SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ મૂળશુદ્ધિ ભાગ-૧ સામગ્રી ભેગી કરી પાટલીપુત્રમાં ગયો. તેને ઘેરો ઘાલ્યો. તેવું જાણી નંદરાજા સર્વ સામગ્રી સાથે સામે આવ્યો. અને યુદ્ધ થયું. તેમાં વાંચતાં વાજિંત્રનો નાદ થઈ રહ્યો છે. ફેકાઈ રહેલ બાણોથી ભીષણ બનેલ છે. ત્યાં ભાટચારણો બિરદાવલિ બોલી રહ્યા છે. બાણો આવી રહ્યાં છે, સ્વપક્ષનાં નામગોત્રની ઘોષણા થઈ રહી છે, તીક્ષ્ણ ભાલાઓ ભાગી રહ્યા છે, તલવારના ઘા પડી રહ્યાં છે, તીક્ષ્ણ તીર ફેંકી રહ્યાં છે, રાજચિહ્નો છેદાઈ રહ્યા છે, કવચ તુટી રહ્યા છે. છત્ર ભોંય પડી રહ્યા છે, ઘણાં માણસો મૃત્યુને પામી રહ્યા છે. આવું યુદ્ધ થતાં નંદરાજાના લડવૈયાઓએ ચંદ્રગુપ્તના સૈન્યને ભાંગી નાંખ્યું. અને તેઓ પવનથી વાદળાઓ નાશ પામી જાય તેમ ભય વિદ્વલ બનેલાં ચારેકોર ભાગી ગયાં. આવું સ્વરૂપ જોઈ ચંદ્રગુપ્ત અને ચાણક્ય ઘોડે ચઢી એક દિશામાં પલાયન થઈ ગયાં. ઘોડેસવારોએ તેનો પીછો કર્યો. કોઈ ઓળખી ન જાય માટે ઘોડા મૂકી દોડતા દોડતા તળાવની પાળી ઉપર ચડીને દેખ્યું તો એક ઘોડેસવાર તેમની તરફ આવી રહ્યો હતો. તે દેખી વસ્ત્ર ધોતા ધોબીને ચાણક્ય કહ્યું કે અરે રે ! જલ્દી ભાગ, ચાણક્ય અને ચંદ્રગુપ્ત પાટલિપુત્રનો નાશ કર્યો, અને નંદના માણસોને ગોતી ગોતીને પકડે છે. તે સાંભળી ધોબી ભાગ્યો. ચંદ્રગુપ્તને કમલસમૂહમાં છુપાવી દીધો. અને પોતે ધોબીના ઠેકાણે બેસી વસ્ત્ર ધોવા લાગ્યો. જયારે ઘોડેસવારે પૂછયું કે “ચાણક્ય અને ચંદ્રગુપ્તને જોયા ? તેણે કહ્યું ચાણક્યની તો મને ખબર નથી. પરંતુ ચંદ્રગુપ્ત કમલસમૂહમાં છુપાયો છે. તેણે પણ દેખ્યો. જ્યારે પેલાએ ઘોડો ચાણક્યને આપ્યો. ચાણક્ય કહ્યું મને તો આનાથી ડર લાગે છે. (આ વાક્ય પણ તેને કોઈ પીછાણી ન જાય તે માટેનું અમોઘ સાધન હતું.) ત્યારે વૃક્ષે ઘોડો બાંધી તલવાર એકબાજુમાં મુકી જેટલામાં પાણીમાં ઉતરવા વાંકો વળેલો તે સિપાઈ શસ્ત્ર મૂકે છે. તેટલામાં તલવાર ઉપાડી ચાણક્ય તેને કાપી નાંખ્યો. અને ચંદ્રગુપ્તને બોલાવી ઘોડે ચઢીને નાઠા. પણ “કોઈ જાણી જશે તો” આવા ભયના કારણે ઘોડો મૂકી દીધો. ચાલતા ચાલતા ચાણક્ય ચંદ્રગુપ્તને પૂછ્યું, મેં જ્યારે તને બચાવ્યો ત્યારે તે શું વિચાર કર્યો હતો.? ચંદ્રગુપ્ત કહ્યું એ પ્રમાણે જ મને રાજ્ય મળશે. આર્ય જ યોગ્યાયોગ્ય જાણે છે, ગુરુવચનમાં વિચાર કરવાનો ન હોય. કહ્યું છે કે... આચાર્ય મહારાજે એકમુનિને ઉપાશ્રયમાં નીકળેલ ઝેરી સાપ બતાવી કહ્યું કે આ પ્રકારનાં ઝેરી સાપને આંગળીથી માપ અથવા તેના મોઢામાં દાંત કેટલા છે? તે ત્યારે શિષ્ય તહત્તિ કહી સાપ પાસે ગયો, સાપ કરડ્યો. આચાર્યે કહ્યું હવે પાછો આવતો રહે. તારાં શરીરનાં રોગ નિવારણ માટે સર્પદેશ જરૂરી છે. માટે આજ્ઞા કરી હતી. ગમે તેવી આશા ગુરુમહારાજ કરે પણ શિષ્ય વિચાર ન કરે, અમલ કરે. કારણનાં જાણકાર આચાર્યો “ક્યારેક કાગડો સફેદ હોય છે. એમ કહે તો તે વચનને તે સ્વરૂપે શ્રદ્ધા કરવી જોઈએ.” કે આમ કહેવામાં કોઈ કારણ હોવું જોઈએ. બોલાતા ગુરુવચનને જે વિશુદ્ધ મનવાળો ભાવથી સ્વીકારે છે તે પીવાતી દવાની જેમ તેને સુખ માટે થાય છે. (૧૫૯). તેથી ચાણક્ય જાણ્યું કે આ યોગ્ય છે. આને મારા વિશે ક્યારે પણ ગેરસમજ થશે નહિ. આગળ
SR No.022102
Book TitleMulshuddhi Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages244
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy