપના પગે પડ્યો. ભૂખ્યો થયેલો હોવાથી ખાવાનું માંગે છે. પણ રસોઈ કાંઈ તૈયાર ન હતી તેથી તેને રડતો દેખી વસંતસેનાએ થેલીમાંથી કાઢી એક લાડુ આપ્યો. તેને ખાતો ખાતો ખુલે-નિશાળે ગયો. લાડુ મથે મણિ દેખી “આ તો ઠળીઓ છે” એમ માની બીજા વિદ્યાર્થીને આપે છે. તેણે કહ્યું આ તો મણિ છે. તેથી કંદોઈને આપીએ જેથી તે આપણને મિઠાઈ આપશે. તેને આપ્યો. તેણે પણ બાજુમાં રહેલા જલકુંડમાં તે નાંખ્યો. તેના પ્રભાવથી તે પાણીભૂમિ જેવું દેખાવા લાગ્યું. તેથી તેણે જાણ્યું કે આ જલકાંત મણિ છે. તે મણિ સાચવીને રાખી, વિદ્યાર્થીઓને પણ જે યોગ્ય હોય તે આપે છે. આ બાજુ પ્રિયંગુલતાની દાસીએ કહ્યું કે હે સ્વામી ! જ્યારે તમને વસંતસેનાની માતાએ કાઢી મૂક્યા તે જાણી ઘણી શોધ કરવા છતાં પણ તમારા સમાચાર માત્ર પણ ન મળ્યા. તેથી સ્વામિની આ નીચે લખેલ) કરે છે. વેણી બંધ, શ્વેત વસ્ત્ર ધારવા, માલા વિ. નો ત્યાગ, દેશાન્તર Page #239 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ કુતપુર્ણય કથા ૨૨૯ પ્રભુ! મેં પૂર્વભવમાં શું કર્યું ? જેથી આવી ઋદ્ધિ મળી. અને વચ્ચે આંતરુ પડ્યું? ત્યારે પૂર્વભવ કહ્યો. તે સાંભળી રાજા સંવેગ પામ્યો. પૂર્વભવને યાદ કરીને સંવેગ પામેલો રાજા કહે છે કે જગબંધવ આ આ જ પ્રમાણે છે, એમ મેં જાતિસ્મરણથી જાણ્યું. તેથી અત્યારે – આ ભવમાં પણ રાજાદિને પૂછી સઘળી સુખસંપત્તિને કરનારી સર્વવિરતી લઈશ. તું વિલંબ-રાગ કરીશ મા. એમ પ્રભુએ કહ્યું. ઘેર જઈ રાજાને પૂછી સર્વસામગ્રી તૈયાર કરાવે છે. જિનેશ્વરની પૂજા યાત્રા કરાવે છે. દીન અનાથને દાન આપે છે. અભયપ્રદાનની ઘોષણા કરાવી. શ્રેષ્ઠ સાધુઓને સન્માન પૂર્વક વહોરાવે છે. ચતુર્વિધ સંઘની પૂજા કરે છે. બાંધવોને દ્રવ્ય વહેંચીને આપે છે. પછી પત્નીઓ સાથે શિબિકામાં આરૂઢ થયો. અને તે સામંત સૈન્યથી પરિવરેલો છે, તેમજ શ્રેણીક રાજા વિ. પણ જેની પાછળ ચાલી રહ્યા છે, ઉત્તમ વાંજિત્રો વાગી રહ્યા છે, હલ્કા કુળનો સમૂહ નાચી રહ્યો છે. કોયલો ગાઈ રહી છે. ભાટ ચારણો અને બંદીઓ બિરૂદાવળી બોલાવી રહ્યા છે. (બંદિ - સ્તુતિ પાઠ) એવી સામગ્રી સાથે નગરથી નીકળી પ્રભુનાં ચરણે આવ્યો. શિબિકાથી ઉતરી ત્રણ પ્રદક્ષિણા કરી એમ કહેવા લાગ્યો તે સ્વામી ! સંસાર સમુદ્રમાં ડૂબતા મને અત્યારે કરુણાથી મોટા જહાજ સમાન દીક્ષા આપો. ભગવાને પણ દીક્ષાની સાથે હિતશિક્ષા આપી. બંને પ્રકારની શિક્ષાને ગ્રહણ કરીને તપ તપી છેલ્લે અનશન કરી દેવલોકે ગયો. આ જે ઋદ્ધિ, સ્ત્રીઓ અને ભોગો તેમજ અનુપમ રાજ્ય પ્રાપ્ત થયું તે પૂર્વજન્મમાં મહર્ષિને આપેલાં ખીરના દાનનું ફળ છે. રેખા પાડવા દ્વારા ભાવમાં આંતરું કર્યું હતું, માટે સુખમાં આંતરું પડ્યું. એથી અવિચ્છિન્નપણે ભાવથી દાન આપવું જોઈએ. જેથી નિરંતર ભોગ ભોગવી નિર્વાણને પામો. ઇતિ કુતપુર્ણય કથા સમાપ્ત” સર્વમાં પ્રધાન દાન એવાં શય્યાદાનને ગાથા વડે કહે છે. सेज्जादाणं च साहूर्ण देयं दाणाणमुत्तमं । सुद्धणं जेण दिण्णेणं दिण्णं सेसं पि भावओ ॥ ८७ ॥ દાનોમાં ઉત્તમદાન એવું શય્યાદાન સાધુને આપવું જોઈએ. શુદ્ધ વસતિ દાનથી શેષ સઘળાં દાન પણ પરમાર્થથી આપી દેવાય છે. ગુણલક્ષ્મીથી શોભતાં શ્રેષ્ઠ મુનિઓને જેણે વસતિ આપી તેણે ધૃતિ, મતિ, ગતિ અને સુખ પણ આપ્યું સમજવું. તથા અનેક ગુણયોગને ધારનારા શ્રેષ્ઠ સાધુઓને જે રહેવા મકાન આપે છે, તેનાં વડે વસ્ત્ર, અન્ન, પાત્ર, શયન, આસન વિ. પણ અપાઈ જાય છે. કારણ કે વસતિમાં રહેલાને તે સર્વ વસ્તુનો ઉપયોગ, રક્ષા અને પરિપાલન થાય છે. ઠંડી, ગર્મી, ચોર, સાપ, જંગલી પશુઓ, ડાંસ, મચ્છર વિ. થી મુનિવૃષભોની રક્ષા કરનારા શિવનગરના સુખને મેળવે છે. - પ્ર- શય્યાદાન સર્વોત્કૃષ્ટ કેમ લેખાય છે? ઉ.- આ શય્યાદાન જેમને આપવાનું હોય છે તેઓ ગુણવાળા હોવાથી મહત્ત્વશાળી કહેવાય છે. તેથી જ તેમને આપેલ વસતિદાન શ્રેષ્ઠ કહેવાય છે. તે મુનિઓનો મહત્ત્વ જણાવાં સારૂ બે ગાથા કહે છે. माया पिया य माया य भगिणी बंधवा सुया । भज्जा सुण्हा धणं धण्णं चइत्ता मंडलं पुरं ॥४८॥ Page #240 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ કૃતપુણ્ય કથા ૨ ૨૯ પ્રભુ! મેં પૂર્વભવમાં શું કર્યુ? જેથી આવી ઋદ્ધિ મળી. અને વચ્ચે આંતરુ પડ્યું? ત્યારે પૂર્વભવ કહ્યો. તે સાંભળી રાજા સંવેગ પામ્યો. પૂર્વભવને યાદ કરીને સંવેગ પામેલો રાજા કહે છે કે જગબંધવ આ આ જ પ્રમાણે છે, એમ મેં જાતિસ્મરણથી જાણ્યું. તેથી અત્યારે - આ ભવમાં પણ રાજાદિને પૂછી સઘળી સુખસંપત્તિને કરનારી સર્વવિરતી લઈશ. તું વિલંબ-રાગ કરીશ મા. એમ પ્રભુએ કહ્યું. ઘેર જઈ રાજાને પૂછી સર્વસામગ્રી તૈયાર કરાવે છે. જિનેશ્વરની પૂજા યાત્રા કરાવે છે. દીન અનાથને દાન આપે છે. અભયપ્રદાનની ઘોષણા કરાવી. શ્રેષ્ઠ સાધુઓને સન્માન પૂર્વક વહોરાવે છે. ચતુર્વિધ સંઘની પૂજા કરે છે. બાંધવોને દ્રવ્ય વહેંચીને આપે છે. પછી પત્નીઓ સાથે શિબિકામાં આરૂઢ થયો. અને તે સામંત સૈન્યથી પરિવરેલો છે, તેમજ શ્રેણીક રાજા વિ. પણ જેની પાછળ ચાલી રહ્યા છે, ઉત્તમ વાજિંત્રો વાગી રહ્યા છે, હા કુળનો સમૂહ નાચી રહ્યો છે. કોયલો ગાઈ રહી છે. ભાટ ચારણો અને બંદીઓ બિરૂદાવળી બોલાવી રહ્યા છે. (બંદિ - સ્તુતિ પાઠ) એવી સામગ્રી સાથે નગરથી નીકળી પ્રભુનાં ચરણે આવ્યો. શિબિકાથી ઉતરી ત્રણ પ્રદક્ષિણા કરી એમ કહેવા લાગ્યો સ્વામી ! સંસાર સમુદ્રમાં ડૂબતા મને અત્યારે કરુણાથી મોટા જંહાજ સમાન દીક્ષા આપો. ભગવાને પણ દીક્ષાની સાથે હિતશિક્ષા આપી. બંને પ્રકારની શિક્ષાને ગ્રહણ કરીને તપ તપી છેલ્લે અનશન કરી દેવલોક ગયો. આ જે ઋદ્ધિ, સ્ત્રીઓ અને ભોગો તેમજ અનુપમ રાજ્ય પ્રાપ્ત થયું તે પૂર્વજન્મમાં મહર્ષિને આપેલાં ખીરના દાનનું ફળ છે. રેખા પાડવા દ્વારા ભાવમાં આંતરું કર્યું હતુ, માટે સુખમાં આંતરું પડ્યું. એથી અવિચ્છિન્નપણે ભાવથી દાન આપવું જોઇએ. જેથી નિરંતર ભોગ ભોગવી નિર્વાણને પામો. ઇતિ કુતપુણ્ય કથા સમાપ્ત” સર્વમાં પ્રધાન દાન એવાં શય્યાદાનને ગાથા વડે કહે છે. सेज्जादाणं च साहूणं देयं दाणाणमुत्तमं । सुद्धणं जेण दिण्णेणं दिण्णं सेसं पि भावओ ॥ ८७ ॥ દાનોમાં ઉત્તમદાન એવું શવ્યાદાન સાધુને આપવું જોઇએ. શુદ્ધ વસતિ દાનથી શેષ સઘળાં દાન પણ પરમાર્થથી આપી દેવાય છે. ગુણલક્ષ્મીથી શોભતાં શ્રેષ્ઠ મુનિઓને જેણે વસતિ આપી તેણે ધૃતિ, મતિ, ગતિ અને સુખ પણ આપ્યું સમજવું. તથા અનેક ગુણયોગને ધારનારા શ્રેષ્ઠ સાધુઓને જે રહેવા મકાન આપે છે, તેનાં વડે વસ્ત્ર, અન્ન, પાત્ર, શયન, આસન વિ. પણ અપાઈ જાય છે. કારણ કે વસતિમાં રહેલાને - તે સર્વ વસ્તુનો ઉપયોગ, રક્ષા અને પરિપાલન થાય છે. ઠંડી, ગર્મી, ચોર, સાપ, જંગલી પશુઓ, ડાંસ, મચ્છર વિ. થી મુનિવૃષભોની રક્ષા કરનારો શિવનગરના સુખને મેળવે છે. - પ્ર- શય્યાદાન સર્વોત્કૃષ્ટ કેમ લેખાય છે ? | ઉ.- આ શય્યાદાન જેમને આપવાનું હોય છે તેઓ ગુણવાળા હોવાથી મહત્ત્વશાળી કહેવાય છે. તેથી જ તેમને આપેલ વસતિદાન શ્રેષ્ઠ કહેવાય છે. તે મુનિઓનો મહત્ત્વ જણાવાં સારૂ બે ગાથા કહે છે. माया पिया य माया य भगिणी बंधवा सुया । भज्जा सुण्हा धणं धण्णं चइत्ता मंडलं पुरं ॥४८॥ Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ મૂળશુદ્ધિ ભાગ-૧ मोक्खमग्गं समल्लीणा छिदित्ता मोहबंधणं । एए साहू महाभागा वंदणिज्जा सुराण वि ॥८९॥ મા, બાપ, ભાઈ, બહેન, બાંધવ, પુત્ર, પત્ની, પુત્રવધૂ, ધન, ધાન્ય, રાજય, નગર છોડીને, મોહ બંધન તોડીને મોક્ષમાર્ગમાં તલ્લીન બન્યા છે. તેથી અચિન્ત શક્તિવાળા આ સાધુઓ દેવોને પણ વંદનીય છે. - ધાન્ય ચોવીશ પ્રકારનાં છે - જવ, ગઉં, શાલી, વ્રીહિ, બાસમતી ચોખા, કોદ્રવ, સૂક્ષ્મ કંગ, ગોળ કંગૂ(વટાણા), તેનો ભેદ વિશેષ રાલક છે. મગ, અડદ, અળશિ (એક તેલી બી) કાલાચણા, જાયફળ, વાલ, મઠ, શ્રેષ્ઠ અડદ, શેલડી, મસૂર, તુવેર, કુલથી - (ત્રણે દાળના ભેદ છે) તથા ધાણા, કોથમીર, ગોળચણા. વળી વિશેષ ગુણ પ્રગટ કરવા સારૂ ચાર ગાથા કહે છે. सागरो इव गंभीरा, मंदरो इव निच्चला । . कुंजरो इव सोंडीरा, मइंदो इव निब्भया ॥९० ॥ * સાગર જેવા ગંભીર, મેરુપર્વત જેવા નિશ્ચલ, હાથીની જેમ કર્મશત્રને જિતવા માટે શૌર્યવાળા, સિંહની જેમ નિર્ભયી, એટલે અન્ય કુવાદિરૂપી હાથીની ગર્જનાથી નહિ ડરનાર - Il coll -- સમાવવો ૩ નૈસા,સૂરો ટચ તવયના सव्वफासाण विसहा, जहा लोए वसुंधरा ॥११॥ સૌમ્યતેજથી ચંદ્રસમા કારણ કે તેઓ સર્વજનોને આનંદ આપનારા છે. અને પરદર્શન રૂપી તારલા કરતાં અધિક પ્રભાવશાળી છે. તપ તેજથી સૂર્યસમા કારણ કે પરતીર્થરૂપી ચંદ્ર, તારા, નક્ષત્ર, ગ્રહ સમૂહની પ્રજાને ઢાંકનારા છે. જેમ લોકમાં ધરતી સર્વ સ્પર્શોને સહન કરે છે તેમ મનુષ્ય વિ. કરેલી શુભાશુભ ચેષ્ટામાં સમભાવવાળા હોવાથી ધરતી સમા કહેવાય. કહ્યું છે કે – વંદન કરતા ગર્વ પામતા નથી. હીલના કરતાં બળતા નથી. ચિત્તને કાબુમાં રાખી રાગદ્વેષનો નાશ કરીને મુનિ વિચરે છે. સામે આવી પડતા વચનનાં પ્રકારો કાનમાં પેસી દુર્ભાવ ઉપજાવે છે. તેથી જે અધિક શૂરો બની “આ સાંભળવું એ મારો ધર્મ છે,” એમ સમજી જિતેન્દ્રિય બની સમભાવથી સહન કરે છે તે પૂજય છે. જે મુનિ આક્રોશ પ્રહાર કડવા શબ્દો (મેણાં-ટોણાં) ઇત્યાદિ ઈન્દ્રિયોને દુઃખ દેનારા કાંટાઓને સહન કરે છે તથા જે રાક્ષસ વિ.ના ભયાનક અતિરૌદ્ર શબ્દોવાળા અટ્ટહાસ્યોને સાંભળવા છતાં સુખ દુઃખને સમભાવે સહે તે સાચો સાધુ છે. આક્રોશ, તાડન, વધ, ધર્મબંશ બાલકોને સુલભ છે, ધીરપુરુષ યથોત્તરના અભાવમાં આને લાભ માને છે. એટલે સાધુને કોઈ આક્રોંશ કરે ત્યારે “સારું છે કે એણે માને તાડને મારપીટ તો નથી કરીને, મારે ત્યારે, અરે ! સારુ છે કે મને જીવથી ખતમ તો નથી કર્યો ને ! ૯૧ सुद्धचित्ता महासत्ता साग्यं सलिलं जहा । गोसीसचंदणं चेव सीयला सुसुगंधिणो ॥१२॥ Page #242 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૧ ૨ ૩૧ શરદ ઋતુના પાણીની જેમ નિર્મલ મનવાળા, સત્ત્વશાલી, ગોશીષ ચંદનની જેમ કષાય અગ્નિનો અભાવ હોવાથી શીતલ, શીલની સુગંધથી યુક્ત હોવાથી સુસુગન્ધી લેરી विरया पावठाणेसु, निरया संजमे तवे । निम्ममा निरहंकारा खंता बंता जिइंदिया ॥१३॥ પાપસ્થાનોથી નિવૃત્ત થયેલાં, સંયમ અને તપમાં આસક્ત, “આ મારો છોકરો છે, આ મારો ભાઈ છે, સગો છે, આ મારી ઘરવાળી છે” ઈત્યાદિ મમત્વ અને માન વગરનાં, ક્ષમાવંત, દાંત એટલે મનને કાબુમાં રાખનારા, જિતેન્દ્રિય-સ્પર્શ વિ. બાહ્ય ઇંદ્રિયોને કાબુમાં રાખનારા સાધુઓ હોય છે. પાંચ આશ્રવથી અટકવું, પાંચ ઇન્દ્રિયોને કાબુમાં રાખવી ચાર કષાયનો જય કરવો, અશુભ મન વચન કાયયોગ રૂપ દંડથી અટકવું. એમ સત્તર ભેટવાળો સંયમ છે. અનશનઆદિ બાર ભેદે તપ છે. ૯૩ अहो ! धण्णो हु सो देसो पुरं राया गिही गिहं । जं तुट्ठि मण्णमाणा णं विहरंती सुसाहुणो ॥१४॥ અહો ! તે દેશ, નગર, રાજા, ગૃહસ્થ અને ઘરને ધન્ય છે કે જેમાં હર્ષને-સંતોષને મેળવતાં સુસાધુઓ વિચારે છે. I૯૪ો એ તો પ્રથમા - દ્વિતીયા વિભક્તિ છે, પણ પ્રાકૃતના બલથી વિભક્તિનો ફેરફાર કરી શકાય છે. તેથી અહીં યજ્ઞ એમ સપ્તમી લેવી. सेज्जं जो देइ साहूणं तरे संसारसायरं ।. सेज्जायरो अओ वुत्तो सिद्धो सव्वण्णुसासणे ॥१५॥ સાધુઓને વસતિ આપનાર સંસાર સાગરથી પાર પામે છે. એથી સર્વજ્ઞ શાસન = નિશીથ વિ.માં શય્યાથી તરે તે શય્યાતર એમ વ્યુત્પત્તિ કરી છે. અથવા “બવિનિમૂત” ઉપચાર થાય, એટલે નજીકમાં સિદ્ધિગામી હોવાથી શય્યાતરને “સિદ્ધ” એમ જિનશાસનમાં કહેવાય છે. ll૯પા चिटुंताणं जओ तत्थ वत्था-ऽऽहार-तवाइणो । सम्मं केई पवज्जंति, जिणदिक्खं पि केई वि ॥१६॥ ત્યાં રહેલા સાધુને વસ્ત્ર આહારાદિ મળે અને મોટી તપશ્ચર્યા વિ. પણ કરી શકે અને તેમની પાસે આવી કોઈક સમકિત અને કોઈક દીક્ષાને પણ ગ્રહણ કરે એમ અનેક ગણો લાભ થાય છે. દા. सिज्जादाणप्पभावेणं देवाणं माणुसाण य । पहाणं संपया फुल्लं फलं निव्वाणमुत्तमं ॥१७॥ શપ્યાદાનના પ્રભાવથી દેવ મનુષ્યની ઋદ્ધિ મળે તે તો (આનુષંગિકફળ, ફૂલ છે. અને ઉત્તમ નિર્વાણ એ ફળ છે. II૯૭ળા नाणाविहाण साहूणं ओहावंताण जाव उ । कयव्वं सव्वभावेणमेवमाइ 'जहोचियं ॥१८॥ જિનકલ્પી વિ. અનેક પ્રકારના સાધુ અને છેક જે દીક્ષા છોડવાની ઇચ્છાવાળા છે, તેમની પણ યથોચિત ભક્તિ સમસ્ત સામર્થ્યથી કરવી જોઇએ. Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ મૂળશુદ્ધિ ભાગ-૧ હવે યથોચિત કૃત્ય બતાવે છે. नाणं वा दंसणं सुद्धं चरित्तं संजमं तवं । जत्तियं जत्थ जाणिज्जा भावं भत्तीए पूयए ॥१९॥ શુદ્ધ જ્ઞાન, દર્શન, દોષરહિત ચારિત્ર-સામાયિક વિ., સંયમ-આશ્રવ થી અટકવું, તપ વિ., જેમાં જેટલું જણાય છે. તે પ્રમાણે તેમની ભાવ (પદાર્થ) થી ભક્તિ પૂર્વક પૂજા કરે છે. ૯૯ો. लिंगावसेसाण वि जं वसिटुं, संविग्गश्रीगीयत्थ गुरूवइ8 नाऊण साहूण जहाविहाणं, विहेह तं मोक्खसुहावहं ति ॥१०॥ માત્ર વેષધારીઓનું પણ જે કહેવામાં શેષ રહેલું હોય અને ઉદ્યત વિહારી બહુશ્રુત ગુરુએ ઉપદેશેલું હોય, શાસ્ત્રથી તે જાણીને સાધુઓનું વિધિપૂર્વક તે સર્વ કરે, કારણ કે તે પૂર્વોક્ત બધુ વિધાન મોક્ષ સુખ આપનાર છે. આચાર શૂન્ય અને માત્ર લિંગધારી = વેશધારી જેઓ વાકપટુતા આદિના કારણે લોકોમાં માન્ય હોય તેમના પ્રતિ કુશલાદિ પૃચ્છા પૂર્વકનું ઔચિત્યનું પાલન કરવું, કારણ કે તેથી લોકોનું ચિત્ત જીતાય છે. (અન્યથા - લોકો સારા મહાત્માઓ પર પણ આક્ષેપ કરે છે - આ લોકો તેજોષી છે, ઈર્ષાલુ છે વિગેરે.) અન્યત્ર વસતિ વિગેરેના અભાવે સંવિગ્ન ગીતાર્થોને પણ અગીતાર્થો થી વ્યાપ્ત ક્ષેત્રમાં રહેવું પડે તો સ્વપર સચ્ચિત્ત નો ઉપઘાત ન થાય તેમ આત્મ-ભાવમાં રહેવું જોઇએ. અન્યથા આક્ષેપબાજીથી સ્વપર સચ્ચિત્ત ઘવાય અને પોતાની (ગીતાર્થોની પણ) લઘુતા થાય તથા તેઓને (અગીતાર્થોને) પણ કર્મબંધ થાય જે બંને પક્ષે અનિષ્ટ છે. (માટે આવા દેશકાલમાં આત્મ-સ્વભાવમાં રમમાણ રહેવું શ્રેયસ્કર છે.) - સાધુઓને “પત્થણ ” (નમસ્કાર હો) એમ જીભથી બોલવું, હાથ ઉંચો કરવો, માથું નમાવવું, સુખ દુઃખ ની ઔપચારિક પૃચ્છા કરવી, સેવા કરવી, છોભ વંદન પણ કરવું. એટલે જ્યાં જે ઉચિત હોય તેમ કરવું, તે મોક્ષ આપનાર થાય છે. || સાધુ કૃત્ય સમાપ્ત | શ્રી દેવચંદ્ર સૂરીશ્વરજી દ્વારા રચિત મૂલશુદ્ધિ | વિવરણ સમાપ્ત થયું. બુદ્ધિતિલકશાંતિચંદ્રસૂરીશ્વરજીના સમુદાયના અનુયોગાચાર્ય પંન્યાસ તિલક વિજયજી ગણિવર્યના શિષ્યરત્ન ૫.પૂ. આ. દેવશ્રી રત્નશેખરસૂરીશ્વરજીના શિષ્ય પ.પૂ. આ. રત્નાકરસૂરિવર્યના શિષ્ય મુનિરત્નજ્યોત વિજયજી દ્વારા આલેખિત (રચિત) મુળશુદ્ધિ (ભા-૧) પ્રકરણનો અનુવાદ પૂર્ણ થયો. શુભ ભવતુ Page #244 -------------------------------------------------------------------------- ________________ RIGii શુબા શ્રી0 Navneet Printers (M) 098252 61177, 094273 26041