________________
મૂળશુદ્ધિ ભાગ-૧ મૂળદેવ કથા
૧૫૭ વિદ્વાનોએ જુગારને ધન નાશ કરનાર, નિંદ્ય, કુલશીલને દૂષિત કરનાર, સર્વ પાપોનું જન્મસ્થાન, લોકમાં હલકો બનાવનાર, દુમનનું મૂળકારણ, અવિશ્વાસ ઉપજાવનાર અને પાપમાં પ્રવર્તાવનાર કહેલો છે. એટલે કે પાપ વિના જુગાર ન ખેલાય. કુલને કલંક, સત્યનો પ્રતિપક્ષ = ઝુઠ, વડીલોની લજ્જાનો નાશ શૌચનો ત્યાગ = ચોરી, વડીલોને શરમાવનાર, પવિત્રતાને હરનાર (અરે ! તમારો છોકરો જુગાર રમે એથી મા-બાપને નીચું મોં ઘાલવું પડે.) ધર્મમાં અત્તરાય, અર્થનો નાશ, પુત્ર પત્ની-પિતા, માતા, માસા વગેરે સ્વજનો પ્રતિ પ્રીતિદાન અને પરસ્પર પ્રીતિભોજનનો અભાવ થાય, દેવ ગુરુ અને કાર્ય અકાર્યના વિવેક સમજાય નહીં, શરીરને સંતાપ થાય અને જેનાથી કુગતિ થાય તે ઘુતમાં હે પ્રિય ! મા રાંચ ! ૨૯OMા તેથી સર્વ પ્રકારે આ છોડી દે. અતિરસના કારણે તે છોડી શકતો નથી.
આ બાજુ આજ નગરીમાં કામદેવ સરખા રૂપવાળો, પોતાના કુલનો દીવડો, બાંધવ રૂપી કુમુદના વિકાસ કરવામાં ચંદ્ર સમાન, પ્રજાજનોને વિષે કલ્પવૃક્ષ સમાન, નિર્મલ યશથી દિશાઓને ધોળી કરનાર ઋદ્ધિથી કુબેર સરખો અચલ નામે સાર્થવાહ છે.
તે તો મૂળદેવની પહેલાં જ તેમાં રાગી હતી અને સતત દ્રવ્ય આપી તેની જોડે ભોગ ભોગવે છે. અને તેણે મૂળદેવ ઉપર થોડો દ્વેષ હોવાથી તેની ભૂલ દેખવા પ્રયત્ન કરે છે. અને અચલની શંકાથી દેવદત્તાના ઘેર મૂળદેવ જતો નથી. અવસર મળતા તેની માતાએ દેવદત્તાને કહ્યું હે પુત્રી ! આ મૂળદેવને છોડ. આ નિર્ધનનું આપણે કોઈ પ્રયોજન નથી. તે મહાનુભાવ દાની અચલ વારંવાર ઘણું ધન મોકલે છે. તેથી તેને સર્વ સ્નેહથી અંગીકાર કર. એક મ્યાનમાં બે તલવાર રહી ના શકે. તેથી આ જુગારીને-જુગટીઆને છોડી દે. તે બોલી હે મા ! હું એકાંતે ધનમાં અનુરાગી નથી. પણ ગુણોમાં મને અનુરાગ છે. માતાએ કહ્યું તે જુગારીમાં વળી ગુણો કેવા? અરે મા ! આ તો સંપૂર્ણ ગુણીયલ જ છે. કારણ કે તે સકલ કલામાં પારંગત છે. શરણાર્થી ઉપર વાત્સલ્ય ઝરાવનાર, પ્રિય બોલનારો,ધીર ઉદારમનવાળો, ગુણરાગી વિશેષજ્ઞ છે, એથી હું આને નહિ છોડું. તેથી માતા દ્રષ્ટાન્તથી દેવદત્તાને સમજાવવાની કોશીશ કરે છે. અળતો માંગીએ છતે સાર કાઢીને સૂકાયેલ-વાસી અલતો આપે, શેલડી માંગતા તેનાં છોતરા આપે. પુષ્પો માંગતા ફૂલો ચૂંટી કૂળ ફૂલ તો એક બાજુ કરી (તોડી) નીચેના જે ડીંટ હોય તેનાથી ગુંથેલી માલા આપે છે, એમ દેખી જ્યારે વેશ્યા પૂછે છે ત્યારે (તેની માટે કહે છે જેવું આ અરસ-વિરસ છે, તેવો તારો પ્રિયતમ છે. છતા પણ તું આને છોડતી નથી. માટે આ કિંવદત્તિ સાચી છે કે ...
અપાત્રમાં નારી રમે છે. પહાડ ઉપર વાદળા વર્ષે છે. લક્ષ્મી નીચનો આશ્રય કરે છે. પ્રાજ્ઞ પુરુષ પ્રાયઃ કરીને નિર્ધન હોય છે.
દેવદત્તાએ કહ્યું પારખ્યા વિના અપાત્ર કેવી રીતે જાણી શકાય.
માતાએ કહ્યું તો પારખુ કરો. હર્ષ પામેલી દેવદત્તાએ કહ્યું તો અચલને કહો દેવદત્તાને શેલડીની ઇચ્છા છે, માટે મોકલાવો.