SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળશુદ્ધિ ભાગ-૧ શકે) દાન, દયા અને ઇન્દ્રિય દમનનું ઘર, એવાં સકલગુણથી યુક્ત તે ગામ છે. સ્વરૂપથી તે ગામ ઝાડ વિનાનું છે. અને તે ગામની ચારે દિશામાં એક યોજન ભૂમિ સુધી ઘાસ સિવાય બીજું એક પણ ઝાડ ઉગતું નથી. ત્યાં જુવેદ વિગેરેનો પાઠક અગ્નિશર્મા નામે બ્રાહ્મણ છે. તેની જ્વલનશિખા નામે બ્રાહ્મણી છે. વિષયસુખ ભોગવતા તેમને એક પુત્રી થઈ. તેનું વિધુત્મભા નામ પાડ્યું. તે રૂપાદિ ગુણથી મંડિત હતી. એટલે કે રૂપથી સુરાંગનાનો તિરસ્કાર કરનારી, ગતિ અને વચનથી શ્રેષ્ઠ હંસ જેવી, સૌમ્યપણાથી જાણે ચન્દ્રલેખા, ગૌરી નારીમાં સૌભાગ્યને શોભાવનારી, દક્ષચતુર, વિનંતી, ગુરજન વિષે ભક્તિવાળી, સ્ત્રીયોગ્ય પ્રશસ્ત કલાગમથી યુક્ત, સત્ય-શૌચ અને શીલથી ભૂષિત સરલ સ્વભાવવાળી હતી, એટલે તે ક્યારે પણ વાંકી-કુટિલ બનતી ન હતી. તે આઠ વર્ષની થઈ એટલે તેની માતાએ રોગ જરા અને કલેશરૂપી દાઢાથી ભયાવહ એવા મૃત્યુ મુખમાં પ્રવેશ કર્યો. તેથી તેણે જાતે જ બધુ ઘરનું કામકાજ કરવાનું ચાલુ કર્યું. તે સવારે ઉઠી ગાય દોહે, પછી છાણનું લીપણું વિ. કરી કચરો કાઢે, ગાય ચરાવા જાય, વળી મધ્યાહ્ન કાળે આવીને ગાય દોહે અને બાપુજીને જમાડી જાતે જમે, પછી ગાય ચરાવા જાય, સાંજે પાછી ઘેર આવે, અને સંધ્યાકાળે સર્વે કાર્યો કરીને સુઈ જાય. એ પ્રમાણે દરરોજ ઘર કામ-કાજથી તે બાળા થાકી જતી. એક વખત ઘણી થાકી જવાથી લાજ મૂકીને બાપુજીને પુનઃલગ્ન માટે કહ્યું, કારણ કે ઘરનું કામ કરતા મારું શરીર તૂટી જાય છે. ત્યારે પિતાએ “આ દીકરી ઠીક કહે છે” એમ વિચારી કોઈ સ્ત્રી સાથે લગ્ન કર્યા. પણ અપર માતા તો ઘરનો બધો ભાર વિધુત્વભા ઉપર મૂકી સ્નાન વિલેપન મેકઅપ કરવા અને ટાપટીપમાં મસ્ત રહેવા લાગી. ત્યારે વિદ્યુતૂભાએ વિચાર્યું સારું કરવા જતાં વધારે ખરાબ થયું. ત્યારે તે તો સવારે ઘરમાંથી નીકળે અને ભોજનવેળા વીત્યા પછી ઘેર આવે અને ઘેર જે કાંઈ વધેલું પડ્યું હોય તે જમી પાછી જંગલમાં જતી રહે છે અને છેક રાત્રે પાછી આવે. એમ પહેલાની જેમ કલેશમાં દિવસો વીતાવતાં બાર વર્ષ થઈ ગયા. એક દિવસ ગાયોને ચરાવતા છાયાનો અભાવ હોવાથી ઘાસ મળે સુઈ ગઈ. એટલામાં ત્યાં કાળો ભમ્મર, મહાકાયાવાળો, રાતી આંખોવાળો, ચપલ બે જીભવાળો, ફણાટોપવાળો, ઉતાવળી ગતિવાળો, ભયથી ડરેલો એક ઝેરી સાપ તેની પાસે આવ્યો. તે સાપ નાગકુમારેન્દ્રથી અધિષ્ઠિત દેહવાળો હોવાથી મનુષ્યની ભાષામાં કોમલ વચનોથી તેને ઉઠાડવા લાગ્યો. તે ઉઠી ત્યારે સાપે કહ્યું કે વત્સ ! ભયભીત થયેલો હું તારી પાસે આવ્યો છું. કારણ કે દુષ્ટ ગારુડકો મારી પાછળ દોડી રહ્યા છે. તેઓના કરંડિયામાં પૂરાઈ કોકડું (ગુંચડો) વાળીને દુઃખી ન થાઉ તે માટે હે બાલા ! તારા ખોળામાં રાખી ઉપર વસ્ત્ર ઢાંકી ઘબરાયેલા એવા મારું રક્ષણ કર. હે પુત્રી ! તું ચિંતા કરીશ નહિ. હું નાગકુમારથી અધિષ્ઠિત દેહવાળો છું. તેથી ગાડિકોના મંત્ર દેવતાની આજ્ઞાઓ લંઘવા સમર્થ નથી. તેથી તું ડર નહિ, મારા વચનને વિકલ્પ વિના કર. ત્યારે તેણીએ પોતાનાં ખોળામાં નાગને છુપાવ્યો. એટલામાં ઔષધિકંકણ હથેલીમાં ધારણ કરેલ ગારુડિકો આવ્યા. અને તે કુમારીને પૂછ્યું અહીંથી સાપ જતો જોયો ? હું તો મોઢા ઉપર વસ્ત્ર
SR No.022102
Book TitleMulshuddhi Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages244
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy