SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ ૧ મૂળશુદ્ધિ ભાગ-૧ સુલસાકથા મોટા વાચાલ વાજાઓ ઘમઘુમ અવાજ કરી રહ્યા છે, વાંકી વળીને જયાં વારાંગનાઓ ઉભી છે એવો નારી સમૂહ નાચી રહ્યો છે, કેસર, કસ્તુરી, અમર, ચંદન, કપૂરનું સરખા ભાગે મિશ્રણ કરાઈ રહ્યું છે, વેશ વિલાસ દેખાઈ રહ્યો છે, માણસો સુંદર વસ્ત્રો ધારણ કરી તેમનાં ઘેર આવી રહ્યા છે. વાજિંત્રો વાગી રહ્યા છે, સર્વ પ્રકારનાં ગીતની ધૂન ચાલી રહી છે, દાસ દાસીઓ દોડી રહ્યા છે. મસ્તક ઉપર સંસ્કાર ગ્રહણ કરાઈ રહ્યા છે, અનેક જાતનાં દાન અપાઈ રહ્યા છે, જ્ઞાનીઓ પૂજઈ રહ્યા છે. ઘોંસરી ઉંચી સુકાઈ રહી છે, ભટ્ટ સૂચકો (ભાટચારણો) બિરૂદાવળિ બોલાવી રહ્યા છે, મંગલ ગીતો ગવાઈ રહ્યા છે, બંધુ સમુદાય આવી રહ્યો છે. પોપટ વગેરે કલકલ અવાજ કરી રહ્યા છે. માનનીય વ્યક્તિઓને માન-પાન અપાઈ રહ્યા છે. દેવપૂજા કરાઈ રહી છે, ગુક્તિબંધન(કેદીયોની બેડીઓ) છોડાઈ રહ્યા છે, સંઘની પૂજા થઈ રહી છે, ખાંડ સાથે ઘી અપાઈ રહ્યું છે, સાધુ પાત્રો ઘીથી ભરાઈ) લેપાઈ રહ્યા છે. સુંદર ભોજન જમાઈ રહ્યા છે, અક્ષતપાત્રો આવી રહ્યા છે, પૂજા-પાત્રો અપાઈ રહ્યા છે, એ પ્રમાણે વૈભવથી ચકાચક, માણસોથી ભરપૂર, વધામણા મહોત્સવ કર્યો. દેવતાની પૂજા કરાવી, ગુરુને પગે પડાવી જલ્દી નામોચ્ચાર કરે છે, અને જિનભદ્ર વીરભદ્ર ઇત્યાદિ નામો પાડ્યા. (૭) પાંચ ધાવમાતાઓથી લાલન પાલન કરાતાં આઠ વર્ષનાં થયા, અનુક્રમે વૃદ્ધિ પામતાં બધા કુમારો કલા અને શાસ્ત્રનો પાર પામ્યા, બત્રીસે કુમારે ધર્મકલામાં વિદગ્ધ (હોંશીયાર) અને સંપૂર્ણ યૌવન અને ગુણ સમૂહવાળા છે. બત્રીસે પણ શત્રુસમૂહનો નાશ કરનાર તેમજ સૌભાગ્યથી દેવકુમારને પણ ઝાંખા પાડનાર છે. બત્રીસે જિનવર અને મુનિવરની ભક્તિમાં પરાયણ રહે છે. જેઓએ પોતાનાં રૂપથી કામદેવનું રૂપ જીતી લીધું છે. તેઓ શ્રેણીક રાજાને અતિ પ્રિય છે. કે જે રાજા ઉત્સર્પિણીમાં પ્રથમ તીર્થકર થનાર છે અને ગર્વિષ્ઠ શત્રુરૂપી હાથીઓનો નાશ કરવામાં સિંહ સમાન છે. બત્રીસે માન ઉન્માનથી યુક્ત અને ઉત્તમ લક્ષણ વ્યંજન સહિત છે. બત્રીસે બાંધવરૂપી કુમુદને વિકસિત = હર્ષિત કરવા માટે ચંદ્ર સમાન છે અને કામિનીજનને આનંદ આપનારા છે, બત્રીસે સરલ સ્વભાવવાળા અને જીવાદિ નવ પદાર્થને જાણનારા છે, તે સર્વે ગુણ સમૂહની માલિકા એવી કુલબાલિકાઓને પરણ્યા. હવે તે કન્યાઓની સાથે લીલા કરતાં, સુખ માણતા, પોતાનાં ઘેર વસતાં હંમેશને માટે ચિંતા વિનાના, સ્વર્ગમાં રહેલ દોગંદક દેવ જેવા તે કુમારોનો ઉપદ્રવ વગર કાળ વીતી રહ્યો છે કારણ (૮). આ બાજુ વિશાળ અને સુંદર ગઢવાળી વૈશાલી નગરી છે. તેનું ઉપદ્રવી શત્રુ સમૂહને હંકારી કાઢનાર ચેડારાજા પાલન કરે છે. તેને જ્યેષ્ઠા અને ચેલ્લણા નામે બે કન્યાઓ છે. તે બન્ને ઉંચા પીન સ્તનવાળી, નિજરૂપથી દેવાંગનાનો તિરસ્કાર કરનારી, જીવાદિ પદાર્થને જાણવામાં વિચક્ષણ, જિનશાસનમાં રક્ત અને શુદ્ધ સમકિત ધરનારી, પાંડિત્યના ગર્વથી સ્વચ્છંદ, પુષ્કળ શણગારથી મનોહર શરીરવાળી છે, હવે એક દિવસ પ્રશાન્ત એવી તે બન્ને અંતઃપુરમાં રમી રહી હતી, ત્યારે ત્યાં એક પરિવ્રાજિકા આવી. જેનાં હાથમાં કંડિકા, ત્રિદંડ, અને ઋષિ આસન છે, પોતાના શાસન/મતના સમસ્ત શાસ્ત્રને જાણનારી ઘણાજર્જર / જુના શરીરવાળી તે કન્યાના અંતઃપુરમાં આવી ચડી, એવા
SR No.022102
Book TitleMulshuddhi Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages244
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy