________________
૧ ૨૪
મૂળશુદ્ધિ ભાગ-૧ ता एवं जेऽवमण्णंति बाला हीलंति आगमं । घोरंधारे दुरुत्तारे अहो गच्छंति ते नरा ॥५७॥ जिणाऽऽणं लंघए मूढो 'किलाहं सुहिओ भवे । जाव लक्खाइँ दुक्खाणं आणाभंगे कओ सुहं ?॥५८॥
ગાથાર્થ - જે અજ્ઞાની લોકો આ આગમનું અપમાન અને હાલના કરે છે, તેઓ ઘોર અંધકારમય દુઃખે નીકળી શકાય એવી નરક પૃથ્વીમાં જાય છે. આજ્ઞા ઓળંગવાથી હું સુખી થઈશ એવું મૂઢ માણસ માને છે, પરંતુ તે લાખો દુઃખ પ્રાપ્ત કરે છે. કારણ કે આશા ભંગ કરવાથી સુખ ક્યાંથી હોય ?
ઓઘ નિર્યુક્તિ (ભાષ્ય ૪૫-૪૬ ગાથામાં) માં કહ્યું છે કે – પ્રમાદના વશે રાજાની આજ્ઞાનો ભંગ કરતા જેમ જેલમાં જકડાવું, ધનાદિ સામગ્રીનું જપ્ત થવું. દુઃખ મરણ ઈત્યાદિ પ્રાપ્ત થાય છે તેમ પ્રમાદવશે જિનેશ્વરની આજ્ઞા તોડતાં દુર્ગતિમાં ક્રોડોવર મોતને પામે છે. પણ આપતા
આગમન માહાસ્ય દર્શાવનારી ગાથા कट्ठ त्थ )मम्हारिसा पाणी दूसमादोसदूसिया । ફા ! આપIII હુંતા ?, ન હુંતો ના નિVT/Tો શા
હરિભદ્ર સૂરિપંદદર કહે છે - જિનાગમ ન હોત તો દુષમકાલનાં દોષથી દૂષિત નાથ વગરનાં એવાં અમારા જેવાનું શું થાત ?
મિથ્યાત્વ બલથી પ્રેરણા કરાયેલું સમતિ મંદ પડે છે અને અવસર્પિણી કાલનાં દોષથી કષાયો વૃદ્ધિ પામે છે. - ગુરુકુલવાસ ફુટી રહ્યો છે એટલે અંદરોઅંદર ફૂટ પડી રહી છે. ધર્મમાં પણ મંદ બુદ્ધિ થઈ રહી છે. લોકનાનાથે જે કહ્યું તે જ થઈ રહ્યું છે. જેમ રાજાઓ કુટુંબીઓ સાથે ઝઘડે તેમ ઉપકરણ, વસ્ત્ર, પાત્ર, વસતિ શ્રાવક વિ. માટે સાધુઓ (યુદ્ધકરશે) ઝઘડશે, કજીયો કરનારા, તથા પ્રાયઃ કરીને દુષમ કાલમાં અસમાધિ કરનાર, શાંતિનો ભંગ કરનારા, નિધર્મી, નિર્દય અને કુર લોકો હોય છે. જનસમૂહને ક્રોધ-માન, મદ, અને મત્સરથી પૂરી પોતાનો પ્રભાવી પંજો ફેલાવી અધર્મે સમસ્ત તપ જપ સારવાળા ધર્મને પણ જીતી લીધો છે. - વિષયોમાં આતુર તે પાપીઓ વ્યવહારમાં પોતાના કામ-કાજમાં પહેલાં – પાવરધા હોય છે. અને ધર્મ થી ભ્રષ્ટ તેઓ અસદાચારી હોય છે. સ્વજનો સાથે હંમેશને માટે વિરોધી લુબ્ધ, ગૃદ્ધ, અને મિત્રોનાં ઘર ભરનારાં, ભારે ક્રોધી દંયા તથા લજા વગરનાં લોકો હોય છે.
દુષમકાળમાં શરણ વગરનાં લોકો નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવલોકમાં શારીરિક અને માનસિક દુઃખો પ્રાપ્ત કરે છે. તારક એવા આગમને નહિ જાણનારા જીવો દુઃખથી તપેલા (પીડાતાં). ચોરાશી લાખયોનિ સ્વરૂપ ચાર ગતિના ગમનથી ગહન સંસારમાં ભટકે છે. (૨૦૪).