SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ મૂળશુદ્ધિ ભાગ-૧ કાંઈક વેપાર કરાવું. આનું વિજ્ઞાન જઉં “જો યોગ્ય હોય તો યથાયોગ્ય કરીશ” એમ વિચારી શેઠે કહ્યું.... શેઠે કહ્યું કે બેટા ! મારી પાસે પૈસા લઈ પત્ર શાકાદિનો વ્યાપાર કર. તેણે તેમ કર્યું. તેનાથી ખાવા પીવાનો ખર્ચ વિ. જાતે કાઢવા લાગ્યો. એટલામાં વરસાદના દહાડા નજીક આવ્યા. તેથી પત્નીએ કહ્યું ક્યાંથી પણ તમે ઇંટો લાવો તેથી આ નબળા પડેલ વરંડાનું સમારકામ કરી નાંખુ ! જેથી વર્ષાકાળે સુતેલા આપણાં ઉપર ન પડે. તેણે તે પ્રમાણે કર્યું. નબળી ઇંટોને બહાર કાઢતા પાંચસો સોનામહોરો બહાર નીકળી. રાજશ્રીને દેખાડ્યા વિના સોનામહોર પાછળ મૂકી દીધી. અને કૃતકૃત્ય થયેલા તેણે દુકાને જઈ સો દ્રમો વેચી રાજશ્રી માટે વસ્ત્ર અલંકાર કરાવ્યા. તે બોલી આ ક્યાંથી કર્યું? સજ્જન (શેઠ) પાસેથી સો દ્રમો માંગીને આ વસ્ત્રાભરણો કરાવ્યા છે. જો આમ હોય તો મારે આની જરૂર નથી. તેણે કહ્યું તું ડરીશ મા. એ શેઠ તો મહાધનવાન અને મારા ઉપર ઘણાં હેતવાળો છે. વળી તેને તો આટલાની કાંઈ ગણતરી જ નથી. રાજશ્રીએ પહેર્યા તે પણ વ્યાપાર કરતા થોડા દિવસમાં હજાર સોનામહોરનો સ્વામી બન્યો. એકવાર દેવધરને રાજશ્રીએ કહ્યું કે શ્રાવકને ચૌમાસામાં માટી ન ખણાય તેથી તમે કાંઈક ખણવાનું સાધન લાવો જેનાથી હું માટી એકઠી કરી લઉં. શેઠના ઘેરથી કોદાળી લાવી આપી. રાજશ્રી બોલી મારાથી માટી ખણી શકાય એમ નથી. દેવધરે કહ્યું સંધ્યાટાણે માણસોની અવર જવર ઓછી થશે, ત્યારે હું ખોદીશ, તું તગારું અને માટીનો કોથલો પકડજે હું પણ કોથલો ભરીને આવીશ, નહિ તો ખુલ્લી માટી લાવતા આપણને શરમ લાગશે. રાજશ્રીએ તે પ્રમાણે કર્યું, દેવધરે કોદાળીનો ઘા કરીને ભેખડ પાડ્યું, ત્યાં તો દસ લાખ સોનામહોરના મૂલ્યવાળો રત્નાદિથી ભરેલો ચરુ (મોટો ભંડાર) નીકળ્યો. દેવધરે કહ્યું પ્રિયે ! ચાલો આપણે અહીંથી જલ્દી નીકળી જઈએ. શા માટે? એ પ્રમાણે તેણે પૂછ્યું ત્યારે દેવધરે કહ્યું આ જો આપણો કાલ પાક્યો લાગે છે. રાજશ્રી બોલી આ તો કાલ નથી પણ તમારા પુણ્યપ્રભાવે લક્ષ્મી આવી છે. તારી વાત સાચી પણ રાજા જાણશે તો ભારે અનર્થ થશે. ત્યારે “મારી આ શંકા કરે છે એમ વિચારી રાજશ્રી બોલી મારી પાસેથી આ ધન કે વાત પ્રગટ નહિ થાય, તેથી તું વિના સંકોચે ભાગ્યયોગે સામે આવેલ ધનને કોઈ ન દેખે ત્યાં સુધીમાં ગ્રહણ કરી લો. ત્યારે તેને કોદાળીથી સીલ તોડી રત્નાદિને કોથળામાં ઠાળવ્યા. (સોનામહોરનાં ચરુને) ભાજનને પણ તગારામાં મૂકી ઉપર માટી નાંખી દીધી, ઘેર આવી એક ભાગમાં દાટી દીધું. એકવાર રાજશ્રીએ દેવધરને કહ્યું (બન્ને જણાએ વિચાર્યું) આ ધન તો પત્થર સમાન છે કારણ કે - જિનમૂર્તિ, જિનાલય, જિનપૂજા, જિનેશ્વરના પ્રક્ષાલ કે યાત્રામાં જે ધન ઉપયોગમાં આવતું નથી તે ધન હે પ્રિયતમ ! પત્થર સમાન છે. જે ધન સાધુ-સાધ્વીને અન્ન-પાન-પાત્ર-સંથારા -આસન-વસતિ-દવા વિ. માટે અપાતું નથી તે પણ કાંકરા સમાન છે. (૪૨) જે ધન સાધર્મિકોના ભોજન, તંબોલ, આસન,વસ વિ. માટે વપરાતું નથી, તે ધન છે પ્રિય ! ઢેફા સમાન છે, જે ધન પોતાના શરીર માટે, મિત્રો માટે, દીન-અનાથ માટે ઉપયોગી
SR No.022102
Book TitleMulshuddhi Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages244
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy