SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળશુદ્ધિ ભાગ-૧ જિનદાસ કથા ત્રિવિધ શરણ સ્વીકારું છું. હિંસા, જૂઠ, ચોરી, મૈથુન, પરિગ્રહ તથા કાયા ને ત્રિવિધ વોસિરાવું છું ત્યારે અંત સમય જાણી ચાર શરણ સ્વીકારી, ચાર આહારનો ત્યાગ કરી શુભધ્યાનથી દુર્ગધિદેહને છોડી કાળ કરી સૌધર્મ દેવલોકમાં ઉપન્યો, અતિશય દેદીપ્યમાન વિમાનમાં અંતર્મુહૂર્તમાં તો સુંદર રૂપવાળો થયેલો શધ્યાથી ઉઠી દિવ્ય દેવવૃદ્ધિ જોવા લાગ્યો, ત્યારે સેવકોના જય શબ્દ સાંભળી વિચારવા લાગ્યો કે મેં પૂર્વભવમાં શું કર્યું જેથી આવી ઋદ્ધિ પ્રાપ્ત કરી. તેને ઉપયોગ મૂકી જોયું તો કરુણાથી ભિક્ષુએ નિજ આચાર કરી રક્તવસ્ત્રવડે ઢાંકી તેનું શરીર પરઠવેલું જોયું, તે દેખી અવ્યક્ત જ્ઞાનનાં કારણે વિચારવા લાગ્યો કે હું પૂર્વભવમાં ભિક્ષુ હતો. માટે આ બૌદ્ધ દર્શન મહાપ્રભાવવાળું છે. જેનાં પ્રભાવે હું આવી ઋદ્ધિવાળો થયો. તેથી આ ભિક્ષુઓની ભક્તિ કરું. એમ વિચારી ત્યાં આવી બુદ્ધ વિહારમાં રહેલાં ભિક્ષુઓને મનોહર ભોજન અલંકૃત હાથથી રોજ દેવા લાગ્યો, તેથી બૌદ્ધ શાસનની પ્રભાવનાં થવા લાગી. શ્રાવકપણ મોહ પામવા લાગ્યા. આ આંતરામાં વિચરતા વિચરતા ધર્મઘોષસૂરિ' ત્યાં પધાર્યા, શ્રાવકોએ વંદન કરી સર્વ હકીકત કહી અને વિનંતી કરી – આપના જેવા નાથ હોવા છતાં જિનશાસનની આવી હલકાઈ થાય તો પછી અત્યારે અમે કોની આગળ જઈ પોકાર કરીએ. તેથી હે ભગવંત ! એવું કરો કે જેથી જિનશાસનનો જયજયકાર થાય. આપને છોડી બીજું કોઈ આ કાર્ય કરવા સમર્થ નથી. ત્યારે શ્રુત ઉપયોગથી તેનું સ્વરૂપ જાણી એક સાધુ સંઘાટક ભિક્ષુ પાસે મોકલ્યું. અને કહ્યું કે તે હાથ વડે તમને ભક્ત અપાવે ત્યારે તમે હાથ પકડી નવકાર ભણજો. અને કહેજો “બુઝ ગુજ્જગા મા મુઝ” બોધ પામ, મુગ્ધ ન થા, ઈચ્છે કહી બે સાધુ બુદ્ધ વિહારમાં ગયા. તે દેખી ઋદ્ધિ ગારવથી સામે જઈ બૌદ્ધ ભિક્ષુઓ કહેવા લાગ્યા “આવો તમને પણ દેવ નિર્મિત આહાર અપાવું” સાધુએ પણ ત્યાં જઈ સૂરિ કથિત કર્યું, તે સાંભળી પેલા દેવે અવધિજ્ઞાનનો ઉપયોગ મૂક્યો, ત્યારે સાચું સ્વરૂપ જાણ્યું, ત્યારે “મિચ્છામિ દુક્કડમ્” આપી નિજ સ્વરૂપે પ્રગટ થઈ સાધુને વાંદીને કહ્યું કે હું અનુશાસન ઈચ્છું છું અને અટ્ટહાસને મુકી ગુરુ સમીપે ગયો. અને મુકુટથી શોભી રહેલાં મસ્તકવાળો. મણિકુંડલ યુગલથી ચમકતા ગાલવાળો, હાર, અર્થહાર, ત્રણસેરા હારથી લટકતા હાર – કંઠીથી ઢંકાયેલ છાતીવાળો, ઉત્તમ કડા | વલય અને ભુજારક્ષકથી-બાજુબંધથી ભૂષિત કોમલ તેમજ ચંચલ ભુજાયુગલવાળો, સોનાની મુદ્રિકાની પ્રભાથી પીળી થયેલ કોમલ આંગળીવાળો, મધુર અવાજ કરનારી ઘૂઘરીથી યુક્ત તેમજ ધૂળ વગરનાં દેવદુષ્યને ધારનારો તે દેવ ભૂમિએ મસ્તક લગાડી સૂરીશ્વરના ચરણમાં પ્રણામ કરી કરકમલની કર્ણિકાના મુગુટને મસ્તકે લગાડી કહેવા લાગ્યો. આજે આપે મિથ્યાત્વથી મુગ્ધ એવા મને દુઃખથી ભરપૂર પાર વગરનાં ભવસમુદ્રમાં ડુબતા બચાવ્યો, અન્યથા નિયામાં ડૂબી જાત, એમ કહી અને જિનમંદિરમાં જઈ પ્રભુને નમસ્કાર કર્યા. અને જિનશાસન મહિમા કરી ભક્તિપૂર્ણ અંગવાળો, હાથ ઉછાળતો નાચવા લાગ્યો અને લોકો સમક્ષ કહ્યું કે ભવથી કરવામાં આ જિનધર્મ જ સમર્થ છે અને શિવવૃક્ષનું સફળ બી છે. તેથી તે લોકો ! અહિં જ જાત્રા પૂજા કરો, અથવા ઘણું કહેવાથી શું?
SR No.022102
Book TitleMulshuddhi Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages244
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy