SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળશુદ્ધિ ભાગ-૧ રોહિણેય કથા ૧૩૯ સાહસિક, સદા જીવો મારવામાં રત રહેનારો, લોહીથી ખરડાયેલા હાથવાળો, મહાપાપી, મધ, મદિરા, માંસમાં આસક્ત, પરનારી ભોગવવામાં લંપટ, વિશ્વાસુ મિત્રને પણ દુઃખ દેનાર, અન્યને ઠગવામાં ઘણો જ હોંશીયાર છે. તે રાજગૃહના નગરજનો જ્યારે ઓચ્છવ મહોત્સવમાં જન્મ અને વૃદ્ધિના પ્રસંગે અને દુઃખના પ્રસંગમાં પોતાની મસ્તીમાં મસ્ત કે લોકો હાવરા-બાવરા હોય ત્યારે અને (પ્રમત્ત, વ્યાક્ષિપ્ત) સૂતેલા પ્રવીસાઓના છિદ્રો-અવસર જોઈ પ્રાણીઓને મારી ધન ચોરે છે. અને તેનાથી પોતાની આજીવિકા ચલાવે છે. તેણે રોહિણી નામે સ્ત્રી છે. તેનો પુત્ર રોહિણેય પણ બાપ જેવા દુર્ગુણોથી ભરેલો છે. મરણવેલાએ બાપે પુત્રને કહ્યું તું મારી વાત સાંભળ! માને તો કહું, પુત્રે કહ્યું તમે મારા જન્મ દાતા ગુરુદેવ છો. તમારી આજ્ઞા છોડી બીજા કોની આશા માનું.? ત્યારે ખુશ થયેલાં બાપે કહ્યું. “તારે જિનેશ્વરના વચન સાંભળવા નહિ.” ગુણશીલ ચૈત્યમાં દેવોએ કરેલા સમવસરણમાં બિરાજિત ઈન્દ્રાદિ વંદિત જે પ્રભુ વીર દેશના આપી રહ્યા છે. બીજુ તને જે ગમે તે કરજે એમ કહી બાપ મરણને શરણ થયો. બાપનું મૃતક કાર્ય પટાવીને બાપના આદેશને પાલતો નિર્ધ્વસ પરિણામવાળો ચોરી કરે છે. એ અરસામાં મનુષ્ય વિદ્યાધર દેવોના સ્વામી જેમના પગે પડી રહ્યા છે, તથા સુવર્ણ કમલ ઉપર પગને ધરનારા, તીર્થકર ઋદ્ધિથી શોભતાં, ચૌદ હજાર સાધુઓ સાથે ગામ, આકર, નગરમાં વિહાર કરતાં પરમાત્મા મહાવીર દેવ ત્યાં સમવસર્યા. ત્યાં દેવોએ સમવસરણ માંડ્યું. અને પ્રભુએ યોજનગામી મેઘસમ ગંભીર મધુર વાણીથી દેશના શરૂ કરી. તે વખતે પેલો રોહિણેય ચોર ઘેરથી નીકળી રાજગૃહ નગર ભણી ચાલ્યો. પણ સમવસરણ નજીકમાં દેખી વિચારવા લાગ્યો જો માર્ગથી જઈશ તો ભગવાનનું વચન સંભળાઈ જવાથી પિતાની આજ્ઞાનો ભંગ થશે. અને બીજો કોઈ માર્ગ નથી. “મારે તો આ બાજુ વાઘ અને આ બાજુ નદી આવો હાલ થયો છે.” હવે કેવી રીતે બચવું. એમ વિચારતાં મગજમાં આવ્યું કે બંને કાનમાં આંગળી નાંખી જલ્દીથી ભાગી જાઉં. અને તે પ્રમાણે કરી રાજગૃહ નગરમાં ગયો. અને શ્રીમંતના ઘેર ખાતર પાડી ધન હરી ઘરે આવી ગયો, એમ દરરોજ કરે છે. પણ એક વખત સમવસરણ પાસે આવતાં કાંટો વાગ્યો અને ઉતાવળના કારણે ઘણો અંદર પેઠો. તેથી કાઢ્યા વગર ચલાય એમ નથી, બીજો કોઈ ઉપાય ન હોવાથી એક હાથથી કાંટો કાઢવા જાય છે. તે વખતે દેવ સ્વરૂપનું વ્યાખ્યાન કરતાં પ્રભુ વીરનાં વચનો તેનાં કાનમાં પડયાં કે “દેવો અનિમેષ નયણવાળા, સદા ખીલેલી પુષ્પમાળાવાળા, નીરોગી ધૂળવગરનાં શરીરવાળા, તથા ભૂમિથી અદ્ધર રહે છે.” અરે બાપરે આ તો ઘણુ સંભળાઈ ગયું એથી જલ્દી કાંટો કાઢી જલ્દી કાન બંધ કરી ભાગ્યો. નગરને રોજ લુંટાતું જાણી મહાજનો રાજા પાસે ગયા. અને ભેટયું ધરી રાજા દ્વારા સન્માન કરાયેલા વિનંતી કરવા લાગ્યા. હે રાજનું! આપની ભુજારૂપી પાંજરામાં રહેલાં અમને કોઈ ભય નથી. પણ ચોરો રાજા વગરનાં નગરની જેમ નગરમાં લુંટ ચલાવે છે, માટે નગરની રક્ષા થાય તેવું કરો. વધુ શું કહેવું હવે તો આપને યોગ્ય લાગે તેમ કરો. (૧૯) તે સાંભળી હોઠ કરડી, ભવાં ચડાવી રાજાએ કોટવાળને કહ્યું અરે ! નગરમાં ચોરી કેમ થઈ રહી છે ?
SR No.022102
Book TitleMulshuddhi Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages244
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy