________________
મારું માનવું છે કે “પ્રાકૃત વિજ્ઞાન પાઠમાલા” નો અભ્યાસ કર્યા પછી પ્રાકૃત વાચક વર્ગને પ્રાકૃતમાં ગતિ કરવા માટે આ ગ્રંથ અતિ ઉપયોગી નીવડે એમ છે. બસ આ જ ઉદ્દેશથી મેં અનુવાદનું કામ હાથમાં લીધેલ છે.
વાચક વર્ગ ગ્રંથનો તલસ્પર્શી અભ્યાસ કરી પ્રાકૃતમાં સફળતા મેળવી આગમમાં ઉડાણ ખેડી આત્મલીન બને
એ જ શુભેચ્છા. ......
મને રત્નજયોત નિ. માલવાડા (રાજ.) ૧૪ જૂન, ૨૦૦૫
ટાઈટલની સમજ”) આત્માની જ્ઞાન દર્શન (સમકિત)ની જયોત સદા ઝગમગતી હોય છે. પણ એના ઉપર કર્મનું આવરણ આવવાથી સંપૂર્ણ જ્ઞાન-દર્શન પ્રગટ થતું નથી. તેમાં વળી મિથ્યાત્વનું પડલ તો વિચિત્ર કામ કરે છે, જેથી ઉંધુ દેખાવા લાગે છે. મૂળમાં-સમ્યગ્દર્શન ઉપર મિથ્યાત્વની કાલિમાના કારણે સમ્યગુ જ્ઞાન-જયોત અવરાઈ જવાથી તે જીવને સંસારની સામગ્રીમાં જ સુખ દેખાય છે. એની નજરમાં ટી.વી., ફ્રીજ,હિલસ્ટેશન, ગાડી, મોટર, સ્વીમીંગ પુલ ઇત્યાદિ ભૌતિક સાધનો આવે
અને જયારે મૂળમાંથી મિથ્યાત્વની કાલિમા હટી જતાં જે સમક્તિ પ્રગટે તેથી સત્ જ્ઞાન પ્રકાશ ઝળહળતાં-ઝગારા મારે છે, તેજ મૂળશુદ્ધિ.
એ જીવને હવે ગામડામાં સંતોષ થાય એટલે મોટા આરંભ-સમારંભ આને ના ગમે. અને ધર્મસ્થાનો તરફ તેની નજર મંડરાય છે. એટલે મિથ્યાત્વની કાલિમા તે મૂળ-અશુદ્ધિ, સમકિત તે મૂળશુદ્ધિ.
વળી આ ગ્રંથમાં સાત ક્ષેત્રનું કર્તવ્ય દર્શાવ્યું છે. અને તે જિનબિંબ-ચૈત્યવિ. સાત સ્થાનો છે. કારણ કે આ સાતક્ષેત્રની યથાયોગ્ય સેવા ભક્તિ કરવાથી મૂળશુદ્ધિ થાય છે. તેનાં ઉપરથી આ ગ્રંથનું સ્થાનક એવું બીજું નામ છે. તેની ઝાંખી બતાવવા પાછળ સાત ક્ષેત્ર દર્શાવ્યા છે.