________________
૯૦
મૂળશુદ્ધિ ભાગ-૧ જીવહિંસાથી જીવનારા માછીમાર આદિને પણ જેટલા દિવસ મહોત્સવ હોય તેટલા દિવસ પ્રેમ ઉત્પન્ન કરે તેવાં (મીઠાં) વચનો કહેવા પૂર્વક ઉચિત અન્નાદિનું દાન આપવું. અને જિનયાત્રામાં જીવહિંસા બંધ કરવાથી તમને પણ ધર્મ થશે. વિ. શુભ ઉપદેશ આપવો.
અહીં હિંસક જીવોને પણ દાન આપવાનું કહીને ધર્માર્થી જીવોએ પરના સંતાપનો ત્યાગ કરવો. (= પરને સંતાપ થાય તેમ ન કરવું.) એ કલ્યાણકારી છે એમ સૂચન કર્યું છે. (૧૨૫).
- હિંસકોને દાન આપવા પૂર્વક હિંસા બંધ કરાવવાથી લોકોમાં જૈન શાસનની પ્રશંસા થાય છે. અને એથી કેટલાક લઘુકર્મી જીવોને સમ્યગદર્શનનો ઉત્તમ લાભ થાય છે. કેટલાક જીવોને સમ્યગ્દર્શન ના બીજની (= જિનશાસન પક્ષપાત રૂપ શુભાધ્યવસાયની) પ્રાપ્તિ થાય છે. (૧૨૬).
કારણ કે જિનશાસન સંબધી (= જિનશાસનમાં રહેલાં) ગુણનો ભાવ પૂર્વક (જૈનો ઉદાર હોય છે માટે જૈનધર્મ ઉત્તમ છે ઇત્યાદિ ભાવથી) અલ્પ પણ સ્વીકાર થાય તો તે સમ્યગ્દર્શનનું બીજ-કારણ બને છે. આ વિષયમાં ચોરનું ઉદાહરણ છે. આ ઉદાહરણ સાતમા પંચાશકની આઠમી ગાથામાં કહેવાઈ ગયું છે. મુનિની પ્રશંસા કરનાર ચોર બોધિબીજ પામ્યો અને ઉદાસીન રહેનાર ચોર બોધિબીજ પ્રાપ્ત ન કરી શક્યો. (૧૨૭) -
આચાર્ય અને શ્રાવક બંને રાજાને મળીને હિંસા બંધ કરાવવા સમર્થ ન હોય તો તે બંનેએ “રાજાને મળીને હિંસા બંધ કરાવવાના સામર્થ્યવાળા પૂર્વના મહાપુરૂષો” ઉપર આંતરિક બહુમાન કરવું. (૧૨૮).
જેમકે – પૂર્વના તે મહાપુરૂષો ધન્ય છે. - પ્રશંસનીય છે જેમણે જિનયાત્રામાં રાજાદિને ઉપદેશ આપીને હિંસા બંધ કરનારાઓને દાન આપવા પૂર્વક હિંસા બંધ કરાવી હતી. (૧૨૯).
અમે તો જિનયાત્રાદિ કાર્યો શાસ્ત્રોક્ત વિધિ મુજબ કરવા અસમર્થ હોવાથી અધન્ય છીએ – પ્રશંસનીય નથી. હા હજી અમારા માટે એટલું સારું છે કે અમે ધર્મ પ્રધાન તે મહાપુરૂષોના સુખ આપનાર આચરણનું બહુમાન (પક્ષપાત) કરીએ છીએ અને એથી એટલા પૂરતા ધન્ય છીએ. (૧૩)
- ઉક્ત રીતે બહુમાન (-પક્ષપાત) કરવાથી તે મહાપુરૂષોનાં ગુણોની અવશ્ય અનુમોદનાં થાય છે. ગણોની અનુમોદનાથી પૂર્વ મહાપુરૂષોનાં આચરણ સમાન જ કર્મક્ષય વગેરે ફળ મળે છે. અર્થાત તે મહાપુરૂષોએ આચરણ કરીને કર્મક્ષય વગેરે જેટલુ ફળ મેળવ્યું હતું. તેટલું જ ફળ તેમના ગુણોની અનુમોદનાથી મળે છે. આશય શુદ્ધ હોવો જોઇએ. (૧૩૦).
- ચ શબ્દ દેશી હોવાથી અપિ અર્થમાં આવેલ છે, તેના લીધે આવો અર્થ નીકળે છે કે અન્ય પ્રતિતિ પ્રાચીન જિનબિંબોની પણ વિશેષરીતે પૂજા કરવી જોઈએ. કારણ નવીનબિંબ કરવાભરાવવા કરતાં જીર્ણ થતાં બીજાએ ભરાવેલ બિંબને પૂજવામાં ઘણો લાભ છે. તેમની પૂજા જ કરવી, એટલું નહિં, પણ તેમનું રક્ષણ તેમજ વર્ધન - દ્રવ્યવિશેષથી નિર્મલ બનાવવા તેમજ દેવદ્રવ્યની રક્ષા વૃદ્ધિ કરવી.
દેવદ્રવ્યનું ભક્ષણ કરવું, ઉપેક્ષા કરવી, પ્રજ્ઞાહીનતાથી અન્યખાતામાં ખતવી દેવું વિગેરે દોષનું વર્જન કરવું તે દેવદ્રવ્યનું રક્ષણ.
ઉપદેશપદમાં: ચૈત્યદ્રવ્ય રક્ષણનું આ પ્રમાણે ફળ કહ્યું છે. જિન પ્રવચનની વૃદ્ધિ કરનાર જ્ઞાન દર્શન ગુણોને દીપ્ત કરનાર એવા જિનદ્રવ્યનું રક્ષણ કરનાર પરિમિત સંસારવાળો થાય છે.