SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળશુદ્ધિ ભાગ-૧ દેવતાને નમસ્કાર કરે છે.” આવી શિષ્ય પરંપરાનું પાલન કરવું તે પણ ન્યાય યુક્ત છે. કારણ કહેવાય છે કે “શિષ્ટ પરંપરાના પાલન વિના કરાતી સુંદર શામ રચનાની પણ વિદ્વાનો પ્રશંસા કરતાં નથી. માટે તે પરંપરાનું સારી રીતે પાલન કરવું જોઈએ.” અને તેનાં પ્રતિપાલન માટે પહેલાં જ નમસ્કાર કહે છે वंदामि सव्वन्नुजिणिदवाणी पसनगंभीरपसत्थसत्था । जुत्तीजुया जे अभिनंदयंता नंदति सत्ता तह तं कुणता ॥१॥ ગાથાર્થ ને પ્રસન્ન ગંભીર અને પ્રશસ્ત શાસ્ત્રમય સર્વજ્ઞ-જિનેન્દ્રની વાણીને હું વંદન કરું છું. આ યુક્તિયુક્ત જિનવાણીનું અભિનંદન કરનાર અને પાલન કરનાર આત્માઓ આનંદ પામે છે. તે વ્યાખ્યા સંહિતા વિગેરેના ક્રમથી થાય છે. જે કારણે કીધું છે... શરૂઆતમાં વિદ્વાન પુરુષો અહીં પદોમાં સમુદિત પદવાળી સંહિતા કહે છે. ત્યાર પછી તે પદ અને પછી પદોનો અર્થ અને પછી પદોનો વિગ્રહ કહે છે, પછી નિપુણ તાર્કિકો વડે કહેવાયેલ શંકાઓ અને સમાધાન બતાવે છે. એ પ્રમાણે પંડિત પુરષોને માન્ય સુત્ર વ્યાખ્યા છ પ્રકારે થાય છે, પણ - ત્યાં સ્કૂલના વિના (એક સાથે) પદોનું ઉચ્ચારણ કરવું તે સંહિતા કહેવાય છે. “સર્વજ્ઞ, જિનેન્દ્રની, વાણીને, વાંદુ છું.” આમ છુટા છુટા પદોનું કહેવું છે તે પદ. પદાર્થ એટલે વન્દ = સ્તુતિ કરું છું; કોને - સર્વજ્ઞ જિનેન્દ્રની વાણીને સર્વજ્ઞ = સર્વ સમસ્ત સ્વપર પર્યાયના ભેદથી ઘણા પ્રકારના પદાર્થ સમૂહને જાણે છે તે, એટલે કે સર્વ જાણનાર, જિન = રાગાદિ શત્રુને જીતનાર એટલે સામાન્ય કેવળીઓ તેઓના ઇ-નાયક તે જિનેન્દ્ર, ઇન્દનાતુ = આઠ મહાપ્રાતિહાર્ય વિગેરે ઐશ્વર્યથી યુક્ત હોવાથી ઈન્દ્ર એટલે તીર્થકર સર્વજ્ઞ એવાં જિનેશ્વર તેઓની વાણી અંગ, અંગબાહ્ય વિગેરે અનેક પ્રકારની છે. વળી તે કેવી છે ? પ્રસન્ન-સુખપૂર્વક સમજી શકાય તેવી, ગંભીર = દણ જીવાદિ ગંભીર પદાર્થના કારણે બીજાઓવડે પાર ન પામી શકાય તેવી ગંભીર જીવ-અજીવધર્માસ્તિકાય વગેરેનું ઉંડાણ ભરેલુ જ્ઞાન એમાં કહેલું છે. હિંસાદિનું નિવારણ કરનાર હોવાથી પ્રશસ્ત શાસવાળી અથવા પ્રસન્ન એટલે ક્રોધાદિના જયથી ઉત્તમ ઉપશમરસવાળા ગંભીર = શ્રુતકેવલી હોવાથી અન્ય વડે જેનાં મધ્ય ઊંડાણની પ્રાપ્તિ ના થઈ શકે તેવા અને સમસ્ત મંગલના આવાસભૂત એવા ગણધર ભગવતોએ જે વાણીને ગૂંથી છે; એવી યુક્તિયુક્ત જિનવાણીને હું વાંદુ છું. નહિ કે પુરાણાદિની જેમ માત્ર આજ્ઞાસિદ્ધા; એટલે કે “આ તો સર્વ ઇશ્વરની લીલા છે.” એમાં આપણે કોઈ યુક્તિ લગાડવાની નથી. પુરાણ શાસ્ત્રીઓ વડે કહેવાયું છે કે.. “પુરાણ, મનુએ બનાવેલી સ્મૃતિઓ; અંગ સહિત વેદ અને આયુર્વેદ - ચિકિત્સા આ ચારે આજ્ઞાસિદ્ધ છે. તેઓને યુક્તિઓ વડે હણવા ન જોઈએ. દા. આ કહેવા દ્વારા “તેઆ= પુરાણ વિ. યુક્તિ પરીક્ષામાં સમર્થ નથી” એવું જાહેર થાય છે, કહ્યું છે જો કાંઈક કહેવાની ઇચ્છાશક્તિ હોય તો તેણે આ વિચારવું ન જોઈએ, એટલે પોતાની વાત સાચી હોય તો “આના વિશે મને કોઈક પૂછશે તો હું શું જવાબ આપીશ” એવો ડર ન બતાવે. જો સોનું શુદ્ધ હોય તો પરીક્ષાથી શા માટે ડરે ? Iણા
SR No.022102
Book TitleMulshuddhi Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages244
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy