SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળશુદ્ધિ ભાગ-૧ કહ્યું છે કે : દર્શન, જ્ઞાન વ્રતાદિને મેળવેલ, દરરોજ સાધુ ભગવંત પાસે શ્રેષ્ઠ સામાચારી સાંભળે તેને પરમ શ્રાવક કહેવાય. ८० તેવી જ શ્રાવિકા હોય. તે માટે કહેવાતી રીત પ્રમાણે ઉચિત આચરવું. ૧૭ના જેવો ઉદ્દેશ તે પ્રમાણે નિર્દેશ, આ ન્યાય આશ્રયીને જિનપ્રતિમાસંબંધી જે પ્રથમ પૂર્વે કરવાનું કહ્યું, તેનું બે ગાથા વડે પ્રતિપાદન કરે છે. જિનબિંબ નામનુ પ્રથમ સ્થાન વન્ગેનીત-ઙનળ-સંત-રિg-ડં-જોયા-વિદુમાળ । સુવળ-સપ્પા-ડમલાતિયાળ, સારાળ ∞ાળ, સમુદ્મવાઓ ॥૮॥ महंतभामंडलमंडियाओ, संताओ कंताओ मणोहराओ । भव्वाण णिव्वाणणिबंधणाओ, णिम्मावएज्जा पडिमा वराओ ॥१९॥ ગાથાર્થ : વજ્ર, હીરા, ઇંદ્રનીલ-નીલવર્ણવાળા મોટા રત્ન, અંજન, કાજળ જેવી શ્યામ કાંતિવાળા રત્ન, ચંદ્રકાન્ત ચન્દ્રનાં કિરણો પડતા જેમાંથી પાણી ટપકે છે એવા મણિ, રિષ્ટ કૃષ્ણરત્ન, અંકરત્ન, શ્વેતરત્ન, કર્કેતન, પીતરત્ન, વિદ્રુમ - પરવાળા, સોનું, રુપુ, નિર્મલસ્ફટિક તથા અન્ય પણ ઉત્તમદ્રવ્યોની બનેલી, તેમજ વિશાળ ભામંડલથી શોભિત, શાંત દીપ્તિવાળી, મનોહરચિત્તને આનંદદાયક, ભવ્યજીવોના મોક્ષનાં કારણભૂત આવી ઉત્તમપ્રતિમાઓ (ગૃહસ્થે) ભરાવવી જોઈએ. = = વિશેષાર્થ : શાન્તા એટલે રાગદ્વેષનું સૂચન કરનારા સ્ત્રી, હથિયાર વિ. ચિહ્નોરહિત હોય તેવી પ્રશાન્ત આકૃતિવાળી, પ્રતિમા ઉપર દ્રષ્ટિ નાંખતાં આપણાં રાગ દ્વેષ મંદ પડી જાય. નિવ્વાણણિબંધણાઓ એટલે કે તેવી પ્રતિમાઓ વિશિષ્ટ ભાવોલ્લાસનો હેતુ બનતી હોવાથી કર્મક્ષય કરનારી છે. કહ્યું છે કે - પ્રસન્ન લક્ષણવાળી, સર્વ આભરણથી શોભિત પ્રતિમાઓ જોવાથી જેમ જેમ મન આનંદ પામે તેમ તેમ નિર્જરા થાય છે એમ તું જાણ. જેમ વાદળાઓ જોઈ મોર આનંદથી નાચી ઉઠે છે. તેમ જિનેશ્વરનાં મનોરંજક પ્રશાન્ત બિમ્બ દેખીને ભવ્ય જીવો આનંદ ભરપૂર બને છે. ૫૧૮ ॥ ॥૧૯॥ ગૃહસ્થે આવી પ્રતિમા કોની ભરાવવી ? તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર શ્લોકનું પૂર્વાર્ધ રજૂ કરે છે. जिणेंदचंदाण णरेंद-चंद-नागेंद-देवेंदऽभिवंदियाणं । ગાથાર્થ → જિણંદ = નરેન્દ્ર, ચક્રવર્તી, વાસુદેવ વિ. ચંદ્ર જ્યોતિષી ઈન્દ્રો નાગેન્દ્ર ભવનપતિ દેવોના ઈન્દ્રો, આ સર્વ વડે નમસ્કાર કરાયેલ જિનેન્દ્રચંદ્રની પ્રતિમાઓ ભરાવવી ! વિશેષાર્થ →અવધિજિન વગેરે જિન છે, તેઓના ઈન્દ્ર સામાન્ય કેવલી પણ છે, તેઓમાં શ્રેષ્ઠ દર્શાવવા માટે ‘જિનેન્દ્ર - ચંદ્ર' આવું પદ મૂક્યું છે. કહ્યું છે કે... સુર અસુર જ્યોતિષી, વાણવ્યંતર, વ્યંતર, વિદ્યાધર, અને માણસોનાં જેઓ સ્વામી છે. તેઓ ભક્તિ-સમૂહથી પૂર્ણ બનીને જિનેન્દ્રચંદ્ર
SR No.022102
Book TitleMulshuddhi Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages244
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy