Book Title: Mulshuddhi Prakaranam Part 01
Author(s): Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay

View full book text
Previous | Next

Page 138
________________ મૂળશુદ્ધિ ભાગ-૧ કાલકાચાર્ય કથા ૧ ૨૭. દુષ્ટ વિચાર થયો-તેમાં આસક્ત બન્યો. હા સુગુરુ ! ઓહ! ભાઈ ! ઓ પ્રવચનનાં નાથ ! હે કાલક મુનીન્દ્ર ! અનાર્ય રાજાવડે હરણ કરાતા મારાં સંયમનનું રક્ષણ કરો. આવી રીતે વિલાપ કરતી તેણીને અનિચ્છાએ બળજબરીથી અંતઃપુરમાં નાંખી દીધી. તે જાણી સૂરિએ રાજા પાસે જઈ કહ્યું કે રાજનું ! પ્રમાણમાં રહેલાંઓએ પ્રમાણોનું યત્નથી રક્ષણ કરવું જોઈએ. પ્રમાણમાં રહેલાં અવ્યવસ્થિત બને ત્યારે પ્રમાણો વિષાદ (નાશ) પામે છે. (મર્યાદામાં રહેલાઓએ ન્યાયોનું પ્રયત્નથી રક્ષણ કરવું જોઈએ. નહિ તો વેર વિખેર થયેલી મર્યાદાથી નીતિઓ લોપ થાય છે.) વળી તપોવન વિ. નું રાજાને રક્ષણ કરવાનું હોય છે. રાજાઓનાં ભુજાઓના પરાક્રમની છાયાનાં આશ્રયથી ઋષિ મુનિઓ સુખે રહે છે. અને નિર્ભય બની પોત પોતાની ધર્મ ક્રિયા કરે છે. તેથી આ સાધ્વીને છોડી દો. પોતાનાં કુલને કલંક ના લગાડો ! તે કહ્યું છે કે... જે પરદારાનું હરણ કરે છે, તે ગોત્રને ગંદુ કરે છે. ચારિત્રને મલિન કરે છે. સુભટપણાને હારી જાય છે. જગમાં સઘળે અપયશ ફેલાવે છે. અને કુલ ઉપર મેંશનો કુચો ફેરવે છે. (૨૦૯) તેથી મહારાજ ! શરીરમાંથી નીકળેલી પેશીઓની માફક આ વિરુદ્ધ છે. કામાતુર તથા ઉધી બુદ્ધિનાં લીધે રાજાએ કાંઈ માન્યું નહિ. કેમ કે - સામે રહેલું દ્રશ્ય (આંખથી જોઈ શકાય તેવી) વસ્તુને અંધ માણસ દેખતો નથી, જ્યારે કામાંધ રાગાંધ તો જે છે તે તો દેખાતો નથી, અને જે નથી તેને દેખે છે. અને તેથી અશુચિથી ભરેલાં પ્રિયાનાં શરીરમાં ડોલરના ફૂલ, કમળ, પૂનમનો ચંદ્ર, કળશ, કાંતિ ભર્યા લતાનાં પાંદડાઓ વિગેરેનો આરોપ કરી હરખે છે, ક્રીડા કરે છે. તેથી હે રાજનું ! આ તપસ્વિનીને છોડી દે. અન્યાય ન કરો, તેમ અન્યાય કરશો તો બીજો કોણ ન્યાયી બનશે. છતાં રાજા કેમે કરીને ન માન્યો. અને સંઘ પાસે કહેવડાવ્યું છતાં તેણે સંઘને પણ નકાર ભયો. ત્યારે ક્રોધે ભરાઈ કાલાકાચાર્યે આ ઘોર પ્રતિજ્ઞા કરી કે સંઘનો વિરોધી, પ્રવચનનો ઘાતક, સંયમનો નાશ કરવામાં તત્પર એવાં માણસોની ઉપેક્ષા કરનારની જે ગતિ થાય તે ગતિ મારી થાય. તેથી નિર્લજજ આ રાજાને હું આ રાજયથી ભ્રષ્ટ કરીશ. આવું કરવું જોઈએ એ વિષે આગમમાં પણ કહ્યું કે... સામર્થ્ય હોય તો આજ્ઞા ભંગ કરનારની ઉપેક્ષા ન કરવી જોઈએ, પણ અનુકૂળ કે પ્રતિકૂળ ઉપાયથી શિક્ષા આપવી જોઈએ. (૨) તથા સાધુ અને ચૈત્યનાં શત્રુને તથા જિનશાસનનાં નિંદાખોરોને વિશેષે કરી સર્વશક્તિથી વારવા જોઈએ. ર૧રા આવી પ્રતિજ્ઞા કરીને સૂરિએ વિચાર્યું આ ગઈભિલ્લ મહાપરાક્રમી અને ગર્દભી વિદ્યાનાં લીધે બલિષ્ઠ છે. માટે તેને ઉખેડવાનો કોઈ ઉપાય કરવો પડશે. એમ વિચારી કપટથી પાગલ બની ત્રણ રસ્તે ચાર રસ્તે ચોક વિગેરે જાહેર સ્થલમાં આ પ્રમાણે બકવા લાગ્યા. જો ગર્દભિલ્લા

Loading...

Page Navigation
1 ... 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244