________________
૧૩૪
મૂળશુદ્ધિ ભાગ-૧ ઓળંઘાય નહિ. (કલ્પસૂત્ર સામાચારી)
રાજા કહે જો એમ હોય તો ચોથની રાખી શકાય? સૂરીએ કહ્યું એમ થાઓ. એમાં કોઈ દોષ નથી.
જેથી આગમમાં કહ્યું છે કે – પહેલા પણ પર્યુષણા કરી શકાય છે. તેથી હર્ષથી ખીલેલાં નયણવાળાં રાજાએ કહ્યું - ભગવન્! આપની મોટી મહેરબાની. અમારાં ઉપર મહાઉપકાર કર્યો. મારી રાણીઓનાં પર્વ ઉપવાસનાં પારણે સાધુઓનાં ઉતર વાયણાં થશે. તેથી ઘેર જઈ રાણીઓને કહ્યું કે તમારે અમાવસનો ઉપવાસ થશે. અને પારણે સાધુઓનાં ઉત્તરવાયણાં થશે. તેથી તે દિવસે શુદ્ધ ભક્તપાનથી સાધુઓને વહોરાવજો..
આગમમાં પણ કહ્યું છે કે -
વિહારથી થાકેલ, ગ્લાન, આગમ ભણનારો, લોચ કરાવનારને તથા ઉપવાસાદિના ઉત્તર પારણે આપેલું દાન ઘણાં ફળવાળું થાય છે.
પર્યુષણાંનો બીજ ત્રીજ ચોથનો અઠ્ઠમ કરવાનો હોવાથી એકમનું ઉત્તર પારણું હોય છે. તે જોઈ તે દિવસે લોકો પણ સાધુઓની પૂજા કરવા લાગ્યા. ત્યારથી મહારાષ્ટ્ર દેશમાં “શ્રમણપૂજાલક” નામનો પર્વ પ્રવર્યો, એમ કારણસર કાલકાચાર્યે ચોથની પર્યુષણા (સંવત્સરી) પ્રવર્તાવી અને સમસ્ત સંધે તેને વધાવી લીધી. તથા કહ્યું છેકે - ચૈત્ય, યતિ સાધુનાં વાસ નિમિત્તે શાતવાહન રાજાને ઉદ્દેશીને કાલકાચાર્યે કારણિક ચોથ પ્રવર્તાવી. છે. તેનાં લીધે પાક્ષિક પ્રતિક્રમણ પણ ચૌદસનું થયું નહિતર આગમમાં પૂર્ણિમાનું પાક્ષિક પ્રતિક્રમણ કરવાનું વિધાન છે. આવાં ગુણધારી સૂરીનાં પણ શિષ્યો સમય જતાં દુર્વિનીત બન્યા. તેમને સૂરિ સમજાવવા લાગ્યા પણ માનતા નથી. ફરી કહ્યું રે મહાનુભાવો ! ઉત્તમકુલવાળાં મહાપુરુષો ઈન્દ્ર અહંઈન્દ્ર વિ. ને પણ દુર્લભ શુદ્ધ ચારિત્ર પ્રાપ્ત કરી અવિનયથી ગુરુ આજ્ઞા ઓળંગી નકામું ન બનાવો.
આગમમાં કહ્યું છેકે - છઠ, અઠમ, ચાર, પાંચ, પંદર, ત્રીસ ઉપવાસ કરવા છતાં ગુરુ વચન ન માને તો તે અનંત સંસારી થાય. જંગલમાં દુષ્કર તપ કરવા છતાં ગુરુ આજ્ઞાના ભંગથી કુલવાલક સાધુ નરકમાં ગયો.
આતાપના સાથે તપ કરવા છતાં ગુરુ આજ્ઞા ઓળંગવાથી દ્રૌપદી પૂર્વભવમાં સુકુમાલિકાનાં ભવમાં મોક્ષ ન પામી. આમ સમજવા છતાં તેમણે ગુરુની વાત કાને ન ધરી. સેવા પણ કરતાં નથી. અને ઉલટ સુલટ ગુરુની સામે બોલવા લાગ્યા. અને પોતાની ઈચ્છા પ્રમાણે તપ અને સમાચાર આચરવા લાગ્યા.
ત્યારે સૂરિએ વિચાર્યું મારાં શિષ્યો ગળીયા બળદ (ગધેડા) જેવાં છે. પોતાની મરજી પ્રમાણે જતો આવતો તથા વ્રત ન કરતો જે શિષ્ય હોય તેને સ્વેચ્છાથી છોડી દેવો જોઈએ. તેથી હું પણ આ દુર્વિનીત શિષ્યોને છોડી દઉં. બીજા દિવસે શિષ્યો ઉંઘતા હતાં ત્યારે શય્યાતરને હકીકત જણાવી કે હું મારા પ્રશિષ્ય સાગરચંદ્રસૂરિ પાસે જાઉં છું. “જો કોઈક રીતે વ્યવસ્થિત થયેલાં ,