SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળશુદ્ધિ ભાગ-૧ કાલકાચાર્ય કથા . ૧૩૫ (આદર યુક્ત બનેલાં) આગ્રહ કરીને પૂછે તો ઘણાં કઠોર શબ્દોથી ખખડાવીને અને ડરાવીને કહેજો. એ પ્રમાણે કહીને નીકળી ગયા. સતત સુખપૂર્વક વિહાર કરી ત્યાં પહોંચ્યા નિસહી કહી અંદર પ્રવેશ્યા. કોઈક સ્થવિર લાગે છે. એમ માની અવજ્ઞાથી “પૂર્વે નહીં દેખેલાં સાધુને દેખી ઉભા થવું જોઈએ, પૂર્વે જોયેલાં હોય તો જેને જે યોગ્ય હોય તેમ વર્તવું (એટલે પોતે મોટો હોય તો ઉભો ન થાય અને પોતે નાનો હોય તો ઉભો થાય) આવો સિદ્ધાંતનો આચાર ભૂલી સાગરચંદ્રસૂરિ ઉભા થયાં નહિ. વ્યાખ્યાન પુરું થતાં જ્ઞાન પરિષહને સહન ન કરવાથી સાગરચંદ્રસૂરિએ પુછ્યું. “અરે આર્ય! મેં વ્યાખ્યાન કેવું આપ્યું? “કાલકસૂરિએ કહ્યું – સારું આપ્યું.” સાગરચંદ્રે કહ્યું તે કાંઈક પૂછ, જો એમ છે તો તમે અનિત્યત્વની વ્યાખ્યા કરો. સાગરચંદ્રસૂરિ કહે કઠીન પ્રશ્ન કરો, કાલકાચાર્ય કઠિન પ્રશ્ન મને આવડતા નથી. ત્યાર પછી વ્યાખ્યા કરવાનો આરંભ કર્યો. અનિત્ય એ ધર્મ છે તું કેમ આટલું વિચારતો નથી. કાલકાચાર્યે કહ્યું “ધર્મનથી” પ્રત્યક્ષાદિ પ્રમાણનો વિષય ન બનતો હોવાથી, ગધેડાના શિંગડાની જેમ કહ્યું છે કે – પ્રત્યક્ષ પ્રમાણથી અર્થ-પદાર્થનો નિર્ણય થાય તે વખાણવા લાયક છે. પ્રત્યક્ષપ્રમાણના અભાવમાં અનુમાન કે આગમ દ્વારા તેનું ગ્રહણ થાય (૨૨૧) પ્રત્યક્ષાદિ પ્રમાણથી ધર્મ ગ્રહણ થતો નથી, તેથી તેનાં વિષયની વિચારણા કરવી વ્યર્થ છે. આહા ! દાદા ગુરુનું અનુસરણ કરનારો આ તમારો કેવો વેશ છે. આહ ! અરે કો વા એસ'.- આ વૃદ્ધ કોણ છે ? એમ માનતાં સાગરચંદ્રે કહ્યું કે તમે “નાતિધર્મ = નથી ધર્મ” બોલ્યા તેમાં પ્રતિજ્ઞા અને પદનો વિરોધ પ્રગટ દેખાય છે. આહ ! અરે ! નથી તો ધર્મ કેવી રીતે ? અને ધર્મ તો નથી કેવી રીતે ? બીજાઓએ ધર્મ માનેલો છે, તેના આધારે કહેતા હો તો શું આપને પૂછીએ છીએ કે બીજાએ માનેલું તમને પ્રમાણ છે કે અપ્રમાણ ? જો પ્રમાણ માનો તો અમારી વાત સિદ્ધ થઈ ગઈ, એટલે બીજાએ માનેલ ધર્મ પણ પ્રમાણસિદ્ધ થઈ ગયો. અને જો અપ્રમાણ માનતા હો તો પાછો તેજ ઉપરનો દોષ. અપ્રમાણિતને પ્રતિજ્ઞાનો વિષય બનાવ્યો કેવી રીતે ? પ્રત્યક્ષાદિ પ્રમાણનો વિષય નથી બનતો એ પણ બરાબર નથી કારણ કે કાર્ય દ્વારા ધર્મ અધર્મનું પ્રત્યક્ષ થાય છે. કહ્યું છે કે – ધર્મથી સારાકુલમાં જન્મ, તંદુરસ્ત શરીર, સૌભાગ્ય, દીર્ધાયુ, ધન, યશ વિદ્યા, અર્થ, ઉત્તમ સાધન સામગ્રી પ્રાપ્ત થાય છે. વનવગડામાં અને મહાભયમાં ધર્મ રખેવાળી કરે છે. ધર્મની સારી રીતે ઉપાસના કરવાથી સ્વર્ગ અને મોક્ષસુખ પ્રાપ્ત થાય છે. ' બીજું વિદ્યાધરને ઝાંખા પાડનાર, કામદેવ સરખા રૂપવાળા કેટલાક હોય છે. જયારે બીજા કેટલાક પુરુષ શિયાળ જેવા બેડોલ હોય છે. બીજા કેટલાક સર્વ શાસ્ત્રને જાણનાર બૃહસ્પતિ જેવા હોય છે. કેટલાક અજ્ઞાન અંધકારથી છવાયેલાં આંધળાની જેમ (ભટકે) વિચરે છે. કેટલાક ત્રણ વર્ગનાં સુખને પામેલાં લોકોને આનંદ આપનાર દેખાય છે. જયારે બીજા પુરુષાર્થ વગરનાં સાપની જેમ ઉદ્વેગ પમાડે છે. શ્વેત આતપત્રધારી ભાટચારણો જેમની બિરુદાવળી બોલાવી રહ્યાં છે અને
SR No.022102
Book TitleMulshuddhi Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages244
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy